________________
ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન
[ ૧૦ અથડામણ ઊભી થાય. પણ આ મુદો કહેવામાં જેટલો સસ્ત છે એટલે જ સમજવામાં અધારે છે. જે ગુજરાત બીજા પ્રાન્તની પેઠે એક જુદો પ્રાન્ત રહેવાને જ હોય અને સાથે હિન્દુસ્તાનના એક ભાગ તરીકે પણ રહેવાને જ હેય તે, તેની બધી વિશેષતાઓ અન્ય પ્રાન્તની પેઠે કાયમ રહેવાની, એ કાંઈ ભૂંસાવાની નહિ જ. અને તે બધી વિશેષતાઓ જે હિંદુસ્તાનની અખંડતાને બાધક નહિ થાય તે માત્ર ભાષાની વિશેષતા અખંડતાને બાધક થશે એમ કહેવું એ કેટલું અસંગત છે?
એ જ રીતે જે ઉચ્ચ શિક્ષણ પૂરતી રાષ્ટ્રભાષાને બેધભાષા તરીકે સ્વીકારવાથી અથડામણું દળવાની હોય તે એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની બોધભાષા ગુજરાતી રહેવાથી અથડામણનું સૂળ તે કાયમ જ રહેવાનું. કેળવણીની નવી રચનામાં નાણું કરીને માધ્યમિક શિક્ષણને નાગરિકત્વ ખીલવવાનું સ્વતંત્ર ધ્યેય રહેવાનું અને કેળવણી ફરજિયાત થતાં પણ રાષ્ટ્રમાં માધ્યમિક કક્ષા સુધીની કેળવણુ જ ફરજિયાત થઈ શકવાની–જેમ આજે રશિયા આદિ પશ્ચિમના દેશમાં છે તેમ; અને જે પ્રાન્તિક સ્વશાસન ચાલુ જ રાખવામાં આવે તે એમાં આટલે સુધીની કેળવણું પામેલા સમાજની વિશિષ્ટ માન્યતાઓ, લક્ષણો, જરૂરતે આદિની છાયા પડવાની; એટલે કે શિક્ષણ પાછળની દૃષ્ટિ નીરોગી અને રાષ્ટ્રની અખંડતાને બાધક ન હોય તેવી રાખીને આ વિશિષ્ટત્વને નિરુપદ્રવી બનાવવું પડવાનું. જે હકીક્ત આમ જ હોય તો પછી ઉચ્ચ શિક્ષણમાં શા માટે અસ્વાભાવિક, કૃત્રિમ અને ઉપરથી લાદેલી બોધભાષાને આગ્રહ સે ?
એક બીજો મુદ્દો પણ વિચારવા જેવા છે. જે લેકે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા દ્વારા પામ્યા હશે તે ખરેખર તે ઉચ્ચ શિક્ષણ પણ એમાં જ લેવાને આગ્રહ સેવાશે અને ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકેની બીજી કોઈ પણ ભાષા સામે બળ પિકારશે; અર્થાત અખંડતા સિદ્ધ કરવા માટેનો ઉપાય ઊલટે ભેદ અને કલહ વધારવાનું સાધન બનશે. એટલે એ પ્રાન્તભાષા અને રાષ્ટ્રભાષા વચ્ચે તેમ જ પ્રાન્ત અને રાષ્ટ્ર વચ્ચે અથડામણને ભય જોતા હેય, તેમણે તો પ્રાથમિકથી તે ઉચ્ચ શિક્ષણ સુધી અને શિક્ષણની તમામ શાખાઓમાં, માત્ર રાષ્ટ્રભાષાને જ સ્થાન આપવાને અફર આગ્રહ અને પ્રયત્ન રાખવું જોઈએ ! એવો આગ્રહ કંઈકે સમજી શકાય એવો છે. બાકી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાન્તીય ભાષામાં આપવાથી સષ્ટ્રીયતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org