________________
સ્ત્રીજાતિ અને જિવાદ
[ ૧૦૭૩
રાજપુત્રી, મહામત્રીની પુત્રી, ગણિકા અને નટભાર્યાએ શાસ્રન તેમ જ કવિ હતી અને છે.
વિરોધ : સ્ત્રીને દૃષ્ટિવાદ ભણવા માટે જે નિષેધ કરાયેલે છે તેમાં એ પ્રકારે વિધ આવે છે: (૧) તર્ક દૃષ્ટિથી, ( ૨ ) શાસ્ત્રની મર્યાદાથી.
(૧) એક તરફ સ્ત્રીને કેવલજ્ઞાન અને મોક્ષ સુધ્ધાંની અધિકારિણી માનવી અને બીજી તરફ દૃષ્ટિવાદની-શ્રુતજ્ઞાન-વિશેષની પણ અધિકારિણી ન માનવી -યાગ્ય ઠરાવવી એ એવું વિરુદ્ધ જણાય છે જેમ કાઈ તે રત્ન સોંપીને કહેવું કે તું કાડીની રક્ષા નહિ કરી શકે.
( ૨ ) દૃષ્ટિવાદના અધ્યયનના નિષેધ કરવાથી શાસ્ત્રકથિત કાય કારણની મર્યાદામાં પણ બાધ આવે છે. તે આ રીતે શુકલધ્યાનના પહેલા એ પાદ (અંશ) પ્રાપ્ત કર્યાં વિના કેવલજ્ઞાન ઉત્પન્ન નથી થતું. પૂર્વ નામક શ્રુતના જ્ઞાનની પ્રાપ્તિ વિના શુક્લધ્યાનનાં પ્રથમનાં એ પાદ પ્રાપ્ત નથી થતાં અને પૂર્વ શ્રુત એ દૃષ્ટિવા એક હિસ્સે છે. આ મર્યાદા શાસ્ત્રમાં નિર્વિવાદ સ્વીકારવામાં આવી છે—“ જીવને સાથે પૂર્વનિર્ઃ ” તત્ત્વા અ. ૯, સે. ૨૬.
આ કારણથી સ્ત્રીને દૃષ્ટિવાદના અધ્યયનની અધિકારિણી ન માની કૈવલજ્ઞાનની અધિકારિણી માનવી એ સ્પષ્ટ વિરુદ્ધ જણાય છે.
દૃષ્ટિવાદના અનધિકારનાં કારણોના વિષયમાં બે પક્ષ છે. પહેલા પક્ષ જિનભદ્રગણી ક્ષણાશ્રમણ આદિના. એ પક્ષ સ્ત્રીમાં તુચ્છવ, અભિમાન, ઇંદ્રિયચાંચ”, મતિમાંદ્ય આદિ માનસિક દોષ બતાવીને તેને દૃષ્ટિવાદના અધ્યયનના નિષેધ કરે છે. તે માટે જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગા. ૫૫૨.
ખીજો પક્ષ હરિભદ્રસૂરિ આદિના છે. આ પક્ષ અશુદ્ધિરૂપ શારીરિક દોષ બતાવીને તેના નિષેધ કરે છે. જેમ કે~~
25
" कथं द्वादशांगप्रतिषेधः ? तथाविधविग्रहे ततो दोषात् ।
—લલિતવિસ્તરા પૃ. 33,
નય:ષ્ટિથી વિરોધના પરિહારઃ દૃષ્ટિવાદના અનધિકારથી સ્ત્રીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં જે ઉપર પ્રમાણે તત્ત્વાર્થં કચિત કાર્ય કારણભાવને વિરાધ દેખાય છે તે વસ્તુતઃ વિરાધ નથી, કારણ કે શાસ્ત્ર સ્ત્રીમાં દૃષ્ટિવાદના અની યાગ્યતા માને છે, પણ ફક્ત શાબ્દિક અધ્યયનના તે નિષેધ કરે છે.
}e
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org