________________
૧૫ä ]
દર્શન અને ચિંતન
વાત એ નિયુક્તના સક્ષિપ્ત સૂચનાને વિવિધ વિસ્તાર અને પુરવણી માત્ર છે. ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાની રચના મધ્યકાળમાં થયેલી હાવાથી તેમાં તે વખતના બ્રાહ્મણપુરાની સાંપ્રદાયિક કટુકતા નજરે પડે છે અને પ્રાચીન આગમની તટસ્થતા ઓછી થાય છે.
ચરિત, ખંડનાત્મક અને તર્ક એ ત્રણ વિભાગના સાહિત્યની રચના પણ મધ્યકાળમાં થયેલી હાવાથી તે સાહિત્ય એ વખતે પ્રસરેલ સાંપ્રદાયિતાની વિષવલ્લીના કટુકતમ કળાથી મુક્ત રહે એ સંભવિત ન હતું.
આ બધી સાંપ્રદાયિકતાના કેટલાક નમૂનાએ માત્ર ઐતિહાસિક દષ્ટિએ આગળ આપવા ધાર્યું છે. પરંતુ તે આપતાં પહેલાં તેને વધારે સ્પષ્ટ રીતે સમજવા ખાતર કેટલીક અગત્યની હકીકત પ્રથમ જ જણાવી દેવી યોગ્ય. ધારી છે.
( ૧ )
બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ
તત્ત્વજ્ઞાન અને આચારને લગતી ઘણી બાબતો વિશે વૈદિક અને જૈન દૃન વચ્ચે પ્રબળ મતભેદ છે, પરંતુ એ બધી બાબતમાં યાજ્ઞિક હિંસા એ મુખ્ય મતભેદની બાબત છે અને તેને લીધે જ વેદનું પ્રામાણ્ય તથા બ્રાહ્મણ
૧. બ્રાહ્મણ શબ્દની ઉત્પત્તિ વિશે જૈનોની કલ્પના ખાસ ધ્યાન ખેંચે છે. ભરતે પેાતાને કર્તવ્યનું ભાન કરાવવા ખાતર વ્રતધારી શ્રાવકાને હમેશાં પેાતાને દરવાજે બેસી જે “ માહણ માહણ” શબ્દ ઉચ્ચારવા કહેલું તે જ શબ્દમાંથી બ્રાહ્મણ નામની ઉત્પત્તિ થઈ છે એ એક જ કલ્પના અન્ય શ્વેતાંબર ગ્રંથામાં છે. જ્યારે નામ વિષેની કલ્પના પઉમરિયમાં તદ્દન જુદી જ છે. એમાં બ્રાહ્મણ નામની ઉત્પત્તિ તેા માણુ શબ્દમાંથી જ બતાવવામાં આવી છે પણ એ માહણ શબ્દ જુદા જ ભાવમાં ત્યાં ચેાજાયા છે. જ્યારે ઋષભદૈવની ભવિષ્યવાણીથી લોકોને માલુમ પડ્યુ કે ભરતે સ્થાપેલ બ્રાહ્મણુવણૅ તે આગળ જતાં અભિમાની થઈ સાચા માત્ર લાપશે ત્યારે લેાકાએ એને હવા (પીટવા) માંડથા. એ લોકાને માઁ (ન) ટૂ (મારા) એમ કહી ઋષભે હણુતા વાર્યો ત્યારથી પ્રાકૃતમાં માળ અને સંસ્કૃતમાં બ્રાહ્મણુ નામ પ્રચલિત થયું. આદિપુરાણમાં વળી દ્વિજ નામને ધટાવતાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણત્વ જન્મસિદ્ધ છે પણ તે શાસ્ત્ર અને તપના સંસ્કાર દ્વારા યેાગ્ય અને છે અને ત્યારે જ દ્વિજ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org