________________
૯૮૬ ]
દર્શન અને ચિંતન
શકે એના દાખલા આપણી સામે રજૂ કરે છે. આ ત્રણે આખ્યાને અનુમે નીચે આપવામાં આવે છે.
ચોથું આખ્યાન બૌદ્ધ ભિખુણી ઉપલવણ્ણા અને પાંચમુ આખ્યાન બૌદ્ધ ભિખ્ખુણી ભદ્દા કાપિલાનીનુ છે. અંતર્મુ’ખ વૃત્તિની અલૌકિક ચંચુ વડે સહજ સુખને આસ્વાદ લેવામાં નિમગ્ન એવી સમાહિતમના ઉપ્પલવણ્ણાનું સૌ જોઈ ચલિત થયેલ માર (વિકારવૃત્તિ અથવા વિકારમૂર્તિ કાઈ પુરુષ) તેને બહિર્મુ`ખ કરવા અને પાતા તરફે લલચાવવા પ્રયત્ન કરે છે, પરન્તુ એ ધીરમના ભિખ્ખુણીના અડેાલપણા સામે છેવટે તે માર હાર ખાઈ ચાલ્યો જાય છે.
પાંચમા આખ્યાનમાં ભદ્દા કાપિલાની સ્ત્રીજાતિમાં સુલભ અને છતાં દુભ મનાતા ધૈય'ના સચોટ પુરાવા પૂરા પાડે છે. પોતાના પતિ મહાકાશ્યપની બ્રહ્મચય --પ્રતિજ્ઞામાં અર્ધાંગી તરીકે જોડાઈ તે ધર્મવીર આઈ તે પ્રતિજ્ઞાને અદ્ભુત રીતે સંપૂર્ણ કરવા સાથ આપે છે. સહ-શયન છતાં પુષ્પમાળાનું ન કરમાવું એ એ લાકાત્તર દંપતીના વિકસિત માનસનું માત્ર ખાદ્ય ચિહ્ન છે. મહાકાશ્યપ અને ભદ્દા કાપિલાનીની અલૌકિક બ્રહ્મચર્ય પાલનની કથા જૈન કથાસાહિત્યમાં અતિપ્રસિદ્ધ એક વૈશ્ય - બ્રહ્મચારી દ ંપતીની યાદ આપે છે કે જે સહશયન છતાં વચ્ચે ઉધાડી તલવાર મૂકી આજન્મ બ્રહ્મચર્ય પાલવામાં સફળ થયાં હતાં. એ દ ંપતીમાં પતિનું નામ વિજય અને પત્નીનુ નામ વિજ્યા હતુ. જૈન સમાજમાં એ વિજય શેઠ અને વિજયા શેઠાણીને નામે જાણીતાં છે. પુષ્પ માળાને બ્રહ્મચર્યંની કામળતાનુ અને ઉધાડી તલવારને બ્રહ્મચર્યની કઠોરતાનુ રૂપક માની આપણા જેવાએ એ કામળ અને કઠોર વ્રતને ખરાખર સમજવાને પ્રયત્ન કરવા જોઈએ. બાકી, તેને જીવનમાં ઉતારવા માટે કાઈ એ પુષ્પમાળા કે તલવારના આશ્રય લેવાની કશી જરૂર નથી.
આખ્યાન−૧
યમી—સખાતે સખ્ય માટે પસંદ કરું છું. વિશાળ અવ ઉપર હું આવી છું. યેાગ્ય પુત્રના વિચાર કરતા વેધા પૃથ્વીને વિશે (મારા) વિશે પિતાના નપાત્ત્તુ ( ગર્ભ લક્ષણ અપત્યનું) આદાન કરે. (૧)
યમ— હે યમિ ! તારા સખા સખ્યને ઇચ્છતા નથી; શાથી જે સલમા ( સમાનયોનિ ) તે હોય વિષમરૂપા થાય છે. મહાન અસુરના વીર પુત્રા—દ્યૌને ધારણ કરનારા વિશાળ જુએ છે. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org