________________
હેતુબિન્દુને પરિચય
L[ ૮૮૦ એમ સમજાતું કે T પ્રતિગત ભાષાન્તર મૂળ લેખનું યથાર્થ પ્રતિબિમ્બ છે ત્યારે ઘણે સ્થળે એમ પણ સમજાતું હતું કે $ પ્રતિની પાઠપરંપરા T ગત પાઠ કરતાં મૂળ લેખની વધારે નજીક છે. એ જુદું કહેવાની જરૂર નથી કે ટિબેટન ભાષાન્તરકારે એટલી બધી ચોકસાઈથી પિતાનું કામ કરતા કે તેમના ભાષાન્તરમાં નવી ભૂલ ન ઉમેરાતી, જે મૂળમાં ભૂલ હોય તે તે ભાષાન્તરમાં આવતી જ. એટલે ભાષાન્તરકારે અર્થજ્ઞ હોય તે કરતાં ભાષાજ્ઞ વધારે હતા. જે એ ભાષાન્તરકારે પૂર્ણપણે વિષયના જ્ઞાતા હતા તે દેખીતી રીતે ભૂલભરેલા આદર્શગત પાઠનું યથાર્થ ભાષાન્તર કરી તેમાં આદર્શ પાઠની ભૂલ ન આણત.
૩. N પ્રતિ : આ પ્રતિ હેતુબિન્દુરીકાની ‘આલેક સંજ્ઞક અનુટીકાની છે. એની પૂરી નકલ નેપાળના રાજગુરુ પં. શ્રી હેમરાજ પાસેથી ત્રિપિટકાચાર્ય શ્રી. રાહુલ સાંકૃત્યાયન દ્વારા પ્રાપ્ત થયેલી. તે પ્રતિ સાવ ત્રટિત પ્રતિ ઉપરથી થયેલી નકલ છે. તે પ્રતિ કાગળ ઉપર લખાયેલી છે. તેનાં પત્રોની પહોળાઈ ૪૩ ઈંચ, લંબાઈ ૧૯ ઇંચ અને પત્રસંખ્યા ૮૧ છે. પત્રે બધાં જ અસ્તવ્યસ્ત હતાં. જે આગળ જતાં P પ્રતિની મદદ મળી ન હતી તે આ પ્રતિને કશે જ ઉપયોગ કરી શકાતો નહિ, અને પત્રસંખ્યા, જે અમે પાછળથી વ્યવસ્થિત કરી તે પણ અત્યંત મુશ્કેલ હતું. આ પ્રતિ સાવ ત્રુટિત અને અશુદ્ધ હોવા છતાં તેણે P પ્રતિ વાંચવામાં એટલી બધી મદદ કરી છે કે તેને લીધે તેનું ત્રુટિતપણું જરાય સાલતું નથી. અહીં એ પણ કહેવું જોઈએ કે જે આ પ્રતિ ન હોત તે અમારે માટે P પ્રતિને ઉપયોગ કરવાનું કામ પણ કદાચ જતું કરવું પડત અને અત્યારે જે રૂપમાં આદર્શ અનુરીકા છપાઈ છે તે રૂપમાં કદી સુલભ ન થાત.
૪. P પ્રતિ : આ પટણામાંની બિહાર એન્ડ ઓરિસા રિચર્સ ઈન્સ્ટિટ્યૂટના સંગ્રહમાં રહેલા ટિબેટથી મૂળ સંસ્કૃત ગ્રન્થના લાવવામાં આવેલા ફોટાઓમાં રહેલ હેતુબિન્દુટીકાલેકના ફેટા ઉપરથી ફરી લીધેલ ફેટા છે. ઈન્સ્ટિટયૂટમાંના મૂળ ફોટાનો પરિચય શ્રી. રાહુલજીએ ન્યાયબિન્દુ-અનુરીકા તરીકે ભૂલથી આપ્યું છે, પણ વસ્તુતઃ તે હેતુબિન્દુટીકાની અનુટીકા “આલેક”
ટિબેટના ભંડારમાં રહેલ મૂળ સંસ્કૃત પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી છે. તેનાં પત્રો ૭૦ છે, જે ૨૦ ફેટપ્લેટમાં સમાવી લેવામાં આવ્યા છે. ફેટાના અક્ષરે બહુ જ બારીક અને કેટલેક સ્થળે સાવ અસ્પષ્ટ છે. લિપિ પ્રાચીન નેપાળી છે. આ પ્રાચીન લિપિ ઉકેલવામાં અને બારીક તેમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org