________________
૧૧૩૪ ]
દર્શન અને ચિંતન કરી શકે છે. કણાદ, ગૌતમ, શક્તિ, ઉપમન્યુ, જેમિનિ, કપિલ, દુર્વાસસ, મૃકંડુ, બુહસ્પતિ અને જમદગ્નિ ભાર્ગવ એ દશ ઋષિઓ મારા ભક્ત છે. તેઓમાં તમારી તામસ શક્તિને આવિર્ભાવ કરે, જેથી તેઓ તામસ શાસ્ત્રોને રચે અને તમે પણ કપાળ, ભસ્મ અને ચર્મ વગેરે ચિહ્નોને ધારણ કરે અને પાશુપત ધર્મને પ્રચાર કરે, કે જેથી એ શાસ્ત્રોને અને તમને જોઈ એ તમારા જેવું આચરણ કરે અને પાખંડી બને.” હે દેવી ! આ પ્રમાણે વિષ્ણુના આગ્રહથી મેં મારે પાખંડ વેષ બનાવ્યો છે અને ગૌતમ, કણાદ વગેરે ઋષિઓ દ્વારા તામસ શાસ્ત્રોની રચના કરાવી છે.
પાર્વતી—આપે જે તામસ શાસ્ત્રોની રચના કરાવી છે તે તામસ શાસ્ત્રો કયાં ક્યાં છે?
ઐ–જેના સ્મરણમાત્રથી જ્ઞાનીઓનો પણ અધઃપાત થઈ શકે છે તે તામસ શાસ્ત્રોનાં નામ આ છેઃ પાશુપાત વગેરે શવ શાસ્ત્રો, કણદરચિત, વૈશેષિક, ગૌતમરચિત ન્યાયશાસ્ત્ર, કપિલનું સાંખ્યશાસ્ત્ર, બહસ્પતિરચિત ચાર્વાક શાસ્ત્ર, બુદ્ધપ્રણીત બૌદ્ધશાસ્ત્ર, અને નગ્નમત, નીલપટમત, માયાવાદ; તથા જૈમિનીયશાસ્ત્ર. હે ગિરિજે ! એ બધાં તામસશાસ્ત્રો છે. તામસ પુરાણો પણ છે જેનાં નામ આ છેઃ
મસ્યપુરાણ, કૂર્મપુરાણ, લિંગપુરાણ, શિવપુરાણ, સ્કંદપુરાણ, અને અગ્નિપુરાણ, આ છે તામસ પુરાણું છે. વિષ્ણુપુરાણ, નારદીય પુરાણ, ભાગવત, ગરુડપુરાણ, પદ્મપુરાણ, વરાહપુરાણ એ છ સાત્વિપુરાણ છે. અને બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કડેય, ભવિષ્યપુરાણ, વામન તથા બ્રાહ્મણપુરાણ એ છ રાજસ્ પુરાણ છે. અને એ જ પ્રકારે સ્મૃતિઓ પણ ત્રણ પ્રકારની છે. વસિષ્ઠસ્મૃતિ, હારિત સ્મૃતિ, વ્યાસસ્મૃતિ, પરાશરસ્મૃતિ, ભારદ્વાજસ્મૃતિ, અને કાશ્યપઋતિ એ છે સાત્ત્વિક સ્મૃતિઓ છે. યાજ્ઞવક્ય, આત્રેય, તૈત્તિર, દાક્ષ, કાત્યાયન અને વૈષ્ણવ એ છ સ્મૃતિઓ રાજસ છે. તથા ગૌતમ, બહસ્પતિ, સંવર્ત, યમ, શંખ, ઉશનસ એ છ સ્મૃતિઓ તામસ છે. (આનંદાશ્રમ અ. ૨૬૩, ભા. ૪ શ્લ૦ ૧–૯૧)
દપુરાણ નારદ–તે ધર્મારણ્ય તીર્થક્ષેત્ર ના રક્ષણ (દેખરેખ) નીચે કેટલા વખત સુધી સ્થિર થયેલ છે, ત્યાં કોની આજ્ઞા વર્તે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org