________________
૧૦૦૮]
દર્શન અને ચિંતન ઓળખાતે, સાથે સાથે એનામાં વિશિષ્ટ ગુણોની અપેક્ષા પણ રહેતી. એ અપેક્ષા એટલે એનું અપરિગ્રહી જીવન.
શ્રીભાગવતમાં શાલીન, યાયાવર, શિલ અને ઉંન્ને એવી ચાર બ્રાહ્મણની વૃત્તિઓ યા આજીવિકાઓને નિર્દેશ છે. યાયાવર એ એક જાતની આજીવિકા છે. એનો અર્થ ભાગવતવૃત્તિકાર શ્રીધરે દર્શાવ્યા છે–અને તે યોગ્ય જ છે કે –એ પ્રમાણે હમેશા અનાજની ભિક્ષા માંગવી તે યાયાવરવૃત્તિ. જે વિપ્રવ્યક્તિ પિતાની પાસે કશે સંગ્રહ ન રાખતાં જરૂરિયાત પ્રમાણે હંમેશા અનાજની ભિક્ષા માંગી લે તે તેની યાયાવરવૃત્તિ કહેવાય. મૂળમાં આવી વૃત્તિ પાછળ ઉચ્ચ આશયવાળા અપરિગ્રહને ભાવ જ રહેલો છે. આવી વૃત્તિ ધારણ કરનાર હોય તે યાયાવર કહેવાય. આ રીતે આ દેશમાં અપરિગ્રહ ઉપર જીવન ધારણ કરતા અનેક સંત-મુનિઓમાં “યાયાવર એ એક પ્રકારનો વર્ગ હતે. (આજે ભલે તદ્દન અલ્પ પ્રમાણમાં, તે પણ તેવા વર્ગની સાવ ખોટ નથી.)
યાયાવર શબ્દ પાણિનિ જેવા વૈયાકરણએ સિદ્ધ કર્યો છે. મહાભારત, રામાયણ, સ્મૃતિ અને ભાગવત આદિમાં એ વપરાયેલ મળે છે.
આવા ભાવપૂર્ણ યાયાવર” શબ્દને અંગ્રેજી શબ્દ “માઈગ્રેટરી બર્ડને માટે જ એના જેકે બહુ કૌશલ દર્શાવ્યું છે, એમ મને લાગે છે. જે યાયાવર એ બ્રમણશીલ અને અપરિગ્રહવૃત્તિ ધારણ કરનાર એવો કઈ વર્ગ હતે તે યુરોપના અને ઉત્તર એશિયાના દૂરદૂરના પ્રદેશોમાંથી હજારો માઈલની
અલિપ્ત યાત્રા કરી ગુજરાતમાં અને આ દેશમાં આવનાર પક્ષીઓ માટે એ શબ્દ વપરાય ત્યારે કહેવું જોઈએ કે એણે પોતાનો મૂળ ભાવ સાચવી રાખ્યો છે.
પ્રકૃતિરસિક ભાઈશ્રી હરિનારાયણ આચાર્યે કદાચ સર્વપ્રથમ યાયાવર શબ્દ પક્ષીઓ માટે-માઈગ્રેટરી બસ માટે વાપર્યો છે, તે તેમનું બ્રાહ્મણસુલભ ચિંતન સુચવે છે.
–શ્રીરંગ, એપ્રિલ ૧૯૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org