________________
૧૦૫૬ ]
દર્શન અને ચિંતન મોહને વિલય કરવા જૈન દર્શન એક બાજુ વિવેકશક્તિ વિકસાવવા કહે છે અને બીજી બાજુ તે રાગદ્વેષના સંસ્કારો નષ્ટ કરવા કહે છે. જૈન દર્શન આત્માને ત્રણ ભૂમિકાઓમાં વહેંચી નાખે છે. જ્યારે અજ્ઞાન અને મોહનું પૂર્ણ પ્રાબલ્ય હોય અને તેને લીધે આત્મા વાસ્તવિક તત્વ વિચારી ન શકે તેમ જ સત્ય ને સ્થાયી સુખની દિશામાં એક પણ પગલું ભરવાની ઈચ્છા સુધ્ધાં ન કરી શકે, ત્યારે એ બહિરાત્મા કહેવાય છે. જીવની આ પ્રથમ ભૂમિકા થઈ આ ભૂમિકા હોય ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર બંધ પડવાને કદી સંભવ જ નથી અને લૌકિક દૃષ્ટિએ ગમે તેટલો વિકાસ દેખાય છતાં ખરી રીતે એ આત્મા અવિકસિત જ હોય છે.
વિવેકશક્તિને પ્રાદુર્ભાવ જ્યારે થાય અને રાગદ્વેષના સંસ્કારોનું બળ ધટવા માંડે ત્યારે બીજી ભૂમિકા શરૂ થાય છે. એને જૈન દર્શન અંતરાત્મા કહે છે. આ ભૂમિકા વખતે જોકે દેહધારણને ઉપયોગી એવી બધી દુન્યવી પ્રવૃત્તિ ઓછીવતી ચાલતી હોય છે, છતાં વિવેકક્તિના વિકાસના પ્રમાણમાં અને રાગદેવની મંદતાના પ્રમાણમાં એ પ્રવૃત્તિ અનાસક્તિવાળી હોય છે. આ બીજી ભૂમિકામાં પ્રવૃત્તિ હોવા છતાં તેમાં અંતરથી નિવૃત્તિનું તત્ત્વ હોય છે. બીજી ભૂમિકાનાં સંખ્યાબંધ ચડતાં પગથિયાં જ્યારે વટાવી દેવાય ત્યારે આત્મા પરમાત્માની દશાને પ્રાપ્ત થયો કહેવાય છે. આ જીવનશોધનની છેલ્લી ભૂમિકા અને પૂર્ણ ભૂમિકા છે. જૈન દર્શન કહે છે કે આ ભૂમિકાએ પહોંચ્યા પછી પુનર્જન્મનું ચક્ર હંમેશને માટે તદ્દન થંભી જાય છે.
આપણે ઉપરના સંક્ષિપ્ત વર્ણન ઉપરથી જોઈ શકીએ છીએ કે અવિવેક (મિઆદૃષ્ટિ) અને મેહ (તૃષ્ણા) એ બે જ સંસાર છે અથવા સંસારનાં કારણો છે. તેથી ઊલટું, વિવેક અને વીતરાગત એ જ મોક્ષ છે અથવા મોક્ષનો માગે છે. આ જ જીવનશોધનની સંક્ષિપ્ત જૈનમીમાંસા અનેક જૈન ગ્રંથોમાં અનેક રીતે, સંક્ષિપ્ત કે વિસ્તારથી, તેમ જુદી જુદી પરિભાષાઓમાં વર્ણવેલી મળે છે, અને આ જ જીવનમીમાંસા અક્ષરશઃ વૈદિક તેમ જ બૌદ્ધ દર્શનમાં પણ પદે પદે નજરે પડે છે.
કાંઈક વિશેષ સરખામણી
ઉપર તત્વજ્ઞાનની મૌલિક જૈન વિચારસરણું અને આધ્યાત્મિક વિકાસકમની જૈન વિચારસરણીને બહુ જ ટૂંકમાં નિર્દેશ કર્યો છે. આ ચાલુ વ્યાખ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org