________________
યાયાવર
[૩૭] “શ્રીરંગના ગયા અંકમાં “આપણું યાયાવર પંખીઓ” એ નામે શ્રી. માધવસિંહ સોલંકીને અતિસુંદર અને મહત્વપૂર્ણ લેખ છપાયેલ છે. એમાં “ Migrant Birds” માટે “યાયાવર” શબ્દ જાયેલો છે. એ લેખ સાંભળતાં મને યાયાવર પદ એ અર્થ માટે બહુ ઉપર્યુક્ત લાગ્યું અને મિત્રો સાથે ચર્ચા થતાં ઉચિત લાગ્યું કે એ પદ વિશે અત્રે કાંઈક લખવું.
સંસ્કૃતમાં યાધાતુ છે, એને અર્થ જવું–ગતિ કરવી થાય છે. ગુજરાતી કે હિંદી “જા એ આ “પા” ધાતુ પરથી આવેલો છે. જા જા કરે છે એમ આપણે બોલીએ છીએ ત્યારે એ ભાવ સૂચવીએ છીએ કે તે વ્યક્તિ વારંવાર અથવા બહુ જ ચાલ્યા કરે છે, જેમ ગુજરાતીમાં “જા જા” વપરાય છે તેમ જ સંસ્કૃતમાં “યાયાતિ” એવું રૂ૫ વપરાય છે. એ જ સંસ્કૃત રૂપ ઉપરથી સ્વભાવના અર્થમાં “વર” પ્રત્યય લાગતાં “યાયાવર’ શબ્દ બનેલો છે. એટલે એને સીધો અર્થ એ થાય કે અનેક વાર કે બહુ વાર જનાર યા જવા-આવવાના સ્વભાવવાળેઆ તે શબ્દના મૂળ ધાતુ અને રૂપ વિશે સંકેત છે.
ભારતીય વાલ્મયમાં યાયાવર પદ વિશિષ્ટ અર્થમાં વપરાયેલું છે. એ અર્થમાં એને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ તે આવે જ છે, ઉપરાંત પરંપરાગત રૂઢ અર્થ પણ રહે છે. યાયાવર એ કહેવાતા, જે કોઈ એક સ્થાને બંધાઈ ન રહેતાં પરિવ્રાજકની પેઠે ચાલ્યા કરતા અને જેમ પરિત્રાજક કોઈ સ્થાનમાં ન બંધાતાં ભ્રમણ કરે તેમ યાયાવરે પણ અલિપ્તભાવે વિચર્યા કરતા.
મહાભારતમાં એવા યાયાવર ગણોને નિર્દેશ છે. તે સૂચવે છે કે વ્યાયાવર એ કઈ એકાદ રડીખડી વ્યક્તિ ન હતી, પણ યાયાવરના ગણે યા સંઘે પણ હતા. વળી મહાભારતમાં જ જરસ્કારુ નામના ઋષિને યાયાવરમાં શ્રેષ્ઠ કહ્યા છે. આથી સ્પષ્ટ છે કે જેમ બૌદ્ધોમાં ભિક્ષુસંધ, જેમાં મુનિસંધ તેમ આ દેશમાં તાપસસંધ-તપસ્વી સંધ અને યાયાવરસંઘ પણ હતા.
પરંતુ યાયાવર કહેવાતા ઋષિ માત્ર બ્રમણને કારણે જ એ નામથી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org