________________
૯૯૬ ]
દર્શન અને ચિંતન છું. અસ્તુ, તેમ છતાં વાદકથામાં ઊતરીએ તે પહેલાં એક શરત અમારે બન્નેએ કબૂલ કરવી જોઈએ અને તે એ કે જે હારે તે જીતનારને શિષ્ય બને. સભાજનોએ એ શરત બાબત પરિત્રાજિકાને પૂછ્યું, તે તેણે પણ પિતાની સમ્મતિ દર્શાવતાં કહ્યું કે મને એ શરત માન્ય છે.
આ રીતે શરત નકકી થઈ એટલે બ્રાહ્મણ પંડિતે એક લાંબે અને જટિલ પ્રશ્ન પૂછ્યો. પરિવાજિકાએ પણ આ સભા ઉપર પિતાની છાપ પાડવા રુઆબથી તે પ્રશ્નને જવાબ આપે. આ રીતે પહેલે દિવસ એક બીજાના પ્રશ્નોતરમાં પસાર થયો, પણ કોઈ એકબીજાને જીતી શક્યું નહિ. બને ચર્ચામાં સરખા જ ઊતર્યા. આ રીતે સભામાં વાદવિવાદના સાત દિવસ પસાર થઈ ગયા, પણ કોઈ કોઈથી હાર્યું નહિ. સભામાં આવેલા પુરુષો પંડિત ને પરિવાજિકા વચ્ચે ચાલતી ચર્ચાની રસાકસીમાં એટલે બધો રસ લેતા કે સાંજ પડે તેય ભાન ન રહે. જ્યારે તેઓ ઘેર પાછા ફરતા ત્યારે આખા નગરની સ્ત્રીઓ અકળાઈ પિતપોતાના પતિને પૂછતી કે સાત દિવસ થયા રેજ આટલું બધું મોડું કેમ કરે છે? દરેક પતિને પોતાની પત્નીને જવાબ એક જ હતો અને તે એ કે–શું તું નથી જાણતી કે એક સર્વશાસ્ત્રવિશારદ દક્ષિણાત્ય વિદ્વાન આવેલ છે? એ સાત દિવસ થયા ચર્ચા કરે છે, પણ એક સ્ત્રીને છતી નથી શકતે. આ સાંભળી બધી જ સ્ત્રીઓએ પોતપોતાના ધણુને કહ્યું કે સ્ત્રીઓ કેવી પંડિત હોય છે ! તેમની બુદ્ધિશક્તિ પુરુષ કરતાં ચડે છે, ઊતરતી નથી. સ્ત્રીઓનું આ મહેણું સાંભળી બધા જ પુરુષોને મનમાં એમ થયું કે કોઈ પણ રીતે જે તે બ્રાહ્મણ પંડિત પરિત્રાજિકા દ્વારા હાર પામે તે આપણે બધા પુરુષોની હંમેશને માટે બૂરી વલે થશે, જ્યારે ને ત્યારે સ્ત્રીઓ મહેણું મારી આપણને તણખલાલ લેખશે. આ રીતે આખા નગરમાં બે પક્ષ પડી ગયા. સ્ત્રીવર્ગ તે પરિત્રાજિકાનો જય વાંછે, જ્યારે પુરુષવર્ગ પેલા બ્રાહ્મણ પંડિતને જય વાછે. ત્યાર બાદ એક દિવસે મળેલી સભામાં બ્રાહ્મણ પંડિતે પરિત્રાજિકાના પ્રશ્નને જવાબ વાળ્યો, પણ પેલી પરિવાજિકએ જાણીને જ જવાબ ન વાળતાં ન આવડવાને ડોળ ક–જાણે કે તે આપમેળે જ પાણીમાં બેસી ગઈ. પરિત્રાજિકાની ચુપકીદી જોઈ સભાજને પિોકારી ઊડ્યા કે પરિવાજિકા હારી અને પંડિત જીત્યો. ત્યાર બાદ પંડિત પિતાના ધર્મની નિશાની લેખે તે પરિવાજિકાને ત્રિદંડ અને છત્ર-ચાખડી આપી, પિતાની શિષ્યા તરીકે એને જાહેર કરી, સભાસ્થાનથી વિદાય આપી.
હવે એ બ્રાહ્મણ પંડિત અવારનવાર પિતાની શિષ્યા પરિવાજિકાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org