________________
૧૧૮૮ ]
દર્શન અને ચિંતન પાછા પ્રથમના જ મકાનમાં ધ્યાન કરી રહ્યા. ભગવાનના પારણાને પ્રભાવે થયેલ દિવ્ય વૃષ્ટિની વાત સાંભળી ગોશાલક ભગવાન તરફ આકર્ષ. તેણે પિતાને શિષ્ય બનાવવા ભગવાનને વીનવ્યા. ભગવાનને મૌન જોઈ તે જાતે જ તેઓના શિષ્ય તરીકે સાથે સતત રહેવા લાગ્યો, અને ભિક્ષાથી નિર્વાહ કરવા માંડ્યો. કેટલાક વખત પછી તેને ભગવાનના જ્ઞાનીપણની વિશેષ ખાતરી કરવાનું મન થયું ને તેથી પૂછ્યું કે, હે ભગવન્! આજે મને ભિક્ષામાં શું મળશે? ભગવાન તે ધ્યાનસ્થ હોઈ મૌન રહ્યા પણ સિદ્ધાર્થ નામને દેવ જે ભગવાનને અધિષ્ઠાયક છે તેણે ભગવાનના શરીરમાં દાખલ થઈ શાલકને જવાબ આપે કે “ખાટા કદરા આદિ અન્ન તથા દક્ષિણમાં ખોટે રૂપિયા તને મળશે.” આ ઉત્તર ખોટે પાડવા ગોશાલકે આખો દિવસ મહેનત કરી. 'પણ સારું ભેજન ન મળવાથી છેવટે સાંજે સુધાને લીલે તેણે કોઈ સેવકને ત્યાંથી અન્ન લીધું, જે સિદ્ધાર્થને કહ્યા મુજબ ખાટું જ હતું. દક્ષિણમાં મળેલ રૂપિઓ પણ ખોટે જ નીકળ્યો. આથી ગોશાલકના મનમાં નિયતિવાદનું બીજ રોપાયું અર્થાત્ તેણે સિદ્ધાંત બાંણે કે “જે થનાર હોય તે થાય જ છે.”
નાલંદાપાડામાં બીજું ચોમાસું વ્યતીત કરી ભગવાને અન્યત્ર વિહાર કર્યો. ગોશાલક પણ પાછળથી તેમને આવી મળે અને જાતે જ માથું મૂડી નિર્વસ્ત્ર થઈ પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા ભગવાનને બહુ વિનંતી કરી. ભગવાને તે કબૂલી અને તેને સાથે લઈ અન્યત્ર ચાલ્યા. રસ્તામાં ગોવાળિયાએને ક્ષીર રાંધતા જોઈ તે મેળવવા તેણે ભગવાનને કહ્યું, પણ ભગવાનના દેહમાં અન્તહિંત પેલા સિદ્ધાર્થે કહ્યું કે “ક્ષીર બનશે જ નહિ.” એ વચન જા પાડવા ગોશાલક કે ગોવાળને ચેતવ્યા. ગોવાળાએ હાંડી સાચવવા યત્ન કર્યો. કિંતુ અધવચ્ચે જ હાંડી ફૂટી અને ગોશાલકને તેમાંથી કાંઈ ન મળ્યું. આ બનાવથી તેને પ્રથમનો નિયતિવાદ-અવસ્થંભાવિભાવવાદ સવિશેષ સ્થિર થયે.
એકવાર બ્રાહ્મણ નામક ગામમાં એક મોટે ઘરે ભિક્ષા લેવા જતાં વાસી અન મળવાથી અને વધારામાં દાસીને હાથે તિરસ્કાર થવાથી તેણે ઘર બળવાને શાપ આપ્યો. શાપ આપતાં કહ્યું કે, “જે મારા ગુનું તપતેજ હોય તો આ ઘર બળી જાય” ભગવાનના નામે અપાયેલા શાપ પણ ખોટ પડે ન જોઈએ એમ ધારી નિકટવતિ દેવોએ તે દાતાનું ઘર ધાસની જેમ બાળી નાખ્યું.
ચંપાનગરીમાં ત્રીજું ચેમાસું પૂર્ણ કરી ભગવાન કલ્લાક ગામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org