________________
૧૦૫૮ ]
દર્શન અને ચિંતન
માનતુ, પણ સાંખ્ય, યાગ, ન્યાય, વૈરોષિક તેમ જ બૌદ્ધ આદિની પેઠે એ ચેતન તત્ત્વને અનેક વ્યક્તિરૂપ માને છે. તેમ છતાં એમની સાથે પણ જૈન દર્શનની થાડા મતભેદ છે, અને તે એ છે કે જૈન દર્શનની માન્યતા પ્રમાણે સચેતન તત્ત્વ બૌદ્ધ માન્યતાની જેમ ધ્રુવળ પરિવર્તન-પ્રવાહ નથી, તેમ જ સાં-ન્યાય આદિની પેઠે માત્ર કૂટસ્થ પણ નથી, કિન્તુ જૈન દર્શન કહે છે કે મૂળમાં સચેતન તત્ત્વ ધ્રુવ અર્થાત્ અનાદિ-અનંત હાવા તાં એ દેશકાળની અસર ધારણ કર્યો સિવાય રહી શકતું નથી. એટલે જૈન મત પ્રમાણે જીવ પણ જડની પેઠે પરિણામિનિત્ય છે. જૈન દર્શન ઈશ્વર જેવી કાઈ વ્યક્તિને તદ્દન સ્વતંત્રપણે નથી માનતું, છતાં એ શ્વિરના સમગ્ર ગુણે જીવમાત્રમાં સ્વીકારે છે, તેથી જૈન દ્શન પ્રમાણે પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે, ભલે તે આવરણથી દબાયેલી હાય, પણ જો જીવ યાગ્ય દિશામાં પ્રયત્ન કરે તે એ પેાતામાં રહેલી ઈશ્વરીય શક્તિને પૂર્ણ પણે વિકસાવી પોતે જ ઈશ્વર બને છે. આ રીતે જૈન માન્યતા પ્રમાણે ઇશ્વરતત્ત્વને અલાયદું સ્થાન ન હેાવા છતાં.તે શ્વરતત્ત્વની માન્યતા ધરાવે છે અને તેની ઉપાસના પણ સ્વીકારે છે, જે જે જીવાત્મા કર્મવાસનાઆથી પૂર્ણ પણે મુક્ત થયા તે બધા જ સમાનભાવે ઈશ્વર છે. તેમના આદર્શ સામે રાખી પાતામાં રહેલી તેવી જ પૂર્ણ શક્તિ પ્રકટાવવી એ જૈન ઉપાસનાનુ ધ્યેય છે. જેમ શાંકર વેદાંત માને છે કે જીવ પોતે જ બ્રહ્મ છે, તેમ જૈન દર્શન કહે છે કે જીવ પોતેજ ઈશ્વર કે પરમાત્મા છે. વેદાંતદન પ્રમાણે વતા બ્રહ્મભાવ અવિદ્યાથી આવૃત છે અને અવિદ્યા દૂર થતાં અનુભવમાં આવે છે, તેમ જૈન દર્શન પ્રમાણે જીવતા પરામાત્મભાવ આવ્રત છે અને તે આવરણ દૂર થતા પૂર્ણપણે અનુભવમાં આવે છે. આ બાબતમાં ખરી રીતે જૈન અને વેદાંત વચ્ચે વ્યક્તિબહુત્વ સિવાય કશો જ ભેદ નથી.
(૬) જૈન શાસ્ત્રમાં જે સાત તત્ત્વ કહેલાં છે તેમાંથી મૂળ જીવ અને અજીવ એ એ તત્ત્વ વિશે ઉપર સરખામણી કરી. હવે બાકી ખરી...રીતે પાંચમાંથી ચાર તત્ત્વો જ રહે છે. આ ચાર તત્ત્વા જીવનશોધનને લગતાં અર્થાત્ આધ્યાત્મિક વિકાસક્રમને લગતાં છે, જેને ચારિત્રીય તત્ત્વા પણ કહી શકાય. બંધ, આશ્રવ, સ્વર અને મેાક્ષ એ ચાર તત્ત્વ છે. આ તાને ખૌદ્ધ શાસ્ત્રોમાં અનુક્રમે દુઃખ, દુઃખહેતુ, નિર્વાણુમા અને નિર્વાણુ એ ચાર
આ સત્ય તરીકે વર્ણવેલાં છે. સાંખ્ય અને યાગશાસ્ત્રમાં એને જ ય, હેયહેતુ, હાનાપાય, અને હાન કહી ચતુર્વ્યૂહ તરીકે વર્ણવેલ છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં પણ એ જ વસ્તુ સંસાર, મિથ્યાજ્ઞાન, સમ્યજ્ઞાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org