________________
જીવતે અનેકાન્ત
[ ૮૭૧ બીજી બાજુ છ બધાય વસ્તુતઃ રેખા જોખા છે, પરમાત્મા અને જીવો વચ્ચે ખરેખરી જુદાઈજ છે એવી કલ્પનાઓ પ્રવર્તે છે. જ્યારે તેથી તદ્દન ઊલટી જાતની કલ્પનાઓ પણ પ્રવર્તે છે; તે એમ માને છે કે ઈશ્વર તે શું પણ આત્મા જેવી સ્વતંત્ર અને સ્થાયી કઈ વસ્તુ નથી. આત્મા એ તે પાણીના પટા જેવી પાંચ ભૂતની બનેલી એક ગતિશીલ અને દૃશ્ય આકૃતિ માત્ર છે. આ બધી ઓછેવત્તે અંશે કલ્પનાઓ છે એમ સમજવું જોઈએ, કારણ અમુક કલ્પનાઓના પક્ષને માણસ પણ ક્યારેક તે કલ્પનાઓ છેડી બીજા જ પક્ષમાં ભળે છે અગર તે બન્ને પક્ષોથી તટસ્થ રહે છે.
એ બધી કલ્પનાઓ બદલાવા અને નવું નવું રૂપ ધારણ કરવા છતાં તેની પાછળ એક કદી ન બદલાય અને કદી પણ ન ભૂંસાય એવી સ્થિર પણ કલ્પના છે. દા. ત. માણસ તો શું, કેઈ પણ પ્રાણી એવું નથી, જેને
હું કાંઈક છું' એવું હુંપણાનું ભાન ન હોય, તેમ જ સુખદુઃખના ભેદની લાગણી અને સુખ માટેની પ્રવૃત્તિ તેમ જ દુઃખ તરફને અણગમે ન હોય. ત્રણે કાળમાં સૌને એકસરખી રીતે માન્ય થાય એવો આ અનુભવ તે જ તત્ત્વજ્ઞાનની કક્ષામાં આવે, કારણ એ અનુભવ માત્ર વાસ્તવિકપણાની ભૂમિકા ઉપર જ ઊભે થયેલ હોઈ ટકી રહે છે. તેમાં કોઈને કોઈ વાંધો લેવા જેવું દેખાતું નથી. હુંપણનું ભાન, સુખની રુચિ, દુઃખને અણગમે એ અનુભવ સૌમાં એકસરખે અને સાચે સિદ્ધ થયા છે; તેને જ લીધે તેમાંથી ધર્મ જ છે. સાચું જ વિચારવું, વિચાર અને સમજ હોય તેવું જ બોલવું અને તેવું જ આચરવું એવો જે સત્ય-અહિંસા નામનો ધર્મ મનુષ્ય જાતિમાં ઉદ્ભવ્યો છે ને કાળક્રમે તેને અનેક રૂપે વિકાસ થયેલ છે તેમ જ તે જાય છે, તેના મૂળમાં પેલે અનુભવ જ કામ કરી રહ્યો છે. જીવ કે ઈશ્વર હોવા ન હોવાની તેમ જ તેના નખાપણું કે અનોખાપણાની ગમે તેટલી અરસપરસ વિરોધી કલ્પનાઓ પ્રવર્તતી હેય, છતાં કઈ પ્રાણું કે કોઈ મનુષ્ય એ નથી કે પિતા પ્રત્યે બીજાના અણગમાકારક વર્તનને પસંદ કરે. એ જ બીજા પાસેથી પિતાના તરફના સદ્વર્તનની આશા બીજા પ્રત્યે પોતાના સદ્વર્તનને ઘટે છે. એ ઘડતર વિધી ધક્કાઓથી મોડે મોડે જન્મે કે સમજપૂર્વક જલદી જન્મે એ નોખી વાત, પણ આખી માનવજાત આ ઘડતર તરફ જ ઢળી રહી છે અને માનવજાતિમાં થયેલા તેમ જ થતા મહાન પુરુષો પિતાની જીવનચર્યાથી આખી માનવજાતને એ જ રીતે ઘડવા મથ્યા છે ને મથી રહ્યા છે. તેથી જ એ ઘડતર ધર્મના બીજા ઉપસિદ્ધાને મૂળ સિદ્ધાન્ત બની રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org