________________
૧૦૬ ]
દર્શન અને ચિંતન સાતથી વધારે ભંગો સંભવતા નથી, માટે જ સાતની સંખ્યા કહી છે. મૂળ ત્રણની વિવિધ સંજના કરે અને સાતમાં અંતર્ભાવ ન પાસે એને ભંગ ઉપજાવી શકે તે જૈન દર્શન સપ્તભંગિને આગ્રહ કરી જ ન શકે.
આને ટૂંકમાં સાર નીચે પ્રમાણે –
૧. તત્કાલીન ચાલતા વિરોધી વાદનું સમીકરણ કરવું. એ ભાવના સપ્તભગીની પ્રેરક છે.
૨. તેમ કરી વસ્તુના સ્વરૂપની ચોકસાઈ કરવી અને યથાર્થ જ્ઞાન મેળવવું, એ એનું સાધ્ય છે.
૩. બુદ્ધિમાં ભાસતા કોઈ પણ ધર્મ પર મૂળમાં ત્રણ જ વિકલ્પો સંભવે છે અને ગમે તેટલા શાબ્દિક પરિવર્તનથી સંખ્યા વધારીએ તે સાત જ થઈ શકે.
જ. જેટલા ધર્મે તેટલી જ સપ્તભંગી છે. આ વાદ અનેકાંતદષ્ટિને વિચારવિષયક એક પુરાવો છે. આના દાખલાઓ, જે શબ્દ, આત્મા વગેરે આપ્યા છે, તેનું કારણ એ છે કે પ્રાચીન આર્ય વિચારકે આત્માને વિચાર કરતા અને બહુ તે આગમ–પ્રામાણ્યની ચર્ચામાં શબ્દને લેતા.
૫. વૈદિક આદિ દર્શનમાં, ખાસ કરી વલ્લભદર્શનમાં, “સર્વધર્મ સમન્વય” છે, તે આનું જ એક રૂપ છે. શંકર પિતે વસ્તુને વર્ણવે છે, છતાં અનિર્વચનીય કહે છે.
૬. પ્રમાણથી બાધિત ન હોય એવું બધું જ સંધરી લેવાને આની પાછળ ઉદ્દેશ છે–પછી ભલે તે વિરુદ્ધ મનાતું હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org