________________
૯૯૪ ]
દર્શન અને ચિંતન પ્રવજ્યા આપી. અનુક્રમે એ બધાં પરિવ્રાજકશાસ્ત્રોમાં એટલી બધી નિષ્ણાત બની કે તે અનેક પરિત્રાજિકાઓ સાથે અંદરોઅંદર ચર્ચા કરતી, પણ કઈ એને છતી કે પોંચી શકતું નહિ અને તે સર્વશાસ્ત્રવિશારદ તરીકે તથા એક અગ્રવાદી તરીકે પ્રખ્યાતિ પામી. - હવે એમ બન્યું કે એક બ્રાહ્મણ પંડિત, જે વેદશાસ્ત્ર પારગામી અને વૈયાકરણ ઉપરાંત સર્વદર્શનવિશારદ પણ હતો, તે ફરતે ફરતે દક્ષિણ દેશથી મથુરામાં આવી પહોંચ્યો અને તેણે રાજમાર્ગ કે બજાર વચ્ચે મશાલ સળગાવી ઘેષણ કરી કે શું આ નગરમાં એવો કોઈ શબ્દપટુ કે વાદકુશળ છે જે મારી સાથે ચર્ચામાં ઊતરે? આ ઘોષણા સાંભળી મથુરાવાસી લેકએ તે પંડિતને કહ્યું કે તારી મશાલ ઓલવી નાખ. અમારે ત્યાં એક સમર્થ તરુણી પરિબ્રાજિકા છે. તે તમારી સાથે આજથી સાતમે દિવસે વાદચર્ચા કરશે. જે તમે તેની સાથે ચર્ચા કરી શકે તે તમે વાદી ખરા. તે બ્રાહ્મણ પંડિત બીડું ઝડપી કહ્યું કે ભલે, હું તે પરિબ્રાજિકા સાથે જરૂર સાતમે દિવસે વાદચર્ચા કરીશ, પણ તમે નગરવાસીઓએ તેમાં મધ્યસ્થ થવું. ત્યાર બાદ તે તે ધંધાદારી મંડળોના આગેવાન એવા મથુરાવાસી લેકોએ તે પરિત્રાજિકાને બોલાવી પૂછયું કે એક બ્રાહ્મણ પંડિત આવેલ છે, જે માટે વિદ્વાન અને વાદી છે, તેની સાથે આજથી સાતમે દિવસે તમે વાદચર્ચા કરશે ? પેલી તરુણ પરિત્રાજિકાએ તરત જ કહ્યું કે ખુશીથી. તે કે અન્ય કોઈ વાદી સાથે હું વાદચર્ચા કરવા તૈયાર છું. હું પણ વાદકથાને મનોરથ એવું છું.
તે આગેવાન મહાજનેએ પરિત્રાજિકાની મંજુરી મળ્યા બાદ નગરમાં ચૌટે, શેરીએ એમ બધે સ્થળે ડાંડી પિટાવી કે આજથી સાતમે દિવસે અમુક પરિત્રાજિકા દાક્ષિણાત્ય બ્રાહ્મણ વાદી સાથે વાદ ચર્ચા કરશે, તેથી જે સાંભળવા ઈચ્છે તે આવે. મહાજનોએ શ્રોતા અને પ્રેક્ષકને લાયક રંગભૂમિ સાથે એક માંચડે ઊભો કર્યો. આ વૃત્તાન્તની જાણ થવાથી કુતૂહળવશ ચોમેરથી લોકે ઊભરાવા લાગ્યા.
આ બાજુ પેલા બ્રાહ્મણને ભારે કૌતુક થયું કે જે પરિવાજિકા મારી સાથે વાદવિવાદ કરવા તૈયાર થઈ છે તે કેવી હશે ? હું જરા એને જોઈ તે લઉં. આમ વિચારી તે પંડિત પૃચ્છા કરતે કરતે પારિવાજિકાઓના અનેક મઠોમાં ગયો અને પિતે અજ્ઞાત થઈ પૂછવા લાગે કે પેલા બ્રાહ્મણ પંડિત સાથે વાદવિવાદમાં ઉતરનાર પરિવારજકા કઈ? છેવટે એને પ લાગે. જ્યારે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org