________________
દર્શન અને ચિંતન કથા-વસ્તુ મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે. તેમને સર્વત્ર પ્રસિદ્ધ અને સુવિદિત એવા વૈદિક-પૌરાણિક સાહિત્ય કે બૌદ્ધ સાહિત્યમાંથી સહેજે જોઈતી કથા–વસ્તુઓ મળી જાય છે, ને તે ઉપર તેઓ પિતાની હથોટી અજમાવે છે. પરિણામે એ જુની કથા-વસ્તુઓ નવે રૂપે પ્રચારમાં આવે છે. આવા શોધક લેખકોને જૈન કથા–સાહિત્યમાંથી જોઈતી વસ્તુ સાંપડવાની તક બહુ - જ ઓછી મળી છે. એનું એક કારણ એ પણ છે કે જૈન કથાસાહિત્ય એક રીતે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના આવરણ તેમ જ ભંડાર અને પંથ-દષ્ટિના બંધિયારખાનામાં ગંધાયેલું રહ્યું છે. તેથી કરીને તે સાહિત્યમાંથી આ યુગમાં પણ સહુને ગમે અને માર્ગદર્શક બને એવી કથાવસ્તુઓ સુષ્ય લેખકેના હાથમાં પડી નથી. બીજી બાજુએ જે ગણ્યાગાંડ્યા જૈન લેખકે હોય અને કાંઈક નવ-દષ્ટિને આધારે કથાસર્જન કરવા ઈચ્છતા હોય તેમની સામે પંથની સંકુચિત દકિટ ઘરતી હોય છે. જુના વાઘા બદલ્યા વિના પ્રાચીન કથા-વસ્તુઓ ભાગ્યે જ સાર્વત્રિક આવકાર પામે, અને એ વાવાઓમાં સહેજ પણ લંબાણકાણુ કે સંસ્કાર થયા ત્યાં તો રૂઢિઓની ભૂતાવળ જાગી ઊઠે! પરિણામે એણે ગમે તેવું લખ્યું હોય તોય જેનો ખરીદવા ન લલચાય, અને જૈનેતર જગતમાં એને પ્રવેશ મુશ્કેલ બને. એટલે છેવટે લેખક–પ્રકાશકને બીજી દિશા સ્વીકારે જ છૂટકે.
આ અને આનાં જેવાં બીજા કારણોથી જૈન કથા-સાહિત્ય નવા સ્વરૂપમાં બહાર આવી શકતું નથી. જયભિખુએ પિતાનાં લખાણોથી એ બંને લક્ષ્ય સિદ્ધ કર્યા છે. તેમણે જેનેતર સુલેખકે સામે જૈન કથાસાહિત્યમાંથી સારી સારી કથાવસ્તુઓ રજુ કરી તેમનું ધ્યાન એ કથા-સાહિત્ય તરફ ખેંચી તેમને નવી દિશાએ કળા અજમાવવા સૂચવ્યું છે, અને જૈન જગતને એવું ભાન કરાવ્યું છે કે તમને જે રૂઢિબંધને નડે છે તે માત્ર તમારા સંકુચિત દૃષ્ટિબિંદુને લીધે. ખરી રીતે તે કઈ પણ કથા કે વાર્તા ત્રણે કાળમાં એકરૂપ હતી કે રહી શકતી જ નથી. ખુદ પ્રાચીન જૈન લેખકે પણ તે તે દેશ-કાળના પ્રભાવ તળે આવી કથાને નવા નવા ઓપ આપતા જ રહ્યા છે. જયભિખુએ બંને લો કેટલા પ્રમાણમાં સિદ્ધ ક્યાં છે એની સાબિતી એમના સાહિત્યને વાચકવર્ગ જ પૂરી પાડે છે. એક તરફથી જેનેતર જગતમાં એમનાં લખાણ બહુ જ છૂટથી વંચાય છે, જ્યારે બીજી તરફથી જૈન પરંપરાના રૂઢિચુસ્ત પણ એને વધારે ને વધારે સત્કારવા લાગ્યા છે, ને એવા નવા સર્જનની માગ કર્યા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org