________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૪a જ્યારે તેણે હોય ત્યારે પિશાચોને કેવી રીતે અવકાશ સંભવે? શાંતિ- ત્યારે તરત જ નરકના ખાડામાંથી ઉપર આવેલે કઈ નારકી હશે.
(જોઈ અને વિચારપૂર્વક) અરે સમજાયું ! મહામહે પ્રવર્તાવેલો - આ દિગમ્બર સિદ્ધાંત છે. તેથી આનું દર્શન સર્વથા દૂરથી જ
પરિહરવું યોગ્ય છે. (એમ ધારી પરાભુખ થાય છે.) કરુણું–સખિ! મુહૂર્ત માટે છે. જ્યાં સુધી હું અહીં શ્રદ્ધાને શોધું.
(બંને તેમ જ ઊભાં રહ્યાં.) (ત્યાર બાદ પ્રથમ વર્ણવ્યા તે દિગ
બર સિદ્ધાંત પ્રવેશ કરે છે.) દિગબર–એમ ! અરિહન્તને નમસ્કાર! નવકારવાળી પુરીની અંદર આત્મા
દીવાની જેમ રહ્યો છે. આ જિનવરકથિત પરમાર્થ છે. અને એ મોક્ષસુખનો દાતા છે. અરે. શ્રાવકે ! સાંભળે. સંપૂર્ણ પાણીથી પણ મલમય પુલપિંડમાં શુદ્ધિ કેવી ? નિર્મલ સ્વભાવવાળો આત્મા
ઋષિઓની સેવાથી જાણું શકાય? શું એમ કહે છે કે ઋષિઓની પરિચય કેવી ? લ્યો તે સાંભળો;
ઋષિઓને દૂરથી ચરણમાં પ્રણામ કરવા, સત્કારપૂર્વક મિષ્ટભંજન આપવું, તેમ જ સ્ત્રીઓની સાથે રમણ કરતા એવા તેઓની ઈર્ષ્યા ન કરવી. (નેપથ સામું જોઈને) હે શ્રદ્ધ! પહેલાં આ તરફ (બંને ભયપૂર્વક નિહાળે છે) (ત્યારબાદ તેના જેવા જ વેષવાળી શ્રદ્ધા પ્રવેશ કરે છે.) શ્રદ્ધા–રાજકુલ શું આજ્ઞા કરે છે?
(શાંતિ મૂચ્છિત થઈ પડે છે.) દિગંબર સિદ્ધાંત—તમે એક મુહૂર્ત પણ શ્રાવકના કુટુંબને ન ત્યજશે. શ્રદ્ધા–જેવી રાજકુલની આજ્ઞા.
(એમ કહી ચાલી ગઈ) કરુણા–પ્રિય સખીએ ધીરજ રાખવી. માત્ર નામથી ભય ન ખા. કારણ,
મેં હિંસા પાસેથી સાંભળ્યું છે કે પાખંડીઓને પણ તમે ગુણની
પુત્રી શ્રદ્ધા હોય છે. તેથી એ તામસી શ્રદ્ધા હશે. શાંતિ–(આશ્વાસન મેળવી) એ એમ જ છે. કારણ કે દુરાચાયુક્ત અને
દુઃખપૂર્વક જેવા યોગ્ય એવી આ અભાગણ (તામસી શહા) સદાચારવાળી અને પ્રિયદર્શનવાળી માને કેઈ પણ રીતે અનુસરતી, નથી. ભલે, ઠીક, ચાલે, આપણે બૌદ્ધાલયમાં પણ તેની શોધ કરીએ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org