SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૮] દર્શન અને ચિંતન ઓળખાતે, સાથે સાથે એનામાં વિશિષ્ટ ગુણોની અપેક્ષા પણ રહેતી. એ અપેક્ષા એટલે એનું અપરિગ્રહી જીવન. શ્રીભાગવતમાં શાલીન, યાયાવર, શિલ અને ઉંન્ને એવી ચાર બ્રાહ્મણની વૃત્તિઓ યા આજીવિકાઓને નિર્દેશ છે. યાયાવર એ એક જાતની આજીવિકા છે. એનો અર્થ ભાગવતવૃત્તિકાર શ્રીધરે દર્શાવ્યા છે–અને તે યોગ્ય જ છે કે –એ પ્રમાણે હમેશા અનાજની ભિક્ષા માંગવી તે યાયાવરવૃત્તિ. જે વિપ્રવ્યક્તિ પિતાની પાસે કશે સંગ્રહ ન રાખતાં જરૂરિયાત પ્રમાણે હંમેશા અનાજની ભિક્ષા માંગી લે તે તેની યાયાવરવૃત્તિ કહેવાય. મૂળમાં આવી વૃત્તિ પાછળ ઉચ્ચ આશયવાળા અપરિગ્રહને ભાવ જ રહેલો છે. આવી વૃત્તિ ધારણ કરનાર હોય તે યાયાવર કહેવાય. આ રીતે આ દેશમાં અપરિગ્રહ ઉપર જીવન ધારણ કરતા અનેક સંત-મુનિઓમાં “યાયાવર એ એક પ્રકારનો વર્ગ હતે. (આજે ભલે તદ્દન અલ્પ પ્રમાણમાં, તે પણ તેવા વર્ગની સાવ ખોટ નથી.) યાયાવર શબ્દ પાણિનિ જેવા વૈયાકરણએ સિદ્ધ કર્યો છે. મહાભારત, રામાયણ, સ્મૃતિ અને ભાગવત આદિમાં એ વપરાયેલ મળે છે. આવા ભાવપૂર્ણ યાયાવર” શબ્દને અંગ્રેજી શબ્દ “માઈગ્રેટરી બર્ડને માટે જ એના જેકે બહુ કૌશલ દર્શાવ્યું છે, એમ મને લાગે છે. જે યાયાવર એ બ્રમણશીલ અને અપરિગ્રહવૃત્તિ ધારણ કરનાર એવો કઈ વર્ગ હતે તે યુરોપના અને ઉત્તર એશિયાના દૂરદૂરના પ્રદેશોમાંથી હજારો માઈલની અલિપ્ત યાત્રા કરી ગુજરાતમાં અને આ દેશમાં આવનાર પક્ષીઓ માટે એ શબ્દ વપરાય ત્યારે કહેવું જોઈએ કે એણે પોતાનો મૂળ ભાવ સાચવી રાખ્યો છે. પ્રકૃતિરસિક ભાઈશ્રી હરિનારાયણ આચાર્યે કદાચ સર્વપ્રથમ યાયાવર શબ્દ પક્ષીઓ માટે-માઈગ્રેટરી બસ માટે વાપર્યો છે, તે તેમનું બ્રાહ્મણસુલભ ચિંતન સુચવે છે. –શ્રીરંગ, એપ્રિલ ૧૯૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy