________________
સાંગાદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૧૩ એ આપણને મતધતાના ઉગ્ર વિશ્વના પ્રથમ નમૂનારૂપે જોવા મળે છે. આ પુરાણોનો પ્રભાવ સાધારણ જનતા ઉપર અપરિમિત હોવાથી તેમાં દાખલ થયેલી મતાંધતા વિશાળ જનતાના હૃદયપટ ઉપર ફેલાયેલી છે. એકવાર જનતાના હૃદયના ઊંડા ભાગમાં દાખલ થએલ મતાંધતાનું વિષ પછી ધીરે ધીરે ભાવી પેઢીઓના વારસામાં એવી રીતે ઊતરતું ગયું કે તેનું પરિણામ સાહિત્યની બીજી શાખાઓમાં પણ જણાય છે. નાટક અને ચંપૂ કે અલંકારના રસિક, પરિહાસપ્રિય (મસ્કરા) અને વિલાસી લેખક એ વિષેની અસરથી મુક્ત ન રહી શકે એ કદાચ સમજી શકાય તેવી બાબત છે, પણ તત્વજ્ઞાન અને મોક્ષપથના પ્રતિનિધિ હોવાનો વિશ્વાસ ધરાવનાર મહાન આચાર્યો અને વિદ્વાને સુદ્ધાં એ વિષના ઉગ્ર પરિણામથી મુક્ત નથી રહી શક્યા, એ આર્ય તત્ત્વજ્ઞાનના શ્રેષ્ઠપણાનું અભિમાન રાખનારને આજે તે કાંઈક શરમાવે છે જ.
પ્રસ્તુત નમૂનાઓ માટે અહીં ત્રણ જાતનું વૈદિક સાહિત્ય પસંદ કરદેવામાં આવે છે. (૧) પુરાણ, (૨) નાટક, (૩) દર્શનશાસ્ત્ર. આ ત્રણે પ્રકારના નમૂનાઓ અનુક્રમે જોઈ ત્યારબાદ જૈન, બૌદ્ધ સાહિત્યમાંથી તેવા નમૂનાઓ જોવાનું યત્ન કરીશું.
એતદેશીય અને વિદેશીય બધા વિદ્વાનો પ્રચલિત પુરાણો પહેલાં પણ પુરાણસાહિત્ય હેવાનું સ્વીકારે છે. એ પ્રાચીન પુરાણસાહિત્યમાં મતાંધતા હશે કે નહિ તે આજે નિશ્ચયપૂર્વક ન કહી શકાય. છતાં પ્રચલિત પુરાણોનાં મતાંધતાવિષયક નમૂના ઉપરથી પ્રાચીન પુરાણ સાહિત્યમાં પણ તેવું કાંઈક હોવાનું સહજ અનુમાન થઈ આવે છે. અસ્તુ શાસ્ત્ર કે લેકમાં પ્રિય થઈ
૧. પરાણો વિષે સવિસ્તર લખવાનું આ સ્થાન નથી, પણ તેની વ્યવસ્થિત માહિતી મેળવવા ઈચ્છનારે મરાઠીમાં વૈદ્ય યંબક ગુનાથ કાળેનું પુરાણનિરીક્ષણ જોવું. “કેમ્બ્રિજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા”માં પ્રો. ઈ. જે. રેસનને પુરાણો વિશે નિબંધ. વિન્સેન્ટ સ્મિથનું “અલ હિસ્ટરી ઓફ ઈડિયા માં પુરાણને સમય એ નામનું પરિશિષ્ટ જેવું, અને પુરાણોના ખાસ અભ્યાસી એફ. ઈ. પાર્જિટર એમ. એ. કૃત “ધ પુરાણ ટેકસ્ટ ઓફ ધ સ્ટડીઝ ઓફ ધ કલિ એજ” તથા “એન્શન્ટ ઈન્ડિયન હિસ્ટોરિકલ ટ્રેડિશન” એ પુસ્તક વાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org