________________
જહબીજને વિસ્તાર
[ ૯૫૨ એવી શિક્ષણસંસ્થાઓની ગ્રહમાળા કમેક્રમે રચાતી અને ગોઠવાતી ચાલી ને વિશ્વવિદ્યાલયના સંકલ્પને મધ્યવતી સૂર્ય પણ એક જ ગ્રહમાળાના કેન્દ્રમાં પ્રકાશવા લાગે.
અહેવાલમાં શિક્ષણનીતિ વિશે જે ચેખવટ કરી છે તે બહુ મહત્ત્વની છે. આપણે જાણીએ છીએ કે પૂ.ગાંધીજીએ પિતાના જીવનકમના આંતરબાહ્ય ધરખમ ફેરફાર સાથે જ પ્રજાવ્યાપી શિક્ષણની એક નવી જ દષ્ટિ લેકે સમક્ષ રજુ કરી હતી, અને એ દૃષ્ટિને અનુસરી એમણે કામ પણ શરૂ કર્યું હતું. એ કામ ગુજરાત અને ગુજરાત બહાર પણ ચાલતું. વિચારશીલ અને સહૃદય સ્વાતંત્ર્યપ્રેમી આત્માઓને તે એ પસંદ આવ્યું; પણ સાધારણ લેકનું ગજું ચાલુ શિક્ષણમાં કરવા પડનાર એવડા મોટા ફેરફારને ઝીલવાનું ન હતું, તેથી બાપુજીની દષ્ટિ પ્રમાણે સ્થપાયેલ સંસ્થાઓમાંથી પણ ધીરે ધીરે ઓટ થતી જોવાતી. બીજી બાજુ આખા દેશમાં વિદેશી સરકારની ગુલામીપષક શિક્ષણનીતિ પ્રત્યે લેકેને રેષ પણ જે તે ન હતા. એક બાજુ ગુલામીપષક શિક્ષણનીતિ પ્રત્યે રોષ અને બીજી બાજુ એ પ્રથા પ્રમાણે ચાલતી અનેક વિષયની વ્યવહાર જીવનને ઘડનાર કોલેજ જેવી સંસ્થાઓને મોહ, એ બંને વચ્ચે લેકમાનસ ક્ષોભ પામતું. એવી દશામાં શો રસ્તો લે કે જેથી તેને જોઈતી આધુનિક પ્રણાલીની શિક્ષણસંસ્થાઓ પણ સાંપડે અને એમનાં માનસ ગુલામીમાંથી ધીરે ધીરે ટવા પણ પામે?—આ એક પ્રશ્ન હતો. એનો ઉકેલ સોસાયટીના કાર્યકર્તાઓએ મધ્યમમાર્ગ લઈ કાઢો. એ મધ્યમમાર્ગ એટલે વિદેશી સરકારની નીતિએ લાદવા ધારેલી ગુલામીમાંથી લેકમાનસને મુક્ત કરવું અને છતાંય પાશ્ચાત્ય પ્રણાલીની શિક્ષણપ્રથામાં લેકેને જોઈતા લાભ પણ પૂરા પાડવા.
સોસાયટીના કાર્યકર્તાઓની નેમ પહેલેથી જ ગુલામીમાનસ વિરુદ્ધ બંડ કરવાની હતી. એ પ્રસંગે ઉપસ્થિત પણ થશે. સાયમન કમિશન વખતે ગુજરાત કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધસૂચક ન્યાય વર્તન આચર્યું ને તરત જ એ વખતના એ કોલેજના ગોરા આચાર્યો એ પ્રત્યે કડક વલણ અખત્યાર કરી વિદ્યાર્થીઓ તેમ જ દેશના સ્વમાન ઉપર સીધો ઘા કર્યો. આ બનાવ ખરેખર કસોટીને હતો. કાં તે ગુલામી સામે થવું કે તે નમીને ઘેટાવૃત્તિ પિષવી. પણ અત્યાર અગાઉ બાપુજીએ આખા દેશમાં સ્વતંત્રતાની ભાવનાની એવી ચિનગારી પટાવી હતી કે હવે લેકે અને વિદ્યાર્થીઆલમ વિમાનભંગ સહેવા તૈયાર ન હતા. અને ખરેખર, જ્યારે અહેવાલમાં વાંચીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org