________________
૮૧૦ ]
દર્શન અને ચિંતન પકની અદાથી તેમ જ સ્વસ્થતાની ખુમારીથી થયું હોય તેમ લાગે છે. વ્યાપાર અને સટ્ટાવૃત્તિની વચ્ચે શું સામ્ય-વૈષમ્ય છે, બન્નેમાં કયાં તત્વોનું મિશ્રણ છે, બન્નેની સીમાઓ ક્યાં જુદી પડે છે, અને છેવટે સટ્ટાની વ્યાખ્યા શી, વગેરે વિશે આટલું સુરેખ નિરૂપણ વ્યાપારક્ષેત્ર બહારના કેઈ પણ વિદ્વાન સુધ્ધાને હાથે થવું શક્ય નથી. એ નિરૂપણમાં વ્યાપારી વર્તુલને જાગતે અનુભવ માનસિક ઉત્થાન-પતનનું નિરીક્ષણ સ્પષ્ટ તરી આવે છે. સટ્ટાવૃત્તિને રાજ્યના ટેકા ઉપરાંત ધર્મગુરુઓને અને ત્યાગીવર્ગને કે ટકે છે, શ્રમ વિના થોડા જ વખતમાં ધનિક થઈ જવાની લાલસાને લીધે એ વૃત્તિએ શહેર અને ગામડાને કેવી રીતે એકસરખાં પ્રસ્યાં છે, અને વડીલેની સટ્ટાવૃત્તિ સંતતિ ઉપર કેવી કેવી અસર નિપજાવે છે, એ બધું જાતે અનુભવાતું લેખમાં એવી સુસંગત રીતે અંકિત થયું છે કે તે વાચકના મનને વશ કરી લે છે.
બીજે લેખ વર્ણસંકર વિશેનો છે. સામાન્યમાંથી વિશેષમાં અને વિશેષમાંથી સામાન્યમાં જવું એ કુશળ લેખકની કળા છે. વર્ણસંકરના સામાન્ય તત્ત્વમાંથી અહીં લેખક વિશેષમાં ઊતરે છે, અને વિશેષ એટલે જે પિતાને અને પિતાના સમાજને અતિપરિચિત છે તે. તેથી લેખકે વૈશ્ય અને જૈનત્વ એ બને છેડાનું ખરું સ્વરૂપ રજૂ કર્યું છે. વૈશ્યત્વ એ કુળ, સંસ્કાર અને જીવનની ધૂળ બાજુ છે; જૈનત્વ એ સમજણ અને પુરુષાર્થની સૂક્ષ્મ અંતર બાજુ છે. એ બન્નેનો ચિતાર લેખકે પિતાને સુપરિચિત એવી સરખામણની પદ્ધતિએ કરાવ્યો છે, અને એ બન્ને સામસામા છેડાનું હાનિકારક સાંકર્ય લાભમાં કેમ પરિણમે એ દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે.
ચર્ચાવિ અટું સેવકૂઃ કંચન અને ઓલિવર નિમિત્તે લખાયેલ આ લેખ સમાજ, ધર્મ, કેળવણી અને માનસશાસ્ત્ર જેવાં અનેક તને સ્પર્શ છે. એની શૈલી એક ખળખળ વહેતા ઝરાની પેઠે સરેરાટ ચાલી જાય છે. લેકમર્યાદાનું અનુસરણ અને સત્યનું અનુસરણ એ છે ક્યાં સુધી સાથે ચાલી શકે અને ક્યાંથી જુદા પડે, તેમ જ એકમેક સામે વિરુદ્ધ બની મેર ઊભો કરે તે પ્રશ્ન માત્ર સામાજિક નથી; ધાર્મિક, આર્થિક અને આધ્યાત્મિક પણ છે. પણ આવી અથડામણમાંથી જ સત્યલક્ષી માનસ ફૂટી નીકળે છે ને સમાજ કાયાપલટ કરે છે. આ વસ્તુ પ્રસ્તુત લેખ ગ્ય રીતે દર્શાવી આપે છે. એ ભવભૂતિના વાક્ય
व्यतिषजति पदार्थानान्तरः कोऽपि हेतुः । न खलु बहि रुपाधीन्प्रीतयः संश्रयन्ते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org