________________
ઉચ્ચ શિક્ષણની બેધભાષા
[૯૭૫ અને સહેજે ભૂતકાળને પણ વિચાર કરત. આ બધા અધૂરા ગણે કે પૂરા ગણો, તે અવકનને આધારે જ મેં મારું વિધાન કર્યું છે. મેં જોયું છે કે
જ્યાં વિદ્યાર્થી અને અધ્યાપકની ભાષા સમાન હેય છે ત્યાં ઉચ્ચતમ વિષયને શીખવતી વખતે પણ અધ્યાપક માતૃભાષા જેવી સંસ્કૃતભિન્ન ભાષાનો જ મુખ્યપણે આશ્રય લેતે હેય છે, કેમકે શીખનાર વિદ્યાર્થી એ રીતે વિષયને બહુ જ સરળતાથી ગ્રહણ કરી લેતા હોય છે. એટલે જે અધ્યાપકે વિદ્યાથીના હિતની દષ્ટિએ જ શીખવતા હોય છે તે સીધી રીતે વિદ્યાર્થીને સમજાય એ જ ભાષાને આશ્રય લેતા હોય છે. એવે એક પણ દ્રવિડિયન કે બંગાળી મેટ અધ્યાપક મેં નથી જો કે જે પિતાના પુત્ર કે સ્વભાષાભાષી વિવાથીંઓને શીખવતી વખતે માતૃભાષા છોડી માત્ર સંસ્કૃતનો આશ્રય લેતે હેય.
જ્યાં વિદ્યાર્થી અધ્યાપકની પરિચિત ભાષા ન જાણુ હોય, અગર વિદ્યાર્થીની પરિચિત ભાષા અધ્યાપક બિલકુલ ન જાણતો હોય, તેવા દાખલાઓમાં અધ્યાપક ન છૂટકે સંસ્કૃત ભાષાને આશ્રય લઈ ગમે તેવા વિષયને પણ શીખવે છે એની ના નથી; પણ ક્રમે ક્રમે સ્થિતિ બદલાતી આવે છે. જે અધ્યાપક કરતાં વિદ્યાથી જ વધારે ગરજુ અને જિજ્ઞાસુ હોય છે તે તે અધ્યાપકની પરિચિત ભાષા જાણી લે છે. કેટલાક પ્રસંગમાં વિદ્યાર્થી કરતાં અધ્યાપક અમુક કારણુસર વધારે ગરજ હોય છે. એવી સ્થિતિમાં અધ્યાપક વહેલું કે મેડા શીખનાર વિદ્યાર્થીની પરિચિત ભાષાથી કામ પૂરતો પરિચિત થઈ જાય છે. એટલે એકંદરે ભણવા–ભણાવવાનું ગાડું મુખ્યપણે સંસ્કૃતભિન્ન ભાષાને માર્ગે ચાલે છે.
ગીર્વાણ ગિરાનો જે મહિમા વિદ્યાથી, અધ્યાપક કે અમુક કેટિના સમાજમાં પ્રતિષ્ઠિત થયું હોય તેની સાથે ઉપર વર્ણવી તે વસ્તુસ્થિતિને ભેળવી દેવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. એ મહિમાને લીધે સંસ્કૃતમાં વ્યા
ખાને અપાય કે બીજી-ત્રીજી રીતે એ પ્રયોજાય એમ બને, પણ ભણવાભવવાની સ્વાભાવિક રીત તે ઉપર બતાવી તે જ હતી, છે અને હાઈ શકે, એમ હું સમજું છું.
તે પછી પ્રશ્ન થશે કે સંસ્કૃતના અસાધારણ વિદ્વાને સંસ્કૃત ભાષામાં જ ઉચ્ચતમ વિષને બહુ જ ઊંડાણથી લખી ગયા તે કેમ સંભવ્યું? ઉત્તર અહીં વિસ્તારથી આપવાની જરૂર નથી, પણ સંક્ષેપમાં એટલું કહેવું પૂરતું થશે કે બીજી ભાષાને આશ્રય લેવા છતાં મુખ્યપણે શીખવાના ગ્રંથે તે સંસ્કૃતમાં જ લખાયેલા હોય છે–વેદના વારાથી; અને એ ગ્રંથને ભાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org