________________
નસાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૦e બાલમનુષ્ય પિતાની આજુબાજુના વાતાવરણમાંથી શ્રદ્ધા અને સંયમરૂપ ધર્મતત્વને મેળવે છે, તેમ જ તે કુટુંબ, સમાજ, ધર્મસ્થાન અને પંડિતસંસ્થાના સંકુચિત વાતાવરણમાંથી મતાંધતા મેળવે અને કેળવે છે. બાલ્યકાળથી ધીરે ધીરે જાણ્યે-અજાણ્યે સંચિત થયેલા મતધતાના સંસ્કારનું સંશોધન જે ઉંમર અને બુદ્ધિની વૃદ્ધિ થયા પછી પણ વિવેકશક્તિથી કરવામાં ન આવે તે ગમે તેટલી ઉંમર થયા પછી અને ગમે તેટલું પુસ્તકીય શિક્ષણ મેળવ્યા છતાંય માણસ એમ ભાન થઈ જાય છે કે મારો ધર્મ એ જ સાચે અને સર્વશ્રેષ; ઇતર ધર્મે કાં તે ખોટા અને કાં તે ઊતરતા; મારા ઉપાસ્ય દેવ અને તેની મૂર્તિઓ એ જ આદર્શ અને બીજાના કાં તો દૂષિત કે તદ્દન સાધારણ; મને પ્રાપ્ત થયેલું તત્ત્વજ્ઞાન અને ધાર્મિક સાહિત્ય એ જ પૂર્ણ તથા પ્રથમ પંક્તિનું અને બીજાઓનું તેમાંથી ચોરેલું અગર ઉધાર લીધેલું; અમારા ધર્મગુરુઓ અને વિદ્વાને એ જ ખરા ત્યાગી તેમ જ પ્રમાણભૂત, અને બીજાઓને ધર્મગુરુઓ ઢાંગી કે શિથિલ અને વિદ્વાને અપ્રમાણભૂત. આવી મતાંધતા બંધાઈ જવાથી ધર્મનું શુદ્ધ અને ઉદાર બળ અશુદ્ધ તથા સાંકડે રસ્તે વહેવા લાગે છે. અને તેમાં ઘણીવાર દુન્યવી સ્વાર્થ ન હોય તો પણ તે ધર્મઝનૂનનું રૂપ લે છે. એ રૂપથી મનુષ્યની કર્તવ્યઅકર્તવ્ય વિષયની બુદ્ધિ લંગડી થઈ જાય છે. આ સ્થિતિ આવવાનું કારણ માત્ર વંશપરંપરા અને અન્ય સંસર્ગથી પ્રાપ્ત થતા સંસ્કારનું વિવેકબુદ્ધિથી સંશોધન ન કરવું અને તે રીતે ચિત્તની અશુદ્ધિને વધતી જવા દેવી એ જ છે.
પુરાવાઓની મર્યાદા અને ઉદ્દેશનું સ્પષ્ટીકરણ–આ સ્થળે જે પુરાવાઓ આપવા ધાર્યા છે તેનું ક્ષેત્ર મર્યાદિત છે. માત્ર આર્ય સાહિત્ય અને તેના પણ અમુક જ ભાગમાંથી પુરાવાઓ આપવા ધાર્યા છે. પણ આ વિષયમાં વધારે શોધ કરવા ઈચ્છનાર ધારે તે કોઈ પણ પ્રજાને કોઈ પણ -વખતના સાહિત્યમાંથી તેવા પુરાવાઓ મેળવી શકે. આ પ્રયાસ તે દિશાનું સૂચન કરવા પૂરતો સ્થાલીપુલાક ન્યાય જે છે.
વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણ સંપ્રદાયના સાહિત્યમાંથી સાંપ્રદાયિકતાના નમૂનાઓ આપવામાં આવે છે. આ નમૂનાઓ ઘણે સ્થળે તે એવા છે કે તે જે સંપ્રદાયના સાહિત્યમાંથી લેવામાં આવ્યા હોય, તે સંપ્રદાયના શ્રદ્ધાળુઓને શરમાવે અગર ગ્લાનિ આપે તેવા છે. તેમ જ તે નમૂનાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org