________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૦
૧૯
થાય છે તે કહે છે. પોતાનું સ્વદ્રવ્ય શુદ્ધ નિર્વિકલ્પ ચીજ.. જેને અહીંયા “ શુદ્ધ સ્વરૂપ વિચારતાં ” એમ કહ્યું. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તે તો શુદ્ધ સ્વરૂપ છે જ. તેમાં ભેદ ક૨વો કે- આ ત્રિકાળી છે, ગુણનો ભેદ કરી વિકલ્પ કરવો તે પણ ૫૨દ્રવ્ય છે.
૫૨દ્રવ્ય અર્થાત્ સવિકલ્પ ભેદ કલ્પના તે ૫૨દ્રવ્ય છે. દેવ-ગુરુ-શાસ્ત્ર, સ્ત્રી, કુટુંબ પરિવાર આદિ તે તો ૫૨દ્રવ્ય છે જ. જે ભક્તિનો રાગભાવ છે તે તો ૫૨દ્રવ્ય છે જ, પરંતુ એકરૂપ ચીજમાં– દ્રવ્ય સ્વભાવમાં ભેદ વિચા૨વો તે ૫૨દ્રવ્ય છે. જ્ઞાયક એકરૂપ છે તેમાં આ દ્રવ્ય છે અને આ ગુણ છે એવો ભેદ વિકલ્પ કરવો તેનું નામ ૫૨દ્રવ્ય છે. સમજમાં આવ્યું ?
અહીંયા તો ( આ કળશમાં ) આપણે “ શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતાં ” તેમ આવ્યું. તેમાં આટલું સૂક્ષ્મ ભરેલું છે. આ દ્રવ્યને જાણવાના ખુલાસા છે.
આહાહા ! ૫૨દ્રવ્યનું ક્ષેત્ર તો ભિન્ન છે જ. પરંતુ અહીંયા ૫૨ક્ષેત્ર કોને કહે છે? વસ્તુના આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ કલ્પનાથી ૫૨પ્રદેશ બુદ્ધિગોચરૂપે કહેવાય છે. ” આ અસંખ્ય પ્રદેશ છે એવો વિકલ્પ ઊઠાવવો તે ૫ણ ૫ક્ષેત્ર છે. સમજમાં આવ્યું ?
66
આહાહા ! એકલા પોતાના સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અસ્તિ અને ૫દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની નાસ્તિ તે વાત તો સ્થૂળ થઈ. હવે અહીંયા જે પોતાનું દ્રવ્ય અખંડ અભેદ શુદ્ધ સ્વરૂપ છે તે સ્વદ્રવ્ય છે. હવે તેમાં આ આત્મા અને આ ગુણ, આ પર્યાય એવો ભેદ ઉઠાવવો તે ૫૨દ્રવ્ય છે.
અસંખ્ય પ્રદેશી એકરૂપ સ્વક્ષેત્ર છે જે એકરૂપ સ્વક્ષેત્ર છે જે એકરૂપ નિર્વિકલ્પ છે. તેમાં વિચાર કરવો કે- આ અસંખ્ય પ્રદેશ છે, તેનો આ પ્રદેશ છે... તેનો આ પ્રદેશ છે, તેમાં ને તેમાં આવો ભેદ ઊઠાવવો તે ૫૨ક્ષેત્ર છે. તમારે ત્યાં આવું કદીય સાંભળ્યું ય નથી. તેઓ કબુલ કરે છે. હજુ તો એમ માને છે કે- દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિથી સમકિત મળી જશે ! જ્યારે અહીંયા તો કહે છે- જે એકરૂપ દ્રવ્ય છે તેમાં ભેદરૂપ કલ્પના કરવી, એવું વિચારવું તેનાથી પણ સમકિત પ્રાપ્ત થતું નથી.
પ્રશ્ન:- તેવા વિકલ્પથી શું પ્રાપ્ત થશે ?
ઉત્ત૨:- આવો વિકલ્પ ઊઠે છે અને તેનાથી લાભ માને છે તો મિથ્યાભાવ થાય છે. પ્રભુનો માર્ગ આવો છે.
સમયસાર ૧૧ ગાથામાં આવ્યું ને કે- ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. તો ભૂતાર્થ એટલે ત્રિકાળી એકરૂપ શુદ્ધ સ્વરૂપ. જેમાં દ્રવ્યનો ભેદ નહીં, ક્ષેત્રનો ભેદ નહીં અને ત્રિકાળી વસ્તુમાં (કાળનો ભેદ નહીં ).
હવે ૫૨કાળની વ્યાખ્યા. સ્વકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે
(
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com