________________
સન્મતિક અને તેનું મહત્ત્વ
[૯૪૧ શ્રીસિદ્ધસેન દિવાકરકૃત દ્વારિકાએ
[આ નીચે દિવાકરટીની ત્રણ બત્રીસીઓના કેટલાક શ્લોકેને ભાવ આપવામાં આવે છે. જેમાંની ૧લી વાદોપનિષદ્ બત્રીસી, ૨જી વાદબત્રીસી અને ૩જી ન્યાયબત્રીસી છે. વાદોપનિષદ્ બત્રીસીમાં વાદપદ્ધતિમાં કુશળતા મેળવવા ઈચ્છનારે તેનાં જે રહસ્યનું જ્ઞાન મેળવવું જોઈએ તે રહસ્યોનું વર્ણન કરેલું છે. વાદબત્રીસીમાં વાદની ચિંતા અને વિજયની તૃષ્ણાથી વિદ્વાને અને ત્યાગીઓની સ્થિતિ કેવી સેચનીચ થઈ જાય છે તેનું આબેહૂબ ચિત્ર મૂકેલું છે અને ન્યાયબત્રીસીમાં ન્યાયદર્શનના પદાર્થોનું અક્ષપાદનાં ન્યાયસૂત્રને કાંઈક મળતું વર્ણન છે. સાર એ છે કે આ ત્રણે બત્રીસીઓને વાંચનાર દિવાકારશ્રીના સમયનું વાદવિવાદનું વાતાવરણ, વાદી અને પ્રતિવાદીના મનોભાવનું ચિત્ર અને ન્યાયની પદ્ધતિ વિશે સ્પષ્ટપણે સમજી શકશે અને એ જ આશયથી આ ત્રણે બત્રીસીઓને અહીં મૂકવામાં આવી છે.]
વાદપનિષદ દ્વાવિંશિકા જે દ્વારા ધર્મ, અર્થ અગર કીર્તિ મેળવવી ઈષ્ટ હોય એવાં શાસને (માનપત્ર, દાનપત્ર, અને આજ્ઞાપત્ર આદિ ફરમાને) કેવળ સ્પર્ધાને લીધે કાંઈ શોભતાં નથી; તેથી જે માગે રાજસભાઓમાં વિગ્રહ કરીને તેવાં શાસન સંપાદન કરવા ઘટે તે માર્ગનું (વાદનું) કથન કરવામાં નિર્વિઘ્નતા હે. ૧
પ્રથમ જ પિતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂક્યા સિવાય જે વાદી વાચેષ્ટા કરે છે તે પૌષવાન છતાં પોતાને અવસર ગુમાવેલું હોવાથી વિદ્વાનોની સભામાં ઊંચું મસ્તક કરી બેલી શકતા નથી. ૭.
તું બોલે છે, તે હું નથી સમજતો. આ તે કોનો સિદ્ધાંત છે ? સિદ્ધાંતયુક્ત બેલ. આ ક્યાં કહ્યું છે? આ ગ્રંથ રહ્યો. અર્થ નકકી કર. આ ભાર્ગ (રીત) નથી. આ પ્રક્ષેપ છે.” એ રીતે અસ્પષ્ટ–આગમવાળા પ્રતિવાદીનું મુખ બંધ કરાય છે. ૮
કઠેર ઉત્તર વડે જે પુરૂષ આઘાત પામી જાય છે તેની બુદ્ધિ જે આખાય-માર્ગને અનુસરી સુકુમાર અભિયોગ કરનારી હોય છે તો તે વિલીન થઈ જાય છે. પણ જે પુરુષ એવા કઠોર ઉત્તરે વડે ઉત્તેજિત થઈ જાય છે તેના શત્રુઓ સભાભથી ભરેલ રણાંગણમાં ચેખે માર ખાઈ સૂઈ જાય છે. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org