________________
હેતુબિન્દુનો પરિચય
[ ૧૭ ]
[૧] પ્રતિપરિચય ૧. s પ્રતિ: આ હેતુબિન્દુટીકાની પ્રતિ Catalogue of Manuscripts at Pattan Vol. I (G. O. S. Vol. LXXVI ) પૃ. ૧૭૭ માં સૂચવવ્યા પ્રમાણે સંધવી પાડાના ત્રાડપત્રીય ભંડારની નં ૩૦૨ વાળી છે, જેના તાડપત્રની લંબાઈ ૧૨ ઈંચ અને પહોળાઈ ૧ ઈંચ છે અને પત્ર ૨૧૬ છે. આખી પ્રતિ જીણું છે. તેના પત્ર નં ૬, ૨૧, ૨૭, ૫૨, ૧૧૭ અને ૧૭૮ પત્ર તદ્દન નાશ પામ્યા છે. શરૂઆતનો લગભગ ૨૦ પત્રમાં પત્રસંખ્યા ત્રુટિત છે. ખૂણને ભાગી ગયેલ હોવાથી તેની સાથે ઘણે સ્થળે ડુંક લખાણ પણ નાશ પામ્યું છે. જ્યાં જ્યાં ઘેડું કે ઘણું લખાણ પાનું તૂટી જવાથી નાશ પામ્યું છે ત્યાં ત્યાં લગભગ બધે સ્થળે અમે તૂટતા પાઠની પુરવણી [ ] આવા કાષ્ઠકમાં કરી છે. આ સિવાય પ્રતિમાં વચ્ચે કવચિત અક્ષરે ગયેલા છે, તે પણ બન્યું ત્યાં એવા જ કાષ્ઠકમાં અમારા તરફથી જોડવામાં આવ્યા છે. જે પાઠ અમે અમારા તરફથી શુદ્ધ ક્ય છે તે મૂળપાઠ કાયમ રાખી ( ) આવા કાષ્ઠકમાં આપ્યો છે. પ્રસ્તુત પ્રતિના માર્જિનમાં ક્યાંક ક્યાંઈક ટિપ્પણે છે, તે અમે યથાસ્થાન પાદનોંધમાં લીધાં છે.
એક પત્ર કોઈ બીજી જ હેતુબિન્દુટીકાની પ્રતિનું પ્રસ્તુત પ્રતિમાં આવી ગયેલું છે, જેમાં પ્રસ્તુત પ્રતિના ૨૦૭માં પત્રનું લખાણ છે. એ વધારાના પત્રમાંને પાઠ પ્રસ્તુત પ્રતિના પાઠ સાથે ક્યાંઈક જૂદે પડે છે. અમે એ બન્ને પાઠે સરખાવી એમાંથી જે વધારે શુદ્ધ લાગ્યો તેને મૂળમાં રાખ્યો છે અને બીજા પાઠને પાઠાંતર તરીકે રાખ્યો છે. વધારાના પત્રને સંકેત નવીન રાખ્યો છે, અને પ્રસ્તુત પ્રતિના એ પત્રને સંકેત =પુરાતન રાખેલ છે. એ વધારાના પત્રવાળી પ્રતિ પ્રસ્તુત પ્રતિને આદર્શ કે તેની નકલ નથી લાગતી. એનાં બે કારણ છેપહેલું તે એ કે જે એ પ્રસ્તુત પ્રતિને આદર્શ અગર નકલ હોય તે તેની સાથે એક વધારાના
* ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝમાં પ્રકાશિત હેતુબિન્દુની પ્રસ્તાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org