________________
૧૨૧૦ ]
દર્શન અને ચિંતન દ્વાáિશિકામાં છે. વાદની ચિંતા અને વિજયની તૃષ્ણાથી વિદ્વાને અને ત્યાગીઓની સ્થિતિ કેવી શોચનીય થઈ જાય છે તેનું ચિત્ર આઠમી વાદ કાત્રિશિકામાં છે. બારમી ન્યાયાત્રિશિકામાં ન્યાયદર્શનના પદાર્થોનું અક્ષપાદનાં ન્યાયસત્રોને કાંઈક મળતું વર્ણન છે. ન્યાયાવતારમાં જૈન સંપ્રદાય પ્રમાણે ન્યાયવાક્યની પદ્ધતિ કેવી હેવી જોઈએ તેનું મુખ્યપણે વર્ણન છે. વિગત માટે જુઓ. પરિશિષ્ટ. ૪.
એક બાજુએ, તે સમયના વિદ્વાને રાજસભામાં વિજય પ્રાપ્તિ અને તદ્વારા લાભ તથા ખ્યાતિ મેળવવી એને પિતાની વિદ્યાનું ધ્યેય માનતા; અને તે માટે વિદ્યા મેળવવા જોઈતા શ્રમ ઉપરાંત વિજયસાધક વાદકથામાં કુશળતા મેળવવા વાદવિષયક શાસ્ત્રોને ખૂબ અભ્યાસ કરતા, અને તે અભ્યાસનો પ્રયોગ પણ કરતા; આ કારણથી વાદમાં વિજય અપાવે તેવાં તેનાં રહસ્યોનું સંક્ષેપમાં વર્ણન કરે એવા ગ્રન્થોને તેઓ ચાહતા, ભણતા અને બનાવતા : બીજી બાજુ વિરક્તવૃત્તિના વિદ્વાને આવી વિદ્યાગોષ્ઠીની એવી ધૂમાયમાન સ્થિતિ જોઈ, આધ્યાત્મિક વિદ્યાઓના દુરુપયેગની ફિકરથી નિસાસો મૂક્તા, અને વિજય માટે રાત દિવસ અથાગ શ્રમ કરતા તેમ જ રાજસભામાં દોડતા વિદ્વાનોને વિસ્મય અને પરિહાસની દૃષ્ટિએ જોતા. આ બંને બાજુનું પ્રતિબિંબ દિવાકરના પ્રતિભાશાલી હૃદય ઉપર પડયું અને તેઓએ તે પ્રતિબિંબને પોતાની પ્રખર કવિત્વશક્તિ દ્વારા મૂર્ત રૂપ આપ્યું. દિવાકરશ્રીએ જોયું કે તર્કવાદ અને વિજ્યની તૃષ્ણા વિદ્વાનોને લક્ષ્યભ્રષ્ટ કરે છે અને તેનું પરિણામ સૌને માટે હાનિકારક છે. તેથી તેઓએ તે સ્થિતિને વગેવી. પણ જ્યાં સુધી એ સ્થિતિ ચાલુ રહે અને બિલકુલ ન બદલાય ત્યાં સુધી વિરક્ત થઈ એકાન્તમાં બેસી રહેવાથી સંપ્રદાયનું અસ્તિત્વ જોખમમાં આવે અને તેનાં કેટલાંક વિશિષ્ટ તત્વે નામશેષ થાય એ કારણથી તેઓએ પોતાના જીવનના અનુભવમાં ઉતારેલ ઘણું વાદકથાના દાવપેચેની શિક્ષા આપવી પણ તેટલે જ અંશે યોગ્ય ધારી. તેમ જ જૈન નિગ્નન્દો, જેઓ ખાસ ત્યાગ અને વિરક્તિને લીધે ન્યાયવિદ્યા અને વાદકથાની વિશેષ ગડમથલમાં નહોતા પડતા તેઓને પણ પરકીય અને સ્વકીય ન્યાયવિદ્યાનું જ્ઞાન મેળવવું આવશ્યક છે એમ તેઓએ જોયું. વિજયવૃત્તિપ્રધાન મધ્યવતી સમયના પ્રારંભમાં જ વિદ્વાનોના હૃદયમાં કેવી જાતનાં બીજ રોપાયાં હતાં એ બધું આથી સૂચવાય છે. . - આ બીજોને ઉત્તરોતર વિકસતાં આપણે જોઈએ છીએ અને તેને પરિણમે સાંપ્રદાયિક દર્શન સાહિત્યનું મધુર અને કટુક મહાન વક્ષ:ભારતવર્ષમાં ફલેલું અને ફળેલું જોઈએ છીએ, જેમાં ઇષ્ટ-અનિષ્ટ પરિણામો કેવળ ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org