________________
સન્મતિત અને તેનું મહત્વ
[૯૭૫ રહસ્ય સમાયેલું છે. માત્ર ગ્રંથ અને તેનાં ઉપકરણની પૂજામાં જે આપણે રચ્યાપચ્યા રહીએ તે તેના ચેતન-આત્મા સુધી પહોંચી ન શકીએ અને પરિણામે, ઉપાધ્યાયજી કહે છે તેમ, ક્રિયાગ્રહિલ જડપૂજક બની જઈએ. એ સ્થિતિ અનેકાંતદષ્ટિને ન શોભે. તેથી સાચા જ્ઞાનપૂજક માટે શું કર્તવ્ય છે તે જુદું કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
પ્રસ્તુત લેખ દ્વારા એક પણ વાચકની રુચિ કોઈપણ કાળે સન્મતિતર્કના ખરા મહત્ત્વ તરફ વળશે તે પ્રયાસ સફળ જ છે. દિવાકરશ્રીનાં કેટલાંક પળોને સાર
[ આગળ કહ્યા પ્રમાણે એકંદર બધી કૃતિઓ જેમાં દિવાકરશ્રીના જીવનનું ખરું હાર્દ શું છે તે જણાઈ આવે છે અને તે એ છે કે તેમને ભગવાન મહાવીર પ્રત્યે અનન્ય અનુરાગ છે. એ અનુરાગ આગમજ્ઞાનમાંથી ઉત્પન્ન થયું છે અને તેથી શાસનની પ્રભાવના એ તેમને મન ભગવાનના સિદ્ધાંતને સર્વગમ્ય કરવામાં છે. એ માટે તેઓ કોઈ નિર્વિચાર રૂઢિબંધન નથી સ્વીકારતા અને સમગ્ર જ્ઞાનને અનેકાંતમાં ગોઠવવા તેમ જ જૈન શ્રતને વિસ્તારવા પ્રયત્નશીલ છે. આ સ્થળે તેઓને ભક્તિપ્રસાદ પારખવા અને વિવે વિષયના મર્મને સ્પર્શી તેઓની અનન્યસાધારણ વિવેચકશક્તિને પરિચય આપવા તેમની બત્રીસીઓમાંના કેટલાંક પદ્ય સારસહિત આપવાનો લેભ રાખવે એ અસ્થાને નથી.]
સ્તુતિ કરવાને હેતુ જણાવતાં તેઓ કહે છે કે-“હે વીર ! કવિત્વશક્તિથી, પરસ્પરની ઈર્ષાથી કે કીર્તિ પ્રસિદ્ધ કરવાની ઈચ્છાથી કે શ્રદ્ધામાત્રથી તારી સ્તુતિ કરવામાં નથી આવતી; પણ ગુણ તારું બહુમાન કરે છે તેથી મારો આ આદર છે.” ૧, ૪.
ભગવાન મહાવીરમાં પિતાને અતિઆદર થવાનું કારણ આપતાં તેઓ કહે છે કે –
“હે ભગવન! પરસ્પરના વિખવાદને લીધે જેઓનાં મન બહેર મારી ગયાં છે અને એથી જ જેઓ પોતાના વાદ-સિદ્ધાંતને પણ સળંગ સમજી શકતા નથી એવા તથા તત્વના માર્ગને મૂકી અવળે રસ્તે ચડેલા આ એકાંતવાદીઓની સમીક્ષા કરતો કે પુરુષ તારા તરફ ન આકર્ષાય? અર્થાત, એકાંતવાદના દુરાગ્રહથી કંટાળેલે પુરુષ તારા જેવા અનેકાંતવાદી–સમન્વયવાદી તરફ જરૂર આકષીય.” ૧, ૫. ' અનેકાંતવાદના વિજ્ઞાન (science)ની ખૂબી બતાવતાં તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org