________________
“સંસ્મરણ”ની સમાલોચના
[ ૩૩]
પ્રસ્તુત પુસ્તક “સંસ્મરણો ” ગુજરાત વિદ્યાસભાએ પ્રસિદ્ધ કર્યું છે. એના લેખક છે વહાલસોયું “દાદાસાહેબ”ઉપનામ ધારણ કરનાર શ્રી. ગણેશ. વાસુદેવ માવળંકર. મધ્યવતી જોકસભાના સ્પીકર તરીકે દાદાસાહેબનું નામ એટલું બધું જાણીતું અને સાથે સાથે કપ્રિય છે કે તેમને વિશે કશો વધારે ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી.
દાદાસાહેબે “માનવતાનાં ઝરણું', “ My Life at the Bar” કહી પાઉલે” વગેરે ગુજરાતી, અંગ્રેજી, મરાઠીમાં જુદા જુદા પ્રસંગો લઈ પુસ્તકરૂપે સ્મૃતિએ લખેલી છે. પ્રસ્તુત પુસ્તક, એના નામ પ્રમાણે, વિશિષ્ટ
સ્મૃતિઓનું સંકલન છે. એ સ્મૃતિઓ ગાંધીજી સાથે પરિચયમાં આવ્યા પછી તેમની દોરવણી પ્રમાણે કે તેમની સાથે કામ કરતાં ઉપસ્થિત થયેલા પ્રસંગેની એક અનુભવયાત્રા છે. ગાંધીજી સાથેના આ જીવન-પ્રસંગે પણ લેખિત આધાર પૂરતા મર્યાદિત છે. તેથી જ શ્રી. નરહરિભાઈ પ્રસ્તાવનામાં ઠીક જ કહે છે કે, “આ પુસ્તકની ગૂંથણ ગાંધીજીના એમના ઉપર આવેલા પત્રોની આસપાસ કરી છે. એ પ આપતાં પહેલાં કઈ પરિસ્થિતિમાં ગાંધીજીએ તેમને અમુક પત્રો લખ્યા અને એ પત્રોની એમના જીવન ઉપર શી અસર થઈ એ તેમણે ઝીણવટથી વિગતવાર વર્ણવ્યું છે.”
ગાંધીયુગમાં ગાંધીજીના દેશમાં જન્મવું એ પ્રથમ ધન્યતા. તેમના પરિચયમાં આવવું એ બીજી ચડિયાતી ધન્યતા. પરિચયમાં આવ્યા પછી પણ તેમની દૃષ્ટિની સમજણ અને તે પ્રમાણે જીવન જીવવાની આવડત અને તાલાવેલી એ ત્રીજી પણ વધારે ઉત્તમ ધન્યતા. આ બધી ધન્યતાઓથી વધારે ચડિયાતી અને વધારે મૂલવતી ધન્યતા તે તેમની સાથે એક યા બીજી રીતે કામમાં સહભાગી બનવું છે. આ મારું અનુભૂત અને મૂળગત મંતવ્ય છે. એ મંતવ્યની કસોટીએ જોઈએ તે દાદાસાહેબનાં પ્રસ્તુત સ્મરણે એ બધી ધન્યતાઓના પરિપાકરૂપે છે. આ વસ્તુની પ્રતીતિ હરકોઈ સમજદાર વાચકને “સંસ્મરણો” વાંચ્યા પછી થયા વિના નહિ રહે એમ હું સમજું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org