________________
૧૧૧૮ ]
દર્શન અને ચિંતન નમૂનાઓને વિશેષ સ્પષ્ટ જાણવા ખાતર પુરાણુના તે દરેક સ્થળને ભાવાત્મક સાર નીચે આપવામાં આવે છે.?
નાટક સાહિત્યની રચના બે પ્રકારની છે. એક રચનામાં રચનારનો પિતાના સંપ્રદાય કરતાં બીજા વિધી સંપ્રદાય પ્રત્યે મતાંધતાપૂર્વક આક્ષેપ કરવાને મુખ્ય હેતુ છે અને બીજી રચનામાં તેવો હેતુ મુખ્ય નથી; પણ કોઈ પણ સંપ્રદાયની રૂઢિગત અતિશયતાને લઈ તે નિમિત્તે હાસ્યરસ નિષ્પન્ન કરવાને અથવા કોઈ પણ સંપ્રદાયના ધર્મગુરુને અમુક પાત્રરૂપે આલેખી કાંઈક નાટકીય વસ્તુ સિદ્ધ કરવાને મુખ્ય પ્રયત્ન છે. પહેલી રચનાનું ઉદાહરણ પ્રબોધચંદ્રોદય છે. બીજી રચનાનાં ઉદાહરણે ચતુર્ભાણી, મૃચ્છકટિક, મુદ્રારાક્ષસ, મત્તવિલાસપ્રહસન, લટકમેલક આદિ નાટક અને પ્રહસને છે.
પ્રબોધચંદ્રોન રચયિતા વૈષ્ણવ હોઈ તેણે વૈષ્ણવ સિવાયના બધા ધર્મોને કાં તે તામસ કાં તો રાજસ ચિત્રિત કરવાને અને વૈષ્ણવ સિદ્ધાંતને સાત્વિક તથા સર્વેકષ્ટ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નમાં તેણે જૈન, બૌદ્ધ, પાશુપત આદિ સંપ્રદાયોને બની શકે તેટલા બીભત્સ રીતે વર્ણવવાને પ્રયાસ કર્યો છે. તેને આ હેતુ સમજવા ખરી રીતે આખું પ્રધચંદ્રોદય નાટક વાંચવું જોઈએ, પણ આ સ્થળે માત્ર મતાંધતાને મુદ્દો સમજવામાં ઉપયોગી થઈ પડે તે ખાતર ત્રીજા અંકના અમુક ભાગનો અનુવાદ આપવામાં આવે છે. એટલે પણ અનુવાદ વાંચવાંથી પ્રબોધચંદ્રોદયના રચયિતાને સાંપ્રદાયિક અભિનિવેશ સ્પષ્ટ ધ્યાનમાં આવી શકે તેમ છે. ૩
વૈદિક દર્શન સાહિત્યમાંથી મતાંધતાના નમૂના જણાવવા અહીં માત્ર ત્રણ ગ્રંથમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. પહેલે ગ્રંથ ત—વાર્તિક, બીજે શાંકરભાષ્ય અને ત્રીજે સાંખ્યતત્ત્વકૌમુદી. ત—વાતિક એ જૈમિનીય સૂત્ર ઉપરના શાબરભાષ્યની પ્રસિદ્ધ વિદ્વાન કુમારિકૃત ટીકાને એક ભાગ છે.
૧. જુઓ પરિશિષ્ટ ૧.
૨. આશરે ચૌદમા સૈકામાં થઈ ગયેલ શ્રીગભૂપાલકૃત રસર્ણવસુધાકરનું પ્રહસન-વિષયક પ્રકરણ વાંચવું જોઈએ. એમાં પ્રહસનોના પ્રકારે અને લક્ષણે વર્ણવતાં જે ઉદાહરણે પસંદ કરી મૂકવામાં આવ્યા છે, તે જેવાથી બીજા પ્રકારની રચનાને ઉપર બતાવેલ હેતુ સ્પષ્ટ ધ્યાનમાં આવી શકશે. તે માટે જુઓ રસાણંવસુધાકર પૃ. ૨૯૦ થી આગળ.
૩. જુઓ પરિશિષ્ટ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org