________________
'ની સમાલાચના
ને માતુશ્રી પણ એવાં કે પુત્રમોહમાં તણાયા સિવાય કબ્સને પેાતાને નિર્ણય આપે છે.
દાદાએ ‘સંસ્મરણા’ લખવાનુ પ્રયોજન અનુભૂત વનપ્રસંગામાં ડાકિયું કરી તે સાથે તાદાત્મ્ય સાધવા દ્વારા સ્વસđાષરૂપે દર્શાવ્યું છે. એ વાત અન્તર્મુખ દૃષ્ટિએ તદ્દન સાચી છે, પરંતુ એની ખીજી બાજુયે છે અને તે વાચકાની દૃષ્ટિ. લેખકનું મુખ્ય પ્રયાજન આત્મસાષ હાય તાય વાચકનુ પ્રયોજન તે સાથે સંકળાયેલું છે જ. તેથી દાદાએ દર્શાવેલુ પ્રયાજન અહિ ખ દૃષ્ટિએ વાચકાના પરિતાષને પણ વ્યાપે છે. મેં આ સંસ્મરણા ખીજી વાર સાંભળ્યાં તાય મને જરાય કંટાળા ન આવ્યો; ઊલટુ, વધારે સમજવાનું પ્રાપ્ત થયું. તેથી હું એમ કહી શકું છું કે પ્રસ્તુત સંસ્મરણા દરેક સમજદાર વાચકે વાંચવા જેવાં છે. તેથી જ તે શ્રી. નરહરિભાઈ લખે છે કે શ્રી. દાદાસાહેબ માવળંકરનું આ પુસ્તક વાચકવર્ગ તે બહુ ઉપયાગી, રસપ્રદ અને ખેાધક લાગશે.
[ ૨૮૩
અનુરૂપ જ
હું જાણું છું કે દાદાસાહેબ કેટલા કામના ખાજા નીચે સતત દબાયેલા રહે છે, તેમ છતાં તેમનાં સંસ્મરણાનું રસિક અને મેધપ્રદ વાચન એવી વિનતી કરવા પ્રેરે છે કે દાદાસાહેબ પોતાના જીવનનાં બધાં જ પાસાંને સ્પર્શતી જીવનકથા વિગતે સત્વર લખે તે તે અત્યારની . અને ભાવી પેઢીને અનેક રીતે ઉપકારક નીવડશે.
સંસ્મરણા સાથે જે અગત્યનાં ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે તેને લીધે પુસ્તકની ઉપયેાગિતા સાચે જ વધી જાય છે. અને અતે જે સૂચિ આપી છે તે કસાઈ અને ઝીણવટના એક નમૂના છે. ગાંધીના નામ સાથે અને દાદાના નામ સાથે સૂચિમાં બધી જ વિગતા અને ધટનાઓના ટૂંક નિર્દેશ એવી રીતે કરવામાં આવ્યે છે કે માત્ર સૂચિ જોતાં જ ગાંધીજી અને દાદાસાહેબ વચ્ચેના સબંધ ને જીવનપ્રસંગાના આખા ચિતાર રજૂ થાય.
પુસ્તકની છપામણી, શુદ્ધિ અને ગાઠવણુ એ બધું અદ્યતન હેાઈ પ્રકાશક અને મુદ્રકને શાલા આપે તેવું છે. મારી ખાતરી છે કે જે આ સંસ્મરણા ધ્યાનથી વાંચશે તેને અનેક રીતે ઇષ્ટપ્રેરણા મળશે..
* માનનીચ શ્રી, ગણેશ વાસુદેવ માવલ કરની આત્મકથા ‘ સમા ’ની સમાલેાચના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org