________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[૧૮૩ પણ સ્વતંત્ર સ્થાન ભોગવતા. શેષિક દર્શનનું બીજું નામ પાશુપત કે શવદર્શન પણ છે. - એ દર્શનને મૂળ ગ્રન્થ કણદસૂત્ર નામે આજે ઉપલબ્ધ છે, તેને દશાધ્યાયી પણ કહે છે. એના ઉપર અનેક ભાષ્ય, ટીકા, વિવરણ આદિ ગ્રન્થ લખાયા છે, અને તેમાંથી બીજાં બધાં ભારતીય દર્શને ઉપર ઓછો વત્તો પ્રકાશ પાડતું વિપુલ સાહિત્ય જગ્યું છે અને જીવિત પણ છે. એ મહત્વપૂર્ણ વૈશેષિક સત્રના રચયિતા કાશ્યપ ગોત્રીય કણાદ. એ જ વર્તમાન વેશેષિક દર્શનના આદ્ય પ્રવર્તક છે. ઋષિ કણાદનું બીજું નામ લુક્ય હોવાથી એ દર્શનને લુક્યદર્શન પણ કહે છે. એ દર્શનની ઉત્પત્તિ વિષે બૌદ્ધ ગ્રંથમાંથી તે કાંઈ વાંચવામાં આવ્યું નથી, પણ એ કણાદ ઋષિ વિષે વૈદિક પુરાણમાં થોડી માહિતી છે. વાયુપુરાણ૮ આદિ પુરાણ કણુદને ઉલૂકના પુત્રરૂપે વર્ણવે છે અને રાજશેખર૯ તે કહે છે કે મહેશ્વરે ઉલૂક (ઘેડ)નું રૂપ લઈ એ તપસ્વી કણાદને છ પદાર્થને ઉપદેશ આપે, જે ઉપરથી એ ઋષિએ વૈશેષિક દર્શન રચ્યું અને ઔલૂક્યદર્શન તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું. કણુદને એ દશાધ્યાયી પ્રમાણુ સૂત્રગ્રન્ય ઈ. સ. ના પ્રારંભ પહેલાને લાગે છે. રાખે છે. કંદમૂળ અને ફળ ઉપર રહે છે અને પરેણુગત કરવામાં ઉજમાળ રહે છે. તેઓ બે જાતનાં હોય છેઃ એક સ્ત્રીવિનાના અને બીજા સ્ત્રીવાળા. સ્ત્રીવિનાનાને ઉત્તમ માનવામાં આવે છે. જેઓ બ્રહ્મચારી છે તેઓ પંચાગ્નિ તપ તપે છે અને જ્યારે સંયમની પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે તેઓ નગ્ન જ રહે છે. તેમને નમસ્કાર કરનારા નમઃ શિવાય” બોલે છે અને તે સાધુએ તે નમસ્કાર કરનારાઓ પ્રતિ “નમઃ શિવ' કહે છે.” ઈત્યાદિ.
જુઓ– જૈન દર્શન-ગુજરાતી અનુવાદ-(૫૦ બેચરદાસનું) પ્રસ્તાવના પૃ. ૬૬ ટિપ્પણ ૫.
૨૭. આ માટે જુઓ, ગુણરત્નની ટીકા પૃ. ૧૦૭ તથા માધવાચાર્યને સર્વદર્શનસંગ્રહ પૃ. ૨૧૦.
૨૮. વાયુપુરાણ, પૂર્વ ખંડ, અ૦ ૨૩, બ્રહ્મમહેશ્વરસંવાદ
૨૯. પં. વિંધ્યેશ્વરીપ્રસાદસંપાદિત પ્રશસ્તપાદભાષ્યનું વિજ્ઞાપન પૃ• ૧૧-૫૭.
૩૦. જુઓ, હિંદ તત્ત્વજ્ઞાનને ઈતિહાસ, ભાગ પહેલે પૃ. ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org