________________
સપ્તભંગી
[ ૬ ] [એમ. એના પરીક્ષાથી એક દક્ષિણી વિદ્વાન મહાશયે “સપ્તભ ગી” એટલે શું તેનું દિગ્દર્શન આપવાની વિનંતી કરતાં પંડિત સુખલાલજીએ સાર રૂપે-મુદ્ર રૂપે જે જણાવેલ તે અત્રે આપવામાં આવે છે.]
. ભંગ એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનના પ્રકાર અર્થાત વાક્યરચના. ' ૨. એ સાત કહેવાય છે, છતાં મૂળ તે ત્રણ જ છે. બાકીના ચાર એ ત્રણ મૂળ અંગેના પારસ્પરિક વિવિધ સંજનથી થાય છે.
૩. કોઈ પણ એક વસ્તુ વિશે કે એક જ ધર્મ પરત્વે ભિન્ન ભિન્ન વિચારકેની માન્યતામાં ભેદ દેખાય છે. એ ભેદ વિધ રૂ૫ છે કે નહિં અને જે ન હોય તે દેખાતા વિરોધમાં અવિરોધ કેવી રીતે ઘટાવવો? અથવા એમ કહે કે અમુક વિવક્ષિત વસ્તુ પર જ્યારે ધર્મવિષયક દૃષ્ટિભેદ દેખાતા હોય ત્યારે એવા ભેદને પ્રમાણપૂર્વક સમન્વય કરે, અને તેમ કરી બધી સાચી દષ્ટિઓને તેના ગ્ય સ્થાનમાં ગોઠવી ન્યાય આપ એ ભાવનામાં સપ્તભંગીનું મૂળ છે. છે. દાખલા તરીકે એક આત્મદ્રવ્યની બાબતમાં તેના નિયત્વ વિશે દૃષ્ટિભેદ છે. કોઈ આત્માને નિત્ય માને છે તે કોઈ નિત્ય માનવા ના પાડે છે. કોઈ વળી એમ કહે છે કે એ તત્વ જ વચન-અગોચર છે. આ રીતે આત્મતત્વની બાબતમાં ત્રણ પક્ષ પ્રસિદ્ધ છે. તેથી વિચારવું એ પ્રાપ્ત થાય છે કે શું તે નિત્ય જ છે અને અનિત્ય તેમાં પ્રમાણબાધિત છે? અથવા શું તે અનિત્ય જ છે અને નિયત્વ તેમાં પ્રમાણબાધિત છે? અથવા તેને નિત્ય કે અનિત્ય રૂપે ન કહેતાં અવક્તવ્ય જ કહેવું એ યોગ્ય છે? આ ત્રણ વિકલ્પની પરીક્ષા કરતાં ત્રણે સાચા હોય તો એમને વિરોધ દૂર કરવું જ જોઈએ.
જ્યાં સુધી વિરોધ ઊભો રહે ત્યાં સુધી પરસ્પર વિરુદ્ધ અનેક ધર્મો એક વસ્તુમાં છે એમ કહી જ ન શકાય. તેથી વિરોધ પરિહાર તરફ જ , સપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org