________________
જીવતે અનેકાન્ત
[૮૮૩
દેશમાં જન્મવું, રહેવું અને નભવું, જે વર્ગના ખભા અને પીઠ ઉપર બેસવું ને જીવન ટકાવવું, તે દેશ અને તે વર્ગની સુખસગવડને પ્રશ્ન આવે અને તે પરત્વે પિતાનું રૂઢ વર્તન બદલવાને પ્રશ્ન આવે ત્યાં નિવૃત્તિની વાત કરી કે બીજે તર્કવાદ ઉપસ્થિત કરી પિતાની જાતને બચાવી લેવી એ આચારમય અનેકાંતનો મૃત્યુઘંટ નહિ તે શું છે ?
જૈન સમાજને બીજા સમાજોની પેઠે જિજીવિષા છે. તે જીવતે આવ્યા છે અને હજી પણ જીવશે. જીવન એ છેવટે પરાણે પણ સમન્વય કે સમાધાની વિના શક્ય જ નથી. એટલે જૈન સમાજમાં એ સમજાય કે સમાધાનરૂપ અનેકાંતને સ્થાન ન જ હતું કે આગળ સ્થાન નહિ રહે એમ તે ન જ કહી શકાય. આ સ્થળે જે કહેવાનો આશય છે તે એટલો જ છે કે પરાણે, અણુસમજે કે બીજાની દેખાદેખીએ આચરવામાં આવેલ અનેકાંત એ નથી હોતો તેજસ્વી કે નથી બનતે પ્રાણપદ. જૈન પરંપરાએ જે લાંબા કાળ લગી અનેકાંતના વિચારે સેવ્યા હોય અને તે વિશેનું ઢગલાબંધ સાહિત્ય રચ્યું તેમ જ પિવું હોય, તે બીજા બધા સમાજે કરતાં તેની પાસેથી વધારેમાં વધારે જીવંત અનેકાન્તના પાલનની કોઈ આશા સેવે, તે એ ભાગ્યે જ અજુગતું કહેવાય. એમાંય જ્યારે દેશમાં કોઈ એ પ્રાજ્ઞ મનુષ્ય પાકે કે જેની સમગ્ર વિચારસરણી અને કાર્યપદ્ધતિ છવતી અનેકાંતદૃષ્ટિ ઉપર જ રચાઈ અને ઘડાઈ હોય અને તે આપણી સામે હોય, ત્યારે એને ઓળખતાં અને અપનાવતાં અનેકાંતવાદીઓ સહેજે પણ પાછા પડે, તે એમ કેમ કહી શકાય કે અનેકાંતવાદના અનુયાયીઓમાં તે વાદ આવે છે ?
–શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ઉદ્ધત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org