________________
-૧૧૫]
દર્શન અને ચિંતન હેતુથી લખાયેલ પ્રથો આવે છે. અને ચોથામાં પ્રમાણ-પ્રમેયાદિનું તર્કપદ્ધતિએ નિરૂપણ કરનાર ગ્રંથો આવે છે.
શ્વેતાંબર શાખાનું સાહિત્ય આ ચારે ભાગમાં ઉપલબ્ધ થાય છે, અને દિગંબર શાખાઓનું ત્રણ ભાગમાં. એમાં આગમ ગ્રંથ નથી.
જૈન સાહિત્યમાં આગમ એ મુખ્ય છે. વેદે અને ત્રિપિટકોની પેઠે તેની પાઠસંકલન, વિભાગવ્યવસ્થા અને સંશોધન એ બધું જેકે રચનાના સમય પછી થયું છેછતાં તેની પ્રાચીનતા લુપ્ત થઈ નથી. વિશિષ્ટ વિચારપ્રવાહ, ભાષાનાં નાનાં રૂપો અને કેટલાંક વર્ણને એ બધું મૂળ આગમ ગણધરેએ રચ્યાં છે એવી જૈન પરંપરાનું સમર્થન કરે છે. એની રચનાને સમય એટલે ભગવાન મહાવીરની નજીકનો સમય છે.
આ સમય એટલે દીર્ધ તપસ્વી મહાવીરે જીવનમાં ઉતારેલ અહિંસાપ્રધાન આચાર અને અનેકાંતપ્રધાન વિચારસરણીની સ્થાપનાને સમય. એ સમયમાં મહાવીરના જીવંત આચાર અને પિતા પોતાના જીવનમાં ઉતારી સ્વસિદ્ધાંત સ્થાપવાની જ ભાવના શિષ્યોમાં મુખ્ય હતી. આંતરિક ગ્યતાને જ માન અપાતું અને તે રીતે ક્રાંતિનું કામ ચાલતું. પિતાને વિરુદ્ધ લાગતા આચાર અને વિચારોનું નિરસન આદર્શ જીવનથી થતું, માત્ર શબ્દથી નહિ. એ વખતે ભગવાન મહાવીરના સિદ્ધાંતના રચનાત્મક કાર્યોની જ મુખ્યતા હતી અને વિરોધી મંતવ્યના ખંડનાત્મક કાર્યની ગૌણતા હતી. અનુયાયીઓની સંખ્યા કરતાં ગ્યતાના પ્રમાણ તરફ વધારે ધ્યાન અપાતું, ને તે રીતે સ્વપક્ષના નિર્માણનું કાર્ય ચાલતું. પોતાના સિદ્ધાંત ઉપરના અચળ અને • જાગતી શ્રદ્ધાને લીધે જો કે તે પ્રચલિત અને બ્રાંત જણાતા અનેક આચારવિચારવિષયક મંતવ્યના સંબંધમાં પિતાને વિરોધ સ્પષ્ટપણે બતાવવામાં આવતો, છતાં તે વિરોધી મંતવ્ય ધરાવનાર વ્યક્તિ કે સમૂહ વિશે ઠેષવૃત્તિ ન કેળવતો માત્ર ઉદાસીનતા દાખવવામાં આવતી.
એ જ કારણને લીધે આપણે આગમ ગ્રંથો પૈકી કેટલાક અંગ ગ્રંથમાં પરમતના નિરસન કે ઉલ્લેખ પ્રસંગે કેઈ વ્યક્તિ કે પક્ષ વિશેષનું નામ નથી જેતા; માત્ર તેમાં પરમતવિરેધસૂચક મિચ્છાદષ્ટિ, અનાર્યદર્શન, બાલ, મંદ, આદિ શબ્દ જોઈએ છીએ. આગમગત એવા ઊંડાણથી વાંચતાં મન ઉપર એવી છાપ પડે છે કે તેમાં સાંપ્રદાયિકતા નથી, પણ તેમાં સ્વસિદ્ધાંતની જાગતી શ્રદ્ધા અને તેથી પ્રામાણિકપણે તે પરમતનો વિરોધ માત્ર છે.
જૈન સાહિત્યમાં મૂળ આગમ પછી બીજું સ્થાન તેના વ્યાખ્યાગ્રંથનું છે. આગમના વ્યાખ્યાગ્ર મુખ્યપણે ચાર ભાગમાં વહેંચાય છેઃ નિર્યુક્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org