________________
૯૧૬ ]
દર્શન અને ચિંતન શ્વેતામ્બર આચાર્યોમાં પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્ર યાકિનીસૂનુથી હેતુબિન્દુને ઉપયોગ શરૂ થાય છે. અને પછી તે અચંટ દ્વારા તે ઉપયોગ એટલે બધે વ્યાપક બને છે કે સિદ્ધર્ષિ, સન્મતિ ટીકાકાર અભયદેવ, તર્કવાર્તિકકાર શાંતિસૂરિ', સ્યાદાદરત્નાકરકાર વાદી દેવસૂરિ', આચાર્ય હેમચંદ્ર જેવા પ્રસિદ્ધ પ્રસિદ્ધ તાકિ કેએ જાણે અચંટને પિતાના અભ્યાસને વિષય જ બનાવ્યું હોય તેમ ક્ષણભર લાગે છે. મલયગિરિ જેવા બહુત લેખકે અચંટકૃત સ્યાદ્વાદના ખંડનનું નિરસન શબ્દશઃ કર્યું છે. એ જ રીતે શ્રીચન્ટે ઉત્પાદાદિસિદ્ધિત્રયમાં એ જ કામ કર્યું છે. આ રીતે જૈન વિદ્વાનોના અભ્યસનીય અને અવલેક્ટ્રીય ગ્રન્થમાં અર્ચની ટીકાનું પ્રધાન સ્થાન રહેલું. તેથી જ આપણે જોઈએ છીએ કે જ્યારે અત્યાર લગીમાં કોઈ પણ સ્થળેથી અચંટની ટીકા ઉપલબ્ધ ન થઈ ત્યારે પણ પાટણ જેવા જેનભંડારપ્રધાન જૂના શહેરમાંથી એની જૂની તાડપત્રીય એકમાત્ર નકલ મળી આવી. સંભવ છે કે બીજા પણ કાઈ જૈન ભંડારમાંથી એની અન્ય પ્રતિ મળી આવે.
આ મથાળા નીચે મારે અનેકાનો આભાર માનવાનો છે. જે ભંડારની પ્રતિ મને મળી તેના તત્કાલીન વ્યવસ્થાપકોને હું આભારી છું કે જેમણે પૂર્ણ ધીરજથી એ પ્રતિ મને ધીરી. પ્રવર્તક શ્રી. કાંતિવિજયજીના સાહિત્યનિષ્ઠ પ્રશિષ્ય મુનિ શ્રી. પુણ્યવિજયજીનો ઉદાર સાથ મળ્યો ન હોત તો અમારે માટે આગળ કામ લંબાવવાનું ભાગ્યે જ શક્ય બન્યું હોત. એમણે જૂની દુષ્પઠ લિપિ ઉપરથી અઘતન સુપઠ લિપિમાં એવો સુંદર આદર્શ તૈયાર કરી આપો કે જે લેખનકળાના અદ્યતન નમૂનારૂપે અત્યારે પણ શ્રીમદ્રાજચંદ્ર જ્ઞાનસંગ્રહમાં મોજુદ છે, અને જેના ઉપરથી પ્રેસકોપી કરવાનું કામ બહુ જ સરલ બન્યું. શ્રીયુત પુત્તમ આઈ. તારકસની મદદ તે અસાધારણ રીતે ઉપકારક નીવડી છે. એમણે શરૂઆતથી ટિબેટનને અભ્યાસ કરી અર્ચટની ટીકાને ટિબેટન અનુવાદ સાથે મેળવી જે અનેકવિધ ઉપયોગી કામ કરી
૧. અનેકાન્તજયપતાકા. ૨. ન્યાયાવતારવિવૃતિ પૃ. ૩. ૭. સન્મતિટીક પૃ. ૧૭૧, પપ૬, પ૬૮: ક, ન્યાયાવતારવાર્તિકવૃત્તિ પૃ. ૧૨. ૫. સ્યાદ્વાદરત્નાકર પૃ. ૧૬, પૃ. ૨૪. ૬, પ્રમાણુમીમાંસા પૃ. ૩૮ અને તેનાં ટિપ્પણ પૃ. ૭૮ છે. ધર્મસંગ્રહણી ટીકા પૃ. ૧૪૭ થી. ૮. ઉત્પાદાંદિસિદ્ધિ, પૃ. ૪, ૧૫, ૩૭, ૪૫૭, ૯૨, ૧૪૭, ૧૪૨ આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org