________________
સ્ત્રી જાતિને દષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર એક વિચાર
[૮]
સમાનતાઃ વ્યવહાર અને શાસ્ત્ર એ બને સ્ત્રી જાતિને શારીરિક અને આધ્યાત્મિક વિકાસમાં પુરુષજાતિની સમાન સિદ્ધ કરે છે. શારીરિક બળમાં છે. રામમૂર્તિથી કુમારી તારાબાઈ કઈ પણ રીતે ઊતરે તેવી નથી. તેવી જ રીતે વક્નકલામાં અને અનેક પ્રકારના વિચારમાં વિદુષી એની બિસેન્ટ કાઈ પણ વિચાર રક કે વક્તા પુરુષથી ઊતરે એવાં નથી. તે જ પ્રકારે કવિત્વશક્તિમાં કોઈ પણ પ્રસિદ્ધ પુરુષ કરતાં શ્રીમતી સરોજિનીદેવી પાછાં પડે તેવાં નથી. ખરી રીતે નિયમ એ છે કે સમાન સાધન અને અવસર મળે તે સ્ત્રી પણ પુરુષ જેટલું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. વેતાંબર આચાર્યોએ સ્ત્રીને પુરુષની બરાબર કેવલજ્ઞાન અને મોક્ષની અધિકારિણી અર્થાત શારીરિક અને આધ્યાત્મિક વિકાસની અધિકારિણી સિદ્ધ કરેલ છે. પ્રમાણ માટે જુઓ પ્રજ્ઞાપના સૂ. ૭; નંદી રુ. ૨૧.
આ વિષયમાં મતભેદ ધરાવનાર દિગંબર આચાર્યો સામે તેઓએ (વેતાંબરાચાર્યોએ) બહુ લખ્યું છે. જુઓ નંદી–ટીકા પૃ. ૩૧-૩૩; પ્રજ્ઞાપના–ટીકા પૃ. ૨૦–૨૨; શાસ્ત્રવાર્તાસમુચ્ચય–ટીકા પૃ. ૪૨૫–૪૩૦. ' - આલંકારિક પડિત રાજશેખરે મધ્યસ્થભાવપૂર્વક સ્ત્રી જાતિને પુરુષજાતિની સમાન વર્ણવી છે: ___'पुरुषवत् योषितोऽपि कविर्भवेयुः। संस्कारो ह्यात्मनि समवैति, न स्त्रैणं पौरुषं वा विभागमपेक्षते । श्रूयन्ते दृश्यन्ते च राजपुत्र्यो महामात्यदुहितरो गणिकाः જીતુવિધ શાસ્ત્રવત્તિવા વવશ્ય '
–કાવ્યમીમાંસા, અધ્યાય ૧૦. અર્થાત્ સ્ત્રીઓ પણ પુરુષની જેમ કવિ થઈ શકે, કારણ કે સંસ્કાર--શિક્ષા એ આત્મામાં ઊતરે છે. તે કાંઈ સ્ત્રી જાતિ કે પુરુષજાતિના ભેદની અપેક્ષા --પરવા નથી કરતે. સાંભળવામાં આવે છે અને જોવામાં પણ આવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org