________________
- દર્શન અને ચિંતન છે, અને ચરિતવિભાગમાં શ્રીવિમલસૂરિકૃત પઉમરિય તથા આચાર્ય હેમચંદ્રનું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર છે. દિગંબરીય સાહિત્યમાં એ વર્ણન માટે પદ્મપુરાણ અને આદિપુરાણ મુખ્ય છે.
એ ગ્રંથમાંના બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિના વર્ણનને ટૂંક સાર આ પ્રમાણે છે.
(૧) આવશ્યકવૃત્તિ પોતાના ભાઈ ઓ એ પ્રવજ્યા લીધી છે એ જાણી ચક્રવતી ખિન્ન થયો. તેણે ધાર્યું કે હું વૈભવ આપું તો કદાચ તેઓ સ્વીકારશે. એમ ધારી વૈભવ ભેગવવા તેઓને પ્રાર્થના કરી, પણ જ્યારે તેઓએ ત્યત ભેગને સ્વીકાર ન કર્યો ત્યારે ભારતે વિચાર્યું કે આ નિઃસંગ બ્રાતમુનિઓને આહાર
૪. આ ગ્રંથના લેખક વિમલસૂરિનો સમય હજી નિશ્ચિત થયો નથી. પ્રો. યાકેબીનું કહેવું છે કે તે એવા સકાથી જૂના નથી. જો કે ગ્રંથકારના લખ્યા પ્રમાણે તેઓ વિક્રમના પહેલા સૈકામાં થએલા હોવા જોઈએ. ] પદ્મપુરાણ એ પઉમરિયનું અનુકરણ છે એમ કેટલાક માને છે. એ મંતવ્ય સાચું હોય તો પદ્મપુરાણના લેખક રવિણ, જેઓ વિક્રમના સાતમા-આઠમા સૈકામાં થયા છે તે, પહેલાં પઉમચરિયના કર્તા વિમલસૂરિ ક્યારેક થયા, હોવા જોઈએ.
૫. આ ચરિત્રગ્રંથમાં આચાર્યે ત્રેસઠ મહાન જૈન પુરુષોનાં જીવન આલેખેલાં છે, તેથી તે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર કહેવાય છે.
. આ ગ્રંથના લેખક દિગંબરાચાર્ય રવિણ છે જેઓ વિક્રમના સાતમા-આઠમા સૈકામાં થઈ ગયા છે. તે વિશે જુઓ fazમારા (નાથુરામજી પ્રેમી લિખિત) પૃ. ૪૩.
૭. આ ગ્રંથ દિગંબરાચાર્ય જિનસેનને બનાવેલ છે જેઓ વિક્રમના નવમા સૈકામાં પ્રસિદ્ધ જૈન રાજા અમોઘવર્ષના સમકાલીન હતા. આદિપુરાણ એ મહાપુરાણને પૂર્વભાગ છે. તેને ઉત્તરભાગ ઉત્તરપુરાણ છે. આદિપુરાણમાં શ્રી કષભદેવજીનું વર્ણન છે, ઉત્તરપુરાણમાં બાકીના તીર્થકરોનું - ઉત્તરપુરાણ ગુણભદ્રસ્વામીએ રચ્યું છે. ભટ્ટારક જિનસેનના શિષ્ય હતા અને તેમને સમય વિક્રમને નવમે સકે ગણવામાં આવે છે. જિનસેન અને ગુણુસેન સ્વામીના સમય, ગ્રંથ આદિ વિશે વધારે માહિતી મેળવવા ઈચ્છનારે નિમારમે પહેલે - ભાગ જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org