________________
અધિકાર ચેષ્ટા [ ૨૧ ]
પ્રાચીન ભારતીય કથાસાહિત્ય મેં સાંભળ્યું છે, પણ તે ઇચ્ચું' તેટલી એકાગ્રતાથી અને વ્યાપક રીતે નથી સાંભળ્યુ. તે વખતે વિષયાન્તર વ્યાસંગને લીધે મનમાં એમ થતું કે મારે આ વિશે કયાં લખવું છે ? જ્યારે લખવું હરશે ત્યારે સાંગાપાંગ વાંચીશું અને વિચારીશું. પણ એ અવસર આવ્યા જ નહિ, અને ધારેલું રહી ગયું. નવયુગીન વાર્તાસાહિત્ય વિશે પણ એમ જ બન્યુ છે. નૉવેલ, ઉપન્યાસ, કાદંબરી ને ગર્લ્સ જેવાં નામેાથી પ્રસિદ્ધ થતુ કથાવાડ્મય મેં સાભળ્યું જ નથી, એમ કહું તો જરાય અત્યુક્તિ નથી. વિદેશી ભાષામાં પ્રસિદ્ધ થતી ઉત્તમાત્તમ વાર્તા વિશે પણ એમ જ બન્યું છે. તેથી હું પોતે જ વાર્તા વિશે કાંઈ પણ લખવાનો મારો અધિકાર સમજું છુ. તેમ છતાં હું કાંઈક લખવા પ્રેરાયા છું તે–અનધિકાર ચેષ્ટા-તા ખુલાસા અંતમાં થઈ જશે.
મનુષ્યજાતિનાં વ્યાવર્તક કે વિશિષ્ટ લક્ષણા અનેક છે. તેમાંથી એક સરળ અને ધ્યાન ખેંચે એવું લક્ષણ તે તેને કથા-વાર્તાને વારસા છે. નાનામેટા માનવસમાજની વાતો દૂર રહી, પણ એક કથાંક ખૂણે અટૂલું પડેલ કુટુંબ લઈ તે વિશે વિચાર કરીએ તેાય જણાઈ આવશે કે કુટુંબનાં આળકા અને વડીલેા વચ્ચેનું અનુસ ંધાનકારી તત્ત્વ એ વાર્તા છે. માતા કે દાદી, બાપ કે દાદો નાનાંમેટાં પેાતાનાં બાળકાને વાત ન કહે, તેમનુ મન નવાનવા વિષયામાં ન કેળવે, તો એ બાળકો ભાષાવિનાના અને વિચાર વિનાના પશુ જ રહે. વડીલોને પાતે જાણેલી વાતો કે હકીકતા કહ્યા વિના ચેન નથી પડતું, અને ઊછરતાં બાળકને એ સાંભળ્યા વિના એચેતી રહે છે.
આ પરસ્પરને આકર્ષનાર અને જોડનાર જિજ્ઞાસા-તત્ત્વને લીધે જ માનવજાતિએ જ્ઞાનવારસા મેળવ્યા અને કેળવ્યા છે. ઈશ્વરની વ્યાપકતા સમજવા માટે પ્રખળ શ્રદ્ધા જોઈ એ; કથા કે વાર્તાની વ્યાપકતા સ્વયંસિદ્ધ છે.
જ્ઞાનની શાખાઓ અપરિમિત છે. એના વિષયેા પણ તેટલા જ છે. જ્ઞાનવિનિમયનાં સાધને પણ કાંઈ ઓછાં નથી. અને તે નવાં નવાં શાધાતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org