________________
૮રર ]
દર્શન અને ચિંતન નિપજાવવા જ જોઈએ. હું સમજું છું કે નાનાભાઈએ એવી નાની પણ દીપમાળા પ્રકટાવી છે.
નાનાભાઈ નામમાં નાના છે; આત્મા જુદે જ છે. તેથી જ દક્ષિણમૂર્તિના મુદ્રાલેખમાંનું આ પાદ તેમને લાગુ પાડવામાં યથાર્થતા જોઉં છું : વૃદ્ધાઃ શિડ્યાઃ મુક્ષ્યવા” નાનાભાઈ સિત્તેર વટાવ્યા પછી પણ યૌવન ન અનુભવતા હતા તે કદી તેઓ લેકભારતી ગ્રામવિદ્યાપીઠ સ્થાપવા અને ચલાવવાનો વિચાર જ કરી ન શકત.
આ દેશમાં અનેક મઠ અને આશ્રમ શતાબ્દીઓ થયાં પેઢી દર પેઢી ચાલ્યા આવે છે. જ્યારે પ્રજાને કેળવણીથી પિપવા ઊભી થયેલી સંસ્થાઓ થોડા જ વખતમાં કાં તે વેરવિખેર થઈ જાય છે અને કાં તે નિષ્ણાણ બની રહે છે. એનું શું કારણ? એ પણ વિચારવું ઘટે. મને એમ લાગે છે કે શિક્ષણ અને કેળવણીની સંસ્થાઓને જન્મ આપનાર તેમ જ તેને પિષનાર, પિતાની પાછળ સુયોગ્ય શિષ્ય પરંપરા ઊભી નથી કરી શકતે, અને આવી સંસ્થાના સાતત્ય તેમ જ વિકાસ માટે અનિવાર્ય રીતે જરૂરી એવી ચારિત્રશુદ્ધિની નિષ્ઠા કેળવી નથી શકતો; તેમ જ નવાં નવાં આવશ્યક બળોને ઝીલવા જેવી આવશ્યક પ્રજ્ઞાનાં બીજ ઉગાડી નથી શકતો. જે આ વિચાર સાચે હેય તે કેળવણીકારેએ સંસ્થા સ્થાપવા અને ચલાવવા સાથે આ મુદ્દા તરફ પણ ધ્યાન આપવું ઘટે.
નવાં બળોને વિવેકપૂર્વક ઝીલવા સાથે નાનાભાઈએ કેટલીક સુંદરતર પ્રાચીન પ્રથા પણ સાચવી રાખેલ મેં અનુભવી છે. એનું એક ઉદાહરણ આતિથ્યધર્મ. પચીસથી વધારે વર્ષ થયાં હશે. ભાવનગરમાં છાત્રાલય સંમેલન હતું. તેની બધી વ્યવસ્થા, જે છાત્ર-સંચાલિત હતી, તે તો સુંદર હતી જ, પણ અમે કેટલાય મિત્રો રવાના થયા ત્યારે નાનાભાઈ દરેક માટે ટ્રેન ઉપર ભાતું લઈ વળાવવા આવ્યા. એમ તો મેં મારા કુટુંબ, ગામ અને સગાંઓમાં ભાતાની પ્રથા જોયેલી, પણ જ્યારે એક સંસ્થાના સંચાલક અને તેમાંય મેવડી ભાતું લઈ મહેમાનને વિદાય કરવા આવે ત્યારે નવાઈ જરૂર લાગે. અમે બધાએ કહ્યું, “અહીં આતિથ્ય ઓછું થયું છે કે વધારામાં ભાતું ?' નાનાભાઈ કહે, “ના, રસ્તામાં ખાવું હોય તે ઘરની વસ્તુ શાને ન વાપરીએ ? અને આ પ્રથા મને સારી પણ લાગે છે.” ઈત્યાદિ. હું તે આ સાંભળી વિચારમાં પડી ગયું. બીજો પ્રસંગ : ગુજરાત વિદ્યાપીઠમાં સંમેલન હતું. કુળનાયકપદે નાનાભાઈ અને કુળપતિપદે બાપુજી. સંમેલન વખતે રડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org