________________
ઉચ્ચ શિક્ષણની બોધભાષા
[૩૧] - બુદ્ધિપ્રકાશ” ના જાન્યુઆરી ૧૯૪૯ના અંકમાં “ઉચ્ચ શિક્ષણની બધભાષાને પ્રશ્ન એ શીર્ષકે મારે એક લેખ પ્રગટ થયો હતો. તેમાંના કેટલાક મુદ્દાઓ પરત્વે આણંદથી પ્રગટ થતા “વાણું” માસિકના સં. ૨૦૦૫ના મહા-ફાગણ–ચત્રના સંયુક્ત અંકમાં આચાર્ય ડોલરરાય માંકડે પિતાને મતભેદ પ્રગટ કર્યો છે. ત્રણ મુદ્દાઓ તરફ એમણે મારું ખાસ ધ્યાન ખેંચ્યું છે, જે માટે હું તેમને આભારી છું. એમને લેખ સાંભળ્યા પછી “બુદ્ધિપ્રકાશમાં મારે ઉપર્યુક્ત લેખ હું ફરીથી તપાસી ગયે, પણ એમાં એવું કશું ન જણાયું જેમાં વિચારપરિવર્તનને અવકાશ હોય. તેમ છતાં આ. માંકડે રજૂ કરેલા મુલઓને એક પછી એક વિચારું.
૧. એમને પહેલે મુદ્દો એમ છે કે આપણે ઉચ્ચ શિક્ષણની અર્થાત્ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના શિક્ષણની વાત કરીએ ત્યારે સામાન્ય જનસમાજની એટલે કે નીચલા થરે (masses)ની વાત નહિ કરવી જોઈએ, કેમકે એ પ્રકારનું શિક્ષણ એટલું વ્યાપક થવાનું જ નહિ. આથી નીચલા થરો સમજી શકે એ ભાષા ઉચ્ચ શિક્ષણમાં માધ્યમ તરીકે રહેવી જોઈએ એ દલીલ એમને ઠીક લાગતી નથી.
આશ્ચર્યની વાત છે કે આ. માંકડે આ પ્રશ્નને કેવળ મહાવિદ્યાલયમાં દાખલ થઈને ઉચ્ચ શિક્ષણ લેનારાઓને ખ્યાલ કરીને વિચાર્યો! એવાઓની સંખ્યા ઓછી જ હોય એ હકીકત તરત સ્વીકારી લેવાય એવી છે, પણ સવાલ એ નથી. સવાલ તે જ્ઞાન શી રીતે પ્રજાવ્યાપી થાય તેને છે, અને શી રીતે પ્રજવ્યાપી થતું હોય છે તેને પણ છે. પ્રજામાં કક્ષાના ભેદે તે હોય છે, પણ પ્રત્યેક કક્ષાને સુગમ પડે તે રીતે જ્ઞાનનું વિતરણ કરવું રહે છે. હવે જે ઉચ્ચ શિક્ષણની બેધભાષા સ્વભાષા કરતાં જુદી હોય તે વિદ્વાન એ ભાષામાં જ લખતા–વિચારતા થાય. એને પરિણામે સામાન્ય જનેને સુગમ એવી શબ્દાવલી એમને ઝટ સૂઝે નહિ, જેથી પિતાની ભાષામાં લખે–બોલે ત્યારે પણ એમની ભાષામાં સ્વાભાવિક ખૂબીઓ ઊતરી આવી શકે નહિ. આપણે ત્યાં જ્યારે શિક્ષણનું વાહન અંગ્રેજી ભાષા હતી ત્યારે શાળામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org