________________
સ્ત્રી-પુરુાંમા બળાબળની મીમાંસા
[ ૯૮૯ છોડી દીક્ષા લીધી. અરિષ્ટનેમિને નાના ભાઈ રથનેમિ હતો. તે કુમારી રાજીમતીમાં આસક્ત થઈ તેને અનુસરવા લાગ્યો. એને ભાવ કુમારીએ જાણી લીધે ને તેને સમજાવવા યુક્તિ રચી. મધ અને ઘી મેળવી એકવાર કુમારીએ રાબ પી લીધી અને તરત જ મીંઢળ ઘસીને પી લીધું, જેથી વમન થયું. વિકિની એ કુમારીએ રથનેમિને પોતે વમેલ વસ્તુ પી જવા કહ્યું. “આ તે કેમ પિવાય?” એવો રથનેમિનો ઉત્તર સાંભળી રાજીમતીએ કહ્યું, “જે એ વમન કરેલ વસ્તુ ત્યાજ્ય હોય તે, હું પણ તમારા ભાઈ દ્વારા વમન કરાયેલ જ છું ના ? રથનેમિ સમજે અને ભેખ લઈ ચાલી નીકળ્યો. વિરક્ત, રાજીમતીએ પણ તપોભાગ લીધે.
વળી ક્યારેક બીજે વખતે રથનેમિ દ્વારકામાંથી ભિક્ષા માંગી ભગવાન 'અરિષ્ટનેમિ પાસે જ હતો. તેવામાં વરસાદ થવાથી તેણે વચ્ચે જ એક ગુફાને આશ્રય લીધો. સગવશ સાધ્વી રાજીમતી ભગવાનને પ્રણમી પિતાના નિવાસસ્થાને પાછી ફરતી હતી. તે પણ વરસાદથી ભીંજાઈ તે જ ગુફામાં દાખલ થઈ. એ તેજસ્વિની સાધ્વીએ સૂકવવા માટે ભીનાં કપડાં ઉતાર્યા. એનાં અંગોપાંગ અવલોકી પેલે સાધુ આકર્ષ. ભાવપરીક્ષાપટુ એ સાધ્વીએ તે સાધુનું હાર્દ જાણી લઈ નીચે પ્રમાણે ઉપદેશ કર્યો
હું ભેગરાજ-ઉગ્રસેનની પુત્રી છું ને તું અંધકવૃષ્ણિ (સમુદ્રવિજ્યતે પુત્ર છે. આવા ખાનદાન કુળમાં જન્મેલા આપણે ગંધક સર્પ જેવા, અર્થાત વમેલ વિષ પાછું ચૂસનારા ન થઈ એ. તેથી હે મુને ! તું નિશ્ચલ થઈ પિતાના સંયમને આચર. (૮)
જે જે સ્ત્રીઓ તારી નજરે પડશે તેમાં “આ સારી છે, પેલી સુંદર છે” એમ વિચારી જે તું તેઓની ઈચ્છા કરીશ તો પવનને કપાટ ખાધેલ અદમૂળ (ઢીલાં મૂળવાળા) ઝાડની પેઠે. અસ્થિરઆત્મા બની જઈશ—કામપવનથી કંપી સ્થિરતા ગુમાવી સંસારચક્રમાં ભમીશ.” (૯)
સંયમરત તે સાધ્વીનું સુભાષિત વચન સાંભળી અંકુશથી હાથીની પેઠે તે વચન વડે એ મુનિ રથનેમિ પિતાના ધર્મમાં સ્થિર થયો.” (દશવૈકાલિક સૂત્ર, અધ્યયન બીજુ )
* આખ્યાન-૪ “શ્રાવિકાઓમાં ઋદ્ધિમતી ભિક્ષુણી ઉ૫લવણું શ્રેષ્ઠ છે.” એ શ્રાવસ્તિમાં એક શ્રેષ્ઠિકુળમાં જન્મી હતી. એની કાંતિ કમળના જેવી હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org