________________
જીપુરુષના બળાબળની મીમાંસા સરખી જ લાગુ પડે છે, કારણ કે અનેક ત્યાગી અને ગૃહસ્થ સ્ત્રીઓ પુરુષવંધ અને દેવવંદ્ય થઈ ગઈ છે.
- વિદ્વાનોના એ અનુભવની સત્યતા સાબિત કરનાર અનેક પ્રાચીન આખ્યાનો આપણુ આર્યશાસ્ત્રમાં છે. અત્યારે અહીં એવાં કેટલાંક આખ્યાને જઈશું કે કઈમાં પુરૂષ અડેલ રહી સ્ત્રી તરફ નિર્વિકાર રહે છે અને કઈમાં સ્ત્રી નિર્વિકાર રહી ઊલટી પડતા પુરુષને સ્થિર કરે છે.
પહેલું આખ્યાન હિંદુશાસ્ત્રમાં પ્રાચીનમાં પ્રાચીન ગણાતા ઋગ્યેદમાંનું છે, બીજાં બે આખ્યાને જેન આગમોમાંનાં છે અને બે આખ્યાને બૌદ્ધ સાહિત્યમાંનાં છે. ઋગવેદના એ આખ્યાનમાં ભાઈ અને બહેનને પ્રસંગ છે. બહેન યમી ભાઈ યમને પરણવા પ્રાર્થો છે. યમ એ અધર્મ માર્ગે જવાની ના પાડી પિતાની બહેનને અન્ય કઈ તરુણ સાથે જોડાવા સમજાવે છે. બહેન બહુ લલચાવે છે, ધમકાવે છે ને શાપ પણ આપે છે, પરંતુ ભાઈ યમ પિતાના અખંડિત તેજોબળથી એ કશાની પરવા નથી કરતે ને પિતાના નિશ્ચયમાં મકકમ રહે છે. આ આખ્યાનમાં પુરુષાત્માના જાજવલ્યમાન આત્મતેજનું અને સ્ત્રી-આત્માના વાસનારૂપ આવરણનું દર્શન થાય છે.
તેથી ઊલટે દાખલે જૈન આખ્યાનમાં છે. એમાં ભાઈ ભરત ચક્રવતી ઓરમાન બહેન સુંદરીને સ્ત્રીરત્ન બનાવવા ઇચ્છે છે. એ યુગ ભાઈ-બહેનના લગ્નને હતા. એવાં લગ્નો ત્યારે સહજ હતાં. એમાં નિંદા કે તિરસ્કાર ન થતા, છતાં સુંદરીનો જાગરિત આત્મા ચક્રવર્તી ભાઈના વૈભવથી કે તેના મહત્ત્વથી ચલિત નથી થતો, ઊલટે અખંડ જ્યોતિની પેઠે વધારે તેજથી પ્રકાશે છે. એ સુંદરી પિતાના શારીરિક સૌન્દર્યને મેહનું સાધન સમજી શરીરને નિસ્તેજ બનાવવા અને તેનું બાહ્ય તેજ અંદર ઉતારી તેજસ્વી આત્માને વધારે તેજસ્વી બનાવવા તપનું અનુષ્ઠાન કરે છે. અતિ લાંબા વખત સુધી રસાસ્વાદ ત્યજી તે સુંદરી બહારથી જેટલી અસુંદર તેટલી જ અંદરથી સુંદરતમ બની તપને બળે ભાઈને સમજાવે છે અને તેની વાસના શમાવે છે. આ આખ્યાનમાં સ્ત્રી આત્માનું અખંડ તેજ, પડતા પુરૂષને ઉદ્ધરે છે.
ત્રીજા જૈન આખ્યાનમાં પણ એક કુમારી બ્રહ્મચારિણી અને સાધ્વી રાજપુત્રીના નિશ્ચલ બ્રહ્મચર્યનું દર્શન થાય છે. એ સાધ્વી વિકારવશ થતા એક સાધુને તેના ધ્યેયનું સ્મરણ આપી શાશ્વત અને માર્મિક ઉપદેશથી તેને સંયમમાં સ્થિર કરે છે, અને સ્ત્રી-કલેવરમાં વસતા આત્માનું કેટલું તેજ હેઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org