________________
ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન
[ ૯૬૯ એ તે જીવન અને ઉપદેશ દ્વારા ગાંધીજીએ સિદ્ધ કરી બતાવ્યું છે. રાષ્ટ્રની અખંડતાને સિદ્ધ કરવા એમણે હિંદુસ્તાનીને આગળ કરી અને છતાં ગુજરાતમાં ગુજરાતીને મહિમા વધારી આપે. એમની પ્રવૃત્તિથી ન હાનિ થઈ ગુજરાતી ભાષાને કે ન રાષ્ટ્રભાષાને. ઊલટું, બંનેનાં તેજ વધ્યાં. જીવનનાં વિવિધ ક્ષેત્રમાં કોણ એમના જેટલું ઘૂમી રહ્યું છે કે જેથી એમને પહોંચી તે કરતાં વધારે અથડામણ એને પહોંચે ? એટલે કે અથડામણનાં ત ભાષામાં ભય નથી, પણ માણસના મનમાં ભર્યા છે. ગાંધીજીનું મન ચેખ્યું હતું, તેથી અથડામણ થઈ નહિ. લટું, પ્રાન્તભાષા અને રાષ્ટ્રભાષાની સેવા થઈ. એટલે માનસિક સમતુલા સાચવવી એ જ અથડામણ ટાળવાને રાજમાર્ગ છે. એ નહિ હોય તે ગમે તેટલી યુક્તિપ્રયુક્તિઓ પણ કામ નહિ આવે.
જે માનસિક સમતુલા જળવાશે–અને એ જ કેળવણીનો પ્રશ્ન છે– તે આપણા દેશમાં પ્રાન્તપ્રાન્તની જે વિશેષતાઓ છે તે રાષ્ટ્રના સાર્વત્રિક જીવનને ઉપકારક થઈ પડશે. એક ડે બધાને એકસરખા કરી મૂકવાને સ્વભાવ આપણી સંસ્કૃતિએ કદાપિ ખીલવ્યો નથી. વિવિધતામાં એકતા સિદ્ધ કરવી એમાં કંઈ રહસ્ય હોય તો એ જ કે પિતાની વિશેષતા કઈ પણ પ્રજાએ કદી છોડવી નહિ, પણ તેને એવી રીતે વિકસાવવી, જેથી બીજી પ્રજાઓની વિશેષતાઓ સાથે તે સંવાદી બને. દરેક પ્રાન્તવાસી પિતાની સ્તનપાનની ભાષામાં જે પ્રતિભા વિસાવે તેનાં જે કંઈ સારાં પરિણામો આવે તે બધાને લાભ રાષ્ટ્રભાષાને તે વિવિધતાઓના–વિશેષતાઓના સંવાદથી જ મળી શકે. ગુજરાતી ભાષા પિતાની પૂર્ણ વિશેષતા સાચવી, તેને વિકસાવીને પણ રાષ્ટ્રભાષા સાથે સંપૂર્ણપણે સંવાદ સાધી શકે તેમ છે. તેથી ઊલટું, જે રાષ્ટ્રભાષાને જ પૂર્ણ માનીને ચાલવામાં આવે તે ગુજરાતીની વિશેષતાને સંપૂર્ણપણે લેપ થવાનો ભય છે.
આ પ્રમાણે જે ગુજરાતી ભાષા બધી રીતે બેધભાષા થવાને પાત્ર કરે છે તે તે રાષ્ટ્રભાષાને અને રાષ્ટ્રની અખંડતાને કોઈ પણ રીતે અવરોધ નથી કરતી એમ પણ સિદ્ધ થાય છે. અત્યારે જે અંગ્રેજીનું સ્થાન છે લગભગ તે જ રાષ્ટ્રભાષાને હવે મળવાનું છે, એટલે કે, આન્તરપ્રાન્તીય સંપર્ક, વ્યવહાર અને વિચારવિનિમયનું તે જ હવે મુખ્ય દ્વાર થશે, એટલે ઉચ્ચ શિક્ષણમાં પણ તેને અનિવાર્યપણે સ્થાન મળવું જ જોઈએ. માત્ર એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org