________________
૮૯૮]
દર્શન અને ચિંતન - આ પાંચ પૈકી ધર્મોત્તરપ્રદીપ, જે ન્યાયબિન્દુની અનુટીકા છે, તેની ફેટે પ્રતિ પટના રિચર્સ સેસાયટીમાંના સંગ્રહમાં છે.
આ પાંચે ગ્રન્થોનાં નામ નીચે મુજબ છે – ૧. ધર્મોત્તરપ્રદીપ (પૃ. ર૫૯, ૩૦૮, ૩૩૭) ૨. સ્વયુવ્યવિચાર (પૃ. ૩૩૭) ૩. વિશેષાખ્યાન (પૃ. ૩૪૦, ૩૬૫, ૩૭૦, ૩૭૩) ૪. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૩૭૦, ૩૭૨ ). ૫. ચતુઃશતી (પૃ. ૩૭૦, ૩૭૨).
એમ લાગે છે કે દુક મિશ્ર જિતારિના સંનિધાનમાં રહી વિક્રમશિલા વિદ્યાપીઠમાં કામ કરતાં કરતાં બૌદ્ધ દર્શન સાહિત્યને સમૃદ્ધ કરવાનું જ એકમાત્ર મુખ્ય કામ કર્યું હોય. તેની મિશ્ર ઉપાધિ જોતાં અને તે સમયમાં મિથિલાની વિદ્યા સમૃદ્ધિ તેમ જ વિક્રમશિલાનું સાંનિધ્ય જોતાં એમ લાગે છે કે તે મૈથિલ બ્રાહ્મણ હશે. આ વસ્તુસ્થિતિ એક બાબત ઉપર બહુ પ્રકાશ ફેકે છે. તે એ કે ધર્મ અને જાતિની દષ્ટિએ બ્રાહ્મણ-શ્રમણનો નિત્ય વિરોધ હોવા છતાં વિદ્યા અને તત્વચિંતનના પ્રદેશમાં ઘણીવાર બન્નેને વિરોધ શમી જાય છે અને એક નવી જ સમન્વય સંસ્કૃતિનું નિર્માણ થાય છે.
દુર્વેક મિશ્રના ગ્રન્થ ઉપલબ્ધ થયા ન હોત તે તેનું નામ કાલમાં જ ભૂંસાઈ જાત, કેમકે તેને નામનિર્દેશ નથી ટિબેટન લેખકોના ગ્રંથમાં કે નથી ભારતીય લેખકોના ગ્રન્થમાં. અચંટને તે જૈન વિદ્વાને નામપૂર્વક નિર્દેશ છે, જ્યારે બ્રાહ્મણ દુર્વેક માત્ર એના પિતાના જ ગ્રન્થમાં સમાઈ જાય છે. જૈન વિદ્વાન વાદી દેવસૂરિ જેવા દુર્વેક વિશે અજાણ્યા હોય એમ લાગે છે. જેસલમેરના ભંડારમાંથી જે થોડાંક ન્યાયબિન્દુ-અનુટીકાનાં પત્રે મળ્યાં છે? તે ઘણું કરી દુર્વેક મિશ્રના હેવાં જોઈએ. જે તેમ ઠરે તે એમ માનવું જોઈએ કે ગમે ત્યારે કોઈને કોઈ જૈન વિદ્વાને દુર્વેકના લખાણને ભારતમાં સંધરવા ને તેને ઉપયોગ કરવા પ્રયત્ન કરેલ.
- દુર્વેકનું પાંડિત્ય એક દાર્શનિક મૈથિલ બ્રાહ્મણને રોભા આપે એવું છે. તે બહુશ્રત છે અને વૈયાકરણ પણ. આની પ્રતીતિ તેની વ્યાખ્યામાં પદે પદે થાય છે. તેની વ્યાખ્યા અચંટની વિકૃતિને અનુરૂપ જ છે. તે જ્યારે જ્યારે અચંટની પ્રતીકે લઈ તેનું વ્યાખ્યાન કરે છે ત્યારે બહુધા પૂર્વપક્ષ રૂપે કે
૧. એ પાનાં મુનિશ્રી જિનવિજયજી પાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org