SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ યાયાવર [૩૭] “શ્રીરંગના ગયા અંકમાં “આપણું યાયાવર પંખીઓ” એ નામે શ્રી. માધવસિંહ સોલંકીને અતિસુંદર અને મહત્વપૂર્ણ લેખ છપાયેલ છે. એમાં “ Migrant Birds” માટે “યાયાવર” શબ્દ જાયેલો છે. એ લેખ સાંભળતાં મને યાયાવર પદ એ અર્થ માટે બહુ ઉપર્યુક્ત લાગ્યું અને મિત્રો સાથે ચર્ચા થતાં ઉચિત લાગ્યું કે એ પદ વિશે અત્રે કાંઈક લખવું. સંસ્કૃતમાં યાધાતુ છે, એને અર્થ જવું–ગતિ કરવી થાય છે. ગુજરાતી કે હિંદી “જા એ આ “પા” ધાતુ પરથી આવેલો છે. જા જા કરે છે એમ આપણે બોલીએ છીએ ત્યારે એ ભાવ સૂચવીએ છીએ કે તે વ્યક્તિ વારંવાર અથવા બહુ જ ચાલ્યા કરે છે, જેમ ગુજરાતીમાં “જા જા” વપરાય છે તેમ જ સંસ્કૃતમાં “યાયાતિ” એવું રૂ૫ વપરાય છે. એ જ સંસ્કૃત રૂપ ઉપરથી સ્વભાવના અર્થમાં “વર” પ્રત્યય લાગતાં “યાયાવર’ શબ્દ બનેલો છે. એટલે એને સીધો અર્થ એ થાય કે અનેક વાર કે બહુ વાર જનાર યા જવા-આવવાના સ્વભાવવાળેઆ તે શબ્દના મૂળ ધાતુ અને રૂપ વિશે સંકેત છે. ભારતીય વાલ્મયમાં યાયાવર પદ વિશિષ્ટ અર્થમાં વપરાયેલું છે. એ અર્થમાં એને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ તે આવે જ છે, ઉપરાંત પરંપરાગત રૂઢ અર્થ પણ રહે છે. યાયાવર એ કહેવાતા, જે કોઈ એક સ્થાને બંધાઈ ન રહેતાં પરિવ્રાજકની પેઠે ચાલ્યા કરતા અને જેમ પરિત્રાજક કોઈ સ્થાનમાં ન બંધાતાં ભ્રમણ કરે તેમ યાયાવરે પણ અલિપ્તભાવે વિચર્યા કરતા. મહાભારતમાં એવા યાયાવર ગણોને નિર્દેશ છે. તે સૂચવે છે કે વ્યાયાવર એ કઈ એકાદ રડીખડી વ્યક્તિ ન હતી, પણ યાયાવરના ગણે યા સંઘે પણ હતા. વળી મહાભારતમાં જ જરસ્કારુ નામના ઋષિને યાયાવરમાં શ્રેષ્ઠ કહ્યા છે. આથી સ્પષ્ટ છે કે જેમ બૌદ્ધોમાં ભિક્ષુસંધ, જેમાં મુનિસંધ તેમ આ દેશમાં તાપસસંધ-તપસ્વી સંધ અને યાયાવરસંઘ પણ હતા. પરંતુ યાયાવર કહેવાતા ઋષિ માત્ર બ્રમણને કારણે જ એ નામથી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy