________________
“સંસાર અને ધર્મનું અનુશીલન
ખંડ પહેલે
૧. તત્ત્વજ્ઞાનના મૂળ પ્રશ્નો
આ લેખ એક ભાઈને પ્રશ્નનો ઉત્તર આપવાની દૃષ્ટિથી લખાયેલું છે, પણ વસ્તુતઃ તે સ્વતંત્ર લેખ જ છે. તત્વજ્ઞાન કોણ શોધી, ચલાવી કે વધારી શકે ? તત્વજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન વચ્ચે શું શું સરખાપણું છે અને ક્યાંથી કે ભેદ દેખાય છે ? તત્ત્વજ્ઞાનની શોધમાં વાદો ક્યાં સુધી સાધક થાય છે અને ક્યારે બાધક થાય છે? સત્યનો શોધક વાસનાનું નિયમન કરે કે તેનો ઉચ્છેદ કરે કે તેને વિશુદ્ધ કરે? ઇત્યાદિ પ્રશ્નોની સચોટ સમજણ અને છણાવટ આપી છે અને કરી છે. જગતદુખવાદીઓએ જગતને દુઃખરૂપ કહ્યું છે, જેમ કે સાંખ્ય, બુદ્ધ આદિએ. પણ એ દુઃખરૂપતા એકાન્તિક નથી અને છે તે અપેક્ષાઓ છે એ બહુ સ્પષ્ટતાથી આ લેખમાં સમજાવ્યું છે. ખરી રીતે જેણે જેણે જગતને દુખમયે કહ્યું છે તે બધાએ એક શરત મૂકી છે અને તે શરત તૃષ્ણાની. જે તૃષ્ણ હોય તે સર્વત્ર દુઃખ જ ભાસવાનું.
જ્યાં સુખ હોય ત્યાં પણ તૃષ્ણ આવી કે તે પ્રતિકૂદનીય બની જવાનું, નિત્તાવાર–એ યોગસૂત્રમાં દુઃખનું કારણ તૃષ્ણાને જ કહેલું છે. જેણે વાસનાય કે તૃષ્ણાજય કર્યો તે બુદ્ધ કે બીજે ગમે તે હોય અને છતાંયે તેને પિતાને દુઃખ ભાસે કે અનુભવાય તે તત્ત્વજ્ઞ, સાધક કે યેગી થવામાં શું લાભ? આથી સિદ્ધ છે કે એવા લેકે દુ:ખી ન હતા; સદા સુખી અને સંતુષ્ટ હતા. જગતમાં આપણું પેઠે આવેલા પણ ખરા. એ જગતે એમને દુઃખ કેમ ન આપ્યું ? ઉત્તર એક જ કે તૃષ્ણા ન હતી. અને તૃષ્ણા ન છતાં તેમનું જીવન પણ દુઃખસંતપ્ત હેત તે તેઓ તૃષ્ણત્યાગનો ઉપદેશ કરવાને બદલે જીવનને અંત જ આણવા કહેત. એટલે શ્રી. મશરૂવાળાએ જગતની સુખદુઃખરૂપતા વિશે લેખમાં જે કહ્યું છે તે યથાર્થ છે. વિવેકીને બધું દુઃખરૂપ છે એનો અર્થ એટલે જ કે જે તૃષ્ણા–અતૃષ્ણ વચ્ચેનું અંતર જુએ છે અને ઉભયજન્ય પરિણામો નિહાળે છે તે તૃષ્ણકટિમાં આવતી સમગ્ર વસ્તુઓ, પછી ભલે તે ગમે તેવી સુખરૂપ ભાસતી હોય, તેને દુઃખરૂપ લેખે છે, અર્થાત તે વિવેકી તૃષ્ણા ન હોય ત્યારે પ્રકૃતિથી પર બનવાને લીધે પ્રાકૃત આઘાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org