________________
સન્મતિત અને તેનું મહત્ત્વ
[ ર૧ ભલે ગમે તે હેય, પણ એને તર્કની તીક્ષ્ણ શાણ ઉપર ચઢાવી અને બુદ્ધિની કસોટીએ કસીને જ દિવાકરશ્રી કહે છે. પ્રવચનસારની શેલી આગમિક એટલા માટે છે કે તેમાં તત્વનું નિરૂપણ કરતાં કરતાં ડગલે ને પગલે ઉપદેશ દેવાતો જાય છે. તે સાંભળતાં એમ ભાન થાય છે કે જાણે આપણે ધર્મસ્થાન કે ઉપાશ્રયમાં બેસી કોઈ મહામના નિર્ચથના મુખેથી શ્રદ્ધાપૂર્વક ઉપદેશમિશ્રિત જનતત્ત્વ સાંભળી રહ્યા છીએ; ત્યારે સન્મતિની બાબતમાં એમ નથી. એમાં ઉપદેશનો છાંયે નથી. એમાં તે શુદ્ધ જૈન તો પોતાની બે દિવાકરથી પ્રવાહબદ્ધ વર્ણવે જ જાય છે. એને સાંભળતાં એમ લાગે છે કે જાણે કોઈ પ્રતિભામૂર્તિ તાર્કિકશિરોમણિના મુખેથી જન તો સાંભળી રહ્યા છીએ.
પ્રસ્તુત બને છે જૈન તત્વજ્ઞાન અને સંપ્રદાયના પિષક છે, છતાં બન્નેમાં મેટ તફાવત છે. એક જૈનમત સાથે સાથે તેના એક ફાંટાનું પિષણ કરે છે, જ્યારે બીજો કોઈ ફાંટાના પિષણમાં ન ઊતરતાં માત્ર જૈન તત્વજ્ઞાનને જ સ્થાપે છે અને વ્યવસ્થિત કરે છે. પ્રવચનસારનું ચારિત્રવર્ણન દિગંબર શાખાનું પોષણ કરે છે, પણ સન્મતિને કઈ શાખાની કશી જ પડી નથી. એ તે ભગવાન મહાવીરની દૃષ્ટિ સ્પષ્ટ કરવા, તેને વ્યવસ્થિત રીતે સમજાવવા અને તર્ક ઉપર તેની માંડણી કરવા મથે છે.
દ્ધ અને વૈદિક ગ્રંથ સાથે સરખામણી
દિવાકરશ્રીના સમયને સવાલ હજી વિચારવા જેવો હોવાથી કાળના પર્વોપને વિચાર છોડી માત્ર સરખામણી માટે કેટલાક પ્રાચીન, બૌદ્ધ અને વૈદિક ગ્રંથે લઈએ. પ્રવચનસાર જતાં તેના પ્રણેતા આચાર્ય કુંદકુંદના માનસમાં ત્રણ જૈનેતર દર્શનના અભ્યાસની છાપ પડેલી દેખાય છે અને તે પણ સ્થલ : સાંખ્ય, વૈશેષિક અને બૌદ્ધ. એ ત્રણ ઉપરાંત ન્યાય, વેદ, ઔપનિષદ આદિ બીજાં તત્કાલીન પ્રસિદ્ધ જૈનેતર દર્શનના અભ્યાસની ઊંડી અને વિસ્તૃત છાપ દિવાકરશ્રીના માનસમાં પડેલી છે, એ તેઓશ્રીની સન્મતિ, બત્રીસીઓ વગેરે કૃતિઓ જોતાં સ્પષ્ટ થાય છે. (ક) સાંખ્યાચાર્ય ઈશ્વરકૃષ્ણની કારિકાઓ લે અને સન્મતિ સાથે સરખાવો. ભાષા અને સંપ્રદાયને ભેદ બાદ કરીએ તે એ બેમાં છંદનું તેમ જ પોતપોતાના વિષયને તર્કપદ્ધતિએ ગોઠવવાનું સામ્ય નજરે પડશે. (ખ) ત્યવાદી બૌદ્ધાચાર્ય નાગાર્જુનની મધ્યમકકારિકા અને વિજ્ઞાનવાદી વસુબધુની વિંશિકા તથા ત્રિશિકા સાથે દિવાકરશ્રીની કૃતિઓ સરખાવતાં એમ લાગે છે કે એ આચાર્યો ઉપર એકબીજાની અસર અવશ્ય છે. (ગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org