________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨)
કલશામૃત ભાગ-૩ સ્વકાળ અને તે જ અવસ્થાન્તર- ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે.” શું કહે છે? અવસ્થા શબ્દ અહીંયા પર્યાય ન લેવી. દ્રવ્યની મૂળની અભેદ અવસ્થા એટલે ત્રિકાળરૂપ જે કાળ છે તેનું નામ અહીં સ્વકાળ કહેવામાં આવે છે. બહારમાં તો એક સમયની પર્યાયને સ્વકાળ કહે છે. અને પરની પર્યાયને પરકાળ કહે છે. અહીંયા તો અંદરમાં હવે ભેદ પાડે છે. (તે પરકાળ છે).
જે ત્રિકાળી ચીજ છે તે સ્વકાળ છે. “અવસ્થા” શબ્દ અહીંયા પર્યાય ન લેવી.. પરંતુ અવ. સ્થ એમ લેવું. દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા ત્રિકાળી તે સ્વકાળ, અને તે જ અવસ્થાન્તર ભેદરૂપ અર્થાત્ તેમાં પર્યાયનું લક્ષ કરવું તે પરકાળ છે. ત્રિકાળી દ્રવ્યનું લક્ષ છોડીને અવસ્થાન્તર. અવસ્થાનું (પર્યાયનું) લક્ષ કરવું તે પરકાળ છે. સમજાય છે? ભાષા તો સાદી છે બાપુ! ભાષા કાંઈ એવી કઠિન નથી.
આહાહા ! ભગવાન તું અંદર કેવો છે તેની વાત ચાલે છે. અને સમ્યગ્દર્શનનો વિષય શું છે તે વાત ચાલે છે. અનુભૂતિ એટલે સમ્યગ્દર્શન તેનો વિષય શું છે? તો કહે
છે- જે એકરૂપ દ્રવ્ય છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. આ દ્રવ્ય છે, આ અભેદ છે તેવો વિકલ્પ તે પરદ્રવ્ય છે. વિકલ્પ છે તે વ્યવહારનયનો વિષય અભૂતાર્થ છે.
અસંખ્ય પ્રદેશી ભગવાન છે તે એકરૂપ નિર્વિકલ્પ છે તેને સ્વક્ષેત્ર કહે છે. હવે આવા સ્વક્ષેત્રમાં ભેદથી વિચાર કરવો કે આ પ્રદેશ છે ને. આ પ્રદેશ છે એવો જે ભેદ કરવો તે પરક્ષેત્ર છે. આ પરક્ષેત્ર પણ સમ્યગ્દર્શનનો વિષય નથી.
હવે ત્રીજી વાતઃ ત્રિકાળી જ્ઞાયકભાવ છે તે એક સમયમાં ધ્રુવ છે એ સ્વકાળ છે અને આ અવસ્થા તે ત્રિકાળ વસ્તુમાં અવસ્થાન્તર એટલે પર્યાય ઉપર લક્ષ જવું તે પરકાળ છે. આહાહાહા ! પછી છેલ્લે તો તે ચારે ભેદને લક્ષમાં છોડી એકરૂપ લેવાનું છે. સમજમાં આવ્યું?
અવસ્થાન્તર એટલે ભેદરૂપ કલ્પના. એક સમયની પર્યાય છે તેવી કલ્પના ઊઠાવવી તે પરકાળ છે. જ્યારે ત્રિકાળ વસ્તુને અહીં સ્વકાળ કહેવામાં આવે છે.
- હવે પરભાવ.“દ્રવ્યની સહુજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ કલ્પના, તેને પરભાવ કહેવાય છે.” જે સહજ શક્તિનો પિંડ છે તે સ્વભાવ છે. અનંત શક્તિનો સહજ પિંડ તે સ્વભાવ છે, અને પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદ કલ્પના તે પરભાવ છે. અનંત શક્તિમાંથી એક શક્તિનો ભેદરૂપ વિચાર કરવો તે પરભાવ છે. પરભાવના કેટલા પ્રકાર? પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને આ પરભાવ. દયા–દાન, વ્રત-ભક્તિના ભાવ તો પરભાવ છે જ પરંતુ અહીંયા તો અનંત શક્તિરૂપ એકરૂપ પિંડ વસ્તુ તેમાં એક શક્તિને ભિન્ન પાડીને વિચાર કરવો તે પરભાવ છે આહાહા ! આવો વારસો ભગવાન મૂકીને ગયા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com