________________
૧૧૩ર ]
દર્શન અને ચિંતન આવી રીતે એ ઋષિઓ વચ્ચે મેટ વાદવિવાદ થયે અને છેવટે નિર્ણયને માટે ભગુઋષિને કહેવામાં આવ્યું કે, હે મુનિસત્તમ ! તમે એ ત્રણે દેવે પાસે જાઓ અને ચોક્કસ કરીને અમને જણ કે એ દેવામાં કે દેવ ઉત્તમ છે.
પછી ભગુઋષિ કેલાસમાં વાસ કરતા મહાદેવજીને ઘેર સૌથી પ્રથમ ગયા. ત્યાં દ્વારપાળ તરીકે બેઠેલા મહારૌદ્ર નંદિને એ ભૃગુઋષિએ કહ્યું કે તું ઘરમાં જઈને મહાદેવ(શંકર)ને ખબર આપ કે તમને મળવા માટે ભગુઋષિ આવેલા છે.
નદિએ ભૃગુઋષિને કહ્યું કે અત્યારે તો શંકર દેવી સાથે કીડા કરે છે માટે તું એને નહિ મળી શકે. જો જીવતા રહેવું હોય તો જેવો આવ્યો તે જ પાછો જા.
આ પ્રમાણે નંદિએ નકારે કર્યા છતાંય એ તપસ્વી ઋષિ શંકરને બારણે ઘણા દિવસ સુધી બેસી રહ્યા. તે પણ શંકર તે બહાર જ ન આવ્યા. છેવટે ભૃગુએ શંકરને નારીસંગમમગ્ન જાણીને શાપ આપ્યો કે તેનું સ્વરૂપ ચેનિલિંગ જેવું થજે. એ શંકર અબ્રહ્મણ્યને પામે છે અને બ્રાહ્મણને અપૂજ્ય છે. જે લેકે સદ્રના ભક્ત થશે તેઓ ભસ્મ, લિંગ અને અસ્થિઓને પહેરનારા થશે, અને વેદબાહ્ય પાખંડી ગણાશે.
ત્યાંથી ભગુ બ્રહ્માની પાસે ગયા, એ વખતે બ્રહ્મા દેવેની સાથે બેઠેલા હતા. બ્રહ્માને પ્રણામ કરીને ભગુ ત્યાં બેઠા. બ્રહ્માને ભણુએ તે પ્રણામ કર્યા પણ સામું બ્રહ્માએ ભગુને પ્રણામ તે ન કર્યો પણ કુશળપ્રશ્ન પણ ન પૂછ્યા. એથી ભગુએ બ્રહ્માને શાપ આપ્યો કે ભગુનું અપમાન કરનાર આ રાજસ પ્રકૃતિવાળા બ્રહ્મા સર્વલેકમાં અપૂજ્ય થજે.
પછી છેવટે ભગુ વિષ્ણુલેમાં ગયા, જ્યાં કમલાપતિ નાગશયામાં પિઢેલા હતા, અને લક્ષ્મીજી એમના ચરણને તળાસતાં હતાં. કમલાપતિને આ સ્થિતિમાં જોઈ ભૂગને ક્રોધ આવ્યું અને પિતાને ડાબે પગ એમણે વિષ્ણુની છાતી ઉપર મૂક્યો. પછી તુરત જ ભગવાન ઊડ્યા, પિતાના હાથ વતી ભૃગુના ચરણને પંપાળવા લાગ્યા, અને બેલ્યા કે આજે જ હું ધન્ય છું કે મને તમારે ચરણસ્પર્શ થશે. પછી તે સપત્નીક વિષ્ણુએ ભગુની પૂજા કરી.
આ રીતે ત્રણે દેવોને મળી આવી ભગુએ પેલા ઋષિઓને કહ્યું કે ત્રણે દેવોમાં જે કોઈ ઉત્તમ હેય તે તે એકલા વિષણુ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org