Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/007127/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ भगास Page #2 -------------------------------------------------------------------------- ________________ [FUNDSOO..PO.SO. 2 / DOWOOD MOVIE બોધિ-સમાધિ-વિધાન પરમકૃપાળુ શ્રીમદ્ સદ્ગુરુદેવને નમોનમ: OM/SOOOOOOOOOOOOOOOOOOP://WW//BI સમાધિ-સાધના NAWAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA સંપાદક-વિવેચક શ્રી રાવજીભાઈ છગનભાઈ દેસાઈ (WCOMMONSOO.CO.TALO.M શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ •અછાક્ષ• ZYYYYYYYYYYYYYYYYYYY Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : મનુભાઈ ભ. મોદી, પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. અગાસ, વાયા આણંદ પિોસ્ટ બેરિયા-૩૮૮ ૧૩૦ (ગુજરાત) પંચમાવૃત્તિ વિક્રમ સંવત્ ૨૦૪૭ પ્રત ૩,૦૦૦ મુદ્રક : માધવલાલ બી. ચૌધરી રાજીવ પ્રિન્ટર્સ C-1/308 GID C. વિઠ્ઠલ ઉદ્યોગનગર-૩૮૮ ૧૨૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિની પ્રસ્તાવના “પરમ સુખસ્વરૂપ પરમેષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષોને નમસ્કાર.” "देहाभिमाने गलिते विज्ञातें परमात्मनि । यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ॥ –દદશ્યવિવેક “હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુખી એ વગેરે પ્રકારથી રહેલું અભિમાન, તે જેનું ગલિત થયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણે છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે તે અનુભવ જ્ઞાને જોતાં પરમ સત્ય છે. જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તે આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જે કંઈ પણ આ સંસારના પદાર્થોને વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મેહબુદ્ધિ રહે છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. Page #5 -------------------------------------------------------------------------- ________________ એક વાર જે સમાધિમરણ થયું તે સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે. જીવતાં મરાય તે ફરી ન કરવું પડે. એવું મરણ ઈચ્છવા ગ્ય છે. તેને તું બેધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય.” –શ્રીમદ્ રાજચંદ્ર मनोलयानास्ति परो हि योगो । ज्ञानं तु तत्त्वार्थविचारणाश्च । समाधिसौख्यान्न परं च सौख्यं, સંસારસા તહેવ –હદયપ્રદીપ વિષયમાં જતા મનને રોકીને પરમાત્મસ્વરૂપમાં લીન કરવું, આત્મનિમગ્ન કરવું, એનાથી અધિક બીજો કોઈ વેગ નથી. તત્વાર્થવિચારણાથી અધિક બીજું જ્ઞાન નથી, અને સમાધિસુખથી અધિક બીજું કેઈ સર્વશ્રેષ્ઠ સુખ નથી. આ ત્રણ જ સંસારમાં સારરૂપ સર્વોત્તમ છે. | માટે સમાધિસુખ એ જ સર્વોપરી અદ્વિતીય સુખ છે અને તેથી જ સર્વ જ્ઞાનીઓને સમાધિ પ્રાપ્ત કરવાને જ ઉપદેશ છે. શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રીજી) સમીપ સભામાં એક વાર મુનિશ્રી મેહનલાલજીએ પ્રશ્ન કર્યો. “મુનિશ્રી મેહનલાલજી–પ્રભુ, મરણ વખતે કઈ જીવને ખબર પડે કે કોઈને ન પણ પડે પણ તે વખતે શું અવશ્ય કરીને કરી લેવું ઘટે છે? શી વાતમાં ઉપયોગ જેડ જોઈએ? શું લક્ષ રાખવું જોઈએ? Page #6 -------------------------------------------------------------------------- ________________ [2) ep જી શ્રીમદ્દ લઘુરાજસ્વામી જન્મ વિ. સં. ૧૯૧૦ દેહોત્સર્ગ વિ. સં. ૧૯૯૨ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) પ્રભુશ્રી–પ્રશ્ન બહુ સારે કર્યો છે.... એક વાત છે. રાક્ષસવિદ્યા સાધીને એક વિદ્યારે એક બેટનું આખું ગામ ઉજજડ કરી નાખ્યું. ત્યાં ત્રણ વણિક પુત્રો વહાણ લઈ આવી ચઢ્યા, તેમને એક અંદર શહેરમાં ગયે. પણ કઈ જણાયું નહીં. માત્ર એક રાજકુંવરી હતી. તેની મારફતે તેણે બધી વિગત જાણું. ત્યાં એક તરવાર હતી, તે તેણે લીધી અને જ્યારે રાક્ષસ વિદ્યાધર આવ્યો ત્યારે તરવારથી તેને મારી નાખે. મરતાં મરતાં તે નવકાર મંત્ર છે. તેથી તે શ્રાવકપુત્રને પસ્તા થયે કે મેં મારા ધર્મબંધુને જ ઘાત કર્યો. તેણે તેની પાસે ક્ષમા માગી. તેણે કહ્યું કે કેને વશ થઈને મેં આ બધું નગર ઉજાડી મૂક્યું છે. પણ હું શ્રાવક છું. કેધનાં ફળ માઠાં છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે તે ખરું છે. કહેવાની મતલબ એ હતી કે આવાં પાપકર્મ કરનારને પણ છેવટે મરતાં મરતાં જે શ્રદ્ધા હતી તે પ્રમાણે સ્મરણ કરવાનું સૂઝયું. તે પહેલેથી પુરુષાર્થ કરી મૂક્યો હશે તે છેવટે કામમાં લાગશે. ક્ષણે ક્ષણે જીવ મરી રહ્યો છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહે ! રાચી રહે?” ભગવાને કહ્યું છે કે સનઈ જોયમ મા વાણ, તે ક્ષણે ક્ષણે મૃત્યુને સંભારવા ગ્ય છે. જે આમ મરણની તૈયારી કરી હશે તો કામ લાગશે, આખરે આવીને હાજર થશે. “જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.” આત્મજ્ઞાન શાથી થાય? આત્મજ્ઞાનીના પરિચયથી. સત્સંગ સદુધની કચાશ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) પરિણામ, ભાવ એ આપણી પાસે મૂડી છે. તે શુદ્ધતા પામે તેવાં નિમિત્તે સત્સંગ, સધ આરાધવાં. મરણની વેદની પ્રસંગે બે સાંભરી આવે તે કામ થઈ જાય. સત્સંગ અને બોધ એ મોટી વાત છે. તેની ઈચ્છા રાખવી. તેથી સમજણ આવે છે. સાચી પકડ થાય છે. સમભાવથી મેક્ષ થાય છે. સત્સંગ, બોધથી સમભાવ આવે છે. વાત સમજણમાં છે. સમજ આવે અને ધ્યાનમાં લેવાય ત્યારે આત્માની વાત સમજાશે. આત્મા પ્રત્યક્ષ કરે છે. જ્ઞાનીને પ્રત્યક્ષ છે. ભાવથી કલ્યાણ થવાનું છે. ભાવ મોટી વાત છે. આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” આત્મા તે જ ગુરુ છે. નિશ્ચય ગુરુ પિતાને આત્મા છે, એના સામે દ્રષ્ટિ નથી આવી, ભાવ નથી આવ્યો. આવે તે કામ થઈ જાય. માટે સમાગમ, સત્સંગ, બોધ- એ મેળવવાની કામના રાખવી. એની ભાવના રાખવી. એક આડું આવે છે શું? તે કે પ્રમાદ, નિમિત્ત નથી બનાવતે તે. અહીં આ નિમિત્ત જેડ્યું તે આ વાત થાય. એક આત્માને સંભારી આપે. એની કાળજી લેવી જોઈએ. સૌથી શ્રેષ્ઠ બેઘ છે. સાંભળ સાંભળ કરે તે સંગ એવે રંગ લાગશે જ.. કેઈ કહેશે રેજ આની આ વાત કરે છે. હા, તેમજ છે. અમારે સની પકડ કરાવવી છે. ચેટ કરાવવી છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) અનાદિને અભ્યાસ છે તેથી વિસ્મૃત થઈ જાય, પણ સમજ બીજી હેય તે કામ થઈ જાય. મુમુક્ષુ–તેવી સમજની સ્મૃતિ રહેતી નથી. પ્રભુશ્રી–બથ જોઈશે. બેધ હશે તે હથિયાર મૂઠીથી પકડાય તેવું થશે. નહીં તે હાથ કપાઈ જાય. સંવરથી આસ્રવ રેકાય છે. સંવર તે આત્મા. આત્મા સત, જગત મિથ્યા. આત્માની યથાર્થ વાત થતી હોય ત્યાં ગમે તે ભેગે જવું. કેડી માટે રતન ન ગુમાવ. આ જીવને સત્સંગ અને બેધની જરૂર છે. આત્માની વાત બીજે સાંભળવા નહીં મળે. તે સાંભળવાથી મન બીજે ભટકતું અટકી જાય છે. પાપ સંક્રમણ થઈ પુણ્ય થાય છે. તે બધાનું કારણ ભાવ ફરે છે તે છે. મન બીજે ભટકતું અટકી જાય છે એટલે હજારે ભવ અટકી જાય છે.” –શ્રીમદ્દ લઘુરાજસ્વામી ઉપદેશામૃત આમ જ્ઞાની પુરુષને જે બેધ સમાધિ સાધવા માટે અત્યંત ઉપયોગી થાય તે છે તેનું શ્રવણ, મનન, પરિશીલન આજથી જ વધારી દેવું જોઈએ. આજે જ મરી ગયા છીએ એમ મરણને જ સંભારી, જ્ઞાનીને આત્મજાગૃતિપ્રદ બેથી પિતાના સહજ આત્મસ્વરૂપની ઓળખાણ કરી, નિશ્ચય કરી, અડાલ શ્રદ્ધા કરી, જ્ઞાનીએ જાણ્યું એવું એક નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપ તે જ પિતાનું અજરામર શાશ્વત આનંદધામ છે, તેમાં જ પ્રીતિ, પ્રતીતિ, રુચિ, રમણતા, તેની જ સતત ભાવનાના અભ્યાસથી પિતાના આત્માને નિર્ભય બનાવી, મૃત્યુ મહત્સવરૂપ થાય એ અભ્યાસ સતત રાખવો જોઈએ. Page #11 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) આ હેતુથી આ ગ્રંથની પેજના કરવામાં આવી છે. સમાધિમરણની સાધનામાં સહાયક થાય એવા મહાપુરુષના અમૃતતુલ્ય અમૂલ્ય સદુધમાંથી અલ્પમાત્ર આ ગ્રંથમાં સંક્ષેપથી સંકલિત કરવામાં આવ્યો છે. સમાધિ મરણ માટે ભગવતી આરાધના” જેવા અમૂલ્ય મહાન ગ્રંથે તેમ જ બાર ભાવના માટે સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, બૃહદ્ દ્રવ્ય સંગ્રહ, જ્ઞાનાર્ણવ, આદિ અનેક સ્થળે વિસ્તૃત ઉપદેશ વિસ્તારરુચિ જીને માટે વિદ્યમાન હોવા છતાં, આવા કાળમાં ટૂંકામાં જીવને સમાધિ સાધવામાં ઉપયોગી થાય એવા હેતુથી આ લઘુગ્રંથનું પ્રયોજન છે. આ ગ્રંથમાં શરૂઆતમાં સમાધિભાવમાં ચિત્ત પ્રવેશ પામે તે માટે પ્રાસ્તાવિક મંગળ આપવામાં આવ્યું છે. પછી પ્રથમ ખંડમાં સમાધિમરણની જિજ્ઞાસા, ભાવના અને તે માટે પુરુષાર્થ જાગે તે મરણ મહોત્સવરૂપ થઈ પડે એવું અહેભાગ્ય પ્રાપ્ત થાય એ માટે પૂર્વાચાર્ય રચિત “મૃત્યુ મહત્સવ” સંક્ષેપ અર્થ વિવેચન સહિત આપવામાં આવ્યો છે. ત્યાર પછી બીજા ખંડમાં સમાધિ માટે શિક્ષારૂપ ઉત્તમ સદુધ અને જાગૃતિદાયક કેટલાક અમૂલ્ય પત્રરૂપ રત્ન “શ્રીમદ્ રાજચંદ્રમાંથી આપવામાં આવ્યા છે. ત્રીજા ખંડમાં શ્રીમદ્ લઘુરાજ સ્વામી ઉપદેશામૃતમાંથી, તેમ જ “ધર્મામૃત' માંથી સમાધિ માટે સહાયક એ ઉત્તમ ઉપદેશ આપવામાં આવ્યો છે. ચેથા ખંડમાં “તત્વામૃતને આસ્વાદ' એ શીર્ષક Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) નીચે, શ્રીમદ્ હેમચંદ્રાચાર્યકૃત યેગશાસ્ત્રના દ્વાદશ પ્રકાશમાં આચાર્યશ્રીને સ્વાનુભવ છે, તેમાંથી ઉપગી એવો બેધ આપે છે. ત્યાર પછી શ્રી પદ્મનંદિ પચવિંશતિમાંથી પદ્યાનુવાદ આપે છે. પાંચમા ખંડમાં સમાધિભાવની જાગૃતિમાં સહાયક એવી બાર ભાવનાઓ “શ્રીમદ્ રાજચંદ્ર, “શ્રી જ્ઞાનાર્ણવ, “શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા, આદિમાંથી ટૂંકાવીને, અત્યંત સંક્ષેપમાં આપી છે. અંતે બાર ભાવનાનું એક પદ્ય મૂકયું છે. છઠ્ઠા ખંડમાં “સમાધિ-ભાવના,' એ શીર્ષક નીચે “શ્રી જ્ઞાનાર્ણવ, “સમાધિશતક “પ્રવચનસાર, “તત્ત્વાનુશાસન તથા તત્વજ્ઞાનતરંગિણી' માંથી ટૂંકમાં સમાધિભાવનામાં સહાયક એ પ્રસંગેચિત સાથે આપવામાં આવ્યું છે. અંતે સહજ સ્વરૂપ ભાવનાનું કાવ્ય આપ્યું છે. સાતમા ખંડમાં ‘અંતિમ આયણએ શીર્ષક નીચે અંત સમયને યેગ્ય ખમત ખામણું અને આત્મજાગૃતિ માટે સંથારાપરિસી આદિમાંથી જાગૃતિપ્રેરક ઉત્તમ ગાથાઓ, ક્ષમાપના પાઠ તેમજ “સમયસારમાંથી પ્રસંગચિત બેધ આપવામાં આવ્યું છે. આઠમા છેલા ખંડમાં “અંતિમ સાધના' એ શીર્ષક નીચે અંતિમ સાધનામાં અતિ ઉપયેગી એવાં ઉત્તમ “આત્માનુશાસન, “અધ્યાત્મસાર, “શ્રીમદ્ રાજચંદ્ર' આદિમાંથી અંતર્મુખ અસંગ ઉપગ સાધવામાં પ્રબળ સહાયક એવાં વચને, ગાથાઓ, બેધ તેમ જ કેટલાક જાગૃતિદાયક પદે આપવામાં આવ્યાં છે. પ્રાતે સમાધિ–સાધનામાં અપૂર્વ Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ઉપકારક સંતશિરોમણિ પ. પૂ. પ્રભુશ્રીજીને અંતિમ ભાવઅંજલિ આપવામાં આવી છે. આશા છે કે ગુણજ્ઞ સત્સાધકે હંસની માફક તત્ત્વને ગ્રહણ કરવાની વૃષ્ટિથી આ ગ્રંથને સંપૂર્ણ લાભ લેશે અને સુજ્ઞ વિદ્વજજનેને આમાં કંઈ પણ ન્યૂનાધિક વા ત્રુટિ જણાય તે ક્ષમ્ય ગણી સુધારવા યોગ્ય સૂચના જણાવી ઉપકૃત કરશે, તે બીજી આવૃત્તિમાં યંગ્ય સુધારો કરીને તેને વિશેષ ઉપયેગી બનાવી શકાશે. સાધકવૃન્દ! આ ગ્રંથના સદુપયોગથી સમાધિ સાધવા ભાગ્યશાળી બને અને ત્રિવિધ તાપાગ્નિરૂપ સંસાર દાવાનલથી વિમુક્ત થઈ, શાંત શીતલ અનંત સમાધિમય, શાશ્વત સુખમય, સહજાત્મપદમાં વિરાજમાન થઈ સદાને માટે તેમાં જ નિમગ્ન થાઓ ! તથાસ્તુ. જેના પ્રતાપે અંતરે સહજત્મ શુદ્ધ પ્રકાશ, જેથી અનાદિને મહા મેહાંધકાર ટળી જતે; બેધિ સમાધિ શાંતિ સુખને સિંધુ જેથી ઊછળતે, તે રાજચંદ્ર પ્રશાન્ત કિરણે, ઉર અમ ઉજાળજે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, . સ્ટે અગાસ પેસ્ટ બોરીઆ લિ. સંતસેવક વાયા આણંદ સં. ૨૦૨૦, વૈશાખ શુકલા અષ્ટમી | રાવજીભાઈ છગનભાઈ દેસાઈ - તા. ૧૮-૫-૬૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય ક્ષ્મ શ્રી રત્નરાજ સ્વામી ૧ શ્રીમદ્ રાજચંદ્ર ૨ 2 6 ૧ ૦ ૧ જ છે શ્રી રત્નરાજ સ્વામી પ્રાસ્તાવિક મંગળ મંગળાચરણ જિનેશ્વરની વાણી શ્રી સદગુરુ ભક્તિ રહસ્ય કૈવલ્ય બીજ શું? ક્ષમાપના વીતરાગને કહેલ પ્રણિપાત સ્તુતિ વિનય વિનંતિ શ્રી સદ્દગુરુ ઉપકાર મહિમા શ્રી સદ્ગુરુ સ્તુતિ મૃત્યુ મહોત્સવ સમાધિ-શિક્ષા પત્રાંક ૧ (૮૩૩) અકલેશિત સમાધિ ૨ (૫૯૨) ક્ષણભંગુર દેહ ૩ (૪૬૦) વ્યાધિના ઉદયમાં ૪ (૮૪૩) નિશ્ચય અને આશ્રય ૫ (૪૨૫) હર્ષ-વિષાદ ત્યાગ ૬ (૨૭) વેદનાવિજય ૭ (૬૯૨) જન્મસાર્થકતા ૮ (૯૧૩) મહાત્માઓની શિક્ષા શ્રીમદ્ રાજચંદ્રમાંથી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૪૦ ૪૧ ૪૧ ૪૨ ૪૩ ૪૩ ૪૪ ૪૫ (૧૨) ૯ (૭૨૮) મમત્વનિવૃત્તિ શ્રીમદ્ રાજચંદ્રમાંથી ૩૮ ૧૦ (૦૭૯) અસંગ દશા ૧૧ (૭૮૦) સમદશા ૧૨ (૭૮૧) વીતરાગ દશા ૧૩ (૩૫) અવિષમ ઉપયોગને નમસ્કાર ૧૪ (૮૬૬) સમાધિનું રહસ્ય ૪૧ ૧૫ (૮૫૬) સત્સમાગમની આવશ્યકતા ૧૬ (૮૧૭) દુર્લભ યોગ ૧૭ (૧૦) જ્ઞાનીની દૃષ્ટિ ૧૮ (૮૧૬) અંતર્મુખ થવાનો માર્ગ ૧૯ (૮૩૨) આત્મામાં જ રહે ૨૦ (૫૩૭) સહજ મોક્ષ ૨૧ (૯૦૧) અસંગતાનો અભ્યાસ કરો આત્મરમણતા ભાવના આત્મધ્યાન સ્વાધ્યાય ધ્યાન ૩ સમાધિ ઉપદેશ ૧ સમાધિ ઉપદેશ -૧ શ્રીમદ્ લઘુરાજ સ્વામી ઉપદેશામૃતમાંથી ૨ , -૨ શ્રી ધર્મામૃતમાંથી ૩ સમાધિચાહના શ્રી રાવજીભાઈ દેસાઈ કૃત પદ્ય ૪ “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. શ્રી અધ્યાત્મક ૫દ્રમ તથા ઉપદેશપ્રાસાદમાંથી ૫ તસ્વામૃતને આસ્વાદ ૧ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રમાંથી ૧૦૦ ૨ શ્રીમદ્ કુંદકુંદાચાર્ય કૃત નિયમસારમાંથી ૧૦૨ ૪૭ ૨૩ ૪૯ ૨૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૬ ૭ (૧૩) ૩ શ્રી પદ્મનંદિ પંચવિંશતિમાંથી પદ્યાનુવાદ શ્રી રાવજીભાઈ દેસાઈ કૃત બાર ભાવના ૧ શ્રૌમદ્ રાજચંદ્ર, શ્રી શાનાર્ણવ, શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા, શ્રી શાંતસુધારસ ભાવના આદિ ઉપરથી સંક્ષેપમાં ૨ શ્રી રાવજીભાઈ દેસાઈ કૃત પદ્ય સમાધિ-ભાવના ૧ ભેદજ્ઞાન વડે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ શ્રી જ્ઞાનાર્ણવમાંથી ૨ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે’ સમાધિશતકમાંથી ૩ ભેદવિજ્ઞાન ભાવના (૧) શ્રી પ્રવચનસારમાંથી ૪ (૨) શ્રી તત્ત્વાનુશાસનમાંથી ૫ (૩) શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણીમાંથી "" ૬ સહજ સ્વરૂપ ભાવના શ્રી રાવજીભાઈ દેસાઈ કૃત પદ્ય ૮ અંતિમ આલેાચના 99 ૧ ખમત ખામણા ૨ ક્ષમાપના પાઠ ૩ પ્રશમરસનું પાન ૪ રે "" ૯ અંતિમ સાધના ૪ ૫ સમાધિમરણ સંથારા પેરિસી આદિમાંથી શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી સમયસારમાંથી ૧ યાગીગમ્ય રહસ્ય ૨ સહજાત્મસ્વરૂપમાં જ ત્રિકાળ વાસ ૩ સહજાત્મ દર્શન ભાવના (૨) 99 શ્રી શાંત સુધારસ ભાવના તથા શ્રી અધ્યાત્મકપદ્રુમ આદિમાંથી ૧૦૭ ભરતેશ વૈભવમાંથી ૧૦૯ ૧૩૧ ૧૩૫ ૧૩૭ ૧૪૩ ૧૪૮ ૧૫૨ ૧૭૯ ૧૮૧ ૧૮૬ ૧૮૮ ૧૯૦ ૧૯૬ વિવિધ ગ્રન્થ પ્રસાદી પ્રભુશ્રીની પ્રસાદી અધ્યાત્મસારમાંથી ૨૦૨ ૨૦૧ ૨૦૫ ધર્મામૃતમાંથી ૨૧૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૨૯૧ ૨૯૪ (૧૪) ૬ શ્રી સમયસાર કળશ શ્રી રાવજીભાઈ દેસાઈકૃત (શ્રી અમૃતચંદ્રસૂરિકૃત) પદ્યાનુવાદ ૨૪૧ ૭ અમૂલ્ય તત્ત્વવિચાર શ્રીમદ્ રાજચંદ્ર કૃત કાવ્ય ૨૮૭ ૮ અમને અંત સમય ઉપકારી શ્રી રત્નરાજ કૃત પઘ ૨૮૮ ૯ જડ ને ચૈતન્ય અને શ્રીમદ્ રાજચંદ્ર કૃત કાવ્ય ૨૮૮ ૧૦ અબ હમ અમર ભયે શ્રી આનંદઘનજી ૨૮૯ ૧૧ આપ સ્વભાવમેં રે અબધુ ૧૨ વીરહાક શ્રી બ્ર. ગોવનદાસજી ૨૯૦ ૧૩ અ! શી શાંતરસ ઝરતી! શ્રી રાવજીભાઈ દેસાઈ ૧૪ સિદ્ધિનાં સુખ શાશ્વતાં ૧૫ સદ્ગુરુ દશા ૨૯૬ ૧૬ સમાધિની મૂર્તિ ૧૭ ધન્ય ગરુરાજ બોધિ છે , ૩૦૦ ૧૮ પરમપદ પ્રાપ્તિની ભાવના શ્રીમદ્ રાજચંદ્ર કૃત કાવ્ય ૧૯ ધર્મને મર્મ શ્રી આત્મસિદ્ધિમાંથી ૩૦૫ ૨૦ અહે! અહો ! શ્રી સદગુરુ ! ૩૦૬ ૨૧ ભાવ-અંજલિ શ્રી રાવજીભાઈ દેસાઈ ૨૨ સદ્દગુરુ તારણહાર ” ૩૦૯ ૨૩ જરા ઉરમાં વિચારો , , ૩૧૦ ૨૪ સમાધિસાર શ્રી રાવજીભાઈ દેસાઈ દ્વારા અનુવાદિત પરમાત્મપ્રકાશ તથા યોગસારમાંથી ૩૧૨ ૨૫ અર્પણ છે ! શ્રી રાવજીભાઈ દેસાઈ ૩૧૯ ૨૬ મંગળ કળશ ૩૨૦ ૨૯૮ ૩૦૧ ૩૦૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ સમાધિ – સાધના Page #19 -------------------------------------------------------------------------- ________________ અહે સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત :– અંતે અગી સ્વભાવ પ્રગટ કરી પરમ અવ્યાબાધ સ્વરૂપમાં , સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જયવંત વર્તે, જયવંત વર્તો. –શ્રીમદ્ રાજચંદ્ર Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ વિ. સં. ૧૯૨૪ દેહવિલય વિ. સં. ૧૯૫૭ Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ બાધિ–સમાધિ–નિધાન શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ પરમગુરુ દેવને તમેાનમ: સમાધિ-સાધના પ્રાસ્તાવિક મંગલ મગળાચરણ અહા શ્રી સત્પુરુષકે વચનામૃત જગહિતકરમ્, મુદ્રા અરુ સત્ સમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્ . ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે' નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક સકલ સદ્ગુણુ કોષ હૈ. સ્વસ્વરૂપી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્ પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારમ્ ; અંતે અયેાગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ. સહજામ સહજાનંă આનંઘન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ, ગુરુભક્તિસે લહેા તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તા શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ-પરહિત કારણમ્ , જયવંત શ્રી જિનરાજ વાણી કરું તાસ ઉચ્ચારણમ્ ; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહ્યું, શ્રી રત્નત્રયની એક્યતા લહી સહી સેા નિજ પદ લહે. Page #23 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના જિનેશ્વરની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ન નિક્ષેપે વ્યાખ્યાની છે સકળ જગત હિતકારિણી હારિણું મેહ, તારિણી ભવાબ્ધિ મેક્ષચારિણું પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે, અહે! રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણે તેણે જાણી છે. શ્રી સદગુરુ ભક્તિ રહસ્ય (દોહરા ) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણે વિશ્વાસ ઉઠ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગને, નથી સત્સવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ હું પામર શું કરી શકું? એ નથી વિવેક ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છેક. ૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ ૬. અચળરૂ૫ આસક્તિ નહિ, નહીં વિરહને તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેને પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદેષ કળિથી થયે, નહિ મર્યાદાધર્મ, તેય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયેગ કુરતું નથી, વચન નયન યમ નહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળ૫ણે, અન્ય ધર્મની કાંઈ ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩ કેવળ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહે પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કયાં અનેક પાર ન તેથી પામિ, ઊગે ન અંશ વિવેક. ૧૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય સત્ સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સશુરૂ પાય, દીઠા નહિ નિજ દેષ તે, તરીએ કેણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. ૨૦ રાળજ, ભા. સુ. ૮, ૧૯૪૭ કૈવલ્યબીજ શું ? (ટક છંદ) યમ નિયમ સંજામ આપ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયે મુખ મૌન રહ્યો, વૃઢ આસન પદ્મ લગાય દિયે. ૧ મન પન નિધિ સ્વધ કિયે, હઠગ પ્રયાગ સુ તાર ભયે; જપ ભેદ જપ તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબપે. ૨ સબ શાસ્ત્રનકે નય ઘારિ હિયે. મત મંડન ખંડન ભેદ લિયે; Page #26 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથે હજુ ન પર્યો. ૩ અબ કર્યો ને બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસું ? બિન સગુરુ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? ૪ કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્દગુરુચર્ન સુપ્રેમ બસે. ૫ તનસેં, મન, ધન, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમ ઘને. ૬ વહ સત્ય સુધા દરશાવહિંગ, ચતુરાંગુલ હે ફૂગસેં મિલહે; રસ દેવ નિરંજન કે પિવહી, ગહિ જગ જુજુગ સે જીવહી. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવલકે બીજ ગ્યાનિ કહે, નિજકે અનુભૌ બતલાઈ દિયે. ૮ -શ્રીમદ્ રાજચંદ્ર Page #27 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયે, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વને મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન ! ભૂલ્ય, આથડ્યો, રઝળે અને અનંત સંસારની વિટખનામાં પડ્યો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારે મેક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું અજ્ઞાનથી અંધ થયેલ , મારામાં વિવેકશક્તિ નથી, અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ઘર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી અને કૈલેયપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #28 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખ. જીવના અધિકારીપણુને લીધે તથા પુરુષને વેગ વિને સમજાતું નથી; તે પણ તેને જેવું જીવને સંસારરેગ મટાડવાને બીજું કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિતવન કરવું. આ પરમ તત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહે; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ ફ્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, - વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા!! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. | હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મેહ! હે મહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરે છે ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ ! –શ્રીમદ્ રાજચંદ્ર Page #29 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના પ્રણિપાત સ્તુતિ અહે! અહે! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામરપર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્ , એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પાપે દુખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ; . જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખેને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરુષને મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહે એટલું માગું છું તે સફળ થાઓ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ વિનય વિનતિ પરમ કૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતિ એહક ત્રય તત્તવ ત્રણ રત્ન મુજ, આપ અવિચળ સ્નેહ. ૧ તપદેષ્ટા તુમ તણ, માર્ગ તણે અનુસાર; લક્ષ લક્ષણ રહે સદા, ખરેખર એક તાર. ૨ મિથ્યા તમને ફેડવા, ચંદ્ર સૂર્ય તુમ જ્ઞાન, દર્શનની સુવિશુદ્ધિથી, ભાવ ચરણ મલ હાન ૩ ઈચ્છા વર્તે અંતરે, નિશ્ચય કૃઢ સંકલ્પ મરણ સમાધિ સંપજે, ન રહે કાંઈ કુવિકલ્પ. ૪ કામિલદાયક પદ શરણ, મન સ્થિર કર પ્રભુ ધ્યાન, નામ સ્મરણ ગુરુ રાજનું, પ્રગટ કલ્યાણ–નિદાન. ૫ ભુવન જન–હિતકર સદા, કૃપાળુ કૃપાનિધાન; પાવન કરતા પતિતને, સ્થિર ગુણનું દઈ દાન. ૬ સર્વજ્ઞ સદ્ગુરુ પ્રતિ, ફરી ફરી અરજ એ નેક; લક્ષ રહે પ્રભુ સ્વરૂપમાં, હે રત્નત્રય એક. ૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી સદ્ગુરુ ઉપકાર મહિમા પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ સમાધિ-સાધના જ્ઞાન; અભિમાન. ૧ તે કારણુ ગુરુરાજને, પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ માઝાર. ૨ પંચમ કાળે તું મળ્યા, આત્મરત્ન દાતાર; કારજ સાર્યાં માહેરાં, ભવ્ય જીવ હિતકાર. ૩ અહા ! ઉપકાર તુમારડા, સંભારું દિનરાત; આવે નયણે નીર ખડુ, સાંભળતાં અવદાત. ૪ રાજ રાજ સૌ ક કહે, જે જન જાણે ભેદ તે, અનંતકાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. ૫ વિરલા જાણે ભેદ; તે કરશે ભવ છેદ. ૬ અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણુ રત્ન ભંડાર. ૭ તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યક્ત્યંત; નહિ ખીજાના આશરા, એ ગુહ્ય જાણે સંત. ૮ બાહ્ય ચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ; અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૧ શ્રી સદ્ગુરુ સ્તુતિ સદ્દગુરુ પદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ, તાવૈ સદ્દગુરુ ચરણ, ઉપાસો તજી ગર્વ. સદ્ગુરુચરણે અશરણશરણું, ભ્રમ-આત પહર રવિ શશિકિરણું જ્યવંત યુગલપદ જયકરણું, મમ સદ્ગુરુચરણ સદા શરણું ૧ પદ સકલ કુશલવલ્લી સમ ધ્યાવે, પુષ્કર સંવર્તમેઘ ભાવે; સુરગે સમ પંચામૃત ઝરણું-મમ- ૨ પદ કલ્પકુંભ કામિતદાતા, ચિત્રાવલી ચિંતામણિ ખ્યાતા; પદ સંજીવિની હરે જરમાણું–મમ૦ ૩ પદ મંગલ કમલા આવાસ, હરે દાસનાં આશ પાશ ત્રાસં; ચંદન ચરણે ચિત્તવૃત્તિ ઠરણું-મમ- ૪ દુસ્તર ભવતરણ કાજ સાજ, પદસફરી જહાજ અથવા પાજે; મહી મહીધરવત્ અભરાભરણું–મમ૦ ૫ સંસાર કાંતાર પાર કરવા, પદ સાર્થવાહ સમ ગુણ ગરવા; આશ્રિત શરણપન્ન ઉદ્ધરણું–મમ૦ ૬ શ્રીમદ્ સદ્દગુરુ પદ પુનિત, મુમુક્ષુ જનમન અમિત વિત્ત; ગંગાજલવત્ મનમલહરણું-મમ- ૭ પદકમલ અમલમમદિલકમલ, સંસ્થાપિત રહે અખંડ અચલ; રત્નત્રય હરે સર્વાવરણું-મમ- ૮ અનંત ચાવીશી જિન નમું, સિદ્ધ અનંતા કેડ, જે મુનિવર મુક્ત ગયા, વંદું બે કર જેડ. Page #33 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ મહોત્સવ मृत्युमार्गे प्रवृत्तस्य वीतरागो ददातु मे । समाधिबोधिपाथेयं यावन्मुक्तिपुरी पुरः ॥१॥ હે વીતરાગ પ્રભુ! મૃત્યુના માર્ગે પ્રવર્તેલા એવા મને આત્મપરિણામની સ્થિરતા વા આત્મમગ્નતા કે સ્વરૂપની સાવધાનીરૂપ સમાધિ અને આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મરમણતામય રત્નત્રયની પ્રાપ્તિરૂપ બોધિ કે જે પરલેકના માર્ગમાં સહાયક થાય એવું પાથેય એટલે ભાતું તે આપ કે જેથી હું મુક્તિપુરી પ્રત્યે નિર્વિને પહોંચી જાઉં. અનાદિકાળના પરિભ્રમણમાં મેં અનંતાનંત કુમરણ કર્યા છે. પરંતુ કેઈ કાળે એક વાર પણ સમાધિમરણ કર્યું નથી. એક વાર જે સમાધિમરણ થાય તે અનંતકાળનાં અનંત અસમાધિમરણ ટળે. તેથી જે પૂર્વે એક વાર પણ સમાધિમરણ થયું હોત તે આ જન્મમરણ હોત નહીં. દેહ ત્યાગ કરતી વખતે આત્મદર્શન, આત્મજ્ઞાન અને આત્મસ્થિરતારૂપ જે આત્માને સ્વભાવ છે તે વિષયકષાયાદિ વિભા વડે હણાય નહીં તે સમ્યક્રમરણ કે સમાધિમરણ છે. હે સર્વજ્ઞ વીતરાગ પરમકૃપાળુ સહજાત્મા! આપ જન્મ મરણ રહિત થયા છે; અનંત સમાધિ સુખમાં વિરાજમાન છે. તેથી હું પણ આપનું જ શરણ ગ્રહણ કરી, સમાધિમરણને સાધવા ઉત્સુક થઈ, આપના અમૃતતુલ્ય બોધવચનમાં એકાગ્ર થઈ આ મૃત્યુને મહત્સવ ગણું, આત્મશ્રેય સાધવા Page #34 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના તત્પર થયો છું. તે હે પ્રભુ! મને આપની કૃપાથી હવે વેદના મરણ કે આત્મજ્ઞાન રહિત મરણ ન જ હે; પરંતુ આત્મજાગૃતિ પૂર્વક ઉત્તમ સમાધિમરણની જ પ્રાપ્તિ હે. कृमिजालशताकीणे जर्जरे देहपंजरे । भज्यमाने न भेतव्यं यतस्त्वं ज्ञानविग्रहः ॥२॥ જન્મ જરા મરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે એવા જ્ઞાનમૂર્તિ પરમકૃપાળુ પ્રભુ, સમાધિમરણના ઈચ્છક ભવ્યોને પરમ અવલંબનરૂપ બને, તેવી અમૃત વર્ષો વરસાવે છે, જેનું પાન કરી સાધક અજરામર પદને દેવાવાળી સમાધિને અચૂકપણે સાધી કૃતાર્થ થાય છે. - પરમકૃપાળુ મહાજ્ઞાની ભગવંત પ્રબંધે છે કે હે ભવ્ય! સેંકડો કૃમિજાળથી વ્યાસ એવું જર્જરિત આ દેહરૂપ પાંજરું તે ભાંગી જતાં, વિનાશ પામતાં, તારે જરાય ભય પામવા ગ્ય નથી જ. હે આત્મન, તું તે આ જડ શરીરથી જુદો જ્ઞાનરૂપ શરીરવાળે અવિનાશી એ ચૈતન્ય મૂર્તિ આત્મા છું. જડ પુદ્ગલને જે દેહ તે તું નથી. તે તારે નથી. કેવળજ્ઞાન એ જ તારું શરીર છે. અને તે તે અવિનાશી આનંદમંદિર હેવાથી તારાથી કેવળ ભિન્ન એવા એ જડ દેહના નાશથી તારે જરાય ભય કર્તવ્ય નથી. કારણ તેના નાશથી તારે નાશ કદી થવાને નથી જ, ઊલટું એ દેહાદિ સંગને આત્યંતિક નાશ થવાથી તે તું સિદ્ધ, બુદ્ધ, પરમાત્મપદ પામવા ભાગ્યશાળી થઈશ. “ દેહાદિક સંયોગને, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વતપદે, નિજ અનંત સુખભોગ. ” –શ્રીમદ્ રાજચંદ્ર Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમાધિ સાધના ज्ञानिन् भयं भवेत् कस्मात् प्राप्ते मृत्युमहोत्सवे । स्वरूपस्थः पुरं याति देही देहांतरस्थितिम् ॥ ३॥ હે જ્ઞાની, જ્ઞાનવાન આત્મન, મૃત્યુરૂપ મહાન ઉત્સવ પ્રાપ્ત થયેા તા હવે તેમાં ભય કેમ કરો છે ? કારણ કે દેહી એટલે આત્માસ્વરૂપસ્થ એટલે પોતાના જ્ઞાનદર્શન ચારિત્રરૂપ સ્વભાવમય સ્વરૂપમાં સ્થિર રહીને ખીજા દેહ પ્રત્યે ગમન કરે છે તે તેમાં ભયના હેતુ થા છે? જેમ કોઈ જીર્ણ ગ્રૂ`પડીને તજીને નવીન ભવ્ય મહેલને પામે તે તે સમયને મોટા ઉત્સવરૂપ ગણે છે તેવી રીતે આ આત્મા પોતાના આત્મામાં વૃત્તિની સ્થિતિ કરી જીર્ણ દેહરૂપ ઝૂંપડીને ત્યાગી નવીન દિવ્ય દેહરૂપ મહેલ પ્રાપ્ત કરવા જાય છે તે એક મોટા ઉત્સવ છે. એમાં કોઇ પ્રકારની હાનિ તેા છે જ નહીં. તે પછી ભય શા માટે કરવા ઘટે? જો ભયાદિ વડે પેાતાના જ્ઞાનસ્વભાવને મૂકી પરમાં મમતા કરી મરણ પામશે। તે અધગતિમાં પરિભ્રમણ વૃદ્ધિ કરશે. માટે આ મલિન દેહને ત્યાગી ઉજ્જવળ દેતુને પામવા એ મોટા મહાત્સવનું કારણ ગણી ભય માત્રને ત્યાગ કરો અને મૃત્યુને મહાત્સવ ગણી આત્મશ્રેય સાધા. सुदत्तं प्राप्यते यस्मात् दृश्यते पूर्वसत्तमैः । भुज्यते स्वर्भवं सौख्यं मृत्युभीतिः कुतः सताम् ॥४॥ પૂર્વે થઈ ગયેલા મહા જ્ઞાની પુરુષ એમ દર્શાવે છે કે જો મૃત્યુ દ્વારા દાનાદિ સત્કર્મોનું ફળ મળે છે અને સ્વર્ગનાં સુખા ભાગવાય છે તે સત્પુરુષોને મરણના ભય કેમ હાય ? Page #36 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના પેાતાના કર્તવ્યોનું ફળ તા મરણ થયે જ મળે છે, પોતે સર્વ જીવાની રક્ષારૂપ અભયદાન દીધું છે, રાગદ્વેષ કામ ક્રોધાદિનો નાશ કરી અસત્ય, અન્યાય, કુશીલ, પરધનહરણના ત્યાગ કરી, સંતાષ ધારણ કરી પોતાના આત્માને અભયદાન દ્વીધું છે; ભક્તિ, ભજન, સ્વાધ્યાય. સત્સંગ આદિ ધર્મકરણીથી આત્માને ઉજ્જવળ કર્યાં છે, તેનું ફળ સ્વર્ગલાક સિવાય ક્યાં ભાગવાય ? સ્વર્ગલેાકનાં સુખ મૃત્યુ નામના મિત્રની કૃપાથી જ મળે છે. તેથી મરણુ જેવા આ જીવને ઉપકાર કરનાર કોઇ મિત્ર નથી. મરણ ન આવે તે અહી મનુષ્યભવમાં જીર્ણ થયેલા દેહમાં અનેક પ્રકારનાં દુ:ખ ભોગવતાં કેટલા બધા કાળ રહેવું પડત ? આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરીને તિર્યંચ કે નરક ગતિમાં જાત! તેથી હવે મરણના ભયથી દેહ, કુટુંબ, પરિગ્રહ ઉપરની મમતાથી ચિંતામણિ કે કલ્પવૃક્ષ સમાન સમાધિમરણ બગાડીને, ભય સહિત, મમતા સહિત મરણ કરીને દુર્ગતિમાં ભટક્યા કરવું યાગ્ય નથી. ૧૫ आगर्भात् दुःखसंतप्तः प्रक्षिप्तो देहपंजरे । नात्मा विमुच्यतेऽन्येन मृत्युभूमिपति विना ॥५॥ ગર્ભમાં આવ્યો ત્યારથી આ માશું આત્મા કર્મરૂપી શત્રુવડે દેહરૂપી પિંજરામાં કેન્દ્રીની માફક પુરાયેલા ક્ષુધા, તૃષા, આધિ, વ્યાધિ આદિ પીડાઓથી સંતાપ પામી દુઃખી દુ:ખી થઈ રહ્યો છે. તેને આ દુઃખદ સ્થિતિમાંથી મૃત્યુરૂપ રાજા વિના બીજો કાણુ છેોડાવવા સમર્થ છે ? આ કૃતઘ્ર દેહું મારા સાચા આત્મસ્વરૂપને ભુલાવી, પરમાં અહંતા મમતા કરાવી, અનંત સંસાર પરિભ્રમણનાં દુઃખનું કારણ બને છે. તેથી હવે મારા સ્વરૂપના જ્ઞાન સહિત, Page #37 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના દેહ ઉપરની મમતાને સંપૂર્ણ ત્યાગ કરી, સાવધાનીપૂર્વક જે સમાધિમરણરૂપ રાજાનું શરણ ગ્રહણ કરું તે ફરીથી મારે આત્મા દેહ ઘારણ કરે નહીં. તેમજ ભાવિ દુઃખ પરંપરાને સદાને માટે અંત આવે અને અનંત અવિનાશી શાશ્વત સુખમય નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપરૂપ સિદ્ધપદની પ્રાપ્તિ થાય. શ્રીમદ્ પૂજ્યપાદ સ્વામી સમાધિશતકમાં પ્રબોધે છે કે गौर: स्थूल: कृशो वाहं इत्यंगेनाविशेषयन् । आत्मानं धारयेन् नित्यं केवलज्ञप्तिविग्रहम् । मुक्तिरेकान्तिकी तस्य चित्ते यस्याचला धृतिः । तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ।। હું ગેરે છું, જાડો છું, પાતળું છું વગેરે શરીરનાં વિશેષણથી આત્માને તેરૂપ ન માનતાં આત્માને તે નિત્ય અવિનાશી શાશ્વત કેવળજ્ઞાનરૂપ શરીરવાળે જાણ, માનવ, અને તથારૂપ શ્રદ્ધાની અડોલપણે, અચળપણે પકડ કરી લેવી. જેના ચિત્તમાં એવી પકડ અચળપણે દૃઢ થઈ છે તેને મેક્ષ અવશ્ય થાય છે. પરંતુ એ પકડ જેના હૃદયમાં અચળ નથી તેને મોક્ષ પણ અવશ્ય નથી જ. ગજસુકુમાર આદિ મહાપુરુષેએ મરણાંત ઉપસર્ગમાં આ જ પકડ ઢ પકડી રાખી, અને આત્મમગ્નતામાં લીન થઈ ગયા. દેહભાન ભૂલી જઈ કેવળ આત્મભાવમાં જ નિમગ્ન રહ્યા તે અલ્પકાળમાં ઉત્તમ સમાધિને સાથી સર્વ કર્મમુક્ત થઈ સિદ્ધિસુખમાં વિરાજમાન થયા. સ્કંથકમુનિના પાંચસો શિષ્યને ઘાણીમાં પીલ્યા છતાં દેહભાવ તજી આત્મભાવમાં મગ્ન રહ્યા તે કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા અને સ્કંથકમુનિ પિતે આત્મભાવની પકડ મૂકી પરભાવમાં ગયા તેથી મેલે ન ગયા. માટે દેહાધ્યાસ એ જ સંસારનું કારણ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના “ છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા નું કર્મ; નહિ ભોકતા નું તેહને, એ જ ધર્મને મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન, જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંપોતિ સુખધામ; બીજુ કહીએ કેટલું? કર વિચાર તો પામ.” –શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર सर्वदुःखप्रदं पिण्डं दूरीकृत्यात्मदर्शिभिः । मृत्युमित्रप्रसादेन प्राप्यन्ते सुखसंपदः ॥६॥ આત્મદર્શી, આત્મજ્ઞાની મહાપુરુષ આ મૃત્યુ નામના મિત્રના પ્રસાદથી સર્વ દુઃખને દેવાવાળો એ જે આ દેહપિંડ તેને તજી દઈને, દેહભાવને સર્વથા ત્યાગ કરીને, આત્મભાવનાના સતત અભ્યાસથી આત્મમગ્ન થઈ, પરમ વીતરાગતાથી વિભૂષિત થઈ, અનંત અવિનાશી આત્મિક આનંદથી ભરપૂર સુખસંપત્તિનું શાશ્વતધામ એવું નિજ સહજત્મસ્વરૂપરૂ૫ સિદ્ધપદ પામી અનંત અનંત સમાધિ સુખમાં અનંત કાળ માટે વિરાજિત થાય છે. मृत्युकल्पद्रुमे 'प्राप्ते येनात्मार्थो न साधितः । निमग्नो जन्मजम्बाले स पश्चात् किं करिष्यति ॥७॥ મૃત્યરૂપી ક૯પવૃક્ષને પામીને પણ જે તેથી આત્માર્થ સાથે નહીં, સમાધિની પ્રાપ્તિ કરી લીધી નહીં, અને આત્માને જ્ઞાનદશા પ્રગટાવી સહજાત્મપદે વિરાજિત કર્યો નહીં, તે પછી જીવ સંસારરૂ૫ ઊંડા કાદવમાં ખેંચી જશે ત્યાં ત્યારે અધોગતિઓમાં આત્માના ઉદ્ધાર માટે શું કરી શકશે? આ મનુષ્ય ભવમાં મરણ સમયે સમાધિમરણ માટે પુરુષાર્થ જાગૃત હોય તે મરણ સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન Page #39 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ઉપકારી થાય છે, અને જે વાંછે તે પ્રાપ્ત કરાવે છે. જો જ્ઞાન સહિત પોતાના જ્ઞાયક સ્વભાવને ગ્રહણ કરીને આરાધના સહિત મરણ કરશેા તેા સ્વર્ગનું મહદ્ધિકપણું, ઇન્દ્રપણું કે અડુમિન્દ્રપણું પ્રાપ્ત કરી, ત્યાંથી ચ્યવી મનુષ્યદેહ પામી ત્યાં પણ સર્વોત્તમ એવું તીર્થંકરપણું, ચક્રવર્તીપણું આદિ પામી સંયમ આરાથી નિર્વાણુ પામશેા. અને જો આ અવસરે સમતા સમાધિ વીતરાગતા, કે આત્મભાવનેચૂક્યા અને પરમાં મમતા, દેહાધ્યાસ રાખી મરણ થયું તેા પછી અધાગતિનાં અનંત પરિભ્રમણમાં આત્માને પરમાત્મપદની પ્રાપ્તિના અવસર ફરી ક્યાંથી પામશે ? માટે અત્યારે ચેતી જઈ પ્રમાદ તજી, સમાધિમરણુ સાધવામાં જાગૃત થઈ જવા ચૈાગ્ય છે. પણુ પ્રમાદથી ગાફેલ રહી દેહભાવથી અનંત આત્મહિત ચૂકવા ચેાગ્ય નથી. ૧૮ जीणं देहादिकं सवं नूतनं जायते यतः । स मृत्यु: कि न मोदाय सतां सातोत्थितिर्यया ॥८॥ જે મૃત્યુના પ્રતાપથી જીર્ણ થઈ ગયેલ દેહાર્દિક સર્વ છૂટી જઈ નવીન દેહાદિક પ્રાપ્ત થાય છે તે મૃત્યુને સત્પુરુષો આનંદનું કારણ કેમ ન માને ? એવું મરણુ સાતાના ઉદ્દયની સમાન જ્ઞાની પુરુષોને તા હર્ષને માટે જ થાય છે. અર્થાત્ જ્ઞાની પુરુષ મૃત્યુને મોટા સાતાના ઉદય માને છે. सुखं दुखं सदा वेत्ति देहस्थश्च स्वयं व्रजेत् । मृत्युभीतिस्तदा कस्य जायते परमार्थतः ॥ ९ ॥ દેહમાં સ્થિત એવા આત્મા સુખ તથા દુઃખને સદા કાળ જાણે છે, અને પરલાક પ્રત્યે પણ પાતે જ ગમન કરે છે. તા પરમાર્થથી મૃત્યુના ભય કાને હાય ? Page #40 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના અજ્ઞાની બહિરાત્મા દેહમાં સ્થિતિ કરી દેહ તે હું છું, દેહ તે મારે છે,” એમ વિપરીત માન્યતા કરી, હું સુખી, હું દુખી, હું તૃષાતુર, હું ક્ષુધાતુર, હું મરણ પામું છું, મારે નાશ થશે,’ એમ કલ્પનામય માન્યતા કરે છે. દેહથી ભિન્ન આત્માને જાણનાર, માનનાર, અનુભવ કરનાર સમ્યવૃષ્ટિ જ્ઞાની અંતરાત્મા તે સમજે છે કે જે ઊપજે છે તે મરે છે. પંચભૂતને જડ એ આ દેહપિંડ ઊપજે છે તે નાશ પામે છે. જ્ઞાનસ્વરૂપી હું ચૈતન્યમૂર્તિ આત્મા કદી ઉત્પન્ન થતું નથી તેમ કદી નાશ પણ પામનાર નથી. સુધા, તૃષા, પિત્ત, ફાદિક ગજનિત વેદના પુદ્ગલમાં છે, આત્મામાં નથી. મને નથી; હું માત્ર તેને જ્ઞાતા, દ્રષ્ટા, જાણનાર, જેનાર છું. જો કે શરીરમાં હું એકક્ષેત્રાવગાહપણે રહેલ છું, છતાં મારે ઘર્મ અને શરીરના ઘર્મ કેવળ ભિન્ન ભિન્ન છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ આદિ મારા સહજ સ્વાભાવિક ધર્મ છે. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દાદિ જડના, શરીરના ધર્મ છે. જ્ઞાયકપણું મારે સ્વભાવ છે. જ્યારે શરીર તે જ્ઞાન રહિત જડ છે. હું અરૂપી છું, શરીર રૂપી છે. હું અખંડ ચૈતન્યમૂર્તિ છું, જ્યારે શરીર અનેક પરમાણુને ભેગે મળેલે એક પિંડ છે. હું અજર અમર અવિનાશી શાશ્વત સત સ્વરૂપી પદાર્થ છું, જ્યારે શરીર વિનાશી છે. તે હવે આ શરીરમાં જે રેગ, સુધા, તૃષાદિ ઊપજે છે તેના જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ મારે જ્ઞાયક સ્વભાવ છે. પણ તે પરમાં મમત્વબુદ્ધિ કરવી એ અજ્ઞાન છે, મેહ છે, મિથ્યાત્વ છે. એક ઘર છેડી બીજા ઘરમાં પ્રવેશ કરવા સમાન આ દેહ છડી Page #41 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના અન્ય ગતિ પ્રત્યે ગમન કરવામાં મારા સ્વરૂપને તે કેઈ પણ રીતે નાશ કે હાનિ સંભવતી જ નથી. તે હવે નિશ્ચય કરી દૃઢ કરું કે મરણને ભય શા માટે હોય ? અર્થાત મરણને કિંચિત્ ભય કર્તવ્ય નથી જ નથી. કહ્યું છે કે વર્ષે નિધનું શ્રેયઃ વરઘ મથાવડા એ પ્રમાણે હું જે સ્વધર્મ એટલે મારે જ્ઞાતા દ્રષ્ટારૂપ જ્ઞાયક સ્વભાવ મૂકીને પણ ધર્મ જે દેહના ગાદિ ઘર્મો તેમાં મમતાપૂર્વક મરણ કરું તે અવશ્ય અનંત ભયરૂપ સંસાર પરિભ્રમણ પ્રાપ્ત થાય. અને દેહભાવરૂપ પરમેં તજી, આત્મભાવરૂપ સ્વધર્મમાં સ્થિર રહી દેહત્યાગ કરું તે અવશ્ય શ્રેય એટલે સમાધિસુખથી પ્રપૂર્ણ સિદ્ધિપદને પામી કૃતાર્થ થાઉં. संसारासक्तचित्तानां मृत्युभीत्यै भवेन्नृणाम् । मोदायते पुनः सोऽपि ज्ञानवैराग्यवासिनाम् ॥१०॥ જે જીવેનું ચિત્ત સંસારમાં આસક્ત છે અને જે પિતાના વાસ્તવિક શુદ્ધ સહજ આત્મતત્વને જાણતા નથી તેને મૃત્યુ ભય ઊપજાવી શકે, પરંતુ જેઓ પોતાના ચિદાનંદમંદિર એવા સહજ સ્વરૂપના ભાન સહિત છે તે તે સંસારથી વૈરાગ્યયુક્ત, અનાસક્ત, ઉદાસીન હોવાથી મૃત્યુ તેમને આનંદ માટે થાય છે. અર્થાત્ મહોત્સવ સ્વરૂપ થાય છે. સંસારના સર્વ પદાર્થ સ્વપ્નવત , નાશવંત, અસાર તથા અશરણરૂપ અને ક્લેશનાં કારણરૂપ સમજાયા હોવાથી જ્ઞાનવાન આત્માનું ચિત્ત તેમાંથી વિરક્ત, અનાસક્ત, ઉદાસીન વર્તે છે. અને અનંત સુખધામ શાશ્વત એવું પિતાનું સહજાત્મસ્વરૂપ એ જ એક પરમ સારરૂપ, શરણરૂપ, સંપૂર્ણ માહા Page #42 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ભ્યનું ઠેકાણું એવું સર્વોત્તમ ભાસવાથી, અસત્ વસ્તુને ત્યાગતાં, આનંદમંદિર એવા “આત્મા સતુ ચૈતન્યમય સર્વાભાસ રહિત’ પિતાના સ્વરૂપમાં સ્થિર થવામાં મૃત્યુ કારણરૂપ ગણી, સત્પરુષે મૃત્યુને સમાધિ સુખની પ્રાપ્તિમાં ઉપકારી જાણ હર્ષાયમાન થાય છે. જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાને નથી; તે રહેવાને પણ નથી. જ્યારે ત્યારે પણ તેને વિગ થવાને છે. એ ભેદવિજ્ઞાનને લઈને હમેશા નગારાં વાગતાં હોય તેવી રીતે તેના કાને પડે છે, અને અજ્ઞાનીને કાન બહેરા હોય છે એટલે તે જાણતા નથી. - જ્ઞાની દેહ જવાનું છે એમ સમજી તેને વિગ થાય તેમાં ખેદ કરતા નથી. પણ જેવી રીતે કેઈની વસ્તુ લીધી હેય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછા સંપે છે; અર્થાત્ દેહમાં પરિણમતા નથી. - દેહ અને આત્માને ભેદ પાડો તે ભેદજ્ઞાન, જ્ઞાનીને તે જાય છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકલશાસ્ત્રો રચ્યાં છે. જેમ તેજાબથી સેનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હેઈને પ્રયાગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. બીજા ઉદયમાં આવેલાં કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે પણ વેદનીય કર્મમાં તેમ થઈ શકે નહીં; ને તે આત્મપ્રદેશે વેદવું જ જોઈએ, ને તે વેદતાં મુશ્કેલીને પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જે ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમાધિ~સાધના થયું ન હોય તેા આત્મા દેહાકારે પરિણમે, એટલે દેહુ પોતાના માની લઈ વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિના ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતા વૈદ્યની વેદ્યતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે, એટલે ખીજાં દર્શનવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે. પુદ્ગલ દ્રવ્યની દરકાર રાખવામાં આવે તે પણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પેાતાનું નથી તે પોતાનું થવાનું નથી; માટે લાચાર થઈ દીન ખનવું શા કામનું ?”” —શ્રીમદ્ રાજચંદ્ર पुराधीशो यदा याति सुकृतस्य बुभुत्सया । तदासौ वार्यते केन प्रपञ्चैः पाञ्चभौतिकैः ॥ ११ ॥ પેાતાનાં કરેલાં સત્કર્મીને ભાગવવા જ્યારે આ આત્મા પલાક પ્રત્યે ગમન કરે છે ત્યારે પાંચભૂતના આ શરીરાદિના પ્રપંચ વડે એને કોણ રોકી શકે તેમ છે? આયુષ્ય પૂર્ણ થયે જીવ પરલેાકમાં જાય ત્યારે તેને શરીરાદિક કોઇ રોકી શકે તેમ નથી. તેથી ઉલ્લાસપૂર્વક આરાધનામાં તત્પર થઈ સમાધિ મરણની સાધનામાં જ જાગૃત રહી આત્મશ્રેય શીઘ્ર કરી લેવા ચાગ્ય છે. मृत्युकाले सतां दुखं यद्भवेत् व्याधिसंभवम् । देहमोहविनाशाय मन्ये शिवसुखाय च ॥ १२ ॥ સત્પુરુષને મરણ કાળે જે જે રાગ, પીડા, દુ:ખાદિ ઉત્પન્ન થાય છે તે સર્વ શરીર ઉપરના માહુ, મમતા નાશ Page #44 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૩ કરવાને અને અનંત શાંતિ અને સમાધિથી ભરપૂર મોક્ષસુખની પ્રાપ્તિ માટે જ થાય છે. - મરણકાળે શરીરમાં વ્યાધિ, પીડા, વેદના જેમ જેમ વધતી જણાય છે તેમ તેમ આ શરીરથી પિતાને ચૈતન્ય સ્વરૂપ આત્મા કેવળ ભિન્ન છે એ અડેલ નિશ્ચય હોવાથી, આત્મતત્વદશ જ્ઞાની પુરુષે, “આ શરીર અત્યારે દુઃખનું કારણ બની પ્રત્યક્ષ મહાન શત્રુ બની બેઠું છે એમ જાણતાં છતાં તેમાં મારાપણું કે પ્રેમ, પ્રીતિ, મેહ કરું તે મારા જે બીજો મૂર્ખ કેણ હોય ? એમ વિચારી, તેમાંથી મમતાને, મેહને સંપૂર્ણ નાશ કરી, તેવા સંસારી સર્વ અન્ય સંબંધે પણ એવા જ અવરૂપ, દુઃખરૂપ જાણું, સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા રાખવામાં જાગૃત બની, અનંત સુખશાંતિમય સહજાન્મસ્વરૂપરૂપ મેક્ષપદને જ સાધવામાં તત્પર બને છે અને પ્રાન્ત પરમ શ્રેયને સાથે છે. ज्ञानिनोऽमृतसंगाय मृत्युस्तापकरोऽपि सन् । आमकुम्भस्य लोकेऽस्मिन् भवेन्पाकविधिर्यथा ॥१३॥ જે મૃત્યુ અજ્ઞાનીજનેને તાપરૂપ, દુઃખરૂપ થાય છે, તે જ મૃત્યુ જ્ઞાનીઓને અમૃત એટલે મેક્ષની પ્રાપ્તિ કરાવનાર સુખરૂપ થાય છે. જેમ કા ઘડે અગ્નિમાં પકવ્યા પછી અમૃતને એટલે પાણુને ધારણ કરવા સમર્થ થાય છે તેમ મૃત્યુરૂપ અગ્નિને તાપને જે સમતાથી સહન કરે છે તે અમૃતરૂ૫ મેક્ષપદની પ્રાપ્તિ કરવા સમર્થ બને છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના यत्फलं प्राप्यते सद्भिवतायासविडंबनात् । तत्फलं सुखसाध्यं स्यान्मृत्युकाले समाधिना ॥१४॥ દીર્ઘ કાળ પર્યત પંચ મહાવ્રતનું પાલન તથા ઘેર તપશ્ચરણ આદિ અનેક શુભ કિયાઓની વિડંબનાથી જે ફળ સપુરુષ પામે છે તે જ ફળ એક મૃત્યુ સમયે સમાધિશાંતિ રાખવાથી સુખ અને સહેજે પ્રાપ્ત થાય છે. પંચ મહાવ્રત, ઘોર તપશ્ચરણ આદિથી જે ઈંદ્રાદિક પદ પમાય છે તે જ પદ મૃત્યુ સમયે દેહ, કુટુંબ, ઘન, ધામ આદિ સર્વ પરમાંથી મમતા મૂકી, ભયરહિત થઈ, વીતરાગતાપૂર્વક સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તરૂપ ચાર આરાધનામાં તત્પર રહી, કાયરપણું તજી, પિતાના જ્ઞાયક સ્વભાવનું કેવળ અવલંબન લઈ, નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપના ધ્યાનમાં મગ્નતા કરે છે, તે સહેજે પામે છે. એવા સમાધિમરણથી દેવલેકમાં ઉત્તમ મહદ્ધિક દેવ કે ઈન્દ્રાદિક પદ પામી, ત્યાંથી ચ્યવી, મનુષ્ય જન્મ પામી, ચક્રવતી આદિ ઉત્તમ પદે વિરાજિત થઈ, રત્નત્રયની પૂર્ણતા પ્રાપ્ત કરી નિર્વાણ પદને વરે છે. अनार्तयाः शांतिमान्मयो न तिर्यग् नापि नारकः । धर्मध्यानी पुरो मर्योऽनशनीत्वमरेश्वरः ॥१५॥ જે જીવનાં મરણ સમયે આર્ત એટલે દુઃખરૂપ પરિણામ ન હેય અને શાંતિમાન અર્થાત્ રાગદ્વેષ રહિત સમભાવરૂપ શાંત ચિત્ત હોય તે જીવ તિર્યંચ કે નરક ગતિમાં દેહ ધારણ ન જ કરે. પરંતુ જે જીવ ધર્મધ્યાનપૂર્વક અનશનવ્રત સહિત મરણ કરે તે સ્વર્ગલેકમાં ઈન્દ્ર કે મહદ્ધિક દેવ થાય. પણ કનિક પર્યાય ઘારણ ન કરે એ નિયમ છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના તેથી હે આર્ય ! મરણને સમય નજીક જાણું આર્ત રૌદ્ર ધ્યાન કે જે કુમરણ અને દુર્ગતિનાં કારણ છે તેને તજી દઈને ધર્મધ્યાન સહિત, ધૈર્ય ધારણ કરી, શાંતભાવે દેહત્યાગ કરી સમાધિમરણને સાધવાના આ અમૂલ્ય અવસરને હારી ન જાઓ. સાવધાન થઈ સદ્ગતિ અને પરમ શ્રેયને સાથી લેવા તત્પર થાઓ. तप्तस्य तपसश्चापि पालितस्य व्रतस्य च । पठितस्य श्रुतस्यापि फलं मृत्युः समाधिना ॥१६।। તપના સંતાપ સહન કરવાનું, વ્રતનું પાલન કરવાનું અને શ્રુતનું પઠન કરવાનું ફળ તે સમાધિ એટલે પિતાના આત્માની સાવધાની પૂર્વક દેહત્યાગ કરે તે છે. હે આત્મન્ , દીર્ધકાળ સુધી ઈન્દ્રિય સુખની વાંછા તજી, અનશનાદિ તપ, દેહની મમતા તજી સમાધિમરણને માટે કર્યો છે, પંચ મહાવ્રત ધારણ કર્યા છે, અને અનેક કષ્ટો વેઠીને તેનું પાલન કર્યું છે, તે પણ દેહાદિક પરિગ્રહમાંથી મમત્વને ત્યાગ કરી, શત્રુ મિત્રાદિમાં રાગદ્વેષ છોડી, ઉપસર્ગમાં ઘીરપણું ઘારણ કરી, પોતાના એક જ્ઞાયક સ્વભાવનું જ અવલંબન લઈ સમાધિમરણ થાય તે અર્થે જ કરેલ છે. તેમજ શાસ્ત્રાભ્યાસ, સત્સંગ, સધનું સેવન પણ અંતકાળે સમાધિની પ્રાપ્તિ માટે જ કર્યો છે. હવે જે મરણ સમયે મમતા, ભય, રાગદ્વેષ, કાયરતા અને દીનતા નહીં તજું તે એ સર્વ તપ કરવાનું, વ્રત પાળવાનું અને શાસ્ત્ર અભ્યાસાદિનું નિરર્થકપણું, નિષ્ફળપણું જ થશે, માટે એ સર્વ સાર્થક કરવા, સમાધિમાં, સ્વરૂપની સાવધાનીમાં જ તત્પર થા, જાગૃત થા! Page #47 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના अतिपरिचितेष्ववज्ञा नवे भवेत्प्रीतिरिति हि जनवादः । चिरतरशरीरनाशे नवतरलाभे च किं भीरुः ॥१७॥ લેકમાં એ પ્રસિદ્ધ કથન છે કે જેને અતિશય પરિ. ચય થાય તેમાં કાળે કરી અભાવ, અનાદર, અપ્રીતિ ઉયજ્ઞ થાય, અને નવીન વસ્તુના સંગમાં પ્રીતિ ઊપજે, તે હે આત્મન ! આ શરીરને લાંબા કાળ સુધી તને પરિચય થયે છે, છતાં હવે તેમાં તને અપ્રીતિ, અનાદર, અરુચિ કેમ થતી નથી? અને નવીન પર્યાયના લાભમાં ભય કેમ કરે છે? તેમાં ભય કર્તવ્ય નથી જ. ઘણાં વર્ષોના પરિચયવાળું આ શરીર હવે જીર્ણ થઈ દુઃખ આપી રહ્યું છે, તેમ જ વહેલું બેડું તે તજી દેવાનું જ છે. તે તને તે તજતાં ફિકર શી છે? તેથી અધિક ઉત્તમ ઉજજ્વળ દિવ્ય દેહ પ્રાપ્ત કરવાને અવસર આવ્યો છે. તે સહેજે વિણસી જનાર આ કાયા ઉપરની માયા તજી દઈ નિર્મમત્વ ભાવે, અસંગભાવે, સમાધિમરણ સાધી લેવામાં પ્રમાદ કર્તવ્ય નથી. स्वर्गादेत्य पवित्रनिर्मलकुले संस्मर्यमाना जनदत्वा भक्तिविधायिनां बहुविधं वाञ्छानुरूपं धनम् । भुक्त्वा भोगमहनिशं परकृतं स्थित्वा क्षणं मण्डले पात्रावेशविसर्जनमिव मृति सन्तो लभन्ते स्वतः ॥१८॥ આમ સમાધિ ભાવનારૂપ અમૃતનું પાન કરી જે ઉજજવળ આત્મા ભય રહિત બની, વેદનીને સમતા ભાવે વેદવામાં શૂરવીર થઈ, ઉત્સાહપૂર્વક ચાર આરાધનાને આરાઘી, સમાધિમરણને સાધે છે તે ભાગ્યવંત સ્વર્ગલેક સિવાય અન્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ગતિમાં જતા નથી. સ્વર્ગમાં પણ તે મહર્તિક દેવ થાય છે એ નિશ્ચયે નિયમ છે. સ્વર્ગમાં મહાન સુખ સંપત્તિને જોગવી પાછા મનુષ્ય લેકમાં પવિત્ર નિર્મળ કુળમાં અનેક લેકેના ચિત્તને આનંદરૂપ જન્મ ધારણ કરી પોતાના સ્વજન મિત્ર સેવક આદિ પરિવારને નાના પ્રકારના વાંછાનુસાર ધન ભેગાદિરૂપ ફળ આપીને, પુણ્ય વડે ઉપાર્જન કરેલા ભેગેને અહર્નિશ ભેગવીને આયુષ્યપ્રમાણે અલ્પકાળ ભૂમંડળમાં સંયમાદિ સહિત વીતરાગ ભાવે વિચરીને, જેમ નૃત્યશાળામાં નૃત્ય કરવાવાળો પુરુષ લેકેમાં આનંદ ઉપજાવીને જતું રહે તેમ તે સત્પરુષે સમસ્ત લેકમાં આનંદ ઉપજાવી સ્વયમેવ દેહને ત્યાગ કરી, શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંતિ સુખધામ એવા અસંગ શુદ્ધ સહજાન્મસ્વરૂપરૂપ સિદ્ધિસુખે વિરાજમાન થાય છે, અર્થાત્ અનંત અવ્યાબાધ શાશ્વત મેક્ષ સુખમય નિજ સહજાન્મસ્વરૂપમાં સદાને માટે નિવાસ પામી પરમ કૃતાર્થ થાય છે.. શ્વરમ સુખસ્વરૂપ પરમત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષને નમસ્કાર.” -શ્રીમદ્ રાજચંદ્ર Page #49 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-શિક્ષા (૮૩૩) ૧ અકલેશિત સમાધિ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કેઈ શત્રુ નથી, જેને કેઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભઅલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ કંદ્રને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જે વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠે છે, મ્યાન પ્રત્યે તરવારને જે સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠ છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત પુરુષને જીવન અને મરણ અને સમાન છે. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ ઘઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એ નિશ્ચય જે પરમકૃપાળુ સત્પરુષે પ્રકા તેને અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ ધૂત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સમાધિ-સાધના કોઈ કાળે તેમ થતું નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી. સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યગૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્તિ કેઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માને નાશ પણ ક્યાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણુસ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પર દ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે પરમસુખસ્વરૂપ, પરમત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષને નમસ્કાર. | સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શે ? વિકલ્પ છે? ભય શે? ખેદ છે? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલપ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સમાધિ-સાધના શુદ્ધ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ (૫૯૨) ૨ ક્ષણભંગુર દેહ જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરેગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ? જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એ આ દેહ તે પણ દુઃખને હેતુ છે, તે બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ? જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષે ધન્ય છે. બીજાની વસ્તુ પિતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષે કરે છે. દુષમ કાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમજ્ઞાની આસપુરુષને પ્રાયે વિરહ છે. વિરલ જીવે સમ્યગૃષ્ટિપણું પામે એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી. પ્રવૃત્તિ વિરામ પામતી નથી; વિરક્તપણું ઘણું વર્તે છે. વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને Page #52 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૩૧ અનુભવ એ આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઈચ્છા રેકાણી છે. (૪૬૦) ૩ વ્યાધિના ઉદયમાં શારીરિક વેદનાને દેહને ધર્મ જાણું અને બાંધેલા એવાં કર્મોનું ફળ જાણું સભ્યપ્રકારે અહિયાસવા ગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યફપ્રકાર રૂડા જીને પણ સ્થિર રહે કઠણ થાય છે, તથાપિ હદયને વિષે વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અદ્ય, અભેદ્ય, જરા, મરણદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સભ્યપ્રકારને નિશ્ચય આવે છે. મેટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષહના પ્રસંગેની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમને રહેલે અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યંગ્ય જાણવાથી જીવને તે સમ્યફપરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કે કર્મનું કારણે થતી નથી. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણું, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મેહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તે તે મેટું શ્રેય છે, તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડ ઉપાય છે. જે કે દેહનું તેવું મમત્વ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમાધિ-સાધના ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેને તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મોડે ફળીભૂત થાય છે. જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી ગ્ય છે, એટલે કે આ દેહના કેઈ ઉપચાર કરવા પડે તે તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એ કઈ પ્રકારે તેમાં રહેલે લાભ, તે લાભને અર્થ, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિને ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે, તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે, પણ તે દેહની પ્રિયતાર્થ, સાંસારિક સાધનમાં પ્રધાન ભેગને એ હેતુ છે, તે ત્યાગ પડે છે, એવા આર્તધ્યાને કઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાનીપુરુષના માર્ગની શિક્ષા જાણ આત્મકલ્યાણને તેવા પ્રસંગે લક્ષ રાખ યોગ્ય છે. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી, નિર્ભયપણને, નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એમ જ કહીએ છીએ. કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મેહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સમાધિ-સાધના (૮૪૩) ૪ નિશ્ચય અને આશ્રય શ્રીમદ્ વિતરાગ ભગવતેએ નિશ્ચિતાર્થ કરે એ અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખને નિસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એ સર્વોત્કૃષ્ટ શાશ્વત ઘર્મ જયવંત વર્તે, ત્રિકાળ જ્યવંત વર્તે. તે શ્રીમત અનંત ચતુષ્ટયસ્થિત ભગવતો અને તે જયવંત ધર્મને આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કર એગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષ હર્ષવિષાદ કરતા નથી તે પુરુષે પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ વૃષ્ટિ કર્તવ્ય છે. પામ્યું નથી, ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોને ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધચૈતન્ય સ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું. તે અદ્દભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે. નિર્વિકલ્પ. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમાધિ-સાધના (૪ર ૫) ૫. હર્ષ-વિષાદ ત્યાગ જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કઈ પણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શેચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ–અજ્ઞાને શોચવું એ સિવાય બીજે શોચ તેને ઘટતું નથી. પ્રગટ એવા યમને, સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂછ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જેનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જોનાર, જાણનાર એ આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહનાં તેને સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ-રૂપાદિ પરિણામ જોઈ હર્ષ-શેકવાન થવું કઈ રીતે ઘટતું નથી, અને અમને તમને તે નિર્ધાર કરે, રાખ ઘટે છે અને એ જ્ઞાનીના માર્ગને મુખ્ય ધ્વનિ છે. (૯૨૭) ૬. વેદનાવિજય યથાર્થ જોઈએ તે શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષમ સભ્યશ્રુષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર Page #56 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૩૫ પણ રેકવાને સમર્થ નથી. તેને ઉદય જીવે વેદ જ જોઈએ. અજ્ઞાનવૃષ્ટિ જીવ ખેદથી વેદે તે પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યવૃષ્ટિવાન જી શાંત ભાવે વેદે તે તેથી તે વેદના વધી જતી નથી પણ નવીન બંધને હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માથીને એ જ કર્તવ્ય છે. “શરીર નથી, પણ તેથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હેય છે. (૬૯૨). ૭. જન્મ-સાર્થકતા | દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળ૫ણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા–આગ્રહાદિની મંદતા થઈ તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષને આશ્રય જ જીવને જન્મજરામરણાદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિગ નિશ્ચયે છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમાધિ–સાધના જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. તમે તથા શ્રી મુનિ પ્રસંગેપાર ખુશાલદાસ પ્રત્યે જવાનું રાખશે. બ્રહ્મચર્ય અપરિગ્રહાદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવને દેખાય તે મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય. (૯૧૩) ૮. મહાત્માઓની શિક્ષા આ પત્ર સંપ્રાપ્ત થયું. અત્ર સમાધિ છે. અકસ્માત્ શારીરિક અશાતાને ઉદય થયે છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયે હતે. સમસ્ત સંસારી જી કર્મવશાત્ શાતા–અશાતાને ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તે અશાતાને જ ઉદય અનુભવાય છે. ક્વચિત અથવા કેઈક દેહસંગમાં શાતાને ઉદય અધિક અનુભવતે જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતે હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા ગ્ય વચનગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભેગવી છે, અને જે હજુ તેનાં કારણેને નાશ કરવામાં ન આવે તે ભેગવવી પડે એ સુનિશ્ચિત છે. એમ જાણું વિચારવાન Page #58 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૩૭ ઉત્તમ પુરુષે તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાભ્યતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાને આત્યંતિક વિયેગા કરવાને માર્ગ ગષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયેગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. શાતા અશાતાને ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણોને નેવેષતા એવા તે મહત્ પુરુષને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાને ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતે. કેટલાક કારણવિશેષને વેગે વ્યવહારવૃષ્ટિથી ગ્રહણ કરવા યેગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. ઉપગ લક્ષણે સનાતનમ્ફરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળે હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાને નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાને સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેડાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તેને આત્યંતિક વિયેગ કરવાને સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ વાત એ છે કે આમાં રહેલ લિ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમાધિસાધના પ્રકાશમય તે આત્મા કર્મયગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા ગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માથી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાકયમય સાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા ગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણો છે. અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ. भीसण नरयगईए तिरियगईए कुदेवमणुयगईए । पत्तोसि तिव्व दुखं भावहि जिणभावणा जीव ॥ ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તે જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખને આત્યંતિક વિગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય.) શાંતિઃ શાંતિઃ શાંતિઃ (૭૨૮) ૯ મમત્વ નિવૃત્તિ શ્રી માણેકચંદને દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. Page #60 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના - ૩૯ | સર્વ દેહધારી જી મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અ૫ત્વ હેવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાને કાળ અનિયત હેવાથી વિચારવાન પુરુષે અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાને અવિરુદ્ધ ઉપાય સાથે છે, અને એ જ તમારે અમારે સૌએ લક્ષ રાખવા ગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા ગ્ય છે, તથાપિ એમાં બીજે કઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્ય સ્વરૂપમાં પરિણમન કરે એ જ વિચારવાનને કર્તવ્ય છે. (૭૭૯) ૧૦ અસંગ દશા ૐ સર્વજ્ઞ | સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે “મુક્ત” છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે. તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે. તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમાધિ-સાધના જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈ પણ સંબંધ નહોતે એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે. તિથિ આદિને વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપ (૩૮૦) ૧૧. સમદશા જેને કઈ પણ પ્રત્યે રાગદ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર. પરમાગી એવા શ્રી કષભદેવાદિ પુરુષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણું, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મ-મરણને ફેરે ન રહે. તે દેહ છેડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષને નિશ્ચય છે. કંઈ પણ મન, વચન, કાયાના વેગથી અપરાધ થયે હોય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. આ દેહે કરવા યોગ્ય કાર્ય તે એક જ છે કે કેઈ પ્રત્યે રાગ અથવા કેઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણને મુખ્ય નિશ્ચય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સમાધિ-સાધના (૭૮૧) ૧૨. વીતરાગ દશા - સર્વ જીવ પ્રત્યે, સર્વભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યફચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વદુઃખને ક્ષય છે, એ કેવળ નિસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતિ. (૭૩૫) ૧૩. અવિષમ ઉપયોગને નમસ્કાર વિષમ ભાવનાં નિમિત્ત બળવાનપણે પ્રાપ્ત થયા છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપગે વર્યા છે, વર્તે છે, અને ભવિષ્ય કાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપગને નમસ્કાર. એ જ, ધ્યાન. (૮૬૬) ૧૪, સમાધિનું રહસ્ય દ્રવ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે. શુક્લ યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્યન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયાગની પ્રાપ્તિ થાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સમાધિ-સાધના | દર્શનમેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયેગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યકદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ દ્રવ્યાનુગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયેગની ગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામપરિણામી, પરમવીતરાગ વૃષ્ટિવંત, પરમઅસંગ એવા મહાત્માપુરુષે તેનાં મુખ્ય પાત્ર છે. કેઈ મહત પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મેકર્યું છે. હે આર્ય ! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કેઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અનન્ય ઉપાય એ જ છે. (૮૫૬) ૧૫. સમાગમની આવશ્યકતા જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માથી જીવને તથારૂપ જ્ઞાની પુરુષને સમાગમ વિશેષ કરી ઉપાસવા ગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવેને તે બળની દૃઢ છાપ પડી જવાને અર્થ ઘણું અંતરાયે જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુવૃત્તિએ દીર્ઘકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના અભાવે વીતરાગધ્રુત, પરમ Page #64 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૪૩ શાંતરસપ્રતિપાદક વીતરાગવચની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે ચિત્તર્ય માટે તે પરમ ઔષધ છે. (૮૧૭) ૧૬. દુલભયોગ આત્મદશાને પામી નિર્દઢપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓને વેગ જીવને દુર્લભ છે. તે પેગ બન્ય જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દૃઢાશ્રય થતું નથી. જ્યાં સુધી આશ્રય દૃઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતે નથી ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનને યોગ બનતું નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યંગ્ય નથી. તેવા મહાત્મા પુરુષોને ગ તે દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માર્થી જીવોને પેગ બનો પણ કઠણ છે, તે પણ ક્વચિત તે ગ વર્તમાનમાં બનવા ગ્ય છે. સત્સમાગમ અને સન્શાસ્ત્રને પરિચય કર્તવ્ય છે. આ (૧૦) ૧૭ જ્ઞાનીની દષ્ટિ જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા ગ્ય છે. લેકવૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને પશ્ચિમ પૂર્વ એટલે તફાવત છે. જ્ઞાનીની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે. રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી જીવ તે વૃષ્ટિમાં રુચિવાન થતું નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને ચેડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે, તેના ઉપાયને પામ્યા છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી. આ (૮૧૬) ૧૮. અંતર્મુખ થવાનો માર્ગ કેવળ અંતર્મુખ થવાને પુરુષને માર્ગ સર્વદુઃખ ક્ષયને ઉપાય છે, પણ તે કેઈક જીવને સમજાય છે. મહત પુણ્યના વેગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સપુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા ગ્ય છે. તે સમજવાને અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે, ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. . (૮૩૨) ૧૯. આત્મામાં જ રહે આ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ તિસ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે. સર્વ જગતના જ કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે; પણ અહે! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે. વિષયથી જેની ઈન્દ્રિયે આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ? Page #66 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના - ૪૫ પરમ ઘર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જે પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરે છે? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.” હે આર્યજને ! આ પરમ વાકયને આત્માપણે તમે અનુભવ કરે. (૫૩૭) ૨૦. સહજ મેક્ષ મુમુક્ષુવને, એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કેઈ ભય હેય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હેય નહીં, અને પૂર્વકર્મના બળે તે કેઈ ઉદય હોય તે પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લેક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતે છે. એ વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે, અને જ્ઞાનપ્રાપ્તિને કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયને હેતુ છે, અને લેકને પ્રસંગ કરવા યંગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે. મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્તપરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષહુનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ, અને દર્શનપરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે, કે કઈ ઉદયરોગનું બળવાનપણું હોય અને સત્સંગ, સપુરુષને વેગ થયા છતાં જીવને Page #67 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના અજ્ઞાનનાં કારણેા ટાળવામાં હિંમત ન ચાલી શકતી હાય, મુઝવણુ આવી જતી હાય, તાપણુ ધીરજ રાખવી; સત્સંગ સત્પુરુષના યોગ વિશેષ વિશેષ કરી આરાધવા; તે અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે, કેમકે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે તે પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકર્મયોગ સિવાય ત્યાં કાઈ તેને આધાર નથી. તે તા જે જીવને સત્સંગ-સત્પુરુષને યોગ થયો છે, અને પૂર્વકર્મનિવૃત્તિ પ્રત્યે પ્રયાજન છે, તેને ક્રમે કરી ટળવા જ યાગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષદ્ધ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે એય પરિષદ્ધનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષદ્ધનું સ્વરૂપ જાણી સત્સંગ સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવા નિશ્ચય રાખી યથાઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે, પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી કે સત્સંગ-સત્પુરુષના યેાગે પ્રમાદ હેતુએ વિલંબ કરવા તે ધીરજ છે, અને ઉડ્ડય છે. તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યાગ્ય છે. ૪૬ શ્રી તીર્થંકરાદિએ ફ્રી ફ્રી જીવાને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફ્રી ફ્રી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તા સહજ મેાક્ષ છે, નહીં તેા અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી. કેમકે જીવનું સહેજ સ્વરૂપ છે, તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ ખીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે Page #68 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પાતે ગુસ રહેવાનું શી રીતે મનવા યોગ્ય છે? પણ સ્વમદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પેાતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વમરૂપયોગે આ જીવ પેાતાને, પોતાનાં નહી એવાં ખીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાઢિગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવકલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષાદિ સાધન કહ્યાં છે અને તે સાધન પણ જીવ જો પેાતાના પુરુષાર્થને તેમાં ગેાપવ્યા સિવાય પ્રવર્તાવે તા જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલા જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતી. (૯૦૧) ૨૧. અસંગતાના અભ્યાસ કરા ૪૭ જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાન્તિ વડે વિશ્રાતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખના એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ ીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણુ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શાલે છે, જયવંત છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમાધિ-સાધના જ્ઞાનીનાં વાકયના શ્રવણથી ઉલ્લાસિત થતે એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. દર્શનમેહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્યન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સમ્યપણે ઉસન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિને પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમેહ વ્યતીત કરવા ગ્ય છે. ચારિત્રમેહ, ચૈતન્યના-જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણુથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થયા ગ્ય છે. હે આર્ય મુનિવરેએ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થી અસંગ વેગને અહોનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરે ! અસંગતાને અભ્યાસ કરે. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. જી શાંતિઃ ર. આભરમણતા-ભાવના मा चिट्टह मा जंपह मा चितह किं वि जेण होई थिरो । अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं । –શ્રી દ્રવ્યસંગ્રહ હે વિવેકી જ ! કાયાની કાંઈ પણ ચેષ્ટા ન કરે, વચનનો કંઈ પણ ઉચ્ચાર ન કરે, મનથી કાંઈ પણ ચિંતવન ન કરે, જેથી ત્રણે પેગ સ્થિર થાય. આત્મા આત્મસ્વરૂપને Page #70 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૪૯ વિષે સ્થિર થાય, રમણતા કરે, તે જ નિશ્ચયથી પરમ ઉત્કૃષ્ટ ધ્યાન છે. ૨૩. આમધ્યાન આ નમઃ સર્વ વિકલ્પનો, તર્કને ત્યાગ કરીને મનનો . વચનને ! કાયાને ઈન્દ્રિયને જય કરીને આહારને નિદ્રાને છે નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિતવના ન કરવી. જે જે તર્નાદિ ઊઠે, તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવાં. ૨૪. સ્વાધ્યાય-ધ્યાન હે મુનિઓ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી... | સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. Page #71 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-ઉપદેશ (૧) “ઉપદેશામૃતમાંથી દેહ છૂટવા સંબંધી નિર્ભય રહેવું કર્તવ્ય છે. આત્મા અજર અમર શાશ્વત છે, જ્ઞાનદર્શનમય છે, દેહના સંગે હેવા છતાં દેહથી ભિન્ન છે. તેને શાતા અશાતા વેદનીય હોય તે પણ તે કિંચિત્ માત્ર દુઃખમય નથી. આત્મા છે, તે મારું સ્વરૂપ છે. તે જ્ઞાનીએ જોયું છે. દેહને લઈને વેદનીય છે, તે વેદનીયને કાળે ક્ષય થાય છે, ત્યાં તે વેદનીયને ક્ષય થયે. નાશ થયે મૃત્યુ મહત્સવ છે. કર્મને નાશ તે મૃત્યુ મહોત્સવ છે. હરખ શેક કરવા જેવું નથી; દ્રષ્ટા રહી જોયા કરે. શ્રદ્ધા માન્યતા છે તે જ. સદૂગુરુ, પ્રત્યક્ષ પુરુષ સહજાન્મસ્વરૂપ પરમગુરુ-જ્ઞાનદર્શનમય શ્રીમદ્ રાજચંદ્ર તે જ ગુરુ છે જી. નિર્ભય રહે, મૃત્યુ છે નહીં. કઈ પણ પ્રકારે ચિત્તમાં ખેદ હર્ષ-શોક નહીં લાવતાં, કઈ જાતને સંકલ્પ-વિકલ્પ નહીં લાવતાં, મનમાં હર્ષ ઉલ્લાસ લાવો. દુઃખને જાણ્યું તે જવાનું છે ત્યાં શોક નહીં કરે. મ્યાનથી તરવાર જુદી છે તેમ દેહથી આત્મા જ છે. દેહને લઈને વ્યાધિ-પીડા થાય છે, તે જવાને આવી છે. આત્મા છે તે સદ્દગુરુએ યથાતથ્ય જાણે છે. જે તેમણે જાણે છે, તે માટે માન્ય છે, ભભવ તેની શ્રદ્ધા હ! તે અત્યારથી તેને માન્ય કરી, શ્રદ્ધા પ્રતીતિ, રુચિ, સહિત કેઈ સંતસમાગમગે જા તે માટે માન્ય છે. હવે મારે કેઈ ડર રાખવાને નથી. ઉદયકમેં મનાય છે, Page #72 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ભોગવાય છે તે મારું નથી, મારું નથી. જે મેં મારું માન્યું છે તે સર્વ મારું નથી, તે સર્વે સદ્ગુરુને અર્પણુ છે. મારું છે તે જ્ઞાન-દર્શન-ચારિત્ર તે સદ્ગુરુએ જાણ્યું છે. તે આત્મા યથાતથ્ય, જેવા છે તેવા જાણ્યા છે તે મારા, બાકી મારું છે જ નહીં ! ૫૧ અત્રે સમાધિ છે; તમે સમાધિમાં રહેા. સર્વ વસ્તુ સંકલ્પવિકલ્પમાં આવે તે મારી નથી. જેટલું દુઃખ દેખાય છે તે આત્મા જાણે છે. આત્માનું સુખ આત્મામાં છે. કિંચિત હર્ષ–શાક કરવા જેવું નથી. કોઈ વાતે ખાટ જાય તેમ નથી. કાંઈ અડચણુ નથી. સુખ, સુખ અને સુખ છે. પાપ માત્રના નાશ થવાના છે; તેવા અવસર છે. રાગ હાય ત્યાં વધારે કર્મ ખપે. બધી વાતે સુખ છે. એય હાથમાં લાડુ છે. મૃત્યુ તે છે નહીં. સમતા ધીરજ રાખી ક્ષત્રિયપણે વર્તવું. જેટલું આવવું હાય તેટલું આવે; તે બધાના નાશ થશે. અને આત્માની જીત થશેનક્કી માનજો. હિમ્મત હારશે નહીં. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે. આત્મા મરતા નથી. મરણ છે જ નહીં. કલ્પનાથી, અહંભાવ મમત્વભાવથી, ભ્રાંતિથી ભૂલ્યા છે. તે ભૂલી સદ્ગુરુની આજ્ઞાએ સાવધાન થશેા. જે જાય છે તે ફ્રી ભાગવાતું નથી. દેહમાં જણાતું દુઃખ તેથી કંઈ હાનિ નથી. તેથી આત્મા નિઃશંક ભિન્ન દ્રષ્ટા— સાક્ષી છેજી. તે સદ્ગુરુએ જોયા છે. તે શ્રદ્ધ છું, માનું છું. ભવાભવ એ માન્યતા હા ! સહજાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામીને નમસ્કાર હા ! સર્વજ્ઞદેવ, નમસ્કાર હા ! પરમગુરુ, નમસ્કાર હા ! Page #73 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના સમય સમય આ જીવ મરી રહ્યો છે, શુભાશુભ પુદ્ગલને ફરસ્યાં છે. નાની સમભાવમાં છે. દેહ છૂટવા વિષે ભય કર્તવ્ય નથી, હર્ષ-વિષાદ ઘટે નહીં; અશુભ શુભાદિ મિથ્યા માઠાં મનનાં પરિણામ તે જ હાનિ અને તે જ મરણ છે. આત્મા સર્વે શાતા અશાતાના દ્રષ્ટા છે. પર જે જે જન્મ્યા છે તે દરેકને કાઈ ને કાઈ નિમિત્તે મરણ તા અવશ્ય આવવાનું જ છે. મહાન અતિશયધારી એવા તીર્થંકરો પણ નાશવંત દેહને અવિનાશી કરી શક્યા નથી. તા આયુષ્ય ભાગવાઈ રહેતાં પ્રાપ્ત થતા મરણને રોકવા અન્ય કાઈ સમર્થ છે ? વહેલે કે માટે આપણે પણ એ મરણની કસોટીમાં થઈને પસાર થવાનું છે એમ વિચારી સમાધિમરણની તૈયારીરૂપ વિચાર, કષાયની મંદતા કે ક્ષય, માહ અને દેહાધ્યાસના ત્યાગાદિ માટે નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિકાળ અને નિવૃત્તિ ભાવનું સેવન, સત્સંગ, સત્સમાગમ, સત્પુરુષ અને તેની વાણીનું બહુમાનપણું, વૈરાગ્ય ઉપશમાદિનું આરાધન આજથી આપણે કરી લેવા યાગ્ય છે. જો આટલા ભવ સમ્યક્ત્વરૂપ ધર્મને આરાધવામાં ગાળવામાં આવે તે અનેક ભવનું સાટું વળી રહેવા ચેાગ્ય છેજી. વળી મોટા પુરુષોએ આયુષ્યની છેલ્લી ઘડીને જ મરણુ નથી કહ્યું, પણ ક્ષણે ક્ષણે આયુષ્યની દોરી ઘટતી ાય છે, તે ક્ષણ ક્ષણુ જો વિભાવમાં ગઇ તે તે મરણ જ છે. વિભાવ પરિણિત જેની અટકી નથી તેને જ્ઞાની પુરુષોએ હાલતાં ચાલતાં મડદાં જ કહ્યાં છે. જેટલે કાળ સ્વભાવ દશામાં જાય છે તેને જ્ઞાનીઓ જીવન કહે છે. બાકીના કાળ મરવામાં જ જીવ ગાળે છે. આ હિસાબે તે આપણે આપણા જીવનની Page #74 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ઘાત ચાલી રહી છે તેને જ ખેદ કરવાને છે. આમ વૃષ્ટિ ફેરવીને જીવ જુએ તે લૌકિક વસ્તુઓ કે સંબંધીઓના વિયેગ કરતાં અનંતગણ ખેદ કરવા એગ્ય તે આપણુ આત્માની અધમ દશા છે. આત્માનું મૂળ સ્વરૂપ જ્ઞાની પુરુષોએ એવું વર્ણવ્યું છે કે તે કેવળજ્ઞાનસ્વરૂપ, કેવળ દર્શન સ્વરૂપ, ક્ષાયક સમ્યકત્વસ્વરૂપ, અનંત સુખસ્વરૂપ, અનંત વીર્યસ્વરૂપ છે; એટલી બધી રિદ્ધિને ધણું આપણે આત્મા છતાં બે આંખ હોય તે જોઈ શકે, ચિત્ત ઠેકાણે હેય તે જાણી શકે, પુદ્ગલ પદાર્થ મળે તે સુખ સમજી શકે, એ હીન વીર્યવાળે, પરાધીન, પુગળનું જ બહુમાનપણું કરનારે કંગાલ જેવો થઈ રહ્યો છે. તે મૂળ સ્વરૂપથી કેટલે પતિત, કેટલી અધમ દશામાં આવી પડ્યો છે ! એ વિચારી તે નિજ નિર્મળ સહજ આત્મદશામાં પ્રેમ પ્રીતિ સ્થિતિવાળો થાય તેમ હવે પુરુષાર્થ કર્તવ્ય છે. સહનશીલતા, ઘીરજ, ક્ષમા, ખમી ખૂંદવું એ ગુણ ધારણ કરવાથી સારી ગતિ થાય છે. વેદનીયથી ગભરાવું મૂંઝાવું નહીં. જે આવે છે તે જવાને માટે આવે છે અને એથી વિશેષ આવે એમ કહેવાથી વધારે આવનાર નથી કે એ વેદની જતી રહે એમ કહેવાથી જતી રહે તેમ નથી. “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય, કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિંતા જાય.” આથી અનંતગણું વેદના જીવે નરક નિગદમાં ભેળવી છે, તે પણ તેને નાશ થયો નથી. તડકા પછી છાંયો અને છાંયા પછી તડકે આવે છે તેમ વેદના પણ રાખી મૂકવી હોય તે પણ રહેનાર નથી. જે થાય તે જોયા કરવું. જોયા વગર છૂટકે નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના આત્મા કદી મરતા નથી. જન્મતા નથી. ઘરડો નથી, જુવાન નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, વાણિયો નથી, બ્રાહ્મણ નથી. તેમ છતાં આ આઠ પ્રકારનાં કર્મોથી ઘેરાયેલા જુદા જુદા રૂપે દેખાય છે, પણ તે ક્યારેય દેહરૂપે થયા નથી, દેહથી ભિન્ન સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ છે. પરમ આનંદસ્વરૂપ છે. આત્માના સુખનું વર્ણન થઈ શકે તેવું નથી. એવા અચિંત્ય મહિમાવાળા આત્માને જ્ઞાની પુરુષોએ જાણ્યો છે, અને સંત પુરુષાએ જણાવ્યો છે, તે મારે માન્ય છે. મને દુઃખ થાય છે, હું મરી જાઉં છું એમ હું કદી માનનાર નથી. દેહના સંજોગે દેઢુના દંડ દેખવાના હશે તે દેખું છું. પણ મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું છે તેવું અનંત જ્ઞાનસ્વરૂપ, અનંતદર્શનસ્વરૂપ, અવ્યાબાધ સુખસ્વરૂપ અને અનંત શક્તિસ્વરૂપ છે. તેમાં મારે આસ્થા, શ્રદ્ધા, માન્યતા, પ્રતીતિ, રુચિ છે, તે જ મને પ્રાપ્ત થાઓ ! આત્માથી ભિન્ન જે જે સંયાગા મળ્યા છે તે બધા મૂકવાના છે. અને તે સર્વ દુ:ખદાયી છે. શાતા કે અશાતા બન્ને વેદની કર્મ છે. કાઈ રીતે ઇચ્છવા યેાગ્ય નથી. પણ જે આવી પડે તે સમતાભાવે સહન કરવા ચેાગ્ય છે. જ્ઞાની પુરુષો પણ સમભાવે સહન કરવાના અભ્યાસથી સર્વે કર્મથી રહિત થઈ માક્ષ પામ્યા છે. સ્મરણમંત્રમાં ચિત્તને રોકવું. ૫૪ શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગના સદાય આશ્રય રહેા. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષના ક્ષય થાય. જુવાની, નીરાગી અવસ્થા અને સુખ વૈભવ ભાગવ Page #76 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૫૫ વાના પ્રસંગે કરતાં આવી વેદનીના પ્રસંગે જીવને કલ્યાણનાં કારણ હેવાથી અમૃત સમાન છે, પણ વૃષ્ટિ કરી નથી ત્યાં સુધી બહારની વસ્તુઓમાં સુખ લાગે છે અને તે છોડવાને વખત આવે ત્યારે કઠણ લાગે છે. પણ આત્માને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર આદિ ગુણે તે અવિનાશી છે, છોડ્યા છૂટે તેમ નથી. માત્ર તેનું ભાન નથી. એ કઈ સંતને યોગે સાંભળી, વિચારી, સમ્યફ પ્રકારે માનવાથી પરિણામ બદલાય છે. અને જેમ છે તેમ જીવની યોગ્યતાએ સમજાય છે. એ આત્મભાવનાથી આત્મગતિ થાય છે. અનાદિ કાળથી જીવ પર્યાય દૃષ્ટિમાં જ ફસાઈ રહ્યો છે. તેથી શરીર આદિ પર્યાયમાં અહંભાવ મમત્વભાવ કરી તેમાં હર્ષશેક રાગદ્વેષ કર્યા કરે છે. તેથી જન્મમરણ ઊભાં થાય છે. જન્મમરણના કારણભૂત તેવી પર્યાયવૃષ્ટિ તજવા યોગ્ય છે એમ જ્ઞાની પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે છતાં જીવ અનાદિના અધ્યાસને લઈને તે વાત માન્ય કરતા નથી, ગળે ઉતારતો નથી. નહીં તે સર્વ દુઃખને નાશ કરનાર એવું જે સમ્યકત્વ તે જીવ અલ્પ સમયમાં પ્રાપ્ત કરે, સમ્યકત્વ પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ સદ્ગુરુકૃપાથી દ્રવ્યવૃષ્ટિને અભ્યાસ કરવા એ છે. જ્યારે પર્યાવૃષ્ટિ દુખકારક, જન્મમરણનું કારણ અને અનેક પાપનું મૂળ જણાય અને સુખનું સાધન તથા સત્ય વસ્તુ દર્શાવનાર પરમ હિતકારી એવી દ્રવ્યવૃષ્ટિની સમજ સદ્દગુરુ દ્વારા પ્રાપ્ત થાય તથા તેવાં આત્મપરિણામ વર્યા કરે ત્યારે આત્માનું કલ્યાણ સહેજે થાય એમ છે. ભારી પીળા ચીકણો, કનક અનેક તરંગ રે, પર્યાય દૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે. ધર્મ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સમાધિ–સાધના દર્શન જ્ઞાન ચરણ થકી અલખ સ્વરૂપ અનેક રે, . નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. ધર્મ દ્રવ્યદ્રષ્ટિથી આત્મા કેઈને પિતા નથી, માતા નથી, પતિ નથી, ભાઈ નથી, એકલે આવ્યો છે, એક જવાને છે. આત્મા બાળક નથી, વૃદ્ધ નથી, જન્મતે નથી, મરતે નથી. નિર્ધન નથી, ધનવાન નથી, ભૂખે નથી, તરસ્યો નથી, દુઃખી નથી, સુખી નથી, દેવ નથી, મનુષ્ય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આ મૂળ આત્માનું સ્વરૂપ સર્વ પરદ્રવ્યથી ભિન્ન અસંગ સ્વરૂપ સદ્ગુરુકૃપાથી શ્રદ્ધામાં આવે, તેની માન્યતા થઈ જાય તે આ ભવ સફળ થઈ જાય. આ શુદ્ધ સ્વરૂપની ભાવને તે જ ઉત્તમ તપ છે, જપ છે, ભક્તિ છે, ધ્યાન છે, અને સંયમ છે. અંતરંગમાં આવી શ્રદ્ધા રાખી પર્યાય દૃષ્ટિથી મેહુ થાય છે. તે મનમાંથી તેડી નાખીને મારું કંઈ નથી એમ માનવું. હું મરી ગય હેત તો જેમ આ મારું ન માનત તેમ જ જીવતાં છતાં મારાપણું મનમાંથી કાઢી નાખી યથાપ્રારબ્ધ જે વ્યવહાર કરવો પડે તે ઉપર ઉપરથી નિર્મોહીપણે કરવા યોગ્ય છેજ. સમતા ભાવમાં વર્તવાને પુરુષાર્થ કર્તવ્ય છેજી. આ વાત લક્ષમાં રાખી પ્રસંગે પ્રસંગે, કાર્ય કર્યું, જાગૃતિપૂર્વક આત્માની ભાવના ભાવવા યોગ્ય છે. આ પુરુષાર્થ કરાય તે તે અવશ્ય કલ્યાણકારી છે. અમૂલ્ય વસ્તુ તે આત્મા છે. તે જ્ઞાનીએ જાણે છે એ નિઃશંક વાત છે. અને તે જ આપણે આત્મા છે. અત્યારે તેનું ભાન નથી, તે પણ તે માન્ય કરવું અત્યારે બની શકે તેમ છે. આટલી પકડ મરણ વેદના વખતે પણ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૭ સમાધિ-સાધના રહે તે અભ્યાસ થઈ જાય તે સમાધિમરણ આવે, જન્મમરણનાં દુઃખ ટળે અને કામ થઈ જાય. કરોડો રૂપિયા કમાવા કરતાં વધારે કીમતી આ કામ કરવા એગ્ય છે. સ્મૃતિમાં રાખી લઈ મંડી પડવા ગ્યા છે. ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર, એની પેઠે નિશ્ચિત થઈ જવાય એવું છે. પુરુષાર્થ કર્તવ્ય છે જ. કૃપાળુદેવે મને કહ્યું, મુનિ, હવે તમારે શું છે? હવે શું છે? બીજું તમારું નહીં. એક આત્મા. તરત બેસી ગયું. માટે છેડવું પડશે. મૂકવું પડશે. જે જાણ્યું તે નવિ જાણું, નવિ જાણ્યું તે જાણું. પહેલાં શ્રદ્ધા કરી લે. કેની? જે હોય (સત્) તેની. સાચાને પકડે તે હાથ આવે મૂળ એકડે ભણવાની વાત આટલી જ છે. તે માને. એ તારું બળ અને ફુરણું બીજાના હાથમાં નથી. તારા જ હાથમાં છે. માટે થઈ જા તૈયાર. તારી વારે વાર. “આપ સ્વભાવ મેં રે અબધુ સદા મગનમેં રહેના.” “અબઘુ એ આત્મા આત્મા આત્માને ઉદ્દેશીને બૂમ મારે છે તે દયાનમાં લેતે નથી. નિર્દોપ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે આત્માનું લક્ષણ –જાણવું, દેખવું અને સ્થિર રહેવું તે–નિરંતર સ્મરણમાં અનુભવમાં રાખવું. પછી ભલેને મરણ સમયની વેદના આવી પડી હોય, પણ “જાણું દેખું તે હું બીજું તે જાય છે. ચાહીને તેને હાથ જોડી અતિથિની પેઠે વિદાય થતું જ જોવાનું માત્ર છે. તેમાં આત્માને કંઈ વળગે તેમ નથી. નહીં લેવા કે દેવા! જેe Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમાધિ-સાધના ઉદય દેખાય છે તે જવાને વાસ્ત–આવ્યું કે ચાલ્યું. વજા તાળાં વાસીને કહેવું કે જે આવવું હોય તે આને-મરણ આવે, અશાતા આવે, સુખ આવે, દુઃખ આવે, ચાહે તે આવે; પણ તે મારે ધર્મ નથી. મારે ધર્મ તે જાણવું, દેખવું અને સ્થિર થવું એ જ છે, બીજું બધું પુદ્ગલ, પુદ્ગલ અને પુદ્ગલ. ચકરી ચઢે, બેભાન થઈ જવાય અને શ્વાસ ચઢે એ બધું દેહથી જુદા થઈને બેઠા બેઠા જેવાની મજા પડે છે. જાગૃત, જાગૃત અને જાગૃત રહેવું. હાય ! હાય ! હવે મરી જવાશે; આ તે કેમ સહેવાય? એવું એવું મનમાં ન આવવું જોઈએ. વસ્તુ જાણ્યા પછી ભૂલી કેમ જવાય ? દેહ તે હું નહીં, એ નિશ્ચય થઈ જ જોઈએ. આગળ ઘણા એવા થઈ ગયા છે કે જેમને ઘાણીમાં ઘાલી પીલેલા, પણ તેમનું ચિત્ત વિભાવમાં નહીં ગયેલું. વિશ્વાસ અને દૃઢતાથી ગુરુ આજ્ઞાનું પાલન કરવું. જ્ઞાનીએ આત્મા જાણે છે તે જ મારે માન્ય છે. એવી શ્રદ્ધા જ કામ કાઢી નાખે છે. સુખદુઃખ તે જ્ઞાની અજ્ઞાની બન્નેને કર્મવશાત્ ભેગવવાં પડે; પણ વૃષ્ટિ જ બદલવાની જરૂર છે. સર્વ સવળું કરી લેવું આપ સ્વભાવમેં રે અબઘુ સદા મગનમેં રહેના. સહજાન્મસ્વરૂપ પરમ ગુરુ ને જાપમાં કાળ વ્યતીત કરવો. તેથી નિર્જરા થાય. જે ગમે તેને ન ગમાડવું અને ન ગમે તે ગમાડવું. દુઃખ આવો, મિત આવો, ગમે તે આવો–ભલેને તેથી Page #80 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના વધારે આવે, જેટલું આવવું હોય તેટલું આ ! એ ક્યાં આત્માને ધર્મ છે? એ બોલાવ્યું આવવાનું નથી અને ના આવે, મટી જાય, સારું થાય” એમ કહ્યું ઓછું થવાનું નથી. તે પછી તેનાથી ડરવું શું ? જેમ જ્ઞાની પુરુષે દીઠું છે તેવું મારું સ્વરૂપ છે. એણે માનેલું મારે માન્ય છે, પછી બીજું ચાહે તે આવે. તેને મારું માનું ત્યારે મને દુઃખ છે ને ? ત્રણ ગુપ્રિમન, વચન, કાયાની અને પાંચ સમિતિઆજ્ઞાના ઉપગપૂર્વક બેલવું, ચાલવું, આહાર ગ્રહણ કરે, વસ્ત્રાદિ લેવાં મૂકવા અને નિહાર કિયા, આમ આઠે બાબતેમાં ઉપગ રાખીને વર્તે તે “પ્રવચન અંજન.” ઘટપટ વિષે બોલતાં પહેલાં આત્મા તરફ ઉપયોગ રહે, પહેલે આત્મા અને પછી બીજું જ્યાં જુઓ ત્યાં આત્મા, આત્મા, આત્મા. રેમે રેમ એ સાચે, સાચે, થઈ રહ્યું છે આત્મા ઉપગસ્વરૂપ છે. ઉપગ સદાય નિરંતર છે. તે ઉપગ ઉપર ઉપગ રાખે. સૂર્યચંદ્ર વાદળાં આડે ન દેખાય તે પણ છે એમ પ્રતીતિ છે, તેમ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવા યોગ્ય નથી. ઉપયોગ ભૂલી જવાય છે. એ ભૂલ મહાવીર સ્વામીએ દીઠી તે ઠામઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે. આ ૧૯૮૫ દિવાળી ઉપર ત્રણ દિવસ થઈને ૧૦૮ માળા ગણવી જોઈએ. એક વખતે ૧૦૮ ગણવી હોય તે તેમ કરે–ત્રણ ૧. સંવત ૧૯૮૬માં ૫ પૂપ્રભુશ્રીએ ત્રણ દિવસને બદલે ચાર દિવસ એટલે તેરશ, ચૌદશ, દિવાળી અને એકમના દિવસે રાત્રે ત્રશ માળા ફેરવવાનો ક્રમ જણાવ્યો હતો. Page #81 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના પહેાર જાગીને કરે. તેમ ન કરી શકે તેણે પાખીને દિવસે એટલે ચૌદશને દિવસે ૩ માળા ‘સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ’ મંત્રની, ૨૮ માળા પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ’મંત્રની અને ૫ માળા આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે,’ મંત્રની એમ છત્રીશ માળા ફેરવવી. તેટલી જ (૩૬) દિવાળીને દિવસે સાંજે અને છત્રીશ એકમની સાંજે એમ ૧૦૮ માળા ત્રણ દિવસ થઈને ફેરવવી તે છત્રીશ માળા સુધી પણ જે સામાયિકમાં બેઠા હાય તેમ ન બેસી શકે તે સવાર-સાંજ થઈને ૩૬ માળા ફેરવી લે. એમ ૧૦૮ માળા સમાધિમરણની ઇચ્છાથી ફેરવે. કોઈ પણ પ્રકારની આ લોક પરલેાકની વાંછા–નિયાણું ન કરે, ત્રણે દિવસ યથાશક્તિ તપ કરે, ઉપવાસ, એકટાણું કે નીરસ આહારથી ચલાવે તથા બ્રહ્મચર્ય પાળે. શુભ ભાવનામાં ત્રણે દિવસ ગાળે તે તે સમાધિમરણની તૈયારી છે. . ૬૦ જૈન વ્રત કથામાં જેમ ઘણા દુઃખિયાએ દુઃખથી મુક્ત થવા ઉપાય પૂછેલા છે અને સાધુ મુનિઓએ જણાવેલા વ્રતથી લાભ મેળવી જેમ કલ્યાણ તેમણે સાધ્યું છે, તેમ આ વ્રત પણ તેવું જ છે. દરરોજ ત્રણે દિવસ આત્મસિદ્ધિ વગેરેના નિત્યક્રમ પણ ચાલુ રાખવા. ‘જગત આત્મારૂપ માનવામાં આવે,’ પરને પુદ્ગલમાં કાઢી નાખી આત્માને જોવા. જોનાર હાય તા જોવાય છે. તેને પડી મૂકીને જોવાની ટેવ છે તે બદલી નાખવી, ફરવું પડશે. ‘સહાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું સ્મરણ નિરંતર કર્તવ્ય છે. હાલ તે ખની શકે તેમ છે. પછી જે માકી રહે છે તે પણ અવશ્ય પ્રાપ્ત થશે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના અંગ સમકિત આપ્યો છે કે પ્રેમ સપુરુષ ઉપર શ્રદ્ધા થાય, શાસ્ત્રના વાંચનથી તે શ્રદ્ધાને પિષણ મળે અને આત્મા ઓળખવાને જીવને તીવ્રતા જાગે ત્યારે સત્પરુષને બધે એવી શ્રદ્ધા થાય કે આ આત્માનું સ્વરૂપ છે. એટલે જ્ઞાનીને આત્માની શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા થાય તે સમ્યકત્વ છે. તેથી કરીને જ્ઞાની કહેવાય છે અને તેમને નિરાસવ કહ્યા છે. દુઃખાદિ પ્રસંગે જેનાર તે હું છું. કર્મફળરૂપ દુઃખ તે શરીરમાં છે એમ ભેદજ્ઞાન સગુરુદ્વારા ન થયું તેથી અગિયાર અંગને અભ્યાસ નિષ્ફળ થયો. દુઃખાદિ વખતે દેખનાર જુદ રહે તે સમકિત છે. ' સદ્દગુરુએ મંત્ર આપ્યો છે તે આત્મા જ આપ્યો છે. તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં. બેસતાં–ઊઠતાં એક આત્મા જ જે. બેટ્ટો હોય તે બીજું જુએ. એવો દ્રઢ અભ્યાસ થઈ જાય તેને પછી જે ઉદયમાં આવે તે કંઈ હાનિ કરતું નથી, મરવા આવે છે, પછી તેને કંઈ ફિકર નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સિવાય મારું કેઈ નથી” આ જ્ઞાનીનું કહેવું માન્ય કરવાની પ્રતિજ્ઞા કર્તવ્ય છે. એ જ વારંવાર ચિતવવા ગ્ય છે. આત્મા જેવા પ્રત્યે પ્રેમ, કાળજી રાખવી. પુરુષના બતાવ્યા વિના બને તેમ નથી. બોધની જરૂર છે પુરુષ પાસે અજબ ચમત્કારિક કળા છે ! કઈ વખતે આત્મા નથી? તેને વિચારવા યોગ્ય નથી. શૂરવીર થવાની જરૂર છે. એક મરણિયો સેને ભારે તેમ આત્માની સ્મૃતિ અનેક કર્મોને નાશ કરનાર છે. બંધ છે એ ગમ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના આત્મા જેવો. શ્રેણિક રાજાને અનાથી મુનિ પાસેથી આ જ પકડ થઈ હતી, પરમ કૃપાળુ દેવે અમને તે કહ્યું હતું. તેમાં પોતે પણ આવી ગયા, એમ કહ્યું હતું અને તે પકડ થવાથી પડદો દૂર થઈ ગયા. મીઠી વીરડીનું પાણી તરસ છિપાવે છે. ખારે સમુદ્ર આખે ભલે હોય, પણ કંઈ કામને નથી. જ્ઞાનીએ જ છે તેવા આત્માની ભાવના કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મા જેવાણે હોય તે જ્ઞાન કહેવાય. અન્યને પિતાનું માનવું અને પિતાને ભૂલી જવો, છે બીજું અને જેવું બીજું, એ ભૂલ નહીં? આત્મા વગર આ બધું જોવાય ? માટે એને જુઓ. એના ઉપર ભાવ થાય તે તરત પરિણમે જ. એ જ જીવને કાળજી રાખવાની જરૂર છે. એને સંભારવો, સ્મરણમાં યાદ લાવવો, એમાં ને એમાં ચિત્ત રાખવું. આ જ કર્તવ્ય છે. ચેતવા જેવું છે. દેગે છે, આ બધું સાચું નથી. માયાની રેશની અસલ નથી. બનાવટ છે. પતંગ રંગ છે, મજીઠને નથી. જીવને સમજણ હેય તે મજીઠને રંગ લાગે. આ કર્તવ્ય છે. કર વિચાર તે પામ. વાત ચમત્કારિક છે. છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ નહિ ભક્તા નું તેહને, એ જ ધર્મનો મર્મ. જેને દેહાધ્યાસ છૂટ્યો તે કરે છે છતાં નથી કરતા, ખાય છે છતાં નથી ખાતા, બોલે છતાં નથી બેલતા, ભેગવે છે છતાં નથી ભેગવતા–આ આશ્ચર્ય તે જુઓ ! ત્યારે એને ભેદજ્ઞાન થયું ને? છે જગતમાં અને જગતમાં નથી, છે દેહમાં અને દેહમાં નથી! એ સમજણમાં ફેર પડી ગયે ને! Page #84 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના : ६९ આ તે “સુખ આવ્યું, દુઃખ આવ્યું, પૂજા થઈ. સત્કાર થયે, વ્યાધિ આવી, મરણ આવ્યું એમ માની બેઠો છે ત્યાં કર્તા લેતા થયે. કેવો છે પિતે? સિદ્ધ સમાન. નહીં નાને, નહીં મેટો, વૃષ્ટિની ભૂલ છે, આ ભૂલ નથી નીકળી, બાળકની પેઠે બહાર જુએ છે, આ નથી જેતે. પર્યાય દેખીને તેને આત્મા માળે. ઘરડ છું, દુઃખિયો છું,-એ બધું બેટું માન્યું છે. તે મોક્ષ સ્વરૂપ છે. “એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” તું આવ નથી. બાધાપીડા રહિત, અનંત જ્ઞાન દર્શનવાળે તું છું, વિશ્વાસ આવશે? ખેટું એને સાચું માનવું એ કેવી મેટી ભૂલ? મૂળ વસ્તુ વિચારી નથી. અજર, અમર, અવિનાશી, શાશ્વતે ! નથી સ્ત્રી, નથી પુરુષ, એ તે આત્મા છું. અમે કહીએ છીએ તે સાચું માન. વિચાર આવ્યું તે આનંદ આનંદ થઈ જાય. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંપોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તે પામ” આ ત્રણ ગાથાઓમાં આમ પકડાવી દીઘે છે. મરણ કાળે આ ત્રણ ગાથાઓમાં ઉપગ જોડાયે તે કામ થઈ જાય. એને ભેદી મળે અને પકડ થાય, વિચાર કરે તે પામે. સમાધિમરણ આવે. આ ચમત્કારી ગાથા આત્માને સમજવા માટે છે. મરણની વેદની છે. ત્યાં બે સાંભરી આવે તે કામ થઈ જાય. આવું દુખ ભલેને રહ્યું. પણ મારું તે આવું-શુદ્ધ બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંતિ , સુખધામ, એવું–આત્મસ્વરૂપ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સમાધિ-સાધના છે. વેદની, રોગ, મરણ કેઈ મારાં નથી. એને જેનાર જાણુનાર જુદો પડ્યો-ભેદવિજ્ઞાનથી. કર વિચાર તે પામ. રેગ તે જ્ઞાની અજ્ઞાની બન્નેને ભેગવ્યે જ છૂટકે છે, પરંતુ જ્ઞાની કહે છે કે આથી બમણ વેદની આવને, તારા ઘરમાં હું રહીશ ત્યારે ને? ક્ષમા, સહનશીલતા, સંતોષ, ધીરજ, સમતા એ આત્માના સુંદર ઘરમાં હું રમણ કરીશ, પછી વેદની મને શું કરવાની છે? જ્ઞાની ભેદજ્ઞાનથી પરમાં પરિણમી જતા નથી પરંતુ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી રહે છે, જ્યારા ને ન્યારા રહે છે. પાંડવોને શત્રુંજ્ય પર્વત ઉપર શત્રુઓએ લેઢાનાં તપાવેલાં બખ્તરે પહેરાવ્યાં; ભયંકર ઉપસર્ગ કર્યા. પરંતુ પાંડ દેહાધ્યાસ છોડી આત્મધ્યાનમાં તલ્લીન રહ્યા. આત્મધ્યાનમાં અચળ રહ્યા અને શિવપદને પામ્યા, પાંડવોએ શું “આત્મ પિતાને છે, તે તે અજર, અમર, દેહાદિ કર્મ-કર્મથી ભિન્ન, જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાનદર્શન ઉપગમય, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવવાળે છે અને ઉપસર્ગ આદિ તે શરીરને થાય છે, આત્માને અને તેને આકાશ અને ભૂમિના જેટલું છેટું છે.” એમ ભેદજ્ઞાનથી આત્મધ્યાનમાં અચળ રહ્યા. | આપણું ઉપર પણ એવા ઉપસર્ગો આવશે મરણ તે એક કાળે બધાને આવશે. તે તે માટે તૈયાર થઈ જવું. ભેદજ્ઞાનને અભ્યાસ કરે. સેનાને ગમે તેટલું અગ્નિમાં તપાવે તે પણ સેનાપણું જતું નથી. તેમ જ્ઞાનીને રેગ, દુઃખ, કષ્ટ, ઉપસર્ગ, Page #86 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના મરણુ આદિના ગમે તેટલા તાપ આવી પડે તેા પણ પેાતાના જ્ઞાન–સ્વભાવ તે તજતા નથી. ૬૫ અવળું કર્યું ત્યાં જગત દેખાયું, સવળું કર્યું ત્યાં આત્મા જોવાયા. જે દેખાય છે, તે બધુ પર છે. ભળાય છે તેને માન્યું છે એ જ અવળી વૃષ્ટિ દૃષ્ટિ કરે તે બધાને જાણુનાર દેખનાર એવા જે આત્મા તેના ઉપર દૃષ્ટિ જાય. ત્યાં પરપદાર્થોમાં મારું મારું થઈ ગયું છે, તે ટળે. જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઊઠી જવું પડશે. મારે એક આત્મા છે—તે સિવાય જગતમાંની વસ્તુઓમાંથી એક પરમાણુ પણુ મારું નહીં. વિભાવ તે દુશ્મન છે. સ્વભાવ તે મિત્ર છે. વિભાવ પ્રત્યે ઝેર વર્તવું જોઈએ. અનાદિથી અહિતના કરનાર તેમને મિત્ર માન્યા. તે જ ભૂલ છે. હવે તે દુશ્મન છે એમ જાણી તેમના પ્રત્યે અંતરથી ઝેર રાખવા ચેાગ્ય છે. આત્મા ઉપર પ્રેમભાવ વધારી દેવા જોઈએ. તેનું માહાત્મ્ય લાગ્યું નથી. સમજ મોટી વાત છે. સમજ આવ્યે આ ઝેર અને આ અમૃત એમ જણાય. પછી અમૃતને મૂકી ઝેરને કાણુ ગ્રહણ કરે? આ જડ અને આ ચેતન એમ જ્ઞાનીને ભેદ પડી ગયા છે. આત્માનું સુખ કચ્ચું જાય તેમ નથી. મરણ, વેદની તા અવશ્ય બધાને આવશે જ. ત્યાં આટલેા લક્ષ રહે તેા કામ થઈ જાય. વેદની આવે છે તેથી હજાર ગણી આવે. જે આવે છે તે જાય છે. બાંધેલાં કર્મ આવીને છૂટ છે. તેને જોનાર પ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સમાધિ–સાધના એવા આત્મા હું છું. મેં તેા એવા નિશ્ચય કરેલા છે કે હું આત્મા કાઈ કાળે મરવાના નથી. કર્મ તા માંધેલાં બધાં આવીને જવાનાં છે. પણ જોનાર આત્મા છે, આત્મા છે, આત્મા છે. વિશેષ રાગના ઉયથી અથવા શારીરિક મંદ ખળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્મળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને બ્રમાદ્ઘિના ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે એધ અને વૈરાગ્યની વાસના થઈ છે તે તે પ્રમાણે તે રાગને જીવ તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. ખાધ અને વૈરાગ્ય એ આત્મા છે. સદ્ગુરુનું શરણુ માથે છે. સદ્ગુરુ એ પાતાના આત્મા છે, અને દરેકની પાસે છે. સહજાત્મસ્વરૂપ મહામંત્ર છે. ભાન રહે ત્યાં સુધી તેમાં ઉપયેગ રાખવા. તેને સંભાળવા. ભાન ગયા પછી ફિકર નહીં. આ બધાને મરણુ તા એક વખત જરૂર આવશે. તે તે વખતે શું કરવું તે કહું છું. જેને સાંભળવું હોય તે સાંભળજો, ગ્રહણ કરવું હાય તે ગ્રહણ કરો. પકડ કરી લેવી હેાય તે પકડ કરી લેજો. કહેનાર કહી છૂટે, વહેનાર વહી છૂટે. પ્રીતિ અનંતી પર થકી જે તાડે તે જોડે એહ. સગાં, સંબંધી, પૈસા ટકા, ઘરબાર, બૈરાં, છેકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી, અહંભાવ મમત્વભાવ ઉઠાવી લઈ, દેડ આદિ સર્વ પ્રત્યેથી માહમૂર્છા ભાવ ખાળી જાળી, ભસ્મ કરી, સ્નાન સૂતક કરી ચાલ્યા જવું છે. તે સ્ત્રી છું, પુરુષ છું, એ આદિ પર્યાય દૃષ્ટિ છેડી, શ્રી સદ્ગુરુએ જાણ્યા છે એવા એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી; જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી ‘સહજામ સ્વરૂપ પરમગુરુ’ Page #88 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૬૭ મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપગ બધામાંથી ઉઠાવી તેમાં રાખવે. એના જેવું બીજું કઈ શરણ નથી, તે જ કલ્યાણ થશે. આત્મા સશુરુએ જાણ્યો છે માટે સદ્દગુરુનું શરણુ, શ્રદ્ધા, તેના ઉપર ભક્તિભાવ રુચિ પ્રીતિ વધારી હશે તે જ કામ કરશે. - પ્રત્યક્ષ દેખાય છે કે શરીર હાડ, માંસ ને ચામડાનું છે. તેમાં કંઈ સારરૂપ નથી, છતાં વિકલ્પ કરી કરી મારું માને છે. અહંભાવ છેડવા જ્ઞાની કહે છે તે વિશ્વાસ રાખ. વહેવારે વાણિયા, મા, બાપ માન, પણ મનમાં નક્કી કરી નાખ કે તે સ્વનું છે. ખરું નથી. તેવું માનવા માટે કઈ ના કહી શકે તેવું છે? અમારે મનમાંથી માન્યતા કઢાવી નાખવી છે. સ્વપ્ન છે–જોયા કર, નહીં તે ફર્યા કર. આવ્યું છે તે જશે જ. તેની ફિકર શાની? જેનાર અને જાણનાર જુદો છે. તે જ્ઞાનીએ જાણે છે. તેને માન ને બીજા બધાની હેળી કરી નાખ. સદ્દગુરુને અર્પણ કરવું તે શું ? મિથ્યા સમજાય તે મમતા મુકાઈ જાય છે. પછી આત્માની શ્રદ્ધા થાય છે તે અર્પણ. માટે શ્રદ્ધા કરવાની છે. ભેદજ્ઞાન થયા પછી આનંદઘનજીની માફક કહી શકાય કે “અબ હમ અમર ભયે, ન મરેંગે.” જ્ઞાનીનું સ્વરૂપ આમાં વર્ણવ્યું છે. દેહ, માંદગી વગેરેને જ્ઞાનીએ તેનું માન્યું નથી. પછી કાળ કેને પકડે? કાળ નાસી જાય છે જગત આત્મારૂપ માનવામાં આવે છે. તેવા જ્ઞાનીને કાળ શું કરે? અમને કૃપાળુદેવે હાથમાં લખીને કહ્યું હતું કે આ ભ્રમ અને બ્રહ્મ. ભેદજ્ઞાન થયું, પછી રાગદ્વેષ થાય કેમ ? જડ ને ચેતન Page #89 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના કેમ મનાય? માન્યતા ફરી ગઈ. વાણિયા, બ્રાહ્મણ, કંઈ નથી. આત્મા છે. તે જ માનવાને છે. ઓળખાણ થવા માટે સાંભળવું જોઈશે. ઓળખાણ વિના ખબર ન પડે. જડ ચેતનની વાત કરી તેથી કંઈ લાભ નથી, પણ ઓળખાણ થવી જોઈએ. એક જણે દૂધમાં નીલમ (રત્ન) જોઈ લીધું પછી દૂધ નીલું દેખાય પણ દૂધને નીલું નહીં માને. તેમ આત્માની માન્યતા થઈ ગઈ પછી રેગને, દેહને, મરણને પિતાનાં નહીં માને. ઈશ્વર કેણુ? આત્મા. તેનાથી મેટો ઈશ્વર કેઈ નથી, ભીંત ઉપર ઘેડાના ભાવ કર્યા હોય તે ઘેડે જણાય છે. તેમ “સહજાભસ્વરૂપનું સ્મરણ કર્યું હોય તે કાળે કરીને તે રૂપ થવાય છે. તેવા ભાવ થયા કે બધેથી ઊઠી જવાય છે. બધું વિનાશી છે. બધા મમતા કરી કરીને ચાલ્યા ગયા . છે. માટે હવે ચેતી જાઓ. આત્માની શ્રદ્ધા કરી લે. શ્રદ્ધા એવી કરે કે વજીની ભીંત જેવી. બીજું તે આત્મા મનાય નહીં અને આત્મા તે બીજું મનાય નહીં. બીજે પરિણમી ગયે છે, તે આમ પરિણમી જવાનું છે. સમ્યવૃષ્ટિ આત્મા સિવાય કંઈ પિતાનું ગણે નહીં. ગજસુકુમારે શું કર્યું? ધીરજ. ગાંઠે બાંધી લે-ધીરજ, સમતા, ક્ષમા. વેદની વખતે વિચારવું કે મારું છે તે જવાનું નથી; અને જે જાય છે તે તડકા છાંયા જેવું છે પણ તેને મારું માનું જ નહીં. તમારી પાસેથી અમારે કંઈ લેવું નથી. અમારા કરવા નથી કંઠી બાંધવી નથી કે બીજે ધર્મ મનાવ નથી. તમારું છે તે તમારે માનવાનું છે. વાત છે માન્યાની. Page #90 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૬૯ અહીં આત્માની વાત છે. આ વાત જુદી જ છે. આત્મા અરૂપી છે. આંખે દેખાય તેમ નથી. જ્ઞાનવૃષ્ટિથી દેખાય તેમ છે. તે ન થાય ત્યાં સુધી શ્રદ્ધા રાખવાની છે કે મને મારે આત્મા દેખાતું નથી પણ તે છે, જ્ઞાનીઓએ જે તે મારે આત્મા છે. જોતાંની સાથે રૂ૫ દેખાય છે, પણ આત્મા છે તે આંખે જોઈ શકે છે. માટે પહેલે આત્મા જે. દેખાય છે તે તે જડ છે; આત્મા નથી. ફેરવવાનું શું છે? સમજણ. જનક વિદેહીને શું ફર્યું હતું? સમજણ. નગરી બળતાં મારું કંઈ બળતું નથી. એમ સમજણ ફેરવવાની છે. બીજું બધું છે તે પડી રહેવાનું છે. - શ્રેણિક રાજાને અનાથી મુનિને બંધ થયે. સમજણ ફરી. મારું મનાતું હતું તે મારાપણું મટી ગયું. બાકી બધું રાજપાટ, વૈભવ, સ્ત્રી વગેરે જે પ્રારબ્ધ હતું તે પ્રમાણે રહ્યું. સમકિત ક્ષાયિક કરવાનું છે. આત્મા આત્મામાં છે. કર્મ કર્મમાં છે. પાણી મેલું થયું તેથી પાણી અને મેલ એક નથી. સોનું ગમે તેટલું તપે પણ તે સોનું છે. ગમે તેટલા કર્મના ઉપસર્ગ આવે પણ આત્મા તે આત્મા છે. સંબંધથી વેદના જણાય; પણ સંબંધ તે સંબંધ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર' નામ પાડ્યાં છે, પણ વસ્તુ એક જ છે. આત્મા સિવાય જેનાર જાણનાર કેણ છે ? દુનિયામાં સ્થિર કેણ છે? મરે નહીં, ઘરડે થાય નહીં તે આત્મા છે. કોઈ કહે આ મરી ગયે, પણ આત્મા મરતે નથી, દેહ પડી જાય છે. આત્મા જાણે છે જ નહીં તેવી રીતે તેને વિસારી દીધે Page #91 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના છે સાચું માનજો આત્મા છે. તે ન હોય તા આ બધાં મડદાં છે. તેને જ સંભારવા. લાકા કહે છે ને કે આ માણસ મરી ગયા પણ તેને અને અમારે કંઇ સગપણ નથી. અમારે સ્નાનસૂતક ન આવે. તેવું પરભાવને માટે થઈ જવું જોઈએ. દેહને કંઈ થાય તેમાં મારે શું ? સંયેાગ છે, સંબંધ છે. તે કંઈ આત્મા નથી. ૭૦ પ્રમાદથી અને વૈરાગ્ય વિના અટકી પડ્યું છે. કરવાનું બહુ સહેલું છે; વળી મુશ્કેલ પણ છે. માનવાનું, જોવાનું— આટલું જ કરવાનું છે. જડ ને ચેતન કે જાણવાના છે. આટલી ઓળખાણ પડવી જોઈએ. પછી વાંધો નહીં. આ જીવે એકમેક કરી નાખ્યું છે. દેહુ જુદો છે, આત્મા જુદો છે. આત્મા રાજા છે. પણ જાણે તે છે જ નહીં, એવું કરી નાખ્યું છે. તેને સંભાળવાના છે; પશુ કાઈ સંભાળતું નથી. બધા કહે છે, મારું માથું દુઃખે છે, મને રાગ થયા છે, એ વાત તદ્દન સાચી દેખાય છે; પણ જુએ તે તન જૂઠી છે. દેહને અને આત્માને મુદ્દલ સંબંધ નથી. પણુ જીવ માની રહ્યો છે; મને થયું એમ ખેલ્યા કરે છે. તે જાણે છે કે મરી ગયા પછી કંઈ રહેવાનું નથી છતાં મારાપણાની માન્યતા મુકાતી નથી. તેને ચાટ નથી. પરિણમન ખીજું થઈ રહ્યું છે. ખેલે છે તે વાતની ના કેમ કહેવાય ? પણ તે સાવ ખાટી છે. તમારી પાસે ઉપયાગ છે. જ્યાં ઉપયાગ છે ત્યાં આત્મા છે. એક વખત બધાંનું સ્નાનસૂતક કરી નાખેા. પછી કાઈનું રહે નહી. કાઈએ ગાળ દ્વીધી હાય તા વારે ઘડીએ સાંભર્યો કરે, તેમ તમે બધા જાણેા છે છતાં ભાર દઈને કહેવાનું કે ‘ભાવ’ Page #92 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના જોઈએ. આ ખાસ લક્ષમાં રાખશે. બધા સામાયિક કરે છે પણ પૂણિયા શ્રાવકનું સામાયિક વખણાયું. તેમ ભાવ ભાવમાં ફેર છે. સાધુને હમેશાં સમતા હેય. આનું નામ ચારિત્ર, સમભાવ. સાધુ બધેય આત્મા જુએ–સિદ્ધ સમાન જુએ. થઈ રહ્યું-આટલું સમજાય તો થઈ રહ્યું. પરમ કૃપાળુ દેવે અમને કહ્યું હતું, આત્મા જુઓ. માની લીધું થઈ ગયું દ્રષ્ટિમાં ઝેર છે તેથી બીજું દેખાય છે. તે સત્ છે. તે પરમાનંદરૂપ જ છે, એવો નિશ્ચય હોય તે બાકી રહે? આ તે બધી સાતા વેદની છે. સુખ ન હોય. સુખ તે આત્માનું છે, તે સાચું. તમને બધાને ભાવ, પરિણામ કરાવવાં છે. ચૂંટી ખણીને જગાડે છે. હમણાં મનુષ્ય ભવ છે, અહીં સમકિત થાય તેવું છે. પછી ક્યાંથી લાવશે ? જેમ કે ધન સંતાડે છે તેમ સમભાવરૂપી ઘન રાખી મૂકે. તેમાંથી બધું મળશે. શરીર ઘણું થઈ પડયું છે. તેની ખબર લેવાય છે. ખરેખરી રીતે તે તે દુશ્મન છે, તે જાણવું જોઈએ. લૂંટમલૂંટ લેવાનો વખત આવ્યો છે તેનો અર્થ એ કે ભાવ કરવા, આત્માના ભાવ કરવા. “શરીર નહીં તે નહીં, એવું થવું જોઈએ. તેને ઝેરરૂપ ગણ્યા વિના બીજે ઉપાય નથી. બધા જ્ઞાનીઓએ એમ જ કર્યું છે.–આ તે ચમત્કાર છે, ચમત્કાર ! બધામાંથી ઊઠાડી આત્મામાં ભાવ કરાવ્યો છે. “મારું નથી તેને “મારું” કરવા ફરવું નહીં. તે થવાનું નથી. જે કરવાનું છે તે આજે કહી દઉં છું. સમજ. વધારામાં કહેવાનું–ભાવ. ચેટ થવી જોઈએ. પરિણામ, ભાવ કરતાં કરતાં તે ફળીભૂત થશે. આ સંબંધ છે તે શું તે નથી? છે જ. Page #93 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના બૈરાંને ઘણી સાંભર સાંભર થાય છે, તેમ આત્મા સાંભર સાંભર થવું જોઈએ, આ તે એને ભૂલી જ ગયે છે. એને લઈને આ બધું છે. એ ન હોય તે કંઈ નથી. છતાં તેને સંભારતેય નથી. મરે પણ ફરે નહીં એવી શ્રદ્ધા છે, છતાં ઉદય હોય. કરવાનું શું છે? સમજ. કામમાં શું આવશે? સમજ. દેહ તે ઘરડે થતું જશે. અમારે દેહ જુએ. કાન આંખ અત્યારે કામમાં આવતાં નથી. તેથી શું થયું ? જી હેય તે કામમાં આવે. પૂંજી કરી લેવી. તે સમજ છે. દેહ છે તે જ રહેશે પણ સમજ જતી રહેવાની નથી. ભાવ હતા તે ઉઠાડી જ્યાં કરવાના છે ત્યાં કરવા. સમજ પ્રમાણે ભાવ થશે. કર્મ તે છૂટી જ રહ્યાં છે. વિકલ્પ કરીને જીવ બીજાં નવાં કર્મ બાંધે છે. નહીં તે છૂટી જાય. માંદા પડવાનું, મરવાનું કર્મને લઈને છે. આવ કો કર્મ આવતાં નથી. જા કો જતાં નથી. છૂટવાને ઉપાય સમભાવ છે. કર્મનાં પોટલાં છે તેને જીવ મારાં મારાં કરી ગ્રહી રાખે છે. તેથી કહ્યું છે, તારી વારે વાર. તું મારું માનવું મૂકી દઈશ તે કર્મ પાછળ પડી વળગતાં નથી. તું જ ભેગાં કરવા દેડ કરે છે. બધું ખોટું છે. તેમાં મારું માની શાને રુએ છે? દુઃખરૂપ છે તેમાં સુખ ક્યાંથી હોય ? આત્મામાં દુઃખ છે? પછી શાને બીએ છે? વેદની આવી હોય તે જોયા કર, સમકિતી તેને શાતા માને છે. તે શું કરે છે? જોયા કરે છે. તેનામાં શું આવ્યું? સમજ. સમજ્ય છૂટકે છે. જ્ઞાનીને ગમ્મા જેમ નાખે તેમ સમ્મા. તે શું? જ્ઞાની જેમ છે તેમ Page #94 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના જુએ છે. બૈરાં પારકાની કાણુ પિતાને ઘેર લાવે છે અને રૂએ છે. તેમ બધી દુનિયા કરે છે. પારકાને ઘેર મરણ તેમાં મારે શું ? જેની ગણતરી કરવાની છે તેની ગણતરી કરતા નથી. અને પારકાની પિક મૂકે છે. સમજીને શમાઈ જવાનું છે. | વેદનીને કહ્યું હોય, તે બે મિનિટ ઊભી રહે, તે તે ઊભી નહીં રહે. પૈસાને કહ્યું હોય, તમે બે મિનિટ રહે, તે નહીં રહે. જે જવા આવ્યું છે તેને માટે તું શાની રડાકૂટ કરે છે? કરવાની છે સમજ. સમજ્ય છૂટકે છે, બીજે ઉપાય નથી. બધા ઘણુ મરી ગયા. તું મરી જવાને છે. તેથી આત્મા મર્યો? ના. તે પછી તે કેને રડે છે ? કેની પિક મૂકે છે? આ જ ભૂલ છે. ભૂલ તે કાઢવી જ પડશે. “ધિંગ ધણી માથે કિયો,” તે કરી લે. અનાદિ કાળથી જીવે દેહને જ સંભાર્યો છે. આત્માને સંભાર્યો નથી. તે તે જાણે છે જ નહીં એમ કરી નાખ્યું છે. વાસ્તવિક રીતે તે ન હોય તે બધાં મડદાં છે. ભાવ કરવા. મનુષ્ય ભવ દુર્લભ છે. મહાપુણ્ય કર્યા છે તે આ પામ્યા છે. અમારું કહેવું કંઈ બીજું જ છે. આ માથું વાઢી નાખે, દેહ રહે કે ન રહે, પણ બીજું મારું નહીં. અમારે તે વાત આત્માની જ કહેવી છે. મારો આત્મા તે મારે ગુરુ. તે જ્ઞાનીએ જાણે છે તે ખરું. જેણે જાણે છે તે મારે ગુરુ. અને તેણે આપેલી ભક્તિ, છ પદને પત્ર, વીસ દુહા વગેરે ચિંતામણિ ગણું સંઘરી રાખું. બીજું બધું જતું રહેવાનું છે તે મારું નથી. મારે તે આત્મા. જે એણે કહ્યું છે તે કરવું. જીવતાં સુધી, શાતા હોય, ભાન હોય ત્યાં સુધી કરવું. પછી કંઈ થઈ શકે તેમ નથી. Page #95 -------------------------------------------------------------------------- ________________ સમાધિસાધના મારે તે આત્મા. એ આત્માની પકડ અને તે જ મારે ગુરુ. અને તે જ મારે માન્ય. આતમભાવ ભાગ્યે જન્મ મરણને ફરે છૂટી જાય. ધિંગધણી માથે કિયા” એક ઘણ કર્યો. બીજું કંઈ નથી. માયા, સંબંધ, પૈસે ટકે, કાયા, બધું મળવું તે કર્મોઘીન છે. આત્મા છે. તેને નાશ નથી. માથે ઘણું કર્યો એટલે થઈ રહ્યું. મૂળ વસ્તુ તે જ્ઞાન-દર્શનચારિત્ર તે આત્મા, એ જ છે. એ જ ઘણું છે. એને માની લે. આટલે ભવ મનુષ્યને છે તે ચિંતામણિ છે. ખરે લહાવે ધર્મને લેવાને છે. એક આત્માની ઓળખાણ થઈ તે બસ. રેજ મૃત્યુ સંભારવું. તેથી મમત્વભાવ નહીં રહે. જીવ ઘેરાઈ જશે ત્યારે તે કંઈ નહીં બને. આ સંસાર સ્વમવત છે. પગ મૂકતાં પાપ છે. મરણને ત્રાસ માથે છે. જે મરવું ન હોય તે ભલે આળસ કરે; પણ તે તે છોડવાનું નથી. ઘણું પુણ્યને લઈને મનુષ્ય જન્મ મળે છે. તે એળે ન જવા દે. ચેતવા જેવું છે. ઘડી વારમાં ફૂટી જાય એ દેહ છે. તેને ભરોસે કરવા જેવું નથી. પાપ અને પુણ્ય સાથે આવે છે. બીજું બધું પડ્યું રહે છે. એ આપણે નજરે જોઈએ છીએ. ત્યાગ અને વૈરાગ્યની જરૂર છે. કમાવા માટે કે ધંધા-આબરૂ માટે આટલું બધું કરીએ તે આ જીવને અનાદિ કાળથી પરિભ્રમણ થતું આવ્યું છે તે ટાળવા માટે કાળજી નહીં રાખવી? એની (જીવની) નેકરી–ફરજ પણ બજાવવી, “આત્મઘાતી મહાપાપી.” બધાં દર્શનેમાં આ વાત માન્ય છે. વિષ્ણુ, મહાદેવ કે માતા એ માન્ચે મેક્ષ થવાને નથી કરણીનાં ફળ મળશે. પણ Page #96 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૭૫ ખરા દેવને, આત્માને ઓળખ્યા વિના મેક્ષ નથી. સનાતન જેન, વેદાંત બધેય આત્માને જ લક્ષ રાખે છે. પાપથી છૂટવાને રસ્તે સાચા દેવ, સાચા ગુરૂ, સાચા ધર્મની ઓળખાણ છે. આટલા ભવ એળે ગયા તે આટલે ભવ ધર્મ ખાતર જ કરવા જેવું છે. એમાં કાળ જશે તે અલેખે તે નહીં જાય. એની જ શોધ, એની જ ખેજ, એના જ વિચારમાં રહેવું. પ્રભુ! કેવા કેવાના ઉદ્ધાર થઈ ગયા છે ! “સહજાન્મસ્વરૂપ” એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભારતાં, યાદ કરતાં, બેલતાં, વૃત્તિ તેમાં વાળતાં કેટિ કર્મ આપે છે. શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મેક્ષનું કારણ થાય છે, મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્રમરણમાં કે તે સાંભળવામાં જોડાય તે ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે. હું અને મારું જ્યાં મનાય છે ત્યાં કર્મ બંધાય છે. હું ને મારું જેને ટળી ગયું છે તેને કર્મબંધ થતું નથી. આંટી પડી ગઈ છે તેને ઉકેલવી પડશે. ચર્મચક્ષુથી જોવાય છે. તે મૂકીને દિવ્યચક્ષુ જોઈએ. જગત આત્મારૂપ જોવામાં આવે–આત્મા પહેલે હેય તે જગતમાં આ બધું જોવાય-જણાય છે. આત્મા ન હોય તે આ બધાં મડદાં છે. તે આત્મા યથાર્થ તે અનંતા જ્ઞાની જે મેક્ષે ગયા, સિદ્ધ થયા તેમણે જાણે છે. તે જ યથાર્થ આત્મા જ્ઞાની એવા સદ્દગુરુદેવે જાણે છે. તે જ સિદ્ધ સમાન શુદ્ધ મારે આત્મા છે, તે જ મારું સ્વરૂપ છે. તેથી અન્ય આ જગતમાં કાંઈ મારું નથી. એમ “આત્મભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' મારે નથી મા સ્વરૂપ છે સિક ૧ લહે કે Page #97 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના બાહ્યની વસ્તુ જેવા જેમ ચક્ષુ જોઈએ, તેમ જ્ઞાનચક્ષુથી અંતરની વસ્તુ જેવાય. જ્ઞાનચક્ષુ વિના આત્મા જેવાય નહીં. આત્મા અરૂપી છે. એ રૂપી તે છે નહીં. દેવતા હોય તેને ચીપિયે હોય તે ઝલાય, તેમ આત્મા ચર્મચક્ષુથી ન જણાય. તે એને જોઈએ શું? તે કે દિવ્યચક્ષુ. એ દિવ્યચક્ષુ જ્ઞાની પાસે છે. એ ચક્ષુ ચડાવે ત્યારે આત્મા દેખાય. યેગ્યતા હોય તે જ્ઞાની માગે જ હોય તેને બેલાવીને આપી દે. યેગ્યતા એટલે શું? યેગ્યતા એટલે ભાવ, પ્રેમ. એને ઉપર જ ભાવ પ્રેમ આવે તે કામ થઈ જાય. ઠામ ઠામ આત્મા જુઓ. કાળું ઘેલું જેવા ગયા ત્યાં માર્યો ગયા સમજજે. આ મારે સાક્ષાત્ આત્મા, આય મારે સાક્ષાત્ આત્મા. “Úહિ તૃહિ એક એ જ. આત્મા . ઉપર પ્રેમ પ્રીતિ ભક્તિ નથી થઈ તે કરવી છે, તે માટે આ દાવ આવ્યો છે. માટે ચેતી જાઓ. માત્ર વૃષ્ટિકી ભૂલ હૈ”—અવળાનું સવળું કર્યું નહીં. ભાત સવળી કરી નાખી નહીં, નહીં તે ઝેરનું અમૃત થાય. આ બાઈ, આ ભાઈ, આ સારે, આ નરસ, આ વાણિયે, આ બ્રાહ્મણ–એમ માયા જોઈબાહ્ય દૃષ્ટિએ સાચું જોવાય નહીં, ઊંડા ઊતરે તે સાચું જોવાય. સાચું જોવું જોઈએ. તે શું? તે કે આત્મા. જ્ઞાનીએ ઠામ ઠામ આત્મા જોયે છે. ઠામ ઠામ આત્મા જેવાય તે ઝેરનું અમૃત થઈ જાય. ઠામ ઠામ એક જ જેવાય ત્યાં નિધાન છે. વૃષ્ટિ તે ફેરવવી જ પડશે. તારી વારે વાર. વૃષ્ટિ ફરે તે હાલ, નહીં તે હજુ વાર છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૭૭ જાગૃત થઈ જાઓ, તૈયાર થઈ જાઓ, વૃષ્ટિ ફેરવી નાખો. નાશવંત જગતની માયામાંથી પ્રીતિ ઉઠાવી એક આત્મા ઉપર ભાવ, પ્રીતિ, પ્રેમ કરે. તમે આત્મા છે, જ્ઞાનીએ ઠામ ઠામ આત્મા જે છે. તે શુદ્ધ આત્મા તે મારે છે, તે હું છું, તેથી અન્ય તે મારું નથી. એ વિશ્વાસ કરી દે. આત્માનું માહાત્મ્ય સમજાયું નથી, તેથી આત્મા જેવાની વૃષ્ટિ થતી નથી. સત્સંગમાં બેધ જેમ જેમ સાંભળ સાંભળ કરશે તેમ તેમ સમજ આવશે. સમજણ આવ્યે વૃષ્ટિ ફરે. અવળું કર્યું ત્યાં જગત દેખાયું, સવળું કર્યું ત્યાં આત્મા જવાય. જે દેખાય છે તે બધું પર છે. જે ભળાય છે તેને માન્યું છે. એ જ અવળી દ્રષ્ટિ. વૃષ્ટિ ફરે તે બધાને જાણુનાર–દેખનાર એ જે આત્મા તેને ઉપર દૃષ્ટિ જાય; ત્યાં પરપદાર્થોમાં મારું મારું થઈ ગયું છે તે ટળે. બધું મૂકવું પડશે. જ્યાં જ્યાં મારું મારું કર્યું છે ત્યાંથી ઊઠી જવું પડશે. મારે એક આત્મા છે. તે સિવાય જગતમાંની વસ્તુઓમાંથી એક પરમાણુ પણ મારું નહીં. નિશ્ચયનયથી જેવું પોતાનું સ્વરૂપ છે, તેને નિશ્ચય થયે નથી. તે નિશ્ચય કરી લે. એક આત્મા જ ઓળખાય તે ફિકરના ફાફા માર્યા આત્મા ઓળખે તે બેલી ઊઠ્યા, અબ હમ અમર ભયે, ન મરેંગે.” કાળ તે તેને કિકર થઈ રહ્યો ! મૃત્યુ તેને મહોત્સવ થઈ પડે છે. હવે તે આત્મા જેવાનું કરે. બીજું જોવાનું કર્યું છે. તેથી ફરીને એક આત્મા જેવાનું કરે. વૃષ્ટિમાં ઝેર છે, તે અમૃત થાય તેમ કરે, માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ. જ્ઞાનીઓએ એ જ Page #99 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના કર્યું છે. એ જ જોયું છે. કર વિચાર તે પામ. વિચાર વડે હૃષ્ટિ પલટાવી અંતરદૃષ્ટિ કરવાની જરૂર છે. આ ચર્મચક્ષુ મૂકવી પડશે; ખાદ્યવૃષ્ટિ, પર્યાયવૃષ્ટિ મૂકવી પડશે. દિવ્યચક્ષુ જોઇએ. એક મણિયા સોને ભારે છે. તેમ મરણિયા થઈ જાય ત્યારે કામ થાય. સમિત વગર માક્ષ નથી. સમકિત સુલભ છે, સહેલું છે. સૃષ્ટિ ફેરવવી જ પડશે. ૭૮ જ્ઞાની પાસે જ દ્વિવ્યચક્ષુ છે. ખીજા બધા સંસારી જીવા ચર્મચક્ષુથી જુએ છે અને તેથી કર્મબંધન કરી રહ્યા છે. જ્ઞાનીને તેથી બધું સવળું છે. જ્ઞાનીના ગમ્મા અને જ્યમ નાખા તેમ સમ્મા. જ્ઞાની ગમે તેમ વર્તે છે છતાં મંધાતા નથી. તેમનું વર્તન માત્ર સવળું જ થાય છે. અજ્ઞાનીનું ખ વર્તન અવળું જ છે. પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક વૃઢ શ્રદ્ધાથી ઉપાસના કરશે તે કલ્યાણ જ છે. એ આજ્ઞા તે ‘સહજાત્મસ્વરૂપ’ છે, અને એ જ આત્મા છે, એમ દૃઢ શ્રદ્ધા રાખવી. આ તે સાંભળ્યું છે, એમાં ખીજું નવું શું છે ? એ પ્રકારના વિકલ્પથી સામાન્યપણામાં ન કાઢી નાખતાં આમાં કોઈ અલૌકિકતા રહી છે. એમ દૃઢ શ્રદ્ધાથી આરાધન કરવું. મરણ તા સર્વને છે જ. દેહ ધર્યાં ત્યારથી જ મરણુ છે અને મરણુ સમયની વેદના પણ અસહ્ય હાય છે. ભલભલા ભાન ભૂલી જાય છે. તે વખતે કંઈ પણ યાદ આવી શકતું નથી માટે અત્યારથી જ તેની તૈયારી કરી રાખવી કે સમાધિમરણ થાય. ‘મરણ અવસરે મને ખીજું કંઈ ન હેા, આ જ આજ્ઞા માન્ય હે ! હું કંઈ પણ જાણતા નથી, Page #100 -------------------------------------------------------------------------- ________________ માટે સમાધિ-સાધના પરંતુ આ જે કહે છે, તે જ સત્ય છે. અને તે જ આજ્ઞા માન્ય હે ! એમ તૈયારી કરી રાખવી. સમયે સમયે જીવ મરી રહ્યો છે. માટે સમય માત્રને પ્રમાદ ન કરતાં “સમર્થ જોયા ના પ્રમાણ” એ વાક્ય યાદ રાખીને સમયે સમયે આજ્ઞામાં પરિણામ કરવાં. મારું તે એ પુરાણ પુરુષ પરમકૃપાળુદેવે જે કહ્યું છે તે એક માત્ર “સહજાન્મસ્વરૂપ” જ છે, અન્ય કોઈ મારું નથી. અંતરાત્માથી પરમાત્માને ભજાય છે. માટે અંતરથી દૃઢ શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી. આ સંજોગ-સંબંધ સ્ત્રી-પુત્ર, માતા-પિતા ભાઈ આદિ સર્વ પર્યાય છે, (કર્મજન્ય વૈભાવિક પર્યાય છે) અને નાશવંત છે, માટે તે કઈ મારાં નથી. મારા તે એક સસ્વરૂપી પરમકૃપાળુદેવ છે અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તે સહજાન્મસ્વરૂપી એક આત્મા જ છે. તે સહજાત્મસ્વરૂપ આત્મા છે, નિત્ય છે, એ આદિ છ પદ જે પરમકૃપાળુદેવે કહ્યાં છે તે સ્વરૂપવંત છે, એ મારે છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી કે મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજું કંઈ નહીં માનું. એ માનવાથી જ, એ માન્યતા રહેવાથી, તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે. જ્ઞાન-દર્શનચારિત્રમય સહજાન્મસ્વરૂપ આત્મા એ જ આપણે છે, એમ માનવું. જીવ પોતાની મેળે શ્રદ્ધા, ભાવના કરે એના કરતાં આ તે સાક્ષી થઈ, અમારી સાક્ષીયુક્ત થયું. વિષય કષાયથી જુદું મારું સ્વરૂપ તે પરમકૃપાળુદેવે જે કહ્યું છે તે આજ્ઞા સહજાત્મસ્વરૂપ જ છે, એમ સમયે સમયે હૃઢ શ્રદ્ધાપૂર્વક વર્તવું અને તેમ કરતાં જે કંઈ આવે તે સહન કરવું. સહનશીલતાનો માર્ગ છે. પરમકૃપાળુદેવ પ્રબંધિત છે અને એક દિ માનવું અને Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮O સમાધિ-સાધના આજ્ઞા સહજાત્મસ્વરૂપ એ જ આત્મા છે અને તે જ મારે છે, એમ ભાવના, ફૂઢ શ્રદ્ધા પરિણામ કરે. * પાંચ સમવાય કારણ મળે ત્યારે કાર્યનિષ્પત્તિ થાય છે. અને તેમાં પુરુષાર્થ શ્રેષ્ઠ છે. માટે પુરુષાર્થ એ કર્તવ્ય છે. આજ્ઞા ઉપાસવી અને તેમ કરતાં સદા આનંદમાં રહેવું. મારું સ્વરૂપ તે જ્ઞાન-દર્શનચારિત્રમય આત્મા એ જ છે. અને તેનાથી અન્ય છે તે વિનાશી છે, તે તેને ખેદ છે? માટે ખેદ ન કરતાં સદા આજ્ઞામાં લક્ષ-ઉપગ રાખી વર્તતાં આનંદમાં રહેવું. આ જ કરવું છે એમ નિશ્ચય કરે અને આ જ ખરું વ્રત છે. આજ્ઞામાં ઉપગ, તેની ઉપાસના એ જ ખરું વ્રત આરાધવા ગ્ય છે. અનંતા જ્ઞાની જે થઈ ગયા છે તેને બધાને આ જ માર્ગ છે, આ જ આજ્ઞા છે, અને તે જ પ્રત્યક્ષપણે પરમકૃપાળુદેવે જણાવી છે. માટે પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધતાં સર્વ જ્ઞાનીની ઉપાસના આવી જાય છે. આ બરાબર સ્મરણમાં રાખશે, ઉપગમાં રાખશે, અને એ જ માન્યતા એવી તે દૃઢ કરવી કે મરણ સમયે તે જ આપણને છે. એ જ લક્ષ રાખવે. ૨. શ્રી ધર્મામૃતમાંથી સદ્ગુરુ ઉપદેશ છે કે હે ભવ્ય ! શરીર અન્ય છે, હું અન્ય છું, શરીરથી હું કેવળ ન્યારે છું, ઇત્યાદિ ભેદજ્ઞાનરૂપી અમૃતના સરેવરમાં અવગાહન નથી કર્યું, શરીરને પિતાનું માન્યું છે, તેથી પિતાના માનેલા શરીરના સંબંધે એક કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ એ પાંચ સમવાય કારણ. Page #102 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૮૧ નરકાદિ ચારેય ગતિઓમાં શારીરિક અને માનસિક દુખેથી ઉસન્ન થયેલ દાહની જવાલાએથી તું સંતપ્ત થયે છું. પરંતુ હવે અત્યારે તે જ્ઞાની ગુરુના અમૃત સમાન બેધના બળે તને શરીર અને આત્માને ભેદ, ભિન્નતા, નિશ્ચિત થઈ ચૂક્યાં છે. તેથી વાસ્તવમાં ગાદિ દુઃખ શરીરને જ થાય છે, આત્માને નહીં, એમ જાણ. જે આત્મા ને શરીરને ભિન્ન ભિન્ન જાણે છે, આકાશને અને ભૂમિને જેટલું છેટું છે, ભિન્નપણું છે, તેટલું આત્માને અને શરીરને છેટું છે, ભિન્નપણું છે, એમ શરીરથી આત્માને કેવળ જુદ જાણે છે, તે પિતાના આત્માનો સાક્ષાત્ દર્શનથી ઉત્પન્ન થતા આનંદનો અનુભવ કરે છે. તેથી સુખથી પરમાનંદમાં રહે છે. आत्मदेहान्तरज्ञानजनिताहलादनिर्वृतः । तपसा दुष्कृतं घोरं भुंजानोऽपि न खिद्यते ॥ –-સમાધિશતક આત્મા અને દેહની ભિન્નતાના જ્ઞાનથી ઉત્પન્ન થયેલ આનંદથી ભરપૂર મહાત્મા જ્ઞાની પુરુષ તપ વડે પૂર્વનાં ઘોર પાપકર્મોના ઉદયને ભેગવતાં પણ સમતા, શાંતિ, ધીરજ આદિ આત્મગુણેના અવલંબને આનંદમાં જ રહે છે પણ ખેદખિન્ન થતા નથી. મહામુનિ ગજસુકુમાર, પાંડવાદિ મહાપુરુષ, સુકેશલ મુનિ, અવંતિસુકમાળ આદિ મેક્ષગામી મહાનુભાવોએ ઘેર મારતિક ઉપસર્ગોને પણ શાંતિથી, ધૈર્યથી, સમભાવે સહન કરી મેક્ષરૂપ ઈષ્ટપદાર્થ સિદ્ધ કર્યો છે, અને પિતાના પ્રાણને તજ્યા છે, પરંતુ પોતાના આત્માના ધ્યાનરૂપ મેક્ષના ઉપાયને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમાધિ–સાધના ત નથી. એટલા માટે તું પણ એવા પુરુષના પરાક્રમને યાદ કરી અપૂર્વ વીર્યને સ્કુરાયમાન કરી, કર્મરહિત નિત્ય શાશ્વત ચિદાનંદમંદિર એવા તારા શુદ્ધ ચિદૂરૂપ, શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં તલ્લીન થઈને આ શરીરને છોડી દે. જે એમ ન કરતાં સંક્લેશ પરિણામ સહિત દેહને છોડીશ તે સંસારનાં અનંત દુખેથી ચિરકાળ પર્યત વ્યાકુળ રહીશ. માટે સંકલેશ પરિણામને તજીને પરમ અસંગ ભાવે, વીતરાગ ભાવે, સમાધિપૂર્વક, આત્મભાવમાં તલ્લીન થઈને દેહને ત્યાગી દે. સર્વ દ્રવ્ય ભાવકર્મ રહિત આનંદસ્વરૂપ એક પિતાને આત્મા જ મોક્ષાર્થીઓને ઉપાદેય વા ગ્રહણ કરવા ગ્ય છે, બીજાને આત્મા વા બીજું કાંઈ ઉપાદેય નથી, આ પ્રકારની શ્રદ્ધા તે જ પારમાર્થિક વા નિશ્ચય સમ્યગ્દર્શન છે. તથા સ્વસંવેદન જ્ઞાનથી તે શુદ્ધ આનંદમય ઉપાદેય સ્વરૂપ આત્માને મન, વચન, કાય ત્રણેથી વા શરીરથી ભિન્ન પૃથફ અનુભવ કરે તે નિશ્ચય સમ્યજ્ઞાન છે. અને અત્યંત તૃપ્ત વા તૃષ્ણા રહિત થઈને શુદ્ધ આનંદસ્વરૂપ અનુભૂત નિજ સહજ સ્વરૂપ આત્મામાં પિતાનું અંતઃકરણ તન્મય થઈ જતાં તે સહજાત્મામાં આત્માની અવસ્થિતિ અર્થાત સ્થિરતા તેને પારમાર્થિક ચર્યા અથવા નિશ્ચય ચારિત્ર કહે છે. અર્થાત્ પિતાના આત્માને નિશ્ચય થવે એ જ સમ્યગદર્શન છે, પિતાના આત્માનું જ્ઞાન થવું એ જ સમ્યજ્ઞાન છે, અને પિતાના જ આત્મામાં સ્થિર થઈ જવું તે સમ્યક ચારિત્ર છે. હે આરાધક! જે તું વારંવાર શ્રુતજ્ઞાનની ભાવનામાં પરિણત થઈને પુદ્ગલાદિ પરદ્રવ્યોમાંની અલ્પ પણ આક Page #104 -------------------------------------------------------------------------- ________________ સમાધિ સાધના ક્ષાને સારી રીતે ત્યાગી દઈશ, અને નિર્વિજ્ઞપણે સ્વાત્મામાં દેદીપ્યમાન થઈશ અર્થાત્ પરદ્રવ્યની આકાંક્ષા છેાડીને કેવલ સ્વાત્મામાં લીન થઈ જઈશ તા તું નિશ્ચયથી મેાક્ષના સાક્ષાત્ કારણ એવા તપમાં સ્કુરાયમાન થઈશ. આ સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યકૂચારિત્ર અને સમ્યક્ તપરૂપ ચાર આરાધનામાં મગ્ન થયેલા હે સુવિદ્યુિત શિરારત્ન ! અર્થાત્ સમાધિરૂપી ચૂડામણિને ધારણ કરનાર ! હવે તું જીવન, ધન, આદિની આકાંક્ષાના ત્યાગ કરવાથી અંતરંગ અને માહ્ય પરિગ્રહ રહિત થઈને સમતા વા પરમ સામાયિકરૂપ પરિગ્રહથી સુશેાભિત થયા છે, અર્થાત પરમ સામાયિકમાં લીન થયા છે, માટે ધ્યાતા, ધ્યાન, ધ્યેય આદિ વિકલ્પાથી રહિત નિર્વિકલ્પ સમાધિમાં નિમગ્ન થઈને આનંદરૂપ અમૃતનું પાન કર. આ આત્મા સદા પોતાનામાં જ અભિલાષા કરતા રહેતા હાવાથી સદા અભીષ્ટ પદાર્થોને જાણે છે અને પેાતાનું હિત કરવામાં સદા તત્પર રહે છે એટલા માટે આત્માં જ આત્માના ગુરુ છે. એ પ્રમાણે નિશ્ચયથી પેાતાના શુદ્ધ આત્માને, અને વ્યવહારથી પરમકૃપાળુ જ્ઞાની સદ્ગુરુ નિર્યાપક આચાર્યને જેણે પોતાના આત્મા સમર્પણ કરી દીધા છે તે મહાભાગ્ય આરાધક સર્વોત્તમ આત્મધ્યાનમાં મગ્ન થઈ પરમ શ્રેયપદ ધિ અને સમાધિથી વિભૂષિત થઈ પરમપદ પ્રત્યે ગમન કરે છે. ૮૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સમાધિ-સાધના ૩. સમાધિચાહના ( શાર્દૂલવિક્રીડિત છંદ ) જાગી જે જીવ તું, વિચાર કરી છે, શું સાર સંસારમાં? જીવે સર્વ દુખી દુખી બળી રહ્યા, રાગાદિ અંગારમાં; આધિ વ્યાધિ ઉપાધિ આદિ દુખને, સંતાપ જ્યાં સર્વદા, મૃત્યુ જન્મ જરાદિ દુઃખદરિયે, ત્યાં સૌખ્ય શું? જે, કદા? ૧ પામી દુર્લભ આ મનુષ્ય ભવને, જે તત્ત્વ જાણ્યું નહીં, આવ્યો પાર ન જે ભવાબ્ધિ દુઃખને, શું શ્રેય સાધ્યું અહીં? હું છું કેણ? સ્વરૂપ શું મુજતણું? આ બંધને શાં બધાં? છેડી સર્વ પ્રપંચ સંસ્કૃતિને અંત આણું કદા? ૨ ચિરાસી લાખ યોનિમાં ઑવ ડૂખ્યા, ચારે ગતિમાં ભમે, વેદે દુઃખ સદા પરાધીન રહી, સત્સૌખ્યમાં ન રમે; ચકી શક સમા સુખી પણ ચહે, આત્મિક શાશ્વત સુખે, આ ચિંતામણિ યુગ સાર્થક કરું, છેદું ભવાબ્ધિ દુખ. ૩ દેખું રાજ નિમગ્ન આત્મસ્વરૂપે, સશાંતિમાં રાજતા, ટાળી ભ્રાન્તિ અનાદિ આત્મિક સુખે અત્યંત વિરાજતા; રેકુ વૃત્તિ અતિ જતી વિષયમાં, રેર્ક વિકલ્પાવલી, ત્યાં સહજત્મ પ્રકાશ તિ ઝળકે, ઊર્મિ ઉરે ઉજવેલી. ૪ વૃત્તિ સ્થિર થતાં પ્રભુ સ્વરૂપમાં, તાત્વિક વૃષ્ટિ લસે, શાંતિ શીતળતા સુધારસનિધિ હેજે ઉરે ઉલ્લસે શ્રી સહજાત્મતણે અચિંત્ય મહિમા, દૃષ્ટિપણે જ્યાં વસે, ભાસે તુચ્છ ત્રિલેક, વૃત્તિ વિરમે, સ્વાત્મસ્થતા વિલશે. ૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૮૫ આત્મા આત્મસ્વરૂપમાં રમી રહે, ના અન્યભાવે ભમે, તે માટે ગુરુરાજ આપ શરણું એવું હું આજ્ઞા ક્રમે ભક્તિ હે ભગવંત! આપ પદની, આ રંકને હો સદા, આવા આ કળિકાળમાં પરમ એ આધાર હે સર્વદા. ૬ ધ્યાવું ધ્યાન સદાય આપ પદનું, ચિત્તે વસે સર્વદા, ભાવું ભાવન એક આપ પદનું, બીજું ન ચાહું કદા; નિત્યે જાપ જપું તું હિ તું હિ ૨ટું, વૃત્તિ સ્વરૂપે વહે, ચાહું બધિ સમાધિ રાજ પ્રભુશ્રી, સિદ્ધિ સમીપે રહે. ૭ NET Page #107 -------------------------------------------------------------------------- ________________ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું પાંચ ઇંદ્રિય અને મનને સંયમ કરી અંતર્મુખ અવકન કરતાં, સાક્ષાત આત્મદર્શનરૂપ અનુભવ થતાં, હૃદયમાં અનુભવ દીપક પ્રગટે છે. ઇદ્રિયે તમને જીત અને સુખ માને તે કરતાં તમે તેને જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશે.” “મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું એક મનને જીતતાં પાંચ ઇંદ્રિયે જિતાય છે, પાંચ ઇંદ્રિયે જિતાતાં ચાર કષાય, મન, અને પાંચ ઇંદ્રિ મળી દશેયને જય થાય છે. દશેયને જય થાય ત્યાં રાગદ્વેષ અને અજ્ઞાન કે મહાદિને નાશ થતાં આત્મા પરમાત્મા બને છે; અને અનંત સમાધિ સુખમાં અનંત કાળ માટે વિરાજિત થઈ પરમ કૃતાર્થ બને છે. માટે ઇદ્રિને અને મનને જીતવાને સતત અભ્યાસ કર્તવ્ય છે. અભ્યાસ એટલે વારંવાર આસેવન. તે વારંવાર આસેવનરૂપ અભ્યાસના યોગથી જ તત્વપ્રાપ્તિ થાય છે. તે કારણથી શાસ્ત્રમાં કહ્યું છે કે અભ્યાસ વડે આહાર જિતાય છે, અભ્યાસ વડે આસન જિતાય છે, અભ્યાસ વડે શ્વાસને જિતાય છે અને અભ્યાસ વડે અનિલત્રુટિ એટલે પવનને જય થાય છે, તથા અભ્યાસ વડે જ ચિત્ત સ્થિર થાય છે. અભ્યાસ વડે ઇંદ્રિય જિતાય છે, અભ્યાસ વડે પરમ Page #108 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના આનંદની પ્રવૃત્તિ થાય છે, અને અભ્યાસ વડે જ આત્મસ્વરૂપનું દર્શન થાય છે. શાસ્ત્રમાં કહેલું ધ્યાનનું સ્વરૂપ જાણુને શાસ્ત્રમાં જ રહેવા દીધું હેય પણ જે તે ધ્યાનને અભ્યાસ ન કર્યો હોય તે તેવા શાસ્ત્રમાં જ રહેવા દીધેલા ધ્યાન વડે કંઈ પણ ફળપ્રાપ્તિ થતી નથી. ઉત્સાહથી, નિશ્ચયથી, ભૈર્યથી, સંતેષથી, તત્ત્વનું જ્ઞાન થવાથી, અને જનપદને (દેશને) ત્યાગ કરવાથી એ છ અર્થ વડે વેગ સિદ્ધ થાય છે. ઘણું જ ચેડાં અને તે પણ માની લીધેલાં (કરિપત) સુખ માટે તું, પ્રમાદયુક્ત થઈને, વારંવાર ઇંદ્રિના વિષયમાં શા માટે મેહ પામે છે? તે વિષયે પ્રાણીને સંસારરૂપ ભયંકર વનમાં ફેંકી દે છે, જ્યાંથી મેક્ષમાર્ગનું દર્શન પણ આ જીવને સુલભ નથી. ભેગવતી વખતે માત્ર સુંદર લાગતા, પણ પરિણામે દુઃખ દેનારા વિષયસુખમાં તું કેમ આસક્ત થયે છે ? હે નિપુણ! પિતાનું હિત ઈચ્છનાર મૂર્ખ સાધારણ માણસ પણ કાર્યના પરિણામને તે વિચાર કરે છે. - જ્ઞાનચક્ષુથી ગર્ભાવાસ, નારકી વગેરેની વેદનાઓ વારંવાર જોયા પછી તારું મન વિષય-કષાય ઉપર ચોંટશે નહીં; માટે હે વિદ્વાન ! તું બરાબર તેને વિચાર કર. પ્રવચનસારેદ્ધારમાં કહ્યું છે કે – रम्भाग समः सुखी शिखावर्णाभिरुच्चरयः, सूचीभिः प्रतिरोममेदितवपुस्तारुण्यपुण्यः पुमान् । Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સમાધિ-સાધના दुःखं यल्लभते तदष्टगुणितं स्त्रीकुक्षिमध्यस्थिती, सम्पद्येत ततोऽप्यनन्तगुणितं जन्मक्षणे प्राणिनाम् ॥ કેળના ગર્ભ જેવા કે મળ અને અત્યંત સુખી જીવન દરેક રેમમાં તપાવેલી અગ્નિજ્વાળા જેવી લાલચોળ લેઢાની સે ઘેચવાથી તેને જે દુઃખ થાય તેનાથી આઠગણું દુઃખ જીવ જ્યારે ગર્ભસ્થાનમાં હોય છે ત્યારે પામે છે. અને જન્મ સમયે તે તેથી અનંતગણ વેદના ઉત્પન્ન થાય છે. ફાંસીની સજા પામેલ ચેરને કે વધ કરવાના સ્થાનકે લઈ જવાતા પશુને મૃત્યુ ઘીમે ધીમે નજીક આવતું જાય છે, તેવી જ રીતે સર્વ પ્રાણુને મૃત્યુ નજીક આવતું જાય છે તે પછી પ્રમાદ કેમ કરવા ગ્ય છે? જે તને સંસારની બીક લાગતી હોય અને મેક્ષ મેળવવાની ઈચ્છા રહેતી હોય, તે ઈદ્રિ પર અંકુશ મેળવવા માટે અસાધારણ પુરુષાર્થ ફેરવ. પછીત પર શેષ મૃત્યુના ધર્મના પથ્થર જેવા કઠોર તારા હૃદય પર થઈને સિદ્ધાંતજલ ચાલ્યું જાય છે, પણ અંદર પ્રવેશ કરતું નથી, કારણ કે તારા હૃદયમાં જીવદયારૂપ ભીનાશ અને ભાવનારૂપ અંકુરની શ્રેણું પણ નથી. જે પ્રાણીને પ્રમાદરૂપ કાદવ સિદ્ધાંતરૂપ વરસાદના જળપ્રવાહથી પણ ઘેવાતું નથી તે મુમુક્ષુ (મેક્ષ મેળવવાની ઈચ્છાવાળા) કેવી રીતે હોઈ શકે? ખરેખર રસાયણથી પણ જે કઈ પ્રાણીને વ્યાધિ નાશ પામે નહીં તે તેનું જીવન રહેવાનું જ નહીં એમ જાણવું. | દુર્ગતિમાં પડનાર પ્રમાદી પ્રાણી પિતાની પૂજા માટે શાને અભ્યાસ કરે છે તે નિષ્ફળ છે. દીવાની જ્યોતિમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૮૯ ફસાયેલા, દીવામાં પડનાર પતંગિયાની આંખે તેને શે લાભ દેનારી છે? જે શાના અભ્યાસ વડે ખુશી થાય છે, પરંતુ પર ભવમાં હિતકારી કાર્ય તરફ બેદરકાર છે તે તેઓ માત્ર પેટભરા જ કહેવા યોગ્ય છે. લેકરંજન કરનારાં શાસ્ત્રોને અભ્યાસી થઈને તું પંડિત નામ માત્રથી કેમ રાજી થાય છે? તું કાંઈ એ અભ્યાસ કર અને એવું પ્રવર્તન કર કે જેથી તારે સંસાર સમુદ્રમાં પડવું જ ન પડે. હે આત્મન ! સિદ્ધાંત વડે તું લેકેને રંજન કરતે ખુશી થાય છે પણ તારા પિતાના પહેલેકના હિત માટે યત્ન કરતું નથી તેથી તેને ધિક્કાર છે! તું માત્ર પેટભરાપણું જ ઘારણ કરે છે, પણ હે આત્મન ! ભવાંતરમાં તે તારાં આગમે ક્યાં જશે ? તે તારું જનરંજન ક્યાં જશે ? અને આ તારે સંયમ ક્યાં જશે? કેટલાંક પ્રાણુઓ શાસ્ત્રોને અભ્યાસ કર્યો ન હોય તેપણ, બીજાના જરા ઉપદેશથી, મુશ્કેલીથી સાધી શકાય તેવી આત્મસાધનામાં આદરવાળા થઈ જાય છે, તેઓને ધન્ય છે ! કેટલાક તે આગમના અભ્યાસી હેય, ઘણું ગ્રંથે પાસે રાખતા હોય છતાં આ ભવ પરભવમાં હિતકારી આત્મસાધનામાં પ્રમાદી થઈ જાય છે અને પરલેકને હણું નાખે છે, તેનું શું થશે ? ' માત્ર અભ્યાસથી જ ભવાંતરમાં ઇચ્છિત સુખ આપીને આગ ફળતાં નથી, પરંતુ તેમાં બતાવેલ સાધનાના ક્રમે Page #111 -------------------------------------------------------------------------- ________________ Co સમાધિ-સાધના પ્રવર્તવાથી આગને ફળે છે. જેવી રીતે સાકરને ભાર ઉપાડવાના શ્રમથી ગધેડે કંઈ સુખી નથી. जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गइस्स ।। –ઉપદેશમાળા જેવી રીતે ચંદનને ભાર વહન કરનાર ગધેડે ભારને ભાગી છે પણ ચંદનને નથી, તેવી જ રીતે વર્તન વગરના જ્ઞાનને જાણનારે જ્ઞાનને ભાગી છે પણ સુગતિને નથી. હે આત્મન ! તું તે જબરે સાહસિક છે, કારણ કે ભવિષ્યમાં લાંબા વખત સુધી થનાર ચાર ગતિનાં દુકાને તું જ્ઞાનચક્ષુથી જુએ છે તે પણ તેથી બીતે નથી. અને વળી ઊલટો વિપરીત આચરણ કરી તે દુઓના નાશ માટે જરા પણ પ્રયાસ કરેતે નથી. વશ અને અવશ મન ક્ષણવારમાં સ્વર્ગ, મેક્ષ અથવા નરક અનુક્રમે પ્રાણીને આપે છે માટે પ્રયત્ન કરીને પણ તે મનને જલદી વશ કર. मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः । દેવતાઓ આ જીવને સુખ કે દુઃખ આપતા નથી, તેમજ કાળ પણ નહીં, તેમજ મિત્રે પણ નહીં અને શત્રુ પણ નહીં. મનુષ્યને સંસાર-ચક્રમાં ભમવાને માત્ર એક હેતુ મન જ છે જે પ્રાણીનું મન સમાધિવંત ઈને પિતાને વશ હેય છે તેને પછી યમનિયમથી શું? અને જેનું મન દુર્વિકલ્પથી હણાયેલું છે તેને પણ યમનિયમથી શું? Page #112 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના દાન, જ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વગેરે સર્વે મનેાનિગ્રહ વગર નકામાં છે. કષાયથી થતી ચિંતા અને આકુળવ્યાકુળ. તાથી રહિત થવા પ્રાણીને મન વશ કરવું એ મહાયાગ છે. જાપ કરવાથી મેાક્ષ મળતા નથી, તેમજ નથી મળતા એ પ્રકારનાં તપ કરવાથી, તેવી જ રીતે સંયમ, દમ, મૌનધારણ, અથવા પવનાક્રિકની સાધના વગેરે પણ મેાક્ષ આપી શકતાં નથી, પરંતુ સારી રીતે વશ કરેલું એકલું મન જ માક્ષ આપે છે. ૯૧ મનની સમાધિ (એકાગ્રતા) ચેાગનું કારણ છે. યાગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે અને શિવસુખ વેલડીનું મૂળ છે. માટે કાઈ પણ રીતે મનની સમાધિ (એકાગ્રતા, રાગદ્વેષ રહિતપણું) રાખ. મનરૂપ વનમાં ભાવનાઓના ચિંતવનરૂપ સિંહા સા જાગૃત હાય તા દુર્ધ્યાનરૂપ સૂવા તે વનમાં પ્રવેશ પણ કરી શકતા નથી. એક નાના દીવા પણ અંધકારને હણી નાખે છે, અમૃતનું એક ટીપું પણ અનેક રાગેાના નાશ કરે છે, અને અગ્નિની એક ચિનગારી પણ ખડના મોટા ઢગલાને ખાળી મૂકે છે. તેવી જ રીતે જો ધર્મના અંશ પણ નિર્મળ હાય તા તે પાપને હણી નાખે છે. સર્વ તત્ત્વામાં ગુરુ મુખ્ય છે. આત્મહિત માટે જે જે ધર્માં આચરવાના છે તે તે તેઓના કહેવાથી સાધી શકાય છે. હે મૂર્ખ ! તેની (સદ્ગુરુની) પરીક્ષા કર્યા વગર જો તું તેના આશ્રય કરીશ તા તારા ધર્મ પ્રયાસેા નકામા થશે. સંબંધી કરાતા Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સમાધિ-સાધના - જ્યાં ઘર્મના બતાવનાર ગુરુ શુદ્ધ નથી ત્યાં અવિધિએ ધર્મ કરવાથી પ્રાણી મોક્ષે જઈ શક્તા નથી; જે રસાયણ ખવરાવનાર વૈદ્ય મૂર્ખ હેય તે ખાવાથી રેગી પ્રાણ નીરેગી થઈ શકો નથી. માટે મેક્ષ મેળવવા માટે શુદ્ધ દેવગુરુધર્મને ભજ. સંસારયાત્રામાં કુગુરુના ઉપદેશથી ઘર્મને માટે કરેલા મેટા પ્રયાસ પણ મેક્ષાર્થે નિષ્ફળ નીવડે છે, તેથી હે ભાઈ ! જે તું હિતની ઈચ્છા રાખતે હેય તે દૃષ્ટિરાગ પડતું મૂકીને અત્યંત શુદ્ધ ગુરુને જ ભજ. અગીતાર્થ, અજ્ઞાનીનાં વચનથી અમૃત પણ ન પીવું, જ્યારે ગીતાર્થ-જ્ઞાનીનાં વચનથી હળાહળ ઝેર હેય તે તે પણ પી જવું. કામરાગ અને સ્નેહરાગ અલ્પ પ્રયાસથી નિવારી શકાય છે. પરંતુ પાપી વૃષ્ટિરાગ તે સજજનેને પણ દુર છેદ, મહા મુશ્કેલીથી કાપી શકાય તે છે. न्यस्ता मुक्तिपथस्य वाहकतया श्रीवीर ! ये प्राक् त्वया लुण्टाकास्त्वदृतेऽभवन् बहुतरास्त्वच्छासने ते कलौ । बिभ्राणा यतिनाम तत्तनुधियां मुष्णन्ति पुण्यश्रियः पुत्कुर्मः किमराजके ह्यपि तलारक्षा न कि दस्यवः ? –ી અધ્યાત્મકલ્પમદ્ર હે વીર પરમાત્મા ! જેને મોક્ષમાર્ગના વહન કરનારા તરીકે તે પૂર્વે મૂક્યા હતા તેઓ કળિકાળમાં તારી ગેરહાજરીમાં તારા શાસનમાં મેટા લુંટારા થઈ પડ્યા છે! તેઓ યતિનું નામ ઘારણ કરીને અલ્પબુદ્ધિવાળાં પ્રાણીઓની પુણ્યલક્ષ્મી ચોરી લે છે. અમારે તે હવે શું પિકાર કરે? ઘણું વગરનું રાજ્ય હોય ત્યાં કેટવાળ પણ શું ચાર નથી થતા? Page #114 -------------------------------------------------------------------------- ________________ સમાધિ સાધના ૯૩ સારી રીતે સીંચેલે લીંબડે કદી કેરી આપતું નથી. સારી રીતે ખવરાવીને પુષ્ટ કરેલી વંધ્યાગાય દૂધ દેતી નથી. રાજ્યભ્રષ્ટ એવા ખરાબ સંજોગોમાં આવેલા રાજાની સારી રીતે સેવા કરી હોય તે પણ તે લક્ષ્મી આપી ન્યાલ કરતે નથી; તેવી જ રીતે કુગુરુને આશ્રય કરવાથી તે શુદ્ધ ધર્મ અને મોક્ષ આપી અપાવી શક્તા નથી पूर्णे तटाके तुषितः सदैव, भृतेऽपि गेहे क्षुधितः स मूर्खः । कल्पद्रुमे सत्यपि हि दरिद्रो गुर्वादियोगेऽपि हि यः प्रमावी ॥ સદ્દગુરુ, સસંગાદિનો જોગ મળ્યા છતાં જે પ્રમાદ કરે તે પાણીથી ભરેલા તળાવ પાસે હેવા છતાં જેમ તરસ્યો રહે, ધનધાન્યથી ભરપૂર ઘર હોવા છતાં પણ તે મૂર્ખ જેમ ભૂખે રહે અને કલ્પવૃક્ષ પાસે હોવા છતાં જેમ દરિદ્રી રહે તેમ મળેલ પેગ વૃથા ખોઈ દે છે. આત્મતત્વ પ્રકાશ કરીને ગુરુએ આપેલી શિક્ષામાં તલ્લીનતા પામી આ જીવ જ્યાં સુધી ગુરુતા પામે નહીં ત્યાં સુધી ઉત્તમ ગુરુની સેવા કરવી જોઈએ. ઉગ્ર તપશ્ચર્યા, ધ્યાન, પરિષહજય વગેરે સત્વથી સાધી શકાય એવાં તે તું સાધવાને શક્તિમાન ન હોય, તે પણ ભાવના, સમિતિ અને ગુપ્તિ, જે મનથી જ સાધી શકાય તેમ છે, તેને હે મોક્ષાથી ! તું કેમ ધારણ કરતા નથી? દુષ્ટ વચન આ લેક અને પરલેકમાં અનુક્રમે વેર કરાવે છે અને નરકગતિ પ્રાપ્ત કરાવે છે. અગ્નિથી બળેલું ફરીથી ઊગે છે, પણ દુષ્ટ વચનથી બળેલાં હોય તેમાં પછી ફરી વાર સ્નેહાંકુર ઊગતા નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪ સમાધિ-સાધના મેક્ષલક્ષમી પ્રાપ્ત કરવાનું મેટામાં મોટું કારણ સર્વ પ્રકારના સંવરેમાં પણ મનને સંવર છે, એમ જાણીને સમૃદ્ધબુદ્ધિ જીવ કષાયથી ઉયન્ન થયેલા દુર્વિકલ્પને તજી દઈને, મનને સંવર કરે છે. સંવર કરવાથી આ આત્મા તરત જ વગર પ્રયાસે નિઃસંગતાનું ભાજન થાય છે. વળી અસંગતા ભાવથી સંવર થાય છે માટે મેક્ષાભિલાષી આ બંનેને સાથે સાથે જ ભજે. સંસારમાં આસક્ત થયેલા બાહ્યવૃષ્ટિવાળા જીવોને સુંદર સ્ત્રી અમૃતના ઘડા જેવી લાગે છે. તે સ્ત્રીને માટે ધન ઉપાર્જન કરે છે, અને તેને જ માટે મેહનિમગ્ન થઈને રાવણદિકની જેમ પ્રાણને પણ ત્યાગ કરે છે, પરંતુ જેઓ નિર્મળ અને એકાંત આનંદમય આત્મસ્વરૂપને જોવામાં દક્ષ થયેલા છે તેઓને તે સ્ત્રી એ મળ, મૂત્ર, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક વગેરે અશુચિપદાર્થનું પાત્ર માલુમ પડે છે. તેવી સ્ત્રીઓને ત્યાગ કરનાર જંબુસ્વામી વગેરેને ઘન્ય છે. તે પુરુષને ઘન્ય છે કે જેઓ રંભા અને તિત્તમા જેવી યુવતીઓના સમૂહમાં રહ્યા છતાં એક ક્ષણ માત્ર પણ આત્મતત્વની રમણતાને મૂકતા નથી. જેનું ચિત્ત ઇંદ્રિના વિષયને છેડીને સમાધિ સુખનું લાલસુ થયું છે તેવા આત્મામાં મગ્ન પુરુષોને નમસ્કાર છે. જગતનાં તત્ત્વનું અવલોકન કરનાર, સ્વભાવસુખમાં મગ્ન થયેલાને અન્ય ભાનું કર્તાપણું હેતું નથી, માત્ર સાક્ષીપણું જ અવશેષ રહે છે. જે નેહીઓને ભવદુઃખથી બચાવવાને તું શક્તિમાન Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૫ સમાધિ-સાધના નથી અને જેઓ તને બચાવવાને શક્તિવાળા નથી, તેઓ ઉપર છેટું મમત્વ રાખીને હે મૂઢ આત્મન ! તું પગલે પગલે શા સારુ શાક પામે છે? પાપને વિચાર કર્યા વગર તે જે શરીરને પિષે છે, તે શરીર તારા ઉપર શું ઉપકાર કરશે ? તેથી તે શરીર માટે હિંસાદિક કર્મો કરતાં કાળને વિચાર કર. આ શરીરરૂપ ધૂતારાથી આખું જગત ઠગાયું છે. જ્ઞાનદર્શનના સ્વભાવવાળો અને વિશુદ્ધ સુખસ્વરૂપ એ આત્મા પણ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે દોષ મહને જ છે. મેહને ત્યાગ શુદ્ધ આત્મજ્ઞાને કરીને થઈ શકે છે. “જ્ઞાનાદિક અનંત ગુણપર્યાયવાળે, નિત્યાનિત્ય આદિ અનંત સ્વભાવવાળે, અસંખ્યપ્રદેશી, સ્વભાવપરિણામી, પિતાના સ્વભાવને જ કર્તા અને ભક્તા ઈત્યાદિ ગુણવાળે, શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ, એ આત્મા તે હું છું. હું અનંત સ્વાદુવાદ સત્તાને રસિક છું. એક સમયમાં ત્રણ કાળમાં અને ત્રણ લેકમાં રહેલા સર્વ દ્રવ્ય પર્યાની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશને જણાવનારું જે જ્ઞાન તે મારે (આત્માને) ગુણ છે.” એવા સહજાન્મસ્વરૂપી પિતાના આત્માને જાણનાર જ મેહને જય કરી શકે છે. બીજે જય કરી શકતું નથી. કેમકે મેહનીય કર્મ અતિ દુર્જય છે. કર્મરહિત થવાના હેતુભૂત એવી એક નિર્વાણપદની એટલે મેક્ષપદની જ વારંવાર ભાવના કરાય, એટલે આત્માને તન્મય કરાય, સ્વરૂપમાં એકતા થાય તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, કે જે જ્ઞાનવડે આત્મા અનાદિકાળથી નહીં પામેલા આત્મ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સમાધિ–સાધના સુખને અનુભવ કરે છે. બાકી આત્મજ્ઞાનથી વ્યતિરિક્ત બીજા વાણીના વિસ્તારવાળા ઘણા એવા સંવેદન જ્ઞાનવડે કાંઈ આત્મસુખને નિશ્ચય થતું નથી, કેમ કે થોડું પણ અમૃતસદ્દશ જ્ઞાન જ અનાદિ કર્મરેગને નાશ કરનારું છે. ' હે ભવ્ય ! હજાર નદીઓના જળથી પણ જેનું ઉદર પૂર્ણ થતું નથી એવા સમુદ્ર જે ઇંદ્રિયસમૂહ વિષયેથી કદાપિ તૃપ્ત થતા નથી. માટે અંતરાત્માએ કરીને જ તું તૃપ્ત થા. આ જીવ સંસારચકમાં રહેલા પરભાવેને આત્માપણે (પિતાપણે) માનીને, “આ શરીર જ આત્મા છે, એવી રીતના બાહ્યભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી બાહ્યાત્મપણને પામવાથી મેહમાં આસક્ત થયે સતે અનંત પુદ્ગલ પરાવર્ત સુધી સંસારચક્રમાં પર્યટણ કરે છે. તે જ જીવ નિસર્ગથી (સ્વયમેવ) અથવા અધિગમ (પરના ઉપદેશ)થી આત્મસ્વરૂપ તથા પરરૂપને વિભાગ કરીને “હું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છું, એ નિશ્ચય કરી સમ્યક રત્નત્રય સ્વરૂપવાળા આત્માને જ આત્મારૂપે જાણી તથા રાગાદિને પરભાવપણે નિશ્ચય કરી સમ્યવ્રુષ્ટિવાળે અંતરાત્મા થાય છે અને તે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિના અવસરે નિર્ધાર કરેલાં સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે. માટે ઇંદ્રિએના વિષયને ત્યાગ કર્તવ્ય છે, પણ વિષયેને જરા પણ વિશ્વાસ કરે નહીં. અહો! પૂર્વ ભવે આસ્વાદન કરેલા સમતાસુખનું સ્મરણ કરીને લવસત્તમ દેવતાઓ અનુત્તર વિમાનના સુખને પણ તૃણ સમાન ગણે છે. ઇંદ્રાદિક પણ વિષયને ત્યાગ કરવામાં અસમર્થ હેવાથી મુનિઓને ચરણ કમલમાં આળોટે છે. માટે વિષયને ત્યાગ જ કર્તવ્ય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના પુદ્ગલાથી પુદ્ગલા લેપાય છે. હું લેપાતા નથી. હું નિર્મળ ચિત્વરૂપી આત્મા પુદ્ગલના આશ્લેષવાળા નથી. જીવને અને પુદ્ગલને તાદાત્મ્ય સંબંધ છે જ નહીં. માત્ર સંયેાગ સંબંધ છે. તે પણ ઉપાધિજન્ય છે જેમ આકાશ અંજનથી લેપ્ચા છતાં પણુ લેપાતું નથી, તેમ અમૂર્ત આત્મસ્વભાવવાળા હું એક ક્ષેત્રમાં રહેલાં પુદ્ગલાથી પણ લેપાતા નથી. આ પ્રમાણે ધ્યાન કરતા જીવ લેપાતા નથી. ૯૭ यः पश्येन्नित्यमात्मानं, सा विद्या परमा मता । अनात्मसु ममत्वं य-दविद्या सा निगद्यते ॥ જે નિરંતર આત્માને જ જુએ છે, તે શ્રેષ્ઠ વિદ્યા માનેલી છે અને આત્માથી ભિન્ન અન્ય પદાર્થને વિષે જે મમતા તે અવિદ્યા કહેલી છે. આ શરીર મારું છે, હું શરીરરૂપ જ છું,’ એમ માનવું તે અવિદ્યા એટલે બ્રાંતિ જ છે. ચેાગીએ અવિદ્યારૂપ અંધકારનો નાશ થવાથી વિદ્યારૂપી અંજનથી લિપ્ત થયેલી દૃષ્ટિવડે આત્માને વિષે જ પરમાત્મા જુએ છે. ચેાગી તત્ત્વરૂપ અંજનથી વ્યાપ્ત એવી લાકાત્તર જ્ઞાનવૃષ્ટિએ કરીને પેાતાના આત્મામાંથી મિથ્યા અવિદ્યાના નાશ કરીને આત્માને વિષે જ સમસ્ત કૅમેજોળની વિડંબનાથી રહિત સિદ્ધસ્વરૂપ પરમાત્માને જુએ છે. મહાત્માને બાહ્યવૃષ્ટિના પ્રચારાના રોધ થવાથી સર્વે સમૃદ્ધિ અંત:કરણમાં જ પ્રગટ રીતે ભાસે છે. 6 સ્વરૂપ અને પરરૂપના ભેદજ્ઞાનવડે શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવમાં લીન થયેલા જ્ઞાની પુરુષને સર્વે સમૃદ્ધિએ Page #119 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના અંત:કરણમાં પ્રગટે છે. હું સ્વરૂપાનંદમય છું, હું નિર્મળ, અખંડ અને સર્વ પ્રકાશક જ્ઞાનવાળા છું; ઇંદ્ર ચંદ્રાદિકની સંપત્તિ તેા નાશવંત છે અને હું તેા અવિનાશી અનંત પર્યાયવાળી સહજામ સંપત્તિથી યુક્ત છું. આવી રીતે આત્મસ્વરૂપના જ્ઞાનથી યુક્ત મહાત્માને પેાતાના આત્મામાં જ સર્વ સંપત્તિએ ભાસે છે, પણ માહ્ય વિષયામાં પ્રવર્તતી ઇંદ્રિયાના રાધ થાય ત્યારે જ તે ભાસે છે. ઇંદ્રિયાના નિરાધ વિના તે આત્મસંપત્તિ જણાતી જ નથી. ૯૮ આત્મસ્વરૂપના જ્ઞાનનો અનુભવ સુખમાં લીન થયેલા મહાત્માને ક્રીડા કરવા માટે સમાધિરૂપી નંદનવન છે, ધૈર્યરૂપી વજ્ર છે, સમતારૂપી ઇંદ્રાણી છે અને જ્ઞાનરૂપી મેટું વિમાન છે. આ પ્રમાણે ઇંદ્રની સર્વ સમૃદ્ધિ તેને પ્રગટ છે. ર તત્ત્વરસિક સાધક અશાતાદિક દુઃખમાં ટ્વીન થતા નથી, કેમ કે કર્મ કરતી વખતે વિચાર કર્યો નહી તે હવે તીવ્ર રસવડે બંધાયેલા કર્મના ઉદયમાં દીનતા શી કરવી ? એમ સમજે છે. તેમજ શાતાદિક સુખને પામીને વિસ્મિત કે હર્ષિત થતા નથી. કેમ કે એ પણ શુભ કર્મના વિપાક છે એમ સમજે છે. શાતા અશાતા અને શુભાશુભ કર્મનાં ફળ ભોગવતાં સમતા રાખી પૂર્વકર્મની નિર્જરા કરે છે. ઉત્કૃષ્ટ એવું બ્રહ્મ ઇંદ્રિયાને ગાચર નથી, તેથી વિશુદ્ધ અનુભવ વિના અનેક શાસ્ત્રોના અવમેધથી પણ તે પ્રાપ્ત થતું નથી. આત્મઅનુભવ અવસ્થામાં માઠુ નહીં હાવાથી સુષુપ્તિ અવસ્થા હાતી નથી. સંકલ્પ વિકલ્પના પણ અભાવ હાવાથી Page #120 -------------------------------------------------------------------------- ________________ સમાધિ સાધના 2 સ્વમ તથા જાગર અવસ્થા પણ હાતી નથી. પરંતુ તે ત્રણે દશાથી ભિન્ન તુર્ય (ચાથી) ઉજાગર દશા હાય છે. ૯૯ મન, ઇંદ્રિયા અને કષાયાને જય થતાં ક્રમે કરી ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનની શ્રેણીએ ચઢીને આત્મા રાગદ્વેષ અને મેહાદિ સર્વે કર્મના ક્ષય કરી અનંત શાશ્વત સમાધિમુખમાં વિરાજિત સહજાત્મસ્વરૂપ એવા પરમાત્મા બને છે. નમન હા તે પરમાત્મપદને ! નમન હેા તેની પ્રાપ્તિના સન્માર્ગને ! ‘સમજણ બીજી પછી કહીશ, જહાં રાગ અને વળી દ્વેષ, ઉદાસીનતાને જ્યાં વાસ, સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, ભવ છેવટની છે એ દશા, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. તહાં સર્વદા માને કલેશ; સકળ દુ:ખના છે ત્યાં નાશ. દેહ છતાં ત્યાં છે નિર્વાણ; રામ ધામ આવીને વસ્યા.’ -શ્રીમદ્ રાજચંદ્ર Page #121 -------------------------------------------------------------------------- ________________ તવામૃતનો આસ્વાદ ૧ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય કૃત બોગશાસમાંથી આત્મસુખના પ્રેમી યેગીએ અંતરાત્મા વડે બાહ્યાત્મભાવને દૂર કરી, તન્મય થવા માટે નિરંતર પરમાત્મભાવનું ચિંતન કરવું. શરીરાદિકને આત્મબુદ્ધિએ ગ્રહણ કરનારને બહિરાત્મા કહીએ છીએ. શરીરાદિકને અધિષ્ઠાતા તે અંતરાત્મા કહેવાય છે. શરીર તે હું છું એમ માનનાર, આદિ શબ્દથી ધન, સ્વજન, કુટુંબ, સ્ત્રી, પુત્રાદિ તે પિતાનાં માનનાર અને તેના સંગ વિયેગથી સુખદુઃખી થનાર બહિરાત્મા છે. શરીરને હું અધિષ્ઠાતા છું, શરીરમાં હું રહેનાર છું. શરીર મારું રહેવાનું ઘર છે. અથવા શરીરને હું દ્રષ્ટા છું, ઘન સ્વજન કુટુંબ સ્ત્રી પુત્રાદિ એ સાંગિક, પર, મારા સ્વરૂપથી ભિન્ન છે. શુભાશુભ કર્મ વિપાકજન્ય આ સંગે છે. એમ જાણે સંગ વિયેગમાં હર્ષ-શોક ન કરતાં જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહે છે, સાક્ષીભાવે, નિર્મમત્વભાવે અબંધપરિણામે રહે છે તે અંતરાત્મા છે. જ્ઞાનસ્વરૂપ, આનંદમય, સમગ્ર ઉપાધિવર્જિત, શુદ્ધ, ઇદ્રિય અગોચર અને અનંત ગુણવાન તેને જ્ઞાનીઓએ પરમાત્મા કહ્યો છે. આત્માને શરીરથી સદાય જુદો જાણ, અને શરીરને આત્માથી જુદું જાણવું આમ આત્મા અને દેહને જુદાં Page #122 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના જાણનાર યાગી આત્મનિશ્ચય કરવામાં, આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં સ્ખલના પામતા નથી. ૧૦૧ જેની આત્મજ્યાતિ કર્મોની અંદર દબાઈ ગઈ છે તેવા મૂઢ જીવા આત્માની બીજી બાજુ અર્થાત્ પુદ્ગલમાં સંતાષ પામે છે. ત્યારે બહિર્ભાવમાં સુખની ભ્રાંતિથી નિવૃત્તિ પામેલા યાગીએ આત્માને વિષે જ સંતાષ પામે છે. માટે પ્રાણાયામાદિ ક્લેશના પરિત્યાગ કરી, સદ્ગુરુને ઉપદેશ પામીને યાગીએ આત્મઅભ્યાસમાં પ્રીતિ કરવી. જે પરમ તત્ત્વ (પરમાત્મા) તે આ, એમ કહેવાને સાક્ષાત્ ગુરુ પણ શક્તિમાન નથી, તે તત્ત્વ ઉદાસીનતામાં તત્પર રહેલા એવા યાગીને પોતાની મેળે પ્રગટ થાય છે. ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે.' અતિ ચપલ, અતિ સૂક્ષ્મ અને વેગવાન હેાવાથી દુ:ખે કી શકાય તેવા મનને વિશ્રામ લીધા સિવાય અને પ્રમાદ રહિત થઈ અમનસ્ક (ઉદાસીનતા) રૂપ શલાકા (સળી) વડે ભેઢી નાખવું. અમનસ્કના ઉડ્ડય વખતે ચેાગી પેાતાના શરીરને વીખરાઈ ગયું હાય, ખળી ગયું હાય, ઊડી ગયું હાય, કે વિલય થઈ ગયું હોય તેમ અવિદ્યમાન જાણે છે. અર્થાત્ પાતાની પાસે શરીર નથી એમ જાણે છે. મદોન્મત્ત ઇંદ્રિયરૂપ સર્પ વિનાના ઉન્મની ભાવરૂપ નવીન અમૃતના કુંડમાં મગ્ન થયેલા યાગી, અસદ્દેશ અને ઉત્કૃષ્ટ તત્ત્વામૃતના આસ્વાદના અનુભવ કરે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમાધિ-સાધના ૨ શ્રીમદ્ કુંદકુંદાચાર્ય કૃત “નિયમસારમાંથી રત્નત્રયરૂપ નિયમ (નિયમથી કરવા ગ્ય) એ મેક્ષને ઉપાય છે. તેનું ફળ પરમ નિર્વાણ છે. સમસ્ત કર્મને નાશથી સાક્ષાત્ મેળવાતે મહા આનંદને લાભ તે મેક્ષ છે. તે મહા આનંદને ઉપાય રત્નત્રયરૂપ પરિણતિ છે. અર્થાત્ મોક્ષને ઉપાય શુદ્ધ રત્નત્રયાત્મક આત્મા છે. જ્ઞાન આનાથી બીજું કેઈ નથી. દર્શન પણ આનાથી બીજું નથી જ. અને શીલ, ચારિત્ર પણ બીજું નથી. સર્વજ્ઞકથિત સમસ્ત જ્ઞાનના ભેદને જાણીને જે પુરુષ પરભાવેને પરિહરી નિજસ્વરૂપમાં સ્થિત રહ્યો થકે શીઘ ચૈતન્ય ચમત્કાર માત્ર તત્વ સહજાન્મસ્વરૂપમાં પ્રવેશ કરી જાય છે—ઊંડે ઊતરી તેમાં જ તલ્લીન, નિમગ્ન થઈ જાય છે તે પુરુષ પરમશ્રી રૂપી મુક્તિસુંદરીને પતિ થાય છે, અર્થાત્ મુક્ત થાય છે. પરિગ્રહનું ગ્રહણ છેડીને તેમજ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુદ્ધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને–આત્માને–ભાવ. બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમતત્વસહજાન્મસ્વરૂપના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એ આ શુદ્ધ દૃષ્ટિવાળે પુરુષ, “સહજાન્મસ્વરૂપથી અન્ય કોઈ નથી એમ માનીને શીધ્ર પરમશ્રીરૂપી સુંદરીને વલ્લભ થાય છે. અમારા આત્મસ્વભાવમાં વિભાવ અસત્ હોવાથી તેની અમને ચિંતા નથી; અમે તે હૃદયકમળમાં સ્થિત, સર્વ કર્મથી વિમુક્ત, શુદ્ધાત્માને, સહજાત્માને, એકને સતત અનુભવીએ છીએ, કારણ અન્ય કઈ પ્રકારે મુક્તિ નથી જ નથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ૧૦૩ એ રીતે જ્ઞાનીના માર્ગ દ્વારા તત્વાર્થ સમૂહને જાણીને પર એવાં સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગે. અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે, પરથી વિરહિત, ચિત-ચૈતન્ય ચમત્કાર માત્ર પરમ તત્ત્વને ભજે. અશુભ તેમજ શુભ સર્વ કર્મરૂપી વિષવૃક્ષોથી ઉત્પન્ન થતાં, નિજરૂપથી વિલક્ષણ એવાં ફળોને છોડીને જે જીવ હમણુ સહજ ચૈતન્યમય આત્મતત્ત્વને, સહજાન્મસ્વરૂપના આનંદને આસ્વાદે છે તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે, એમાં શું સંશય છે? ચૈતન્યશક્તિથી રહિત અન્ય સકળ ભાવને મૂળથી છેડીને અને ચૈતન્યશક્તિ માત્ર એવા નિજ સહજ આત્માનું અતિ સ્કુટપણે અવગાહન કરીને, આત્મા, સમસ્ત વિશ્વની ઉપર પ્રવર્તતા એવા આ કેવળ એક અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત્ અનુભવે. જે તત્ત્વોના હૃદયકમળમાં સુસ્થિત છે, જે નિર્વિકલ્પ છે, જેણે વિવિધ વિકલને હણી નાખ્યા છે, અને જેને જ્ઞાની પુરુષોએ કલ્પનામાત્ર રમ્ય એવાં ભવભવનાં સુખેથી તેમજ દુઃખથી મુક્ત કહ્યું છે તે પરમતત્વ સહજાત્મા જયવંત છે. બંધ અવસ્થામાં કે મેક્ષ અવસ્થામાં સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્ય જાળ શુદ્ધ જીવન સ્વરૂપથી વ્યતિરિક્ત છે. એમ જિનદેવનું શુદ્ધ વચન બુધ પુરુષે કહે છે, આ જગપ્રસિદ્ધ સત્યને હે ભવ્ય ! તું સદા જાણ. જેમના ચિત્તનું ચરિત્ર ઉજજવળ છે એવા મેક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરે કે–“હું તે શુદ્ધ ચૈતન્ય માત્ર એક પરમ તિ જ સદાય છું, અને આ જે ભિન્ન Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમાધિ-સાધના લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવે પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મારાથી જુદાં પરદ્રવ્ય છે.” આત્માને નિશ્ચય તે દર્શન છે, આત્માને બોધ તે જ્ઞાન છે. આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે. આ ત્રણેની એકતા શિવપદનું કારણ છે. સહજ જ્ઞાન સદા જયવંત છે. સહજ વૃષ્ટિ સદા જયવંત છે. તેવું જ સહજ વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે. પાપમલથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજ પરમ તત્વમાં સંસ્થિત ચેતના–સહજ આત્મસ્વરૂપ પણ સદા જયવંત છે. કામિનીઓની જે શરીર વિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ! જે તું મનમાં સ્મરે છે તે મારા વચનથી તને શું લાભ થશે? અહે! આશ્ચર્ય થાય છે કે સહજ પરમ તત્વને--નિજ સ્વરૂપને-છેડીને તું શા કારણે વિપુલ મેહને પામે છે? જે પરદ્રવ્ય–પરિગ્રહ મારે હેય તે હું અજીવપણાને પામું. હું તે જ્ઞાતા જ છું. તેથી પરદ્રવ્યરૂપ પરિગ્રહ મારે નથી. ભવ્ય જીવ ભવભીરુપણાને લીધે પરિગ્રહ વિસ્તારને છોડે અને નિરુપમ સુખને આવાસની પ્રાપ્તિ માટે નિજ આત્મામાં અવિચળ સુખાકાર તથા જગત જનેને દુર્લભ એવી સ્થિતિ કરે. કાયવિકારને છોડીને જે ફરી ફરીને શુદ્ધાત્માની– સહજાત્માની સંભાવને, સમ્યક્ભાવના કરે છે તેને જ જન્મ સંસારમાં સફળ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધનાં ૧૦૫ વ્યવહારનયથી જ્ઞાનપુ ંજ એવા સિદ્ધ ભગવાન ત્રિભુવન શિખરની ટોચના નક્કર ચૂડામણિ છે. નિશ્ચયથી તે દેવ સહજ પરમ ચૈતન્ય ચિંતામણિસ્વરૂપ નિત્ય શુદ્ધ નિજરૂપમાં જ વસે છે. હું શરીર સંબંધી માળાદિ અવસ્થાભેદાને,રાગાદિ ભેદરૂપ ભાવકર્મના ભેદોને, ભાવ કર્માત્મક ચાર કષાયાને કરતા નથી. સહજ ચૈતન્યના વિલાસરૂપ આત્માને જ ભાવું છું. અતિ તીવ્ર માહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાજે લું કર્મ તેને પ્રતિક્રમીને હું સદ્ભાધાત્મક–સમ્યજ્ઞાન–સ્વરૂપ એવા આત્મામાં આત્માથી નિત્ય વસ્તું છું. જે સહજ તત્ત્વ અખંડિત છે, શાશ્વત છે, સકલ દોષથી દૂર છે, ઉત્કૃષ્ટ છે, ભવસાગરમાં ડૂબેલા જીવસમૂહને નૌકા સમાન છે અને પ્રબળ સંકટોના સમૂહરૂપી દાવાનળને શાંત કરવા માટે જળ સમાન છે, જે જિનપ્રભુના મુખારવિંદથી વિદિત છે, જે સ્વરૂપમાં સ્થિત છે, જે મુનીશ્વરાના મનેાગૃહની અંદર સુંદર રત્નદ્વીપની માફક પ્રકાશે છે, જે આ લાકમાં દર્શનમેટ્ટુિ પર વિજય મેળવેલા યાગીઓથી નમસ્કાર કરવા ચેાગ્ય છે, જે સુખનું મંદિર છે, જેને તત્ત્વવેત્તાઓ પ્રણામ કરે છે, જે કૃતકૃત્ય છે, જેણે મેહરાત્રીના નાશ કર્યો છે, અને જે સિદ્ધિથી ઉત્પન્ન થતા સૌખ્ય વડે શુદ્ધ છે એવા અદ્ભુત સહજ આત્મતત્ત્વને હું સદા અતિ અપૂર્વ રીતે અત્યંત ભાવું છું, વંદું છું, ભજું છું. જે પરમાત્મતત્ત્વ રાગદ્વેષાદિ દ્વન્દ્વમાં રહેલું નથી, અને અનઘ (મળરહિત) છે, તે કેવળ એકની હું ફરી ફરીને સંભાવના (સમ્યક્ ભાવના) કરું છું. મુક્તિની સ્પૃહાવાળા અને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમાધિ–સાધના ભવસુખ પ્રત્યે નિ:સ્પૃહ એવા મને આ લાકમાં પેલા અન્ય પદાર્થ સમૂહેાથી શું ફળ છે ? જે આત્મા આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે, અને રાગાદિથી નિવારે છે તે નિશ્ચયથી યાગભક્તિવાળા છે. જે આત્મા આત્મામાં આત્માને જોડીને સર્વે વિકલ્પાના અભાવ કરે છે તે જ યોગભક્તિવાળા છે. બીજાને યાગ કઈ રીતે હાય ? ઇંદ્રિયલોલુપતા જેમને નિવૃત્ત થઈ છે અને તત્ત્વલાલુપ (તત્ત્વપ્રાપ્તિ માટે ઉત્સુક) જેમનું ચિત્ત છે, તેમને સુંદર આનંદ ઝરતું ઉત્તમ તત્ત્વ પ્રગટે છે. અતિ અપૂર્વ નિજાત્મજનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે જે યત્ન કરે છે તે ખરેખર જીવન્મુક્ત થાય છે, બીજાઓ નહી. જે અન્યને વશ નથી તે અવશ' છે. જે ચાગી સ્વહિતમાં લીન રહેતેા થકે શુદ્ધાત્મસ્વરૂપ સિવાય અન્ય પદાર્થને વશ થતા નથી અને સુસ્થિત રહે છે તે અવશ છે. જે અન્યવશ છે તે ભલે મુનિ વેષધારી હાય તાપણુ સંસારી છે, નિત્ય દુઃખના ભોગવનાર છે. જે સ્વસ્થ છે તે જીવન્મુક્ત છે. જિનેશ્વરથી કિંચિત્ (જરાક જ) ન્યૂન છે. સર્વજ્ઞ વીતરાગમાં અને આ સ્વસ્થ યાગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી; છતાં અરેરે ! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. આ જન્મમાં સ્વવશ જ્ઞાની એક જ સદા ધન્ય છે કે જે અનન્ય બુદ્ધિવાળા રહેતા થકા, નિજાત્મા સિવાય અન્ય પ્રત્યે લીન નહીં થતા થકા, સર્વે કર્માંથી બહાર રહે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૦૭ સમરસરૂપી સુધાના સાગરને ઉછાળવામાં પૂર્ણચંદ્ર સમાન તે સહજાભાને હું વંદું છું. આમ હેવાથી સમાધિસુખની પૃહાવાળે ભવ્ય જીવ સમસ્ત વચનરચનાને સર્વદા છેડીને જ્ઞાનાનંદ આદિ અતુલ મહિમાને ધારક એવા પરમ તત્વરૂપ નિજ સહજાત્મસ્વરૂપના અનુભવરૂપ અમૃતરસનો આસ્વાદમાં લીન રહીને એકાકી નિરાલંબપણે અસંગભાવે સર્વ જગતજાળને તૃણ સમાન તુચ્છ દેખે છે, અને તત્ત્વામૃતના આસ્વાદમાં મગ્ન પરમ સુખમાં વિરાજે છે. ૩ શ્રી પદ્મનદિ પચવિંશતિમાંથી (મન મહિલાનું રે વહાલા ઉપરે–એ દેશી) શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ છે, તે હું નહિ સંદેહ, એવી પણ જ્યાં નહિ કઈ કલ્પના, ચેતન આનંદગેહ. | દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૧ મક્ષપૃહા પણ મોહવશે કરે, મુક્તિ વિષે અંતરાય; • શાંતમુમુક્ષુ કે અન્ય સ્પૃહા તદા, કેમ કરે દુઃખદાય? | દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૨ ચેતનમૂર્તિ રે એહિ જ એક હું, કંઈ પણ પર ન લગાર; કેઈ અવરથી રે મુજ સંબંધ નહિ, એ મુજ દૃઢ નિર્ધાર. દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૩ શરીર વગેરે રે બાહ્ય પદાર્થની, ચિંતા તજતા સુસંત, શુદ્ધ સ્વરૂપે રે ચિત્તસ્થિતિ કરી, નિત્યાનંદે વસંત. દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમાધિ-સાધના એમ સ્વભાવે રે હોય તે હે મને, અવર ન ઈચ્છા જરાય; હે આત્મન ! આ તત્વ તું પામીને, શાંત સુખી થા સદાય. દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૫ વિસ્તૃત સંસ્કૃતિ માર્ગ ભમી ભમી, થાક્યા પ્રજ્ઞાવંત; તસ્વામૃત આ રે પાન કરે હવે; આણે એ શ્રમ અંત. | દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૬ સૂક્ષ્મ અતિ તે રે સ્થૂલ અતિ વળી, એક અનેક સ્વરૂપ, સ્વસંવેદ્યસ્વભાવી અદ્ય એ, અક્ષર અનBરરૂપ. દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૭ ઉપમા જેને રે કેઈ ઘટે નહીં, વચનાતીત અપ્રમેય; એહિ નિરાકુળ ભરપૂર શૂન્ય એ, નિત્ય છતાં એ અનિત્ય. | દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૮ શરીર રહિત એ રે નિરુપાશિમયી, નિરાલંબ નિઃશબ્દ; ચિઘનરૂપી રે ઉત્તમ જાતિ એ, મન વાણીથી અલબ્ધ. | દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૯ એમ સ્વરૂપ અત્યંત અગમ્ય એ, પરમાતમ દુર્લક્ષ્ય; તે સંબંધે રે વર્ણન અત્ર તે, ગગને ચિત્ર સદૃશ. દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૧૦ શુદ્ધ સ્વરૂપે રે સ્થિત તે દૂર રહ્યા, પણ ચિંતન જે કરંત; જીવિત તેનું રે ગ્લાધ્ય જગે ઝગે, સુરગણુ પદ પૂજંત. દિવ્ય ચિદાનંદમંદિર વંદીએ. ૧૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવના વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયની સુદ્રઢતા થવા માટે બાર ભાવના ચિતવવાનું તત્ત્વજ્ઞાનીઓ કહે છે. તેથી ભાવેની શુદ્ધિ થાય છે, તેથી ભેદવિજ્ઞાનની અને શુદ્ધ આત્મભાવનાની જાગૃતિ થઈ બેધિ સમાધિનું નિધાન એવું નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પામવા ભાગ્યશાળી થવાય છે. હે બુદ્ધિમાને ! તમે કાનને પાવન કરનારી આ બાર ભાવનાઓ શ્રવણ કરી હદયમાં ધારણ કરે. તેથી પ્રખ્યાત અને અતિ અદ્દભુત સમતારૂપી વેલ કે જેનું મહત્પરુએ અત્યંત મહામ્ય કહેલું છે તે અંતરમાં ઊગી નીકળી મેહાંધકારને ટાળી દેશે. સન્શાસ્ત્રના શ્રવણથી ઉદાર થયેલું અને વિવેકરૂપી અમૃતના કરવાથી આનંદ આપતું જેનું મન આ સદ્ભાવનાઓને આશ્રય કરે છે તેને કલ્પવૃક્ષ દૂર નથી. અને તેને પ્રકૃણ શાંતિરૂપ અલૌકિક સુખનું ફળ મળે છે. હે ચેતન ! જગતના બધા ભાવે ક્ષણભંગુર છે. કેવળ નિત્ય, ચિદાનંદમય, જ્ઞાનાનંદમય, તારું પિતાનું આત્મસ્વરૂપ છે. તેને જોઈ, જાણુ, અનુભવી, આત્મિક સુખને અનુભવ કર. સત્પરુષે આ પ્રશમરસવાળા નૂતન અમૃતનું પાન કરી નિરંતર આનંદ ઉત્સવ કરે ! Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમાધિ-સાધના ૧. અનિત્યભાવના શરીર, વૈભવ, કુટુંબ પરિવાર આદિ સર્વ વિનાશી છે; જીવને મૂળ ધર્મ અવિનાશી છે. એમ ચિંતવવું તે પહેલી અનિત્ય ભાવના. જે જે જમ્યા છે તે અવશ્ય મરવાના જ છે. યુવાની જવાની છે અને વૃદ્ધાવસ્થા આવવાની જ છે. મેઘપટલ પવનના ઝપાટાથી ક્ષણમાં વીખરાઈ જાય તેમ લક્ષ્મી, પરિવાર, ઘર, કુટુંબ, સ્વજનાદિ ક્ષણમાં વિણસી જવાનાં જ અને ઇદ્રિના વિષયે, શરીરની સુંદરતા આદિ સર્વ વીજળીના ઝબકારાની માફક જોતજોતામાં જતાં રહેવાના જ. સારી રીતે લાલન પાલન કરાયેલું શરીર પણ અવશ્ય ક્ષણમાં વિનાશ પામી જવાનું જ. ' હે ભવ્ય જી! તમે સર્વ વિષયને વિનાશી જાણુને મહામહને છોડીને પિતાના મનને વિષયથી રહિત કરે, કે જેથી ઉત્તમ સુખને પામે. - અનિત્ય ભાવનાનું ફળ એ છે કે સંસારના વિષયે સર્વ નાશવંત છે તેથી તેને મેહ, તેની અભિલાષા ત્યાગી દે. અને નિત્ય શાશ્વત એવા આત્મિક સુખની અભિલાષાથી શુદ્ધ આત્મસ્વરૂપને જ ઉપાસે, યાવત તેની પ્રાપ્તિ કરી કૃતાર્થ થાઓ ! मालिनी गगननगरकल्पं संगम वल्लभानां जलदपटलतुल्यं यौवनं वा धनं वा । सुजनसुतशरीरादीनि विद्युच्चलानि क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥ Page #132 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૧૧ સંસારમાં સ્ત્રીઓને સમાગમ આકાશમાં દેએ માયાથી રચેલ નગર સમાન ક્ષણવિનાશી છે. યુવાવસ્થા અને ધન આદિ મેઘપટલની માફક ક્ષણમાં વિણસી જાય તેવાં અનિત્ય છે. સ્વજન પુત્ર પરિવાર શરીર આદિ સર્વ વીજળી જેવાં ચપળ એટલે જોતજોતામાં ચાલી જાય એવાં ક્ષણિક છે. એમ સમસ્ત સંસાર ક્ષણિક જાણે. તેમાં નિત્યતાની બુદ્ધિ ન રાખે. વિદ્યુતુ લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચીએ ત્યાં ક્ષણને પ્રસંગ? ૨અારણ ભાવના સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કેઈ નથી. માત્ર એક શુભ ઘર્મનું જ શરણ સત્ય છે. એમ ચિંતવવું તે બીજી અશરણ ભાવના. જે સંસારમાં ચકવતી નરેન્દ્રો કે ઈંદ્ર, હરિ, હર, બ્રહ્મા જેવા શક્તિશાળી દે પણ મૃત્યુના મુખથી બચી શક્યા નથી તે સંસારમાં કેણ કેનું શરણ થઈ શકે તેમ છે? આયુષ્ય પૂર્ણ થયે મરણ આવી પહોંચતાં મંત્ર, તંત્ર, ઔષધ, યક્ષ કે દેવ કઈ મરણથી બચાવે તેમ નથી. આત્મા શરીરથી ભિન્ન વસ્તુ છે. શરીરની ઉત્તિથી તે ઉત્પન્ન થતું નથી તેમ શરીરના નાશથી તેને નાશ થત નથી. આત્મા તે સ્વર્ય અજર અમર શાશ્વત ત્રિકાળ ટકીને રહેનાર નિત્ય વસ્તુ છે. માટે શરીર છૂટે ત્યાં પિતાને નાશ થાય છે એમ માનવું તે અજ્ઞાન છે, મેહ છે. આત્માને મરણની ચિંતા વ્યર્થ છે. કારણ તે કદી મરતે નથી તેમ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમાધિ-સાધના જન્મતે પણ નથી. માટે આત્માને રત્નત્રયનું શરણ લઈ ઉત્તમ ક્ષમાદિ ધર્મમાં જોડે એ જ પરમ શરણ છે, તે જ સંસારનાં કષ્ટોથી તેને બચાવી શકાય છે. હે ભવ્ય ! તું પરમ શ્રદ્ધા વડે દર્શનજ્ઞાનચારિત્રરૂપ શરણને સેવન કર. કારણ કે સંસારમાં ભમતા જીવોને બીજું કઈ પણ શરણ નથી. જે પિતાને ક્ષમાદિ દશલક્ષણ ધર્મરૂપ કે રત્નત્રય ઘર્મરૂપ પરિણમાવે તે શરણ છે અને જે તીવ્ર કષાયયુક્ત થાય છે તે પોતે પોતાને હણે છે. પરમાર્થ વિચારીએ તે પોતે જ પોતાની રક્ષા કરનાર છે તથા ઘાત કરનાર છે. ક્રોધાદિકરૂપ પરિણામ કરે તે શુદ્ધ ચૈતન્યને ઘાત થાય છે અને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રમય રત્નત્રયરૂપ ધર્મમય પરિણામ કરે તે પોતાની રક્ષા થાય છે. એ ભાવનાથી જન્મમરણરહિત અવિનાશી પદ પમાય છે. સર્વશને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હશે. ૩. સંસારભાવના આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારે નથી. મેક્ષમયી છું એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. સંસારમાં કેવાં દુઃખે આ જીવે પૂર્વે ભગવ્યાં છે તે મૃગાપુત્ર પિતાને દીક્ષા લેવાને વારતાં પોતાનાં માતાપિતાને જણાવી સંયમ સ્વીકારવા જ દૃઢનિશ્ચયી બને છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૧૩ માતાપિતાને ભેગસંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતાપિતા પ્રત્યે એમ બેલી ઊઠયા :– “વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવે કઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંતવાર સહી છે, ભેગવી છે. મહાદુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભેળવી છે. જન્મ, જરા, મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખે મેં ભેગવ્યાં છે. હે ગુરુજને ! મનુષ્ય લેકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાય છે, તે અગ્નિથી અનંતગણું ઉષ્ણ તાપદના નરકને વિષે આ આત્માએ ભેગવી છે. મનુષ્ય લેકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભેગવી છે. લેહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈકિય કરેલા ઘૂંવાફૂવા બળતા અગ્નિમાં આકંદ કરતાં, આ આત્માએ અયુગ્ર દુઃખ ભેગવ્યાં છે. મહા દવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળુ છે તે વેળુ જેવી વજામય વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંતવાર બાવ્યો છે. - આકંદ કરતાં પચવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખે છે. નરકમાં મહા રૌદ્ર પરમાધામીએએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાએ બાંદ હતું. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતે. અતિ તીક્ષણ કંટકે કરીને વ્યાપ્ત ઊંચા શામલિ વૃક્ષને વિષે બાંધીને મહા ખેદ પમાડ્યો Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમાધિ-સાધના હતે. પારો કરીને બાંધી આપાછો ખેચવે કરી મને અતિ દુઃખી કર્યો હતે. મહા અસહ્ય કેલુને વિષે શેલડીની પેઠે આકંદ કરતે હું અતિ રૌદ્રતાથી પીડાય હતે. એ ભેગવવું પડયું તે માત્ર મારાં અશુભ કર્મને અનંતીવારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધે, શબલ નામા પરમાધામીએ તે શ્વાનરૂપે મને ભેંય પર પાડ્યો; જીર્ણ વસ્ત્રની પરે ફાડ્યો; વૃક્ષની પરે છેએ વેળા હું અતિ અતિ તરફડતે હતે. વિકરાળ ખડ્રગે કરી, ભાલાએ કરી, તથા બીજા શસ્ત્ર વડે કરી મને તે પ્રચંડીઓએ વિખંડ કીધે હતે. નરકમાં પાપકર્મો જન્મ લઈને વિષમ જાતિને ખંડનું દુઃખ ભેગવ્યામાં મણું રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજ્વલિત રથમાં રેઝની પેઠે પરાણે મને જોતર્યો હતે. મહિષની પેઠે દેવતાના વૈકિય કરેલા અગ્નિમાં હું બળ્યો હતે. ભડથું થઈ અશાતાથી અત્યગ્ર વેદના ભગવતે હતે. ક-ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ચૂંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતે હતે. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છરપલાની ધાર જેવું અનંત દુઃખદ પાણ પામ્યું હતું. જેનાં પાંદડાં તીવ્ર ખડ્ઝની ધાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યું હતું, ત્યાં આગળ પૂર્વકાળે મને અનંત વાર છેદ્યો હતે. મુદુગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગદાથી કરીને મારાં ગાત્ર ભાંગ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યું હતું. વસ્ત્રની પેઠે મને છરપલાની Page #136 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૧૫ તીક્ષણ ધારે કરી, પાળીએ કરી અને કાતરણીએ કરીને કાપે હતું. મારા ખંડેખંડ કટકા કર્યા હતા. મને તીર છો છેદ્યો હતે. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યું હતું. પરવશતાથી મૃગની પેઠે અનંતવાર પાશમાં હું સપડાયે હતે પરમાધામીએ મને મગરમચ્છરૂપે જાળ નાંખી અનંત વેળા દુખ આપ્યું હતું સીંચાણુરૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંતવાર મને હણ્યા હતા. ફરશી ઈત્યાદિક શસ્ત્રથી કરીને મને અનંતવાર વૃક્ષની પેઠે ફૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુગરાદિકના પ્રહાર વતી લેહકાર જેમ લેહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીઓએ અનંતીવાર ટીપે હતે. તાંબું, લોઢું અને સીસું અગ્નિથી ગાળી તેને કળકળતે રસ મને અનંત વાર પાયે હતે. અતિ રૌદ્રતાથી તે પરમાધામીએ મને એમ કહેતા હતા કે, પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ. એમ મારા શરીરના ખંડ ખંડ કટકા મેં અનંતી વાર ગળ્યા હતા. મદ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડયું નહોતું. એમ મેં મહા ભયથી, મહા ત્રાસથી અને મહા દુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભેગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંત વાર તે નરકમાં મેં જોગવી હતી. જેવી વેદના મનુષ્યલેકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણ અધિક અશતાવેદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે અશાતાદની મેં જોગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.” Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમાધિ-સાધના હવે ચતુર્ગતિનું કંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે. તેમાં એગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં ચોરાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. તેની વામય ભૂમિ ભીંતની માફક છજેલ છે. કેટલાંક બિલ સંખ્યાત યાજન લાંબાં પહેલાં છે, કેટલાંક અસંખ્યાત જન લાંબાં પહેલાં છે. તે એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડાં મેંઢાવાળાં અને ઊંધે માથે છે તેમાં નારકી જ ઊપજી નીચે માથું અને ઉપર પગથી આવી વજશ્ચિમય પૃથ્વીમાં પડી, જેમ જેરથી પડી દડી પાછી ઊછળે છે તેમ તેનારકી) પૃથ્વી પર પડી ઊછળતાં લેટતાં ફરે છે. કેવી છે નરકની ભૂમિ ? અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી અસંખ્યાત ગુણ અધિક વેદના કરવાવાળી છે. ઉપરની ચાર પૃથ્વીનાં ચાળીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેંતાળીસ લાખ બિલમાં તે કૈવળ આતાપ, અગ્નિની ઉષ્ણ વેદના છે. તે નરકની ઉષ્ણુતા જણાવવાને માટે અહીં કોઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતું નથી કે જેની સદૃશતા કહી જાય તે પણ ભગવાનને આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે કે લાખ જનપ્રમાણ મોટા લેઢાના ગેળા છોડીએ તે તે નરકભૂમિને નહીં પહોંચતાં, પહોંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે. જેમ ઊકળેલા આધણમાં ચેખા સર્વ તરફ ફરતાં છતાં ચડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તયાય Page #138 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૧૭ માન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ઊડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતાં મચ્છાદિકને બીજા મછાદિક મારે છે, સ્થળમાં વિચરતાં મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ, મ્લેચ્છ, ચાર, લૂંટારા, મહા નિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં જીવ બધાં સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જી મેઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણ પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કેપ વગેરે તથા ઇંદ્રિયોના વિષયની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, વિષયાદિકરૂપ અજગરને મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરે તે સંસારરૂપ અજગરનું મોટું છે. એમાં પ્રવેશ કરી પિતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિ ભાવપ્રાણુને નાશ કરી, નિગોદમાં અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે, જ્ઞાનાદિકને અભાવ થયે ત્યારે નાશ પણ થ. નિગદમાં અક્ષરને અનંતમે ભાગ જ્ઞાન છે, તે સર્વ જેયેલ છે. ત્રસ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે, તે તે દુઃખ અનંતવાર ભેગવે છે. એવી કઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યા આ સંસારમાં આ જીવ અનંત પર્યાય દુખમય પામે છે, ત્યારે કે એક વાર ઇંદ્રિયજનિત સુખને પર્યાય પામે છે તે વિષયેના આતાપ સહિત ભય, શંકા સંયુક્ત અલ્પકાળ પામે. પછી અનંત પર્યાય દુઃખના, પછી કેઈ એક પર્યાય ઇંદ્રિયજનિત સુખને કદાચિત પ્રાપ્ત થાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમાધિ-સાધના આ દુઃખથી પરિપૂર્ણ આ સંસાર જાણીને સર્વ પ્રકારે ઉદ્યમ કરીને મેહને છેડીને હે ભવ્યો ! તે આત્મસ્વભાવનું ધ્યાન કરે કે જેથી સંસારભ્રમણને નાશ થાય. નારા છંદ અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુ:ખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શામેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. જેમાં એકાંત અને અનંત સુખનાં તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામમાત્ર સુખ તેમાં તારે પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે! અહે ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળી રે ! નિહાળ!!! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામગની પ્રવૃત્તિને બાળી દે ! ૪. એકવ ભાવના આ મારે આત્મા એકલે છે. તે એકલે આવ્યો છે, એકલે જશેપિતાનાં કરેલાં કર્મ એકલે ભેગવશે એમ ચિંતવવું તે એથી એકત્વ ભાવના. જીવ એકલે પુણ્યસંચય કરે છે. અને તેના ફળરૂપ દેવગતિનાં સુખને એકલે ભેગવે છે. એકલે કર્મની નિર્જરા કરે છે અને તે એળે જ મોક્ષ પામે છે. જીવને ધર્મ જ દેવલેક અને સર્વ દુઃખના નાશરૂપ મેક્ષ આપે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૧૯ હે ભવ્ય ! તમે જીવને શરીરથી ભિન્ન સર્વ પ્રકારે ઉદ્યમ કરીને જાણે. જે જાણવાથી બાકી સર્વ પદ્રવ્ય ક્ષણમાત્રમાં તજવા યોગ્ય થાય છે. પિતાનું સ્વરૂપ જાણે તે સર્વ પરદ્રવ્ય હેય જ ભાસે. રેગ કે મરણ કાળે સ્વજને માત્ર જોઈ રહે છે પણ રેગ કે દુઃખને લેશમાત્ર લેવાને કે ટાળવાને સમર્થ થતાં નથી એમ જાણવા છતાં આ જીવ તે બધાંમાંથી મમત્વ છોડતું નથી. પિતાનાં કરેલાં કર્મ પિતાને એકલાને જ ભેગવવાં પડે છે. આપણે સાચે આત્મીય તે તે છે કે જે આપણને દુઃખમાંથી બચાવી સુખમાં લઈ જાય છે. તે તે રત્નત્રયરૂપ કે દશલક્ષણરૂપ ધર્મ જ એક એ છે કે જે જીવને ઉત્તમગતિ અને પ્રાંતે મેક્ષરૂપ અનંત સુખમાં લઈ જાય છે. માટે એકત્વ ભાવનાના ચિંતવનથી એ ધર્મમૂર્તિ નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ જ ઉપાસવા ગ્ય છે, યાવતું તેને પ્રાપ્ત કરી કૃતાર્થ થવા યંગ્ય છે. ज्ञानदर्शनचरणपर्यवपरिवृत्तः परमेश्वरः । एक एवानुभवसदने स रमतामविनश्वरः ।। 1 અહો ! આ મારો આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર પર્યાયવાળે પરમેશ્વર છે. એ એક છે, એકલે છે, એને બીજા સાથે સંબંધ નથી, એનાં તે જ્ઞાન, દર્શન, ચારિત્ર જ છે. અને જ્ઞાનાદિ એશ્વર્ય સંપન્ન તે પરમેશ્વર છે. વળી તે અવિનાશી છે. આ મારે આત્મા અનુભવ ગૃહમાં આનંદ કરો. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમાધિ–સાધના વસ્તુતત્વ વિચારવાથી, સ્વપરને વિવેક કરવાથી, તને સુંદર સમતા અમૃતરસ પ્રાપ્ત થશે. તે તે સમતારૂપી અમૃતરસ પ્રાપ્ત કરી એક તું તેને સ્વાદ લે. તને બહુ આનંદ થશે, તેથી અવર્ણનીય સુખરસ તું પામીશ. વિષય સુખ તે ક્ષણિક છે. આ અવર્ણનીય સુખ શાશ્વત અવ્યાબાધ છે. તે તેને તે પ્રાપ્ત કર. એક જીવ પરજાય બહુ, ધારે સ્વપર નિદાન; પર તજી આપા જાનિકે, કરે ભવ્ય કલ્યાન, ૫. અન્ય ભાવના આ સંસારમાં કઈ કેઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વ ભાવના. આ જીવ સંસારમાં દેહ ધારણ કરે છે તે પિતાથી અન્ય છે, માતા અન્ય છે, પુત્ર અન્ય ઊપજે છે. આ સર્વ કર્મસંગથી થાય છે. એવી રીતે સર્વ બાહ્ય વસ્તુને આત્મા આત્મસ્વરૂપથી ન્યારી જાણે છે તેપણું, પ્રગટપણે જાણતાં છતાં પણ આ મૂઢ જીવ તે જ પદ્રવ્યને વિષે રાગ કરે છે એ મેટી મૂર્ખતા છે. જે જીવ પોતાના સ્વરૂપથી દેહને પરમાર્થથી ભિન્ન જાણીને આત્મસ્વરૂપને સેવે છે, ધ્યાવે છે, તેને અન્યત્વ ભાવના કાર્યકારી છે. અન્યત્વનું ચિંતવન કરતાં છતાં પણ જે યથાર્થ ભેદજ્ઞાન ન થયું, દેહથી પિતાને આત્મા તત્ત્વથી, પરમાર્થથી ભિન્ન છે એમ ન ભાસ્યું તે તે ચિતન નિરર્થક છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૃત સ્નેહી સ્વજન કે, ના ગાત્ર કે શાત ના, ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેાહ અજ્ઞાત્વના, રે ! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. ૧૨૧ ૬. અશુચિ ભાવના આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણુ છે, રાગ જરાને રહેવાનું ધામ છે. એ શરીરથી હું ન્યારો છું એમ ચિંતવવું, તે છઠ્ઠી અશુચિભાવના. હાડ માંસ રુધિર આદિ દુર્ગન્ધમય સાત ધાતુઓના અપવિત્ર એવા આ દેહ પવિત્ર એવાં ચંદન, કપૂર, કસ્તૂરી, પુષ્પાદિ સુગંધી દ્રવ્યોને પણ તે દેહના સંગ થતાં જ દુર્ગંધયુક્ત બનાવી દે છે; તેમ જ રાગ પીડા જરા મરાદિ દુઃખાનું ધામ બને છે મનુષ્યાને તેથી વિરક્ત થવા જ વિધિએ મનુષ્યેાના દેહ આવા બનાવ્યો છે, એમ લાગે છે. છતાં મનુષ્ય તેવા અપવિત્ર પેાતાના કે સ્રી આદિના દેહમાં અનુરક્ત થાય છે એ ખરેખર સખેદ આશ્ચર્ય છે ! આવા અશુચિમય દેહને પ્રત્યક્ષ દેખતા છતાં આ જીવ તેમાં અનુરાગ કરે છે. પૂર્વે કદી ન મળ્યો હોય એમ માનીને તેના આદર કરે છે, તેને સેવે છે. આ માટું અજ્ઞાન છે. જે ભવ્ય જીવ પર દેહ, જે સ્ત્રી આદિના દેહ, તેમાં વિરક્ત થઈને નિજ દેહને વિષે અનુરાગ કરતા નથી, અને આત્મસ્વરૂપમાં સુરક્ત રહે છે, તટ્વીન રહે છે, તેમની અશુચિ ભાવના સાર્થક છે. ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ, કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમાધિ-સાધના સ્વપર દેહલું અશુચિ લખિ, તજે તાસ અનુરાગ, તાકે સાચી ભાવના. સો કહિયે વડભાગ, ૭, આસવભાવના રાગદ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ આદિ સર્વ આસવ છે એમ ચિતવવું તે સાતમી આસવ ભાવના. મન વચન કાયાની ક્રિયાને યોગ કહેવાય છે અને આ યુગને જ તત્ત્વવિશારદો આસવ કહે છે. કર્મનું આગમન તે આસવ, શુભ અને અશુભ કે પુણ્ય અને પાપ બે પ્રકારે છે. | સર્વ જીવ પ્રત્યે પ્રિય વચન બોલવું, અપ્રિય કટુક વચન બોલનાર દુર્જન પ્રત્યે પણ ક્ષમા રાખવી, સર્વમાંથી ગુણ ગ્રહણ કરવા, ઈત્યાદિ મંદ કષાયથી પુણ્યસવ થાય છે. પિતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષના દોષ જેવા, તેમના અવર્ણવાદ બલવા, દીર્ઘ કાળ સુધી વેરભાવ ઘારી રાખવે, ઈત્યાદિ તીવ્ર કષાયથી પાપાસવ થાય છે. આમ જાણીને પણ જે ત્યાગવા ગ્ય મિથ્યાત્વ, કષાય આદિને ત્યાગ કરતા નથી તે જીવને આસવ ભાવનાનું ચિંતન નિષ્ફળ જાય છે. જે મુમુક્ષુ ઉપશમ ભાવમાં, સમભાવમાં લીન થઈને, મેહકર્મના ઉદયથી થતા સર્વ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ગરૂપ અ ને હેય જાણુને તેને તજી દે છે, તેને આસવભાવના સફળ થાય છે. આતમ કેવળજ્ઞાનમય, નિશ્ચય દૃષ્ટિ નિહાર, સબ વિભાવ પરિણામમય, આસવભાવ વિવાર. Page #144 -------------------------------------------------------------------------- ________________ રામાધિ-સાધના ૧૨૩ આસ્રવ પંચ પ્રકારનું ચિંતવે તજી વિકાર, તે પાવે નિજરૂપકું, યહે ભાવના સાર. ૮. સંવર ભાવના જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહીં એમ ચિતવવું તે આઠમી સંવર ભાવના. મિથ્યાત્વ આદિ પાંચ આસવને સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, કષાયજય અને કેગના અભાવથી રેકવા તે સંવર. હે ભવ્ય ! ચિદાનંદમય, અનંત ગુણનું પાત્ર એવું જે - આત્મસ્વરૂપ, વસ્તુ છે તેનું રાગાદિ દેષરહિત ધર્મશુક્લ ધ્યાનમાં લીન થવું તેને તું ઉત્તમ ચારિત્ર જાણ. જે સાધક વિષયોથી વિરક્ત થઈને મનને પ્રિય જે વિષયે તેનાથી આત્માને સદાય નિશ્ચયે સંવરરૂપ કરે તેને પ્રગટપણે સંવર હોય છે. ઇંદ્રિયો અને મનને વિષામાંથી રેકીને પિતાને શુદ્ધ સ્વરૂપમાં રમાવે તેને સંવર હોય છે. सकलसमितिमूलः संयमोहामकाण्डः प्रशमविपुलशाखो धर्म पुष्पावकीर्णः । अविकलफलबन्धबन्धुरो भावनाभिजयति जितविपक्षः संवरोद्दामवृक्षः ॥ -શ્રી જ્ઞાનાર્ણવ ઈસમિતિ આદિ પાંચ સમિતિ જેનું મૂળ છે, સામાયિક આદિ પાંચ સંયમ જેનું થડ છે, પ્રશમરૂપ વિશાળ જેની શાખા (ડાળ) છે, ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મ જેનાં પુષ્પ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમાધિ-સાધના છે, અને અવિકલ મોક્ષ જેનું ફળ છે એવું બાર ભાવનાએથી સુંદર આ સંવરરૂપી મહાવૃક્ષ સર્વોપરી છે આત્મા અનાદિકાળથી પિતાના સ્વરૂપને ભૂલી રહ્યો છે, તેથી આસવરૂપ ભાવથી કર્મોને બંધ કર્યા કરે છે. પરંતુ જ્યારે તે પિતાના સ્વરૂપને જાણીને તેમાં તલ્લીન થાય છે, ત્યારે તે સંવરરૂપ બનીને આવતાં કર્મોને રેકે છે, અને પૂર્વકની નિર્જરા કરે છે જેથી મુક્ત થઈ જાય છે. એ સંવરનાં બાહ્ય કારણે સમિતિ, ગુપ્તિ, ધર્માનુપ્રેક્ષા, પરિષહજય આદિ કહ્યાં છે. નિજ સ્વરૂપમાં લીનતા, નિશ્ચય સંવર જાનિ; સમિતિ-ગુપ્તિ-સંયમ ધરમ, ધરે પાપકી હાનિ. ૯. નિર્જરાભાવના જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિતવવું એ નવમી નિર્જરાભાવના. જે સાધક દુર્વચનને, સાધમજને નિંદા કરે તેને, તથા ઉપસર્ગને, કષાય કર્યા વિના શાંતિપૂર્વક સહન કરી લે તે તેને વિસ્તારવાળી અત્યંત નિર્જરા થાય છે. અર્થાત પૂર્વે બાધેલાં ઘણાં જ કર્મો ક્ષય થઈ જાય છે. ઉપસર્ગ તથા પરિષહને એમ માને કે મેં પૂર્વજન્મમાં જે પાપસંચય કર્યું હતું તેનું આ ફળ છે, તેથી ભેગવી લેવું, તેમાં વ્યાકુલ ન થવું. જેમ કેઈનું દેવું કરી રકમ આણી હેય તે જ્યારે માગે ત્યારે આપી દેવી. તેમાં વ્યાકુળતા શી? એમ માને તેને ઘણી નિર્જરા થાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ સમાધિ– સાધના ૧૨૫ જે સાધક આ શરીરને મમત્વ, મેહને ઉપજાવનારું, વિનાશી તથા અશુચિમય વિચારે છે તથા દર્શન જ્ઞાન ચારિત્રને સુખનાં ઉપજાવનાર, નિર્મળ અને નિત્ય માને છે તેને ઘણું નિર્જરા થાય છે. જે પિતાના મિથ્યાત્વાદિ દોષની નિંદા કરે, અને ગુણવંત સમકિતી મહાપુરુષની સ્તુતિ કરે, બહુમાન કરે, મન ઇંદ્રિયોને જીતીને સ્વરૂપમાં તલ્લીન થાય, સ્વરૂપપરાયણ થાય તેને ઘણું નિર્જરા થાય છે. ઉપરોક્ત નિર્જરાનાં કારણોમાં જે સાધક પ્રવર્તે તેને જન્મ સફળ છે, તેને પાપકર્મની નિર્જરા થાય છે, પુણ્યકર્મને અનુભાગ વધે છે અને તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. જે સાધક સમતા, વીતરાગતાજનિત સુખમાં લીન થઈને વારંવાર શુદ્ધ ઘનિધાન, શુદ્ધચિકૂપ નિજ સહજાત્માનું ( પરમાત્માનું) સમરણ કરે, ધ્યાન કરે તે ઇંદ્રિય અને કષાયનો જય કરનાર મહાત્મા પરમ નિર્જરા કરે છે. ઇંદ્રિય અને કષાયને નિગ્રહ કરી પરમ વીતરાગ ભાવરૂપ આત્મધ્યાનમાં લીન થાય છે તેને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. પૂર્વ બાંધે કર્મ જે, ખરે તબળ પાય; સો નિર્જરા કહાય હે, ધારે તે શિવ જાય. ૧૦. લોકસ્વરૂપ ભાવના લેકસ્વરૂપનું ઉત્પત્તિ સ્થિતિ વિનાશ સ્વરૂપ વિચારવું તે દશમી લકસ્વરૂપ ભાવના. लोक्यन्ते दृश्यन्ते जीवाद्याः पदार्था यत्र स लोकः । Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમાધિ-સાધના જેમાં જીવાદિ પદાર્થો દેખીએ તે લેક, જીવ, પુગલ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યોથી લેક ભરપૂર છે. એ છયે દ્રવ્યો ઉતારવ્યયઘવતા સહિત છે. એ છ દ્રવ્યોમાં આપણે આત્મા એક જીવદ્રવ્ય છે. તેનું સ્વરૂપ યથાર્થ જાણીને, અન્ય પદાર્થોથી મમતા છોડીને આત્મભાવના ભાવવી એ પરમાર્થ છે. જે પુરુષ સગુરુએ કહેલા તવને જાણીને તેને અચળ ભાવે ગ્રહણ કરે છે તથા સદા તેની ભાવના કરે છે તે શુદ્ધાત્મ તત્ત્વને પામે છે. આ લેકમાં સર્વત્ર કંચન અને કામિનીનું સામ્રાજ્ય છે. સૌ કેઈ વિષય અને કષાયમાં નખથી શિખ સુધી ડૂબેલા છે. જે કઈ આ વિષય કષાયની વૃત્તિ શાંત કરી, ઉપશાંત થઈ, લેકનું સ્વરૂપ ધ્યાવે છે તે કર્મપુજને નાશ કરી એ જ લેકના શિખામણિ બને છે. જે પુરુષ લેકમાં વ્યાપેલાં છ દ્રવ્યના યથાર્થ સ્વરૂપને જાણુને તે સર્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અપ્રતિબદ્ધ થઈ નિજસ્વરૂપને ભાવે, અનુભવે તેની લેકભાવનાનું ચિંતવન કાર્યકારી થાય છે. તે મહાભાગ્ય કર્મોને નાશ કરીને લેકશિખર પર જઈ બિરાજે છે અને ત્યાં અનંત અનુપમ બાધારહિત સ્વાધીન જ્ઞાનાનંદસ્વરૂપ આત્મિક સમાધિ સુખને અનંતકાળ પર્યત ભેગવે છે. લકસ્વરૂપ વિચારકે, આતમરૂપ નિહારિ, પરમારથ વ્યવહાર મુણિ, મિક્યાભાવ નિવારિ. ૧ જાણીને Page #148 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ૧૨૭ ૧૧. એષિદુલ ભ ભાવના સંસારમાં ભમતાં આત્માને સભ્યજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે. વા સમ્યજ્ઞાન પામ્યા તે ચારિત્ર, સર્વવિરતિ પરિણામરૂપ ધર્મ પામવા દુર્લભ છે એવી ચિંતવના તે ખધિદુર્લભ ભાવના છે. સમુદ્રમાં રત્ન પડી ગયા પછી પાછું મેળવવું જેટલું દુર્લભ છે તેટલા મનુષ્યભવ પામવા દુર્લભ છે. હે ભવ્ય જીવા ! મનુષ્યગતિમાં જ તપનું આરાધન હેાય છે, સમસ્ત મહાવ્રત હોય છે, ધર્મ-શુક્લધ્યાન હેાય છે અને મનુષ્યભવમાં જ મેાક્ષની પ્રાપ્તિ હેાય છે. આવા દુર્લભ મનુષ્યભવ પામીને જે વિષયામાં રમે છે તે રાખ માટે રત્નને ખાળે છે. હે વિશાળ બુદ્ધિવાળા સજ્જના ! મહા મુશ્કેલીથી પમાય એવું જે એધિરત્ન, સમ્યક્ત્વ તેનું તમે સેવન કરો. એ ધિના પ્રભાવે દેવતાઓ પણ આશ્ચર્ય પામે એવા સ્વર્ગસંપત્તિના વિલાસ પામી જીવ આનંદોલ્લાસ પ્રાપ્ત કરે છે. એ ખેાધિના પ્રભાવે પુષ્કળ વૈભવભાગવાળા ઉત્તમ કુળમાં જીવ જન્મ પામે છે. અને ક્રમે કરી મેાક્ષરૂપ અદ્વૈત બ્રહ્મપદ્મવી સુધી જીવને પહેાંચાડવામાં કોઈ જેને ખાધક નથી— એવું મહદ્ભૂત એ એષિરત્ન છે. તેને હે બુદ્ધિમાના ! તમે સેવા. અંતરમાં રહેલું, આનંદનું કારણ એવું આ ચેતન અનુપમ તીર્થ છે. એના જેવું ખીજું કાઈ તીર્થં નથી. માટે તેનું સ્મરણુ કરો. દીર્ઘ કાળ શુદ્ધ ભાવામાં રહેા, તેથી તમેા શાશ્વત સુખને પામશે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમાધિ-સાધના આમ સર્વમાં દુર્લભદુર્લભ રત્નત્રયને જાણીને તેને વિષે પરમ આદર કરે. सुलभमिह समस्तं वस्तुजातं जगत्यामुरगसुरनरेन्द्रः प्राथितं चाधिपत्यं । कुलबलसुभगत्वोद्दामरामादि चान्यत् किमुत तदिदमेकं दुर्लभं बोधिरत्नम् ।। આ જગતમાં સમસ્ત વસ્તુસમૂહ પામ સુલભ છે. તથા ધરણેન્દ્ર, નરેન્દ્ર, સુરેન્દ્રો દ્વારા પ્રાર્થના કરવા યોગ્ય અધિપતિપણું પણ સુલભ છે. કારણ કે એ સર્વ કર્મોને ઉદયથી મળે છે. તથા ઉત્તમ કુળ, બળ, સુભગત, સુંદર સ્ત્રી, આદિ સમસ્ત પદાર્થ સુલભ છે. કિંતુ જગપ્રસિદ્ધ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યફચારિત્રરૂપ બધિરત્ન પામવું અત્યંત દુર્લભ છે. પરમાર્થથી વિચારતાં જે વસ્તુ પરાધીન હોય તે પામવી દુર્લભ છે. પણ સ્વાધીન હોય તે તે પામવી સુલભ છે. આ બોધિ (રત્નત્રય) આત્માને સ્વભાવ છે, સ્વાધીન સંપત્તિ છે. જે પિતાના સ્વરૂપને જાણ્યું તે પિતાની જ પાસે છે. તેથી તે દુર્લભ નથી. પરંતુ આત્મા જ્યાં સુધી પિતાના સ્વરૂપને જાણે નહીં ત્યાં સુધી તે કર્માધીન છે. એ અપેક્ષાએ પિતાને બોધિસ્વભાવ પામે દુર્લભ છે; અને કર્મકત બીજા સર્વ પદાર્થ પામવા સંસારમાં સુલભ છે. એવા બધિરનને જે ભાગ્યને પામ્યા તે પ્રમાદને વશ થઈ તેને ગુમાવી ન દેવાય તે માટે અવશ્ય જાગૃતિ રાખવી ગ્ય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૨૯ બોધિ આપકા ભાવ હે, નિશ્ચય દુર્લભ નાહિ; ભવમેં પ્રાપતિ કઠિન હૈ, યહ વ્યવહાર કહાહિ. ૧૨ ધર્મદુલભ ભાવના ઘર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે બારમી ધર્મદુર્લભ ભાવના. ઘર્મને જ પ્રસાદ વડે કરી આ ઐય, સ્થાવર જંગમમય સચરાચર વિશ્વ શેભી રહ્યું છે. ધર્મ જ આ લેક તથા પરલેકને વિષે પ્રાણીઓનું હિત કરનાર છે. ધર્મથી જીવે સર્વ કાર્યો સિદ્ધ કરી લે છે. ઘર્મો જ પિતાના તેજ બળે કરી પાપરૂપ વિટંબનાને નાશ કરી નાખે છે. એવા છે. એવા દયાવંત ધર્મરૂપ વિભુ-પ્રભુને મારા ભક્તિભાવે પ્રણામ હો ! ધર્મ એ આ જગતમાં કલ્પવૃક્ષ છે. એ ધર્મરૂપી કલ્પવૃક્ષને મારા નમસ્કાર છે કે જે ધર્મથી સકળ જગત પવિત્ર કરાય છે, તથા જગતને ઉદ્ધાર કરાય છે તથા જે દયાથી આÁ છે. લક્ષમી સહિત ચિંતામણિ, દિવ્ય નવ નિધિ, કામધેનુ અને કલ્પવૃક્ષ એ સર્વ ધર્મને ચિરકાળથી કિકર, સેવક છે. ઘર્મ જીને ચક્રવર્તી, ધરણેન્દ્ર તથા દેવેન્દ્રો દ્વારા વાંછિત તેમજ ગેલેક્યપૂજ્ય તીર્થંકરની લક્ષમીને આપે છે. ઘર્મ, કષ્ટ સમયે સમસ્ત જગતના ત્રસ સ્થાવર જીની રક્ષા કરે છે અને સુખરૂપી અમૃતના પ્રવાહથી સમસ્ત જગતને તૃપ્ત કરે છે. - Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમાધ-સાધના આ ત્રણ લેકમાં ભેગ કે મોક્ષનું એવું કેઈ કારણ નથી કે જેને ધર્માત્મા પુરુષ ધર્મના સામર્થ્યથી પામી ન શકે. અર્થાત્ ધર્મને સામર્થ્યથી સમસ્ત મને વાંછિત પદને પામે છે. જેના ચિત્તમાં ઘર્મ જ એક શરણભૂત છે તેનાં ચરણકમળની પક્તિમાં ઇંદ્રગણ પણ નમ્રીભૂત મસ્તક વડે નમસ્કાર ઘર્મ ગુરુ છે, મિત્ર છે, સ્વામી છે, બાંધવ છે, હિત છે, અને ધર્મ જ નિષ્કારણ અનાથેની પ્રીતિપૂર્વક રક્ષા કરનાર છે. આ પ્રાણુને ધર્મ વિના બીજું કઈ શરણ નથી. આ ધર્મ, નરકસ્થાનેની નીચે જે નિમેદસ્થાન છે તેમાં પડતા ત્રણ જગતને ધારણ કરે છે, અવલંબન આપીને બચાવે છે તથા જીવને અતીન્દ્રિય સુખ પણ આપે છે. ધર્મનું સમસ્ત સામર્થ્ય સારી રીતે કહેવાને સહસ્ત્ર મુખવાળા નાગેન્દ્ર પણ આ ભૂતળમાં સમર્થ નથી. તત્વના યથાર્થ જ્ઞાનથી રહિત મિથ્યાવૃષ્ટિ ધર્મ ધર્મ એમ કહે તે છે, પરંતુ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણતા નથી, કારણ કે તે વસ્તુપરીક્ષામાં અસમર્થ છે. નામ માત્રથી ધર્મ ધર્મ એમ તે કહે છે પરંતુ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણ્યા વિના સત્ય પરીક્ષા ક્યાંથી હોઈ શકે? એ પરીક્ષા પરમાગમથી થઈ શકે છે. રત્નત્રયરૂપ ધર્મનું મૂળ સમ્યકત્વ છે. આ સમ્યક્ત્વ સર્વ રત્નમાં મહારત્ન છે. સર્વ યોગોમાં ઉત્તમ વેગ છે. સર્વ ઋદ્ધિઓમાં મહા અદ્ધિ છે. અધિક શું કહેવું ? Page #152 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૩૧ સમ્યકત્વ સર્વ સિદ્ધિઓને દેનાર છે. સમ્યકત્વથી વિભૂષિત જીવ ઇદ્રો તથા નરેંદ્રોથી વંદનીય બને છે. પરમાગમમાં ધર્મ ચાર પ્રકારે કહ્યો છે. (૧) વસ્તુ સ્વભાવરૂપ, (૨) ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણરૂપ, (૩) રત્નત્રય (સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર)રૂપ, અને (૪) દયામય. દર્શ-જ્ઞાનમય ચેતના, આતમ ધર્મ વખાનિ, દયા કમાદિક રતનત્રિય, યામે ગર્ભિત જાનિ. આ બાર ભાવનાએ મનનપૂર્વક નિરંતર વિચારવાથી સપુરુષ ઉત્તમપદને પામ્યા છે, પામે છે અને પામશે. બારભાવના-૨ વસંતતિલકા આ દેહ દેવળ વિષે સત દેવ રાજે, જાગે પ્રતીતિ કરી લે શુભ જોગ આજે, તે દેવ શુદ્ધ સહજાન્મસ્વરૂપ ભાળે, અજ્ઞાન જન્ય ચિરકાળ સુષુપ્તિ ટાળે. ૧ જે દિવ્ય નેત્ર ગુરુ જ્ઞાની તણું પસાયે, સંપ્રાપ્ત થાય કૃતકૃત્ય તદા થવાયે, સમ્યકત્વ જયોતિ યદિ ઉર વિષે પ્રકાશે, તે આત્મદેવનું મહાભ્ય અચિંત્ય ભાસે. ૨ સમ્યકત્વ પ્રાપ્ત કરવા ગુરુરાજ કેરે, સદુધ સૂક્ષ્મ અતિ અંતરમાં વિચારે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમાધિ–સાધના વિદ્યા વિચાર તણી નિર્મળતા થવાને, વિવેકપ્રદ દ્વાદશ ભાવા ભાવનાને. ૩ જો, સ્વપ્ન તુલ્ય સઘળી રચના વિચિત્ર, સંસાર ભાગ તનુ પુત્ર કલત્ર મિત્ર; આયુષ્ય છે ક્ષણ વિષે વણસી જનાર, તું નિત્ય શાશ્વત સુખે પરિપૂર્ણ ધાર. ૪ મૃત્યુ વિકાસી મુખ જો રહ્યું છે તકાસી, તે દુઃખમાં શરણુ કાણુ સમીપવાસી ? સદ્ધર્મ સત્ય શરણું ઉરમાં ઉતારશે, સૌ સ્નેહ જાળ કોઁ સ્પાય નહી વિચાર. ૫ સંસાર સર્વે ભુમિયા જીવ કર્મવેષે, નૃત્ય કર્યાં, દુઃખ અસહ્ય સહ્યાં વિશેષે; સંસાર જંજીર ચતુર્ગતિ છેઢી ભેદ્દી, મુક્તિ સ્વધામ સુખધામ વરીશ કે ી ? ૬ એકાકી જન્મ સમયે, પરલેાક જાતાં, એકાકી કર્મફળ દુ:ખ વિષે ઘડાતાં; એકાંત શુદ્ધ નિજ આત્મસ્વરૂપ ભાળા, એકત્વ ભાવ ધરી ચિત્ત વિભાવ ટાળેા ७ જ્ઞાનાદિ આત્મધન શાશ્વત એક તારું, તે વિષ્ણુ અન્ય જગમાં જીવ જાણુ ન્યારું; ચૈતન્ય લક્ષણ વિવેક વડે વિચારો, તું અન્ય દ્રવ્ય થકી ભાવ સદાય ત્યારે. ૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૩૩ મૃત્યુ જરા વિવિધ વ્યાધિ નિહાળ દેહે, દુર્ગધપૂર્ણ મળમૂત્ર વિષે શું માહે ? સૌંદર્ય એ શરીરનું ગતતેજ લાગે, જે તત્ત્વવૃષ્ટિ ઉરમાં અતિ તીવ્ર જાગે. મિથ્યાત્વ અવત પ્રમાદ કષાય યોગે, કર્મોતણે સતત આસવ કેણ રેકે ? જ્ઞાનાદિ આત્મધન આસવથી લુટાયે, ઐશ્વર્યહીન જીવ દીન સમે જણાયે. ૧૦ શુદ્ધાત્મભાવ શુચિ સ્વાનુભવે સદાયે, કર્મોતણે સકલ આસવ દૂર થાય; સૌ કર્મ આગમન રેકી સ્વદ્રવ્ય રક્ષે, જ્ઞાની સુસંવર બળે મન એક લશે. ૧૧ પૂર્વે કરેલ કરમે ક્રમથી ખરે છે, ઈચ્છાનિધિ તપથી સમતા ઝરે છે; તે નિર્જરા મન વસી ભવ તે તરે છે, મુક્તિ પ્રિયા પ્રિયસખી દુઃખ સૌ હરે છે. ૧૨ ઉત્તિ નાશ ધ્રુવતાયુત સર્વ દ્રવ્યો, વ્યાપેલ લેક મહીં ભાળી ભૂલે ન ભવ્યા; જે દ્રવ્યવૃષ્ટિ થકી લેક સમસ્ત ભાળે, પર્યાય વિકૃતિ વિષેથી વિમેહ ટાળે. ૧૩ શુદ્ધાત્મબોધ પ્રતીતિ, સ્થિતિ, રત્નપ્રાપ્તિ, અત્યંત દુર્લભ ભ ન લહી કદાપિ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમાધિ-સાધના દારિદ્ર દુઃખ ભગવાસીતણું ટળે ના, બેધિ સમાધિ વિણ શાંતિ ખરી મળે ના. ૧૪ ઘારે અગતિ વિષે પડતાં જીવોને, સ્થાપે નરેન્દ્ર અમરેન્દ્ર મુનીન્દ્ર સ્થાને નિગ્રંથ ધર્મ અતિ દુર્લભ ઘર્મદાતા, જ્ઞાની ગુરુ વચન શાંતિ સુધા પ્રદાતા. ૧૫ આ ભાવના ભવવિનાશિની ભવ્ય ભાવે, વૈરાગ્ય જ્ઞાન તણી શક્તિ અતિ જગાવે; તે તત્વષ્ટિ અનુભૂતિ અપૂર્વ પામે, શાંતિ સમાધિપ્રદ સિદ્ધિપદે વિરામે. ૧૬ Page #156 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-ભાવના ૧. ભેદજ્ઞાન વડે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ( શ્રી “જ્ઞાનાર્ણવ માંથી) विरम विरम संगान मुञ्च मुञ्च प्रपंचं विसृज विसृज मोहं विद्धि विद्धि स्वतत्त्वं । कलय कलय वृत्तं पश्य पश्य स्वरूप कुरु कुरु पुरुषार्थ निर्वृतानन्दहेतोः ॥ હે આત્મન ! સર્વ સંગ, પરિગ્રહથી વિરામ પામ, વિરામ પામ, જગતના પ્રપંચોનો ત્યાગ કર, ત્યાગ કર. મેહને તજી દે, તજી દે. આત્મતત્વને બે પામ, બેઘ પામ. ચારિત્રને અભ્યાસ કર, અભ્યાસ કર. પોતાના આત્મસ્વરૂપ તરફ દૃષ્ટિ કર, દૃષ્ટિ કર. અને મોક્ષસુખના અનંત આનંદ માટે પુરુષાર્થ કર, પુરુષાર્થ કર. अतुलसुखनिधानं ज्ञानविज्ञानबीजं विलयगतकलङ्घ शान्तविश्वप्रचारम् । गलितसकलशङ्कं विश्वरूपं विशालं भज विगतविकारं स्वात्मनात्मानमेव ॥ હે આત્મન્ ! તું અનંતસુખસમુદ્ર, જ્ઞાન, કેવળજ્ઞાનનું બીજ, કલંકરહિત, નિર્વિકલ્પ, નિઃશંક, જ્ઞાન અપેક્ષાએ વિશ્વવ્યાપી, મહાન અને નિર્વિકાર એવા પિતાના આત્માના શુદ્ધસ્વરૂપને પિતાના આત્માવડે ભાજ, તેનું જ ધ્યાન કર. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમાધિ–સાધના सर्वसंगविनिर्मुक्तः संवृताक्षः स्थिराशयः । धत्ते ध्यानधुरां धीरः संयमी वीरवर्णिताम् ॥ જે મહાત્મા સર્વ સંગથી રહિત છે, ઇંદ્રિના વિજયી છે અને સ્થિર ચિત્તવાળા છે તે ધીર, વીર, સંયમી, શ્રી મહાવીર ભગવાને વર્ણવેલી ધ્યાનરૂપ ઘુરાને ઘારણ કરી શકે છે. सकलविषयबीजं सर्वसावद्यमूलं नरकनगरकेतुं वित्तजातं विहाय । अनुसर मुनिवृन्दानन्दि संतोषराज्य मभिलषसि यदि त्वं जन्मबन्धव्यपायम् ॥ હે આત્મન ! જે તે સંસારરૂપ બંનેને નાશ કરવા ઈચ્છતા હોય તે સર્વ વિષયેનું મૂળ, સર્વ પાપોનું બીજ અને નરકનગરની ધ્વજારૂપ પરિગ્રહના સમૂહને ત્યાગ કરઅને મુનિગણને આનંદકારી એવા સંતેષરૂપી રાજ્યને અંગીકાર કર. आशा जन्मोग्रपङ्काय शिवायाशाविपर्ययः । इति सम्यक् समालोच्य यद्धितं तत्समाचर ॥ સંસારના પદાર્થોની આશા સંસારરૂપ ઊંડા કાદવમાં ફસાવનાર છે. આશાને ત્યાગ મોક્ષને દેનાર છે. એમ સારી રીતે વિચારીને જેથી હિત થાય તેવું આચરણ કર. निःशेषक्लेशनिर्मक्तममूर्त परमाक्षरम् । निष्प्रपञ्च व्यतीताक्षं पश्य स्वं स्वात्मनि स्थितम् ॥ હે આત્મન ! તું તારામાં સ્થિત, સર્વ લેશોથી રહિત, અમૂર્તિક, પરમ ઉત્કૃષ્ટ, અવિનાશી, નિર્વિકલ્પ અને અતીન્દ્રિય એવા તારા જ આત્મસ્વરૂપને અનુભવ કર. તેને જે. એ જ નિશ્ચય ચારિત્ર છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૩૭ હે આત્મન ! સર્વ જગતનાં તમને પ્રકાશવાને અનુપમ દીપક સમાન, ઉપાધિરહિત, પરમાનંદમય અને પરમ મુનિઓને ભેદજ્ઞાનથી પ્રગટ એવા આત્માને તે પોતાના આત્માવડે અનુભવ કર. ૨. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે (શ્રી “સમાધિશતકમાંથી) જેણે આત્માને આત્મારૂપે જાયે, સાક્ષાત્ અનુભવ્યું, અને આત્માથી ભિન્ન એવાં શરીરાદિકને અન્યરૂપે, પુદ્ગલરૂપે જાણ્યાં, તેમણે એ ભેદવિજ્ઞાનના બળે, શુદ્ધ આત્માની ભાવના ભાવતાં આત્મધ્યાનમાં લીન થઈ અક્ષય અનંત કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી અને અનંતજ્ઞાન દર્શન સુખ અને વીર્યસ્વરૂપ અનંત ચતુષ્ટયથી વિરાજિત થઈ શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ ભગવાન બન્યા. તે સિદ્ધ પરમાત્માને નમસ્કાર હો ! ૧ સંસારનું, સંસારનાં સમસ્ત દુઃખનું મૂળ કારણ દેહ એ જ આત્મા એવી દેહમાં આત્માપણાની બુદ્ધિ એ છે. માટે એ દેહાત્મબુદ્ધિ, દેહાધ્યાસ, દેહમમત્વ તજીને તથા બાહ્ય પ્રવર્તતી ઇંદ્રિયને રેકીને, વિષયેથી વિરક્ત થઈને, અંતરંગમાં પ્રવેશ કરે જોઈએ, અંતરાત્મામાં સ્થિર થવું જોઈએ. ૧૫ નિશ્ચયવૃષ્ટિથી, તત્તવૃષ્ટિથી, બધસ્વરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ મારા આત્માને અંતરંગમાં જોતાં, વૃત્તિ તેમાં લીન થતાં રાગ દ્વેષ આદિ વિભાવે તરત જ ક્ષય થઈ જાય છે. તેથી કંઈ પણ મારે શત્રુ નથી તેમ કેઈ પણ મારે મિત્ર નથી. એમ સર્વ પ્રત્યે સમભાવ પ્રગટે છે. ૨૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમાધિ-સાધના | મારા પારમાર્થિક આત્મસ્વરૂપને નહીં જેનાર એવા આ લેક, અજ્ઞાની જને, મારા શત્રુ કે મારા મિત્રે થઈ શકતા નથી, જે મારા સ્વરૂપને જુએ છે, જાણે છે, એવા જ્ઞાનીજને તે પણ મારા શત્રુ કે મિત્ર નથી કારણ સમભાવ હેવાથી તે તે રાગદ્વેષરહિત છે. ૨૬ | સર્વ ઇંદ્રિયને સંયમ કરી, વિષયથી વિરક્ત થઈને, મનને સ્થિર કરીને અંતરંગમાં જોતાં તત્ક્ષણ જે ભાસે છે તે જ પરમાત્મતત્વ છે. ૩૦ જે પરમાત્મા છે તે જ હું છું, જે હું છું તે જ પરમાત્મા છે, હું જ મારાવડે ઉપાસવા ગ્ય છું. બીજે કઈ પરમાર્થથી મારે ઉપાસવા ગ્ય નથી, એમ પરમાર્થથી જોતાં વસ્તુસ્થિતિ છે. ૩૧ વિષયેથી મારા આત્માને પાછો હઠાવીને મારામાં સ્થિત એવા બેધસ્વરૂપ મારા આત્માને મારા વડે હું પ્રાપ્ત કરું છું, જેઉં છું, જાણું છું, અનુભવું છું. એ મારો આત્મા પરમાનંદથી પરિપૂર્ણ, આનંદસ્વરૂપ છે. ૩૨ દેહથી કેવળ ભિન્ન અવિનાશી એવા પિતાના આત્માને જે જાણતા નથી, અનુભવતા નથી તે પરમ તપ તપતા છતાં નિર્વાણને, મેક્ષિપદને પામતા નથી. ૩૩ આત્મા અને શરીર બંને અત્યંત ભિન્ન છે એવા ભેદજ્ઞાનથી ઉત્પન્ન થતા આનંદથી જે પરિપૂર્ણ છે એવા જ્ઞાનીઓ ઉગ્ર તપશ્ચર્યા વડે પૂર્વનાં ઘેર પાપકર્મોને ભેગવીને ક્ષય કરતાં જરાય ખેદ પામતા નથી. ૩૪ આત્માની બ્રાંતિથી, આત્માના સ્વરૂપના અજ્ઞાનથી, ઉન્ન થતાં સંસારનાં સમસ્ત દુખે આત્માના જ્ઞાનથી નાશ Page #160 -------------------------------------------------------------------------- ________________ સમાધિન્સાધના ૧૩૯ પામે છે. માટે જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પુરુષાર્થ નથી કરતા તે ઘણું જ તપ તપે છતાં મેક્ષને પામતા નથી. ૪૧ આત્મતત્વને જાણતાં છતાં અને તેને દેહાદિથી ભિન્ન ભાવતાં છતાં પૂર્વના ભ્રાંતિના દીર્ઘકાળના સંસ્કાર હેવાથી ફરી ફરી ભ્રાંતિ થઈ જાય છે. ૪૫ આ જે જે દ્રશ્ય પદાર્થો છે તે બધા જડ, અચેતન, પર છે. જે ચેતન છે તે અદ્રશ્ય છે, દેખવામાં આવે તેમ નથી. તે પછી હું કેના ઉપર રાગ કરું કે કેની સાથે દ્વેષ કરું? તેથી હું તે મધ્યસ્થ, રાગદ્વેષ રહિત સમભાવમાં સ્થિત થાઉં છું. ૪૬ દેહને આત્મા માનવારૂપ દેહાત્મવૃષ્ટિવાળા અજ્ઞાની જીવને જ આ જગત વિશ્વાસ કરવા ગ્ય કે રમણીય લાગે છે. પરંતુ પિતાના આત્માને જ આત્મા માનવાવાળા આત્મવૃષ્ટિ, આત્મજ્ઞાનીને તે જગતમાં ક્યાંય વિશ્વાસ કે ક્યાંય પ્રીતિ કરવા યોગ્ય જણાતું નથી. “આત્માથી સૌ હીન” ૪૯ આત્માને ઉપગ આત્મામાં સ્થિર કરીને એક પિતાના આત્માને જ જાણ છે, અનુભવ છે. માટે એ આત્મજ્ઞાન સિવાય બીજા કેઈ કાર્યને મનમાં દીર્ઘ કાળ માટે ધારણ કરવું નહીં. પ્રજનવશાત્ કંઈ કાર્ય કરવું પડે તે વાણું અને શરીર તેમાં જોડવાં પણ મનને તે તેમાં ન જોડતાં આત્માભિમુખ જ રાખવું. પણ સાંસારિક કાર્યોમાં મનથી તત્પર થઈ તે કાર્યો કરવાં નહીં. ૫0 ઇદ્રિ વડે જે હું જોઉં છું તે કાંઈ મારું નથી. ઇન્દ્રિયને રેકીને શાંતચિત્તે અંતરંગમાં જોઉં છું ત્યારે જે આનંદસ્વરૂપ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમાધિ-સાધના ઉત્તમ તિનાં દર્શન થાય છે તે જ આત્મદર્શન મને નિરંતર હે ! પ૧ પિતાના દેહને નિરંતર અનાત્મ, જડરૂપે, પિતાને નથી એવી બુદ્ધિએ જે, તેમ જ બીજાના દેહને બીજાને આત્મા નથી એમ જડરૂપે જુદો જે અને પિતે પિતાના આત્મતત્ત્વમાં સદાય સ્થિર રહેવું. પ૭ મન, વચન અને કાયા એ ત્રણેય જે જડ છે તેને આત્મારૂપ કે પિતાનાં મનાય છે ત્યાં સુધી સંસાર ઊભે જ છે. પણ એ ત્રણેય આત્મા નથી કે આત્માનાં નથી પણ આત્માથી ભિન્ન છે એવા ભેદજ્ઞાનના અભ્યાસથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. દર વસ્ત્ર જાડું પહેરવાથી કેઈ પિતાને જેમ જાડો માનતા નથી તેમ શરીર જાડું હોય છે તેથી પિતાને આત્મા જાડે છે એમ જ્ઞાનીઓ માનતા નથી. તેવી જ રીતે શરીર પાતળું હોય, સુકાયેલું હોય, રોગગ્રસ્ત હોય તે પણ તેથી આત્મા પાતળો થયેલે, કૃશ થયેલે કે વ્યાધિગ્રસ્ત થયેલ છે, એમ જ્ઞાનીઓ કદી માનતા નથી. દેહની સર્વ અવસ્થાઓને આત્માથી સાવ સ્પષ્ટ ભિન્ન જ્ઞાની સદાય માને છે. ૬૩ તેવી જ રીતે જૂનાં વસ્ત્ર પહેરવાથી જેમ કેઈ પિતાને જીર્ણ થયેલ માનતા નથી તેમ દેહ જીર્ણ થતાં આત્મા જીર્ણ થયે છે એમ જ્ઞાનીઓ કદી માનતા નથી. ૬૪ કપડાં ફાટી ગયાં હોય, નાશ પામી ગયાં હોય કે લૂંટાઈ ગયાં હોય તે કેઈ પિતાને નાશ થયે માનતા નથી તેમ શરીર નાશ પામતું હોય છતાં જ્ઞાનીઓ પિતાને નાશ થાય છે એમ કદી માનતા નથી. ૬૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ૧૪૧ લાલ કપડાં પહેરવાથી જેમ કેઈ પિતાને લાલ રંગના માનતા નથી, તેમ શરીર લાલ, ગૌર, કૃષ્ણ કે કાંતિમાન હોય તે પિતાને આત્મા તે લાલ, ગૌર કે કૃષ્ણ વર્ણવાળા છે એમ જ્ઞાની કદી માનતા નથી. વર્ણ રસ ગંધ સ્પર્શ આદિ પુદ્ગલના ગુણથી પિતાને આત્મા કેવળ ભિન્ન, જ્ઞાન દર્શન આદિ ગુણવાળો અજરામર પરમાનંદસ્વરૂપી છે એ નિશ્ચય જ્ઞાનીઓને જડ એવા શરીરથી પિતાને સદાય ભિન્ન ગણ આત્મભાવનામાં નિરંતર તત્પર રાખે છે. ૬૬ આત્માનું વાસ્તવિક શરીર તે કેવળજ્ઞાન છે. પરંતુ જડ એવા આ શરીરરૂપ કાંચળીથી આત્માનું તે કેવળજ્ઞાનરૂપ પારમાર્થિક શરીર અવરાઈ ગયું છે. તેથી તે પિતાના આત્માને જાણતું નથી, અનુભવતું નથી અને એ જ કારણથી તે અનંતાનંત કાળથી ભવમાં ભમ્યા કરે છે. ૬૮ ગેરે છું, જડ કે પાતળો છું, એમ શરીરનાં વિશેષણથી આત્માને તે ન માનતાં કેવળજ્ઞાન શરીરવાળે હું આત્મા છું, જડ દેહથી ભિન્ન કેવળજ્ઞાન સ્વરૂપ અવિનાશી એ હું શુદ્ધ સહજાન્મસ્વરૂપ છું, એવી પકડ નિશ્ચળપણે, નિષ્કપણે, અડોલપણે, સદાય દૃઢ રાખવી. 90 - જેના ચિત્તમાં, દેહથી ભિન્ન, ચૈતન્યસ્વરૂપ, શુદ્ધ, બુદ્ધિ, અજરામર, પરમાનંદ સ્વરૂપી હું શાશ્વત શુદ્ધ સહજાન્મસ્વરૂપ છું, એવી પકડ, શ્રદ્ધા, ધારણું, નિશ્ચય, અડોલપણે, નિશ્ચળપણે સદાય વર્તે છે તેને મેક્ષ અવશ્ય નિશ્ચયે છે, પરંતુ જેને એવી નિશ્ચળ પકડ નથી તેને અવશ્ય મેક્ષ નથી. ૭૧ અન્ય દેહમાં જવાનું બીજ આ દેહમાં આત્મભાવના છે તે જ છે. અને દેહરહિત, વિદેહી, મુક્ત દશા પામવાનું Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમાધિ-સાધના બીજ દેહથી ભિન્ન પિતાના આત્મામાં જ આત્માપણની બુદ્ધિ, ભાવના છે, તે છે. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.” ૭૪ પિતાનો આત્મા જ પિતાના આત્માને સંસારનાં જન્મમરણાદિમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જનાર, દેહ ધારણ કરવામાં કારણભૂત છે. તેવી જ રીતે જ્ઞાનદશા પામીને પિતાને આત્મા જ પિતાને સંસારથી પાર કરી નિર્વાણપદ પમાડવામાં પણ કારણભૂત છે. તેથી પરમાર્થથી આત્માને ગુરુ આત્મા જ છે. પણ અન્ય નહીં. ૭૫ આત્માને અંતરમાં દેહાદિથી ભિન્ન જોતા અને દેહાદિક પદાર્થોને આત્માથી ભિન્ન બહાર જતા, બન્નેના ભેદવિજ્ઞાનના અભ્યાસથી જ્ઞાનીજને અય્યત મુક્ત નિર્વાણ પદને પામે છે. ૭૯ શરીરથી આત્મા ભિન્ન છે એમ ભેદજ્ઞાનને ઉપદેશ બીજાઓ પાસેથી ઘણે સાંભળ્યા છતાં અને તે ઉપદેશ પિતે બીજાઓને ઘણે આપવા છતાં, જ્યાં સુધી દેહથી આત્મા ભિન્ન છે એવી ભાવના પિતે એકાગ્રચિત્તથી નિરંતર ભાવે નહીં ત્યાં સુધી તે મેક્ષ પામવા ગ્ય થતા નથી. ૮૧ અંતરમાં દેહથી ભિન્ન ચિંતવીને આત્માને એવી રીતે જુદા ભાવ કે જેથી આત્માને દેહરૂપે સ્વપને પણ મનાય નહીં. ૮૨ શાતાશીલિયા સ્વભાવથી શરીરને કષ્ટ આપ્યા વિના દેહથી ભિન્ન આત્માની ભાવના જે ભાવવામાં આવે છે તે તે ભેદજ્ઞાન, શરીરમાં વ્યાધિ, મરણ કે ઉપસર્ગનાં દુખે આવી પડે ત્યારે પલાયન કરી જાય છે, અર્થાત ટકી રહેતું Page #164 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૪૩ નથી. તેથી યથાશક્તિ શરીરને કષ્ટ આપવાને અભ્યાસ રાખી મુમુક્ષુએ આત્માની ભાવના ભાવવી જોઈએ. ૧૦૨ શરીરાદિ પરપદાર્થોમાં શ્રેષ્ઠપણાની બુદ્ધિ છે, તથા તેમાં હું, મારું મનાયું છે એ મિથ્થામતિ છે. એ જ સંસારનાં દુઃખની જનની, ઉત્તિનું કારણ છે. તેને તજી દેવાને માર્ગ આ સમાધિશતકથી જાણીને જે તે મિથ્યામતિ, દેહાત્મબુદ્ધિ, દેહાધ્યાસ તજી દે છે તે આત્મજ્ઞાની પરમાત્મસ્વરૂપમાં તલ્લીન થઈ કેવળજ્ઞાનરૂપ દિવ્ય તિમય અનંત આત્મિક સુખને પામી સિદ્ધ, બુદ્ધ, પરમાત્મપદને પામી કૃતાર્થ થાય છે. ૧૦૫ ૩. મેહવિજ્ઞાનભાવના (૧) ( શ્રી પ્રવચનસારમાંથી) આત્મા અવિનાશી ઘુવ તેમજ પિતાની વસ્તુ છે, માટે એ જ ગ્રહણ યોગ્ય છે. ભેદવિજ્ઞાની મારા આત્માને આ માનું છું. મારે આત્મા પરભાવથી રહિત નિર્મળ શુદ્ધ છે, નિશ્ચલ એકરૂપ ધ્રુવ છે, દર્શનમયી છે, અતીન્દ્રિય સ્વભાવી મહાન પદાર્થ છે, પિતાના સ્વરૂપમાં નિશ્ચલ હેવાથી અચળ છે, પરદ્રવ્યોના અવલંબનથી રહિત સ્વાધીન હોવાથી અનાલંબ છે. એ પ્રકારે ટેકેલ્કીર્ણસ્વરૂપ મારે આત્મા છે. મારે આત્મા અવિનાશી દુવ છે. તે માટે તે સિવાય બીજી વસ્તુ અંગીકાર કરવા યંગ્ય નથી. ઔદારિકાદિ પાંચ શરીર, ધન ધાન્યાદિક, સુખદુઃખનાં કારણ પાંચ ઇંદ્રિયના વિષયે અથવા શત્રુ મિત્ર આદિ લોક Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમાધિ-સાધના એ સર્વ સંગજન્ય પદાર્થો છે, આત્મા ને એમને સંબંધ ત્રિકાળવાર્તા અવિનાશી નથી. કેવળજ્ઞાન દર્શન સ્વરૂપ શુદ્ધ જીવ અવિનાશી વસ્તુ છે. શરીરાદિક ભાવ છે તે પરદ્રવ્ય છે, આત્માથી ભિન્ન છે અને અશુદ્ધતાનું કારણ છે. તે આત્માનાં કંઈ સંબંધી નથી અને વિનાશી છે, જ્યારે આત્મા તે અનાદિ અનંત છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે, સદા સિદ્ધ સ્વરૂપ છે, જ્ઞાનદર્શનમયી છે અને ઘુવ છે. માટે હું શરીરાદિ અનિત્ય વસ્તુને અંગીકાર કરતા નથી. શુદ્ધ આત્માને જ અંગીકાર કરું છું. જે અણુવ્રતી ગૃહસ્થ કે મુનીશ્વર પૂર્વોક્ત રીતિથી પિતાને આત્મસ્વરૂપને ધ્રુવ જાણુને સર્વથી ઉત્કૃષ્ટ શુદ્ધાત્મા બની પરમાત્માને એકાગ્રતાથી ધ્યાવે છે તે વિશુદ્ધાત્મા મેહની અનાદિની ગાંઠને ભેદી નાખે છે, દૂર કરી દે છે. જે પુરુષ શુદ્ધ અવિનાશી આત્માના સ્વભાવને પ્રાપ્ત થાય છે, અર્થાત્ તે સ્વભાવમાં રમણ કરે છે તેને શુદ્ધાત્મભાવ પ્રગટ થાય છે. ત્યાર પછી અનંત ચૈતન્ય શક્તિ સહિત પરમાત્માને જાણવારૂપ એકાગ્ર ધ્યાન પ્રાપ્ત થાય છે, માટે ગૃહસ્થ કે મુનિ જ્યારે નિશ્ચલ થઈને સ્વરૂપનું ધ્યાન કરે છે ત્યારે અનાદિ બંધવાળી મેહની ગાંઠને ખેલી દે છે, માટે શુદ્ધાત્માની પ્રાપ્તિનું ફળ મોહગ્રંથિનું ખુલી જવું તે છે. જે પુરુષ મેહની ગાંઠને દૂર કરીને મુનિ અવસ્થામાં ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં પ્રીતિ-અપ્રીતિભાવને છોડીને સુખદુઃખમાં સમાન વૃષ્ટિવાળા થાય છે તે સમબુદ્ધિ પુરુષ અવિનાશી અતિક્રિય આત્મિક મેક્ષસુખને પામે છે. આ મેહગ્રંથિ દૂર થવાથી આત્મા રાગદ્વેષરહિત થાય છે. જ્યાં રાગદ્વેષને અભાવ થાય છે ત્યાં સુખદુઃખમાં સમાન ભાવ થાય છે અને ત્યાં Page #166 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૪૫ જ આકુળતા રહિત સ્વાધીન આત્મિક સુખ અવશ્ય પ્રગટે છે. માટે મેહની ગાંઠ દૂર થવાથી અવિનાશી સુખ પામવારૂપ ફળ પમાય છે. જે પુરુષ મેહરૂપ મેલને ક્ષય કરીને, વિષયથી વિરક્ત થઈને મનને બાહ્ય વિષમાંથી રેકીને પિતાના સહજ ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્ર નિશ્ચલ ભાવમાં સ્થિર થાય છે તે પુરુષ ટેકેલ્કીર્ણ નિજ શુદ્ધ જીવ દ્રવ્યનું ધ્યાન કરનાર થાય છે. આત્મા સર્વ કાળ પુદ્ગલની વચમાં એકક્ષેત્રાવગાહરૂપે હેવા છતાં પુદ્ગલિક દ્રવ્ય કર્માદિને ગ્રહણ કરતું નથી, કે છેડતા નથી કે નિશ્ચયથી તેને કરતે નથી. હું શુદ્ધાત્મા છું, શરીરાદિ પરદ્રવ્ય હું નથી તથા શરીરાદિક પરદ્રવ્ય મારાં નથી. હું પરમાત્મા સમસ્ત પરભાવથી રહિત એક જ્ઞાનસ્વરૂપ જ છું. એવા પ્રકારે જે ભેદવિજ્ઞાની જીવ એકાગ્રતારૂપ ધ્યાનમાં, સમસ્ત મમત્વ ભાવથી રહિત થઈને, મગ્ન થાય છે, પોતાના આત્મસ્વરૂપનું ચિતવન કરે છે, તે પુરુષ આત્માનું ધ્યાન કરનાર થાય છે. તે જીવ નિશ્ચયનયના શુદ્ધ કથનથી મોહને દૂર કરીને, શરીરાદિ પરભાવો મારા નથી, હું તેને નથી, એવી ભાવનાથી પરમાં સ્વામીપણાની બુદ્ધિ છેડીને શુદ્ધ જ્ઞાનમાત્ર પોતાનું સ્વરૂપ જાણું અંગીકાર કરે છે, બાહ્ય વસ્તુઓથી ચિત્તને હઠાવીને, સમસ્ત સંકલ્પ વિકલ્પ ત્યાગીને, અન્ય ચિંતાને રેકી દે છે, તે જીવ એકાગ્રતારૂપ ધ્યાનમાં મગ્ન બને છે, ત્યારે શુદ્ધાત્મા થાય છે. તેથી સિદ્ધ થયું કે શુદ્ધ નયના અવલંબનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. જેણે અત્યંત દૃઢ બદ્ધ ઘાતિયાં કર્મને નાશ કર્યો છે, પ્રત્યક્ષ સાક્ષાત્ સમસ્ત પદાર્થોને જે જાણે છે, સર્વ શેય ૧૦ પુરૂષ આત્માને દૂર કરીને શરીરમાં સ્વામી Page #167 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના પદાર્થોના પારને પામેલા છે, અસંદેહ, સંદેહ રહિત છે, એવા મહામુનિ કેવલી કયા પદાર્થોનું ધ્યાન કરે છે ? ૧૪૬ ઇંદ્રિયાથી અતીત થયેલા, ખીજાઓને ઇંદ્રિયજ્ઞાનગમ્ય નહીં એવા, સમસ્ત ઘાતિયાં કર્મોથી રહિત અને સર્વાંગ પરિપૂર્ણ આત્માના અનંત સુખ અને અનંત જ્ઞાન એ બેથી પૂર્ણ એવા કેવલી ભગવાન ઉત્કૃષ્ટ આત્મિક સુખનું ચિંતવન અર્થાત્ એકાગ્રતાથી અનુભવ કરે છે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ એ જ મેાક્ષમાર્ગ છે. ઉપર પ્રમાણે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ, શુદ્ધ આત્મપ્રવૃત્તિરૂપ માક્ષમાર્ગમાં પ્રવર્તતા એવા જિના, એટલે જીત્યા છે રાગદ્વેષ આદિ કર્મશત્રુએ જેણે એવા તદ્ભવ મેક્ષગામી મુનિવરા, અરિહંતા, એકાદ એ ભવમાં મેક્ષે જનાર મુનિએ, શુદ્ધ અવસ્થાને પામેલા પરમ મુક્ત સિદ્ધ ભગવંતા, તે સર્વને તથા તે શુદ્ધાત્માની પ્રવૃત્તિરૂપ અનુભવસ્વરૂપ મેાક્ષમાર્ગને દ્રવ્ય ભાવરૂપ નમસ્કાર હા ! જે તીર્થંકરો કે કેવલી ભગવંતા કે અન્ય મુનિએ મેક્ષે ગયા છે તે કેવલ શુદ્ધ આત્માની પ્રવૃત્તિરૂપ મેાક્ષમાર્ગને પામીને જ મુક્ત થયા છે. શુદ્ધાત્માના અનુભવ વિના બીજો કાઇ મેાક્ષમાર્ગ નથી. એ જ અલૈંદ્રિય મેાક્ષમાર્ગ છે. તેથી જે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવર્તમાન એવા સહજાત્મસ્વરૂપ સિદ્ધ પરમેષ્ઠી તથા તે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિમયી અનુભવરૂપ મેાક્ષમાર્ગ તેને પરમ ભક્તિથી નમસ્કાર હા. પૂર્વે જે મહાપુરુષો મુક્ત થયા છે તે શુદ્ધાત્માની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવથી થયા છે. તેથી તે પ્રકારે એટલે જેમ તે મહાપુરુષોએ સ્વરૂપને જાણીને શુદ્ધાત્માને અનુભવ કર્યો Page #168 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૪૭. છે તેવી જ રીતે હું પણ સ્વભાવથી એટલે પિતાના આત્મિક ભાવ વડે સકલ ગેય પદાર્થોને જાણવાવાળા એવા મારા આત્માને, સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન જાણીને, પરવસ્તુમાં મમત્વબુદ્ધિને તજી દઉં છું. તથા સ્વરૂપમાં નિશ્ચલ થઈને, નિર્મમતા, વીતરાગ ભાવમાં સ્થિર થાઉં છું આ મારું સ્વરૂપ અનાદિ કાળથી પરદ્રવ્યથી ભિન્ન સચ્ચિદાનંદસ્વરૂપ હોવા છતાં અજ્ઞાનવશે, મેહરશે, મેં તેને યથાર્થ જાણ્યું નહીં. હવે મેં તેને જેમ છે તેમ યથાર્થ જાણી લીધું છે. તેથી અપ્રમાદી થઈ તે સ્વરૂપને સ્વીકાર કરું છું. અને સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન, સમ્યફચારિત્રથી અખંડ સુખમાં વિરાજમાન સાક્ષાત્ સિદ્ધસ્વરૂપ ભગવાન મારો જે આત્મા તેને ભાવ નમસ્કાર કરું છું. તથા જે અન્ય મુક્તાત્માઓ તે પરમાત્મભાવને પામ્યા છે તેમને પણ મારા પરમભક્તિથી ભાવ નમસ્કાર હો ! શુદ્ધ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપ શુદ્ધ ઉપયોગયુક્ત અવ્યાબાધ સુખમાં રક્ત એવા અરિહંત, સિદ્ધ, યાવતું સાધુ પરમેષ્ઠીઓને વારંવાર નમોનમઃ પરમ વીતરાગ ભાવને પામેલા મેક્ષના સાધક પરમ યેગીશ્વર એવા શુદ્ધ સહજાત્મા છે. તેને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતારૂપ સાક્ષાત્ મેક્ષમાર્ગરૂપ મુનિપણું કહ્યું છે. તે જ શુદ્ધોપયેગી મોક્ષસાધક મુનીશ્વરને દર્શન અને જ્ઞાન કહ્યું છે. તે જ શુદ્ધાત્માને નિરાવરણ અનંત જ્ઞાન સુખ વીર્ય સહિત નિર્મળ મેક્ષ અવસ્થા પણ છે. તે જ શુદ્ધ મોક્ષ સાધન ટકેલ્કીર્ણ પરમ આનંદ અવસ્થામાં સ્થિરતારૂપ નિરાવરણ દશાને પ્રાપ્ત પરબ્રહ્મરૂપ સાક્ષાત્ સિદ્ધ છે. તેવા મેક્ષના Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમાધિ-સાધના સાધનરૂપ શુદ્ધ ઉપગી શુદ્ધાત્મા સહજાત્માને અમારા ભાવ નમસ્કાર છે. મુનિ આગમરૂપી ચક્ષુવાળા છે, સર્વ સંસારી જીવ ઇંદ્રિયરૂપી ચક્ષુવાળા છે. દેવે અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે, અને સિદ્ધ પરમાત્મા સર્વતઃ જેનાર જાણનાર કેવળજ્ઞાન દર્શન ચક્ષુવાળા છે. આ લેકમાં જેને સિદ્ધાંતના જ્ઞાન પૂર્વક સમ્યગ્દર્શનરૂપ યથાર્થ વૃષ્ટિ નથી તે તેને સંયમ નથી એમ શ્રુત કહે છે. જેને સંયમ નથી તેને મુનિપણું ક્યાંથી હોઈ શકે? અર્થાત્ ન જ હોય. ગૃહસ્થ કે મુનિની ચર્યાયુક્ત જે પુરુષ આ ભગવાનના ઉપદેશને સમજે છે, તે ચેડા કાળમાં સિદ્ધાંતના રહસ્યભૂત પરમાત્મભાવને પામે છે. ૪. ભેદવિજ્ઞાનભાવના (૨) (શ્રી તરવાનુશાસનમાંથી) મેહને નાશ કરવા માટે તથા બાહ્ય ચિંતાઓ દૂર કરવા માટે અને એકતાની સિદ્ધિ કરવા સર્વથી પ્રથમ આત્માની ભાવના ભાવવી જોઈએ. હું ચૈતન્ય છું, અસંખ્યાત પ્રદેશેવાળ અને મૂર્તિરહિત અર્થાત્ અરૂપી છું. હું શુદ્ધ આત્મા છું. સિદ્ધ સ્વરૂપ છું. જ્ઞાનદર્શન લક્ષણવાળો છું. - હું દેહાદિરૂપ અન્ય નથી, અને દેહાદિરૂ૫ અન્ય તે હું નથી. હું અન્યને નથી, અન્ય મારું નથી. અન્ય અન્ય જ છે અને હું તે હું જ છું. અન્ય અન્યનું જ છે, હું મારે જ છું. Page #170 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૪૯ શરીર અન્ય છે. હું અન્ય છું. હું ચૈતન્ય સ્વરૂપ છું. શરીર જડ છે, શરીર અનેકરૂપ છે, હું એક અખંડ છું. શરીર નાશ પામનાર છે. હું કદી નાશ પામનાર નથી, અક્ષય છું. સંસારમાં જડ અચેતન દેહાદિક છે તે હું નથી. હું છું તે અચેતન નથી. હું તે જ્ઞાનસ્વરૂપ છું. મારે કેઈ નથી. કેઈને હું નથી. આ સંસારમાં શરીર મારું છે, હું એને સ્વામી છું એ શરીર સાથેને સ્વસ્વામિત્વને સંબંધ તથા બનેમાં એકપણને ભ્રમ એ સર્વ કર્મને સંબંધથી છે, વાસ્તવિક રૂપથી નથી. જીવાદિ સર્વ દ્રવ્યોના યથાર્થ સ્વરૂપને જાણનાર આ મારે આત્મા પિતાના આત્મા વડે પોતાના આત્મામાં પિતાના આત્માને જોતાં બીજી સર્વ વસ્તુઓમાં ઉદાસીન થયા છે, થાય છે. હું સત્ દ્રવ્ય છું. ત્રિકાળ અસ્તિત્વવાળું સર્વોત્તમ ચિત તત્ત્વ હું છું. હું ચૈતન્ય સ્વરૂપ છું. જ્ઞાતા દ્રષ્ટા છું. સર્વદા ઉદાસીન, મધ્યસ્થ, વીતરાગ છું. મારે આત્મા મારું શરીર છે. અર્થાત્ હું આત્મા માત્ર છું. શરીરથી સર્વથા ભિન્ન છું અને આકાશની માફક અરૂપી છું. | સ્વરૂપ આદિ ચતુષ્ટયથી એટલે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી હું સદા અસ્તિત્વરૂપ છું અને પર ચતુષ્ટયરૂપથી હું સદા નાસ્તિત્વરૂપ છું. જે શરીરાદિ જડ પદાર્થ ન તે કદી ચૈતન્યસ્વરૂપ છે, ન કદી પહેલાં ચૈતન્યસ્વરૂપ હતા, અને ન કદી ભવિષ્યમાં ચૈતન્યરૂપ થશે એવા શરીરાદિ જડસ્વરૂપ હું નથી. જે પહેલાં પણ આવી જ રીતે ચૈતન્યરૂપ હતું, જે Page #171 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ભવિષ્યમાં પણ ચૈતન્યરૂપે જ રહેશે, અને આજે પણ જે ચૈતન્યરૂપ છે એવા ચૈતન્યસ્વરૂપ ચિદ્રવ્યમય હું છું. ૧૫૦ આ સંસાર સ્વયં ન તા ઇષ્ટ છે અને ન તા અનિષ્ટ છે કિંતુ ઉપેક્ષા કરવા યાગ્ય અર્થાત્ ઇષ્ટ-અનિષ્ટતા રહિત ઉદાસીનતા કરવા ચૈાગ્ય છે. માટે હું પણ કોઈથી રાગ કે કાઈથી દ્વેષ કરતા નથી, પરંતુ હું સ્વયં ઉપેક્ષા કરવાવાળા ઉદાસીનરૂપ છું. શરીરાદિક મારાથી બિલકુલ ભિન્ન છે. અને તત્ત્વથી જોતાં હું પણ શરીરાદિથી કેવળ જુદો છું. હું તેના કંઈ પણ નથી તેમ તે મારાં કંઈ પણ નથી. આ પ્રકારે સારી રીતે નિશ્ચય કરીને, અન્ય સર્વેથી આત્માને ભિન્ન માનીને, હું મારા ભાવાને આત્મામય કરી લઉં છું. આત્મા સિવાય અન્ય કંઈ પણ પરનું ચિંતવન કરતા નથી. આ આત્મા સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમતાસ્વરૂપ છે. માટે સર્વ પદાર્થને જાણતાં દેખતાં છતાં પણ જે ઉદાસીનતા, મધ્યસ્થતા, વીતરાગતા છે, તે ચૈતન્યસ્વરૂપ છે તે વીતરાગસ્વરૂપ શુદ્ધ આત્માના આત્માવડે જ હું ભવ્ય, અનુભવ કરા. આ મારા આત્મા કર્મજનિત સર્વ રાગાદિ ભાવાથી ભિન્ન છે, જ્ઞાનસ્વભાવવાળા છે, ઉદાસીન છે. એવા પેાતાના આત્માને પેાતાના આત્માવડે જુએ, દેખા. જેમ વાયુ રહિત પ્રદેશમાં રહેલા દ્વીપક કંપાયમાન થતા નથી, સદાય નિશ્ચલ રહે છે, તેમ પેાતાના આત્મામાં તદ્દીન થયેલા યાગી એકાગ્રતાને કદી છેડતા નથી. Page #172 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૫૧ પણ કરનારા કરે છે કરના થરના તે વખતે પરમ એકાગ્રતા ધારણ કરવાથી તે ગી પિતાના આત્મામાં કેવળ પિતાના આત્માને જુએ છે, અને તેથી બાહ્ય પદાર્થો હોવા છતાં તેને આત્મા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. અહંકાર અને મમકાર આદિ ભાવેને નાશ કરીને જે વખતે આ આત્મા એકાગ્રતાથી આત્માને જુએ છે તે વખતે તે અનેક એકઠાં કરેલાં પાપનો નાશ કરે છે, તથા આગામી કાળનાં કર્મોને સંવર પણ કરે છે. ગુરુના ઉપદેશને ગ્રહણ કરીને શાંત ચિત્ત વડે ધ્યાન કરનાર આ અનંત શક્તિવાળે આત્મા મુક્તિ અને ભક્તિ બંનેને પ્રાપ્ત કરે છે. તે સમયે આ મુક્તાત્મા ન તે મહિત બને છે અને ન તે સંશય કરે છે. ન તે સ્વાર્થ પ્રતિ મૂકે છે એટલે કે ન તે રાગ કરે છે, અને ન તે દ્વેષ કરે છે. કિંતુ પ્રત્યેક ક્ષણે સ્વસ્થ જ રહે છે. તે સમયે તે પ્રભુ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળ સંબંધી સમસ્ત ય પદાર્થોને તથા પોતાના સ્વરૂપમાં સ્થિર પિતાના આત્માને દેખતાં અને જાણતાં ઉદાસીનપણે રહે છે. કદી નાશ ન થનાર આ મુક્તાત્મા મુક્તાવસ્થામાં અતીન્દ્રિય અનંત જ્ઞાનમય અનંત દર્શનમય અનંત વીર્યમય તૃષ્ણ રહિત અને નાશ રહિત એવા અનંત સુખને અનુભવ કરે છે. આ સંસારમાં ચક્રવર્તીને જે સુખ છે, તથા સ્વર્ગમાં દેવને જે સુખ છે, તે પરમાત્માઓને (મુક્તાત્માઓને ) જે સુખ છે તે સુખની એક કળા સમાન પણ નથી. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સમાધિ-સાધના ૫. ભેદવિજ્ઞાન ભાવના (૩) (શ્રી તત્ત્વજ્ઞાનતરંગિણીમાંથી) | શિખરિણી अहं भ्रान्तः पूर्व तदनु च जगत् मोहवशतः परद्रव्ये चितासततकरणादाभवमहो । परद्रव्यं मुक्त्वा विहरति चिदानंदनिलये निजद्रव्ये यो वै तमिह पुरुषं चेतसि दधे ॥ પરવ્યોની સતત ચિંતના, કરી મેહવશ અહો! અપાર! ભયે પૂર્વથી આ ભવ સુધી હું જગતજીવ પણ તે જ પ્રકાર ચિદાનંદમંદિર નિજદ્રવ્ય, જે વિહરે કરીને પરત્યાગ; આતમરામી પુરુષ હવે હું, ચિત્ત ધરું કરી પ્રેમ અથાગ ૧૩ અહો! આશ્ચર્ય ! અનાદિકાળથી સંસારમાં ભેદવિજ્ઞાનના અભાવે દેહ, સ્ત્રી, પુત્રાદિ પરદ્રવ્યોની જ સતત ચિંતા કરતાં મેહવશે, ભ્રાંતિથી, હું આજ સુધી ભમે. જગત પણ તે જ પ્રકારે ભ્રમમાં ભૂલ્યું છે! હવે આ પરિભ્રમણથી થાકેલે, તેથી નિવર્તવાની ઈચ્છાવાળે હું, જે મહાત્મા ભેદજ્ઞાનના બળે પદ્રવ્યને ત્યાગ કરીને શુદ્ધ જ્ઞાનાનંદના મંદિરરૂપ પિતાના શુદ્ધ સ્વતંત્ર આત્મદ્રવ્ય, સહજાન્મસ્વરૂપમાં સદા વિહાર કરી રહ્યા છે, વિલાસ કરી રહ્યા છે, એવા આત્મારામ જ્ઞાની પુરુષને મારા હૃદયમાં અપૂર્વ પ્રેમે ધારણ કરું છું. તેના આશ્રયે મારા આત્માને શોધું છું, સદા શુદ્ધ પવિત્ર બનાવું છું. પ્રગટ આત્માનંદની મૂર્તિરૂપ જ્ઞાની પુરુષને ચિત્તમાં ધારણ કરવાથી તેમને પ્રગટેલા અપૂર્વ આત્મિક ગુણે, અપૂર્વ ભેદવિજ્ઞાન, આત્મઅનુભવ, અચિંત્ય આત્મઐશ્વર્યમય શુદ્ધ Page #174 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૫૩ સ્થાન અપ આ ચિંતવન, ભકિમ ઉલમાં જ પરમાત્મદશાને જ ખરી રીતે હૃદયમાં સ્થાન અપાય છે. સપુરુષનું સ્મરણ, ચિતવન, ભક્તિ, સ્તુતિ, ગુણગ્રામ કે સત્યુરુષમાં જ વૃત્તિની તલ્લીનતા એ શુદ્ધ આત્મસ્વરૂપમાં જ તલીનતાનું કારણ છે. કારણ કે સત્પરુષ શુદ્ધ આત્મા જ છે. માટે જ્ઞાની પુરુષને પિતાના હૃદયમંદિરમાં બિરાજમાન કરનાર, તેમનું ધ્યાન કરનાર, આરાધના કરનાર, મહાભાગ્ય મુમુક્ષુઓ પરિણામે ભેદજ્ઞાનને પામી અભુત અરૂપી નિરંજન પરમાત્મદશામય સિદ્ધિસુખે પરિપૂર્ણ નિજ નિર્મળ સહજાત્મસ્વરૂપને, શાશ્વત શાંતિને પામી પરમકૃતાર્થ થાય છે. ભેદવિજ્ઞાનથી આત્મજ્ઞાન, આત્મઅનુભવ પ્રગટે છે. જ્યાં સુધી ભેદવિજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી પોતાને આત્મા પરથી ભિન્ન અનંતસુખનું ધામ છે, સાચું સુખ પિતાના આત્મામાં જ છે, એવી સમજણ કે પ્રતીતિ દૃઢ થતી નથી. અને તેથી તેની પ્રાપ્તિ માટે સતત પુરુષાર્થમાં પ્રવર્તાતું નથી. જ્યાં સુધી સહજ, સ્વાભાવિક, નિર્મળ, સ્વાધીન, સ્વતંત્ર, સંતોષમય, પરમતૃપ્તિકારક, નિરાકુલતામય, નિત્ય, અવિનાશી, અતપ્રિય આત્મિક સુખની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી જ જીવને સંસારમાં પરાધીન, આકુળતામય, તૃષ્ણવર્ધક અને ક્ષણભંગુર એવાં ઇંદ્રિયસુખ રમ્ય અને પ્રાપ્ત કરવા યોગ્ય જણવાથી તે તરફ નિરંતર તેની દેડ ચાલુ રહે છે. આમક સુખથી પરિપૂર્ણ આત્મજ્ઞાની મહાપુરુષના સમાગમ મુમુક્ષુ જીવને સસુખની સહજે પ્રતીતિ થતાં તે અવળી દેડ છૂટી જઈ, સસુખ સન્મુખ સવળ પુરુષાર્થ જાગૃત Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમાધિ-સાધના થાય છે. માટે તે સસુખના ઘામરૂપ પુરુષને ત્રિકાળ નમન હ! નમન હે! એવા પ્રત્યક્ષ જ્ઞાનીના ગે લૌકિક સુખ દુઃખરૂપ સમજાઈ, તેમાંથી રુચિ વિરામ પામી સત્સંખની સાચી અભિલાષા જાગૃત થઈ કૃતકૃત્યતાને માર્ગ ગ્રહણ થાય છે. જગતમાં પ્રાયે સર્વ જીવે અમૂલ્ય સમયને વ્યર્થ ગુમાવી દે છે. માત્ર વિરલા જ પુરુષે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે ઉદ્યમવંત થઈ સમયને સદુપયોગ કરી આત્મહિત સાધી રહ્યા છે. રાજકથા, સ્ત્રીકથા, ભોગકથા અને દેશકથા એ ચાર વિકથામાં જ કેટલાક સમયને વ્યર્થ ગુમાવી રહ્યા છે. કેટલાક ઇંદ્રિય વિષયમાં પ્રેમ, કળા, કીર્તિ, ધનપ્રાપ્તિ આદિની - ચિંતામાં વખત વ્યર્થ બૅઈ રહ્યા છે. કેટલાક સંતાન ઉત્પત્તિના ઉપાયમાં, કેટલાક પશુ, વૃક્ષ, પક્ષી, ગાય, બળદ, આદિ પાળવામાં, કેટલાક અન્યની કરી સેવા કરવામાં, કેટલાક નિદ્રા, કીડા,ઔષધ આદિમાં, અને કેટલાક દેવ અને મનુષ્યનાં મનોરંજન કરવામાં કે દેહને પિષણ કરવામાં બધે વખત ગુમાવી દે છે. માત્ર કેઈક મહાભાગ્ય, ઘણું જ અલ્પ જીવે સત્સ્વરૂપની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરી રહ્યા છે. સર્વ તેની પ્રાપ્તિ માટે પ્રવર્તી શકતા નથી. માટે સસ્વરૂપની પ્રાપ્તિ અત્યંત દુર્લભ જાણી, મુમુક્ષુઓ તે તે પ્રાપ્ત કરવાના આ અપૂર્વ અલભ્ય અમૂલ્ય અવસરને સફળ કરી લેવામાં પ્રમાદ કરતા નથી. ૧૬ સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે. તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? આવા અમૂલ્ય મનુષ્યપણને એક સમય પણ પરવૃત્તિએ જવા દે યોગ્ય નથી અને કંઈ પણ તેમ થયા કરે છે, તેને ઉપાય કંઈ Page #176 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૫૫ વિશેષે કરી ગષવા ગ્ય છે. જ્ઞાની પુરુષને નિશ્ચય થઈ અંતભેદ ન રહે, તે આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એમ જ્ઞાની પિકારી ગયા છતાં કેમ કે ભૂલે છે ?” -શ્રીમદ્ રાજ્યેત્ માલિની છંદ તન મન વચને હું શુદ્ધ ચિદ્રપ સેવું, અનુભવું સ્મરું ગાઉં ભક્તિથી નિત્ય ધ્યાવું, સહજ સ્વરૂપ ધ્યાને કાર્યકારી ક્રિયા જે, વિમલ મતિ ભજે સૌ ધ્યાનસિદ્ધ તજે તે. ૧૭–૧૮ હું શુદ્ધ ચિદ્રપ સહજાન્મસ્વરૂપ છું એમ સર્વદા ક્ષણે ક્ષણે વાણીથી બેલું, ગાઉં, ધૂન લગાવું, શરીરથી શુદ્ધ ચિદ્રપને અનુભવ કરું, હૃદયથી, મનથી તેને જ પ્રતિસમય સ્મરણ રટણ દ્વારા સેવું. એમ મન વચન કાયા ત્રણેથી એક શુદ્ધ સહજ આત્મસ્વરૂપને જ સમયે સમયે ભજું. અને પ્રાપ્ત થયેલ અમૂલ્ય યોગને એક સમય પણ ચિદ્રપના સ્મરણ વગર વ્યર્થ ન ગુમાવું. ૧૭ સારી નિર્મળ બુદ્ધિવાળા વિચક્ષણ મતિમાને તે જે ઈ પણ ક્રિયા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં કારણરૂપ બને તે સર્વને પ્રથમ ભજે છે, અને શુદ્ધ આત્માના ધ્યાનની સિદ્ધિ થતાં અર્થાત્ શુદ્ધ આત્મધ્યાનમાં એકાગ્ર થતાં તે સર્વ કિયાને તજે છે. ૧૮ જેમ શરીરના અવયવરૂપ આંગળી આદિથી શરીરને વિચાર, લક્ષ, સ્પર્શ, અનુમાન કરાય છે તેમ શુદ્ધ ચિદ્રપના અવયવ જે મતિજ્ઞાન આદિ છે તેનાથી તેનું સ્મરણ, ધ્યાન કરવું જોઈએ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સમાધિ-સાધના મનુષ્ય જેમ ઘટ પટ આદિ ય અને દૃશ્ય પરપદાર્થોમાં પિતાનું ચિત્ત જેડી તેનું સ્મરણ ધ્યાન કરે છે, તેવી રીતે જે તે શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ માટે પિતાના તે જ્ઞાતા દ્રષ્ટા એવા શુદ્ધસ્વરૂપમાં ચિત્ત લગાવે છે તે કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ સર્વોત્કૃષ્ટ આત્મદર્શન અને આત્મજ્ઞાન શીધ્ર પામે. (હરિગીત છંદ) ચિદ્રપ કેવલ શુદ્ધ હું, આનંદધામ સદા સ્મરું; પ્લેકાર્ધથી સર્વજ્ઞ ભાષિત બોઘ મેક્ષાર્થે ઘણું. ૨૨ શુદ્ધ ચિપની પ્રાપ્તિરૂપ મેક્ષપદના અભિલાષી જનેએ નિરંતર વિચારવું કે જે પદાર્થ શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિમાં કારણ છે તે મને પ્રિય છે, કારણ કે હું શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિને અભિલાષી છું. તેથી જે સ્વરૂપપ્રાપ્તિમાં કારણ નથી તેમાં મારે પ્રેમ પણ કર્તવ્ય નથી. ૨૧ સહજત્મસ્વરૂપ પરમગુરુ,” હું ચિદ્રપ અન્ય દ્રવ્યોને સંગથી રહિત, અદ્વિતીય કેવલ અસંગ છું, કર્મમલ રહિત શુદ્ધ છું અને આનંદસ્વરૂપ છું. એમ હું નિજસ્વરૂપનું સ્મરણ કરું છું. આ શ્લેક વડે કહેવાયેલ સર્વજ્ઞ ભગવાનને ઉપદેશ મુક્તિને માટે થાય છે. અર્થાત્ આ ઉપદેશ આત્મામાં પરિણમે તે મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે. અર્ધા શ્લેકમાં ભગવાને મુક્તિનો માર્ગ કહ્યો છે. ૨૨ જ્યમ અંધ આગળ નૃત્ય કે ગીત બધિર આગળ વ્યર્થ છે, ત્યમ શુદ્ધચિપનું કથન બહિરાત્મ આગળ વ્યર્થ છે, ભૂખ્યા કને જ્યમ અન્ના કે તરસ્યા કને જળ હિત કરે, ત્યમ અંતરાત્મા સમીપ ચિદ્ર૫-કથન હિતકર છે ખરે. ૨૩-૨૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૫૭ લેકમાં જેમ અંધ પાસે નૃત્ય અને બહેરા પાસે ગીત નકામાં જાય છે તેમ આત્મસ્વરૂપની જિજ્ઞાસા જેને જાગી નથી અને દેહાદિ બાહ્ય ભાવમાં અહં મમત્વ કરી સાંસારિક પ્રપંચામાં કે અંતર લક્ષ ઉપગ વિનાના ધર્મના નામે થતા ક્રિયાકલાપે તેમજ શુષ્ક અધ્યાત્મ વાજામાં હિત માનીને જે પ્રવર્તી રહ્યા છે એવા બહિરાત્મા અજ્ઞાની મનુષ્ય આગળ શુદ્ધ આત્મસ્વરૂપની વાત કહેવી, સમજાવવી નિરર્થક જાય છે. અંતરથી જેને સંસાર કારાગૃહ સમાન પરાધીનતાની બેડીરૂપ ખરેખર દુઃખદાયક જણાય છે, તેનાથી છૂટવાની તમન્ના જાગી છે અને તેથી જેને આત્મસ્વરૂપ જાણવા ઓળખવાને ખપ છે, એવા જિજ્ઞાસુ, મુમુક્ષુ, આત્માથીં જને તથા આત્મજ્ઞાની અંતરાત્મારૂપ મહાપુરુષે પાસે આ શુદ્ધ ચિપની વાત કરી હોય તે તેમને હિતકારક થાય છે. જેમ ભૂખ્યા પાસે અન્ન અને તરસ્યા પાસે જળ મૂકવામાં આવે તે તે અત્યંત આતુરતાથી આદરપૂર્વક તેનું ગ્રહણ કરે છે. કારણ કે તેની જ તેને જરૂર છે, તેના વિના તે દુઃખી થઈ રહ્યા છે, અને તે અન્નાદિની પ્રાપ્તિથી જ સંતોષ કે સુખ થશે એમ તે જાણે છે. તેમ શુદ્ધ આત્મજ્ઞાન વિના સંસારનાં અનંત જન્મમરણ આદિ દુઃખ દૂર થવાનાં નથી એમ જાણું એક આતમજ્ઞાનને જ જેને ખપ છે તેવા જિજ્ઞાસુઓને જ આ શુદ્ધ ચિદ્રપની વાત આત્મજ્ઞાન પમાડવા કારણરૂપ બની અપૂર્વ હિતકર થાય છે. અનુષ્ટ્રપ શુદ્ધ ચિપ પ્રાપ્તિના ઉપાયે બહુ સર્વદા; છતાં તધ્યાન જે ના થયો છે ના થશે કદા. ૨૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રમ ૧૫૮ સમાધિ-સાધના શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિમાં પરંપરાએ કમે કરી અનેક ઉપાય છે તથાપિ ભેદવિજ્ઞાનરૂપ શુદ્ધ આત્માની ભાવના, સ્મરણ, રટણ અને તેનું જ એકાગ્રતાપૂર્વક ધ્યાન એ મૂળ સર્વોત્તમ અનન્ય ઉપાય છે. એના ધ્યાન જે બીજે કઈ ઉપાય પૂર્વે થયે નથી, વર્તમાને છે નહીં, ભવિષ્ય થશે પણ નહીં. “જે ઉપાય બહુ વિધની રચના, યોગ માયા તે જાણે રે” “શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સારાણો રે.” –શ્રી યશોવિજ્યજી, અરનાથ પ્રભુ સ્તવન. માટે જ્ઞાની પુરુષને અપૂર્વ યેગ પામીને આત્માર્થીએ આત્મભાવનાના સતત અભ્યાસથી આત્મહિત સાધ્ય કરવામાં પ્રમાદ કર્તવ્ય નથી. ૨૫ સુંદર રમણ સુખ યશ ધન કે પુત્ર મિત્ર મૃત્યાદિ કદા, સ્વામીપણું વાહન પંડિતતા, બળ સુંદર રૂપ પ્રાપ્ત યદા; તે તે પાપે મેહવશે જન હર્ષિત નરભવ સફળ ગણે, આત્મા દેહ જુદા એ દુર્લભ જ્ઞાનથી ધન્ય ગણું હું મને. ૬ જગતમાં પ્રાયે ઘણુ જીવે યશપ્રાપ્તિ, ઇંદ્રિયસુખ, અનુકૂળ સ્ત્રી, ધન, પુત્ર, સેવક, અધિકાર, ઉત્તમ વાહન, બેલ, મિત્ર, પડિતતા, સુંદર રૂપ આદિ સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ થતાં મેહને વશ હોવાથી આનંદમગ્ન થઈ જઈ તે પ્રાપ્તિમાં જ કૃતકૃત્યતા માને છે, મનુષ્યભવની તેથી જાણે સફળતા થઈ ગઈ એમ ગણે છે. મેહનું એ જ માહામ્ય છે, કે જે પદાર્થો પર છે, નાશવંત છે, પ્રાપ્તિમાં હર્ષ અને વિયેગમાં ફ્લેશ કરાવનાર છે, અતૃપ્તિકારક છે, અને અંતરદાહથી નિરંતર બાળનારા છે, પરાધીન છે તથા પૂર્વમાં અનંતવાર મળેલા હેવાથી તેમને કેઈ અપૂર્વ નથી પરંતુ ભેળવીને છેડેલા Page #180 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૫૯ હોવાથી એંઠવત તુચ્છ અને દુઃખના રૂપાંતર છે, તેને જ મેહવશ પ્રાણ પિતાના માને છે, નિત્ય માને છે, અપૂર્વવત્ અને પરમ સુખકર માની તેમાં જ કૃતાર્થતા માને છે. આ ભયંકર ભૂલ જ્ઞાની ગુરુના પ્રતાપે હવે હું ન જ કરું. ભેદજ્ઞાનને હું સર્વસ્વ માનું છું એવા નિશ્ચયપૂર્વક મુમુક્ષુજન તે પરમ સુખના ઘામરૂપ નિજ નિર્મળ શુદ્ધ આત્મસ્વરૂપને દેહ આદિ સર્વ પરપદાર્થથી ભિન્ન જાણી, પરને તજી સ્વાત્મામાં સંપૂર્ણ શમાવારૂપ પરમ કૃતકૃત્યતાનું અનન્ય કારણુ જે દુર્લભ ભેદજ્ઞાન તેને પામી પિતાને પરમ ધન્યરૂપ કૃતાર્થરૂપ માને છે. “ભેદ વિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતલ ચિત્ત ભયો જિમ ચંદન, કેલિ કરે સિવ મારગમેં, જગમાંહિ જિનેસરકે લઘુનંદન; સત્ય સ્વરૂપ સદા જિનકે પ્રગટયો અવદાત મિથ્યાત નિકંદન, શાંત દશ તિનકી પહિચાની કર કર જોરિ બનારસી વંદન.” –શ્રી બનારસીદાસ ત્યાં સુધી ચિપ ભૂમિ ઉપર બહુ કર્મગિરિ દુર્ભેદ્ય દસે; જ્યાં સુધી ભેદવિજ્ઞાન વજી ના એકાએક પડે શીષે. ૭ આત્મક્ષેત્રમાં દુર્ભેદ્ય પર્વત સમાન કર્મસમૂહ ક્યાં સુધી ટકે છે? તે કે જ્યાં સુધી ભેદજ્ઞાનરૂપ વાપાત તેને ઉપર ન થાય ત્યાં સુધી જ. જ્યાં ભેદજ્ઞાનને અભ્યાસ વર્તે છે ત્યાં કર્મ ચકચૂર થઈ છેવટે છિન્નભિન્ન થઈ જાય છે. ૭ દુર્લભ આ જગ મધ્ય અતિશય ચિપમાં રુચિ લાવે છે, તેથી અતિ દુર્લભ સશાસ્ત્રો ચિદ્વપ સ્પષ્ટ બતાવે છે; દુર્લભ તેથી પણ ગુરુ જ્ઞાની, ચિપ નિશદિન બધે જે. સૌથી ચિંતામણિ સમ દુર્લભ ભેદજ્ઞાન ઉર શેધે તે. ૮-૯ આ જગમાં પ્રથમ (૧) શુદ્ધ આત્મામાં પ્રીતિ રુચિ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કે જે પાનું ઉલભ છે સમાધિ-સાધના કરે તેવા તથા કરાવે તેવાં નિમિત્તો મળવાં દુર્લભ છે, (ર) તેથી અતિ દુર્લભ શુદ્ધ આત્મસ્વરૂપ અને તેની પ્રાપ્તિના ઉપાયોનું વર્ણન કરનાર અધ્યાત્મ શાસ્ત્રની પ્રાપ્તિ છે, કે જેથી આત્મસ્વરૂપ પ્રત્યેની રૂચિને નિરંતર પિષ મળતું રહી વૃત્તિ તેમાં જ વહન કર્યા કરે. (૩) તેથી પણ અતિ અતિ દુર્લભ તે શુદ્ધ આત્માને અનુભવી તથા આત્મતત્વના ઉપદેશક સાક્ષાત્ આત્મજ્ઞાની સદ્ગુરુની પ્રાપ્તિ છે. એ નિષ્કારણ કરુણાશીલ મહાત્મા સંત, તેમનાં દર્શન, સમાગમ, બેધ અતિ દુર્લભ છે. આત્મસ્વરૂપને પ્રતિપાદન કરનાર, અપૂર્વ આત્મલક્ષ કરાવનાર, અનુપમ આત્મજાગૃતિને પ્રગટાવનાર મહાત્મા જ્ઞાની ગુરુને જવલંત બેધ, આત્મજ્ઞાનને અચૂક ઉપાય પ્રાપ્ત થ અતિ દુર્લભ છે. કેઈ મહાભાગ્ય મુમુક્ષુઓને જ તે બેધ પ્રાપ્ત થતાં તથારૂપ યોગ્યતાના ગે તે અંતરમાં ઝળકી ઊઠે છે અને પરિણામે જ્ઞાનદશા જાગૃત થાય છે. આ ત્રણેય દુર્લભાગની પ્રાપ્તિ થતાં તેના ફળરૂપે ચેથી (૪) પિતાના શુદ્ધ આત્માની સાક્ષાત્ ઓળખાણ, આત્મઅનુભવ, આત્મસાક્ષાત્કાર કરાવનાર ચિંતામણિરૂપ ભેદજ્ઞાનની પ્રાપ્તિ તે તે ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં દુર્લભમાં પણ દુર્લભ જ છે. ભેદજ્ઞાનના બળે કરી જીવ પોતે શિવ થાય છે. અચિંત્ય સુખનિધાન મેક્ષપદ પામે છે. માટે ભેદજ્ઞાનને ચિંતામણિ સમાન દુર્લભ કહ્યું છે. આવે જયાં એવી દશા સદ્ગોધ સહાય, તે બોધ સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણ.” -શ્રી આત્મસિદ્ધિ Page #182 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૬૧ દેહ કર્મકૃત સર્વવિકારે તે જડ, ચેતન આપ અહો ! જડ ચેતન એ ભિન્ન કરે તે ભેદજ્ઞાન મુજ ઉરે રહે. ૧૦ જે જ્ઞાનવડે જડ એવા દેહ અને દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા તેથી આત્મામાં ઉત્પન્ન થતા સર્વ વિકારે, વિભાવે, ફેરફારને, ચૈતન્ય સ્વરૂપ આત્માથી સાક્ષાત્ ભેદ પડે, પડદો ખસે, શુદ્ધાત્માને અંશ અનુભવ પ્રગટે તે ભેદજ્ઞાન. અંતરમાં સબોધ પરિણામ પામતાં જડ અને ચૈતન્ય બંનેને સાવ જુદાં જ જાણવારૂપ આત્મજ્ઞાન જાગૃતિ વર્તે તે ભેદજ્ઞાન. ૧૦ સ્વકીય શુદ્ધ ચિપની પ્રાપ્તિ, તપ કે શ્રુત અભ્યાસી જને, કઈ ક્યાંય પણ કદી ન લહે વિષ્ણુ ભેદજ્ઞાન, શ્રમ વ્યર્થ ગણે. તૃણ રાશને અગ્નિ દહે તેમ ભેદજ્ઞાની ક્ષણમાં કરતા, ચિપઘાતક કર્મસમૂહને નાશ, સ્વરૂપ મુક્તિ વરતા. ૧૧-૧૨ અનેક પ્રકારનાં તપ અને શાસ્ત્રાભ્યાસમાં રત એવા મેક્ષાથી જનેમાં પણ ભેદજ્ઞાન વિના પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કઈને ક્યાંય કદી પણ થઈ નથી. જે કોઈ ભવમુકિત વર્યા, તે ભેદજ્ઞાન બળે ખરે, ભવબંધને જે જે ફયા તે ભેદજ્ઞાન વિના અરે ! –શ્રીમદ્ અમૃતચંદ્ર આચાર્ય : સમયસાર કળશ દેહ અને આત્માના ભેદને જાણનાર ભેદજ્ઞાની મહાપુરુષે તૃણના ઢગને અગ્નિની માફક આત્માના સ્વરૂપને ઘાત કરનાર કર્મના સમૂહને ક્ષણમાં ક્ષય કરી દે છે, ક્ષણે ક્ષણે કરી રહ્યા છે. ૧૧-૧૨ સર્વ શાસ્ત્રમાં નિપુણ અહે! મતિમાન ચો ચિકૂપ યદા, ભાવે ભેદવિજ્ઞાન ભાવના એક અખંડિત મને સદા; ૧૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમાધિ-સાધના સ્વાત્મજ્ઞાનથી પ્રગટે સંવર તેમ નિર્જરા પ્રબળ અહા ! ભેદજ્ઞાનથી આત્મજ્ઞાન તે ત્યાં જ મુમુક્ષુની સતત સ્પૃહા. ૧૩-૧૪ | સર્વ શાસ્ત્રોના જાણ (જેને હવે કોઈ પણ શાસ્ત્ર જાણવાનું પ્રજન ન રહ્યું છે એવા એ ભેદજ્ઞાની પુરુષે શુદ્ધ ચિકૂપની પૂર્ણ પ્રાપ્તિ માટે અખંડિત ધારાએ નિરંતરપણે તે ભેદજ્ઞાનની ભાવના ભાવવી. આત્મજ્ઞાનથી સાક્ષાત સંવર (નવીન કર્મ આવતાં અટકે તે) અને નિર્જરા ( ઉદયમાં આવતાં પૂર્વ કર્મને જાગૃતિ પ્રમાણે અંશે ક્ષય) થાય છે. સંવર નિર્જરાના ફળરૂપે પરિણામે સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ થાય છે. મેક્ષને અનન્ય કારણરૂપ ભેદજ્ઞાનથી જ તે આત્મજ્ઞાન થાય છે માટે મેક્ષાથી જએ તે ભેદજ્ઞાનને અંતરમાં સદા ભાવવું. ૧૩–૧૪ (મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત-એ દેશી ) વસ્તુપરીક્ષા રે શિલ્પકલાદિમાં નિપુણ થયે બહુ વાર, શક્તિ વિભૂતિ રે બહુ લહી, માત્ર ને, ભેદજ્ઞપ્તિ કેઈ વાર. ભેદવિજ્ઞાને રે ચિપ સેવીએ. ૧૫ આ સંસારમાં અનેકવાર પદાર્થોની પરીક્ષા કરતાં જીવ શીખે છે; શિલ્પ આદિ અનેક કલાઓમાં નિપુણ થયે છે, બહુ પ્રકારની શક્તિઓ અને વિભૂતિઓ પણ પામે છે, પરંતુ એકમાત્ર ભેદજ્ઞાનને તેને કદી લાભ થયે નથી. ૧૫ આત્મ શરીરને રે ભેદવિજ્ઞાનરૂપ, વાયુબળે ક્યાંય જાય, મેહરેય ચિદ્રપ ઢાંકતે તે તે જરી ના જણાય. | ભેદવિજ્ઞાને રે. ૧૬ જ્યાં સુધી આત્મા અને શરીરને જુદા જાણવારૂપ ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી જ મેહનીય કર્મની વર્ગણાઓ Page #184 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના આત્માને આવરણ કરી રહેલ છે જ્યાં ભેદજ્ઞાનરૂપ પ્રમળ વાયુ આવીને ફુંકાય છે ત્યાં ચિદ્રુપને ઢાંકી દેનાર સર્વે મેાહકર્મનાં પરમાણુના પુંજ ઊડીને ક્યાંય દૂર ચાલ્યા જાય છે કે શેાધતાં પણ પછી તેના પત્તો લાગતા નથી. અર્થાત્ મેહ કર્મને ક્ષય કરવા ભેદ્મવિજ્ઞાન પ્રબળ પવન સમાન છે. ૧૬ ૧૬૩ તિમિર અનાદિ રે જે મહામેાહનું, છેદે એ બળવાન; નિર્મલ ચિદ્રુપ દર્શન હેતુ એ, ભેદસિ દીપ જાણુ. ભેવિજ્ઞાને ૨૦૧૭ ચાલ્યા આવતા જીવના આ ભેવિજ્ઞાન અનાદ્રિથી મહામેાહરૂપ અંધકારને દવા માટે અને શુદ્ધ ચિકૂપનાં દર્શન કરાવવા માટે અનુપમ દ્વીપક સમાન છે. ૧૭ ભેદજ્ઞાનરૂપ ચક્ષુ અપૂર્વથી, યાગી જુએ નિજરૂપ, સિદ્ધિક્ષેત્રે રે તેમ શરીરમાં, કર્મ રહિત ચિદ્રુપ. ભેદવજ્ઞાને ૨૦ ૧૮ અનાદિ સંસાર પરિભ્રમણમાં કદી પણ પ્રાપ્ત નહીં થયેલ એવા અપૂર્વ ભેદવિજ્ઞાનરૂપ દિવ્ય નેત્રાથી આત્મજ્ઞાની મહાપુરુષ સર્વ કર્મથી રહિત એવું પેાતાનું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ સિદ્ધિસ્થાનમાં તેમ જ શરીરમાં એક સરખું સાક્ષાત્ અવલેાકન નિરીક્ષણ કરે છે. ભેગી મળેલી રે વસ્તુ ઘણી છતાં, ભિન્નરૂપે ઓળખાય, પ્રવીણ પુરુષને રૅસ્પર્શીર્દિકથી, જેમ તે જુદી ગ્રડાય; ભેવિજ્ઞાને ૨૦ ૧૯ તેમ મળેલાં ૨ કર્મ, શરીર ને, નિર્મળ ચિદ્રુપ છતાંય, અનુભવથી કેમ ભિન્ન વિભિન્ન તે, સંતાને ન જણાય ? ભેદવજ્ઞાને ૨૦ ૨૦ (યુગ્મ) Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમાધિ-સાધના જેમ અનેક વસ્તુઓ ભેગી મળેલી હોય છતાં તે પ્રત્યેકનાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ આદિ લક્ષણેની જેને બરાબર ખબર છે તેવા ચતુર અને તે પ્રત્યેકને પોતપોતાનાં લક્ષણે ઉપરથી ઓળખીને જુદી જુદી કરી શકે છે, તેમ આત્મા અને કર્મ બંનેનાં ભિન્ન લક્ષણને યથાર્થ જાણનાર જ્ઞાની પુરુષે, અનાદિથી ભેગાં મળેલાં બંને દ્રવ્યને એ ભેદવિજ્ઞાનના સતત અભ્યાસથી જ અત્યંત જુદાં જાણે પિતાના આત્મતત્વને તે દેહાદિ પર જડ દ્રવ્યથી ભિન્ન અનુભવી શકે છે. દેહ આદિ અચેતન જડ છે. કારણ કે જડના ગુણ વર્ણ રસ ગંધ સ્પર્શ આદિ તેમાં પ્રત્યક્ષ જણાય છે, આત્મા દેહઆદિમાં રહ્યો છતાં તે સર્વને જુએ છે, જાણે છે તથા સુખ દુઃખને અનુભવે છે. આ ગુણે દેહ આદિ જડમાં નથી. દેહઆદિના વર્ણ આદિ ગુણે આત્મામાં નથી. તેનાથી જુદા જ્ઞાન દર્શન આદિ પિતાના ગુણે છે. એમ ચેતનના ગુણેથી ચેતનને ઓળખીને જડથી જુદો નિરંતર ભાવતાં તેને સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવ થવા લાગ્યા છે. જડ ને ચૈતન્ય બને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્ય માંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિત્થને પંથ ભવનંતને ઉપાય છે. ૧ દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; Page #186 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૬૫ જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુ:ખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એ જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વ ભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બને દ્રવ્ય નિજ નિજરૂપે સ્થિત થાય છે.” ૨ – શ્રીમદ્ રાજચંદ્ર ગરુડ જુએ ત્યાં રે ચંદન તરુ તજી, સર્પસમૂહ જ્યમ પલાય; ભેદ વિજ્ઞાને રે કર્મ શરીર તેમ, આત્માથી દૂર થાય. ભેદવિજ્ઞાને રે. ૨૧ ચંદન વૃક્ષને વીંટળાઈને રહેલા સર્પો જેમ ગરુડને આવેલે જોતાં જ ચંદન તરુને તજી દઈ સત્વર કયાંય ચાલ્યા જાય છે, તેમ ભેદજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ દેહ કર્મ આદિ સર્વ સત્વર દૂર થઈ જાય છે. ભેદ જ્ઞાનના રે બલથી પામીને, કેવલી ચિપ શુદ્ધ તીર્થકર જિનેન્દ્ર બને મહા, દેવ દેવના પ્રસિદ્ધ. | ભેદવિજ્ઞાને રે. ૨૩ ભેદવિજ્ઞાનની પ્રાપ્તિથી આત્મસ્વરૂપનાં દર્શન, જ્ઞાન, અનુભવરૂપ શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી એ આત્માનુભવમાં જ અખંડપણે રહેવા માટે પણ ભેદજ્ઞાનને જ અભ્યાસ ઉપકારી થાય છે. એટલે એ ભેદજ્ઞાન વડે જ આત્મા અખંડ આત્મરમણતાથી કેવળજ્ઞાન પ્રગટ કરી કેવલી ભગવાન થાય છે. પછી અનેક ભવ્યાત્માઓને સંસારસમુદ્રથી તરવાને તીર્થરૂપ મેક્ષમાર્ગ પ્રવર્તાવે છે, તેથી તીર્થંકર, તીર્થને કરનાર, કહેવાય છે. અનેક ભવ્યાત્માઓ તેમની દેશનાના હૈદવિજ્ઞાન શિકયની દવા માટે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમાધિ-સાધના અવલંબને મહાદિ શત્રુને જીતીને જિન એટલે આત્મજ્ઞાની થાય છે. તેથી તે ભગવાન જિનેના (આત્મજ્ઞાનીઓના) સ્વામી જિનેશ્વર કહેવાય છે. ઇંદ્રાદિક દેવે તે ભગવાનની પૂજા ભક્તિ આદિથી અત્યંત બહુમાનપૂર્વક તેમની સેવામાં પ્રવર્તે છે તેથી તે દેવાધિદેવ કહેવાય છે. એમ ભેદજ્ઞાનના બળથી આત્મા અત્યંત દુર્લભ એવા દેવાધિદેવ તીર્થંકર જિનેશ્વર કેવળજ્ઞાની પદને પામી પ્રાંતે પરમાત્મસ્વરૂપમાં સમાય છે; અનેક જીવને મોક્ષમાર્ગ સન્મુખ કરી, શુદ્ધ ચિકૂપની પ્રાપ્તિથી કૃતાર્થ કરી, પિતે પરમ કૃતકૃત્ય થઈ શાશ્વત સિદ્ધિસુખમાં જઈ વિરાજે છે. નમન હો તે સદા જયવંત પરમાત્મપદને ! “સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જ્ય તે.” –શ્રીમદ્ રાજચંદ્ર શુદ્ધ આત્મસુખના પરીક્ષક અને તેમાં જ પ્રીતિવાળા જગતમાં વિરલા જ છે, પરવસ્તુની પરીક્ષામાં પ્રવીણ અને ઇન્દ્રિયસુખમાં આસક્ત એવા જગતમાં પ્રાયે ઘણા જીવે જોવામાં આવે છે. ખેતી, પરવાળાં, રત્ન, સુવર્ણ આદિ ઘાતુઓ, રસ, ભૂમિ, વસ્ત્ર, અન્ન, રેગ, વૃક્ષ, સ્ત્રી, અશ્વ, ગજ, સર્પ, ગાય, બળદ, મનુષ્ય, દેવ, વિદ્વાન, પક્ષી, અને જળચર જીના પરીક્ષકે જગતમાં ઘણું છે. તેમ જ વિષયસુખમાં રક્ત પણ ઘણું જોવામાં આવે છે. પરંતુ સત્સંખના પરીક્ષક તથા તે અતીન્દ્રિય સુખમાં રક્ત ઘણું જ અલ્પ જીવ પ્રાયે જગતમાં જોવામાં આવે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે-એ દેશી) આત્મિક સુખ તેા નિજવશ નિરુપમ નિઃસ્પૃહ નિત્યનિજસ્થ અહા ! નિરુપદ્રવ નિર્દ્રય અખંધક વિષ્ણુ ભય શુભ અંત લહેા, શ્રેષ્ઠ અદોષ અમલ શિવહેતુ દુર્લભ દ્રન્દાતીત ગ્રહા, આવું સુખ સ્વાત્મન્થ લહેા, તે વિરુદ્ધ ઇંદ્રિયસુખ ન ચહેા. એ આત્મિક સુખ કેવું છે ? તેા કે ઇંદ્રિયજન્ય સુખથી વિરુદ્ધ છે. ૧૬૭ ઇંદ્રિયજન્ય સુખ પરદ્રવ્યના સંબંધથી થાય છે, તેમાં પરદ્રવ્યની જરૂર રહે છે. જ્યારે આત્મિક સુખ નિર્દ્ર એટલે મફત કોઈ પણ પરદ્રવ્યની અપેક્ષા વગરનું છે. ઇંદ્રિયસુખ, પરપદાર્થો કે ઇંદ્રિયોની અનુકૂળતાને આધીન હાવાથી પરાધીન છે, જ્યારે આત્મિક સુખ પેાતાને, આત્માને જ આધીન હેાવાથી, સ્વવશ છે. ઇંદ્રિયસુખ ઇંદ્રિયા આદિ પરપદાર્થોમાં રહ્યું જણાય છે જ્યારે આત્મિક સુખ નિજ સ્વરૂપમાં જ રહેલું હાવાથી નિજસ્થ છે. ઇંદ્રિયસુખ ભોગવતાં પણ તે જતાં રહેશે ઇત્યાદિ ભયથી યુક્ત છે જ્યારે અલૈંદ્રિય સુખમાં કંઈ પણ ભય નથી, તે અભય છે. ઇંદ્રિયસુખ અલ્પકાળ પછી નાશ પામી જનાર હાવાથી વિનાશી છે, અલૈંદ્રિય સુખ કદાપિ નાશ પામનાર નહીં હાવાથી નિત્ય છે. ઇંદ્રિયસુખ જેમ જેમ ભોગવાય છે તેમ તેમ તૃષ્ણારૂપ દાહ વધતા જાય છે, જ્યારે અર્તીદ્રિય સુખ જેમ જેમ અનુભવાય છે તેમ તેમ પરમ તૃપ્તિ અનુભવાય છે, તેથી અલ્પ પણુ પર વસ્તુની ઇચ્છા સ્પૃહા તૃષ્ણા રહેતી નથી તેથી તે નિરીહ છે. ઇંદ્રિયસુખ પરિણામે દુઃખરૂપ અશ્રેયકારી હાવાથી અશુભ છે. આત્મસુખ ખરી મહત્તાવાળું Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમાધિ-સાધના પરમ શ્રેયકારી સુખ છે તેથી તે શુભ મંગલકારી, કલ્યાણસ્વરૂપ છે. ઇંદ્રિયસુખ રાગદ્વેષ, માન અપમાન, હર્ષ શોક, જન્મ મરણ આદિ તથા દુઃખરૂપ વિપક્ષ(%)થી સહિત છે, આત્મિક સુખ એક સર્વ શ્રદ્ધથી, વિપક્ષથી રહિત છે. ઇંદ્રિય સુખમાં અનેક પ્રકારના ઉપદ્ર, વિદ્ગો આવી પડે છે. આત્મિક સુખમાં કંઈ વિધ્ર આવતું નહીં હોવાથી તે નિરુપદ્રવ છે. ઇંદ્રિયસુખને કંઈ પણ ઉપમા આપ તે આપી શકાય જ્યારે અતીંદ્રિય સુખને જગતમાં કેઈ ઉપમા નહીં હોવાથી તે નિરુપમ છે. ઇંદ્રિયસુખમાં આસક્તિથી કર્મબંધ થઈ સંસારભ્રમણ વધે છે જ્યારે આત્મિક સુખ કર્મબંધ રહિત હેવાથી નિબંધ છે, તેથી મેક્ષપદનું કારણ થાય છે. ઇંદ્રિયસુખ તર્કથી કંઈ પણ સમજાઈ શકે પરંતુ અતીન્દ્રિય સુખ આત્માને વિષય હોવાથી, મતિને વિષય નહીં હવાથી, તે તર્કથી અગમ્ય છે, માત્ર અનુભવથી જ ગમ્ય છે. ઇંદ્રિયસુખ તુચ્છ છે, અતીન્દ્રિય સુખ સર્વોત્તમ છે. ઇંદ્રિયસુખ સંસારવર્ધક છે, આત્મિક સુખ શિવહેતુ, એટલે મોક્ષનું કારણ છે. ઇંદ્રિયસુખમાં અનેક દોષે છે, જ્યારે આત્મિક સુખ નિર્દોષ છે ઇદ્રિયસુખમાં મલિનતા છે, આત્મસુખમાં નિર્મળતા, શુદ્ધતા, પવિત્રતા છે. ઇંદ્રિયસુખ અનંત પરિભ્રમણરૂપ જગતમાં સર્વ કેઈને સુલભ છે, આત્મિક સુખ કેઈ વિરલાને જ પ્રાપ્ત થાય છે તેથી તે અત્યંત દુર્લભ છે. આ પ્રમાણે ઇંદ્રિયસુખ સન્મુખ નહીં પણ દુઃખનાં જ રૂપાંતર હોવાથી તેની રુચિ, તૃષ્ણ તજી દઈને મુમુક્ષુઓ આત્મિક સુખ કે જે વાસ્તવિક સસુખ છે તેમાં રુચિવંત, પ્રતિવેત, ઉદ્યમવત થાય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૬૯ અતીન્દ્રિય સુખની શ્રદ્ધા પણ મહાભાગ્યને થાય છે. તે સસુખને પ્રગટ અનુભવી રહ્યા છે એવા જ્ઞાનીપુરુષનાં દર્શન, સમાગમે મુમુક્ષુ જીવને તે સસુખની પ્રતીતિ સુલભતાથી થાય છે. અને ત્યારે જ તેની પ્રાપ્તિને માટે રુચિ જાગે છે, જે રુચિ યથાર્થ પુરુષાર્થમાં પ્રેરી જીવને સન્મુખ સન્મુખ કરે છે. | માટે સત્સુખના ઘામરૂપ સપુરુષ કે જેના દર્શનસમાગમ ભેગે આ જીવ સત્સુખમાં રુચિવંત, પ્રીતિવંત, શ્રદ્ધાવંત અને ઉદ્યમવંત થાય છે તે પરમકૃપાળુ પુરુષને પરમભક્તિથી નમસ્કાર છે. તે આત્મિક સુખની પ્રાપ્તિ માટે મુમુક્ષુએ શું કર્તવ્ય છે તે હવેના લેકમાં જણાવે છે. ભવ તન ભેગ પ્રતિ હદયે વૈરાગ્ય ઘરી તજી સંગ ત્રિથા, સદ્ગુરુ ને નિર્મલ શ્રુત ભજતાં, રત્નત્રયને ઘારી મુદા, અન્ય જીની સંગતિ તેમજ રાગાદિ તજી સઘળાને, સુખ સ્વાર્થી ચહે તે વસતા નિર્જન નિરુપદ્રવ સ્થાને. ૩ આત્મિક સુખની પ્રાપ્તિ કરવાની અભિલાષાવાળા મુમુક્ષુજનેએ સંસાર શરીર અને ભેગની અસારતા, અનિત્યતા, અન્યત્વતા આદિ વિચારીને તે પ્રત્યે અંતરમાં વૈરાગ્યને ધારણ કરે. સર્વ ચેતન, અચેતન કે મિશ્ર એમ ત્રણેય પ્રકારને સંગ મારે કાંઈ કામને નથી, માત્ર દુઃખને જ હેતુ છે એમ વિચારીને તેના તથા અન્ય સર્વ પરાવલંબી ચિંતન, ચાલ તથા માર્ગોને ત્યાગમાં જ પ્રવર્તવું. સત્ સુખના ઘામરૂપ આત્મજ્ઞાની સદ્ગુરુને અને તેમના પવિત્ર બંધને અથવા તેમણે જણાવેલાં નિર્દોષ શાસ્ત્રોને નિરંતર આશ્રય કરે. નિર્મળ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સમાધિ-સાધના સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયને ધારણ કરવાં. સર્વ અન્ય સંગ પ્રસંગને તથા રાગાદિ ભાવેને તજીને, ઉપદ્રવ રહિત એકાંત સ્થાનને આશ્રય કરી, આત્મસ્વરૂપના ચિંતનમાં એકાગ્ર થવું. આ પ્રમાણે સપુરુષાર્થમાં પ્રવર્તતાં, આત્મસ્વરૂપમાં એકાગ્રતા સાધનાર મુમુક્ષુ આત્મિક સુખને પામી કૃતકૃત્ય થાય છે. ઇંદ્રિયસુખ સુખ નહિ પણ ઈચ્છા-અગ્નિ વ્યથા એ શાંત કરે, શુદ્ધ પરિણતિ નિરાકુળ જે આત્મસ્થિતિ સુખ તે જ ખરે. ૪ ઇદ્રિયસુખ છે તે મનુષ્યને સાચું સુખ નથી, પરંતુ ઈચ્છારૂપ અગ્નિની વેદનાને શાંત કરવાને એ ઉપાય છે. સાચું સુખ તે આત્મામાં સ્થિતિ છે ત્યાં છે. આત્મસ્વરૂપમાં સ્થિરતા છે ત્યાં નિરાકુલતા અને શુદ્ધ પરિણામ છે. તેથી ત્યાં આત્મિક સુખ પ્રગટ છે, અને તે જ સાચું સુખ છે. આ જગતમાં જે જે સુખનાં સાધનો ગણાય છે તે સર્વમાં વ્યાકુળતા રહેલી હોવાથી વિવેકી જનેને તેમાં વાસ્તવિક સુખ સમજાતું, મનાતું નથી. જગતના જીવે ધનથી, કીર્તિથી, ઇંદ્રિયને રમણીય વિષયેથી, સુંદર પ્રાસાદમાં નિવાસ કરવાથી, નૃત્ય, ગીત અને વાજિંત્રના જલસાદિમાં મુગ્ધ થવાથી, સુંદર રૂ૫ લાવણ્યથી, ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિથી, અનિષ્ટ પદાર્થ દૂર થવાથી, કીડા કરવાથી, અનુકૂળ ઋતુના આગમનથી, રાજ્ય પ્રાપ્તિથી અથવા રાજાદિનું સન્માન પામવાથી, સેના, વસ્ત્ર, પુત્ર, પુત્રી આદિના સમૂહથી, સુંદર અનુકૂળ રમણીથી, મઘુર સંગીતથી, અલંકારેથી કે વૃક્ષ, પર્વત કે વાહનથી પિતાને સુખી સુખી માની હર્ષોન્મત્ત, મદોન્મત્ત થઈને ફરે છે. જ્યારે વિવેકી જનેને એ સર્વમાં Page #192 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૭૧ વ્યાકુળતા રહેલી જણાય છે તેથી તેને તે વાસ્તવિક સુખ ગણતા નથી. સત્ સુખ ત્યાં છે કે જ્યાં નિરાકુલતા છે. મહાધીન જ ગમે ત્યાં જાય, પણ તે પરપદાર્થમાં રક્ત હેવાથી સસુખના લેશ પણ ભાગી થતા નથી. તે હવે જણાવે છે – અટવી ગ્રામ નગર નગશિખરે જલધિ તરંગિણ તટ વસતા, આશ્રમ ચૈત્ય ગુફા રથ મંદિર સભા આદિમાં સ્થિતિ કરતા; મહા દુર્ગ નભ માર્ગ તંબુ કે લતામંડપે જઈ વસતા, છતાં મેહી પરસમય રક્ત તે સસુખ લવ નહિ પાત્ર થતા. ૬ મોહવશ જીવે પરદ્રવ્યમાં રક્ત હેવાથી ગમે તે નગરમાં, ગામમાં, જંગલમાં, પર્વતના શિખર પર, નદી કે સમુદ્રના તટ ઉપર વસતા હોય, અથવા આશ્રમ, ગુફા, દેવાલય, સભાસ્થાન, રથ કે મકાનમાં નિવાસ કરતા હોય, અથવા મહા દુર્ગમાં કે સ્વર્ગમાં, માર્ગમાં કે આકાશમાં, લતામંડપમાં કે તંબુમાં વાસ કરતા હોય છતાં તે અપ પણ સત્સુખના ભાગી થતા નથી. સસુખના ભાગી કેણ થાય છે? તે કે મેહને જય કરી, પરદ્રવ્યમાંથી પ્રીતિ ઉઠાવી, નિજ નિર્મળ ચિદૂદ્રવ્યમાં જે તલ્લીન થાય છે તે આત્મિક સુખને આસ્વાદી મહાભાગ્યશાલી થાય છે, કૃતકૃત્ય થાય છે. જીવ નિગોદે કે વિષ્ટામાં, પશુ, નૃપ, ભીલ, કે ભાર વહે, રેગી નરેગી ધનિક દરિદ્રી પગ કે વાહનથી વિહરે; બાલ યુવાન વૃદ્ધ એ સૌનાં ઇંદ્રિયસુખ કદી હાય સદા, તે પણ તેનું કામ શું મારે અપૂર્વ નહિ તે સુલભ બધાં. ૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમાધિ–સાધના સંસારમાં નિગદના જીમાં, વિષ્ટાના કીડામાં, પશુઓના સમૂહમાં, રાજા આદિ વર્ગમાં, ભાર વહન કરનાર મજૂરમાં, ભીલમાં, રેગીમાં, નીરોગીમાં, ધનવાનમાં, નિર્ધનમાં, વાહનમાં ફરનાર કે પગે ચાલનારમાં, યુવાન વૃદ્ધ કે બાલ આદિમાં, જે જે ઇંદ્રિયસુખ છે તે તે કઈ કઈ વાર જ અલ્પકાળ માટે જ હોય છે. કદાચ તે સુખ સદા સર્વદા રહે તેવાં હોય તેય મારે તેનું શું કામ છે? કારણ કે તે અપૂર્વ નથી. પૂર્વમાં અનંતવાર તેવા સુખની તે પ્રાપ્તિ થઈ ગઈ છે માટે હવે તેવાં સાંસારિક સુખથી મને કંઈ પ્રજન નથી, સ્પૃહા નથી. રેય પદાર્થો જાણે દેખે સિદ્ધ તથા સંસારી છતાં, સંસારીનું જ્ઞાન વિકલ્પક, સિદ્ધતણું અવિકલ્પક ત્યાં. ૮ ય પદાર્થોને જોવા તથા જાણવાનું (દર્શન તથા જ્ઞાન) સિદ્ધ તથા સંસારી બનેને થાય છે. સિદ્ધ પણ જગતને સર્વ રેય પદાર્થોને જાણે છે, દેખે છે. સંસારી જી પણ જેટલી પિતાની જ્ઞાન દર્શન શક્તિ પ્રગટ છે તે પ્રમાણે ય પદાર્થોને જાણે છે, દેખે છે. બંનેમાં તફાવત એટલે છે કે સર્વ પદાર્થોને જેતા જાણતા છતાં સિદ્ધ પરમાત્મા તેમાં અહત્વ મમત્વ, ઈષ્ટ અનિષ્ટ, રાગ, દ્વેષ આદિ કંઈ ન કરતાં કેવળ નિર્વિકલ્પ સ્વભાવમાં જ રહે છે. જ્યારે સંસારી જીવે જગતનાં પદાર્થોને જોતાં જાણતાં, તેમાં અહત્વ મમત્વ, ઈષ્ટ અનિષ્ટ, રાગદ્વેષ આદિ કરીને અનંત વિકલ્પમાં પ્રવર્તે છે. નિર્વિકલ્પ તે નિરાકુલ ને વ્યાકુલ વિકલવંત સદા કર્મનાશ સત્સૌખ્ય પ્રથમને, કર્મ-દુઃખમૃત અન્ય બધા. ૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ * સમાધિ-સાધના ૧૭૩ જ્યાં સંકલ્પ વિકલ્પ છે ત્યાં વ્યાકુલતા છે, વ્યગ્રતા છે, અશાંતિ છે. જ્યાં નિર્વિકલપતા છે ત્યાં નિરાકુલતા છે, અવ્યગ્રતા છે, શાંતિ છે. તેથી વિક૫મય આત્માને કર્મબંધ અને દુખની પ્રાપ્તિ છે, નિર્વિકલ્પ આત્માને કર્મને અભાવ અને સુખની પ્રાપ્તિ છે. પૂર્વે એ સવિકલ્પ સૌખ્ય મેં અનુભવ્યું બહુ વાર અહા ! તેથી તે ન અપૂર્વ અને તે નિર્વિકલ્પ સુખ વિષે સ્પૃહા. ૧૦ આકુલતાથી યુક્ત સવિકલ્પ સુખ તે મેં અનંતકાળના પરિભ્રમણમાં ઘણી વાર ભેગવ્યું છે. તેથી તે અપૂર્વ નથી. માટે હવે તે નિર્વિકલપ સુખ પ્રાપ્ત કરવાની જ મને અત્યંત તીવ્ર અભિલાષા જાગી છે, ઇંદ્રિયસુખની સર્વ સ્પૃહા વિરમી છે અને એક અતીન્દ્રિય આત્મિક સુખની જ માત્ર અભિલાષા પ્રવર્તે છે. રાગાદિયુત ચિત્ત સહિત જે જાણે રેય વસ્તુ દુખ તે; પણ જે જાણે ચિત્ત વિરાગે, નિશ્ચયથી જીવને સુખ તે. ૧૧ રાગી દ્વેષી અને મેહી ચિત્ત વડે ય પદાર્થોને જાણ વામાં પ્રાણને દુઃખ થાય છે; પદાર્થને જાણવારૂપ તે જ જ્ઞાન જે રાગ આદિ રહિત ચિત્તથી થાય તે નિશ્ચયથી તે જ સુખ છે. પદાર્થને જાણવા તે સુખ કે દુઃખરૂપ નથી, પરંતુ ચિત્તમાં રાગ દ્વેષ કે મેહ સહિત જે જ્ઞાન તે દુઃખનું કારણ થાય છે અને રાગદ્વેષ નેહ રહિત ચિત્તથી પદાર્થોનું તે જ જ્ઞાન સુખનું કારણ થાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના સૂર્ય સુધા સુરતરુ સુરમણિ કે સુરધેનુ સુરસદન મહા, વિષ્ણુ આદિના ગર્વ હરે એ, પ્રમળ ચિત્તાત્મા વિજયી અહા ! ૧૨ ખરેખર ! શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા આ જગતમાં જયવંત વર્તે છે ! ૧૭૪ gy શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માની કેવી અચિંત્ય અદ્ભુત અનુપમ શક્તિ છે ! તેના પ્રભાવ, તેનું સામર્થ્ય, તેની શક્તિ અદ્વિતીય છે. જગતમાં પ્રચંડ પ્રતાપી સૂર્ય, શીતળતામય સુધાને વરસાવતા અને જગતને આહ્લાદ-આનંદ પ્રદાન કરતા સુધાકર (ચંદ્ર), તેમજ ઇચ્છિત વસ્તુ આપવાને સમર્થ એવાં કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન, ઉત્તમ કામધેનુ, દિવ્ય સુખનાં ધામ એવાં સ્વર્ગલાક કે મહાન પંડિતજના, અથવા રિ એટલે ઇંદ્ર કે વાસુદેવ જેવા, તે સર્વના અખંડ ગર્વ, પ્રતાપ પણ જેના અચિંત્ય ઐશ્વર્ય આગળ તુચ્છ છે ષટ્ ખંડાધિપતિ ચક્રવતી અને ત્રિભંડાધિપતિ વાસુદેવા, તેમ જ સુરાસુરપતિ દેવેન્દ્રો પણ પોતાના સર્વ વૈભવાનો ગર્વ તજીને, શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણ કરતા આત્મજ્ઞાની મહાપુરુષના ચરણમાં અત્યંત વિનમ્રપણે તથા પરમ ભક્તિભાવે પ્રણામ કરી તેમની સેવામાં સદાય હાજર થાય છે. એવા શુદ્ધ આત્મા સહજાત્મસ્વરૂપના અચિંત્ય માહાત્મ્યને જ્યાં સુધી જાણ્યું નથી ત્યાં સુધી જ જીવાને સાંસારિક પદાર્થોની મહુત્તા લાગે છે; ત્યાં સુધી જ તેને માટે તેમની ઇચ્છા પ્રવર્તે છે. પણ જ્યાં આત્મઐશ્વર્યં યુક્ત એવા ચિદાનંઢમાં મગ્ન આત્મજ્ઞાની પરમ કારુણ્યમૂર્તિ સત્પુરુષનાં દર્શન, મેધ અને સમાગમે શુદ્ધ આત્માના અચિંત્ય માહાત્મ્યને જીવ જાણું છે, પ્રતીત કરે છે, અનુભવે છે, ત્યારે તે મેહાર્દિ Page #196 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૭૫ સર્વ શત્રુને પરાજય કરી પરમ વિજયવંત વર્તે છે. તેને નિજ સહજ આત્મસ્વરૂપ પ્રગટ થાય છે અને અનંત આત્મઐશ્વર્ય વ્યક્ત થાય છે. તે અનંત આત્મઐશ્વર્ય આગળ જગતનાં સર્વ ઇંદ્ર, નરેન્દ્ર, ચક્રવતી આદિ પદ ક્ષણભંગુર અને વ્યાકુળતામય હેવાથી અત્યંત તુચ્છ લાગે છે. અનંત આત્મઐશ્વર્યના ધામરૂપ એ શુદ્ધ ચૈતન્ય સહજાન્મસ્વરૂપ પરમાત્મદશાને પુનઃ પુનઃ પરમ ભક્તિથી નમસ્કાર હે ! એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે અને જન્મમરણદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ, નિવૃત્તિ થાઓ !” એ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશિત અપૂર્વ ભાવના મુમુક્ષુના ચિત્તમાં નિરંતર વિરાજિત થતાં, તેનું સતત પરિશીલન થતાં, તે અનુસાર સંસારને અભાવ થઈ શુદ્ધ પરમાત્મદશાને આવિર્ભાવ થતાં અનુક્રમે મુમુક્ષુ જીવે વિજયવંત વર્તે છે. ચિંતા એ દુખ, સુખ શાંતિ છે એ શાંતિથી પ્રતીત બને, નિર્મલ ચિદ્વપમાં લય લાગે અચલ શાંતિ પ્રગટે જીવને. ૧૩ શુદ્ધ ચિદ્રપમાં અચલ લય લાગે છે ત્યાં અખંડ સશાંતિ પ્રગટે છે. આ સત શાંતિથી જીવને એમ સમજાય છે, તથા શ્રદ્ધામાં દૃઢ થાય છે કે ચિંતા એ દુઃખ છે, અને શાંતિ એ જ સુખ છે માટે સત્સુખનું મૂળ અને સર્વ ચિંતાના અભાવરૂપ અખંડ સત્ક્રાંતિ એ જ મુમુક્ષુનું ધ્યેય હોવાથી તે સ@ાંતિના ધામરૂપ શુદ્ધ આત્મામાં, પરમાત્મામાં અચલ લયરૂપ પરમ તન્મયતાના અભ્યાસને સેવે છે, અને Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમાધિ-સાધના પરિણામે સત્ક્રાંતિપ્રદ અનંત સુખમય શિવપદને પામી કૃતાર્થ થાય છે. નિર્મળ ચિદ્રપમાં લયની જે વાંછા છે હે ભવ્ય ! તને, તે તજ સર્વ કાર્ય, બહિરંતર, સંગ સંગતિ અન્યને. ૧૪ હે ભવ્ય ! જે તને તે શુદ્ધ ચિદ્રપમાં લય લગાવવાની ઈચ્છા હોય તે અન્ય સર્વ કાર્યોને છેડ, અન્ય સર્વ કર્તવ્યોની કલ્પનાને છેડ. લેક માત્રને સંગ પ્રસંગને છેડ. અને તેને અનુસરતા ચિંતનેને, ચાલેને, માર્ગોને ચિત્તમાંથી દૂર કર. આ મહામેલા સૂત્રને યથાર્થ હૃદયગત કર. નિશદિન નયનમેં નીંદ ન આવે, નર તબહિ નારાયણ પાવે.” –શ્રી સુંદરદાસ હરિગીત છદ જન શુદ્ધ ચિકૂપનું કરી સદ્દધ્યાન સુર અધુના થતા ઇંદ્રિય સુખ ત્યાં ભોગવી, જિનવાણી સુણવા પામતા. ૧૩ ત્યાં સર્વ જિનમંદિર વિષે, વિચરે પૂજાદિ આચરે, ત્યાંથી ફરી નર ભવ અને વળી રત્નત્રય ભૂષણ ઘરે. ૧૪ ત્યાં શુદ્ધ ચિદ્રપ ધ્યાનના બળથી કરમને ક્ષય કરે, ક્ષણ એકમાં ત્રણ લેક શિખરે સિદ્ધિસ્થાને જઈ ઠરે. ૧૫ અત્યંત નિરાકુળ બની સાક્ષાત્ ચિદ્રપ શુદ્ધ તે, રાજે અનંતા કાળ સુખમાં અષ્ટ ગુણ સમૃદ્ધ છે. ૧૬ આ વર્તમાન કાળમાં મનુષ્ય શુદ્ધ ચિકૂપનું ધ્યાન લક્ષ કરીને, દેવગતિ પામે છે. ત્યાં ધર્મજનિત ઇંદ્રિય સુખ ભેગવીને, વીતરાગ પરમાત્માની વાણીને સાંભળીને, સર્વ Page #198 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૭૭ જિનમંદિરમાં જઈ પૂજા અર્ચા આદિ કરે છે. ત્યાર પછી દેવલોકમાંથી આવી મનુષ્યભવ પામી સમ્યગદર્શન આદિ રત્નત્રયરૂપ વિભૂષણને પામી શુદ્ધચિદ્રપના ધ્યાનમાં ફરી એકાગ્ર થાય છે. શુદ્ધચિપના ધ્યાનના બળે કરી સર્વ પ્રારબ્ધ કર્મને ક્ષય કરી એક ક્ષણમાં ગેલેક્સના અગ્રભાગે સિદ્ધિ સ્થાનમાં જાય છે. ત્યાં તે સાક્ષાત્ શુદ્ધચિદ્રપ પરમાત્મસ્વરૂપ સહજાત્મસ્વરૂપ બને છે. આઠ કર્મનો નાશ થવાથી આઠ ગુણ પ્રગટ થાય છે એવા પરમાત્મા અત્યંત નિ કુળ સસુખમાં અનંત કાળ પર્યંત વિરાજે છે. ધન્ય હો ! નમન હે ! તે સહજત્મસ્વરૂપ મુક્તાત્માઓને. ૧૩–૧૬ કમથી ચઢી કીડી તરુ પર સ્વાદુ ફલ શુકવત્ ગ્રહે, કમથી જ ચિપચિંતન શુદ્ધ સ્વસ્થિત ત્યમ લહે. ૧૭ પડે પણ ચડે રૂપ એકધારા પિતાના પુરુષાર્થથી, જેવી રીતે કીડી કમે કમે ચઢીને વૃક્ષ ઉપર રહેલા ફળને પોપટની માફક સહેલાઈથી ગ્રહણ કરે છે, તેવી જ રીતે પિતાના એકધારા પુરુષાર્થના કમે કરી મનુષ્ય પિતામાં રહેલા પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપને પામી તેનું સ્મરણ, ચિંતન, ધ્યાન સહેલાઈથી કરી શકે છે. શુદ્ધચિદ્રપના ચિંતનથી પરિણામે અનંત સમાધિસુખમય મુક્તસ્વરૂપ પામીને અત્યંત કૃતાર્થરૂપ, ધન્યરૂપ બને છે. ગુરુ આદિનાં બહુ વચન સુણી, વળી ભણી શાસ્ત્ર અનેક જે, અભ્યાસ કરીને ધ્યાન લહીએ, કમાગત કર્યું ધ્યાન તે; જિન શાસ્ત્ર કેવલ સાર જે ગુરુ-વચન એક સુણી યદા, અભ્યાસ વિણ તધ્યાન પ્રાપ્તિ, અકમાગત તે તદા. ૧૮–૧૯ ૧૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમાધિ–સાધના શુદ્ધ ચિલ્પ નિજનિર્મળ આત્મતત્વને ધ્યાનથી સ્વરૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે ધ્યાન કમાગત અને અર્કમાગત એમ બે પ્રકારે કહ્યું છે. સદ્દગુરુ આદિના સ ઘને બહુ પ્રકારે શ્રવણ કરીને, તથા અનેક સંસ્થાને વારંવાર અભ્યાસ કરીને તેને પરિણામરૂપે જે આત્મવિચારણા જાગી, આત્મધ્યાનની પ્રાપ્તિ થાય તે ક્રમે ક્રમે પ્રાપ્ત થતા ધ્યાનને કમાગત ધ્યાન કહ્યું છે. સદ્ગુરુ આદિનાં સોથને બહુ પ્રકારે શ્રવણ કર્યો સિવાય, તેમજ વિશેષ પ્રકારે શાસ્ત્રના અભ્યાસ સિવાય શ્રીજિનેન્દ્ર ભગવાનને સર્વ સંધ અને સર્વ શાના રહસ્યના સારભૂત-મર્મભૂત એવા સદ્દગુરુના કેવલ એક વચનના અવલંબને જે આત્મધ્યાન પ્રગટે છે તે અકમાગત ધ્યાન કહેવાય છે. જેમ કે સગુરુએ આપેલ એક જ વચન મંત્રાક્ષર “મા રુષ, મા તુષ” આરાધતાં, બીજા કંઈ પણ શ્રવણ કે અભ્યાસ વિના શ્રી શિવભૂતિ મુનિને શુક્લધ્યાન અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે અકમાગત ધ્યાન કહેવાય છે. સપુરુષના એક પણ વચનને સમ્યક પ્રકારે આરાધતાં યાવત્ મેક્ષ થાય છે એવું જ્ઞાનીના વચનનું સામર્થ્ય જાણું તેને અપૂર્વ પ્રેમ અને પરમ ઉલ્લાસપૂર્વક આરાધવામાં તત્પર થવા મુમુક્ષુ જી સદાય જાગ્રત રહે ! જેથી અનંત સંસાર પરિભ્રમણને અંત આણનાર અપૂર્વ બધિ અને સમાધિસુખની પ્રાપ્તિ થઈ પરમ પદને પામવા ભાગ્યશાળી થવાય તથાસ્તુ Page #200 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૭૯ THIS ૬. સહજ સ્વરૂપ ભાવના રિખરિણી છંદ તજું કાયા-માયા, ભવભ્રમણને અંત કરું હું, ભજું જ્ઞાતા દ્રષ્ટા, સહજસ્વરૂપે સ્થિતિ ધરું હું, ચિદાત્માને જેવા, પરમ ગુરુ ઘો દિવ્ય નયને, અમેલાં રત્નશા, ઉર ઘરું પ્રત્યે આપ વચન. ૧ બધાં તત્ત્વમાં જે, પ્રથમ જગ સર્વોપરી લસે, પ્રભુ શુદ્ધાત્મા એ, અનુપમ જગે જ્યોતિ વિલસે; અહો! રિદ્ધિસિદ્ધિ અમિત સુખની ત્યાં નહિ મણ, સ્મરું શા સદ્ગુણે! વિમલ ચિચિંતામણિ તણું. ૨ પ્રભુ દર્શિતાત્મા, સતત નરખું ભિન્ન તનથી, સદાનંદી સ્વાત્મા, સતત નીરખું ભિન્ન તનથી; સુખાબ્ધિ શાંતાત્મા, સતત નીરખું ભિન્ન તનથી, અવિનાશી સ્વાત્મા, સતત નીરખું ભિન્ન તનથી. ૩ અણહારી સ્વાત્મા, સતત રખું ભિન્ન તનથી, સ્વયંતિ આત્મા, સતત નીરખું ભિન્ન તનથી; વિકલ્પાતીતામા, સતત નીરખું ભિન્ન તનથી, વિદેહી નિત્યાત્મ, સતત નરખું ભિન્ન તનથી. ૪ સ્વરૂપે સ્થિતાત્મા, સતત ન નું ભિન્ન તનથી. સ્વભાવે સ્થિતાત્મા, સતત નરખું ભિન્ન તનથી; સમાધિચ્છિતાત્મા, સતત નીરખું ભિન્ન તનથી, શુચિ ચિદૂત, સતત ન નું ભિન્ન નથી ૫ જગતુચક્ષુ સ્વાત્મા. સતત નીરખું ભિન્ન તનથી, પ્રશાંતિ ધામાત્મા, સતત નીરખું ભિન્ન તનથી; Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮o સમાધિ-સાધના ગુણોનું ધામાત્મા, સતત નીરખું ભિન્ન તનથી, વિભાવાતીતાત્મા, સતત નીરખું ભિન્ન તનથી. ૬ જરાદિ મુક્તાત્મા, સતત નીરખું ભિન્ન તનથી, સુખી શાશ્વતાત્મા, સતત નીરખું ભિન્ન તનથી; નિજારામી આત્મા, સતત નીરખું ભિન્ન તનથી, નિરાલંબી આત્મા, સતત નીરખું ભિન્ન તનથી. ૭ અરૂપી સહજાત્મા, સતત નીરખું ભિન્ન તનથી, અસંગી સહજાત્મા, સતત નીરખું ભિન્ન તનથી; અનંગી સહજાભા, સતત નીરખું ભિન્ન તનથી, અગી સહજાત્મા, સતત નીરખું ભિન્ન તનથી. ૮ સ્વયં સ્વાધીનાત્મા, સતત નરખું ભિન્ન તનથી, અનંતાનંદાત્મા, સતત નીરખું ભિન્ન તનથી; અહો! આત્મા! સ્વાત્મા! અતીત મનકાયાવચનથી, સ્મરું, ભાવું, ધ્યાવું, અનુભવું સદા લીન મનથી, અનુભવું સમાધિસ્થ મનથી. ૯ તજી કાયા-માયા, સહજ નિજ ચિદ્રપ વિલસું, સદા સ્વાનુભૂતિન પીયૂષર રસમાં મગ્ન ઉ@સું; વૃશિ-જ્ઞપ્તિ-વૃત્તિ-સ્વરૂપ શિવમાર્ગે ગતિ કરું, સમાધિ બધિનું, સદન સહજાત્મા મહીં કરું. ૧0 ૧. આત્માનુભવ, ૨. અમૃતરસ, ૩. સમગ્દર્શન, ૪. સમ્યજ્ઞાન, ૫. સમ્યગ્યારિત્ર, ૬. ધામ, ઘર. Page #202 -------------------------------------------------------------------------- ________________ . અંતિમ આલોચના ૧. ખતમ ખામણાં चत्तारिमंगलं, अरिहता मंगलं; सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नतो धम्मो मंगलं ॥ चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नतो धम्मो लोगुत्तमो। चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरण पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नतं धम्म सरणं पधज्जामि । ચાર મંગલ, ચાર લેકેરમ અને ચાર શરણ મેં અંગીકાર કર્યો છે. અરિહંત ભગવાન મંગલસ્વરૂપ છે, સિદ્ધ ભગવાન મંગલસ્વરૂપ છે, સાધુ જ્ઞાની ભગવંત મંગલસ્વરૂપ છે, કેવલી ભગવાનને બેથેલે ઘર્મ મંગલસ્વરૂપ છે. અરિહંત ભગવાન લેકમાં સર્વોત્તમ છે, સિદ્ધ ભગવાન લેકમાં સર્વોત્તમ છે, સાધુ જ્ઞાની ભગવંત સદ્ગુરુરાજ લેકમાં સર્વોત્તમ છે, કેવલી ભગવાને પ્રરૂપેલો ધર્મ લેકમાં સર્વોત્તમ છે. અરિહંત ભગવાનનું શરણ સ્વીકારું છું, સિદ્ધ ભગવાનનું શરણ સ્વીકારું છું, સાધુ-જ્ઞાની સદ્દગુરુરાજનું શરણ સ્વીકારું છું, કેવલી ભગવાનના પ્રરૂપેલ ધર્મનું શરણ સ્વીકારું છું. નિશ્ચયથી શુદ્ધ સહજાભસ્વરૂપી પિતાના આત્માનું શરણ સ્વીકારું છું. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧/૨ સમાધિ-સાધના પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચેથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છ કે, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દશમે રાગ, અગિયારમે છેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પશુન્ય, પંદરમે રતિ અતિ, સેળમે પરંપરિવાદ, સત્તરમે માયા મૃષાવાદ અને અઢારમે મિથ્યાત્વ શલ્ય એ અઢારે પાપસ્થાનકમાં મારા જીવે જે કઈ પાપ આ ભવમાં, પહેલાં અનંતા ભમાં, અઘક્ષણ પર્યત સેવ્યાં હય, સેવરાવ્યાં હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યો હેય તે સર્વ મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડ, તે મારાં દુષ્કૃત્ય મિથ્યા થાઓ, ક્ષમા થાઓ. ચોરાસી લાખ જીવનમાં મારે જીવે છે કેઈ જીવ હર્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમેઘો હોય, તે સર્વ મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુકકડું, તે સર્વ પાપ મિથ્યા થાઓ, ક્ષમા થાઓ. खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्व भूएसु वेरं मज्झं न केणइ ॥ સર્વ જીવોને હું ક્ષમાવું છું. સર્વ જી મને સમજે. મારે સર્વ જી પ્રત્યે મૈત્રી ભાવ છે, કેઈ પ્રત્યે વેર ભાવ નથી. खमिअ खमाविअ मइ खमिअ सव्वह जीवनिकाय । सिद्धह साख अलोयणह मुज्झइ वइर न भाव ॥ સર્વ જીવસમૂહને હું ખમું છું, ખમાવું છું, સિદ્ધની સાક્ષીએ સર્વ પાપની આલેચના કરું છું, કેઈ જીવ સાથે મારે વૈરભાવ નથી. કાળ, વિનય વગેરે જે આઠ પ્રકારે જ્ઞાનાચાર કહે Page #204 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ૧૮૩ છે તેમાં કોઈ પણ પ્રકારે મારાથી જાણતાં અજાણતાં મન વચન કાયાથી અતિચાર થયેલ હોય તેને હું ત્રિવિધ નિંદું છું. નિઃશંકિત વગેરે આઠ પ્રકારના દર્શનાચારમાં જે કઈ અતિચાર લાગ્યું હોય તેને હું ત્રિવિષે સરાવું છું. મેહથી અથવા લેભથી જે મેં સૂક્ષ્મ અથવા બાદર પ્રાણુઓની હિંસા કરી હોય તેને હું ત્રિવિધે સરાવું છું. હાસ્ય, ભય, કે કે લેભાદિકના વશથી મેં જે કાંઈ અસત્ય ભાષણ કર્યું હોય તે સર્વની નિંદા કરવા પૂર્વક હું આલેચના કરું છું. રાગથી અથવા શ્રેષથી થોડું કે ઘણું જે કંઈ અદત્ત પરદ્રવ્યનું મેં ગ્રહણ કર્યું હોય તે સર્વને હું ત્યાગ કરું છું. પૂર્વે તિર્યંચ, મનુષ્ય કે દેવ સંબંધી મૈથુનનું મનથી, વચનથી કે કાયાથી મેં સેવન કર્યું હોય તેને હું ત્રિવિધ તજું છું. લેભના દોષથી બહુ પ્રકારે મેં ધન ધાન્ય અને પશુ વગેરેને જે સંગ્રહ કર્યો હોય તેને હું ત્રિવિધે તજું છું. સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુ, ધાન્ય, ઘર અને બીજી કઈ પણ વસ્તુમાં મેં જે કાંઈ મમતા કરી હોય તેને હું ત્રિવિશે ત્રિવિધે ત્યાગ કરું છું. ઇંદ્રિયથી પરાભવ પામીને-રસેન્દ્રિયના પરવશપણાથી મેં જે ચારે પ્રકારને આહાર રાત્રે વાપર્યો હોય તેને પણ હું ત્રિવિધે નિંદું છું. કૅધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, લેશ, ચાડી, પરનિંદા, જૂઠું આળ અને બીજું પણ જે કાંઈ દુષ્ટ આચરણ મેં કર્યું હોય તે સર્વને ત્રિવિશે હું તજું . બાહ્ય તથા અત્યંતર તપને વિષે જે કંઈ અતિચાર લાગે હોય તેને હું નિંદું છું. ધર્મ ક્રિયા કરવામાં જે કાંઈ છતા વીર્યને પડ્યું હોય તે વર્યાચાર સંબંધી દેશેની પણ હું ત્રિવિશે નિંદા કરું છું. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમાધિ-સાધના જે કેઈ મારે મિત્ર હોય અથવા અમિત્ર હોય અને સ્વજન હેય કે શત્રુ હોય તે સર્વ મારા અપરાધને ખમે, હું તે સર્વને ખમું છું તે સર્વની સાથે મારે સમતા ભાવ છે. મેં તિર્યંચના ભામાં તિર્યને, નારકીના ભાવમાં નારકીઓને, મનુષ્યના ભેમાં મનુષ્યને, તથા દેવભવમાં દેવને જે કાંઈ દુઃખ આપ્યું હોય, તે સર્વ મારે અપરાધ ક્ષમા કરે, હું તે સર્વને ક્ષમાવું છું. અને મારે તે સર્વને વિષે મિત્રીભાવ છે. જીવિત, યૌવન, લક્ષમી, રૂપ અને પ્રિયજનને સમાગમ તે સર્વ વાયુએ ચલિત કરેલા સમુદ્રના તરંગ જેવા ચપળ છે. આ જગતમાં વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસિત થયેલા પ્રાણીઓને વિતરાગ ભગવાને કહેલા ધર્મ વિના બીજું કઈ શરણ નથી. સર્વે જ સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે, તે તેમને વિષે કો પંડિત પુરુષ જરા પણ પ્રતિબંધ કરે? કઈ ન કરે. અરિહંત મારું શરણ હે, સિદ્ધ મારું શરણ હો, જ્ઞાની ગુરુરાજનું મને શરણ હે, કેવલી ભગવાનને કહેલે થર્મ મને શરણ હે. नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं । नमो उवज्झायाणं, नमो लोए सव साहूणं ॥ एसो पच नमुक्कारो सव्व पावप्पणासणो । मंगलाणं च सव्वेसि पढमं हवइ मंगलं ॥ અત્યારથી જીવનપર્યંત હું ચતુર્વિધ આહારને ત્યાગ કરું છું અને છેલ્લા શ્વાસોચ્છવાસે આ દેહને પણ હું તજું છું. આ પ્રમાણે દુષ્કર્મની નિંદા, સર્વ જીવેની ક્ષમાપના, શુભ ભાવના, ચાર શરણ, નમસ્કારનું સ્મરણ અને અનશન Page #206 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૮૫ એ થે પ્રકારની આરાધનાપૂર્વક સર્વ મમતા અને મેહને ત્યાગ કરી વીતરાગભાવ, અસંગભાવમાં સ્થિર થઈ સમાધિને સાધવા તત્પર થયે છું. सव्वे जीवा कम्म वस्स, चउदह राज भमंत । ते मे सव्व खमाविआ मुज्झवि तेह खमंत ॥ ચૌદ રાજલેકમાં કર્મવશ ભ્રમણ કરી રહેલા સર્વ જીને મેં ખમાવ્યા છે, મને પણ તે સર્વ ક્ષમજો. जं जं मणेण बद्धं ज जं वाएण भासि पावं । जं जं कारण कयं, मिच्छा मि दुक्कडं तस्स ॥ આ ભવમાં, પૂર્વે અનંતા ભવમાં, આજ દિન અક્ષણ પર્યત રાગદ્વેષ અને અજ્ઞાનવશે, જાણતાં અજાણતાં મેં જે જે પાપ મન વડે ઉપાર્યું હોય, જે જે વચન વડે બાંધ્યું હોય અને જે જે કાયા વડે કર્યું હોય તે સર્વ દુષ્કૃત, પાપ મિથ્યા થાઓ ! ક્ષમા થાઓ ! साम्यं मे सर्वभूतेषु वैरं मम न केनचित् । आशां सर्वां परित्यज्य समाधिमहमाश्रये ॥ –શ્રી નિયમસાર, સર્વ જી પ્રત્યે હું સમભાવ ઘારણ કરું છું. કેઈ સાથે મારે વેરભાવ નથી. સમસ્ત ઈચ્છાઓ, આશા તજીને હું સમાધિભાવને આશ્રય કરું છું. આત્મધ્યાનમાં લીન થાઉં છું. जय वीयराय जगगुरु होउ मम तुह पभावओ भयवं । भवनिवेओ मग्गाणुसारिआ इट्टफलसिद्धि ॥ लोगविरुद्धच्चाओ गुरुजणपूआ परथ्थकरण च । सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखंडा ॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ સમાધિ~સાધના वारिज्जइ जइवि नियाणबंधणं वीयराय तुह समए । तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह चलणाण || दुक्खक्खओ कम्मक्खओ समाहिमरणं च बोहिलाभोअ । संपज्जउ मह एअं तुह नाह पणामकरणं ॥ सर्व मंगल मांगल्यं सर्वकल्याणकारण । प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं ॥ હે શ્રીમદ્ વીતરાગ ! જગત્રયગુરુ ! તમે જયવંત વર્તો. હે ભગવન્ ! તમારા પ્રભાવથી મને સંસારથી નિવૈદ્ય, વિરક્તિ, માર્ગાનુસારીપણું (વીતરાગના માર્ગને અનુસરીને પ્રવર્તેવું તે), ઇફલની પ્રાપ્તિ, લાકવિરુદ્ધ કાર્યના ત્યાગ, ગુરુજનાની સેવા, પરાપકાર, સદ્ગુરુના યાગ, તેમનાં વચનેનું ભવપર્યંત અખંડ આરાધન એટલું હાો. ૧૮૬ જો કે નિયાણું (નિદાન) બાંધવું તે હું શ્રી વીતરાગ ! તમારા સિદ્ધાંતને વિષે નિષેધ્યું છે, તેા પણ મને આપનાં ચરણની સેવા ભવાભવ હજો. એટલું માગું છું શરીર અને મન સંબંધી સમસ્ત દુ:ખાના ક્ષય, જ્ઞાનાવરણાદિ આઠેય કર્મોના ક્ષય, સમાધિમરણ અને એષિબીજના લાભ એ ચારેય વસ્તુના લાભ, હે નાથ ! મને આપના ચરણમાં પ્રણામ કરવા વડે સંપ્રાપ્ત થાઓ ! સર્વ મંગલામાં માંગલિક, સર્વ કલ્યાણનું કારણ, સર્વ ધર્મમાં પ્રધાન એવું વીતરાગ શાસન સદા જયવંત વર્તા ! ૨. ક્ષમાપના હું ભગવાન ! હું બહુ ભૂલી ગયા, મેં તમારા અમૂલ્ય વચનાને લક્ષમાં લીધાં નહીં, મેં તમારાં કહેલાં અનુપમ Page #208 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના તત્ત્વના વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં યા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મૈં આળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યા, આથડ્યો, રઝળ્યા અને અનંત સંસારની વિટંખનામાં પડ્યો છું. હું પાપી છું; હું બહુ માન્મત્ત અને કર્મરજથી કરીને મિલન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારા મેાક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું; અજ્ઞાનથી અંધ થયે। છું; મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોના હું હુવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કાર મારા સ્વરૂપના પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી અને શૈલેાક્યપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહારાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ —શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૭ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ૩. પ્રશમરસનું પાન ( શ્રી ‘સમયસાર’માંથી ) સમાધિ-સાધના મનથી, વચનથી, કાયાથી કરવું કરાવવું અને અનુમેદવું એ ત્રિવિધ ત્રિવિધરૂપ અને વર્તમાન ભૂત ભવિષ્ય એ ત્રિકાળ સંબંધીનાં સર્વ કર્મોને છોડીને હું પરમ નિષ્કર્મતારૂપ જ્ઞાનચેતનાનું અવલંબન કરું છું. મેાહને વશ થઈને ભૂતકાળમાં મેં જે જે કર્મો કર્યોં તે સમસ્ત કર્મીનું પ્રતિક્રમણ કરીને ચૈતન્ય સ્વરૂપ નિષ્કર્મ આત્મામાં આત્માવર્ડ હું નિત્ય વસ્તું છું. પૂર્વે માઠુના વિલાસથી ઉત્પન્ન કરેલાં જે આ કર્મ વિકાસ પામીને વર્તમાનમાં ઉદયમાં આવે છે, તે સમસ્ત કર્મને આલેાચીને, ભિન્ન વિચારીને ચૈતન્ય સ્વરૂપ નિષ્કર્મ આત્મામાં આત્માવડે હું નિત્ય વસ્તું છું. એમ ભવિષ્ય સંબંધી સર્વ કર્મનું પ્રત્યાખ્યાન કરીને માહુ રહિત થયેલા એવા હું ચૈતન્યસ્વરૂપ નિષ્કર્મ આત્મામાં આત્માવડે નિત્ય વસ્તુ છું. આ પ્રમાણે ત્રણે કાળનાં સમસ્ત કર્મને આત્માથી ભિન્ન કરીને, ત્યાગીને શુદ્ધ નિશ્ચયનયનું અવલંબન લેનારા અને મેહુ જેના વિલય પામ્યા છે એવા હું વિકારાથી રહિત ચૈતન્ય માત્ર આત્માનું અવલંબન કરું છું. પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મરૂપી વિષવૃક્ષનાં ફળા મારા ભોગવ્યા સિવાય જ ગળી જાઓ અર્થાત્ પુણ્ય તથા પાપ બન્ને વિના ભાગવ્યે નાશ પામે. હું તે ચૈતન્ય સ્વરૂપ મારા આત્માને અચળપણે સમ્યક્ પ્રકારે ભાગવું છું. Page #210 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૮૯ પૂર્વે અજ્ઞાન ભાવથી ઉપાર્જન કરેલાં કર્મોરૂપી વિષવૃક્ષનાં ફળ ઉદય આવે છે, તેને જે ભેગવતા નથી, (પુણ્યપાપના ઉદયમાં રુચિ-અરુચિ કરતા નથી, હું ભેગવું છું એ ભાવ કરતા નથી, પરંતુ સ્વાનુભવથી તૃપ્ત રહે છે, તેઓ વર્તમાન કાળે (સંસારમાં સ્વર્ગાદિક સુખેથી) રમણીય અને ભાવિમાં પણ (મેક્ષરૂપ ફળને આપનાર હોવાથી) રમ્ય એવી કર્મભાવથી રહિત સ્વાધીન સુખરૂપ અન્ય દશાને પામે છે. કર્મથી અને કર્મના ફળથી અત્યંત વિરતિને નિરંતર ભાવીને અને એ રીતે સ્પષ્ટપણે સંપૂર્ણ અજ્ઞાન ચેતનાને પ્રલય કરીને તથા ચારે બાજુથી પિતાના રસને પ્રાપ્ત કરતા સ્વભાવને પૂર્ણ કરી પિતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા એવા જ્ઞાનીજને હવે પછી સર્વ કાળ માટે પ્રશમરસને પીએ ! આત્મશાંતિને અનુભવે ! પિતાની સર્વ શક્તિઓને પરમાં જતી રોકીને જેણે આત્મામાં લીન કરી છે, અંતર્મુખ કરી છે, એવા પૂર્ણ આત્માનું આત્મામાં જે સારી રીતે ધારણ થવું તે આ લેકમાં અશેષ ત્યાગ કરવા ગ્ય સર્વથા ત્યાગ કરાયું. અને અશેષ ગ્રહણ કરવા 5 સર્વથા ગ્રહણ કરાયું. શુદ્ધાત્માનાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેની એકતારૂપ આત્માનું તત્વ છે માટે મુમુક્ષુએ તે જ આત્મતત્ત્વરૂપ મોક્ષમાર્ગ સદાય સેવવા ગ્ય છે. અનાદિકાળથી સંસારમાં આ આત્મા પિતાની પ્રજ્ઞાના દેષથી પરદ્રવ્યને આધારે થતા રાગદ્વેષમાં વર્તે છે. ત્યાંથી એ જ પ્રજ્ઞાન ગુણ વડે આત્માને પાછા વાળી હવે હે ભવ્ય ! Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમાધિ-સાધના સદાને માટે દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં (આત્માને) નિશ્ચિતપણે સ્થાપન કર. તથા ચિત્તને પરભાવમાં જતું રેકીને અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ તે મેક્ષમાર્ગનું ધ્યાન કર. તથા કર્મચેતના અને કર્મફળરૂપ ચેતનાને સર્વથા ત્યાગ કરવા વડે શુદ્ધ જ્ઞાનચેતનાવાળો થઈને દર્શન જ્ઞાન ચારિત્રરૂપ તે મેક્ષમાર્ગને પરમ સમતારસભાવે અનુભવ કર. પ્રત્યેક ક્ષણે સ્વાભાવિકપણે વધતા તે સ્વાનુભવમાં તન્મય પરિણામવાળે થઈને દર્શનજ્ઞાનચારિત્રરૂપ તે મેક્ષમાર્ગમાં વિહાર કર. એ રીતે જ્ઞાનસ્વરૂપ એક મેક્ષમાર્ગનું જ અચળપણે અવલંબન કરતે યરૂપે ઉપાધિના કારણે થતાં એવાં જે ચારે બાજુથી દેડી આવતાં સર્વ પદ્રવ્યો તેમાં ગમન કરીશ નહીં. અર્થાત્ આત્માની પરિણતિને સ્વસ્વરૂપમાં જ જોડી રાખ. જ્ઞાનમાં ઝળકતા એવા પરદ્રવ્યોમાં બિલકુલ જવા દઈશ નહીં. જે આત્મા ભગવાન એક પૂર્ણ વિજ્ઞાનઘન પરબ્રહ્મમાં સર્વ પ્રયત્નથી સ્થિતિ કરશે તે આત્મા સાક્ષાત્ તક્ષણ વધતા ચૈતન્ય એક રસથી ભરપૂર સ્વભાવમાં સુસ્થિત નિરાકુળ પરિણતિ વડે પરમાનંદ શબ્દથી કહેવાતું ઉત્તમ અનાકુળ લક્ષણવાળું જે મોક્ષસુખ તે રૂપ પિતે થશે. ૪ પ્રશમરસનું પાન-૨ (શ્રી શાંતસુધારસભાવના તથા અધ્યાત્મક૯પમ આદિમાંથી) હે સાધક! તું શાંત રસનું પાન કર. એ શાંત સુધારસનું પાન કરવાથી પરબ્રહ્મતા અર્થાત્ પરમાત્મપણું પ્રાપ્ત થાય છે. એથી કેવળજ્ઞાન પ્રગટે છે, માટે જેમાં સાર Page #212 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૯૧ અસારને, કૃત્ય અકૃત્યને વિવેક કરેલ છે એવા શાંત સુધારસનું પાન કર એ અમૃતપાન કરી અમર થા. स्फुरति चेतसि भावनया विना न विदुषामपि शांतसुधारसः । न च सुखं कृशमप्यमुना विना વતિ કોવિજ્ઞાષાસુરે છે તત્વસ્વરૂપની યથાર્થ વિચારણા, ચિંતવના, ફરી ફરી તેની તે જ ભાવને ભાવ્યા વિના, વિદ્વાનોના ચિત્તમાં પણ શાંતરસરૂપી અમૃત પ્રગટ થતું નથી; અને મેહ તથા ખેદરૂપી ઝેરથી આકુળ આ આખા જગતને તે શાંત રસ વિના અલ્પ પણ સુખ સંભવતું નથી. यदि भवभ्रमखेदपराङ्मुखं _ यदि च चित्तमनंतसुखोन्मुखम् । श्रृणुत तत्सुधियः शुभभावना मृतरसं मम शांतसुधारसम् ॥ હે બુદ્ધિમાને! જો તમારું ચિત્ત સંસારમાં જન્મમરણનાં અનંત દુઃખ, ખેદથી પરામુખ થયું હોય અને અનંત અપાર શાશ્વત સત્ય આત્મિક સુખ પ્રાપ્ત કરવા ઈચ્છા હોય તે શુભ ભાવનાઓમાં ભરેલે અમૃત રસ તેનું પાન કરે, તેને શ્રવણ કરી શાંત થાઓ ! શાંત રસ સર્વ ધર્મશાસ્ત્રમાંથી મંથન કરીને શેાધી કાઢેલ “સાર છે. આ રસને ઉત્કૃષ્ટ કહ્યો છે કારણ કે આ શાંત રસ આ ભવ અને પરભવ સંબંધી અનંત આનંદ મેળવવાનું સાધન છે. લેકવ્યાપારથી રહિત શાંત આત્માને આ લેકમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સમાધિ-સાધના જે સુખ છે તે સુખ ચક્રવતીને અને ઇંદ્રને પણ નથી. શાંતરસ મેળવવામાં ધનને વ્યય કરે પડતું નથી, શરીરને શેકવું પડતું નથી, મનને ચિંતામાં નાખવું પડતું નથી, ધમાલ કરવી પડતી નથી. | સ્વર્ગસુખ પક્ષ છે અને મોક્ષસુખ તે તેથી પણ વધારે પક્ષ છે. પ્રથમ સુખ પ્રત્યક્ષ છે, વિના મૂલ્ય પ્રામ થાય છે અને તે પરવશ નથી. આ ભવ પરભવમાં આનંદનું સાધન શાંતરસ છે એટલું જ નહીં પણ અનંત આનંદ–મેક્ષસુખ તે પણ શાંત રસથી જ પ્રાપ્ય છે. | હે મોક્ષાર્થી ! તું સમતાને વિષે લીન ચિત્તવાળો થા ! સ્ત્રી, પુત્ર, ધન, ધામ ઉપર મમતા તજી દે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ ઇંદ્રિયના વિષયે અને કેધ, માન, માયા, લેભ એ કષાયને વશ થા નહીં ! શ્રુતજ્ઞાનરૂપ લગામ વડે તારા મનરૂપી અશ્વને તું વશ રાખ, સ્વાધીન રાખ. વૈરાગ્ય અને વિવેકે કરી શુદ્ધ નિષ્કલંક ઘર્મવાન થા ! દેવગુરુધર્મના શુદ્ધ સ્વરૂપને જાણનારે થા ! સર્વ પ્રકારના સાવદ્ય વેગથી નિવૃત્તિરૂપ વિરતિ ધારણ કર ! સંવરયુક્ત થા ! વૃત્તિઓને શુદ્ધ રાખ અને સમતાના રહસ્યને તું ભજ ! હે ચિત્તરૂપ બાળક! તું ભાવનારૂપ ઔષધિઓને જરા પણ દૂર કરીશ નહીં. તેથી દુર્યાનરૂપ ભૂત તને છેતરી શકશે નહીં. રાજા, ચકી અને દેવેન્દ્રોને સર્વ ઇંદ્રિના પદાર્થોથી જે સુખ થાય છે તે સમતાના સુખસમુદ્ર પાસે ખરેખર એક બિંદુ તુલ્ય છે, માટે સમતાને સુખને આદર. Page #214 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૯૩ न यस्य मित्रं न च कोऽपि शत्रु ના ઘરે વાર ન નાતે | न चेन्द्रियार्थेषु रमेत चेतः कषायमुक्तः परमः स योगी ॥ જેને કઈ મિત્ર નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કઈ પિતાને નથી તેમ કઈ પારકે નથી, જેનું મન કષાય રહિત થઈ વિષયમાં રમતું નથી તે પુરુષ મહાયોગી છે. હે પરમાર્થને જાણનાર ! નિરંતર અભ્યાસના વેગથી સમતાને આત્મા સાથે જોડી દે, જેથી કરીને ભવના ભયને ભેદવાવાળી મેલ સંપત્તિએ તને એકદમ હસ્તગત થઈ જાય. प्रणिहन्ति क्षणार्धन साम्यमालम्ब्य कर्म तत् । यन्न हन्यान्नरस्तीव्रतपसा जन्मकोटिभिः ॥ -શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જે કર્મો કરડે જન્મ સુધી તીવ્ર તપસ્યા કરવાથી પણ ક્ષય કરી શકાય નહીં તેને સમતાના અવલંબનથી એક ક્ષણમાત્રમાં નાશ થાય છે. હે આત્મન ! સર્વ પદાર્થો ઉપર સદા સમતા ભાવ લાવીને, અસંગપણું પ્રાપ્ત કર. હે વિદ્વન ! તું જાણું લેજે કે દુઃખનું મૂળ મમતા જ છે અને સુખનું મૂળ સમતા જ છે. ' તે જ ગુરુની પ્રયત્નથી સેવા કર, તે જ શાને અભ્યાસ કર અને હે આત્મન ! તે જ તત્ત્વનું ચિંતન કર કે જેનાથી તેને સમતારૂપ અમૃતને સ્વાદ આવે. આ સમતા અમૃતને રસ મોટા મોટા સમગ્ર શાસ્ત્ર સમુદ્રોમાંથી ઉદ્ધર્યો છે. હે પંડિતજને! તમે તે રસ પીઓ અને મોક્ષસુખની વાનગી અહીં પણ મેળવે. ૧૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમાધિ-સાધના હે ચેતન ! તું ઉદાર એવી ઉદાસીનતા સેવ, ઉદાસીનતા સેવ. જે તારે સસુખને અનુભવ લે હેય તે ઉદાસીનતા સેવ. સપુરુષના સમાગમનું ફળ એ ઉદાસીનતા છે. આગમને, સલ્ફાસ્ત્રને સાર એ ઉદાસીનતા છે, ઈચ્છિત ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન એ ઉદાસીનતા છે. એવી એ ઉદાસીનતા ઉચ્ચ-ઉદાર છે માટે તેનું સેવન કર. હે આત્મા ! જગતના સર્વ જીવે ઉપર મૈત્રી ભાવ ઘારણ કર, સર્વ ગુણવાન આત્માઓ પ્રતિ પ્રમેદ હર્ષ ભાવથી જે, સંસાર દુઃખથી પીડાતાં પ્રાણી ઉપર અનુકંપા રાખ અને નિર્ગુણ પ્રાણીઓ ઉપર ઉદાસીન માધ્યસ્થ ભાવ રાખ. ઉદાસીનતા એ અમૃત છે. સંત પુરુષે એ અમૃતને વારંવાર આસ્વાદ લે છે. એવા આનંદના ઉચ્ચ તરંગે વડે જીવનારાઓ આ સંસારમાં મુક્તિસુખને પામે છે. હે ચેતન! સર્વ ચેતન અચેતન પદાર્થોમાં રહેલા સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને શબ્દમાં તારું ચિત્ત સમતા પામે તે મેક્ષનું સુખ તારા હાથમાં આવી જશે. इह हि मधुरगीतं नृत्यमेतद्रसोऽयं स्फुरति परिमलोऽयं स्पर्श एष स्तनानाम् । इति हतपरमार्थं रिन्द्रियभ्राम्यमाणः _ स्वहितकरणधूतः पञ्चभिर्वञ्चितोऽस्मि ॥ આ મધુર રીતે ગવાયેલ ગાયન, આ નાચ, આ રસ, આ સુગંધી, આ સ્તનને સ્પર્શ, --આવી પરમાર્થને હણનારી Page #216 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૯૫ ઇંદ્રિય, જેઓ આત્માનું સ્વહિત સાધવામાં ઘૂર્ત છે, તે પાંચેથી, હું સંસારમાં પરિભ્રમણ કરું છું અને તેમાંથી ખરેખર છેતરાઉં છું. હે આત્મન ! તું તારા શત્રુ અને મિત્રને ઓળખતે નથી, તારું હિત કરનાર અને અહિત કરનાર શું છે તે જાણ નથી. વળી તું દુઃખ પર દ્વેષ કરે છે અને સુખ મેળવવાને ઈચ્છે છે પણ તેનાં કારણે નહીં જાણતે હેવાથી તે તે ઈચ્છિત વસ્તુ કેવી રીતે મેળવીશ? | સર્વ સંજ્ઞાવાળાં પ્રાણીઓ કામને જાણે છે, તેમાંથી કેટલાંક અર્થ (ધનપ્રાપ્તિ)ને જાણે છે, અને તેમાંથી પણ કેટલાંક જ ઘર્મને જાણે છે, તેમાંથી ચેડાં જ સર્વજ્ઞ ભાષિત શુદ્ધ દેવગુરુયુક્ત સદ્ધર્મને જાણે છે. તેમાં પણ શેડાં જ મેક્ષને કે મેક્ષનું અનન્ય કારણ એવી સમતા કે વીતરાગતાને જાણે છે-પરિણામે પ્રશમ રસરૂપ અમૃતનું પાન કરી પરમ કૃતાર્થ થાય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સાધના ૧. પિગીગમ્ય રહસ્ય एगोहं नत्थि मे कोइ नाहमण्णस्स कस्सइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ ॥ હું એક છું. મારું કેઈ નથી. હું અન્ય કેઈને નથી. એ પ્રમાણે અદીન મનવાળે થઈને હું પોતે પિતાને શિખામણ આપું છું. एगो मे सस्सदो अप्पा गाणदसणलक्खणो । सेसा मे बाहिराभावा सव्वे संजोगलक्खणा ॥ એક જ્ઞાનદર્શન લક્ષણવાળે શાશ્વત આત્મા એ જ મારે છે, બાકીના સર્વ સંગજન્ય વિનાશી પદાર્થો મારાથી ભિન્ન છે. संजोगमूला जीवेण पत्ता दुःखपरंपरा । तह्मा संजोगसंबंधं सव्वं तिविहेण वोसिरे ॥ આ જીવને પરદ્રવ્યના સંગથી દુઃખપરંપરા પ્રાપ્ત થઈ છે માટે મન વચન કાયાથી સર્વ સંગ સંબંધને હું તર્જુ છું मत्ति परिवज्जामि णिममत्तिमुवट्टिदो । आलंबणं च मे आदा अवसेसाई वोसिरे ॥ –શ્રી અષ્ટપાહુડ શરીરાદિ સર્વ પરમાંથી હું મમત્વને અત્યંત તજી દઉં છું અને નિર્મમતાને, અકિંચનભાવને ધારણ કરું છું. આત્મા જ એક મારું આલંબન છે, બાકી સર્વ પરને હું તજી દઉં છું. Page #218 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૧૯૭ अकिंचनोऽहमित्यास्व त्रैलोक्याधिपतिर्भवः । योगिगम्यं तव प्रोक्तं रहस्यं परमात्मनः ॥ –શ્રી આત્માનુશાસન હું અકિંચન, પરમાં મમતા રહિત છું, એમ અભ્યાસ કર. મારા આત્મા સિવાય અન્ય કોઈ પણ મારું નથી. હે આત્મન્ ! અનાદિની અન્યમાં પિતાપણાની માન્યતા તજી દઈ સ્વને વિષે સ્વપણાની બુદ્ધિરૂપ અકિંચનભાવને, આત્મભાવને ગ્રહણ કર. એ આત્મભાવનામાં તું નિરંતર નિમગ્ન રહે. એ આત્મભાવનામાં કે સ્વાનુભવ અમૃત સરોવરમાં નિરંતર નિમગ્ન રહેવાથી તે પરમ શાંત શીતળ સમાધિસ્થ થઈ શૈલેયને સ્વામી પરમાત્મા થઈશ. પરમાત્મપદ પ્રાપ્તિનું આ રહસ્ય, જે માત્ર ગીઓને જ ગમ્ય છે તે તેને સંક્ષેપમાં કહ્યું છે. “અકિંચનપણથી વિચરતાં એકાંત મૌનથી જિનસશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એ ક્યારે થઈશ ?” –શ્રીમદ્ રાજચંદ્ર अहमिको खलु सुद्धो दसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्म किचिवि अण्णं परमाणु मित्तंपि ॥ –શ્રી સમયસાર આત્માથી જ પ્રત્યક્ષ એવી ચૈતન્ય તિ માત્ર આત્મા તે હું છું. હું એક છું. સર્વ અશુદ્ધ પર્યાથી જુદે જ્ઞાનસ્વરૂપે અનુભવાતે હું સદા શુદ્ધ છું. ઉપગ લક્ષણે સનાતન સ્કુરિત એ જ્ઞાનદર્શનમય છું. સદા અરૂપી છું. તેથી ભિન્ન અન્ય કઈ પણ પરમાણુ માત્ર પણ મારું નથી. अहमिक्को खलु सुद्धो णिम्ममओ गाणदंसणसमग्गो । तमि छिओ तच्चित्तो सम्वे एए खयं णेमि ॥ –શ્રી સમયસાર Page #219 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના હું આત્મા એક છું. નિશ્ચયે શુદ્ધ છું. પરભાવા અને પરદ્રવ્યોના સ્વામી નહીં હાવાથી તેમાં મમતા રહિત છું. અને જ્ઞાનદર્શનરૂપ સહુજ આત્મસ્વભાવે સંપૂર્ણ છું. એ સહજાત્મસ્વરૂપના ધ્યાનમાં સ્થિત, એ જ ચૈતન્ય અનુભવમાં લીન થઈ આ સર્વે કર્મના, આસવાના ક્ષય કરું છું. एकोऽहं निर्ममः शुद्धो ज्ञानी योगीन्द्रगोचरः । बाह्या संयोगजा भावाः मत्तः सर्वेऽपि सर्वदा ॥ —શ્રી ઇટોપદેશ ચૈતન્ય સ્વરૂપ એવા હું આત્મા એક છું. પરમાં મમતા રહિત છું. દ્રવ્યકર્મ ભાવકર્મ રહિત શુદ્ધ છું. સ્વપર પ્રકાશક જ્ઞાનસ્વરૂપી પદાર્થ છું. યોગીન્દ્ર ભગવાનના અદ્રિય જ્ઞાને ગમ્ય છું. દ્રવ્યકર્મના સંયેાગે પ્રાપ્ત જે શરીરાદિ માહ્ય પદાર્થો છે તે સર્વે મારા સ્વરૂપથી સર્વદા ભિન્ન છે, પર છે. ૧૯૮ न मे मृत्युः कुतो भीतिः न मे व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धो वा न युवैतानि पुद्गले ॥ —શ્રી ઇષ્ટોપદેશ ચૈતન્ય શક્તિરૂપ ભાવ પ્રાણાના કદાપિ વિયેાગ નહીં થતા હેાવાથી મને મરણુ કદાપિ છે જ નહીં, તે પછી મને મરણાદિના ભય શાને ? તેમ જ મને, ચૈતન્યસ્વરૂપ શુદ્ધ આત્માને વ્યાધિ છે નહીં તે તેની પીડા શી ? તેમ હું બાળક નથી, વૃદ્ધે નથી, યુવાન નથી, એ સર્વ અવસ્થા પુર્દૂગલની છે. હું શુદ્ધ સહુજ આત્મસ્વરૂપ છું. તેથી તેને જ ભજું છું. તેમાં જ તન્મય એકાગ્ર લીન થાઉં છું. જે મહાત્માએ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર.” Page #220 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ ધેાતિસ્વરૂપ એવા આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ ! હું આર્યજના ! અંતમુ ખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહેા, તા અનંત અપાર આનંદ અનુભવશેા.’’ જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી સંબંધ નહાતા એવી અસંગ દશા ઉત્પન્ન સત્પુરુષોને નમસ્કાર.” પેાતાને કંઈ પણુ કરી તે ભગવાનરૂપ —શ્રીમદ્ રાજચંદ્ર जानाति यः स्वयं स्वस्मिन् स्वस्वरूपं गतभ्रमः । तदेव तस्य विज्ञानं तद्वृत्तं तच्च दर्शनम् ॥ – શ્રી જ્ઞાનાર્ણવ જે પુરુષ પાતામાં પાતા વડે પેાતાના નિજ રૂપને— સહજાત્મસ્વરૂપને—ભ્રાંતિરહિતપણે જાણે છે, અનાદિના ભ્રમને “આત્મબ્રાંતિને ટાળી દઈને, સ્વરૂપને જાણે છે તે જ તેને વિજ્ઞાન, વિશિષ્ટજ્ઞાન છે, તથા તે જ સભ્ય ચારિત્ર તથા સમ્યગ્દર્શન છે. स्वज्ञानादेव मुक्तिः स्याज्जन्मबन्धस्ततोऽन्यथा । एतदेव जिनोद्दिष्टं सर्वस्वं बन्धमोक्षयोः ॥ ૧૯૯ - —શ્રી જ્ઞાનાર્ણવ પેાતાને જાણવા અનુભવવારૂપ આત્મજ્ઞાનથી જ માક્ષ થાય છે અને એ આત્મજ્ઞાન વિના અન્ય પ્રકારથી સંસારના બંધ થાય છે. આ જ જિનેન્દ્ર ભગવાને કહેલું અંધમાક્ષનું સર્વસ્વ છે. आत्मैव मम विज्ञानं दृग्वृत्तं चेति निश्चयः । मत्तः सर्वेऽप्यमी भावाः बाह्या संयोगलक्षणाः ॥ —શ્રી જ્ઞાનાર્ણવ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમાધિ–સાધના મારે આત્મા જ વિજ્ઞાન છે. આત્મા જ દર્શન અને ચારિત્ર છે એ નિશ્ચય છે. એ સિવાય બીજા સર્વ પદાર્થ મારાથી બાહ્ય ભિન્નરૂપ સંગમાત્ર છે. એ અનુભવ કરવાથી રત્નત્રય અને આત્મામાં કંઈ પણ ભેદ રહેતું નથી. अयमात्मैव सिद्धात्मा स्वशक्त्याऽपेक्षया स्वयम् । व्यक्तीभवति सद्धयानवह्निनाऽत्यन्तसाधितः ॥ --શ્રી જ્ઞાનાર્ણવ આ આત્મા જ સ્વશક્તિ અપેક્ષાએ સંસાર અવસ્થામાં પણ સિદ્ધસ્વરૂપ છે. અને સધ્યાનરૂપી અગ્નિવડે અત્યંત સાધના કરવાથી વ્યક્તરૂપ પ્રગટપણે સિદ્ધ થાય છે, અર્થાત્ અષ્ટ કર્મને નાશ કરી પ્રગટ સિદ્ધ પરમાત્મા બને છે. एतदेव परं तत्त्वं ज्ञानमेतद्धि शाश्वतम् । अतोऽन्यो यः श्रुतस्कन्धः स तदर्थं प्रपञ्चितः ॥ –શ્રી જ્ઞાનાર્ણવ આ આત્મા જ પરમ તત્વ છે, અને એ જ શાશ્વત જ્ઞાન છે, તેથી દ્વાદશ અંગરૂપ સમસ્ત શ્રુતસ્કન શાસ્ત્ર રચના આ આત્માને જ જાણવા માટે વિસ્તૃત કરેલ છે. अपास्य कल्पनाजालं चिदानंदमये स्वयम् । यः स्वरूपे लयं प्राप्तः स स्याद्रत्नत्रयास्पदम् ॥ –શ્રી જ્ઞાનાર્ણવ જે પુરુષ કલ્પનાજાળને દૂર કરીને પિતાના ચૈતન્યરૂપ તથા આનંદમયસ્વરૂપ, સહજાત્મસ્વરૂપમાં લયને પામે તે જ નિશ્ચય રત્નત્રયનું ધામ બને છે. निःशेषक्लेशनिर्मुक्तममूतं परमाक्षरम् । निष्प्रपंचं व्यतीताक्षं पश्य स्वं स्वात्मति स्थितम् ॥ –શ્રી જ્ઞાનાવ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સમાધિ-સાધના હે આત્મન્ ! તું પિતાના સહજ શુદ્ધ આત્મામાં જ સ્થિત થઈને, પિતાને, સમસ્ત લેશેથી રહિત, અરૂપી, પરમ ઉત્કૃષ્ટ, અવિનાશી, વિકથી રહિત, અતીન્દ્રિય સ્વરૂપ દેખ, જે, અવેલેક; અંતર્મુખ થઈ અંતર્મગ્ન થા! ૨. “અહજાત્મસ્વરૂપ માં જ ત્રિકાળ વાસ | (શ્રી “ઉપદેશામૃતમાંથી) ૧. સનાતન ઉપગ એ મારે શાશ્વત ધર્મ મૂકીને હવે જોગને વિષે એટલે દેહને વિષે આત્મબુદ્ધિ નહીં કરું. અર્થાત જોગને એટલે દેહને સ્વસ્વરૂપ નહીં માનું. ૨. સદ્દગુરુએ અનંત દયા કરીને આપેલા “સહજાત્મસ્વરૂપ” ને મૂકીને ભ્રાંતિથી અછતી વસ્તુને એટલે પુદ્ગલાદિકને સાક્ષાત્ જેવી વસ્તુ કપીને એમાં હવે પછી ભરમાઈશ નહીં. અર્થાત્ તેવી ભ્રાંતિમાં પડીશ નહીં અને સહજાન્મસ્વરૂપ” માં જ ત્રિકાળ વાસ કરીને રહીશ. ૩. અનાદિ, અરૂપી અને અમૂર્તિક એવું જે મારું શાશ્વત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેને મૂકીને રૂપી અને મૂર્તિક એ જે દેહ તેને સ્વસ્વરૂપ નહીં માનું. ૪. શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને બાહ્ય વૃષ્ટિએ એટલે ચર્મચક્ષુ વડે ચામડાંને નહીં જોઉં. તે તે ચમારની વૃષ્ટિ ગણાય. જે ચમાર હોય તે જ ચામડાંને વિષે રંજન થાય. હું તે દિવ્ય નેત્રવાળે દેવ છું એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ, ગુરુગમે. ૫. ત્રણે કાળ એક સ્વરૂપે રહેનારું એવું જે સમતારૂપી શુદ્ધ ચૈતન્ય, જ્ઞાનમૂર્તિ તેને મૂકીને જડ-અજીવમાં નહીં Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમાધિ-સાધના પરિણમું અર્થાત્ અજીવને સ્વસ્વરૂપ નહીં માનું. જીવરાશિજ્ઞાનદર્શન મૂળ સ્વરૂપે જીવના જીવ તે જ મારું સહજ સ્વરૂપ છે એટલે એમાં જ ત્રિકાળ નિવાસ કરીને રહીશ. ૩. સહજાન્માન ભાવના नित्यानन्दमयं शुद्धं चित्स्वरूपं सनातनं । पश्यात्मनि परं ज्योतिरद्वितीयमनव्ययम् ।। -શ્રી જ્ઞાનાર્ણવ પિતાના આત્મામાં લીન થઈને પિતાના આત્માને એ જે કે હું નિત્ય આનંદમય છું, શુદ્ધ છું, ચૈતન્યસ્વરૂપ છું, સનાતન છું, અવિનાશી છું, પરમ તિ કેવળજ્ઞાન પ્રકાશસ્વરૂ૫ છું, અદ્વિતીય છું, અને અનવ્યય અર્થાત્ પર્યાય અપેક્ષાએ વ્યય સહિત છું. દ્રવ્યરૂપે અવ્યય શુદ્ધ સહજાન્મસ્વરૂપ છું. · स्वरूपदर्शनं प्रलाध्यं पररूपेक्षणं वृथा । एतावदेव विज्ञानं परंज्योतिःप्रकाशकम् । –શ્રી અધ્યાત્મસાર નિજ શુદ્ધ સહજાત્મસ્વરૂપનું દર્શન એ જ એક પ્રશંસવા ગ્ય સર્વોત્તમ કાર્ય છે. તે સિવાય અન્ય પર રૂપને જેવું તે વૃથા છે. પરંતિ , કેવળજ્ઞાનસ્વરૂપ નિજ સહજાભ. સ્વરૂપને પ્રગટ કરવા આટલું જ વિજ્ઞાન સમર્થ છે. “હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લેકાલેકને જાણશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે, માટે આત્માથી જુદા એવા બીજા ભાવે જાણવાની વારંવારની ઈચ્છાથી તે નિવર્તિ અને એક નિજ સ્વરૂપને વિષે Page #224 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૦૩ જ દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ એવાં સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે, એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ' ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यनिरर्थकम् ॥ —શ્રી અધ્યાત્મસાર આત્માને જાણ્યા તે પછી બીજું કંઇ જાણવા ચેાગ્ય બાકી રહેતું નથી. અને જો આત્માને જાણ્યા નથી તેા પછી ખીજું સર્વ જ્ઞાન નિરર્થક છે. ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् । ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ॥ —શ્રી અધ્યાત્મસાર બ્રહ્મરૂપ શુદ્ધ સહાત્મસ્વરૂપમાં નિવાસ કરી રહેલા બ્રહ્મજ્ઞાની તા બ્રહ્મને પામે, તેમાં શું આશ્ચર્ય ? પરંતુ બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ. ‘અહા ! સત્પુરુષનાં વચનામૃત !’ ध्येयोऽयं सेव्योऽयं कार्या भक्तिश्च कृतधियास्यैव । अस्मिन् गुरुत्वबुद्धघा सुतरः संसारसिन्धुरपि ॥ —શ્રી અધ્યાત્મસાર વિદ્વાન પુરુષે એનું (બ્રહ્મજ્ઞનું) ધ્યાન કરવા લાયક છે. એને જ સેવવા લાયક છે. અને એની જ ભક્તિ કરવા લાયક છે. તથા તેને વિષે ગુરુબુદ્ધિ રાખવાથી સંસારસાગર સુખેથી તરવા લાયક થાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમાધિ-સાધના सिद्धान्तोऽयमुदात्तचित्तचरितर्मोक्षाथिभिः सेव्यतां । शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम पर द्रव्यं समग्रा अपि । -શ્રી સમયસાર કળશ ઉજજ્વળ ચિત્તવાળા તથા ઉજજવળ ચારિત્રવાળા, મોક્ષાર્થીઓએ આ સિદ્ધાંત સેવવા યોગ્ય છે કે હું તે એક શુદ્ધ, કર્મ રહિત, ચૈતન્યસ્વરૂપ પરમ જ્યોતિમાત્ર સહજાત્મસ્વરૂપ સદાય છું. મારાથી ભિન્ન લક્ષણવાળાં આ નાના પ્રકારના ભાવે ઉદ્ભવે છે તે હું કે મારું સ્વરૂપ નથી, કારણકે તે સર્વ મારાથી ભિન્ન એવાં પરદ્રવ્ય છે. । एकश्चितश्चिन्मय एव भावो भावा परे ये किल ते परेषाम् । ग्राह्यस्ततश्चिन्मय एव भावो भावाः परे सर्वत एव हेयाः ।। --શ્રી સમયસાર - ચિન્મય-જ્ઞાનદર્શનમય ચેતના –એ એક જ ભાવ ચૈતન્ય પિતાને છે, તે સિવાય જે બીજા ભાવે છે તે પરના, પુદ્ગલના છે. તેથી એક ચિન્મય ભાવ આત્મભાવ જ ગ્રહણ કરવા યેાગ્ય છે, તે સિવાયના બીજા ભાવે સર્વથા ત્યાગવા લાગ્યા છે. मा मुमह मा रज्जह मा दूसह इट्टणि?अ→सु । थिरमिच्छहि जइ चित्तं विचित्तझाणप्पसिद्धीए । –શ્રી દ્રવ્યસંગ્રહ જે તમે નાના પ્રકારના ચિત્તલયરૂપ ધ્યાનની પ્રસિદ્ધિ માટે ચિત્તની સ્થિરતા કરવા ઈચ્છતા હે તે ઈષ્ટ કે અનિષ્ટ પદાર્થોમાં મેહ કરે મા, રાગ કરે મા, કે દ્વેષ કરે મા. Page #226 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૦૫ सम्यग्दृष्टर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या । यस्मात् ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात् सर्वतो रागयोगात् ॥ –શ્રી સમયસાર સમ્યગદૃષ્ટિની અંદર નિયમથી આત્મજ્ઞાન અને વૈરાગ્યની શક્તિ ઉત્પન્ન થાય છે. તે પિતાના સ્વરૂપની પ્રાપ્તિ અને પરસ્વરૂપની મુક્તિવડે પિતાના વસ્તુસ્વભાવના અનુભવને પ્રેમી થઈ જાય છે, કેમકે તેમણે તત્વષ્ટિથી આત્મા અને અનાત્માને ભિન્ન ભિન્ન જાણી લીધા છે. એટલા માટે તે સર્વ રાગનાં કારણેમાંથી વિરક્ત થઈને પિતાના આત્માના સ્વભાવમાં વિરામ કરે છે. નિરંતર આત્મરમણતામાં જ નિમગ્ન રહે છે. ૪. સહજાભદર્શન ભાવના (૨) (શ્રી “ભરતેશવૈભવમાંથી) સંસાર દુઃખમય છે. સિદ્ધકમાં સુખ છે. તે તે અવિનાશી સુખ પ્રાપ્ત કરવાને ઉપાય શું? કર્મની જાળને જે નાશ કરે છે તે સર્વ સિદ્ધના જેવા સુખી થાય છે. કર્મનાશ કરવાને ઉપાય શું? ગુરુભક્તિ, જિનેન્દ્રભક્તિ, સિદ્ધભક્તિ આદિ સ&િયાઓથી કર્મને નાશ કરી શકાય છે. વિચાર કરતાં એ ગુરુભક્તિ, જિનેન્દ્રભક્તિ કે સિદ્ધભક્તિ ભેદ અને અભેદ એ બે પ્રકારની છે. પિતાની સામે ભગવાનની પ્રતિકૃતિને રાખીને Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમાધિ-સાધના ઉપાસના કરવી તે ભેદભક્તિ છે. પિતાના આત્મામાં જ તેમને વિરાજમાન કરીને ઉપાસના કરવી તે અભેદભક્તિ છે. પહેલા તે ભેદભક્તિના જ અભ્યાસની જરૂર છે. ભેદભક્તિને બરાબર અભ્યાસ થયા પછી અભેદભક્તિને અભ્યાસ કરે તે કર્મને નાશ થઈ શકે છે. કર્મને નાશ કરવા માટે અભેદભક્તિપૂર્વક આરાધનાની જ પરમ આવશ્યકતા છે. - જેવી રીતે તમે સામે ભગવાનને રાખીને તેમની ઉપસના કરે છે તેવી જ રીતે તનુવાતમાં જે પિતાના આત્માને રાખીને ઉપાસના કરે છે તે અભેદભક્તિ છે. આ આત્મા વર્તમાન શરીરપ્રમાણ છે. શરીરમાં રહેવા છતાં શરીરથી જુદો છે, પુરુષાકાર છે, ચિન્મય છે. એ જાણીને દેખે તે તેનાં દર્શન થાય છે. એક સ્ફટિકની શુદ્ધ પ્રતિમા જેવી રીતે ધૂળના ઢગલામાં રાખવાથી મેલી દેખાય છે, તેવી રીતે આ દેહરૂપી ધૂળના ઢગલામાં આ નિર્મળ આત્મા ઢંકાયેલું છે. આવી રીતે જાણીને તેને જેવાને જે પ્રયત્ન કરે છે તે અંદર દેખાય છે. સ્ફટિકની પ્રતિમા તે ચર્મચક્ષુથી દેખી શકાય છે, હાથથી સ્પશી શકાય છે, પરંતુ આ તે કેઈ વિલક્ષણ મૂર્તિ છે. તેને ન તે ચર્મચક્ષુથી જોઈ શકાય છે, કે ન તે હાથથી સ્પશી શકાય છે. તેને તે આકાશના રૂપમાં બનાવેલી સ્ફટિકની મૂર્તિ સમજે. તેને જ્ઞાનચક્ષુથી જ દેખવી પડશે. સંસારને લેભ બહુ ખરાબ છે. પરપદાર્થોને મેહે આ આત્માને તે અભેદભક્તિથી વ્યુત કર્યો છે. માટે સૌથી પ્રથમ Page #228 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૦૭ આશાપાશને તોડે. આશાઓને કેમ કરીને એકાંત વાસમાં જઈ આંખ મીંચી તેનું ચિંતવન કરે, તે તે અવસ્થામાં તે અત્યંત નિર્મળરૂપ બનીને જ્ઞાનમાં અવતરિત દેખાય છે. તેને જોવાનો પ્રયત્ન કરે તે પણ તે એક દિવસમાં જોઈ શકાતું નથી. અભ્યાસ કરતાં કરતાં કેમે કરી તેનાં દર્શન થાય છે. પરંતુ એટલું અવશ્ય છે કે એકાદ દિવસમાં તે ન દેખાય તેપણ આળસ નહીં કરતાં બરાબર પ્રયત્ન કરવું જોઈએ, અધ્યાત્મને અભ્યાસ કરે જોઈએ. આ પ્રકારની અભેદભક્તિથી કર્મોને નાશ થાય છે, મુક્તિની પ્રાપ્તિ થાય છે. સર્વ ધર્મોમાં આ જ ઉત્કૃષ્ટ ધર્મ છે. સજજન એને સ્વીકાર કરે છે. જેનું ભાવી ખરાબ છે એવા અભવ્ય એને સ્વીકાર કરતા નથી. જ્ઞાનરૂપી શરીરને ધારણ કરી પૌગલિક શરીરભારથી રહિત થઈ પિતાના સ્વાધીન સહજ આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે મુક્તિ છે. આત્મામાં વિકાર ઉત્પન્ન કરાવનાર ઇંદ્રિયને રેકીને, શ્વાસના વેગને મંદ કરીને, મનને સંયમિત કરીને, ચારે તરફ દેખનાર આંખને મીંચીને સુજ્ઞાન નેત્રથી દેખવાથી આ આત્મા પ્રત્યક્ષ થાય છે આ આત્મા પિતે પિતાને જેવા મંડી પડે તે શરીરને નાશ થાય છે. બીજા કેઈ હજારે ઉપાયે તે શરીરના નાશ માટે કરાય તે પણ તે નિરર્થક છે. પિતાથી ભિન્ન એવાં કર્મોને નાશ કરી આત્મા પોતે જ મુક્તિ સામ્રાજ્યને પામે છે. ભગવાનની પ્રતિમાને જોતાં હું પણ આવે જ છું, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સમાધિ-સાધના મારું સ્વરૂપ પણ આવું જ શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે,” એમ સમજમાં લાવી આંખ મીંચી ધ્યાન કરે તે આત્મા ઉજજવળ ચાંદનીની પૂતળી સમાન સવાંગમાં દેખાય છે. આત્માનું જે સમયે દર્શન થાય છે તે સમયે કર્મ ઝરવા લાગે છે, સુજ્ઞાન અને સુખને પ્રકાશ વધવા લાગે છે, આત્માના અનંત ગુણને વિકાસ થવા લાગે છે. આત્માનુભવીને મહિમા કેણ વર્ણવી શકે? ધ્યાનરૂપી અગ્નિવડે તેજસ અને કાર્માણ શરીરને ભસ્મ કરી દઈ આત્મસિદ્ધિને પ્રાપ્ત કરવી જોઈએ. ' હે મુમુક્ષુ ! આ ભ્રમજાળરૂપ સંસારથી બચવાની તારી ઈચ્છા હોય તે એ ભ્રમજાળરૂપ સંસારને દેખવા જોવા માટે તું જન્માંધવત્ બની જાય અને તારે સ્વાનુભવગમ્ય સમગ્ર જ્ઞાનમયી આત્મભાવ-સહજ આત્મસ્વરૂપ તેને દેખવા જેવા માટે તું સહસ સૂર્યવત્ અચળ થઈ જા. દેહમાં સ્થિત શુદ્ધાત્માને જે દેખે છે એના હાથમાં કૈવલ્ય છે. એ સંયમી સાહસી છે, વીર છે. કર્મોને મૂળથી નાશ કર્યા વિના એ રહેતા નથી, એમ વિશ્વાસ કરે. પરમાત્માનું દર્શન કરે. ધ્યાનરૂપી અગ્નિથી કાળ અને કર્મને ભસ્મ કરે ત્રણ દેહના ભારને દૂર કરી મુક્તિને પ્રાપ્ત કરે. - કાષ્ટને જોરથી પરસ્પર ઘસવાથી જેમ અગ્નિ ઉસન્ન થાય છે તેમ “શરીર ભિન્ન છે, હું આત્મા ભિન્ન છું એમ સમજીને ભેદવિજ્ઞાનને અભ્યાસ કરે તે આત્માનું પરિજ્ઞાન થાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૦૯ આ આત્મા પાણીથી ભીંજાય તેમ નથી, અગ્નિથી બળે તેમ નથી, તેમ તીણ તરવારથી તે છેદાય તેમ નથી. પાણી, અગ્નિ, આયુધ, રેગ વગેરેથી શરીરને બાધા થાય છે પરંતુ આત્માને નહીં. આત્મા શરીરમાં આકાશના રૂપમાં પુરુષાકાર થઈને રહે છે. આ શરીર નાશશીલ છે. આત્મા અવિનાશી છે. શરીર જડસ્વરૂપ છે. આત્મા ચેતનસ્વરૂપ છે. શરીર ભૂમિ સમાન છે. આત્મા આકાશ સમાન છે. આ પ્રમાણે શરીર અને આત્મા પરસ્પર વિરુદ્ધ પદાર્થ છે. આ શરીર કારાગ્રહવાસ છે. આયુષ્ય હાથકડી (બેડી) છે. જન્મ જરા મરણ અનેક બાધાઓ ત્યાં થનાર કષ્ટ છે. પિતાના મહત્વપૂર્ણ સ્વરૂપને નહીં સમજવાથી આ આત્મા વ્યર્થ જ આ શરીરમાં કષ્ટ પામી રહ્યો છે. એ દુઃખની વાત છે. આ આત્મા ત્રણ લેક સમાન વિશાળ છે. અને ત્રણ લેકને પોતાના હાથથી ઉઠાવવાને સમર્થ છે, પરંતુ કર્મવશ થઈને બીજમાં છુપાયેલા વૃક્ષની સમાન આ જડ દેહમાં છુપાઈ રહ્યો છે, એ આશ્ચર્ય છે. ત્રણ લેકની અંદર અને બહાર એ જાણે છે તથા દેખે છે અને કરેડ સૂર્ય કે ચંદ્ર સમાન ઉજજ્વળ પ્રકાશથી યુક્ત છે. પરંતુ ખેદ છે કે વાદળાંથી ઢંકાયેલા સૂર્ય સમાન એ કર્મથી ઢંકાઈ ગયો છે. આ આત્મા શરીરમાં રહે છે છતાં એને કે શરીર નથી. એને જે કંઈ શરીર હોય તે તે જ્ઞાનરૂપી શરીર ૧૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સમાધિ-સાધના છે. શરીરમાં રહેવા છતાં તે શરીરને સ્પર્શ કરતું નથી. પરંતુ શરીરમાં સર્વાગ તે વ્યાપ્ત છે. આત્મા જિનેન્દ્ર કે સિદ્ધ સમાન શુદ્ધ છે. એ પ્રમાણે પ્રતિદિન પિતાના આત્માનું ધ્યાન કરવું. એ જિન સિદ્ધ ભક્તિ છે તથા નિશ્ચય રત્નત્રય છે અને મેક્ષને માટે સાક્ષાત્ કારણ છે. અચળ થઈને પિતાના આત્માને જ જિન સમજે. તે અભેદ ભક્તિ છે. કઈ કઈ પવનાભ્યાસ (પ્રાણાયામ) વિના ધ્યાનને હસ્તગત કરી લે છે અને કેઈ એ વાયુને પિતાને વશ કરીને આત્મધ્યાન કરે છે. જ્યારે આ ધ્યાનની સિદ્ધિ થાય છે ત્યારે તેજસ કાર્મણ શરીર ઝરવા માંડે છે અને ચર્મનું આ શરીર પણ નષ્ટ થવા માંડે છે. પછી આ નિર્મળ આત્મા મુક્તિને પામે છે. જેવી રીતે સૂર્ય વાદળોની વચમાં રહેવા છતાં પણ સ્વયં અત્યંત ઉજજવળ રહે છે તેવી જ રીતે કર્મોની વચમાં રહેવા છતાં પણ આ આત્મા નિર્મળ છે. આ પ્રમાણે આત્માનું સ્વરૂપ સમજીને નિત્ય તેનું ધ્યાન કરે તે કર્મને નાશ થઈ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આત્માને શુદ્ધસ્વરૂપી જાણીને ધ્યાન કરવાથી આ આત્મા કર્મ દૂર કરીને શુદ્ધ થાય છે. આત્માને સિદ્ધ સ્વરૂપમાં દેખવાવાળા સ્વતઃ સિદ્ધ થાય છે, એમાં આશ્ચર્ય શું છે? સ્ત્રી આદિકમાં શું સુખ છે? એક ટીપા જેટલા સુખ માટે પર્વત સમાન દુઃખને ભાર ભેગવવા આ મનુષ્ય તૈયાર થાય છે, એ આશ્ચર્ય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૧૧ જે દુઃખના કારણરૂપ આ પાંચે ઈદ્રિયના વિષયને ત્યાગ કરે તે સુખ પર્વત જેટલું થઈ જાય છે અને સંસારસાગર ટીપા જેટલે અલ્પ થઈ જાય છે. આ આત્માને ધ્યાનમાં મગ્ન થઈને પ્રતિદિન જે. જોઈએ. જ્યારે ધ્યાન ન બને કે ચિત્ત ચંચળ થાય ત્યારે પહેલાં ધ્યાન સમયમાં જે આત્માનાં દર્શન કર્યા છે તેનું સ્મરણ કરતાં મૌનથી રહેવું જોઈએ. શરીરને નગ્ન કરવું એ દેહ નિર્વાણ છે. શરીરની અંદર સ્થિત આત્માને શરીરરૂપી કેથળાથી અલગ કરીને દેખ તે આત્મનિર્વાણ છે. જ્યાં સુધી આ આત્માને બદ્ધરૂપે જુએ છે ત્યાં સુધી આ આત્મા બદ્ધ જ છે. જ્યારથી એ આત્માને શુદ્ધ રૂપમાં જેવા માંડે છે ત્યારથી તે મેક્ષમાર્ગને પથિક છે. પિતાના આત્માને અલ્પ સમજનાર પિતે અલ્પ છે. પિતાના આત્માને શ્રેષ્ઠ સમજીને આદર કરનાર અલ્પ નથી. તે જ્ઞાની સમાન લેકપૂજિત છે એ શ્રદ્ધા કરે. વાયુવેગે જનાર આ ચિત્તને આત્મમાર્ગમાં સ્થિર કરવું, એ ઘેર તપશ્ચર્યા છે, ઉગ્ર તપશ્ચર્યા છે, શ્રેષ્ઠ તપશ્ચર્યા છે વિવેકયુક્ત થઈ, ચિત્તને દબાવીને આત્મસાક્ષીથી અંદર જેવું. અંતર્મુખવૃત્તિ કરવી. આત્મા છે. એ જ મેક્ષ પદ્ધતિ છે. એ જ મેક્ષ સંપત્તિ છે. વિશેષ શું? એ જ મેક્ષ છે. એમ વિશ્વાસ કરે. હે ભવ્ય! સમસ્ત તોમાં આ આત્મતત્ત્વ પ્રધાન છે. તેનાં દર્શન થતાં અન્ય વિકલ્પ હૃદયમાં ઉત્પન્ન થતા નથી. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમાધિ-સાધના તમે પિતાથી પિતાને જુઓ. આકાશ સમાન આત્મા છે. ભૂમિ સમાન શરીર છે. આકાશ ભૂમિની અંદર ઢંકાઈ ગયું છે. કેવું આ આશ્ચર્ય છે? આમ વિચાર કરવાથી આત્મદર્શન થાય છે. ચંચળ ચિત્તને રોકીને, બંને આંખ મીંચીને, નિર્મળ ભાવવૃષ્ટિથી વારંવાર જેવાથી દેહની અંદર એ પરમાત્મા સ્વચ્છ પ્રકાશની સમાન દેખાય છે. બેઠાં બેઠાં ધ્યાન કરવાથી શરીરમાં બેઠેલી સ્વચ્છ પ્રતિમા સમાન આત્મા દેખાય છે. સૂતાં સૂતાં ધ્યાન કરવાથી સૂતેલી પ્રતિમા સમાન અને ઊભા ઊભા ધ્યાન કરવાથી ઊભેલી પ્રતિમા સમાન આત્મા દેખાય છે. પહેલાં બેસીને કે ઊભા રહીને ધ્યાનને અભ્યાસ કરે જોઈએ. અભ્યાસ થયા પછી બેસે, ઊભા રહે કે સૂએ, એ આત્મદર્શન થશે જ. શરીર ગમે તેમ ભલે રહે, પરંતુ આત્મામાં લીન થવું જોઈએ, તે તે દેદીપ્યમાન આત્મા નિકટભવ્યોને દેખવામાં આવે છે. મારા પિતાના આત્માથી અધિક મારે બીજે કઈ પદાર્થ નથી. “આત્માથી સૌ હીન !” એમ જ્યારે વૃઢ થઈને આ ભવ્ય આત્મામાં મગ્ન થાય છે ત્યારે સાત પ્રકૃતિઓને અભાવ થાય છે. તે સમયે લાયક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે ધ્યાનમાં એકાગ્રતાથી ક્રમે સર્વ કર્મ ક્ષય કરી આત્મા પરમાત્મા બને છે. આત્મગનું વચન દ્વારા વર્ણન કેમ કરી શકાય? કારણ વચન તે જડ છે, જ્યારે આત્મા તે જ્ઞાનરૂપી છે. માટે જે આત્માથી આત્માને જાણે છે, અનુભવે છે તેને આત્મસિદ્ધિ થાય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૧૩ મસ્તકથી માંડીને પગ સુધી નિર્મળ જ્ઞાન પુરુષાકારે ભરેલું રહ્યું છે, જે ઉજજ્વળ કાંતિને વધારી રહ્યું છે, એ ધ્યાનની મહત્તા ભરત યોગીન્દ્ર જેવા મહાપુરુષે જ જાણી શકે છે. શાસ્ત્રોમાં આત્મગુણેનું વર્ણન છે, તેમ જ આત્માથી આત્માને આત્મામાં સ્થિર કરવાના ઉપાય પણ બતાવ્યા છે. પરંતુ એ આત્મા વચનાતીત છે તેથી વચનથી તેને સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. અનુભવથી જ એનાં દર્શન કરવા જોઈએ. જેમ છાણામાં અગ્નિને એક તણખે મૂક્યો હોય તે અગ્નિના ભડકા બળતા દેખાતા નથી છતાં અગ્નિ વધતે જ જાય છે અને છેવટે સર્વ છાણુને બાળીને ભસ્મ કરે છે, તેમ જ્ઞાની ગુરુ સમ્યજ્ઞાનરૂપી અગ્નિને તણખ આપે છે. તેથી શિષ્યમાં ધીમે ધીમે તે જ્ઞાનરૂપ અગ્નિ વધતે જઈ છેવટે સર્વ કર્મ બળી ભસ્મીભૂત થાય છે. ૫. સમાધિમરણ (ધર્મામૃતમાંથી) देहाहारेहितत्यागात् ध्यानशुद्धयात्मशोधनम् । यो जीवितांते संप्रीतः साधयत्येष साधकः ।। ધ્યાનથી ઉસન્ન થયેલા હર્ષથી અંગેઅંગમાં હર્ષિત થયેલે મુમુક્ષુ શરીર ઉપરથી મમત્વ છોડી દેવાથી, ચારે પ્રકારના આહારને ત્યાગ કરવાથી, અને મન વચન કાયાના વ્યાપારને પરિત્યાગ કરવાથી, આર્ત અને રૌદ્ધ ધ્યાન રહિત એકાગ્રચિતનિધિરૂપ ધ્યાનથી ઉન્ન થયેલી શુદ્ધતા અથવા Page #235 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના નિર્વિકલ્પ સમાઘિ દ્વારા, પ્રાણના નાશ થતી વખતે પેાતાના આત્માને, અંતઃકરણને શુદ્ધ કરે છે અર્થાત્ રાગદ્વેષ અને અજ્ઞાનના ત્યાગ કરીને રત્નત્રયને ધારણ કરે છે તેને સાધક કહેવાય છે. ૨૧૪ જેને મુનિ થવાની સામગ્રી ન મળી શકે તેણે શ્રાવક થઈને મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થવું જોઇએ પરંતુ જેને મુનિ થવાની પૂર્ણ સામગ્રી પ્રાસ હાય તેણે મુનિ થવું જ શ્રેષ્ઠ છે. જે પુરુષ ઇષ્ટવિયેાગ, શત્રુથી પરાજય કે તત્ત્વજ્ઞાન આફ્રિ કોઈ પણ કારણથી સ્પર્શ–રસના અનુભવરૂપ કામથી તથા ઘ્રાણુ, ચક્ષુ, અને કર્ણે ઇંદ્રિયાથી અનુભવ કરવા ચેાગ્ય ભાગેાથી વિરક્ત થયા છે; તથા જે પરિષદ્ધ અને ઉપસર્ગાને સહન કરવાને સદા તૈયાર રહે છે, તેવા ધીર પુરુષ ખાહ્ય અને અત્યંતર પરિગ્રહને છોડીને જિનમુદ્રા ( દિગંબર મુનિપણા ) ને ધારણ કરે છે. જે પુરુષ અનાદિ મિથ્યાદ્રષ્ટિ છે તે પણ નિગ્રંથ (મુનિ) લિંગ ધારણ કરીને, સમતા, મધ્યસ્થતા, વીતરાગતા ધારણ કરીને પેાતાના આત્માનું ધ્યાન કરતાં અંતર્મુહૂર્તમાં જ દ્રવ્યકર્મ અને ભાવકર્મ બંનેથી મુક્ત થઈને સ્વયંમુક્ત થઈ જાય છે. રત્નત્રયની સાધનામાં કારણ હાવાથી, વિદ્વાનાએ કેટલાક કાળ ટકનાર શરીરને રત્નત્રયની સિદ્ધિના ઉપાય સમજીને તેના નાશ કરવા ન જોઈએ, પરંતુ નાશ થતા શરીરની રક્ષા ચેાગીન્દ્ર, દેવેન્દ્ર, કે દાનવેન્દ્ર આદિ કાઈ પણ કરી શકનાર નથી, તે નાશ જ પામનાર છે, એમ જાણીને નષ્ટ થતા શરીરના શેક પણ કરવા ચેાગ્ય નથી. આ સંસારમાં શરીરનું Page #236 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૧૫ છૂટી જવું કઠિન નથી પરંતુ ચારિત્રનું ધારણ કરવું, આત્મભાવમાં સ્થિરતા કરવી એ કઠણ છે એમ જાણું શરીરની ચિંતા તજી આત્મભાવમાં જ સ્થિર થવું. कायः स्वस्थोऽनुवर्त्यः स्यात् प्रतीकार्यश्च रोगतः । उपकारं विपर्यस्यंस्त्याज्यः सद्भिः खलो यथा ॥ જ્યાં સુધી આ શરીર સ્વસ્થ હોય ત્યાં સુધી, આ શરીરમાં કેઈ પ્રકારને વિકાર ન થાય ત્યાં સુધી, પથ્ય આહાર વિહાર આદિથી તેને સ્વસ્થ જ રાખવું જોઈએ. તથા તેમાં કઈ પ્રકારને રેગ થાય તે 5 ઔષધિ આદિ વડે રેગને ઈલાજ કરે જઈએ; પરંતુ જ્યારે આ દેહ સ્વાસ્ય અને આરોગ્યને માટે કરેલા ઉપકારનું વિપરીત ફળ દેવા માંડે, અધર્મ કરવા માંડે, તેમાં રેગ થવા માંડે અથવા રેગ વધવા માંડે તે દુષ્ટ પુરુષના જે તેને ગણીને તેને ત્યાગ કરી દેવું જોઈએ. જેને નાશ થવાને ચોક્કસ છે એવા શરીરને માટે ઈચ્છિત ફળને આપનાર ઘર્મને વિઘાત નહીં કર જોઈએ. જે શરીર નાશ પામી જશે તે તે ફરી બીજું અવશ્ય મળશે, પરંતુ સમાધિમરણરૂપ ધર્મ ફરી મળ અત્યંત દુર્લભ છે. સેંકડે પ્રયત્ન કરવાથી પણ મળે તેમ નથી. ન માટે કેવળ શરીરને માટે, પ્રાપ્ત થયેલ સમાધિમરણરૂપ ધર્મને ઘાત કદાપિ કર્તવ્ય નથી. સમાધિમરણ કરવાવાળે સાધક કષાને આવેશ હેવાથી આપઘાત કરે છે એમ નથી; તે તે કેવળ નાશ પામતા શરીરને વિધિપૂર્વક છેડી દઈ ધર્મની રક્ષા કરે છે. માટે તેને આત્મઘાતને દોષ લાગતું નથી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સમાધિ માધના મૃત્યુ અતિ સમીપ આવેલું જણાય ત્યારે સંન્યાસ મરણ ધારણ કરવું જોઈએ. તેથી કરીને પહેલાં કરેલી સર્વ ધર્મકરણ સફળ થાય છે. પિતાનું મરણ હવે અવશ્ય થવાનું છે, એ નિશ્ચય થઈ ગયા પછી જે સાધક નિશ્ચય આરાધનાના ચિંતવનમાં મગ્ન થઈ જાય છે તેને પછી મેક્ષપદ દૂર રહેતું નથી. અર્થાત છેડા ભવમાં જ મેક્ષની પ્રાપ્તિ થાય છે. કેઈ અકસ્માત કારણથી એકદમ દેહ છૂટી જવાને પ્રસંગ પ્રાપ્ત થાય તે મુમુક્ષુ સાધકે વિચાર રહિત સંન્યાસ ધારણ કરવું જોઈએ, અર્થાત્ તીર્થસ્થાન કે જિનાલયમાં જવાની તથા સંન્યાસની સર્વ વિધિ કરવાની સર્વ ચિંતા છોડીને કેવળ સર્વ આહારને ત્યાગ કરીને સર્વકાલિક સંન્યાસ ધારણ કરે. કેવળ પિતાના શુદ્ધ આત્માના ધ્યાનમાં લીન થઈ જવું. સમયાનુસાર આયુ કર્મ પૂર્ણ થતાં શરીર બીજા કેઈ અકસ્માત્ કારણ વિના સહેજે છૂટી જવા જેવું લાગે ત્યારે આ મહા ધીરવીર સાધકે સંલેખના વિધિ કરવી, સંન્યાસ ધારણ કરે. जन्ममृत्युजरातंकाः कायस्यैव न जातु मे । न च कोपि भवत्येष ममेत्यंगेस्त निर्ममः ॥ શરીર ઉપરથી મમત્વ ત્યાગવા ભાવના કરવી કે જન્મ, મરણ, જરા, રેગ એ સર્વ શરીરને છે, પુદ્ગલરૂપ હેવાથી પુદ્ગલમય કાયાનાં જ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આ મારા આત્માનાં એ કદાપિ નથી. મારા શુદ્ધ ચિદાનંદસ્વરૂપ આત્માને Page #238 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૧૭ આ શરીર કાંઈ પણ ભલું બુરું કરી શકનાર નથી. તેથી તે હેય તે મને કંઈ ઉપકાર, અને તે જાય તે મને કંઈ અપકાર થવાને નથી માટે આ શરીર મારું છે એ સંકલ્પ, એ મમત્વને હું છોડી દઉં છું. શરીરને બળવાન કરવું, વધારવું, તેજસ્વી કરવું એ આહાર લેવાનું ફળ છે. તથા ઘર્મસાધનપૂર્વક આત્મકાર્ય કરવું તે શરીરથી સાધવા ગ્ય સ્વાર્થ છે. આહાર લેતાં છતાં જ્યારે શરીર જર્જરિત થઈ જાય અને તેનાથી કઈ પ્રકારનું ધર્મસાધન ન થઈ શકે ત્યારે તેવા સમયમાં આહારને ત્યાગ કરે જ ઉચિત છે. માટે વિધિપૂર્વક સમાધિમરણને ઉદ્યોગ કરે જોઈએ. સાધકે ઉપવાસાદિ બાહ્ય તપ દ્વારા શરીરને કૃશ કરીને તથા શ્રુતજ્ઞાનરૂપી અમૃત વડે, કેદાદિ કષાયને કૃશ કરીને સંઘની સામે સમાધિમરણ માટે તૈયાર થવું જોઈએ. " ચિરકાલથી આરાધન કરેલ ધર્મ પણ જે મરણ વખતે છેડી દેવાય કે તેની વિરાધના થાય તે તે નિષ્ફળ જાય છે. પરંતુ મરણ સમયે જે તે ધર્મની આરાધના કરાય તે મરણ સમયે આરાધે ઘર્મ અસંખ્યાત કરેડે ભામાં ઉપાર્જન કરેલાં પાપને પણ નાશ કરી દે છે. - સાધકને ઘર્મ રાજાની સમાન છે. જે રાજાએ બહુ દિન સુધી અસ્ત્ર શસ્ત્ર વિદ્યાને અભ્યાસ કર્યો હોય પરંતુ યુદ્ધમાં જે તે અભ્યાસ ભૂલી જાય છે તે હારી જાય છે, અપકીર્તિ અને સ્વાર્થનાશને પામે છે. તેવી જ રીતે ચિરકાલથી અભ્યાસ કરનાર સાધક પણ મરણ સમયે ધર્મ મૂકી દે તે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સમાધિ-સાધના તેની અપકીર્તિ પણ થાય અને ઈચ્છાનુસાર ફલ સદ્ગતિ આદિની સિદ્ધિ પણ થઈ શકતી નથી. માટે અંત સમયે ઘર્મને કદાપિ છોડે નહીં અત્યંત અનિવાર્ય અને સમાધિને રોકનાર એવું અશુભ કર્મ પૂર્વભવમાં કરેલું જે મરણ સમયે ઉદયમાં ન હોય તે તે જેણે ચિરકાલથી પૂર્ણ રત્નત્રયનું આરાધન કર્યું છે તે સાધક મરણ સમયે અવશ્ય રત્નત્રયરૂપ ધર્મનું આરાધન કરે જ છે. જેણે પૂર્વે સમાધિને અભ્યાસ નથી કર્યો તેવાને પણ મરણ સમયે જે સમાધિ પ્રાપ્ત થાય તે તે અંધને નિધિ મળી જાય તેમ કવચિત જ બનવા ગ્ય છે. માટે સમાધિમરણ પ્રાપ્ત કરવા સદા પ્રયત્ન કર્તવ્ય છે. ભવ્ય જીએ વ્રત ધારણ કરવામાં તત્પર રહેવું જોઈએ. તેથી સદ્ગતિ અવશ્ય થાય છે, જ્યારે અત્રતથી અસદ્ગતિનાં દુઃખ નરકાદિનાં ભ્રમણ ઊભાં રહે છે. જે સાધક કે ધાદિ કષાને કૃશ કરતું નથી અને શરીરને કૃશ કરે છે, તેનું શરીરને કૃશ કરવું વ્યર્થ છે. જે પુરુષ આહારથી ઉસન્ન થયેલા મદથી અંધ થઈ રહ્યો છે અર્થાત્ જે સ્વ પર તત્ત્વજ્ઞાનથી રહિત છે, એવા પુરુષે પ્રાયે કષાયને જીતી શક્તા નથી. માટે જે પુરુષ આત્મા અને શરીરને જુદા જાણીને એ ભેદવિજ્ઞાનથી કષાને જીતે છે તે જ પુરુષ આ સંસારમાં સર્વોત્કૃષ્ટ જયવંત વર્તે છે. હે સાધક! શરીરને છેડી દેવું એ તે કાંઈ કઠણ કાર્ય નથી. પરંતુ શરીર છોડતી વખતે સંયમનું પાલન કરવું, આત્મભાવમાં સ્થિર થવું એ અત્યંત કઠણ છે. એટલા માટે Page #240 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૧૯ સમાધિ ધારણ કરનાર સાધકે પિતાના આત્માને મન વચન કાયાના વ્યાપારોથી પાછો હઠાવીને, પિતાને આત્મામાં જ લીન કર જોઈએ. જે સંયમી અંતકાલે સ્થિર એકાગ્ર ચિત્તથી પિતાના શુદ્ધ ચિકૂપ આત્મામાં લીન થઈને પ્રાણેને છેડે છે, તેને અનેક પ્રકારનાં અભુત સ્વર્ગાદિ સુખને અનુભવ કરતાં અંતમાં મેક્ષ પ્રાપ્ત થાય છે. રત્નત્રયની એકાગ્રતા સંપાદન કરવામાં નિર્યાપક આચાર્ય તથા (સંઘ) સાઘમી જનેની સહાયથી સમાધિને માટે, પિતાના આત્માને ચિતવનાર સાધકને, પૂર્વભવનાં અશુભ કર્મોને ઉદય પણ વિન્ન કરી શકતા નથી. - -: સમાધિમરણના મહિમાની સ્તુતિ : આ જીવને વર્તમાન સમય પહેલાં ભવાંતરમાં લઈ જનાર અનંતાનંત મરણ પ્રાપ્ત થયાં છે. પરંતુ સંસારનાં કારણ એવાં કર્મોને નાશ કરવાને સંપૂર્ણ સમર્થ તથા રત્નત્રયની એકાગ્રતા હોવાથી પરમ પવિત્ર એવા સમાધિમરણની એક વાર પશુ પ્રાપ્તિ થઈ નથી. સમાધિને પ્રાપ્ત થયેલ ભવ્ય જીવ અંતકાળે જે સમયે (પોપટ આદિ પક્ષીઓને પરતંત્રતાના બંધનરૂપ પાંજરા જેવા) જીને પરતંત્રતાના બંધનમાં બાંધનાર સંસારરૂપી પાંજરાને (જંજીરને) નષ્ટ કરે છે તે સમય ધન્ય છે. તે સમયને સર્વદેવ સર્વોત્કૃષ્ટ માહાભ્યવાન ગણે છે. મેક્ષના કારણ એવા સમાધિમરણનું માહાભ્ય સર્વોત્કૃષ્ટ છે. સમાધિમરણ માટે સાધકે ભગવાનનાં કલ્યાણક સ્થાન Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સમાધિ-સાધના આદિ પવિત્ર તીર્થસ્થાનાના આશ્રય લેવા જોઈએ. એવાં સ્થાનામાં જઈને સંન્યાસ ધારણ કરવા જોઇએ. પવિત્ર તીર્થભૂમિમાં અથવા નિર્યાપક આચાર્ય પાસે જવા નીકળેલા સાધકને માર્ગમાં જ જો મરણ થાય, તા પણ તે આરાધક જ ગણાય છે. સમાધિ ધારણ કરવા માટે મન વચન કાયાની સ્થિરતા જ સંસારના નાશ કરનાર છે. સમાધિને માટે તીર્થભૂમિમાં જતાં પહેલાં સર્વે લેાકેાની ક્ષમા માગવી તથા સર્વને ક્ષમા આપવી જોઈએ. –; સાધક ક્ષમાપના યાચે છે : “ રાગદ્વેષ અને મમત્વથી જે જે જીવાને મેં દુઃખિત કર્યો હાય તે સર્વને મન વચન કાયાથી હું ક્ષમાવું છું. તથા રાગદ્વેષાદિકના નિમિત્તથી આપના મનમાં કોઈના મેં વિરોધ કર્યાં હાય તે સર્વેને ક્ષમાવું છું. મારા વિરોધ કોઈએ કર્યાં હાય તા તે સર્વને ક્ષમા આપું છું.” જે પુરુષ અપરાધીને ક્ષમા આપે છે, તથા પોતે કરેલા અપરાધોની ક્ષમા યાચે છે તે સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે. પરંતુ જે બીજા પાસેથી ક્ષમા માગતા નથી તથા ક્ષમા માગનારાઓને જે ક્ષમા આપતા નથી તે ચિરકાલ તક સંસારમાં પરિભ્રમણ કરે છે. એટલા માટે અંતકાળે સર્વની ક્ષમા માગી લેવી જોઈએ તથા સર્વેને ક્ષમા આપવી જોઈએ. આ (ક્ષપક) સાધકે યાગ્ય સમયે, નિર્યાપક આચાર્ય સમીપ પેાતાના વ્રતાર્દિકના ઢાષા તથા અતિચારોની આલાચના કરીને, સર્વ દોષો દૂર કરીને, માયા, મિથ્યાત્વ, અને નિદાન શલ્યથી રહિત થઈ માક્ષમાર્ગમાં યથેષ્ટ વિહાર કરવા અર્થાત્ રત્નત્રયને ધારણ કરવાં. Page #242 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૨૧ જેણે મન વચન કાયાની નિર્મલતા અથવા પ્રાયશ્ચિત્તાદિકથી પ્રાપ્ત થયેલ વિશુદ્ધિરૂપી અમૃતથી યથેષ્ઠ સ્નાન કર્યું છે એવા આ સાધકે સ્વસ્થ થઈને મન વચન કાયાની ચંચળતા છોડીને સમાધિને માટે પૂર્વદિશા અથવા ઉત્તરદિશા તરફ પોતાનું શિર રાખીને સૂવું. પછી મહાવ્રતની ઈચ્છાવાળા સાધકને નિર્યાપક આચાર્યું સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ નગ્ન વ્રત આપવાં જોઈએ. જે પુરુષ મહાવ્રત ધારણ કરીને મેક્ષ પ્રાપ્ત કરી શકે છે, તેને લંગોટી માત્રમાં મમત્વ પરિણામ હોય તે તે ઉપચરિત મહાવ્રતને અગ્ય ગણાય છે. જ્યારે મહાવ્રત ધારણ ન કરી શકે એવી સ્ત્રી મેટી સાડી રાખવા છતાં તેમાં મમત્વ ન રાખે તે ઉપચરિત મહાવ્રત ધારણ કરી શકે છે. મોક્ષની ઈચ્છાવાળા સાધકે બાહ્ય લિંગને આગ્રહ છેડીને કેવળ આત્મદ્રવ્યને આશ્રય ગ્રહણ કરે જોઈએ. જીવને શરીર એ જ સંસાર છે, ક્ષેત્રાદિક સંસાર નથી; કારણ કે શરીર ધારણ કરવાથી પંચ પરાવર્તનરૂપ સંસારમાં પરિભ્રમણ થાય છે. જેમાં બ્રાહ્મણ આદિ જાતિ શરીરને આશ્રયે છે, તેમનગ્નપણું આદિ પણ શરીરને આશ્રયે છે. માટે મેહનીયકર્મને ક્ષય કરવાવાળા સાધકે બ્રાહ્મણત્વ આદિ જાતિની માફક, નગ્નપણાદિ ચિહ્નમાં આગ્રહ છોડીને કેવળ શુદ્ધ ચિપમય પિતાના આત્મામાં મગ્ન થવું જોઈએ. પદ્રવ્યનું ગ્રહણ એ જ બંધનું કારણ છે. માટે આત્મદ્રવ્યનું જ ગ્રહણ કર્તવ્ય છે. આ આત્મા શરીરાદિ પરદ્રવ્યોને ગ્રહણ કરવાથી જ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સમાધિ-સાધના અનાદિકાળથી જ્ઞાનાવરણાદિ કર્મોથી પરતંત્ર થયું છે. તે સ્વદ્રવ્ય અર્થાત્ શુદ્ધ આત્માને ગ્રહણ કરવાથી જ મુક્ત થશે. માટે મેક્ષની ઈચ્છાવાળા સાધકે પિતાના શુદ્ધ આત્માનું ગ્રહણ કરવા ગ્ય છે, અને પરદ્રવ્ય સર્વથા છેડવા ગ્ય છે. જેણે રત્નત્રયની એકાગ્રતારૂપ સમાધિથી પિતાના દેહને ત્યાગ કર્યો છે તે મહા ભવ્ય પુરુષને અનાદિ કાળથી પહેલાં કદી ન મળેલા એવા સમ્યક્ત્વની સાથે હેનારા કયા કયા સ્વર્ગ, મેક્ષાદિ મહા અભ્યદ પ્રાપ્ત નથી થતા? અર્થાત સમાધિ મરણ કરનારને સર્વ પ્રકારના અભ્યદની પ્રાપ્તિ હેય છે. શય્યા, ઉપધિ, અન્ન, આલેચના અને વૈયાવૃત્ય એ પાંચમાં પ્રાણુઓની રક્ષા અને ઇંદ્રિયેના સંયમપૂર્વક પ્રવર્તન તે બહિરંગ શુદ્ધિ, અને સમ્યગદર્શન, સમ્યગાન, સમ્યગુચારિત્ર, વિનય અને સામાયિક આદિ છ આવશ્યક, એમાં અતિચાર રહિત પ્રવર્તને કરવી તે પાંચ અંતરંગ શુદ્ધિ છે. - પાંચ પ્રકારને વિવેક :આત્માને શરીર આદિથી જુદે ચિંતવન કરે તે વિવેક છે. તેના બે ભેદ (૧) ભાવવિવેક (૨) દ્રવ્યવિવેક. ઇન્દ્રિય અને કષાયથી આત્માને જુદો ચિંતવે તે ભાવ વિવેક છે. શરીર, આહાર અને સંયમનાં સાધનો વગેરેથી આત્માને જુદે ભાવે તે દ્રવ્ય વિવેક છે. આ પ્રમાણે બે પ્રકારે ભાવ વિવેક અને ત્રણ પ્રકારે દ્રવ્ય વિવેક મળી પાંચ પ્રકારને વિવેક છે. નિગ્રંથ થયેલા સાધકે પાંચ મહાવ્રત ધારણ કરીને તે વ્રતની ભાવના કરવી જોઈએ, અને નિગ્રંથ અવસ્થા ધારણ Page #244 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૨૩ નથી કરી એવા સાધકે તે મહાવ્રતને નહીં ધારણ કર્યા છતાં તેનું ચિંતવન કરવું જોઈએ. મરણ પથારી પર સૂતેલા સાધકે જીવન ટકી રહેવાની આકાંક્ષા, મરણું વહેલું આવે તે સારું એવી આકાંક્ષા, મિત્રમાં અનુરાગ કરે, ભેગવેલા ભેગેને યાદ કરવા, અને ભાવીમાં ભેગની ઈચ્છારૂપ નિદાન કરવું એ પાંચ અતિચારને ત્યાગ કરીને મહાવ્રતનું ચિંતવન કરવું. નિર્યાપક આચાર્ય આરાધકનાં શરીરનાં કાર્યો કરવા માટે, વિકથા નિવારણ કરવા માટે, ઘર્મકથા સંભળાવવા માટે, ભજન, પાન, પથારી આદિ શુદ્ધ કરવા માટે, કફ મળ આદિ દૂર કરવા માટે, મેક્ષનાં કારણ એવાં રત્નત્રયથી સુશેભિત મુનિઓને યથાયેગ્ય રીતે નિજવા જોઈએ. તથા આ સાધકને રત્નત્રયના દૃઢ સંસ્કાર કરવા જોઈએ. * સાધકના શરીર આદિ કાર્યો કરવામાં મુનિઓએ કંઈ સંકેચ નહીં કરે જોઈએ. કારણ કે સમાધિના કારણરૂપ થાય એવી સર્વ ક્રિયા એ મુનિઓને પરમ યજ્ઞ છે. નિર્યાપક આચાર્ય બેધથી સાધકની ભેજનમાંથી આસક્તિ છેડાવે છે. સાધક આહારથી વિરક્ત થઈ કહે છે કે, “મરવાને સન્મુખ થયેલે હું હવે આ આહારને ખાઈને શું કરું?” આચાર્ય કહે છે : “હે સમસ્ત ઇંદ્રિયને વશ કરનાર ! હે પરમાર્થને જાણનાર ! અલૌકિક રીતે નિશ્ચય કરવા યોગ્ય વાસ્તવિક તને નિશ્ચય કરનાર ! હે સકલ દિશાઓમાં પિતાની કીર્તિને ફેલાવનાર ! આરાધકરાજ ! આજે શું ભેજન શયનાદિ પૌગલિક Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સમાધિ-સાધના પદાર્થ તમને આત્માને ઉપકારક જણાય છે? ઇંદ્રિયને વશ કરનાર તથા તને યથાર્થ જાણનાર એવા તને શું આત્માથી સર્વથા ભિન્ન એવાં પુદ્ગલે આત્માનાં ઉપકારક જણાય છે? કેઈ એવું પુદ્ગલ બાકી રહ્યું છે કે જે આ સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતાં તે ઇદ્રિ દ્વારા ભેગવીને ન છોડયું હોય ? પુદ્ગલ રૂપી છે, તું અરૂપી છે. મૂર્તિક પુદ્ગલ અમૂર્તિક તારા આત્માને કઈ રીતે ઉપકાર કરી શકે તેમ નથી. હે સાધક! વાસ્તવમાં તે તે પુગલેને ભેગવતે જ નથી પરંતુ ચક્ષુ આદિ ઇંદ્રિ દ્વારા તેને વિષયભૂત કરીને પિતાના આત્મપરિણામને જ તું ભગવે છે. કારણ કે આત્માને ઉપભેગ કરવા યોગ્ય તે માત્ર તેનાં પરિણામ જ છે. આત્મપરિણામને અનુભવ કરતાં તું એમ માને છે કે હું ઈચ્છિત પદાર્થને ભેગવું છું” માટે આ દેખાતી, અગ્ય પુદ્ગલમાં ભેચત્વ બુદ્ધિરૂપ બ્રાંતિને તને ઉદય થયે છે. તું તે બ્રાંતિને આ સમયે નિવાર, કારણ કે આ સમય એ છે કે જ્યારે, તત્વને જાણનાર પંડિત લેક પિતાનું હિત કરવામાં સાવધાન થઈ જાય છે. अन्योऽहं पुद्गलश्चान्य इत्येकांतेन चितय । येनापास्य परद्रव्यग्रहावेशं स्वमाविशेः ॥ હે આરાધક! આ અવસરે તું સર્વથા એવું ચિંતવન કર કે હું પુદ્ગલથી ભિન્ન છું અને પુદ્ગલ મારાથી ભિન્ન છે. કારણ પુદ્ગલ રૂપી છે, જડ છે, હું અમૂર્તિક ચૈતન્ય સ્વરૂપ છું. આ પ્રમાણે આત્મા અને પુદ્ગલની ભિન્નતા ચિંતવન કરવાથી આત્મદ્રવ્યથી જુદા પુદ્ગલાદિ પરદ્રવ્યને ગ્રડણ કરવાના Page #246 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૨૫ આવેશને (ચિરકાળથી થઈ રહેલા બંધ ઉપયોગને) છોડીને તું સ્વ આત્મદ્રવ્યમાં પ્રવેશ કરીશ. અર્થાત્ પરદ્રવ્યથી સંબંધ છેડીને તારે ઉપયોગ આત્મામાં જ લાગી જશે. (ઉપયોગ એ જ સાધના છે.) - હે આરાધક! જેમ એક મુનિ મરણ વખતે બેરમાં આસક્તિ થવાથી મરીને બેરમાં કીડે થયા, તેમ તું પણ કોઈ ભેજન આદિમાં આસક્તિ રાખીને પ્રાણ ત્યાગીશ તે તું પણ તે પદાર્થમાં કીડો આદિ ક્ષુદ્ર જંતુ થઈને ઊપજીશ. માટે ભેજન વગેરે સર્વ પુદ્ગલની આસક્તિ છોડી એક આત્મસ્વરૂપમાં લીન થા. શરીરથી આત્માને ભિન્ન ચિતવ, તૃષ્ણ માત્રને ત્યાગ કર, અને આત્મભાવનામાં લીન થઈ અશુભ કર્મોના આસવને રિક”. આ પ્રમાણે આચાર્ય હિતોપદેશરૂપ મેઘની વર્ષોથી આરાધકની અન્નાદિકની તૃષ્ણને દૂર કરાવે છે, ક્રમે ક્રમે ચારે પ્રકારને આહાર ત્યાગ કરાવે છે :- “હે આર્ય! આ તને મરણ સમયે પ્રાપ્ત થયેલી સંલેખના એવી છે કે, અનેક ગુણ અને ગુણવાનેને આશ્રયે તે રહે તેવી છે, આગમમાં પ્રસિદ્ધ છે. સંસારમાં પરિભ્રમણ કરતાં તને આજ દિન પર્યત પ્રાપ્ત થઈ નથી, તેમજ તેની પ્રાપ્તિ અત્યંત અશક્ય છે. માટે અત્યારે પ્રાપ્ત થયેલી આ સંલેખનામાં નાનું સરખું પણ છિદ્ર પામીને પ્રવેશ કરી જાય તેવા જીવિતાશા આદિ પાંચ અતિચારરૂપ પિશાચેથી તેનું રક્ષણ કર. -: જીવિત--આશંસા :હે આરાધક! નિર્યાપક આચાર્ય આદિ મહાન આત્માઓ આજે તારી સેવા કરી રહ્યા છે, તેથી તારું ગૌરવ વધી રહ્યું ૧૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સમાધિ-સાધના છે, તેથી શુશ્રષા આદિમાં આસક્ત થઈને, થેડું વધારે જિવાય તે સારું એમ જીવવાની આશા કર નહીં. - મરણ–આશંસા :હે આરાધક! ઘેર સુધાદિ વેદનાઓના ભયથી શીઘા મરવાની ઈચ્છા પણ કર નહીં, કારણકે અસંક્લેશ પરિણામથી દુઃખને સહન કરનાર સાધક અશુભ કર્મોના આસવને રેકે છે, અને પૂર્વે કરેલાં પાપને નાશ કરે છે. જ્યારે બેટી રીતે મરવા ઈચ્છનાર મેક્ષ અથવા જ્ઞાનનો નાશ કરી દે છે. મરવાની ઈચ્છા કરનાર આત્મઘાતક છે માટે તે સંસારમાં દીર્ઘકાળ પર્યત પરિભ્રમણ કરે છે. જ્યારે સમતા પરિણામેથી દુઃખને સહન કરનાર, પાપ અને કર્મોને નાશ કરીને શીધ્ર મુક્ત થઈ જાય છે. માટે શીવ્ર મરવાની ઈચ્છા કદી કરવી ન જોઈએ તે પ્રકારે આ બીજે અતિચાર ત્યાજ્ય છે. -: મિત્રમાં અનુરાગ :હે આરાધક! હવે તું પરલેક જવા માટે ઉદ્યમી થયે છે માટે સર્વ પ્રત્યે અનુરાગ ત્યજી દે. કઈ પ્રત્યે કિંચિત રાગ કર મા. કારણ કે, મેહનીય કર્મના ઉદયથી થનાર, પાપને વધારનાર, મિત્ર, પુત્ર, કલત્રાદિને રાગ અથવા તેને સ્મરણ કરવાનાં પરિણામ તે આ સંસારમાં અનેક વાર પ્રાપ્ત થયાં છે. પરંતુ તે સમાધિમરણના ઈચ્છક! આર્ય સાધક ! હવે તે સમાધિમાં અંતરાય કરનાર સર્વ પ્રત્યેના અનુરાગને ત્યજી દે, અને વીતરાગ પરિણામમાં લીન થા. -: પૂર્વ ભાગની સ્મૃતિ :હે સાધક! પૂર્વે ભેગવેલા ભેગેનું હવે સ્મરણ ન કર. Page #248 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૨૭ જે કદી સ્મરણ થઈ જાય તે તેનું શીધ્ર નિવારણ કર. કારણ કે આ જીવ ઇંદ્રિયસુખના દૃઢ સંસ્કારથી જ જન્મમરણરૂપ સંસારમાં અનંત દુઃખ જોગવી રહ્યો છે. કેવલ આત્મજ્ઞાનના જ એવા એક સંસ્કાર છે કે જેનાથી જીવને પરિભ્રમણ કરવું પડતું નથી. માટે ઇંદ્રિયસુખને પરાધીન, દુઃખદાયી જાણીને તેની આસક્તિ ત્યજી એક સ્વાધીન સુખમય પરમ શાંતિનું ઘામ એવું નિજ શુદ્ધ સહજત્મસ્વરૂપ, તેમાં લીન થા. આત્મજ્ઞાનમાં, આત્મભાવમાં તલ્લીન થા. -: નિદાન-સુખાનુબંધ અતિચાર - હે આરાધક ! ભેગાદિક ઈષ્ટ વિષય રોગોની સમાન દુઃખ દેનારા છે. જેમ જવર આદિક રેગથી ઈષ્ટ વિયેગ આદિનું દુઃખ થાય છે, તેમ ભેગથી અંતમાં દુઃખ જ થાય છે. કારણકે, સંસારના ભેગ ક્ષણભંગુર છે. તેને નાશ થતી વખતે વિયેગજન્ય દુઃખ અવશ્ય થાય જ છે. તથા ભેગોથી રેગાદિ ઉત્પન્ન થઈ દુઃખ થાય છે. માટે જેમ કેઈ દુઃખ દેનાર રેગોને ઈછે નહીં તેમ તું પણ અત્યંત દુઃખ દેનાર આગામી કાલમાં ભેગ મળે અથવા ઐશ્વર્યાદિ મળે તેવી ઈચ્છા ન કર. અર્થાત આ તપના પ્રભાવથી મને ભેગાદિક મળે તેવી અભિલાષા કદાપિ ન કર. કારણ કે, એ કોણ મૂર્ખ હોય કે જેને કઈ દેવ વરદાન આપવા પ્રસન્ન થાય ત્યારે તે તેની પાસે જીવનને નાશ કરે તેવા વિષની યાચના કરે ? અર્થાત્ સમાધિમરણરૂપ કલ્પવૃક્ષ આરાધતાં નિદાનરૂપ આત્મઘાતક ભેગેને કેણ વાંછે? અર્થાત્ કેઈ નહીં. નિદાન કરવાથી બ્રહ્મદત્ત આદિની કેવી દુર્દશા થઈ તે સ્મૃતિમાં લાવી નિદાનની ઈચ્છા સર્વથા ત્યાગવી, અને એક આત્માર્થે મારા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સમાધિ-સાધના આત્માને જન્માદિ બંધનથી મુક્ત કરવા જ આ ધર્મની અરાધના કરું છું. એ જ એક આત્માર્થની ભાવનાએ જ સમાધિ પ્રાપ્ત કરવી.” ત્યારપછી યથા અવસરે ક્રમે ક્રમે ચારે પ્રકારના આહારને ત્યાગ કરાવી સર્વ સંઘ પ્રત્યે ક્ષમી ક્ષમાવી, સંઘ કાયેત્સર્ગમાં સ્થિર થાય કે જેથી સાધકને સમાધિમરણમાં અંતરાય થાય નહીં અને આચાર્ય સંન્યાસ ધારણ કરનાર ક્ષપકને અમૃત સમાન વચનેથી સંતુષ્ટ કરીને તેના કાનમાં સંવેગ અને વૈરાગ્ય ઉત્પન્ન કરનાર જાપ સંભળાવે. હે આરાધક! હવે તું વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વને ત્યાગ કરી તસ્વાર્થ શ્રદ્ધારૂપ સમ્યકત્વનું ચિંતવન કર અરિહંત આદિ પંચ પરમેષ્ઠીમાં, તેમની પ્રતિમામાં, વ્યવહાર રત્નત્રયમાં તથા નિશ્ચય રત્નત્રયમાં પોતાની ભક્તિને અત્યંત દૃઢ કર. ભાવ નમસ્કાર અર્થાત્ ભગવાનના ગુણેને પ્રેમપૂર્વક ચિંતવન કરવામાં તલ્લીનતા ઘારણ કર અને અધ્યાત્મ તત્વજ્ઞાનમાં ઉપગને જોડીને તલ્લીન થા. महावतानि रक्षोच्चैः, कषायान् जय यंत्रय । अक्षाणि पश्य चात्मानमात्मनात्मनि मुक्तये ।। હે આરાધક ! મહાવ્રતનું પાલન કર, કેથાદિ કષાને અત્યંત નિગ્રહ કર, ઇદ્રિનું દમન કર, અને સંસારસુઓને માટે નહીં પરંતુ કેવલ મુક્તિને માટે જ પોતાના આત્માને પિતાના આત્મા વડે પોતાના આત્મામાં જ જે, અવેલેકન કર. ત્રણે લેકમાં એવું કઈ દુઃખ નથી કે જે મિથ્યાત્વરૂપ શત્રુએ જીવને ન પમાડ્યું હોય. સર્વ દુઃખનું કારણ એક મિથ્યાત્વ Page #250 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના છે. ત્રણે લાકમાં એવું કાર્ય સુખ નથી અથવા નહી હશે કે જે સમ્યક્ત્વરૂપ પરમબંધુ ન પમાડી શકે. અર્થાત્ સમ્યક્ત્વ સર્વ જગ્યાએ સર્વ કાળમાં સર્વ પ્રાણીને ઉપકારક છે, સર્વે વિજ્ઞોનું પ્રતિબંધક છે. માટે એ જ ખરા ખંધવ તુલ્ય છે. ૨૨૯ હે સુવિહિત (ઉત્તમ આચરણ કરનાર) સાધક ! તારે એક પરમાત્માની ભક્તિ વા અંતરંગ પ્રેમ કરવા એ જ સર્વથી ઉત્તમ છે. એક જિનભક્તિ, પ્રભુભક્તિ જ એવી છે કે જે સ્વર્ગ મેાક્ષાદિથી દૂર કરનાર સર્વ વિષ્રોને શીઘ્ર નષ્ટ કરીને સમસ્ત મનારથા પૂર્ણ કરે છે. માટે એક પ્રભુભક્તિને જ ધારણ કર. આ શ્લાકમાં ભાવનમસ્કારનો મહિમા કહે છે. एकोऽप्यनमस्कारो मनश्चेन्मरणे विशेत् । संपाद्याभ्युदयं मुक्तिश्रियमुत्कयति द्रुतम् ॥ મરણ સમયે એક પણુ ભગવાનને નમસ્કાર ચિત્તમાં પ્રાપ્ત થાય તે તે સ્વર્ગાદિકના મહાન અભ્યુદયને આપીને શીઘ્ર મેાક્ષલક્ષ્મીને ઉત્કંઠિત કરે છે. મરણ સમયે એક પણુ ભાવનમસ્કાર થાય તે તે જ ભવે કે બે ત્રણ ભવમાં માક્ષ પ્રાપ્ત થાય છે. સુભગ નામના ગેાવાળ મરણ સમયે એકાગ્ર ચિત્તથી નમો અરિતાનું કહીને મરણ પામી સુદર્શન નામે શ્રેષ્ઠી પુત્ર થયા. ત્યાં રૂપ ગુણ અને સમ્યગ્દર્શન પામી તે ભવે જ મુક્ત થયા. માટે ભાવનમસ્કારમાં તું પણ ચિત્ત લગાવ. હું આરાધક ! જેનું ચિત્ત ભક્તિથી અનુરક્ત થયું છે એવા જે પુરુષ પાતાના બલવીર્યને છુપાવ્યા વગર સ્વાધ્યાય, વંદન, પ્રતિક્રમણ આદિ નિત્ય કરવા યાગ્ય કર્તવ્ય કરે છે તેને અદ્દભુત ઇષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩) સમાધિ-સાધના ૧. અહિંસા મહાવ્રત જે ડી પણ અહિંસા પાળે છે તે ઉપસર્ગાદિ પીડા ઉપસ્થિત થતાં તેજસ્વી સમાન જણાય છે. તે દુખેથી તિરસ્કૃત થતા નથી. જે સમસ્ત અહિંસામાં અધીશ્વર હેય છે, અર્થાત્ પૂર્ણ અહિંસાનું પાલન કરે છે તે સમસ્ત દુખને દૂર કરે છે. ૨, સત્ય મહાવ્રત હે સાધક! કામધેનુ ગાય સમાન સમસ્ત મનેરને પૂર્ણ કરનાર સત્યવાણુને અસત્યવાણુરૂપ વાઘની સન્મુખ ન કર. મિથ્યા વાદને ત્યાગ કર. એવું થોડું અસત્ય પણ વસુરાજાને અનર્થ તથા નરકનું કારણ થઈ પડ્યું હતું. માટે સત્યવ્રતનું પાલન કર. ૩. અચૌર્ય મહાવ્રત સમાધિમરણની ઇચ્છાવાળા સાધક ! પરધનહરણ તે દૂર રહે પણ અગ્નિ સમાન સંતાપ આપનાર પરધન ગ્રહવાની ઈચ્છાને ત્યાગી દે. - પરદ્રવ્યનું હરણ તે તેને પ્રાણનું હરણ કરવા બરાબર છે. પરના પ્રાણનું હરણ કરવાની ઈચ્છા એ આત્માની જ હિંસા છે. પરઘાતની ઈચ્છા એ જ હિંસા છે. ભાવહિંસા થતાં જે દ્રવ્યહિંસા થાય છે, તે અનંત સંસારનાં દુરંત દુઃખાને દેવાવાળી છે. માટે ચરીને સર્વથા છેડી અચૌર્યવ્રતમાં લીન થા. ૪. બ્રહ્મચર્ય મહાવ્રત હે આરાધક ! પૂર્વકાલમાં રુદ્ર આદિ અનેક મુનિ એવા થઈ ગયા કે જે બ્રહ્મચર્યથી ખલિત થઈને અથવા અતિચાર Page #252 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૩૧ લગાવીને ફરીથી બ્રહ્મમાં સ્થિર થઈ શક્યા નથી. માટે તું પણ ઉત્કૃષ્ટ, નિર્વિક૯પ પ્રત્યગતિ (અંતરંગ તિ) પરમાત્મારૂપ બ્રહ્મજ્ઞાનને અનુભવ કરવા માટે, સ્વાત્માની દ્વારા શુદ્ધ આત્માનું સંવેદન (અનુભવ) કરવા માટે, ચોથા બ્રહ્મચર્યવ્રતને નિરતિચારપણે ધારણ કર ૫. પરિગ્રહ ત્યાગ હે સુવિહિત સાધક! આ મારું, આ મારું, એવા પ્રકારના કેઈ પણ પરિગ્રહમાં અલપ પણ સંકલ્પ કરનાર મનને વિશ્વાસ ન કર. મનને પરિગ્રહમાં, મમતામાં ન લગાવતાં સમસ્ત પરિગ્રહને ત્યાગ કરી નિર્મમ, નિપરિગ્રહી થા. આ શરીર બાહ્ય પરિગ્રહ છે અને ઇંદ્રિયોના વિષયની ઈચ્છા એ અંતરંગ પરિગ્રહ છે. જે સાધક એ બંને પરિગ્રહમાં મમત્વ પરિણામ રાખતા નથી તે જ પરમાર્થે પરિગ્રહરહિત ગણાય છે. અને તે જ નિર્વાણનગર અથવા મેક્ષમાં પહોંચનાર પથિક કહેવાય છે. કારણ કે મેક્ષમાર્ગે નિરંતર ગમન કરવામાં નિગ્રંથતા જ સમર્થ છે. અપૂર્વ અવસર એવો કયારે આવશે? કયારે થઈશું બાહ્યાાર નિગ્રન્થ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહતુ પુરુષને પંથ જો. અપૂર્વ ” “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કેઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” –શ્રીમદ્ રાજચંદ્ર Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સમાધિ-સાધના હે શંસિત વ્રત! અર્થાત્ મહાપુરુષોએ પણ જે મહાવ્રતની પ્રશંસા કરી છે એવા વ્રતધારી સાધક ! કષાય અને ઇંદ્રિયને વશ થનાર પ્રાણીને અનંત ક્લેશની પરંપરારૂપ સંસાર પરિભ્રમણ ચાલુ જ રહે છે. માટે કષાય અને ઇન્દ્રિયને વશ, આધીન થઈશ નહીં. આ પ્રમાણે વ્યવહાર આરાધનામાં નિષ્ઠા રાખવા જણાવી હવે નિશ્ચય આરાધનામાં તત્પર થવા જણાવે છે. હે વ્યવહાર આરાધનામાં પરિણત થયેલા આરાધક રાજ! આ સમયે તારી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. માટે શ્રુતસ્કંધ અર્થાત્ આચારાંગ આદિ બાર અંગ, અથવા અધ્યાત્મ વાકય, અથવા નમો અરિહૃતf ઈત્યાદિ પદ, અથવા અહં આદિ અક્ષર, અથવા , ઉસ, મા, ૩, સા આદિમાંથી કેઈ અક્ષર અથવા સદ્ગુરુ દ્વારા પ્રકાશિત, પ્રાપ્ત એ સર્વ આગમન સારરૂપ મંત્ર, એ સર્વમાંથી જેમાં તારે અનુરાગ હોય તે એકને આલંબન કરીને તેમાં તારું ચિત્ત એકાગ્ર કર, તન્મય કર. તેમાં ભક્તિપૂર્વક ચિત્ત લગાવવાથી, ચિંતવન કરવાથી પરમાર્થ આરાધવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. હે આરાધના કરવામાં તયર આર્ય! एगो मे सासदो अप्पा णाणदंसणलक्षणों । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ॥ ઈત્યાદિ શ્રુતજ્ઞાનથી નિશ્ચય કરીને રાગ દ્વેષ મોહ રહિત ચિકૂપમય આત્માને સ્વસંવેદન દ્વારા અનુભવ કરતાં કરતાં પિતાના આત્મામાં તન્મયરૂપ થવાથી સમસ્ત ચિંતા સંકલ્પ વિકલ્પ આદિ મનના ચિતવનને છોડીને પ્રાણેને તજીને મેક્ષમાં Page #254 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૩૩ ગમન કર. જે સંકલ્પ વિકલ્પ રહિત શુદ્ધ આત્મામાં લીન થઈને પ્રાણત્યાગ કરે તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય જ કહ્યું છે કે आराधनोपयुक्तः सन् सम्यकालं विधाय च । उत्कर्षात् त्रिभवान् गत्वा प्रयाति परिनिर्वृति ॥ જે પુરુષ આરાધનામાં પિતાનો ઉપયોગ લગાવીને સારી રીતે સમય વ્યતીત કરે છે તે અધિકમાં અધિક ત્રણ ભવમાં અવશ્ય મુક્ત થઈ જાય છે. संन्यासो निश्चयेनोक्तः स हि निश्चयवादिभिः । स्वस्वभावे च विन्यासो निर्विकल्पस्य योगिनः । નિશ્ચય સંન્યાસ જે નિર્વિકલ્પ યેગી અર્થાત્ જેના અંતઃકરણમાંથી અંદર ને અંદર કંઈક કહેવું તે, કઈ પ્રકારના સંબંધ, અથવા કલ્પના આદિ સર્વ દૂર થઈ ગયાં છે એવા સમાધિ સહિત ગી જે પિતાના શુદ્ધ ચિદાનંદમય સ્વાત્મામાં વિધિપૂર્વક પિતાના આત્માને સ્થાપન કરે છે તેને નિશ્ચયનયને પ્રવેગ કરવામાં પ્રવીણ એવા આચાર્ય નિશ્ચયનયથી સંન્યાસ કહે છે. અર્થાત નિશ્ચયનયથી આ જ સંન્યાસ છે એમ મેક્ષની ઈચ્છા કરનાર સાધકેની આગળ નિરૂપણ કરે છે. જે સમયે સુધા આદિ પરિષહેમાંથી કઈ પરિષહ, અથવા કેઈ અચેતન આદિથી થયેલ ઉપસર્ગ ક્ષેપકના ચિત્તમાં ચંચળતા કરાવે, તે તે સમયે નિર્યાપક આચાર્યે શ્રુતજ્ઞાનને ઉપદેશ આપીને ચિત્તને પરિષહ-ઉપસર્ગથી હઠાવીને શુદ્ધ આત્માની સન્મુખ કરાવવું જોઈએ. હવે શ્રુતજ્ઞાનના રહસ્યને વિસ્તારથી કહે છે– Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સમાધિ– સાધના હે ભવ્યત્તમ! જ્ઞાનરૂપી અમૃતના સરેવરમાં અર્થાત્ શરીર અન્ય છે, હું અન્ય છું, શરીરથી હું કેવળ ત્યારે છે” ઈત્યાદિ ભેદજ્ઞાનરૂપી અમૃતના સરેવરમાં અવગાહન નથી કર્યું, આ શરીરને પિતાનું માન્યું છે તેથી પિતાના માનેલા શરીરના સંબંધે નરક તિર્યંચ મનુષ્ય અને દેવ ગતિઓમાં ઉપાય રહિત શારીરિક અને માનસિક દુખેથી ઉત્પન્ન થયેલા દાહની જ્વાળાઓથી તું સંતપ્ત થયો છું. પરંતુ હવે અત્યારે તે તને શરીર અને આત્માને ભેદ (ભિન્નતા) નિશ્ચિત થઈ ચૂક્યો છે, તથા આ મુનિઓ તને સદા ઉપકાર કરી રહ્યા છે, તેથી તને દુઃખ કેવી રીતે થઈ શકે? હવે પરિષહ આદિ કોઈ પ્રકારે તને દુઃખ દઈ શકે તેમ નથી. બહિરાત્મા જીવ આત્મામાં શરીરનું આરોપણ કરીને અર્થાત્ શરીરને જ આત્મા માનીને હું દુઃખી છું, રેગી છું, ઇત્યાદિ દુઓને સંકલ્પ કરી લે છે. કારણકે વાસ્તવમાં રેગાદિ દુઃખ શરીરને જ થાય છે, આત્માને નહીં. તેથી આ પ્રકારે જે આત્મા અને શરીરને ભિન્ન ભિન્ન જાણે છે, આકાશને અને ભૂમિને જેટલું છેટું છે, ભિન્નપણું છે તેટલું આત્માને અને શરીરને છેટું છે-ભિન્નપણું છે, એમ આત્મા અને શરીરને જુદા જાણે છે તે પિતાના આત્માનો સાક્ષાત્ દર્શનથી ઉત્પન્ન થતા આનંદને અનુભવ કરે છે. તેથી તે સુખથી રહે છે. आत्मदेहान्तरज्ञानजनिताह्लाद निर्वृतः । तपसा दुष्कृतं घोरं भुंजानोऽपि न खिद्यते ॥ (સમાધિશતક) Page #256 -------------------------------------------------------------------------- ________________ સમાધિસાધના ૨૩૫ આત્મા અને શરીરમાં ભેદભાવના આ પ્રકારે ભાવવી – न मे मृत्युः कुतो भीति: न मे व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धोऽहं न युवैतानि पुद्गले ॥ અજર અમર અવિનાશી હું આત્મા, મારું મરણ તે કદાપિ થનાર નથી. તે મને હવે ભય શાને ? મને કાંઈ વ્યાધિ કે રોગ થતું નથી. તે દુઃખ શાનું? તથા હું બાળક નથી, વૃદ્ધ નથી, યુવાન નથી. જ્યારે મૃત્યુ, વ્યાધિ, બાળકપણું વૃદ્ધપણું, યુવાનપણું એ સર્વે તે પુદ્ગલમાં છે, આત્મામાં નહીં. નવોચઃ પુનડ્યા, જીવ અન્ય છે, ચેતન આદિ ગુણવાળે જીવ અન્ય પદાર્થ છે, અને રૂ૫ રસ આદિ સહિત પુદ્ગલ અન્ય પદાર્થ છે. ઇત્યાદિ ભાવનાઓથી શરીર અને આત્માને ભિન્ન ભિન્ન ચિંતવન કરવાં જોઈએ. હે ભવ્ય! કર્મને પરવશ થઈને તે આ અનાદિ સંસારમાં તે અનેક દુઃખ સહન કર્યા છે. આજે તું સમાધિને સિદ્ધ કરવા તૈયાર થયું છે, તે આ અવસરે ઉત્કૃષ્ટ અથવા સંવર સાથે થનારી, પહેલાં કદી નહીં પ્રાપ્ત થયેલી એવી અંતિમ સમયમાં થનારી અશુભ કર્મોને ક્ષયરૂપ નિર્જરાની ઈચ્છા કરવાવાળે તું સ્વતંત્ર થઈને પિતાની મેળે સમતા પરિણામો વડે ચેડા જ વખત માટે આ થોડું દુઃખ સહન કરી લે. જેટલા કાળ પર્યંત તે સંન્યાસ ધારણ કર્યો છે, આહારાદિકને ત્યાગ કર્યો છે, એકાગ્રતાથી સ્વાત્માનું ચિંતવન કરતાં સંથારા (પથારી) ઉપર નિવાસ કર્યો છે, તેટલા કાળ પર્યંત તું ક્ષણે ક્ષણે જ્ઞાનાવરણદિ અનેક કર્મોને અવશ્ય નાશ કરવાને છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના હું આરાધક ! ભૂખ તરસ આદિ પરિષùા જીતવામાં શ્રી ઋષભદેવ આદિનું સ્મરણ કર. છ માસ સુધી તેમને ક્ષુધા પરિષદ્ધ સહન કરવા પડ્યો હતા. ૨૩૬ એક વાર તીવ્ર વાયુ વાવાથી ઘાસની ગંજીમાં આગ લાગી હતી. તે લાગતી ગંજીમાંનું ઘાસ વાયુથી ઊડીને પાસે ઊભેલા શિવભૂતિ મુનિ ઉપર આવી પડયું. પરંતુ તે મુનિ તેનાથી કિંચિત પણ ચલાયમાન થયા ન હતા, પરંતુ પોતાના આત્માનું ધ્યાન કરીને શીઘ્ર કેવલજ્ઞાની થયા હતા. આ અચેતન દ્વારા કરેલા ઉપસર્ગને સહન કરવાનું દૃષ્ટાંત છે. પાંડવાના શત્રુ કૌરવાના ભાણેજોએ પાંડવાને કંઠ આદિ પ્રદેશમાં આભૂષણાની કલ્પના કરીને અગ્નિમાં સળગતી લાઢાની ધગધગતી સાંકળા પહેરાવી હતી, અને પગમાં મોટા મેટા લેાઢાના ખીલા ઠોકીને જમીન સાથે જડી લીધા હતા. તથાપિ તે મહા મુનિ એ ઉપસર્ગથી જરા પણ ચલાયમાન થયા ન હતા, અને શુદ્ધાત્માનું ધ્યાન ધરીને મેાક્ષ પધાર્યાં હતા. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન તા સાક્ષાત સિદ્ધ થયા હતા. નકુલ, સહદેવ સર્વાર્થસિદ્ધ જઈને પરંપરા સિદ્ધ થશે. મનુષ્ય દ્વારા કરેલા ઉપસર્ગને સહન કરવા આ દૃષ્ટાંત કહ્યું. સ્વામી સુકુમાલનું શરીર સરસવ (શિરીષ) પુષ્પના જેવું સુકેામળ હતું. પરંતુ એક શિયાળણીએ તે અતિ નિર્દયતાથી ભક્ષણ કર્યું હતું. તથાપિ તે મહામુનિએ પ્રાણ છેડ્યા હતા, પરંતુ પોતાના આત્માના ધ્યાનરૂપ માક્ષના ઉપાયને છેડ્યો ન હતા. ખીજા પણ અનેક ધૈર્યંશાળી પુરુષા શાસ્ત્રોમાં સંભળાય Page #258 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ૨૩૭ છે કે જેમણે મનુષ્ય તિર્યંચ દેવ આદિ દ્વારા કરેલા ઉપસર્ગોને સંક્લેશ પરિણામે રહિત સહન કર્યા હતા. અર્થાત્ તેમના હૃદયમાં રાગદ્વેષ મેહને આવેશ થયું ન હતું. તેઓ કેવળ શુદ્ધ સ્વાત્મધ્યાનમાં જ નિમગ્ન રહ્યા હતા. અને તેવી રીતે પિતાને મોક્ષરૂપ સ્વાર્થને સાથે હતે. હે અંગ! હે મહાત્મન ! મોક્ષની ઈચ્છા કરનાર મહાનુભાએ અનેક ઘેર ઉપસર્ગ હોવા છતાં પણ પિતાને મેક્ષરૂપ ઈષ્ટ પદાર્થ સિદ્ધ કર્યો હતે. એટલા માટે તું પણ કર્મરહિત નિત્ય ચિદ્રપ એવા પિતાને શુદ્ધ આત્મામાં તલ્લીન થઈને આ શરીરને છેડી દે. જે એવા પ્રકારે શરીરને ન ત્યાગતાં તું સંક્લેશ પરિણામેથી ત્યાગીશ તે તું સંસારનાં અનંત દુખેથી ચિરકાળ વ્યાકુળ રહીશ. માટે સંક્લેશ પરિણામે ત્યજીને પરમ અસંગભાવે વીતરાગ ભાવે સમાધિપૂર્વક આત્મામાં તલ્લીન થઈને દેહને ત્યાગી દે. હે રત્નત્રયને ભિન્ન માનનાર ઉત્તમ આરાધક ! આ દ્રવ્યભાવ કર્મરહિત આનંદસ્વરૂપ પિતાને આત્મા જ મોક્ષની ઈચ્છાવાળા પુરુષને ઉપાદેય વા ગ્રહણ કરવા ગ્ય છે, બીજાને આત્મા ઉપાદેય નથી. આ પ્રકારની શ્રદ્ધા તે જ પારમાર્થિક વા નિશ્ચય સમ્યકદર્શન છે. તથા સ્વસંવેદન જ્ઞાનથી તે શુદ્ધ આનંદમય ઉપાદેયસ્વરૂપ આત્માને મન, વચન, કાયા ત્રણેથી વા શરીરથી ભિન્ન પૃથફ અનુભવ કરે તે નિશ્ચય સમ્યજ્ઞાન છે. અને અત્યંત તૃપ્ત વા તૃષ્ણ રહિત થઈને શુદ્ધ આનંદ સ્વરૂપ અનુભૂત સ્વાત્મામાં પિતાનું અંતઃકરણ તન્મય થઈ જતાં તે આત્મામાં આત્માની અવસ્થિતિ અર્થાત્ સ્થિરતા તેને પારમાર્થિક ચર્યા અથવા નિશ્ચય ચારિત્ર કહે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સમાધિ-સાધના दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः । स्थितिरात्मनि चारित्रं कुत एतेभ्यो भवति बंधः ॥ અર્થાત્ પિતાના આત્માને નિશ્ચય થ એ સમ્યદર્શન છે. પિતાને આત્માનું જ્ઞાન થયું તે જ સમ્યજ્ઞાન છે. અને પિતાના જ આત્મામાં સ્થિર થઈ જવું તે સમ્યક ચારિત્ર છે. આ પ્રકારે જ્યારે એ ત્રણેય આત્મસ્વરૂપ છે, તે પછી તેનાથી બંધ કેમ થઈ શકે છે? કદાપિ ન જ થઈ શકે. માટે વ્યવહાર રત્નત્રયને પ્રધાન માનનાર હે આરાધક ! તું પણ પિતાના આત્માને નિશ્ચય રત્નત્રયસ્વરૂપ પરમ ઉત્કૃષ્ટ અને અત્યંત શુદ્ધ જાણ, અર્થાત્ એવા શુદ્ધ પિતાના આત્માને અનુભવ કર. નિશ્ચય સમ્યકતપ આરાધના હે આરાધક ! જે તું વારંવાર શ્રુતજ્ઞાનની ભાવનામાં પરિણત થઈને પુદ્ગલાદિ પરદ્રવ્યોમાંની અલ્પ પણ આકાંક્ષાને સારી રીતે ત્યાગી દઈશ અને નિર્વિધ્રપણે સ્વાત્મામાં દેદીપ્યમાન થઈશ અર્થાત્ પરદ્રવ્યની આકાંક્ષા છોડીને કેવલ સ્વાત્મામાં લીન થઈ જઈશ તે તું નિશ્ચયથી મોક્ષના સાક્ષાત કારણ એવા તપમાં ફ્રાયમાન થઈશ. • આ બે કલેકેમાં ચાર પ્રકારની નિશ્ચય આરાધનાનું સ્વરૂપ કહ્યું છે, પહેલા પ્લેકમાં નિશ્ચય સમ્યગદર્શન આરાધના, નિશ્ચય સમ્યજ્ઞાન આરાધના અને નિશ્ચય સમ્યગ્રચારિત્ર આરાધનાનું સ્વરૂપ કહ્યું છે. આ પ્લેકમાં નિશ્ચયસમ્યગ્રતપ આરાધનાનું સ્વરૂપ કહ્યું. હે સુવિહિત શિરિન અર્થાત સમાધિરૂપી ચૂડામણિને Page #260 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૩૯ ઘારણ કરનાર ! હવે તું જીવન, થન આદિની આકાંક્ષાને ત્યાગ કરવાથી અંતરંગ અને બાહ્ય પરિગ્રહ રહિત થઈને સમતા વા પરમ સામાયિકરૂપ પરિગ્રહથી સુશોભિત થયે છે. અર્થાત પરમ સામાયિકમાં લીન થયા છે. માટે ધ્યાતા, ધ્યાન, દયેય આદિ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ સમાધિમાં નિમગ્ન થઈને આનંદરૂપી અમૃતનું પાન કર. જે સંસારરૂપી સમુદ્રથી તારવાને સમર્થ છે તેને અલંકમીણ કહે છે. જે અલંકમણ થઈને નિર્યાપક છે તેને અલંકમણ નિર્યાપક કહે છે. તે વ્યવહાર નથી સુસ્થિત આચાર્ય છે. નિશ્ચય નયથી શુદ્ધ સ્વાત્માનુભૂતિ પરિણામની સન્મુખ આત્મા જ અલંકમણ નિર્યાપક છે. કારણ કે એ આત્મા જ દુઃખ આપનાર કર્મોને વા અન્ય કારણોને પિતાના આત્માથી અલગ જુદાં કરી શકે છે. આ આત્મા સદા પિતાનામાં જ અભિલાષા કરતે રહેતે હેવાથી, સદા અભીષ્ટ પદાર્થોને જાણે છે અને પિતાનું હિત કરવામાં સદા તત્પર રહે છે એટલા માટે આત્મા જ આત્માને ગુરુ છે. એ પ્રમાણે નિશ્ચય નયથી પિતાના શુદ્ધ આત્માને અને વ્યવહારથી નિર્યાપક આચાર્યને, જેણે પિતાને આત્મા સમર્પણ કરી દીઘો છે, જેણે પહેલાં કહ્યા મુજબ નિગ્રંથતા ધારણ કરી દીધી છે, જેની શ્રમણ એવી સંજ્ઞા છે, અને જે યથાસંભવ ગુણસ્થાનેમાં થનાર નિશ્ચય રત્નત્રયના અભ્યાસથી યેગીઓને અંતિમ સમયમાં ઉત્પન્ન થનાર સમુચ્છિત્રક્રિયાપ્રતિપાતી નામના શુક્લધ્યાનમાં આરૂઢ થયા છે એવા મેક્ષની ઇચ્છાવાળા મુમુક્ષુ પુરૂષ બાહ્ય અને અત્યંતર તપ દ્વારા ઉપર લખ્યા પ્રમાણે કષાય અને શરીર બંનેને કુશ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સમાધિ-સાધના કરીને પરમમુક્ત થઈ જાય છે. આ કથન ઉત્કૃષ્ટ આરાધના કરનારની અપેક્ષાએ કહ્યું છે. મધ્યમ આરાધના કરનારની અપેક્ષાએ આ પ્રમાણે કર્તવ્ય છે કે શ્રમણ વા અણગાર મુનિ મેક્ષની ઈચ્છા કરતા નિગ્રંથ આદિ ચિહ્નને ઘારણ કરીને સંવર સહિત થનારી નિર્જરા કરવામાં સમર્થ એવા રત્નત્રયને અભ્યાસ કરવામાં લીન થઈને પ્રાણેને છોડીને શિવ અર્થાત્ ઇંદ્રાદિ પદોના અભ્યદયથી સુશોભિત થાય છે. તથા આ વર્તમાન કાળમાં થનાર જઘન્ય આરાધકની અપેક્ષાએ ઉપર લખેલાં લક્ષણે સહિત શ્રમણ પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ, ચિંતવન, ઉચ્ચારણ કરતાં પ્રાણેને છેડીને આઠ ભવની અંદર મુક્ત થઈ જાય છે. ઉત્કૃષ્ટ આરાધક કેટલાક એવા આરાધક છે કે જે કાલલબ્ધિ પામીને આઠ કર્મોની બેડીને તેડી નાખીને કેવલજ્ઞાનથી પ્રધાન થઈને તે જ ભવમાં સિદ્ધ થાય છે. એ ઉત્કૃષ્ટ સાધક છે. 1 મધ્યમ આરાધક કેટલાક એવા આરાધક છે જે ચાર પ્રકારની આરાધનાએને સારરૂપે આરાધીને બાકી રહેલા પુણ્યથી સવાર્થ સિદ્ધમાં નિવાસ કરે છે. એ મધ્યમ આરાધક બે ભવમાં મુક્ત થાય છે. - જયન્ય આરાધક જે જઘન્ય રીતે ચાર પ્રકારની આરાધના આરાધે છે તે સાત આઠ ભવમાં મુક્ત થઈ જાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ 'સમાધિ-સાધના ૨૪૧ જે ધ્યાનના ઉત્તમ અભ્યાસથી મેહનીય કર્મને નષ્ટ કરે છે તેવા ચરસશરીરી થેગી તે જ ભવમાં સુત થઈ જાય છે. તથા જે ચરમશરીરી નથી તે કેમે કરી મુક્ત થાય છે. જે ચરમશરીરી નથી અને ધ્યાનને અભ્યાસ કરે છે તેને સદા સમસ્ત અશુભ કર્મોની નિર્જરા અને સંવર થત રહે છે. તથા પ્રત્યેક ક્ષણમાં એવાં અનેક પુણ્ય કર્મોને આસવ થતું રહે છે કે જેના દ્વારા સૌધર્મ આદિ સ્વર્ગોમાં તે કલ્પવાસી દેવ થાય છે. ત્યાં અનેક દેવ તેની સેવા કરે છે તથા બહુ કાળ સુધી ઇન્દ્રિય અને મનને અત્યંત પ્રસન્ન કરનાર સુખામૃતનું પાન કરતાં આનંદથી નિવાસ કરે છે. ત્યાંનું આયુ પૂર્ણ થયે મનુષ્ય જન્મમાં અવતાર લે છે. ચક્રવર્તી આદિ મહાન સંપત્તિ બહુ દિન પર્યત ભેગવી સંસારથી વિરક્ત થઈ, સાંસારિક સર્વ સંપત્તિને ત્યાગ કરી, સંયમને આરાધીને ચારે પ્રકારના શુક્લધ્યાનનું ચિંતવન કરી, આઠે કર્મોને નાશ કરીને અવિનાશી એક્ષપદ પ્રાપ્ત કરે છે. ૬. સમયસાર કળશ (શ્રી અમૃતચંદ્ર સૂરિકૃત સંસ્કૃતનું પદ્યાવતરણ) . હરિગીત છંદ ' સંપૂર્ણ દર્શનજ્ઞાનમય પરમાત્મ શુદ્ધ સ્વભાવ જે, ચિન્મયસ્વભાવી ઉચ્ચતમ સહજત્મરૂપી ભાવ તે; તે સ્વાનુભૂતિથી ઝળકતા, જાણતા સવિ ભાવને, ભાવે નમું સહુજાત્મરૂપી સમયસાર સ્વભાવને. ૧ જે સ્વરૂપ આત્માનું જુએ, ધર્મો અનંતમયી સદા; વળી ભિન્ન કર્મ પ્રપચથી, સ્યાદ્વાદવાણું નમું મુદા. ૨ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સમાધિ-સાધના પર પરિણતિના કારણે, મહાદિ કર્મ વિપાથી, રાગાદિ અવિરત કાલિમા, મુજ સ્વરૂપમાં અતિ વ્યાપતી; વ્યાખ્યા સમય આ સારની હું સ્વાનુભવ સુખરૂપને, હેજે પરમ વિશુદ્ધિપ્રદ, ચિન્માત્ર શુદ્ધ સ્વરૂપને. ૩ નિશ્ચય અને વ્યવહાર બંને, નયવિધ શમાવતી, સ્યાદ્વાદવાણ જિન તણું અમૃતરસ રેલાવતી; જે મેહ વમી તેમાં રમે, ઝટ શુદ્ધ આત્મદશા લહે, તે સમયસાર સુશ્રેષ્ઠ તિ, અખંડિત સદા રહે. ૪ પ્રારંભમાં નીચે પડેલાને બને કે અરે ! વ્યવહાર નય હસ્તાવલંબન, પણ ન તે તે કંઈ ખરે; જે પર થકી વિભિન્ન પરમાત્મા જુએ નિજ અંતરે, ચૈતન્ય તિ શ્રેષ્ઠ કેવળ નિશ્ચયે તે તે વરે. ૫ નિશ્ચયનયે જીવ એકલે, નિજગુણ પર્યાયે રહ્યો, વ્યવહારથી તે જ્ઞાનઘન પર દ્રવ્યમાં ભાસે ભળે; પર દ્રવ્યને નવ તત્ત્વથી તદ્દન જુદું ચેતન અહા ! અનુભૂતિ એ સમ્યક્ત્વ આત્મારૂપ મુજને પ્રગટ હે. ૬ એ આત્મતિ પ્રગટ પ્રગટે, શુદ્ધનય અવલંબને નવ તત્વમાં વર્તે છતાં, નિજ ના તજે એકવને ૭ જ્યમ કનક વિધવિધરંગી ભૂષણમાં રહ્યું પણ કનક તે, ત્યમ જીવ ચિર નવ તત્ત્વમાં પરિણમે તે પણ એક તે; તે સતત ભાળ દ્રવ્યરૂપે ચેતન અવિરુદ્ધ એ, નિજ આત્મજ્યતિ સર્વ કાળે જ્ઞાનગેચર શુદ્ધ એ. આ ચેતનારૂપ જીવને આસ્વાદ અનુભવ જ્યાં તે, ત્યાં સૂક્ષમ સ્થૂલ વિકલ્પવા દ્વૈતભાવ ટળી જતે; Page #264 -------------------------------------------------------------------------- ________________ સમાધિસાધના ૨૪૩ નય લક્ષ્મી ત્યાં નહિ ઉદ્ભવે વળી અસ્ત થાય પ્રમાણુ ત્યાં, નિક્ષેપચક ન જાણુંએ, અત્યંત દરે જાય ક્યાં ? ૯ પર ભાવથી વિભિન્ન આત્મસ્વભાવ કેવળ એક જે, વળી એ અનાદિ અનંત, નિજગુણથી પ્રપૂર્ણ વિમુક્ત છે; સંકલ્પ ને વિકલ્પની વિસ્તૃત જાળ વિનાશ, અહીં ઉદય પામે શુદ્ધનય એ ચિસ્વભાવ પ્રકાશ. ૧૦ સર્વત્ર જ્ઞાન પ્રકાશ જેને, જળહળ હે જગજી ! તજી મેહ, ધ્રાંતિ સ્વરૂપની, તે શુદ્ધ આત્મા અનુભવો; જ્યાં અન્ય ભાવ બદ્ધપૃષ્ટાદિ પ્રતિષ્ઠા ના લહે, પણ માત્ર તે તે ઉપર તરતા, પ્રગટ પણ દૂરે રહે. ૧૧ જે કર્મબંધ ત્રિકાળને તત્કાળ ભિન્ન કરે સુધી, બળ કરી જીતી મેહને અભ્યાસતા સ્વાનુભૂતિ, એ સ્વાનુભવથી ગમ્ય આત્મા, પ્રગટ નિજ મહિમા વિષે, ઉર દેવ શાશ્વત કર્મ કર્દમ મુક્ત નિત્ય સ્વયં દીસે. ૧૨ 'ઈમ શુદ્ધ નયસ્વરૂપ આત્માનુભૂતિ જ્યાં અંતરે, છે તે જ જ્ઞાનાનુભૂતિ, એમ નિશ્ચયે જાણી ખરે; રે! આત્મને આત્મા વિષે, સ્થાપી અચળ વૃષ્ટિ ધરે, તે જ્ઞાનઘન શુદ્ધાતમા ને એક નિત્ય સદા વરે. ૧૩ જ્યમ લવણ કાંકરી ક્ષાર રસલીલા સદા અવલંબતી, ત્યમ જ્ઞાનરસપરિણમન પૂરણ પરમ શ્વેત પ્રકાશતી; તે સહજ અંતર બાહ્ય વિસે, ત અમ પ્રગટો ઉરે, જે અનાકુળ અનંત જળહળ અખંડિત સદા સ્કુરે. ૧૪ નિજ સિદ્ધિસાધક સજજને ! આ જ્ઞાનઘન જીવ સર્વદા, બે સાધ્ય સાધક ભાવથી, પણ એક ઉપાસે સદા. ૧૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સમાધિ-સાધના વૃશિ, જ્ઞપ્તિવૃત્તિ ત્રણ્ય ભેદે જીવ મેચક જાણિયે; તે એકી સાથે અમેચપણ સ્વયં એક પ્રમાણિ. ૧૬ પરિણમે દર્શન જ્ઞાન ચારિત્રે ત્રિધા મેચક તહીં એ સ્વયં એક અભેદ પણ વ્યવહારથી ત્રણ ગુણમયી. ૧૭ નિશ્ચયનયે એ પ્રગટ જ્ઞાયક જ્યોતિ એક ચિદાત્મ છે, સવિ ભાવભેદ નિવારવા એ અમેચક સહજાત્મ છે. ૧૮ ચિંતા હવે બસ બસ કરે, મેચક અમેચતા તણું; વૃશિ જ્ઞપ્તિ વૃત્તિથી સદા, નિજ સાધ્ય સિદ્ધિ તે ગણી. ૧૯ ત્રિધાપણું પામ્યા છતાં, ના એકતા મૂકે કદા, વળી જે વિમળતાથી ઉદય પામી રહે છે સર્વદા ચૈતન્ય ચિહ્ન અનંત જેનું આત્મતિ તે સદા, અનુભૂતિ તેની સતત કરીએ સાધ્ય સિદ્ધિ ન અન્યથા. ૨૦ જે કઈ રીતે ભેદજ્ઞાનમૂળ કરી સ્વાનુભૂતિ, નિજ આત્મની નિશ્ચળ રીતે પામે સ્વર્ય કે અન્યથી; તે સર્વ દર્પણ સમ પ્રતિબિંબિત ભાવ સમસ્તને, નિજ જ્ઞાનમાં ભાસિત છતાં અવિકારી રહેતા સતત તે ૨૧ રે! જગત મેહ અનાદિ તજી દો, લીને ત્યાં શું સર્વદા ? રુચિકર રસિક જનને ઉદિત આ જ્ઞાન આસ્વાદો મુદા; કહીં કઈ રીતે કદીય ચેતન જડરૂપે નહિ સંભવે, આત્મા અનાત્મા સાથે કદિ તાદાસ્યવૃત્તિ ના હુવે. ૨૨ રે! કઈ રીતે મરીને પણ તત્વ ઉત્સુક્તા ઘારી, કર સ્વાનુભવ મુહૂર્ત તનને પડોશી થઈને જરી; ચિસ્વરૂપ જડથી ભિન્ન નિજમાં વિલસતે સ્વ ભાળતાં, તું શીઘ તજશે રૂપી સાથે, એક્તારૂપ મેહ ત્યાં. ૨૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ સમાધિસાધના ૨૪૫ નિજ કાંતિથી જે દશદિશાને ઘેઈ નિર્મળ અતિ કરે, નિજ તેજથી ઉત્કૃષ્ટ તેજ પ્રપૂર્ણ રવિને મદ હરે; નિજ રૂપથી જનમન હરે, અમૃત સુખને સિંચતા, દવનિ દિવ્યથી ભવિકર્ણમાં સાક્ષાત્ સુધા વરસાવતા; તે તીર્થપતિ આચાર્ય જગમાં વંદ્ય જગને તારતા, ઉત્કૃષ્ટ એક સહસ ઉપર અષ્ટ લક્ષણ ધારતા. ૨૪ આ નગર ઊંચા કેટથી જાણે ગ્રેસે આકાશને, વળી સર્વ બાજુ બાગપંક્તિથી ગળે ભૂભાગને, ચારે તરફ વળી ખાઈ ઊંડીથી પીવે પાતાળને, એ નગરનું વર્ણન થતાં ના નૃપનું વર્ણન બને. ૨૫ તે રૂપ જિનવરનું સદા ઉત્કૃષ્ટ જ્યવંતુ રહે, ત્યાં અંગ અવિકારી અને સુસ્થિતતા સઘળાં લહે; લાવણ્ય સહજ અપૂર્વ સહુની પ્રીતિ સત્વર તે વરે, ગંભીર સાગર સમ સદા, ના ભ ભાવ કદી ઘરે. ૨૬ આત્મા અને કાયાતણું વ્યવહારથી છે એક્તા, નિશ્ચયનયે તે ઉભય જુદાં, સર્વથા ત્યાં ભિન્નતા; વ્યવહારથી તનની સ્તુતિ, સ્તુતિ આત્મની જે કે ગણે, નિશ્ચયનયે ચૈતન્યની સ્તુતિ, તે જ ચેતનની ભણે; તે સ્તવન તીર્થકરતણું જિતહ આદિ છે ખરે, નહિ એકતા જીવ શરીરને નિશ્ચય સદા એ વૃઢ કરે. ૨૭ ઈમ તત્ત્વપરિચિત જ્ઞાનીઓએ એકતા તન સાથે જ્યાં, મૂળથી ઉખેડી નાખી નયયુક્તિ વડે અત્યંત ત્યાં, તે બેધ તેવા પુરુષને તત્કાળ ધરૂપે ન કાં, ખેંચાઈ નિજરસ વેગથી થઈ એક શું પ્રગટે ન ત્યાં? ૨૮ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સમાધિ-સાધના પર ભાવના આ ત્યાગના દૃષ્ટાંતની દૃષ્ટિ યદિ, જૂની ન થાય એ રીતે અતિ વેગથી નહિ વર્તતી; તે પ્રથમ તે પર ભાવ સઘળાથી અતિશય મુક્ત જે, અનુભૂતિ આ તત્કાળ પ્રગટી, સ્વ નિજ સુખયુક્ત તે. ૨૯ નિજ રસ વડે ભરપૂર ભાવે પૂર્ણ નિજ સ્વરૂપ છે, હું અનુભવું અહીં આત્મથી નિજ એક આત્મસ્વરૂપ તે; નથી નથી મેહ સંબંધી કદીએ કે નહિ તે મારે, હું શુદ્ધ ચિદ્દઘન આત્મજ્યતિ તેજપુંજ નિધિ ખરે. 30 સૌ અન્ય ભાવો સાથ આમ વિવેક જાગે અનુપ જ્યાં; ઉપગ આ ધારે સ્વયં નિજ એક આત્મસ્વરૂપ ત્યાં; પરમાર્થ જેને પ્રગટ પ્રગટ્યો, જ્ઞાન દર્શન ચરણ ત્યાં, પરિણમી આત્મા આત્મઉદ્યાને રમે સ્વરમણમાં. ૩૧ પડદે સ્વરૂપને ઢાંકત વિભ્રમ થયે નિર્મૂળ જ્યાં, ભગવાન જ્ઞાન સમુદ્ર આ આત્મા પ્રગટ સવાંગ ત્યાં; હે સર્વ લેકે ! એક સાથે શાંત રસમાં મગ્ન હો! એ શાંતરસ ઊછળી રહ્યો છે લેક સુધી તેને ચહે. ૩૨ જીવ અજીવ બંને ભિન્ન જેવા દ્રષ્ટિ નિર્મળ જેમની, ઉપજાવતું એવા જનેને પ્રતીતિ ભિન્ન પદાર્થની, દૃઢ બંધ યુક્ત અનાદિ જ્ઞાનાવરણ આદિ વિનાશથી, જે પ્રગટ જ્ઞાન વિશદ્ધ પ્રગટયું, આત્મદ્રવ્ય વિકાસથી, તે પ્રગટ આત્મારામ જ્યોતિ અનંત તેજ ઝળકતું, વિલસે અનાકુળ થીર ઉત્તમ જ્ઞાન મન આહૂલાદતું. ૩૩ બસ, થેભ લાભ શું વ્યર્થ કોલાહલ અવરથી છે તને, થઈ સ્વર્ય શાંત છ માસ નિજમાં લીન થઈ જે સ્વાત્મને; Page #268 -------------------------------------------------------------------------- ________________ સમાધિસાધના ૨૪૭ તે હૃદયસરમાં તેજ જેનું ભિન્ન પુગલથી સદા, ભાસે તને નિજ આત્મપ્રાપ્તિ કે નહીં શું તે તદા? ૩૪ ચિન્શક્તિથી જુદા બધા ભાવે સમૂળા ત્યાગીને, ચિન્શક્તિમાત્ર સ્વરૂપ પિતે પ્રગટ તે અવગાહીને; સૌ વિશ્વ ઉપર વર્તતા આ એક શાશ્વત આત્મને, આત્મા વિષે અભ્યાસ અનુભવ આદરે સહજાત્મને. ૩૫ ચિશક્તિ વ્યાપ્ત સંસાર સૌમાં માત્ર જીવ સ્વરૂપ એ, તેથી રહિત સમસ્ત ભાવે માત્ર પુગલરૂપ તે. ૩૬ જે વર્ણ રસ કે ગંધ ભાવે રાગ મહાદિ બધા, છે ભિન્ન આત્માથી છતાં, અજ્ઞાની માને નિજ મુધા; તેથી જુએ જે તત્વથી, જીવ દ્રષ્ટિ અંતર્મુખ કરી, દેખાય તે ના, માત્ર ભાસે એક જીવ સર્વોપરી. ૩૭ . જે વસ્તુથી જે ભાવ બનતા, ભાવ તે વસ્તુ કહે, જ્યમ મ્યાન સેનાની બનેલી સેનું પણ અસિ ના લો. ૩૮ વર્ણાદિ ગુણ સ્થાનક સુધીના ભાવ જડથી જે બન્યા, તે સર્વ જડ, ચેતન નહીં, જીવ જ્ઞાનઘન, તેથી જુદા. ૩૯ ઘીને ઘડે કહેવાય પણ ઘીમય બને ના ઘટ યથા; વર્ણાદિવાળે જીવ કહેતાં, ન જીવ વર્ણમયી કદા. ૪0 જીવ પ્રગટ સ્વસંવેદ્ય આદિ અંત વર્જિત અચળ જ્યાં, તે સ્વયં ચૈતન્યમૂર્તિ ઝળકે દિવ્ય ત અતીવ ત્યાં. ૪૧ છે અજીવ વર્ણાદિ સહિત ત્યમ રહિત એમ દ્વિધા યદા, લક્ષણ અમૂર્ત ગ્રહે જગતથી જીવ સ્વરૂપ જણાય ના; Page #269 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના અતિવ્યાપ્તિ તેમ અવ્યાપ્તિ દૂષણથી રહિત જીવ તત્ત્વને, તેથી વિચારીને કહ્યું છે ભેદ વિજ્ઞાની જને, ચૈતન્ય જીવ લક્ષણુ પ્રગટ, તે અચળ યાગ્ય ગણ્યું યદા, જગ જીવ તે અવલંબો, નિજ ભેદજ્ઞપ્તિ સૌખ્યા. ૪૨ । ઇમ જીવથી અજીવ લક્ષણ ભિન્ન જાણી જ્ઞાની તેા, નિજ આત્મના અનુભવ કરે, પાતે સ્વયં ઉલ્લાસતા, અજ્ઞાનીને વિસ્તરેલ અનહદ મેાહ કાં નાચી રહ્યો ? આશ્ચર્ય તેમજ ખેદ મહા તેથી અમાને આ થયા. ૪૩ અવિવેકરૂપી મહાન નાટક આ અનાદિના વિષે, વર્ણાદિ ચુત પુદ્ગલ ખરેખર નાચતું નિત્યે દીસે; આ જીવ તા ચૈતન્ય ધાતુ શુદ્ધબુદ્ધ ગ્રહાય છે, રાગાદિ પુદ્ગલ વિકૃતિથી જે વિરુદ્ધ સદાય છે. ૪૪ અભ્યાસ ફ્રી ફરી જ્ઞાન કરવતના કરે ઇમ જીવ જ્યાં, જીવ અજીવ અંને ભિન્ન કરતા પ્રગટ વર્તે નાંહિ ત્યાં, ચિન્માત્ર શક્તિ વ્યક્ત વિકસે વિશ્વવ્યાપી જ્ઞાન ત્યાં, અતિ અતિ પ્રકાશે જ્ઞાતૃદ્રવ્ય સ્વયં વેગે જાણુ ત્યાં. ૪૫ આ લાકમાં હું જીવ કર્તા કર્મ મુજ કાપાદિ આ, એ કતુ કર્મ પ્રવૃત્તિ અજ્ઞાની સમૂળી ટાળવા, અતિ ધીર તેમજ ઉચ્ચ એવી જ્ઞાનજ઼્યાતિ ત્યાં સ્ફુરે, પ્રત્યક્ષ જાણે વિશ્વને, ગુણ સર્વજ્ઞાયક તે ધરે. ૪૬ પર પરિણતિને જે તજે, વળી ભેદભાવ નિવારતું, અત્યંત જ્ઞાન અખંડ પ્રગથ્થું ઉચ્ચતમ તમ વારતું; ત્યાં કત્ કર્મ પ્રવૃત્તિને અવકાશ અલ્પ મળે જ કાં ? ત્યમ કર્મબંધ નવીન પુર્દૂગલના જરા શ્ર્ચમ થાય ત્યાં ? ૪૭ ૨૪૮ 7 Page #270 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના પર દ્રવ્યથી નિવૃત્તિ ઇમ ઉત્કૃષ્ટ સંપ્રતિ સાધીને, નિઃશંક થઈ વિજ્ઞાનઘન આસ્તિય નિજ અવલખીને; અજ્ઞાનકૃત જે કર્મ પ્રવૃત્તિ ફ્લેશ નિવર્તતા, જ્ઞાની અની જગ સાક્ષી થઈ પ્રાચીન પુરુષ આ રાજતા, ૪૮ તત્ સ્વરૂપમાં છે વ્યાપ્ય વ્યાપક ભાવ તે નહિ અન્યમાં, શું ક કર્મ સ્થિતિ મળે ના વ્યાપ્ય વ્યાપક ભાવ જ્યાં ? બળવાન એમ વિવેક રવિ–ઉદ્યોત તમ વિનાશતા, જ્ઞાની થતાં કર્તા મટી આત્મા પ્રગટ પ્રકાશતા. ૪૯ ૨૪૯ સ્વપર પરિણતિ જ્ઞાની જાણે, જાણતું પુદ્ગલ નહીં, તા વ્યાપ્ય વ્યાપક ભાવ બંને ભિન્ન કી પામે નહીં; અજ્ઞાનથી ભ્રમબુદ્ધિ કર્તા કર્મ જીવ પુદ્ગલ ગણે, ઝટ જ્ઞાનયેાતિ અય કરવત ભિન્ન કરતું ઉભયને. ૫૦ કર્તા અને જે પરિણમે પરિણામ કર્મ અને ખરે! વળી ક્રિયા પરિણતિ વસ્તુતાએ ભિન્ન ના એક જ ઠરે. ૫૧ • પરિણમે એક સદાય ને પરિણામ એક તણાં સદા, પરિણતિ પણ છે એકની, તા એક માત્ર અનેક ત્યાં. પર એ દ્રવ્ય એકરૂપે નહિ પરિણમે, પરિણામે જુદાં, ત્યમ ભિન્ન પરિણતિ એઉની, એ ભિન્ન રહે એ સર્વંદ્યા, ૫૩ એ દ્રવ્યના નહિ એક કર્તા, કર્મ નહિ એ એકનાં, એ ક્રિયા નહિ વળી એકની, નહિ એક થાય અનેક ત્યાં. ૫૪ પર દ્રવ્યને હું કરું છું' એ અહંકાર અનાદિ, અત્યંત દુર્નિવાર મહા અજ્ઞાન તમ અજ્ઞાનીના; Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સમાધિ-સાધના પરમાર્થ નયના ગ્રહણથી જે એકવાર વિલય થતે, તે જ્ઞાનઘન આત્મા પછી શી રીત બંધનયુત થતું? ૫૫ આત્મા કરે નિત આત્મભાવે, અન્યભાવે પર કરે, આત્મા જ આતમભાવ છે, પર ભાવ નિત્ય પર ખરે. ૫૬ અજ્ઞાનથી તૃણમિશ્ર અન્નાહાર કરનારા યથા, રાગી બને હાથી સમા, જીવ જ્ઞાનરૂપ સ્વયં છતાં; દહીં ખાંડના ખાટા મીઠા રસમૃદ્ધિથી શ્રીખંડને, પીતાં ગણે ગૌદૂધપાન પણ લહે નહિ ભેદને. પ૭ અજ્ઞાનથી મૃગજળ ગણી મૃગ જળ પીવા જ્યમ દેડતા, , તમમાં પડેલી દોરીને જ્યમ સર્ષ ગણી જન ભાગતા; વિકલ્પથી કલેલ સમ જલધિમાં વાથી ઊછળતા, આકુળ થઈ ર્તા ગણે, જીવ શુદ્ધ જ્ઞાનમયી છતાં. ૫૮ જીવ જ્ઞાનથી વિવેક કરતાં, સ્વપર ભેદ પિછાણુતા, જ્યમ હંસ પાણી દૂધની વિભિન્નતાને જાણતા; નિજ અચળ ચિદ્રપ ધાતુના અવલંબને નિત્ય રહી, જે માત્ર જાણે પણ કરે ના, કાંઈ પણ નિરો સહી. ૫૯ જ્યમ ગરમ જળમાં ગરમી ઠંડી, ભેદજ્ઞાનવડે લહે, વળી સ્વાદ શાક અને લવણને ભિન્ન જ્ઞાને જ્યમ ગ્રહે; કેધાદિ કર્તભાવ ને ચેતન સ્વરસવિકસિત સદા, એ ભિન્ન બન્ને પ્રગટ થાયે, ભેદજ્ઞાને સર્વદા. ૬૦ એ રીત આત્મા કરે પિતે જ્ઞાન કે અજ્ઞાનને નિજ ભાવને કર્તા ખરે, કદી ના કરે પર ભાવને. ૬૧ Page #272 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ૨૫૧ જીવ કરે જ્ઞાન જ જ્ઞાન પિત, જ્ઞાનવિણ પર શું કરે? પર ભાવ કર્તા, મેહ એ, વ્યવહારીને જાણે ખરે. ૬૨ જીવ કરેન પુદ્ગલ કર્મ તે કહે કેણુ કર્તા તેહને? ઉદ્ભવે શંકા એમ તે જિજ્ઞાસુ સુણજે સજજને અતિ તીવ્ર વેગે વ્યાપતા એ મેહરૂપ શત્રુતણે, સંપૂર્ણ કરવા નાશ, મહિમા જાણજે સુજ્ઞાનને. ૬૩ * પરિણામ શક્તિ સ્વભાવથી નિર્વિધ્ર પુદ્ગલની કરે; પુદ્ગલ કરે જે ભાવ તેને તે જ કર્તા તે ખરે. ૬૪ ને પરિણામ શક્તિ સ્વભાવથી આત્મા તણી નિર્વિધ્ર જ્યાં, ત્યાં ભાવ નિજ આત્મા કરે, કર્તા કરે તેને જ ત્યાં. ૬૫ - જ્ઞાનમય ક્યમ ભાવ જ્ઞાનને ન બીજે સંભવે ? અજ્ઞાનમય અજ્ઞાનીને ક્યમ અને તેને ના હુવે ? ૬૬ જ્ઞાને કરીને નીપજે ભાવે સકલ જ્ઞાનીતણું, અજ્ઞાનથી ત્યમ નીપજતા સવિ ભાવ અજ્ઞાનીતણું. ૬૭ અજ્ઞાનમય ભાવે તણી અજ્ઞાની વ્યાપે ભૂમિને, તે દ્રવ્ય કર્મ નિમિત્ત એવા ભાવના હેતુ બને. ૬૮ નય પક્ષપાત તજી વસે જે સ્વરૂપગુપ્ત સ્વમાં સદા; તે શાંતચિત્ત વિકલ્પ વર્જી જે પીએ સાક્ષાત સુધા. ૨૯ નય એક બંધન યુક્ત કહે, ના તેમ બીજો તે કહે, ચૈતન્યમાં ઈમ બેય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્ ચિત્ અનુભવ નિશ્ચયે ચિદુ એક છે. 80 Page #273 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના નય એક માહી, મૂઢ કહે, ના તેમ આજે તા કહે, ચૈતન્યમાં ઈમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિક્ ચિદ્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૭૧ નય એક રાગી, રક્ત કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઈમ ધ્યેય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૭૨ નય એક દ્વેષી જીવ કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિમ્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૭૩ ૨૫૨ 1 નય એક જીવ કર્તા કહે, ના તેમ બીજો તે કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૭૪ નય એક જીવ લેાક્તા કહે, ના તેમ ખીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદ્યા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્તૂ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિદ્ એક છે. ૭૫ નય એક જીવને જીવ કહે, ના તેમ ખીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિદ્ ચિદ્ અનુભવ, નિશ્ચયે ચિનૢ એક છે. ૭૬ Page #274 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના નય એક જીવને સૂક્ષ્મ કહે, ના તેમ ખીજો તા કહે, ચૈતન્યમાં ઈમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિમ્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૭૭ નય એક જીવને હેતુ કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૭૮ નય એક જીવને કાર્ય કહે, ના તેમ બીજો તો કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, જે તત્ત્વવેત્તા તે સદા, નય તેને સા ચિત્ ચિદ્ અનુભવ ૨૫૩ નય એક જીવને ભાવ કહે, ના ચૈતન્યમાં ઇમ એય નયના, જે તત્ત્વવેત્તા તે સદા, નય તેને સદા ચિમ્ ચિત્ અનુભવ, પક્ષપાત ઉભય રહે; પક્ષપાત રહિત છે, નિશ્ચયે ચિહ્ન એક છે. ૭૯ તેમ બીજો તા કહે, પક્ષપાત ઉભય રહે; પક્ષપાત રહિત છે, નિશ્ચયે ચિત્ એક છે. ૮૦ નય એક જીવને એક કહે, ના તેમ બીજો તે કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિમ્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિહ્ન એક છે. ૮૧ નય એક જીવને સાંત કહે, ના તેમ બીજો તે કહે, ચૈતન્યમાં ઇમ ધ્યેય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્તૂ ચિદ્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૮૨ Page #275 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના નય એક જીવને નિત્ય કહે, ના તેમ ખીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિહ્ન એક છે. ૮૩ નય એક જીવને વાચ્ય કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સત્તા ચિત્ ચિદ્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૮૪ ૨૫૪ નય એક જીવ નાના કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઇમ ધ્યેય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સત્તા ચિત્ ચિદ્ અનુભવ,નિશ્ચયે ચિત્ એક છે. ૮૫ નય એક જીવને ચૈત્ય કહે, ના તેમ બીજો તે કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિત્ ચિદ્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૮૬ નય એક જીવને દૃશ્ય કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિમ્ ચિદ્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૮૭ નય એક જીવને વેદ્ય કહે, ના તેમ બીજો તા કહે, ચૈતન્યમાં ઇમ એય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સઢ્ઢા ચિત્ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૮૮ Page #276 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ૨૫૫ નય એક જીવને ભાત કહે, ના તેમ બીજે તે કહે, ચૈતન્યમાં ઈમ બેય નયના, પક્ષપાત ઉભય રહે; જે તત્ત્વવેત્તા તે સદા, નય પક્ષપાત રહિત છે, તેને સદા ચિ ચિત્ અનુભવ, નિશ્ચયે ચિત્ એક છે. ૮૯ ઈમ સ્વયં બહુ વિકપ જાળે, ઊછળતી જેમાં સદા, નયપક્ષકક્ષા મહાન તેને, ઉલંઘી સહેજે જતા; અંતર બહિર સમતારૂપી, રસ એક છે નિજભાવ જે, તે તત્ત્વવેદી પામતા, અનુભૂતિ માત્ર સ્વભાવને ૯૦ ઈમ ઇંદ્રજાળ સમા વિકલ્પ, ચપળ ઊછળે બહુ જહાં, ઝટ જાય ભાગી ફુરણમા, જતિ ચિન્મય હું તહાં. ૧ ઉત્પાદ વ્યય ને ધ્રૌવ્ય ભાવે, ચિસ્વભાવ પ્રપુંજથી, પરમાર્થ એવું સ્વરૂપ જેનું, એક એ નિજ તેજથી; શોભી રહ્યા, એ સમયસાર અપાર, નિજ સહજાત્મને, અનુભવું છું તજી કર્મ ઉદયે બંધભાવ સમસ્તને. ૯૨ નય પક્ષ વિણ જે અચલ નિર્વિકલ્પભાવે ભાસતે, વળી શાંત પુરુષ અનુભવે તે સમયસાર પ્રકાશને; વિજ્ઞાન રસ છે એક જે ભગવાન પુરુષ પુરાણુ એ, તે જ્ઞાન દર્શન પણ અને જે કંઈ કહે તે એક એ. ૯૩ જ્યમ પણ નિજ સમૂહથી યુત ગહન વનમાં ઘર ભમે, તે બળ વડે નિજ સમૂહ પ્રત્યે ઢાળ માગે ફરી મળે; ત્યમ સ્વરૂપથી શ્રુત જે ભમે વિકલ્પ જાળવને અતિ, તે દૂરથી વિવેકઢાળે વળી જતા નિજ પદ પ્રતિ, વિજ્ઞાનઘનરસના રસિક આત્માથી બળથી વાળતા, વિજ્ઞાનઘનરસસ્વરૂપ પ્રત્યે, આત્મરમણે રાચતા. ૯૪ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સમાધિ-સાધના વિકલ્પ કરનારે જ કર્તા કર્મ તે વિકલ્પ જ્યાં; સવિકલ્પ જીવને કર્મકર્તાપણું નષ્ટ ન થાય ત્યાં ~ જે કરે તે કેવળ કરે, ને જાણતે જાણે ખરે, જે કરે તે જાણે નહીં, કદી જાણનારે ના કરે. ૯૬ જે ક્રિયા કરવારૂપ છે, શક્તિ ક્રિયા તેમાં નહીં, પ્રિક્રિયામાં પણ કરેતિ ક્રિયા કદી ભાસે નહીં; છે તેથી જ્ઞપ્તિ ને કરેતિ બેઉ ભિન્ન વિભિન્ન જ્યાં, તેથી ન જ્ઞાતા થાય કર્તા, સિદ્ધ થાય એમ ત્યાં. ૭ નથી કર્મમાં કર્તા કદા, ત્યમ કર્મ કર્તામાં નથી, ઈમ બેઉમાં નિષેધ જ્યાં, શી કર્તકર્મણી સ્થિતિ? જે આમ જ્ઞાતામાંહિ જ્ઞાતા, કર્મમાંહિ જ કર્મ છે, એ વ્યક્ત વસ્તુસ્થિતિ છતાં, અહીં મેહ નાચે કેમ છે? ૯૮ ચિક્તિચયના ભારથી ગંભીર અચળ ઉજજવળ અતિ, આ જ્ઞાનતિ પ્રગટ પ્રગટી અંતરે જળહળ થતી, અજ્ઞાનમાં કર્તા થતે તે જીવ તે કર્તા મટ્યો, પુદ્ગલ થતું'તું કર્મ તે પણ કર્મભાવ હવે મચ્યો; રહે જ્ઞાનરૂપે જ્ઞાન ને પુદ્ગલ રહે પુગલરૂપે, સ્થિત થાય બંને દ્રવ્ય, પરિણતિ પર મૂકી,નિજનિજરૂપે. ૯ શુભ અશુભ ભેદે બે પ્રકારે, કર્મ કરતે એક જે, તે સ્વયં જ્ઞાન સુધાંશુ પ્રગટ્યો, મહરજ હરી છેક જે. ૧00 અભિમાન બ્રાહ્મણનું ધરે, તે એક મઘ તજે રે, “હું શુદ્ધ છું માને બીજે તે સ્નાન તેથી નિત કરે; એ બેઉ જખ્યા શુદ્ધિ. ઉદરે એક સાથે તે ખરે, તે શુદ્ર સાક્ષાત્ તેય વર્તે જાતિ ભિન્ન જમે અરે ! ૧૦૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૫૭ નહિ ભેદ આશ્રય હેતુ અનુભવ ને સ્વભાવ વિષે રહ્યો, તેથી કર્મ અનંત તે પણ ભેદ ત્યાં એક જ કહ્યો; આશ્રિત કર્મ સમસ્ત બંધન માર્ગને છે જ્યાં રહ્યાં, એ બંધ હેતુ કર્મ સર્વે શુભ અશુભ એક જ કહ્યાં. ૧૦૨ સર્વજ્ઞ કર્મ સમસ્તને કહે બંધને દુઃખદાયી જ્યાં; શુભ અશુભ કર્મ નિષેધ્યું તેથી, સ્વાનુભવ શિવદાયી ત્યાં. ૧૦૩ નિષેધતાં ઇમ પુણ્ય પાપ સમસ્ત કર્મ પ્રપંચતા નિષ્કર્મ સ્થિતિમાં જ્ઞાનીએ કદી અશરણતા નહિ પામતા. ૧૦૪ જે જ્ઞાનરૂપ આ આતમા, ધ્રુવ અચળ જ્ઞાનરૂપે થતે, છે તે જ મુક્તિ હેતુ નિશ્ચ, મોક્ષરૂપ સ્વયં છો. ૧૦૫ છે ભવન જ્ઞાનતણું હવે જે જ્ઞાનભાવે સર્વદા; છે જ્ઞાન જીવ સ્વભાવી તે શિવહેતુ જ્ઞાન જ છે સદા. ૧૦૬ નહિ ભવન જ્ઞાનતણું હવે, જે કર્મ ભાવે તે કદા પુદ્ગલ સ્વભાવી કર્મ તે, નહિ કર્મ શિવકારણ કદા. ૧૦૭ રે! મેક્ષહેતુ ઘાતતું, વળી બંધરૂપ સ્વયં સદા; સ્વભાવથી શિવહેતુ ઘાતે નિષેચિત તે સર્વદા. ૧૦૮ મેક્ષાર્થીને તે ત્યાજ્ય છે જ્યાં સર્વ કર્મ પ્રપંચ આ, ઈમ કર્મ ત્યાગ થતાં રહી ક્યાં પુણ્ય પાપ તણું કથા? સમતિ આદિ સ્વસ્વભાવે પરિણમે શિવ સાધતું, નૈષ્કર્મ સાથે બદ્ધરસ ત્યાં જ્ઞાન આવે દોડતું. ૧૦૯ પરિપૂર્ણતા જ્યાં સુધી ન પામે, કર્મવિરતિ જ્ઞાનની, ત્યાં સુધી રહે એકત્ર કર્મો જ્ઞાન, ત્યાં કંઈ નહિ ક્ષતિ; ૧૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પણ કર્યું ઉયે અવશતાથી પરિણમે જ્ઞાન વિશુદ્ધ ભાવે જે માત્ર અવલંબે ક્રિયા, પણ જ્ઞાન કંઈ જાણે નહીં, ત્યમ જ્ઞાનની વાતા કરે, પણ મંદ ઘમે રહી; સ્વચ્છંદને પ્રમાદ્દવશ જે શુષ્કજ્ઞાને વર્તતા, એકાંત નય અવલખનારા,ભવસમુદ્રે ડૂબતા; જે જ્ઞાનરૂપ સ્વયં અને, તે વિશ્વની ઉપર તરે, નહિ વશ પ્રમાદ તણે રહે, ત્યમ કર્મ પણ તે ના કરે. ૧૧૧ જે માહમદિરાપાનથી, શુભ અશુભ કર્મ પ્રભેદને, નચવી રહ્યો ભ્રમરસતણા બહુ ભારથી ઉન્માદ એ; નિજ ખળ વડે મૂળથી ઉખેડી કર્મ તેડુ સમસ્તને, આ જ્ઞાનજ્યાતિ પ્રગટ પ્રગટી, ટાળી તમ અજ્ઞાનને; એ સહજ વિકસિત જ્ઞાનયેાતિ કેલિ કરવા માંડતી, નિજ પરમ જ્ઞાનકળાની સાથે, જ્ઞાન કેવળ સાધતી. ૧૧૨ આસવ મહા ઉન્મત્ત યુદ્ધો યુદ્ધમાં જે અતિ ખલી, જીતે અજિત ઉદાર ગંભીર જ્ઞાન મહા ખાણાવલી. ૧૧૩ જે ભાવ રાગદ્વેષ માડુ વિષ્ણુ, જ્ઞાન નિર્મિત જીવના, તે દ્રવ્ય કર્મોસવા શકે, ભાવ આસવ નાશ તા. ૧૧૪ જે ભાવઆસ્રવ નાશમય થઈ, દ્રવ્ય આસ્રવ ભિન્ન જ્યાં, નિત જ્ઞાનમય ભાવે નિરાસ્રવ એક સાયકરૂપ ત્યાં, ૧૧૫ આત્મા યદિ જ્ઞાની મને, તા નિરાસ્રવ થાયે સદા, તજતા સતત તે રાગ પાતે બુદ્ધિ પૂર્વકના તદા; અણુ બુદ્ધિ પૂર્વક રાગ જીતવા, શક્તિ ફરી ફરી વાપરે, પર વૃત્તિ સર્વે ઉખેડી નાખી પૂર્ણજ્ઞાને તે ઠરે. ૧૧૬ સમાધિ–સાધના અને, ગણે, ૧૧૦ ખંહેતુ તે મુક્તિહતુ તે Page #280 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૫૯ સવિ દ્રવ્ય આસવ સંતતિ, જીવંત જે જ્ઞાની જને, ક્યમ જ્ઞાની નિત્ય નિરાસવી? હે શિષ્ય ! શંકા જે તને. ૧૧૭ અજ્ઞાનથી પૂર્વે કરેલાં કર્મ સત્તામાં છતાં, ત્યમ સમય પાયે ઉદય આવ્યાં, દ્રવ્ય કર્મો ભાસતાં; તે પણ અભાવ સમસ્ત રાગાદિ વિભાવને તહીં, તે જ્ઞાનીને કદી કર્મબંધ જરીય સંભવતે નહીં. ૧૧૮ જ્યાં રાગદ્વેષ વિમેહને, નહિ જ્ઞાનીને સંભવ કદા, ત્યાં બંધ તેને છે નહીં, એ બંઘ કારણ છે સદા. ૧૧૯ જે જ્ઞાનઉન્નત શુદ્ધ નયના આશ્રયે રહીને સદા, અભ્યાસતા એકાગ્રતાને જ્ઞાની જ્ઞાને સર્વદા; એ રાગદ્વેષ વિમેહ આદિથી વિમુક્ત મને સદા, બંધન વિના સહજાત્મરૂપી સમયસાર નિહાળતા. ૧૨૦ જે શુદ્ધ નયથી ચુત થઈ ભવ ભ્રમણ વૃદ્ધિ વશ થતા, રાગાદિ સંબંધે લહી, નિજ જ્ઞાન ભ્રષ્ટ થઈ જતા; પૂર્વે ગ્રહેલા દ્રવ્ય આસવ કર્મબંધ રહે તથા, બહુ બહુ વિચિત્ર વિકલ્પ જાગે, કર્મબંધે ફરી જતા. ૧૨૧ તાત્સર્ય તેથી અત્ર આ કે શુદ્ધ નય તજ નહીં, તેને અત્યાગે બંધ નહિ, તે ત્યાગતાં બંધન સહી. ૧૨૨ એ આદિ અંત રહિત એવું ઘર વિસ્તૃત જ્ઞાન તે, મહિમા અતિશય તે તણે ત્યાં શુદ્ધ નય સ્થિર તે તે; એ સર્વકર્મવિનાશી નયને, ન તજે કૃતી સજજને, એ શુદ્ધ નય અવલંબી, તેમાં સ્થિર થતા જ્ઞાનીજને; સંવરી બાહ્ય જનાર કિરણે, શાંત તેજ નિહાળતા, તે પૂર્ણ જ્ઞાન ઘનઘ નિશ્ચળ સહજપદ નિજ ભાળતા. ૧૨૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સમાધિ–સાધના નિત ઘોત'તી શ્રેષ્ઠ વસ્તુ ભાળતા નિજ અંતરે, રાગાદિ આસ્રવ સર્વથા ઝટ નાશ પામ્યાથી ખરે; નિજ રસ અતીવ પ્રસારતી, સવિ વસ્તુને જાણે સદા, વર જ્ઞાનજ્ગ્યાતિ જળહળી એ, અચળ અનુપમ સર્વદા. ૧૨૪ આસવ મહા ગર્વિત સંવરજયથી કાળ અનાઢિથી, તેને હવે જીતે સદા સંવર તિરસ્કારે અતિ; ઉપજાવતી તે ભિન્ન પરથી, સ્વરૂપ અચળ પ્રકાશતી, ચિન્મયી ઉજજવળ જ્ગ્યાતિ, નિજરસભારથી ત્યાં પ્રગટતી. ૧૨૫ રે ! જ્ઞાન ચિદ્રુપતા ધરે, રાગાદિ જડરૂપને ઘરે, દારુણુ વિદ્યારણુ ત્યાં કરી, એ બેયને જુદાં કરે; એ વિમલ ભેદજ્ઞાન પ્રગટ્યું, સંત હર્ષિત થાવ ત્યાં, નિજ શુદ્ધ જ્ઞાનઘને ઠરા, રાગાદિ પર પરિહાર જ્યાં. ૧૨૬ જો કાઈ રીતે સતત ધારાવાહી જ્ઞાને વર્તતા, નિજ શુદ્ધ આત્મા અચળતાથી આત્મ અનુભવ રત થતા; ત્યાં સતત આત્મારામ, સ્વરૂપે રમણ કરતા, ખાધથી, અતિ શુદ્ધતા પ્રગટાવતા, પર પરિણતિના રાથી. ૧૨૭ નિજ સ્વરૂપ મહિમા લીન છે, જે ભેદજ્ઞાન તણા મળે, નિજ શુદ્ધ આતમ તત્ત્વ ઉત્તમ નિશ્ચયે તેને મળે; તે અચળ પર દ્રવ્યોથી દૂર વર્તતા એવા ખરે, સૌ કર્મક્ષય સંપૂર્ણ કરીને, મુક્તિસુખ અક્ષય વરે. ૧૨૮ સાક્ષાત્ સંવર આ લહેા, શુદ્ધાત્મતત્ત્વ અનુભવે; તે ભેદજ્ઞાને ભેદ્ય કેરી ભાવના ભાવા હવે. ૧૨૯ આ ભેદજ્ઞાન અખંડધારાથી નિરંતર ભાવવું; જ્યાં સુધી પરથી છૂટીને, ના જ્ઞાન જ્ઞાને ઠરી જતું. ૧૩૦ Page #282 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના હુવે. ૧૩૩ ના કરે. ૧૩૪ જે કાર્ય સિદ્ધિ પામી, તે ભેદજ્ઞાન મળે ખરે; જે કાઈ બંધને ફસ્યા, તે ભેદજ્ઞાન વિના અરે ! ૧૩૧ આ ભેદજ્ઞાનપ્રકાશના અભ્યાસથી નિજ અનુભવે, રાગાદિ સર્વ વિભાવવિલયે, કર્મ સંવરતા ખળે; સંતાષધારક, જ્ઞાન નિર્મળ, એક મ્લાન નહીં જરા, તે પ્રગટ પ્રગટ્યું નિત્ય તેજે, લીન જ્ઞાને તે ખરા. ૧૩૨ રાગાદિ આસ્રવ રાકીને સંવર પરમ ઉદ્યત તાં, આગામી કર્મો દૂરથી તે રોકતા ઊભા જહાં; સવિ પૂર્વ કર્મો દુગ્ધ કરવા, નિર્જરા પ્રસરે હવે, આવરણ રહિત ન જ્ઞાનજ્ગ્યાતિ કર્મથી મૂ‰િત તે જ્ઞાનનું સામર્થ્ય કે વૈરાગ્યનું તે છે ખરે ! કે કર્મ ભાગવતાં છતાં તે કર્મ બંધન એ જ્ઞાની વિષયે સેવતાં, પણ ફળ ન તેનું સેવે છતાં ના સેવતા, વૈરાગ્ય જ્ઞાન મળે અહા ! ૧૩૫ છે નિયત શક્તિ જ્ઞાન ને વૈરાગ્ય સ્વગ્રહણુને પરત્યાગથી સ્વાનુભૂતિ એ ભેદ જાણી તત્ત્વથી સ્વપર તણેા ચામેર રાગાદિ અવરના ચેાગથી અતિ વિરમે. ૧૩૬ હું સ્વયં સમ્યદૃષ્ટિ છું, નહિ બંધ મુજને તેા કદી, ઇમ માની ગએઁ ઉચ્ચ પુલકિત મુખ કરે રાગી યટ્ઠિ; તે વ્રત સમિતિ શ્રેષ્ઠ પાળે, તે છતાં પાપી કહ્યા, આત્મા અનાત્મા જ્ઞાનવિણુ સમ્યકત્વ વિરહિત તે રહ્યા. ૧૩૭ ૪ અંધ ! પ્રતિપોયમાં ખની મત્ત રાગી સર્વદા, જ્યાં સુપ્ત કાળ અનાદિથી નહિ સ્થાન નિજનું તે કા; પામતા; સમ્યગ્દષ્ટિને, સદૃષ્ટિને; નિજમાં રમે, ૨૬૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સમાધિ માધના તે જાણું જાગે, અત્ર આવે, અત્ર સ્થાન તમારું આ, ચૈતન્ય ધાતુ શુદ્ધ નિજ રસભારથી સ્થિર ન્યારું આ. ૧૩૮ પદ એકમાત્ર સુસ્વાદ્ય એ, અસ્થાન વિપદાનું જ છે, પદ અન્ય તેની આગળ, ભાસે અપદ સમ સર્વ તે. ૧૩૯ લે એક જ્ઞાયકભાવથી ભરપૂર સ્વાદ મહાન જ્યાં, નિજ વસ્તુ અનુભવ સ્વાદથી પર કદ્ધ સ્વાદ ન શકય ત્યાં; આત્માનુભવના સ્વાદવશ પર જ્ઞાન ઉદય ઉવેખતા, સામાન્ય જ્ઞાનાસ્વાદથી પર જ્ઞાન એકરૂપે થતાં. ૧૪૦ કરી પાન સર્વ પદાર્થ વ્રજરાસભારેથી અતિ મત્ત જે, નિર્મળ અતિ અતિ જ્ઞાન પર્યાયે સ્વયં જ્યાં ઊછળે; ચૈતન્ય રત્નાકર અતિ અદ્દભુત નિધિ ભગવાન તે, નિજ જ્ઞાન કેવળ એક રસધારી અનેકરૂપે થતું. ૧૪૧ દુષ્કર કરી કર્મો સ્વયં ક્લેશિત શિવઉભુખ ! વળી અન્ય મહાવ્રત તેમ તપના ભારથી કદી ભગ્ન હો ! સાક્ષાત મુક્તિ આ નિરામય સ્વયં જ્ઞાન અનુભૂતિ, તે જ્ઞાન ગુણ વિણ જ્ઞાનપ્રાપ્તિ શકય ન પરને થતી. ૧૪૨ આ જ્ઞાનપદ દુઃપ્રાપ્ય છે, કર્મો વડે જી અરે ! તે સહજ જ્ઞાન તણી કળાએ સુલભ જાણે તે ખરે, માટે જગત જીવે હવે તે સ્વરૂપજ્ઞાન કળા બળે, નિજ સ્વરૂપ અનુભવ યત્ન આદર સતત તે પદ મળે. ૧૪૩ ચૈતન્યમાત્ર સ્વરૂપી ચિંતામણિ સ્વયં આ ભાસતે, અદ્ભુત શક્તિ અચિંત્ય સ્વરૂપી દેવ પિતે રાજો; સહજાત્મરૂપે, સિદ્ધ જેના સર્વ અર્થ થયા ખરે, તે જ્ઞાની વાંછે અન્ય નહી, પર પરિગ્રહ શું ઘરે ? ૧૪૪ Page #284 -------------------------------------------------------------------------- ________________ સમાધિસાધના ૨૬૩ સામાન્યથી ઈમ સર્વ પરિગ્રહ ત્યાગી જ્ઞાની સજજને, અવિવેક નિજ પર સ્વરૂપને, અજ્ઞાન હેતુ તેહને, તે ત્યાગવા મન જેમનું, એવા જને જ્ઞાની છતાં; પરિગ્રહ વિશેષે ત્યાગવા અત્યંત યત્ન વધારતા. ૧૪૫ - પૂર્વ કર્મો ઉદય આવ્ય, ભેગ જ્ઞાની જે કરે, પણ રાગ વિરહે, તે પરિગ્રહ ભાવ કર્દી નહિ ત્યાં ખરે. ૧૪૬ - વેદ્ય વેદક ભાવ ચળ, ઈચ્છિત વેદાયે નહીં, વિદ્વાન ઈચ્છે કંઈ ન તેથી, વિરક્તિ સઘળે લહી. ૧૪૭ નહિ કર્મ પરિગ્રહ ભાવ પામે, જ્ઞાની રાગ રહિત જ્યાં, જ્યમ રંગ વચ્ચે કદી ન બેસે, જે કષાયિત તે ન ત્યાં. ૧૪૮ - છે જ્ઞાની નિજ રસથી જ સર્વે રાગરસ ત્યાગી સદા, સવિ કર્મ મયે પતિત પણ લેપાય કર્મો ના કદા. ૧૪૯ જેને સ્વભાવ જ જે રહ્યો, આધીન તે તેને જ છે, તે અન્ય સમ કર કદાપિ, અવરથી નહિ શક્ય છે; જે જ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાન તે કદી થાય ના, હે જ્ઞાની ! ભેગવ પણ તને પરદોષકૃત છે બંધ ના. ૧૫0 હે જ્ઞાની ! કરવા ગ્ય તારે કઈ કદ છે કર્મ ના, તે પણ કહે જે ભેગવું હું, મારું કદી પરદ્રવ્ય ના, તે ભેગવે તું બેટી રીતે, તારું ના તે, ખેદ હા ! ઉપભેગથી નથી બંધ’ તેથી ભેગવું જે કથન આ; તે શું તને ઈચ્છા રહે છે, લેગ ભેગવવાતણું ? વસ જ્ઞાનરૂપે, અન્યથા નિજ દોષથી બંધન સહી. ૧૫૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સમાધિ – સાધના • નહિ કર્મ બળ કરી જોડતું, કરનારને ફળ સાથે જે, કરનાર ફળને ઇચ્છતે, તે કર્મફળને પામતે; થઈ જ્ઞાન, તજી દઈ રાગ, જ્ઞાની કર્મફળ ઈચ્છે નહીં, કરવા છતાં બંધાય ના, ફળપરિત્યાગ સ્વભાવથી. ૧૫ર ત્યાં કર્મફળ તજનાર કર્તા કર્મને નહિ માનીએ, પણ અવશતાથી કર્મ ક્યાંકથી કાંઈ પડતાં આવીને તે આવતાં, નિષ્કપ જ્ઞાને સ્થિત જ્ઞાની જે રહે, તે જ્ઞાની કરતા કર્મ કે નહિ કેણ જાણે તેહને? ૧૫૩ કદ વજાતે ભયચલિત શૈલેષે માર્ગ તજે છતાં, નિર્ભયપણે નિઃશંક સમ્યગૃષ્ટિ સ્થિર થઈ વર્તતા; હું જ્ઞાનતન નિર્વધ્ય આત્મા’, જાણું જ્ઞાન તજે નહીં, આ માત્ર સમ્યગૃષ્ટિ સાહસ આવું કરતા તે સહી. ૧૫૪ ચિલેક શાશ્વત એક નિત્યે વ્યક્ત ભિન્ન ચિદાત્મને, અનુભવ કરે છે જ્ઞાની કેવળ સ્વયં એ સહજાત્મને; તુજ લેક ચિદ્રપ નહીં અવર ભય કેમ જ્ઞાની ઘારતા? નિઃશંક નિર્ભય સહજ અવિરત જ્ઞાન નિત્યે વેદતા. ૧૫૫ નિભેદ એવા વેદ વેદક ભાવબળથી સર્વદા, જ્ઞાની નિરાકુળ સ્વયં વેદે જ્ઞાન એક જ તે સદા; ત્યાં વેદના બીજી નહીં, શું વેદના ભય ધારતા ? નિઃશંક નિર્ભય સહજ અવિરત જ્ઞાન નિત્યે વેદતા. ૧૫૬ સત્ ન પામે નાશ નિશ્ચ, પ્રગટ આ વસ્તુસ્થિતિ, છે જ્ઞાન સત્ સ્વયમેવ તે રક્ષાય શું તે અવરથી? તેથી અરક્ષણ તેનું ના, શી ભીતિ જ્ઞાની ઘારતા? નિશંક નિર્ભય સહજ અવિરત જ્ઞાન નિત્યે વેદતા. ૧૫૭ Page #286 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના નિજ રૂપ નિશ્ચે પરમ ગુપ્તિ પર પ્રવેશસ્વરૂપ નહીં, અકૃત જ્ઞાનસ્વરૂપ નિજનું, જ્ઞાન ગુપ્તિ વર કહી, ઇમ અપ્તિ નહિ જ્ઞાનને, શી ભીતિ જ્ઞાની ધારતા? નિઃશંક નિર્ભય સહેજ અવિરત જ્ઞાન નિત્યે વેઢતા. ૧૫૮ ઉચ્છેદ પ્રાણતણા મરણુ કહેવાય, પ્રાણા આત્મના, છે જ્ઞાન, તે શાશ્વત સ્વયં, તેથી કઢી છેદાય ના, તા મરણ આત્માને નહી, શી ભીતિ જ્ઞાની ધારતા ? નિઃશંક નિર્ભય સહજ અવિરત જ્ઞાન નિત્યે વેદતા. ૧૫૯ ૨૬૫ આ જ્ઞાન એક સદાય નિષ્ચળ સ્વતઃ સિદ્ધ સ્વભાવ જ્યાં, પર ઉદય તેમાં થાય ના, જ્યાં સુધી ત્યાં સુધી તેજ ત્યાં; તેથી અકસ્માત ત્યાં નહીં, ભય જ્ઞાની ક્યાંથી ધારતા ? નિઃશંક નિર્ભય સહજ અવિરત જ્ઞાન નિત્યે વેદ્યતા. ૧૬૦ એ જ્ઞાન નિજરસ પૂર્ણ સવૃષ્ટિ કર્મોને હણે કાત્કીર્ણ ભાગ સમસ્તથી, નિઃશંકિતાદિ ચિહ્નથી; વેઢતા. ૧૬૧ તે ઉડ્ડય વેદે તાય ીથી જરીય અંધ ન ખાંધતા, નિશ્ચિત થાયે નિરા, તે પૂર્વ કર્મો જે નવીન બંધન રાકતા, નિજ અષ્ટ અંગ સહિત એ, વળી ખાંધ્યું પૂર્વે ક્ષય કરે તે, નિર્જરા વિકસિત તે; જે આદિ મધ્યાંતે રહિત, નિજ રસ વડે ભરપૂર એ, થઈ જ્ઞાન પાતે ગગનભૂમિને વ્યાપી નાચે પ્રચુર તે. ૧૬૨ જે અંધ મહારસરાગ ઉદયે સકળ જગ ગાલ કરે, વળી ખેલતા રસભાવ ભરપૂર નાટચથી, તે દૂર કરે; આનંદ અમૃત નિત્ય ભાજી, સહજ રૂપ પ્રકાશતું, ત્યાં જ્ઞાન ધીર ઉત્તાર પરિગ્રહ વિષ્ણુ, અનાકુળ પ્રગટતું. ૧૬૩ - Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સમાધિ-સાધના નથી કર્મપુદ્ગલ વ્યાપ્ત જગ કે એગ કારણ બંધનું, નથી કરણ વિધવિધ, ચિત્ અચિત્ વધ કેઈ કારણ તે થતું રાગાદિ સાથે એકતા, ઉપગ ત્યાં જોડાય તે, ત્યાં બંઘ કારણ જીવને, તે એક કેવળ થાય છે. ૧૬૪ આ લેક કર્મ વ્યાસ, મનવચકાય ગ ભલે રહ્યાં ત્યમ કરણ વિધવિધ, ચિત્ અચિત્ વધે તેય જાયેના તજ્યાં નહિ લાવતાં ઉપયોગમાં રાગાદિ જ્ઞાનરૂપે રહે, એ માહાસ્ય સમ્યવૃષ્ટિનું, તે બંધ નિશ્ચ ના રહે. ૧૬૫ તે પણ સ્વચ્છ વર્તન નહિ યેગ્ય, જ્ઞાની ના કરે, કારણ સ્વચ્છેદે વર્તન એ સ્થાન બંધ તણું ખરે ઈચ્છા વિના જ્ઞાની કરે જે કર્મ તે બંધન નહીં, જે કરે ને જાણે ક્રિયા એ બે વિરોધી તે તહીં. ૧૬૬ જાણે તથાપિ ન કરે, જે કરે તે જાણે નહીં, જે કરે ત્યાં છે રાગ, ને અજ્ઞાન પરિણતિ તે કહી રાગ તે અજ્ઞાન અધ્યવસાય મિથ્યાવૃષ્ટિને, તે બંધનું કારણ બને, નહિ બંધ સમ્યવૃષ્ટિને. ૧૬૭ નિજ કર્મઉદયે નિશ્ચયે જીવને બધુંયે થાય છે, જીવિત મરણ સુખ દુઃખ સઘળું કર્મફળ વેદાય છે; રે! અન્ય જીવે અન્યનાં જીવન મરણ સુખ દુખ કરે, એ માન્યતા અજ્ઞાન છે, ન કેઈ પરનું કંઈ કરે. ૧૬૮ અજ્ઞાન આ પામી જે માનતા, પરથી થતાં, જીવિત મરણ સુખ દુખ આદિ, કર્મફળ બીજા તણું; ઈચ્છક બને તે કર્મ કરવાના અહંકૃતિ રસ વડે, એ આત્મઘાતી નિયમથી મિથ્યાત્વી મહાપાપી ઠરે. ૧૬૯ Page #288 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના અજ્ઞાન અધ્યવસાય આ દેખાય મિથ્યાવૃષ્ટિમાં, વિપરીત, માટે બંધ હેતુ થાય તેની સૃષ્ટિમાં. ૧૭૦ ૨૧૬૭ અધ્યવસાય આ નિષ્ફળ વડે માહિત અજ્ઞાની મને, એવું નથી કંઈ પણ ખરે, જેરૂપ પાતે ના બને. ૧૭૧ ષટ્ દ્રવ્યમય આ વિશ્વથી, નિજ જીવ ભિન્ન સદાય જો, જેના પ્રતાપે વિશ્વરૂપ નિજને કરે જીવ આપ તે; છે માઠુ જેનું મૂળ અધ્યવસાય એવા આ રહ્યો, તે અલ્પ પણુ જેને નથી તે મુનિ સાચા છે કહ્યો. ૧૭૨ જે આત્મબુદ્ધિ પર પદાર્થોમાં જ અધ્યવસાન તે, સર્વત્ર તજવાયાગ્ય કહેતા જ્ઞાની જિન ભગવાન એ, વ્યવહાર ત્યાં પર આશ્રયે સઘળાય ત્યાજ્ય જ માનીએ, રે ! સંત સમ્યક્ નિશ્ચયે નિષ્કપ શ્રદ્ધા આણીએ; નિજ જ્ઞાનઘન સહજાત્મપદ અદ્ભુત મહિમા જાણીએ, તેમાં જ સ્થિરતા સતત સંતા કેમ હૃઢ નહિ આણીએ ? ૧૭૩ નિજ શુદ્ધ ચેતન જ્યાતિથી અત્યંત ભિન્ન અહા ! કહ્યાં, રાગાદ્ધિ સર્વે ભાવકર્મી, બંધ કારણ તે ગ્રહ્યાં, ત્યાં નિમિત્ત શું આત્મા અને કે અવર એ નિશ્ચય કરી, આ પ્રશ્નથી પ્રેરિત જ્ઞાનીઓ કહે તે ચિત્ત ધરા, ૧૭૪ યમ સૂર્યકાન્ત મણુિ સ્વયં નહિ અગ્નિરૂપે પરિણમે, પણ સૂર્યબિંબ નિમિત્ત બનતાં, અગ્નિરૂપે પરિણમે; ત્યમ જીવ પાતે કદી ન થાયે, નિમિત્ત રાગાદિ તા, પર સંગ માત્ર નિમિત્ત ત્યાં, વસ્તુસ્થિતિ એવી ગણુા. ૧૭૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ રે! આમ જ્ઞાની જાણતા નિજ તેથી નરાગાદિ કરે નિજ, સમાધિ-સાધના આત્મવસ્તુ સ્વભાવને; તેમ કર્તા ના બને. ૧૭૬ રે ! આમ અજ્ઞાની ન જાણે આત્મવસ્તુ સ્વભાવને, રાગાદિ પેાતાનાં કરે ત્યાં તેથી કર્યો તે અને. ૧૭૭ પર દ્રવ્ય ને નિજ ભાવનું, નિમિત્ત નૈમિત્તિકપણું, વિચારી એમ વિવેકથી જુદાપણું પર દ્રવ્યનું; પર દ્રવ્ય જેનું મૂળ એ બહુભાવ સંતતિ છેતા, ઇમ એક સાથે ખળ કરી પર દ્રવ્યભાવ ઉખેડતા; અત્યંત વહેતા પૂર્ણ સંવેદન સહિત પ્રકાશતા, એ બંધ મૂળથી છેટ્ટી આ ભગવાન આત્મા પ્રગટતા. ૧૭૮ રાગાદિ કારણ અંધનાં, તેના ઉત્ક્રય વિદ્યારતી, રાગાદિનાં જે કાર્યરૂપ તે અંધ વિધ વિધ ટાળતી; આ જ્ઞાન યાતિ તમ વિનાશી, સજજ એવી શૈાભતી, કે કદ્યાપિ પ્રસર તેના અવર વ્યક્તિ ન રોકતી. ૧૭૯ પ્રજ્ઞારૂપી કરવત વડે જીવ અંધ બેઉ જુદાં કરી, અનુભવ વડે નિશ્ચિત જીવને પ્રગટ મુક્તિ દે ખરી; જયવંત વર્તે જ્ઞાન પૂરષુ, પ્રગટ આનં ભાવથી, ઉત્કૃષ્ટ એ, કૃતકૃત્ય એ, છે સરસ સહજ સ્વભાવથી. ૧૮૦ પ્રજ્ઞા છીણી આ તીક્ષ્ણ એવી યત્નથી પટકાય ત્યાં, અતિ સૂક્ષ્મ અંતરસંધિબંધે, પ્રાજ્ઞ સાવધ થાય જ્યાં, ત્યાં શીઘ્ર આત્મા કર્મ બંને ભિન્ન ભિન્ન જ એ કરે, ચિદ્રુપને કરી મગ્ન અંતર તેજપુંજે સ્થિર ધરે; ચિદ્રપ ચૈતન્યપૂર ત્યાં નિશ્ચય પ્રગટ નિર્મળ અહે ! વળી બંધ તા જ્ઞાનભાવે અચળ સ્થાપિત ત્યાં કરી. ૧૮૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના લક્ષણ ખળે જે ભિન્ન સર્વે, ભિન્ન તે કરીને તથા, ચૈતન્ય લક્ષણ આતમા નિર્વિભાગ મહિમા, શી વ્યથા ? હું શુદ્ધ ચેતન એ જ, યદિ ગુણધર્મ કારક ભિન્ન હેા ! નહિ ભેદ કંઈ પણ શુદ્ધ ચૈતન્ય ભાવરૂપ વિભુ અહા! ૧૮૨ ૨૬૯ અદ્વૈત જગમાં ચેતના, નિજ રૂપ દર્શન જ્ઞાન તે, પણ તે તયે સામાન્ય ને વિશેષરૂપ અભાવ તે; સામાન્ય ને વિશેષરૂપે ચેતના જો ના રહે, તા ચેતના અસ્તિત્વ ત્યાગે, જીવ જતા ત્યાં ગ્રહે; વ્યાપ્ય આત્મા ચેતના વ્યાપક વિના લય થાય ત્યાં, છે નિશ્ચયે તેથી કહી, તૃપ્તિરૂપી ચેતના. ૧૮૩ છે એક ચેતનભાવ તે તા ચેતનામય નિજ અરે ! છે અન્ય ભાવા તે ખઘા છે અન્યના જાણા ખરે ! તા ગ્રાહ્ય એક જ ચેતનામય ભાવ નિજને જાણીએ, તે વિષ્ણુ અન્ય સમસ્ત ભાવા ત્યાજ્ય પર ગણી ત્યાગીએ. ૧૮૪ સિદ્ધાંત આ મેાક્ષાર્થી ઉજ્જવળ ચિત્તધારી સેવો, હું શુદ્ધ ચિન્મય એક ઉત્તમ જ્યાતિ માત્ર સદાય તે; પર ભાવ પ્રગટે ભિન્ન લક્ષણવંત વિવિધ પ્રકારના, તે હું નહીં, પર દ્રવ્ય મુજને, ભિન્ન મારાથી અધા. ૧૮૫ પર દ્રવ્યને જે ગ્રહે તે અપરાધી અંધન પામતા, નિજ દ્રવ્યમાં જે ગુપ્ત અનપરાધી અંધન કાપતા. ૧૮૬ અપરાધી અંધાયે નિરંતર કર્મ અનંત પ્રકારથી, નિરપરાધી નહિ સ્પર્શ કરતા બંધ કાઈ પ્રકારથી; Page #291 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના અપરાથી નિશ્ચે નિજ સ્વરૂપ અશુદ્ધરૂપે સેવતા, શુદ્ધાત્મ સેવે જ્ઞાની તા નિરપરાધી ત્યાં તે થતા. ૧૮૭ ૨૭૦ સુખસંગી તજતા જે ક્રિયા તે, પ્રમાદી નષ્ટ તે ખરે, વળી ચપળ ક્રિયારત તજે નિજ ધ્યેય તે પણ નષ્ટ ૨ ! આત્મા પ્રપૂણુ જ્ઞાનધન જ્યાં સુધી તે પામ્યા નહીં; ત્યાં સુધી મનને બાંધવું આત્મારૂપી સ્તંભે સહી. ૧૮૮ અહીં પ્રતિક્રમણ વિષ જ્યાં કહ્યું, ત્યાં જે પ્રમાદવશે રહ્યું, અપ્રતિક્રમણ તે અમૃત ક્યાંથી હોય ? ચેતવવા કહ્યું; શું આ પ્રમાદવશે જના, નીચે નીચે પડતા રહેા ? ઊંચે ઊંચે શું ના ચઢાયે ? જો અપ્રમત્તતાને ગ્રહેા. ૧૮૯ કષાયના, આળસ પ્રમાદ ગણાય ભારે, ભારથી જ આળસ પ્રમાદ સહિત તેથી શુદ્ધ ભાવ ગણાય ના; નિજ રસે નિર્ભર, અચળ નિજમાં, નિયમથી મુનિ તે ખરે, પામે પરમ વિશુદ્ધતા વળી શીઘ્ર મુક્તિ તે વરે. ૧૯૦ અશુદ્ધિ કરનારું સકળ પરદ્રવ્ય પાતે ત્યાગથી, નિજ દ્રવ્યમાં જે રમે, છૂટે સર્વે તે અપરાધથી; ચિદ્ જ્યાત અમૃતપૂર ઊછળે પૂર્ણ મહિમાદાયી તે, કરી બંધ નાશ સદા પ્રકાશે, શુદ્ધ થઇ શિવ જાય તે. ૧૯૧ એ બંધનાશે અતુલ અક્ષય મેાક્ષ અનુભવતું સદા, એકાંત શુદ્ધ સદાય પ્રગટ્યું, સહુજ આત્મદશાપ્રદા; ગંભીર ધીર સ્વરસભારે જ્ઞાન એકાકાર જ્યાં, પરિપૂર્ણ ઝળકી ઊઠયું મહિમા અચળ નિજમાં લીન ત્યાં. ૧૯૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના સમ્યક્ પ્રલય કરી ક ભાતૃ આદિ ભાવ સમસ્તને, જે બંધ મુક્તિ કલ્પનાથી દૂર રહે પદ પદ વિષે; અતિશુદ્ધ પૂરણ સ્વરસપ્રસરે જ્ગ્યાતિ અચલ પવિત્ર તેા, પ્રગટ ટકાત્કીર્ણ મહિમા જ્ઞાનપુંજ સ્વ પ્રગટત. ૧૯૩ કર્તાપણું ન સ્વભાવ જીવના તેમ ભાખ્તાપણું યથા, અજ્ઞાનથી કર્તા, મથે અજ્ઞાન, કર્તા નહિ તથા. ૧૯૪ ચિદ્ જ્ગ્યાતિ લેાક સમસ્ત વ્યાપે નિજ સ્વભાવે જ્યાં ખરે ઇમ નિજ રસે વિશુદ્ધ આત્મા અકર્તા પરના ઠરે; પણ કર્મ સાથે બંધ થાયે પ્રગટ જગમાં એ અરે! તે ગહન મહિમા કાર્ય પણ અજ્ઞાનના પ્રગટે ખરે. ૧૯૫ · ભાક્તાપણું ન સ્વભાવ જીવના, જેમ કર્તાપણું નહીં; ભાક્તા અને અજ્ઞાનથી તે, તે મળ્યે લાક્ડા નહીં. ૧૯૬ અજ્ઞાની સેક્તા નિત્ય પ્રકૃતિ ઉદયમાં લીન તે યથા, જ્ઞાની ભેાક્તા નહિ કદાપિ, વિરત પ્રકૃતિથી સદા; નિયમ આ નિર્ધારી નિપુણ્ણા, તજી દ્યો અજ્ઞાનને, સહજાત્મમય ચિતૢ જ્યાતિમાં થઈ અચળ સેવા જ્ઞાનને. ૧૯૭ જ્ઞાની કરે નહિ કર્મને, વળી ભેગવે પણ તે નહીં, પણ માત્ર કર્મ સ્વભાવને તે જાણુતા સાક્ષી રહી; તે જાણતાં પણ ના કરે કે ભાગવે નહિ કર્મને, તે શુદ્ધ આત્મસ્વભાવરત ત્યાં મુક્ત વેદે ધર્મને. ૧૯૮ અજ્ઞાન તમથી વ્યાપ્ત કર્તા જીવને માને ખરે, નહિ મેાક્ષ તેના અન્ય જનવત્ મેક્ષ ઇચ્છા છેા કરે. ૧૯૯ પર દ્રવ્ય આતમ તત્ત્વને સંબંધ કંઈ પણ છે નહીં, ઇમ તું કર્મ સંબંધ વિષ્ણુ, પર દ્રવ્ય જીવ કર્યાં નહીં. ૨૦૦ ૨૭૧ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સમાધિ-સાધના આ લોકમાં સંબંધ વસ્તુ એક સાથે અન્યને, જ્યાં છે નિધિત પૂર્ણ રીતે ત્યાં મુનિ કે પરજને ! બે વસ્તુ ન્યારી જીવ જડ, ત્યાં કતું કર્મ ઘટે નહીં, તે દૃઢપણે માને કદી પરદ્રવ્યનું કર્તુત્વ નહીં. ૨૦૧ જે નિયમ વસ્તુ સ્વભાવ આ જાણે બિચારા ના કદી, અજ્ઞાન તમમાં તે ડૂબેલા, જ્ઞાનજ્યોતિ વિણ યદિ; તે કર્મ કરતા, તેથી કર્તાભાવ કર્મતણ કરે, જીવ સ્વર્ય રાગાદિ કરે ત્યાં અન્ય કર્તા ના ખરે. ૨૦૨ જે કર્મ છે તે કાર્ય છે, નહિ કાર્ય કર્તા વિણ હવે, જીવ પ્રકૃતિ એ બેયની કૃતિ, કર્મ કદી ના સંભવે; કારણે પ્રકૃતિ જડ અચેતન, જ્ઞાનહીન છતાંય જે, નિજ કાર્યફળ ભક્તા તણે, પામે પ્રસંગ, અયોગ્ય તે; વળી એક એ પ્રકૃતિ તણું, તે ભાવકર્મ કૃતિ નહીં, કારણ અચેતન પ્રકૃતિ છે, તે ભાવકર્મ ચેતન સહી; ત્યાં જીવ કર્તા તે ખરે, એ ભાવકર્મતણે સદા, એ કર્મ ચેતનનું જ છે, જડ છે ન જ્ઞાતા તે કદા. ૨૦૩ રે! આત્મઘાતક કેઈ કર્તા કર્મને કર્મ જ થે, ત્યાં જીવના કર્તાપણાને તે ઉડાડે વ્યર્થ રે, આત્મા કથંચિત્ કર્મકર્તા અચળ એ શ્રુતિ જે કહે, કેપિત કરતા કેઈ અજ્ઞાની સ્વચ્છેદે તે વહે, રે! મેહથી ઉદ્ધતમતિ તે આત્મઘાતક જીવના, સંશુદ્ધિ અર્થે જ્ઞાનની, વસ્તુસ્થિતિ કહેવાય આ વસ્તુસ્થિતિ સ્યાદ્વાદનિયમે સિદ્ધ નિબંધિત આ, સ્યાદ્વાદ તે જયવંત વર્ત, જ્ઞાની જનસાધિત આ. ૨૦૪ Page #294 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૭૩ રે! સાંખ્યમતી સમ જેન ના આત્મા અર્જા માનશે, પણ ભેદજ્ઞાન થયા પ્રથમ કર્તા નિરંતર માનજે; ને ભેદજ્ઞાન પછી જુઓ એ જ્ઞાનધામે નિયત ત્યાં, જ્ઞાતા સ્વયં પ્રત્યક્ષ નિશ્ચય અકર્તા પર એક ત્યાં. ૨૦૫ આ વિશ્વમાં કોઈ એક કપે ક્ષણિક આત્મા મન વિષે તે અન્ય કર્તા અન્ય ભક્તા મેહથી તેને દીસે; તે મેહ તેને ટાળતે, ચિલ્ચમત્કાર સ્વયં અહીં, અભિચિતે એ નિત્યતારૂપ પીયૂષપુંજ સદા સહી. ૨૦૬ પર્યાય ભેદે દ્રવ્ય નાશે કલ્પના મિથ્યા ખરે, તે પર કરે, પર ભેગવે, એકાંત પ્રગટો ના અરે! ૨૦૭ પરિશુદ્ધ આત્મા ઈચ્છતા કેઈ અંધ અતિવ્યાપ્તિ ગ્રહે, વળી અન્ય કાળ ઉપાધિબળથી અશુદ્ધિ અધિકી કહે ત્યમ શુદ્ધ જુસૂત્રે ક્ષણિક જીવ કલ્પી પર્યાયે જુએ, ઈમ તે તજે ચિદ્રવ્યને નિઃસૂત્ર હાર યથા ખુએ. ૨૮ યુક્તિવશે હો ભેદ કે નિભેદ કતું ભકતુ બે, અથવા ઉભય કર્તા તથા ભક્તા ન છે તે પણ ભલે, અનુભવ વસ્તુને જ, જ્યમ માળા મણિની સૂત્રમાં, હાયે પરેવેલી નિપુણથી, ભેદી તે ન શકાય ત્યાં; ચૈતન્ય ચિંતામણિ માળા આત્મરૂપ સદા અહો ! ભેદાય ના કદી કોઈથી, સર્વત્ર તે ઝળકી રહો ! ૨૦૯ વ્યવહાર દ્રષ્ટિથી જણાયે કહ્યું કર્મ જુદા અરે! નિત એક તું કર્મ વસ્તુ નિશ્ચયે ચિંતવ ખરે! ૨૧૦ નિશ્ચય થકી પરિણામ એહિ જ કર્મ જાણે તે ખરે, પરિણામ પરિણામીનું બને, નહિ અવરનું કદીયે અરે ! ૧૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સમાધિ-સાધના કર્તા વિના નહિ કર્મ તે ફૂટસ્થ વસ્તુસ્થિતિ નહીં, પરિણામરૂપ કર્મોતણું કર્તા બને વસ્તુ સહી. ૨૧૧ અત્યંત નિજ શક્તિ પ્રકાશે, સ્વયં બાહ્ય રહે ખરે, નહિ અન્ય વસ્તુ અવર વસ્તુમાં પ્રવેશ અંતરે; છે સ્વભાવ નિશ્ચિત સર્વ વસ્તુ જ્ઞાની એમ ગણે યદિ, તે મેહી ચલિત સ્વભાવથી ગણી કેમ આકુળ ફ્લેશથી? ૨૧૨ જે એક વસ્તુ લેકમાં તે અન્યની છે ના કદા, તેથી ખરેખર વસ્તુ છે, તે વસ્તુ તે જ રહે સદા; નિશ્ચયે તેથી કઈ વસ્તુ અન્ય બાહ્ય ફરે છતાં, કરી શું શકે એ અન્યને બહુ બાહ્ય આળોટે છતાં. ૨૧૩ જે સ્વયં વસ્તુ પરિણમે કંઈ કરી શકે છે અન્યને, વ્યવહાર વૃષ્ટિથી કદાચિત લેકમાં ઈમ માનીએ; પણ નિશ્ચયે આ લેકમાં સંબંધમાત્ર જરા નથી, કંઈ અન્ય વસ્તુ સાથે બીજી અન્યને કંઈ પણ કદી. ૨૧૪ જે શુદ્ધ દ્રવ્ય નિરૂપણે મતિ સ્થાપી તત્વ અનુભવે, તે ના કદાપિ એક દ્રવ્ય અન્ય દ્રવ્ય ભળ્યું જુએ; આ જ્ઞાન જાણે મને તે ઉદય શુદ્ધ સ્વભાવને, પર દ્રવ્યસ્પશે ચિત્ત આકુળ તત્ત્વથી ચુત માં જને? ૨૧૫ આ શુદ્ધ ચેતનદ્રવ્ય નિજરસરૂપે પરિણમતું યદિ, પર દ્રવ્ય કેઈ તે સ્વભાવે શું પરિણમતું કદી ? શું થાય જ્ઞાન સ્વભાવ પરને? એક જે આત્માત, કદી અન્ય દ્રામાં મળે ના જ્ઞાનગુણ આત્મા ગણે; જમ્ના કરે ઉજજવળ ભૂમિને, ભૂ ન સ્નાની બને, ત્યમ જ્ઞાન જાણે મને, પણ શેય જ્ઞાનનું ના બને. ૨૧૬ Page #296 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ૨૫ ના જ્ઞાન પામે જ્ઞાનતા ને ય શેયપણું લહે, ત્યાં સુધી નિશે ઉદય રાગદ્વેષ દ્વન્દ તણે રહે; અજ્ઞાન, માટે, દૂર થઈ, આ જ્ઞાન જ્ઞાન અને હવે, જેથી પૂર્ણ સ્વભાવ પ્રગટે, રાગદ્વેષ દૂરે હુવે. ૨૧૭ ત્યાં જ્ઞાન એ અજ્ઞાનભાવે રાગદ્વેષરૂપે બને, પણ દ્રવ્ય વૃષ્ટિથી નીરખતાં, કાંઈ છે ના ઉભય તે; તે તત્તવૃષ્ટિથી પ્રગટ સદુદ્દષ્ટિ બંને ક્ષય કરે, ત્યાં જ્ઞાનતિ અચળ પૂરણ સહજ તેને પ્રગટ હે! ૨૧૮ જે તત્ત્વવૃષ્ટિથી જુએ, નહિ અન્ય દ્રવ્ય જણાય ત્યાં, એ રાગદ્વેષ ઉપજાવનારું અલ્પ પણ નહિ અન્ય જ્યાં; ઉત્પત્તિ સર્વે દ્રવ્યની થતી અંતરંગ વિષે છતી, તે નિજ નિજ સ્વભાવથી, અત્યંત પ્રગટ પ્રકાશતી. ૨૧૯ આ આત્મમાં કદી થાય રાગદ્વેષ દેષ ઉસન્ન , પર દ્રવ્યને નથી દેષ, અપરાધી સ્વયં અજ્ઞાન તે; અજ્ઞાનને વિસ્તાર એ, થાઓ વિદિત નિજ રૂપ ત્યાં, અજ્ઞાન અસ્ત થઈ જજે, હું જ્ઞાનઘન ચિરૂપ જ્યાં. ર૨૦ રાગાદિની ઉત્પત્તિમાં જે નિમિત્ત પર દ્રવ્ય જ ગણે, તે શુદ્ધ બોધ વિહીન અંધા, મેહનદી કદી ન તરે. ૨૨૧ અચુત એક વિશુદ્ધ પૂરણ જ્ઞાન મહિમાવત્ સદા, જ્ઞાયક લહે ના વિકિયા દીપક પ્રકાશ્યવડે યથા; વસ્તુસ્થિતિના જ્ઞાનહીન, અજ્ઞાની કેમ તજે મહા, નિજ સહજ ઉદાસીનતા, ને રાગદ્વેષ કરે અહા! રરર જે રાગદ્વેષ વિભાવવજિત તેજથી અતિ શુભતા, વળી નિત્ય નિજ સ્વભાવસ્પશે સ્વાનુભવથી દીપતા Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સમાધિ-સાધના ગત ભાવી કર્મ સમસ્ત વજિત ઉદય સંપ્રતિ ભિન્નતા, ચારિત્ર વૈભવ બળ વડે અનુભવે એ ચિચેતના એ ચેતના ચૈતન્યતિમય ચમકતી છે સદા, જે સીંચતી સવિ લેકને નિજ જ્ઞાનરસથી સર્વદા. ૨૨૩ અતિ શુદ્ધ જ્ઞાન પ્રકાશનું, નિજ જ્ઞાન ચેતનતા વડે, ત્યમ બંધ રેકે શુદ્ધિને અજ્ઞાન સંચેતન વડે. ૨૨૪ કૃતકારિતાનમેદનાથી કર્મ તનમનવચ થતાં, ત્રિકાળકૃત તજી સર્વ અવલખું હવે નિષ્કર્મતા. રર૫ ભૂતકાળમાં કર્મો કર્યા સવિ મેહને વશ મેં રહી, તે પ્રતિક્રમી આત્માથી વતું નિષ્કર્મ આત્મામાં સહી. ૨૨૬ આ મેહના વિલાસથી વિસ્તૃત કર્મોદય દીસે, આલચી વતું આત્મથી નિષ્કર્મ આત્માને વિષે. ર૨૭ ત્યમ ત્યાગી કર્મ સમસ્ત ભાવી મેહ નષ્ટ હવે કરી, ચૈતન્યરૂપ નિષ્કર્મ આત્મામાં હું વતું નિત કરી. ર૨૮ રે! કર્મ આમ સમસ્ત ત્યાગી, શુદ્ધ નય અવલંબું હું, કરી મેહનાશ, વિકાર તજીને, આત્મ અવલંબન ગ્રહું. ૨૨૯ રેકર્મતરફળ ભેગવ્યા વિણ ખરી જાવ તમામ આ, ચૈતન્યરૂપ મુજ આતમને અનુભવું દૃઢ આમ આ. ૨૩૦ કરી કર્મફળ સવિ ત્યાગ, ભગવું ચિસ્વરૂપ ચિદાત્મમાં, ઈમ વૃત્તિ મુજ નિવૃત્ત તે વિણ અન્ય પરિણતિ માત્રમાં નિજ આત્મત દૃઢ રમણતા, આત્મમાં રહું સર્વદા, ઈમ વહે કાલાવલી અનંતી અચળ અનુભવમાં સદા. ૨૩૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૭૭ અજ્ઞાન ભાવે પૂર્વમાં કર્મો કર્યા વિષવૃક્ષ તે, ફળ તેહનાં નવિ ભગવે નિજ આત્મથી સંતૃપ્ત જે; તેવી દશા ઉત્કૃષ્ટ તે નિષ્કર્મ સુખમય પામતા, ફળ રમ્ય તેનાં સંપ્રતિ, ત્યમ ભાવિમાં આસ્વાદતા. ર૩ર એ કર્મ, કર્મવિપાકની અત્યંત વિરતિ ભાવીને, અજ્ઞાનની સંચેતનાને પૂર્ણ નાશ નચાવીને; નિજરસે પ્રાપ્ત સ્વભાવ પૂરણ કરી, પ્રશમરસરૂપ સદા, આ જ્ઞાન ચેતનતા નચાવી, પીયૂષ પીઓ સર્વદા. ૨૩૩ સર્વ વસ્તુ વિભિન્ન, એવા નિશ્ચય કર્યું ભિન્ન જે, તે જ્ઞાન વસ્તુસમૂહ સહ ગૂંથાય ક્રિયા ઊપજે, તે વિણ જ્ઞાનક્રિયાજ કેવળ એવું અતિશય દીપતું, નિશ્ચળ નિરાકુળજ્ઞાન એક જ હવે નિત્ય વિરાજતું ૨૩૪ - પરથી જુદું નિજમાં નિયત, જે અલગ વસ્તુપણું ધરે; તે ગ્રહણ ત્યાગ રહિત નિર્મળ જ્ઞાન એવું ત્યાં કુરે; કે જેથી આદિ મધ્ય અંત રહિત હેજે દીપતું, એ શુદ્ધ જ્ઞાનપ્રપુંજ મહિમા નિત્ય પ્રગટ ઝળકતું. ૨૩૫ - નિજ શક્તિ સર્વ સમેટી આત્મા આત્મમાં પૂરણ થર્યો; તે ત્યાજ્ય સઘળું તજી દીધું, ને ગ્રાહ્યાભાવ બધે ગ્રહ્યો. ૨૩૬ પર દ્રવ્યથી ઈમ જ્ઞાન જુદું, અવસ્થિત રહ્યું ખરે, તે કેમ આહારક હવે કે દેહની શંકા ઘરે? ર૩૭ ઈમ શુદ્ધ ચિન્મય જ્ઞાનને નહિ શરીર સંભવ સર્વદા; તે શરીરમય જ્ઞાતાતણું, નહિ લિંગ શિવકારણ કદા. ૨૩૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના છે જ્ઞાન દર્શન ચરણુ ત્રણરૂપ તત્ત્વ આત્માનું અરે ! માટે મુમુક્ષુ સદા શિવમાર્ગે એ સેવે ખરે. ૨૩૯ ૨૭૮ ભૃગ્ જ્ઞપ્તિ વ્રુત્તિરૂપ નિશ્ચિત એક આ શિવમાર્ગ તે, તેમાં સ્થિતિ, નિત ધ્યાન તેનું એ જ અનુભવ વર્તતા; તેમાં રમણતા નિત્ય ને, પરદ્રવ્ય સ્પર્શ નહીં કદા, તે પ્રગટ શીઘ્ર લહે અવશ્યે સમયસાર સતત સદા. ૨૪૦ જે એ તજી, વ્યવહારમાગે આત્મ સ્થાપી ચાલતા, તે તત્ત્વજ્ઞાન રહિત, કરતા દ્રવ્યલિંગ મમત્વતા; તે જ્ઞાનપુંજ અખંડ અનુપમ નિત્ય નિર્મળ જ્ગ્યાતિ જે, સહાત્મરૂપી દેખતા નહિ સમયસાર હજુય તે. ૨૪૧ વ્યવહાર માહિતવૃષ્ટિ જન પરમાર્થે જાણે નહિ કદા, તુષજ્ઞાનમુગ્ધા તુષ તજી તાંદુલ જાણે નહિ યથા. ૨૪૨ સુનિવેશરૂપ જે દ્રવ્યલિંગે માહુ મમતાને ઘરે, તે અંધ દેખે નહિ કદાપિ, સમયસાર ભવે ક્રે; એ દ્રવ્યલિંગ કે વેષ આદિ અન્ય દ્રવ્યથી છે ખરે, આ જ્ઞાન એક જ આત્મદ્રવ્યે સ્વતઃ થાયે તે અરે ! ૨૪૩ ** વિકલ્પ બહુ ખસ હા હવે, ખસ થાવ બહુ કહેવા થકી, આ એક નિત્ય અનુભવા, પરમાર્થ કહેવા એ નકી; નિજ રસ પ્રસર પરિપૂર્ણ છે જે જ્ઞાન તે પ્રગટે યદિ, તે સમયસાર પ્રભુ વિના ઉત્કૃષ્ટ ખીજું ના કી. ૨૪૪ વિજ્ઞાનઘન પ્રત્યક્ષ જે પ્રગટાવતું, આનંદમય આ એક અક્ષય જગત્ચક્ષુ પુર્ણતા અહીં પામતું. ૨૪૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના નિજ આત્મતત્ત્વરૂપે થયું, આ જ્ઞાન આ રીતે ખરે, તે એક સ્વસંવેદ્ય નિશ્ચળ ૨૭૯ અખાષિત અખંડ ૨ ! ૨૪૬ અહીં સ્યાદ્વાદવિશુદ્ધિ અર્થે, વ્યવસ્થા તત્ત્વની ક઼ી; ત્યમ સાઘ્ય સાધક ભાવને પણ વિચારીશું તેા જરી. ૨૪૭ સંપૂર્ણ બાહ્ય પદાર્થથી પી જવાયેલું જ્ઞાન આ, નિજ પ્રગટતાથી શૂન્ય સઘળે પરરૂપે વિશ્રાંત આ; એકાંતવાદી પશુ જનાનું જ્ઞાન એ નાશ પામતું, પણ સ્યાદ્વાદી જ્ઞાની જનનું જ્ઞાન પૂર્ણ પ્રકાશતું; જે તત્ કહ્યું, તે સ્વરૂપથી તત્, માન્યતા નિશ્ચળ ધરે, નિજ જ્ઞાનધનરૂપ સ્વરૂપભારે પ્રગટ ઊછળતું ખરે. ૨૪૮ આ વિશ્વ જ્ઞાન વિચારી અજ્ઞાની ગણે સૌ બ્રહ્મ તે, તે વિશ્વવસ્તુમય અને નિજ તત્ત્વ માને અન્યને; પશુતુલ્ય અજ્ઞાને કરે સ્વચ્છંદ ચેષ્ટા આમ જ્યાં, સ્યાદ્વાદદી જ્ઞાની તેા જે તત્ અને પરરૂપ ના; વસ્તુસ્થિતિ આ જાણી જગથી ભિન્ન જગનિર્મિત ના. નિજ આત્મ તત્ત્વ પિછાણી સ્પશે, અનુભવે તે અવરના. ૨૪૯ અજ્ઞાની બાહ્ય પદ્ઘાથૅ ગ્રહવાના સ્વભાવ અતિશયે, સવૅત્ર પ્રગટિત વિવિધ જ્ઞેયાકારથી ખળ ક્ષય થયે; તૂટી જતા, સર્વત્ર પામે નાશ, જ્ઞાની ત્યાં ખરે, સ્યાદ્વાદ ખળથી નિત્ય પ્રગટિત, એક દ્રવ્યપણું વરે; તે ભેદભ્રમને દૂર કરતા, જ્ઞાન એક નિહાળતા, નિષ્કંધ અનુભવસ્વરૂપ એવા જ્ઞાન અનુભવ ભાળતા. ૨૫૦ અજ્ઞાની જ્ઞેયાકારરૂપ કલંકની અતિ મલિનતા, ચિદ્રૂપમાંથી ધોઈ નાખી ચહે એકાકારતા, Page #301 -------------------------------------------------------------------------- ________________ સમાધિ સાધના ત્યાં જ્ઞાન વ્યક્ત છતાં ન ચાહે, જ્ઞાની સ્યાદ્વાદી તહાં, તે જ્ઞાન એક અનેક પર્યાયા સહિત પણ જાણુતા, વિચિત્ર એવું જ્ઞાન તે તે, પણ અવિચિત્રતા લહે, જે સ્વતઃ ક્ષાલિત શુદ્ધ એક અનુભવ જ્ઞાની ગ્રહે. ૨૫૧ પ્રત્યક્ષ સ્પર્શાતાં પ્રગટ સ્થિર અન્ય દ્રવ્ય હયાતીથી, વંચિત, દેખે દ્રવ્ય નિજ ના, શૂન્ય તે સર્વત્રથી, અજ્ઞાની પામે નાશ, જ્ઞાની સ્યાદ્વાઢી જીવતા, અસ્તિપણે નિજ દ્રવ્ય આત્મા નિપુણ રીતે દેખતા; તત્કાળ તેથી શુદ્ધ પ્રગટિત જ્ઞાન જ્યાતિ પ્રકાશથી, પૂર્ણ પોતે અમર રહી ડરતા કદી નહિ નાશથી. ૨૫૨ દુર્વાસના વાસિત અજ્ઞાની સ્વરૂપ નિજને ગણે, રે! દ્રવ્ય સર્વમયી, અને પર દ્રવ્યમાં નિજ દ્રવ્યને; તેથી કરે વિશ્રામ નિત્યે અન્ય દ્રવ્ય વિષે તથા, જ્ઞાની પુરુષ પર દ્રવ્યમાં નાસ્તિત્વ માને ત્યાં સદા; પરદ્રવ્યરૂપે સર્વ વસ્તુમાં ગણે નાસ્તિત્વ જ્યાં, નિજ દ્રવ્યના આશ્રય કરે, અનુભૂતિ મહિમાવંત ત્યાં. ૨૫૩ પરક્ષેત્રસ્થિત જે જ્ઞેય વસ્તુ જ્ઞેય જ્ઞાયકભાવ ત્યાં, નિશ્ચિત વ્યાપારે પ્રવર્તે આત્મને બાહ્ય દેખતાં, ત્યાં નાશ અજ્ઞાની લડે, પણ જ્ઞાની નાશ લહે નહીં, નિજ ક્ષેત્રમાં તે વર્તતા, અસ્તિત્વ નિજ ક્ષેત્રે લહી, આત્મા વિષે આકારરૂપે જે થયાં. જ્ઞેયે દીસે, નિશ્ચિત વ્યાપારે પ્રવર્તે શક્તિ પામી તે વિષે. ૨૫૪ ૨૮:૦ નિજ ક્ષેત્રમાં રહેવા તજે, પરક્ષેત્રગત વસ્તુ સદા, પણ જ્ઞેય સાથે આત્મ આકારાય ત્યાગે ત્યાં તદ્દા; Page #302 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના આલંબન સુધી, અજ્ઞાની એમ વિનષ્ટ થાયે, જ્ઞાની નિજ ક્ષેત્રે વસે, પર ક્ષેત્રમાં નિજ નાસ્તિતા તે જાણી નિજથી ના ખસે; તે જ્ઞેય ત્યાગે તે છતાં પર વસ્તુમાંથી ખેંચતા, ચૈતન્યના આકાર, તેથી તુચ્છતા નહિ પામતા. ૨૫૫ પૂર્વે આર્લખિત Ìય પદાર્થ નાશ થતાં સહી, અજ્ઞાની જ્ઞાન િવનાશ માને, જ્ઞાન કંઈ વસ્તુ નહીં; અસ્તિત્વ આત્માનું સદા, નિજ કાળથી જ્ઞાની લહે, તા ખાદ્ય વસ્તુ જાય, ઊપજે, તેય પૂર્ણ સ્વયં રહે. ૨૫૬ અસ્તિત્વ જ્ઞાનતણું ગણું, તે જ્ઞેય ઇમ બાહ્ય જ્ઞેયાલંબ ઈચ્છી નમ્ર અજ્ઞાની કુધી, સ્યાદ્વાદી તા પરકાળથી નાસ્તિત્વ આત્માનું ગ્રહે, વૃદ્ધ સહેજ જ્ઞાનપ્રપુજરૂપે નિત્ય વર્તી શિવ લહે. ૨૫૭ પરભાવનું અસ્તિત્વ જાણું, ખાદ્યમાં વિશ્રામત, અજ્ઞાની આત્મસ્વભાવ મહિમામાં અચૈત વિનાશતા; જ્ઞાની સહજ-સ્વરૂપ-અનુભવથી ન નાશ કદી લહે, નિજ નિયત સ્વભાવ-ભવન—જ્ઞાને, ભિન્ન આપ સદા રહે. ૨૫૮ 'સવિ જ્ઞેય વસ્તુ ભવનરૂપ અજ્ઞાની આત્માને ગણે, નિજ શુદ્ધ આત્મસ્વભાવ મૂકી, રમે ત્યાં નિર્ભયપણે; પણ જ્ઞાની આત્મસ્વભાવમાં, અત્યંત આરૂઢ છાજતા, પર ભાવરૂપ નિજ ભવન નહિ, એ દૃષ્ટિથી સ્થિર રાજતા. ૨૫ ઉત્પાદ વ્યય લક્ષિત વહેતા જ્ઞાનભાવામાં રહે, આત્મા અનેકાત્મકપણે છે એમ અજ્ઞાની લહે; ક્ષણભંગસંગે નાશ પામે, જ્ઞાની નાશ લહે નહીં, નિત્યે ઉદ્દિત ચિન્તુઅનુભવ જ્ઞાનશુદ્ધિ ત્યાં સહી; ૨૮૧ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સમાધિ સાધના રે ! જ્ઞાન જ્ઞેય અનુસાર ઊપજે વિષ્ણુસે પણ તે છતાં, ચૈતન્યભાવ તા ઉય નિત્યે અનુભવ પામતા. ૨૬૦ અજ્ઞાની ટૂંકાકીર્ણ નિર્મળ જ્ઞાન વિસ્તૃત ભાળીને, નિજ નિત્ય આત્મા સર્વથા એ આશયે નિહાળીને; અતિ ઊછળતી ચૈતન્ય પરિણતિથી જુદું કંઈ વાંછતા, સ્યાદ્વાદી જ્ઞાની ચિસ્વરૂપની પરિણતિ ક્રમ ઇચ્છતા, અનુભવી તેની અનિત્યતાને જ્ઞાન ઉજ્જવળ માનતા, તે વ્યાસ વ્યક્ત અનિત્યતાથી નિત્ય તે ય પ્રમાણતા. ૨૬૧ અજ્ઞાનમાહિત સર્વને આ અનેકાંત પ્રકાશતા, તે જ્ઞાનમાત્ર સ્વરૂપ આત્મા, સ્વયં અનુભવ ગત થતા. ૨૬૨ સ્યાદ્વાદ ઇમ વસ્તુવ્યવસ્થાથી સ્વયં સ્વ સ્થાપત, શાસન અલંઘ્ય જિનેન્દ્રનું નિશ્ચિત સિદ્ધ બતાવતા. ૨૬૩ ઈમ શક્તિ નિજ અનેકથી ભરપૂર તા પણુ ના તજે, નિજ જ્ઞાનમાત્રમયપણારૂપ ભાવ નિશ્ચે તે ભજે; છે દ્રવ્ય ને પર્યાયમય ચૈતન્ય વસ્તુ જગ વિષે, કૅમરૂપ કે અક્રમે થાતા વિવર્તાથી તે ીસે. ૨૬૪ સ્યાદ્વાદસંગત દૃષ્ટિથી વસ્તુસ્થિતિ ઇમ દેખતા, સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિ એમ સ્પષ્ટ પિછાણુતા; સ્યાદ્વાદની ઇમ શુદ્ધિ પામી, સ્વયં શુદ્ધિ પમાય છે, જિનનીતિને ન ઉલ્લંઘતા સત્પુરુષ જ્ઞાની થાય છે. ૨૬૫ જે કાઈ રીતે માઢુ ટાળી જ્ઞાનમાત્ર સ્વભાવની, અવલંબતા નિષ્કપભૂમિ, સહજ આત્મિક ભાવની; Page #304 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધનાં સાધકપણું પામી અને તે સિદ્ધ સાધી નિજ દશા, પણ મેહમૂદ ન પામતા તે ભૂમિ, ભમતા ભવ વસ્યા. ૨૬૬ સ્યાદ્વાદમાં જે પ્રવીણ ને નિૠળ સદા સંયમ વિષે, નિશદિન ભાવે સ્વાત્મને, ઉપયુક્ત રહી પાતા વિષે; તે જ્ઞાનનય ને ક્રિયાનય ના મૈત્રીપાત્ર સત્તા ગણા, આશ્રય કરે એ જ્ઞાનમય નિજ ભાવ ભૂમિકા તણા. ૨૬૭ તેને જ ચૈતન્યપુંજના અતિ વિલસતા વિકાસ ત્યાં, તેને જ સુપ્રભાત પ્રગટે જ્ઞાન અતિશય ઝળક જ્યાં; આનંઢમાં તે સ્થિર અસ્ખલિત એકરૂપે સદા, આ અચળ જ્યેાતિ આતમા, તેને જ પ્રગટે સર્વદા. ૨૬૮ સ્યાદ્વાદીપિત તેજ ઝગમગ મુજ વિષે ઝળકે અહીં, નિર્મળ સ્વભાવ સ્વરૂપ મદ્ઘિમા ઉદય પામ્યા મુજ મહીં; આ જ્ઞાન યાતિ પ્રગટ પ્રગટી, મુજ વિષે જે ઝળકતી, શિવ બંધ પાડે પથ એવી શું કરું પર પરિણતિ ? આ નિત્ય જેના ઉદય વર્તે તે સ્વભાવ સદા રહેા, નિજ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય સ્ફુરાયમાન સદાય હા. ૨૬૯ બહુ શક્તિના સમુદાય તેમય આતમા હું જે રહ્યો, નય દૃષ્ટિથી તત્કાલ વિષ્ણુસે ખંડ ખંડરૂપે ગ્રહ્યો; એ ખંડ દૂર કર્યાં વિનાય અત્યંત શાંત અખંડ હું, ચૈતન્યમાત્ર અચળ જ્યાતિ એક નિત્ય સ્વરૂપ હું. ૨૭૦ જે જ્ઞાનમાત્ર હું ભાવ છું, તે જ્ઞેય જ્ઞાન જ માત્ર ના, પણ જ્ઞેય આકારે થતા, કુલ્લાલ જ્ઞાનતણા બધા; તેથી હું જ્ઞાતા જ્ઞાન જ્ઞેય સ્વરૂપ વસ્તુમાત્ર છું, ઉત્તમ બધાં દ્રવ્યો વિષે, નિજ પર પ્રકાશક સ્વરૂપ હું. ર૭૧ ૨૮૩ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સમાધિ-સાધના મુજ તત્વ સહેજે કવચિત્ મેચક કવચિત્ અમેચક દીસે, કવચિત્ બંનેરૂપ એ મુજ સ્વભાવ જ ઉલસે; તે પણ પરસ્પર સુમિલિત એ પ્રગટ શક્તિમંતનાં, ચિત્ તત્વ મહિત ના કરે મન અમલ બુદ્ધિવંતનાં. ર૭ર વૈભવ અહે! સહજાત્મને અદ્ભુત અત્ર નિહાળજે, જ્યાં એક બાજુ અનેતા, ત્યાં એકતા પણ ભાળ; જ્યાં ક્ષણ વિનાશી, ત્યાં જ ઘુવ નિત્યે ઉદયથી ભાળજે, જ્યાં પરમ વિસ્તૃત ત્યાં જ નિજ પ્રદેશમિત નિહાળજે. ર૭૩ જ્યાં એક બાજુ કષાય ક્લેશ, ત્યાં શાંતિ બીજી બાજુથી, ભવદુઃખ એક તરફથી ત્યાં મુક્તિ બીજી બાજુથી; ત્રણલેક ભાસે એક બાજુ, ચિત્ એક બીજી બાજુથી, અદ્ભુત અદૂભૂત આત્મમહિમા, જયવંત સર્વે બાજુથી. ર૭૪ જયવંત વર્તે છે નિયત ચિલ્ચમત્કાર સદાય આ, નિજ સહજ તેજ પ્રપુજમાં ત્રણ લેક મગ્ન દીસે જહાં ભેદો અનેક છતાં સ્વરૂપે એક ચિત્ જ્યોતિ લસે, નિજ રસ પ્રસર પરિપૂર્ણથી નહિ છિન્ન અનુભવ ઉલ્લશે. ર૭૫ રે! અચળ ચેતનસ્વરૂપ આત્મામાં નિરંતર મગ્ન જે, રાખે ચિદાત્મા આત્મથી કરી મેહ તમને ભગ્ન એ; પ્રતિપક્ષી વિણ સ્વભાવ નિર્મળ પૂર્ણ પ્રગટિત તિ આ, અમૃતચંદ્ર પ્રકાશ દિશિ દિશિ, પ્રકાશિત રહે સદા. ર૭૬ પહેલાં થયું એ ત નિજ પર સ્વરૂપથી, અજ્ઞાનથી, અંતર પડયું નિજ સ્વરૂપમાં એ દૈતભાવ થવા થકી; રાગાદિનું તેથી ગ્રહણ, તેથી ક્રિયાકારક થતાં, અનુભૂતિ સર્વ ક્રિયાતણું ફળ ભેગવી ખિન્ન જે થતાં, Page #306 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૮૫ વિજ્ઞાનઘનના ઓઘમાં અજ્ઞાન મગ્ન થયું હવે, તે બધું પહેલાનું નથી કંઈ, કંઈ નથી જ ખરે હવે. ર૭૭ નિજ શક્તિ વસ્તુતત્વ સૂચવે શબ્દ તેણે તે અહીં, વ્યાખ્યા રચી આ સમયસાર તણી, કૃતિ એ મુજ નહીં; જે ગુપ્ત નિજ સ્વરૂપમાં, કર્તવ્ય પર નહિ રાચતા, અમૃતચંદ્ર સૂરિ સદા સહજાન્મ મગ્ન વિરાજતા. ર૭૮ પ્રશસ્તિ દેહી છતાં ય વિદેહી નિશ્ચલ શાંત શીતળ લહી દશા, આત્મસ્થ યોગીવર્ય અનુપમ સ્વાનુભૂતિ સુખ લસ્યા, તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર અચિંત્ય આત્મદશા વર્યો, શાંતિ સમાધિ મગ્ન અદ્ભુત સ્વરૂપમણે જે ઠર્યા. ૧ વ્યાઘાદિ હિંસક પ્રાણી પણ શાંતિ સમાધિ નીરખતાં, અતિશાંત થઈ પ્રભુ ચરણમાં નમી, શ્રેય અદ્દભુત પામતાં; એ શી અસંગ વિદેહી નિર્મળ આત્મમગ્ન દશા અહે ! અવલંબને આત્માથી, ત્યાગી ભ્રાન્તિ, આત્મદશા લહે. ૨ લઘુરાજજી જાગૃત થઈ, શરણે રહી, સ્વદશા લહી, આત્માથીજન ઉપકારી નિજપર શ્રેય સર્વોપરી ચહી; આ તીર્થ શ્રીમદ્ રાજ આશ્રમ સ્થાપી શ્રેયસ્કર બન્યા, ગુરુવર કૃપાળુદેવ આજ્ઞા માર્ગ જી વિરમ્યા. ૩ - ઉદુષણ અત્યંત કીધી, અંત સુધી જે ફરી ફરી, આત્માથીઓએ તે પકડ નિશ્ચલ કરી ઉરમાં ઘરી; “નિજ માન્યતા મિથ્યા અનાદિની હવે તે ટાળવા, કટિબદ્ધ થઈ જાગૃત થા, હે જીવ! સ્વરૂપ નિહાળવા. ૪ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સમાધિ-સાધના આત્મા ન જાણે મેં છતાં જા કૃપાળુ જ્ઞાનીએ, તે જ આ મુજ આતમા, શ્રદ્ધા અચળ એ આણુએ, તે સ્વરૂપપ્રાપ્તિ કારણે ગુરુરાજ શરણ સ્વીકારીએ, આરાધી આજ્ઞા એક નિષ્ઠાથી સ્વસિદ્ધિ સાધીએ. પ શરણે રહી ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ તણા, પ્રગટાવું હું મુજ શુદ્ધ આત્મા, સિદ્ધસમ, ત્યાં ના મણ છે જન્મ મૃત્યુ વ્યાધિ આદિ, દેહને, મુજને નહીં, તે જાણનારે તેથી ત્યારે, અમર આત્મા હું સહી. ૬ એ શુદ્ધ આત્મદશા મને, પ્રગટે ન પૂરણ જ્યાં સુધી, ગુરૂદેવ શ્રી સહજાત્મ પ્રભુનું, શરણ તજું ના ત્યાં સુધી એશ્વર્ય અનુપમ જ્ઞાનને જે પ્રગટ, પ્રગટો તે મને, બીજું કશું ચાહું નહીં તે માત્ર જે જ્ઞાની કને. ૭ સંપૂર્ણ દર્શન જ્ઞાનસુખ શક્તિ અનંતી સ્વાત્મની, એ એક રુચિ, ઈચ્છા, પ્રતીતિ, ભાવને પરમાત્મની, અભ્યાસ આતમભાવનાને સતત આદરતાં ખરે, પ્રત્યક્ષ અમૃત પામીને પ્રાન્ત અમરપદ તે વરે. ૮ સત્સંગ રંગે અંગ રંગી, ભાવના–વૃદ્ધિ કરે, જ્ઞાની તણું વાણું ખરે, અમૃત જાણે આદરે, તેમાં જ ચિત્ત રમાવતાં, એકાગ્રતા તેમાં ધરે, રાજેશ વચને જીવન રંગી જીવન્મુક્તિ સુખ વરે.” ૯ અમૃતચંદ્ર સૂરિવરે શ્રી સમયસાર સુગ્રંથની, વ્યાખ્યા વિષે કળશા રચી કરી ઉન્નતિ શિવપંથની, તે છેદ સુંદર શોભતા શા દેવભાષાને વિષે ! ગુર્જર ગિરામાં પદ્ય રચના મંદમતિ ઉદ્યમ દીસે. ૧૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના વિદ્વજના ! ક્ષમો ક્ષતિ ાંતવ્ય ગણી આ ખાળની, ઉપદેશ સુણીને પામવી જાગૃતિ સ્વરૂપ–સંભાળની; જયેષ્ઠ શુક્લા પૂર્ણિમા દિન પદ્ય પૂરણુ હર્ષમાં, દ્વિસહસ્ર ને તેત્રીસ ચાલુ ગ્રીષ્મ વિક્રમ વર્ષમાં. ૧૧ ૨૮૭ ૭. અમૂલ્ય તત્ત્વવિચાર ( હરિગીત છંદ ) બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવના મળ્યો, તાયે અરે! ભવચક્રના આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહેા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહા રાચી રહા ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તેા કહા ? શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહા; વધવાપણું સંસારનું, નરદેહને હારી જવા, એના વિચાર નહીં અહાહા ! એક પળ તમને હવે!!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, ધેા ગમે ત્યાંથી ભલે, એ દ્દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે; પર વસ્તુમાં નહિ મૂંઝવા, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. 3 હું કાણુ છું ? ક્યાંથી થયા ? શું સ્વરૂપ છે મારું ખરું ? કાના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે ો કર્યાં, તે સર્વે આત્મિકજ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સમાધિ-સાધના તે પ્રાપ્ત કરવા વચન કેનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને તેહ જેણે અનુભવ્યું; રે! આત્મ તારે ! આત્મ તારે! શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમવૃષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો. ૫ –શ્રીમદ્ રાજચંદ્ર ૮. અમને અંત સમય ઉપકારી અમને અંત સમય ઉપકારી વહેલા આવજો રે– શ્રીમદ્ સદ્ગુરુનામ તમારું, પ્રાણુ જતાં પણ ન કરુંન્યારું; મનહર મંગળ મૂર્તિ મને બતાવજો રે–અમને૦ વિકટ સમય સાચવજે વહાલા, કહું કટિ કરી કાલાવાલા, આવી દીનદયાળ દયા દરશાવજો રે–અમને વસમી અંત સમયની વેળા, હારે ધારે વ્હાલા વહેલા પ્રણતપાળનું પહેલાં પણ પરખાવજો રે–અમને૦ મરકટ જેવું મન અમારું, તત્ત્વતઃ તેઓ તાન તમારું અંતરનું અંધારું સઘ. શમાવજે રે અમને૦ દેજે દર્શન જનમનહારી, પરમ કૃપાળુ બિરુદ વિચારી; રત્નત્રય બલિહારી, બાપ બચાવજો રે–અમને૦ ૯. જડ ને ચૈતન્ય (૧) જડ ને ચેતન્ય બંને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે; Page #310 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના એવા અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયા, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથના પંથ ભવ-અન્તના ઉપાય છે. (૨) દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રાગ શેાક દુઃખ મૃત્યુ, દેહના સ્વભાવ જીવ પ૪માં જણાય છે; એવા જે અનાદિ એકરૂપના મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યના પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજનિજ રૂપે સ્થિત થાય છે. ૨૮૯ ૧૯ -શ્રીમદ્ રાજચંદ્ર ૧૦. અમ હુમ અમર ભયે અમ હમ અમર ભયે ન મરેંગે; અમ યા કારણ મિથ્યાત દીયા તજ, કયું કર દેહ ધરેંગે ? અમ૦ ૧ રાગદ્વેષ જગ બંધ કરત હૈ, ઇના નાશ કરે ગે; મર્યાં અનંત કાળનેં પ્રાણી, સા હમ કાલ હશે. અમ૦ ૨ દેહ વિનાશી મેં અવિનાશી, અપની ગતિ પકરે ગે; નાશી જાશી હુમ થિર વાસી, ચાખે વ્હે. નિખરે એ. અમ૦૩ અનંતવાર મ↑ બિન સમજ્યા અબ સુખદુઃખ વિસરે ગે; અનંદઘનનિપટ(નિકટ)અક્ષરદા,નહિ સમરે સે મરે ગે અમ૦ ૪ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સમાધિ-સાધના ૧૧. આપ સ્વભાવમેં રે આપ સ્વભાવમેં રે, અબઘુ સદા મગનમેં રહેના; જગત જીવ હે કર્મોથીને, અચરિજ કછુ અને લીના. આપ૦ તુમ નહિ કેરા, કેઈ નહિ તેરા, ક્યા કરે મેરા મેરા ? તેરા હૈ સો તેરી પાસે, અવર સબે અનેરા. આ૫૦ વધુ વિનાશી તું અવિનાશી, અબ હે ઈનકે વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આપ૦ રાગ ને રીસા દોય ખવીસા, એ તુમ દુઃખકા દીસા જબ તુમ ઉનકે દૂર કરીસા, તબ તુમ જગકા ઈસા. આ૫૦ પરકી આશ સદા નિરાશા, એ હે જગજન પાસા; તે કાટકું કરે અભ્યાસા, લહે સદા સુખવાસા, આ૫૦ કબીક કાજી, કબીક પાજી, કલહક હવા અપભ્રાજી; કબીક જગમેં કીર્તિ ગાજી, સબ પુદ્ગલકી બાજી. આ૫૦ શુદ્ધ ઉપગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મને હારી; કર્મ કલંકકું દૂર નિવારી, જીવ વરે શિવનારી. આ૫૦ ૧૨. વિરહાક વારસ અહે મહાવીરના, શૂરવીરતા રેલાવજે, કાયર બને ના કેઈ દી, કષ્ટો સદા કંપાવજે, રે! સિંહનાં સંતાનને, શિયાળ શું કરનાર છે? મરણાંત સંકટમાં ટકે, તે ટેકના ધરનાર છે. ૧ કાયા તણું દરકાર શી? જે શત્રુવટ સમજાય તે, કુળવંત કુળવટ ના તજે, શું સિંહ તરણાં ખાય છે? Page #312 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૯૧ સર્વજ્ઞની સમજણ ગ્રહે તે મરણને શાને ગણે? ક્ષત્રિય જે વરહાક સુણે, તે ચઢે ઝટ તે રણે. ૨ બંધક મુનિના શિષ્ય સૌ ઘાણી વિષે પલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમ પદ ભાઈ તે; નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘણું, એ મેક્ષગામી સપુરુષના ચરણમાં હો વંદન ! ૩ સંગ્રામ આ શુરવીરો આવ્યો અપૂર્વ દીપાવજે, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવજે, સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિમરણમાં, મિત્ર સમાન સહાય કરશે, મને ઘરે પ્રભુ ચરણમાં. ૪ કેવળ અસંગ દશા વરે, પ્રતિબંધ સર્વે ટાળજો, સ્વછંદ છેડી શુદ્ધ ભાવે, સર્વમાં પ્રભુ ભાળજે, દુશ્મન પ્રમાદ હણી હવે જાગૃત રહે જાગૃત રહે ! સદ્દગુરુ શરણે હૃદય રાખી, અભય આનંદિત હે ! ૫ ૧૩. ! શી શાંત રસ ઝરતી ! ગઝલ-કવ્વાલી અહો ! શી શાંતરસ ઝરતી, ગુરુવર જ્ઞાનની મૂર્તિ! અજબ વાણી શી ગર્જન્સી ! દિયે ઉલ્લાસ સહ કુર્તિ! ૧ સમાધિ સાધવા, સાધક, હવે જાગે, હવે જાગે; અનાદિ સ્વપ્નને ત્યાગી, હવે નિજ શ્રેયમાં લાગે. ૨ મહાભાગ્ય મળ્યો આવે, સમાધિ સાધવા વારે; ચૂકથા જે તે ભવાબ્ધિનાં, દુઃખેને ક્યાં પછી આરે? ૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ અબાધિ-સાધના બને મૃત્યુ મહોત્સવ જે, દુઃખે ભવભવતણું ભાગે; સમાધિ બધિ પામે જે સહજનિજસિદ્ધિ નિજ આગે. ૪ અહે ! ચિન્તામણિ સ્વાત્મા, સકળ જ્ઞાનાદિ ગુણધામ; જરા નહિ, મૃત્યુ નહિ, શાશ્વત, અનંતાનંદ સુખધામ. ૫ અહે! ઐશ્વર્ય આત્માનું અહોમાહાસ્ય સ્વાત્માનું, ભૂલી જડ દેહમાં રાચ્ચા, વિસાચું શ્રેય સ્વાત્માનું. ૬ જગત તે સ્વપ્ન સમ મિથ્યા,તમે સત્ ચિત્ સ્વરૂપાત્મા; છતાં શું ક્ષણિકમાં રાચ્યા! ભૂલી નિજ નિત્ય સહજાભા. ૭ . અનારિ સ્વપ્ન છે ત્યાગી, હવે જાગૃત થઈ જાઓ, જગતની વિસ્મૃતિ કરીને, સ્વરૂપમાં મગ્ન થઈ જાઓ. ૮ હવે શુરવીર થઈ જાઓ, હવે પરમાં ન લેભાઓ; નિજાતમ રિદ્ધિ સંભારી, નિજાત્મામાં ઠરી જાઓ. ૯ સ્વજન ઘન તન બધાં પર એ, નથી નિક્ષે કહ્યું તારું છતાં હું મારું એ સૌમાં, મહા અજ્ઞાન અંધારું. ૧0 ઝલકતી જ્ઞાનની યેતિ કૃપાળુ જ્ઞાનીની ભાળે; હૃદયમાં તેહ પ્રગટાવી, તિમિર ટાળે, તિમિર ટાળો. ૧૧ ગુરુગમ જ્ઞાનીનું અંજન, કૃપાળુ જ્ઞાનીથી પામી; નયન નિજ દિવ્ય ઘો ખેલી, નિહાળે ચિત્ત ચિધામી. ૧૨ સુદર્શન ચક્ર જ્ઞાનીનું, હવે ઝટ તેહને ઘારે; વિભાવે શત્રુ સેનાને, હઠાવે, સર્વ સંહારે. ૧૩ સકળ સંસાર દુઃખેનું, ખરેખર મૂળ કારણ જે, તજે દેહાત્મબુદ્ધિ એ, નિજાત્મિક સૌખ્યવારણ એ. ૧૪ Page #314 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૯૩ શરીર ના હું, ન એ મારું, હવે એ નિશ્ચયે ઘારે; વ્યથા ચિન્તા ફિકર સર્વે, વૃથા એ અન્યની વારે. ૧૫ શરીરમાં રોગ, દુઃખ, પીડા, શરીરનાં, તે નહિ તારાં, મરણ પણ થાય જે તનનું, બધાં તુજ સ્વરૂપથી ન્યારાં. ૧૬ અહો મરણાંત ઉપસર્ગો, ડગ્યા ના પૂર્વ મહાપુરુષ! સ્વરૂપે અચળ વૃત્તિથી, વર્યા નિજ સિદ્ધિ પુરુષ. ૧૭ સ્મરી પુરુષાર્થ સંતને સહનશીલતા ઉરે ઘરે; ક્ષમા સમતા ધૃતિ શાંતિ, ઘરી વિભાવ સૌ વારે. ૧૮ તજો કાયા તણું માયા, તજે સૌ મેહ ને મમતા શરીર દુઃખ વ્યાધિ આદિના, રહે જ્ઞાતા ધરી સમતા. ૧૯ રહે પરદ્રવ્ય પરભાવે તણા સાક્ષી જ જોનારા; રમે આત્મિક ભાવમાં, વિભાવથી રહે ન્યારા. ૨૦ અશુભ કર્મો કર્યા પૂર્વ, ઉદય આવી ખરી જાતાં, નથી કંઈ હાનિ ત્યાં ભય શો? ખપા માત્ર રહી જ્ઞાતા. ૨૧ મહા મંગલમયી મંત્ર, સ્મરે સહજાત્મપદ નિત્ય શમાવી સૌ વિકલ્પને, પ્રશમરસમાં ઘરે ચિત્ત. ૨૨ અશાતા વેદની સાથે, લડે શૂરવીર થઈ ખત, સકલ શત્રુ હઠાવીને, વિજયમાળા વરે અંતે. ર૩ નથી આત્મા કદી મરતે, અમર સહજાત્મને સ્મરતે; પ્રભુપદ અચલ આશ્રયથી, અમરપદમાં ગતિ કરતે. ૨૪ નથી દુઃખદાયી યમ અંતે, દુઃખદ તે સંગ સૌ જાણે; તજી સી સંગ બાહ્યાંતર, અસંગી ભાવ ઉર આણે. ૨૫ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમાધિ-સાધના “અકિંચન હું છું અભ્યાસો, થશે લોથપતિ સૌમ્ય કહ્યું પરમાત્મપ્રાપ્તિનું રહસ્ય યેગીગણ ગમ્ય. ૨૬ સદા વિજ્ઞાનઘન શાશ્વત, તમે ચિકૂપ શુદ્ધાત્મા; અસંગી છે, અર્નગી છે, નિરંજન સિદ્ધ સહજાભા. ર૭ વર્યા જે પૂર્વમાં સિદ્ધિ, વર્યા તે ભેદવિજ્ઞાને, ચહે સિદ્ધિ, કરે સાચું, પરાક્રમ ભેદવિજ્ઞાને. ૨૮ પ્રતીતિ પ્રીતિ સ્વાત્મામાં, રમણતા રુચિ પ્રગટાવે; લગાવે લગન આત્માની, તેહિ તુહિ એક એ ભા. ૨૯ લહ્યો ચિંતામણિ કરતાં અધિક આગ ભવ તરવા, સ્વરૂપે મમ્રતા સાધે, અનુપમ સિદ્ધિસુખ વરવા. ૩૦ અનંતાનંત જ્ઞાનાદિ, સહજ સ્વાત્મિક ગુણમાલા, અરે, ધ્યા, ઠરે ત્યાં તે, સમાધિસિદ્ધિવરમાલા. ૩૧ V૧૪. સિદ્ધિનાં સુખ શાશ્વતાં સિદ્ધિનાં સુખ શાશ્વતાં, એ જ એક જગસાર; મુજ ઉરમાં બસ એ વસ્યાં, બીજું સર્વ અસાર. સદગુરુ આજ્ઞા ઉર ધર્યો, સિદ્ધિ સન્મુખ થાય; સદ્ગુરુ મહિમા અપાર છે, સદ્ગુરુ શિવસુખદાય. સ૬૦ ૨ મનુષ્યભવ ચિંતામણિ, ચિંતિત સર્વ પમાય; ભવ ભવનાં દુઃખ ટાળીને, સિદ્ધિપદે ઠરાય. સ૬૦ ૩ નિજ સહજાત્મસ્વરૂપ જ્યાં, શુદ્ધ-સિદ્ધિ ત્યાં પૂર્ણ કર્મકલંક ટળી જતાં, નિર્મળ સ્ફટિક પ્રપૂર્ણ સ૬૦ ૪ Page #316 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૨૯પ સિદ્ધિ શુદ્ધિ, મુક્તિ કે નિવૃત્તિ નિર્વાણ શિવપદ, શાંતિ, સમાધિ સૌ આત્મશુદ્ધિ સુખખાણ. સદ્. ૫ આનંદોર્મિ અપાર ત્યાં, સુખની લહેર અનંત; અચિંત્ય અનુપમ એ દશા, ભવાબ્ધિ દુઃખને અંત. સદૂ. ૬ વીતરાગ સર્વજ્ઞ એ, નિત્ય નિરંજન સિદ્ધ અવ્યાબાધ સ્વરાજ્ય સુખ, વિલસે પ્રભુ પ્રબુદ્ધ. સદ્દ૦ ૭ જન્મ જરા મૃત્યુ નહીં, ત્રિવિધ તાપ નહિ લેશ; રેગ શેક ભય ખેદ નહિ, નહિ ચિંતા સંક્લેશ. સ૬૦ ૮ સમય સમય સુખ લહેર ત્યાં, દર્શન જ્ઞાન અનંત; અનંત નિજ ગુણ સંપદા, ચિન્મય જોત જવલંત. સ૬૦ ૯ અચિંત્ય પ્રભુતા આત્મની, અદ્ભુત નિજ ઐશ્વર્ય, વચનાતીત અનંત એક સ્વરૂપરમણ સામર્થ્ય. સ૬૦ ૧૦ મુજ સહજાન્મસ્વરૂપ એ, અનંત શક્તિ સ્વરૂપ કદી ન જાણ્યું માન્યું મેં, અનુભવ્યું નહિ નિજરૂપ. સ૬૦ ૧૧ તેથી દુઃખદરિયે ડૂબે, ભવ ભવ ભયે અપાર; ભવદુઃખ અંત લહું હવે, સદ્ગુરુ તારણહાર. સ૬૦ ૧૨ મૃગજળ સમ ભવસુખ છતાં દેડ જગતની ત્યાં જ કદી ન તૃપ્તિ તેહથી, અંતર્દાહ જ ત્યાજ્ય. સ૬૦ ૧૩ માયામય અગ્નિ વિષે, બળી રહ્યો ત્રણ લેક; શીતળ શાંત સુધાનિધિ, રાજચંદ્ર સુખી કેક. સદૂ૦ ૧૪ જન્મ મરણની આગમાં બળતા જીવ તમામ; ચતુર્ગતિનાં દુઃખ સહે, લખ ચોરાસી આમ. સ. ૧૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સમાધિ-સાધના નરક નિગોદ તણું દુખે, વચને કહ્યાં ન જાય; ફરી ફરી તે વેદ્યાં છતાં, થાકયો જીવ ન જાય. સદૂ૦ ૧૬. વિવિધ વ્યાધિ પીડા થા, આધિ અંતર લ્હાય; બાહ્યાભ્યતર સંગથી, ઉપાધિ આગ સદાય. સદ્દ૦ ૧૭ આવાં દુઃખની આગમાં, હવે બળું ન કરાય; એ નિશ્ચય વૃઢ કરી, સેવું સુગુરુ સદાય. સ૬૦ ૧૮ સદગુરુ સંગે રંગ ત્યાં, ચઢે અખંડ અભંગ; રેમ રેમ ક્ષણ ક્ષણ જપું, નિજ સહજાત્મ અસંગ. સદ્. ૧૯ દશા અલૌકિક રાજની, આત્મસમાધિ નિમમ આત્મમસતા પ્રેરતી, કરે શત્રુબળ ભગ્ન. સ૬૦ ૨૦ કષાય મન ઇંદ્રિય તિહાં, દશે શત્રુ જિતાય; વિજય દવજા ફરકાવતાં, સહજ સ્વરાજ્ય પમાય. સદ્દ૦ ૨૧ નિજ સહજાન્મસ્વરૂપ એ, સર્વોત્તમ પદ સાર; પ્રીતિ પ્રતીતિ સ્થિતિ ત્યાં, દૃઢ કરી તરું ભવપાર. સ૬૦ ૨૨ રેમ રેમ આ ભાવના, સિદ્ધસ્વરૂપની સદાય; અખંડ અંતરમાં રમે, ભવક્ષય ઝટ થઈ જાય. સ૬૦ ૨૩ મુદ્રા શ્રીમદ્ રાજની, શમરસ અમૃત રેલ; તાપ વિભાવ શમાવી ઝટ, હરે કર્મ મુજ મેલ. સ૮ ૨૪ રાજ વચન જીવન વિષે, એક પરમ આધાર; જીવન્મુક્ત દશા દીએ, સિદ્ધિ તણું શી વાર? સદ્. ૨૫ ૧૫ સદ્ગુરુદશા આશા ઘરીને અમે આવિયા નિણંદજી, લીધા વિના કેમ જાશું રે; માયા તેરી લાગી નિણંદજી Page #318 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના સદ્ગુરુ દશા અહા ! અગમ્ય શી ! જિણંદજી; શાંતિ સમાઘિ નિમગ્ન રે; માયા તારી લાગી જિણંદજી. માક્ષાર્થી ભવ્યાના પ્રાણુ એ જિ મનડું રહે ત્યાં જ મગ્ન રે. માયા૦ ૧ દશા અલૌકિક રાજની જિ જ્ઞાનના અપાર અંખાર રે; માયા॰ મૂર્તિમાન મેાક્ષ આ કાળમાં જિ અવનીમાં અમૃત અવતાર રે. માયા૦૨ અંતરંગ અરિખળ જીતતા જિ。 વિદ્યમાન વીર વીતરાગ રે; માયા॰ સહેજ સ્વરૂપમાં રમતા જિ॰ ખીજા શ્રી રામ મહાભાગ્ય રે. માયા૦ ૩ સહજામ એ િ વીર કે રામ ચિત્ત ચહે એ જ સુતરામ રે; માર્યા॰ પિયુ પિયુ પળ પળ પાકાર એ જિ શીઘ્ર વરું સિદ્ધિ સુખધામ રે. માયા૦ ૪ કમળ જેમ દશા જિ જળમાં સંસારસંગે અલિપ્ત હૈ; માયા જિ ઉર્વશી એ રે વચ્ચે ચિત્ત થાય શાંત અવિક્ષિપ્ત રે. માયા૦ ૫ ચિત્ત શાંત થાતાં વૃષ્ટિ જિ પ્રભુનાં ૨૦૭ સ્વરૂપ જુએ સહજામ રે; માયા॰ દર્શન પામી જિ ધન્ય ધન્ય કૃતકૃત્ય આમ રે. માયા૦ ૬ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સમાધિ-સાધના મુદ્રા સદ્ગુરુ રાજની જિ. - પ્રશાંત રસની રેલી રે, માયા, વાણ સુધારસ વૃષ્ટિ જિ. ચિત્ત લહે સ્વરૂપે કેલિ રે. માયા. ૭ ઉરચર્યા શિવપથગા જિ. રત્નત્રયે તલ્લીન રે, માયા, ભાવે ઉલ્લાસે ભવિને જિ. | સ્વરૂપ વિષે કરે લીન રે. માયા- ૮ ચર્યા વિદેહી અસંગ એ જિ. | સ્વરૂપે રમણતા ઉલાસ રે; માયા, ભાવું ધ્યાવું અખંડ એ જિ. તેહિ તેહિ એ જ ઉરે વાસ રે. માયા. ૯ ધન્ય આવેગ રાજ વચને જિ. જીવનમુક્તિ વિલાસ રે, માયા, નિજ ઉપયોગને સાથી જિ. સાધક સિદ્ધિ નિવાસ રે. માયા. ૧0 ૧૬. સમાધિની મૂર્તિ - શિખરિણી છંદ સમાધિની મૂર્તિ ! પ્રશમરસધારા છલકતી ! અહે! મુદ્રા શ્રીમદ્ સદ્દગુરૂતણું શી ઝલકતી ! નિજાત્મામાં શાશ્વત્ અમિત સુખ ભાળી મલકતી ! વિભાથી થંભી સહજ નિજ ભાવે ઠરી જતી! Page #320 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના શરીરાદિ ન્યારાં સકલ જડમાં સ્વાત્મમતિ એ, અનાદિ ભ્રાંતિને પરિહરી સ્વરૂપે સુરતિ જે; ઉરે શી જાગૃતિ ! પ્રગટ સ્વરૂપે માત્ર રમવા ! જ્વલંતી ચિવૃત્તિ અવર પરિણતિથી વિરમવા ! તજી કાયા માયા સહેજ નિજ ચિદ્રુપ વિલસ્યા, સદા સ્વાનુભૂતિ પીયૂષરસમાં મગ્ન ઉલસ્યા; વૃશિ રતિ વૃત્તિ સ્વરૂપ શિવાગે ભવ તર્યો, સમાધિ આધિનું સદન સહેજાત્મા મહી ઠર્યો. ઉરે જાગી જ્યેાતિ પ્રગટ નિજ સ્વાનુભવતણી, વિભાવાની સ્હેજે વિરમી ગઈ સંપૂર્ણ રજની; દશા શી સ્વાત્માની જળહળ પ્રકાશે ઝલકતી ! અવિદ્યા અંધારું મુજ હરી ક્રિયા પંચમતિ. હરિગીત છંદ પંચમ ગતિ મુજ સાધવા, ગુરુ રાજચંદ્ર ઉરે ધરું, જ્ઞાની–દશા અદ્ભુત વિદેહી ! જીવન્મુક્ત સદા સ્મરું; જલકમલવત નિલે ૫ એ, માહાદિ કર્મ કલંકથી, સહેજાત્મમાં જ નિમગ્ન નિશદિન, ઉદાસીન ભવપંકથી. ઐશ્વર્ય સિદ્ધિ શક્તિ સુખ, જ્ઞાનાદિ જે સહજાત્મમાં, જેવી અનંતી રિદ્ધિ ત્યાં, તેવી નહી' કંઈ અન્યમાં; જગના પદાર્થો તુચ્છ આત્માની ન તાલે અલ્પ એ, તેથી ટળી આસક્તિ ઉરમાં, ઉદાસીન નિલે પ એ, મૂર્તિ ઉદાસીનતાતણી વૈરાગ્યજ્ઞાનતણી ધૃતિ, મુજ ઉર વિષે ઝલકી રહેા, સહજાત્મતત્ત્વ પ્રકાશતી; ચૈતન્ય શુદ્ધ પ્રમુદ્ધ હું, દેહાદિથી ન્યારા સદા, આધિ સમાધિ સહેજપદને સાદું તુજ ચરણે મુદ્દા. ૨૯૯ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩OO સમાધિ–સાધના ૧૭. ધન્ય ગુરુરાજ ઝૂલણા છંદ ધન્ય ગુરુરાજ ! બોધિ સમાધિ નિધિ ! ધન્ય તુજ મૂર્તિ ! શી ઉર ઉજાળ ! મુજ સમા પતિતને ભાવથી ઉદ્ધારવા, જ્ઞાન તુજ જ્યોતિ ઉર તિમિર ટાળે. ધન્ય. ૧ પ્રશમરસ નીતરતી સ્વરૂપમાં મગ્ન શી! મૂર્તિ ગુરુરાજની આજ ભાળી; ' ભવ દવાનલ જવલિત જીવને ઠારવા, શાંત શીતળ શશીશી નિહાળી ! ધન્ય. ૨ આત્મ અનુભવરસાસ્વાદમાં મલકતી ! જ્ઞાન વૈરાગ્ય શમનિધિ સુહાવે, ચિત્ત તન્મય થતાં તાપ દૂરે ટળે, શાંતિ સિદ્ધિ સકલ સમીપ આવે. ધન્ય. ૩ શાંત મુદ્રા પ્રભુ આપની નીરખતાં, આપ સમ મુજ સ્વરૂપ લક્ષ આવે; પ્રેમ પ્રતીતિ રૂચિ, ભક્તિ સહજાત્મમાં, જાગતાં એ જ પદ એક ભાવે. ધન્ય- ૪ તેહિ તેહિ સ્મરણથી, રટણથી, મનનથી, સહજ સ્વરૂપે અહો ! લગન લાગે; આત્મ-માહાભ્ય અદૂભુત ઉરમાં વચ્ચે, દેહને મેહ હર ક્યાંય ભાગે! ધન્ય ૫ એક એ જોઉં, જાણું, અનુભવું મુદા, એક એ સ્વરૂપમાં મગ્ન થાઉં; Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ સમાધિ સાધના એ વિના સર્વ પરભાવ દુઃખખાણને, પરિહરી આત્મ આનંદ થાઉં. ધન્ય. ૬ શરણ તું, ત્રાણ તું, પરમ આધાર તું, તુજ દશા ઉર્વશી ઉર વસાવું; દિવ્ય આત્મિક સુખમાં રમણતા લહી, સહજ બેધિ સમાધિ જગાવું. ધન્ય૦ ૭ આ જ કૃતપુણ્ય ધન્ય દિન મારે થયે, આ જ નરજન્મ મેં સફળ ભાળે; આત્મ-આનંદ અમૃતરસ રેલ, શાંત સહજાભ પ્રભુ દિલ વસાવ્યું. ધન્ય- ૮ ૧૮. પરમપદ પ્રાપ્તિની ભાવના ૧ અપૂર્વ અવસર એ ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જે ? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જે. અપૂર્વ ૨ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે. અપૂર્વ ૩ દર્શનમેહ વ્યતીત થઈ ઊપ બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે, તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વક Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સમાધિ સાધના ૪ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યાગની, મુખ્યપણે તે વર્તે ક્રેપર્યંત જો; ઘેાર પરિષદ્ધ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાના અંત ો. અપૂર્વ સંયમના હેતુથી યેાગપ્રવર્ત્તના, સ્વરૂપલક્ષે નિઆના આધીન ; ૫ તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ ૬ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનના ક્ષેાભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદ્દયાધીન પણ વીતલેાભ જો. અપૂર્વ ७ ક્રાધ પ્રત્યે તે વર્તે કાધસ્વભાવતા, માન પ્રત્યે તે ક્રીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લાભ પ્રત્યે નહી” લાભ સમાન જો. અપૂર્વ॰ ૮ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રાધ નહિ, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રામમાં, લાભ નહી છે પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ ૯ નગ્નભાવ કુંડભાવ સહુ અસ્નાનતા, અત્યંત ઘાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રામ, નખ કે અંગે શૃંગાર નહિ, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વે Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ સમાધિ-સાધના ૧૦ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જે. અપૂર્વ ૧૧ એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; ખડેલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રને જાણે પામ્યા ગ જે. અપૂર્વક ૧૨ ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જે; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુગલ એક સ્વભાવ જે. અપૂર્વ ૧૩ એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણું ક્ષપત કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે. અપૂર્વ મેહ સ્વયભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ ૧૫ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણે આત્યંતિક નાશ જે; સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ ૧૪. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સમાધિ–સાધના ૧૬ વેદનીયાદિ ચાર કમેં વર્તે જહાં, ખળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો, તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પુણે ટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વે ૧૭ મન વચન કાયા ને કર્મની વર્ગા, છૂટે જહાં સકલ પુદ્ગલ સંબંધ જો, એવું અયાગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. ૧૮ એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડાલસ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપરૂપ જે. અપૂર્વ ૧૯ પૂર્વે પ્રયાગાદિ કારણના યાગથી, અપૂર્વ ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ૨૦ જે પ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રીભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગાચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ઘ્યાન મેં, ગજા વગર ને હાલ મનેરથરૂપ જો; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ ★ —શ્રીમદ્ રાજચંદ્ર ૨૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના 304 ૧૯. ધર્મને મર્મ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ, અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદૂગુરુબેધ; તે પામે સમકિતને, વર્તે અંતરશે. ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વર્ત નિજ સ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીતઃ વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગપર વાસ. ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ, નહિ ભક્તા તું તેડને, એ જ ધર્મને મર્મ. ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છે મેક્ષસ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તે પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય. ૧૧૮ –શ્રી આત્મસિદ્ધિ ૨૦ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સમાધિ-સાધના ૨૦. અહો ! અહો ! શ્રી સદગુરુ ! સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા ભોક્તા કર્મને, વિભાવ વર્ત જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયા અકર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ કર્તા લેતા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨ મેક્ષ કહ્યા નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અહો! અહા! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! ! ઉપકાર. ૧૨૪ શું પ્રભુ ચરણ કને ધરુ, આત્માથી સૌ હન, તે તે પ્રભુએ આપિયે વતું ચરણાધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું. તેહ પ્રભુને દીન. ૧૨૬ વટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યું આપ; મ્યાન થકી તરવારવત્ , એ ઉપકાર અમાપ. ૧૨૭ જે સ્વરૂપ સમજ્યા વિના. પાયે દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું. શ્રી ગુરુ ભગવંત. ૧૨૮ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧૨૯ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત. ૧૩૦ -શ્રીમદ્ રાજચંદ્ર Page #328 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૩૦૭ ૨૧. ભાવ-અંજલિ કૌન ઉતારે પાર, પ્રભુબિન, કૌન ઉતારે પાર–એ રાગ શા સ્મરીએ ઉપકાર ! પ્રભુ તુજ, શા સ્મરીએ ઉપકાર ! ભાવદયા ભંડાર! પ્રભુ તુજ, શા સ્મરીએ ઉપકાર ! ગુરુગમ નેત્રોજન પ્રભુ આંજી, જ્ઞાનપડળ હરનાર ! પ્રભુ નિજ પર શ્રેયાર્થે પ્રભુ જીવન, ૧ઉપકૃતિના અવતાર ! પ્રભુત્ર ૧ શાંતમૂર્તિ લઘુરાજ, પ્રભુજી, અદ્ભુત મુદ્રા સાર; પ્રભુત્વ બોધિ સમાધિ શાશ્વત શાંતિ, આત્મદશા દાતાર. પ્રભુત્ર ૨ ઓગણસો દસ વિક્રમ વર્ષે, જન્મ વટામણ ગ્રામ; પ્રભુત્વ ચારૂતરના ભાલ પ્રદેશે, સુખ સંપદ અભિરામ. પ્રભુ ૩ દેહ વિષે ત્યાં વ્યાધિ પ્રસંગે, પામ્યા અતિ વૈરાગ; પ્રભુત્વ ત્રીશ વરસની વય, ખંભાતે, ગ્રહી દીક્ષા વડભાગ. પ્રભુ. ૪ પાંચ વર્ષ ગુરુ આજ્ઞા માંહે, કર્યો ઘણો પુરુષાર્થ, પ્રભુ છતાં ન પામ્યા આત્મદશા કે, લહ્યો નહીં પરમાર્થ. પ્રભુત્ર ૫ શા માટે મેં દીક્ષા લીધી? આત્મજ્ઞાનને કાજ; પ્રભુત્વ આત્મજ્ઞાન જે પ્રગટ્યું નહિ તે, વ્યર્થ મુનિને સાજ. પ્રભુત્ર ૬ આત્મજ્ઞાન વિણ જન્મ ટળે ના, ટળે ન દુઃખ સંસાર; પ્રભુત્વ આત્મજ્ઞાની ગુરુ જે હું પામું, તે તરી જઉં ભવ પાર. પ્રભુત્ર ૭ એવી ઉરમાં જાગી પિપાસા, તસ્વામૃત પાનાર; પ્રભુત્વ જ્ઞાનમૂર્તિ ગુરુ રાજચંદ્ર ત્યાં, મળ્યા સફળ અવતાર. પ્રભુત્ર ૮ ૧ ઉપકારના Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સમાધિ-સાધના અંતર્મુખ ઉપગે રહેતાં, આજ્ઞામાં એકતાર; પ્રભુત્વ વસે મુકામે, ચેપન સાલે, આત્મજ્ઞાન લધું સાર. પ્રભુત્ર ૯ દિન દિન અંતર્મુખ ઉપગે, દશા શાંત મહાર; પ્રભુ ગિરિ ગુફા જંગલ વિચરતા, એકાંતે વસનાર. પ્રભુત્ર 10 ઈડર ગિરિ પર સાતે મુનિઓ, રાજગુરુવર સંગ; પ્રભુ અનુપમ બેધ પ્રસાદી પામી, પામ્યા રંગ અભંગ. પ્રભુ ૧૧ જ્ઞાનદશાને ગુપ્ત રાખીને, વિચર્યા વર્ષ અનેક પ્રભુ સમતા ભાવે પરિષહ સહતા, ધરતા હૃદય વિવેક પ્રભુ ૧૨ ઓગણીસે છોતેરથી વધતે, ઝળક્યો પુણ્ય પ્રકાશનું પ્રભુત્વ ભવ્ય જનને ઉદ્ધરવાને, મંગલમૂર્તિ ખાસ. પ્રભુત્ર ૧૩ તીર્થ અનુપમ ઉદ્દભવ પામ્યું, અદ્ભુત સત્સંગ ધામ; પ્રભુત્વ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ એ, પાસે અગાસ ગામ. પ્રભુ૧૪ સમ્યગદર્શન જ્ઞાન ચરણરૂપ, શાશ્વત મુક્તિ માર્ગ; પ્રભુ વીર પ્રભુએ પ્રગટ પ્રબોધે, લુપ્ત પ્રાય. દુર્ભાગ્ય ! પ્રભુ ૧૫ એ સન્માર્ગ કૃપાળુ શ્રીમદ્, રાજચંદ્રથી પ્રાપ્ત; પ્રભુ આ મેક્ષાર્થી ભવ્યને, ભાવદયાથી વ્યાપ્ત. પ્રભુત્ર ૧૬ ભાગ્યવંત બહુ તત્વપિપાસુ, પામ્યા શાંતિ અપાર; પ્રભુ તવામૃતનું પાન કરીને, સાધે સિદ્ધિ સાર. પ્રભુ ૧૭ બધિ સમાધિ શાશ્વત સિદ્ધિ, સહેજે આજ સધાય; પ્રભુત્વ એ ઉપકાર અહે! પ્રભુશ્રીને પળ પણ કિમ વિસરાય? પ્રભુત્ર ૧૮ ધન્ય પ્રભુશ્રી કરુણામૂર્તિ, ભાવ પ્રાણ દાતાર, પ્રભુ અજરામર અવિનાશી પદ દઈ, ઘન્ય જીવન કરનાર. પ્રભુત્ર ૧૯ Page #330 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૩૦૯ સહજ સ્વરૂપે નિશદિન રમતા, જ્ઞાન વિરાગ અથાગ પ્રભુત્વ ભાવ-અંજલિ આજ અર્પીએ, લહીએ ભવને તાગ. પ્રભુ. ૨૦ ઓગણીસે બાણું વૈશાખે, શુક્લા અષ્ટમી સાંજ; પ્રભુ સ્વરૂપ સમાધિ લહી આશ્રમમાં, ખિન્ન મુમુક્ષુ સમાજ પ્રભુ. ૨૧ નંદનવન સમ અનુપમ આશ્રમ, દીપે આજ સતેજનું પ્રભુત્વ આપ અલિપ્ત રહીને નિજ પર, શ્રેય કર્યું ઘરી “હેજ પ્રભ૦ ૨૨ પ્રશમ રસ ભરી મૂર્તિ પ્રભુની, ભાળી આત્માકાર, પ્રભુ રાગ વધુને જીવ તજી ઝટ, આત્મરમણ ઉર ધાર. પ્રભુ૨૩ ૨૨. સદ્દગુરુ તારણહાર જન્મ મરણનાં દુઃખ તણે, કદી ન આવ્યું પાર; આ ભવ મુજ સાર્થક થયા સદ્દગુરુ તારણહાર. સશુરુ તારણહાર૦ ૧ જે મૃત્યુથી જગ ડરે, તે મુજ મહોત્સવ થાય; .આત્મજ્ઞાની ગુરુ ઉર ધર્યા, સત્સમાધિ સુખદાય. સદ્ગુરુ તારણહાર૦ ૨ હે ચેતન ! જે તે ચહે, શીધ્ર સિદ્ધિ સુખદાય; દેહભાવ તે ગાળી દે, ભાવ સ્વભાવ સદાય. સદ્ગુરુ તારણહાર૦ ૩ કાયા હું સ્વપ્નેય નહિ, હું ચિપી રામ, દર્શન જ્ઞાન અનંત હું, અજરામર સુખધામ. સદ્ગુરુ તારણહાર. ૪ ૧. હેત, ઊમળકો Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમાધિ–સાધના કાયા હું, મારી” ગણું, ભવ ભવ ભમ્યો અપાર; શુદ્ધ બુદ્ધ ચૈતન્ય હું, એ ભાગ્યે ભવ પાર. સદ્દગુરુ તારણહાર૦ ૫ ત્રણ જગમાં સર્વોપરી સારરૂપ મુજ એક; નિજ સહજત્મસ્વરૂપ એ, ધ્યાવું ઘરી વિવેક. સદ્ગુરુ તારણહાર૦ ૬. ધ્યાવું, ભાવું, અનુભવું, નિજપદ કરું વિરામ; સદ્દગુરુ રાજ કૃપા થકી, વરું સિદ્ધિ અભિરામ. સદ્ગુરુ તારણહાર ૭ રાજ વચન જીવન વિષે, એક પરમ આધાર; જીવન્મુક્ત દશા દીએ, બધિ સમાધિ સાર. સદ્ગુરુ તારણહાર૦ ૮ ર૩ જરા ઉરમાં વિચારો જિંદગીમાં કેટલું કમાયા રે ? જરા સરવાળો માંડજો, સમજુ સજજન ને શાણા રે, જરા સરવાળો માંડજો, આત્મધર્મને જેણે પિછાણ્યો, ભવભ્રમણથી મુકાણા; રે જરાવે ધર્મને મર્મ જો નવ જાણ્યો તે, સરવાળે મીડાં મુકાણાં; રે જરા મેં મનુષ્ય ભવ પામિયા રે, જરા ઉરમાં વિચારજો; ભવજળ કાંઠે આવિયા રે, જરા ઉરમાં વિચારજો; ઉરમાં વિચારજે, નિજને ઉદ્ધારજે, નિજ શ્રેય શીઘ્ર ઉરે ધારજો રે. જરા૧ તન ઘન સ્વજનાદિમાં મૂંઝાયા, અંતે તે એકલવાયા રે, જરા, માયાની જાળમાં જ્યાં ત્યાં ફસાયા, જીવનમાં સાર શું કમાયા રે. જરા. ૨ Page #332 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ૩૧૧ અંધાની હારમાં હવે ન ચાલશે, અજ્ઞાન અનાદિનું ટાળજો રે; જરા૦ ઉરમાં વિચારજો, અંતરમાં ભાળજો, અંતરંગ ચક્ષુ ઉઘાડો રે. જરા૦ ૩ દૃષ્ટિ બહિર્મુખ અંતરમાં વાળી, જળહળ જયંતિ નિહાળો રે; જરા૦ અંતરમાં ભાળવા, આંખા ઉઘાડવા, અંજનથી નયન અજવાળજો રે. જરા૦ ૪ સદ્ગુરુ રાજરાજેશ્વર આજ્ઞા, અનન્ય ભાવે ઉપાસને રે; જરા૦ અંજન વિમલાલેાક તે પામી, ઉરમાં પરમાત્મા પ્રકાશજો રે. જરા ૫ સત્પદ મૂકી અસત્ ભાળવાની, ટેવ અનાદ્ઘિની ટાળજો રે; જરા સત્ સહજાતમાં સર્વત્ર ભાળો, મૃગજળ પર, ન નિહાળજો રે. જરા દ્ અદૃશ્ય આતમાં દૃશ્ય કરી દેખજો, જાણનાર જોનાર ભાળજો રે; જરા તેને પડી મૂકી ખીજું જોવાના, અભ્યાસ અનાદિના ટાળજો રે. જરા૦ ૭ કેવળ નિજ સહાત્મસ્વરૂપને, પ્રત્યક્ષ નજરે લાવજો રે; જરા૦ દશા સમાધિસ્થ રાજની ધ્યાવતાં, જ્યાતિ જ્વલંત જગાવજો રે. જરા૦ ૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સમાધિ-સાધના અચિંત્ય સ્વાતમ રિદ્ધિ ઉર ધારીને, આત્માથી હીન સૌ જાણજે રે. જરા, અદ્ભુત રત્નત્રયી પ્રગટાવી, સતચિત્ આનંદ માણજો રે. જરા. ૯ અમૂલ્ય અવસર હારી ગયા જે, ભવદુઃખદરિયે અપાર તે રે; જરા, ઉરમાં વિચારજે, ઊંડા વિચારજે, ભવ ભવનાં દુઃખ વાર રે. જરા ૧0 બેધિ સમાધિ જે લીધી સાધી, ધન્ય ધન્ય આ અવતાર તે રે; જરા, રાજ વચન જીવન આધારે, તરી જ સંસાર તે રે. જરા, ૧૧ ૨૪. સમાધિ-સાર જન્મ જરા મરણદિનાં, દુઃખને જ્યાં નહિ પાર; એવા આ ભવસિંધુથી, કરે કેણ ઉદ્ધાર ? ૧ મુમુક્ષુને આ કાળમાં, કૃપાળુ તારણહાર; જ્ઞાની સદ્ગુરુ રાજ વિણ, કેણ અવર આધાર ? ૨ ધન્યભાગ્ય મેક્ષાર્થીનાં, આત્મજ્ઞાન અવતાર, રાજચંદ્ર ગુરુવર મળ્યા, દિવ્ય દૃષ્ટિ દાતાર. ૩ સમાધિસુખમાં રાજતા, યેગી ગુરુરાજ, અનન્ય આશ્રય તુજ રહો, શીઘ લહું શિવરાજ. ૪ હે પરમાત્મપ્રકાશકર ! પ્રણમું ધરી ઉલ્લાસ; રમું પરમાત્મપ્રકાશમાં, હે ઉરતિમિર વિનાશ. પ Page #334 -------------------------------------------------------------------------- ________________ સમાધિ–સાધના ૩૧૩ વંદું તે શ્રી સિદ્ધગણ, હવે થનાર અનંત; શિવમય નિરુપમ જ્ઞાનમય, પરમ સમાધિ ભજંત. ૬ મુનિએ પરમાત્મા જુએ, પરમ સમાધિ સ્થિત પરમાનંદ સુહેતુ હે પરમેષ્ઠી મુજ ચિત્ત. ૭ સ્વાત્મદર્શને સુખ પરમ, કરતાં ધ્યાન પમાય; તે સુખ ત્રિભુવનમાંય ના, જિન અનંત સિવાય. ૮ મુનિ ધ્યાતાં નિજ આત્મને, જે સુખ લહે અનંત, લહે ન તે સુખ ઇંદ્ર પણ, કેટ-દેવી-વિલસંત. ૯ આત્મદર્શને જિનવરે, જે સુખ લહે અનંત, તે સુખ લહે વિરાગી જીવ, અનુભવતાં શિવશાંત. ૧0 મુનિવર કરે ન ગ્રંથ પર, રાગ દ્વેષરૂપ ભાવ, કારણ ગ્રંથથી ભિન્ન નિજ જાણે આત્મસ્વભાવ. ૧૧ કરે ન મુનિવર શરીર પર, રાગ દ્વેષરૂપ ભાવ; કારણ શરીરથી ભિન્ન નિજ, જાણે આત્મસ્વભાવ. ૧૨ કરે ન વૃત્તિ નિવૃત્તિ પર, રાગદ્વેષ મુનિરાય; જાણ્યા સ્વભાવ બેઉને, બંધ હેતુ દુખદાય. ૧૩ જ્ઞાનીને આત્મા વિના અવર ન સુંદર કાંઈ તે પરમાર્થ સુજાણ તે, રમે ન વિષયે માંહિ. ૧૪ જ્ઞાનમયી આત્મા વિના અન્ય રુચે નહિ ચિત્ત; પરખે મરકત તેહને, કાચ વિષે શું પ્રીત ? ૧૫ અણુમાત્ર પણ રાગ જે મનથી જગ ન જાય; તે પરમાર્થ-પ્રવીણ પણ ત્યાં સુધી મુક્ત ન થાય. ૧૬ જ્ઞાની ને અજ્ઞાની બે મુનિવરમાં બહુ ભેદ, જ્ઞાની તનને પણ તજે, જાણું સ્વપર-પ્રભેદ. ૧૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સમાધિ સાધના યાગિન ! ત્યજ તું મેહુને, માહુ ભદ્રરૂપ નાંહિ; માહાસક્ત બધું જગત, દુઃખ સહે જો અહિ. ૧૮ તે જ ધન્ય તે સત્પુરુષ ચિરંજીવા જગમાંય; જે યૌવનદ્રહમાં પડ્યા, સહેજે તે તરી જાય. ૧૯ એ દિનનાં સુખ વિષયનાં, પછી દુખના નહિ પાર; ભ્રાંત જીવ, તું નિજ ખલે, ભલા કુહાડી ન માર. ૨૦ તન પણ નહિ જ્યાં સ્વાત્મનું, ત્યાં શું અન્ય સ્વ થાય? પર કારણુ કર મેાહ ના, તું શિવસંગર વિહાય. ૨૧ કર શિવસંગમ માત્ર એક, જેથી સુખ પમાય; ચિંતવ ના કંઈ અવરને, જેથી મેાક્ષ ન થાય. ૨૨ માહ તૂટે ઝટ જેમ તે, પામે ચિત્ત વિરામ; સ્વામિન, તે ઉપદેશ દે, દેવ અવરનું શું કામ ? ૨૩ નાકે નીકળ્યો શ્વાસ જ્યાં, સમાધિમાં લય થાય; ત્યાં તૂટે ઝટ મેાહ ને, ચિત્ત અસ્ત થઈ જાય. ૨૪ સમાધિમાં જો વાસ તા, શીઘ્ર માહલય થાય; શ્વાસ તૂટે મન પણ મરે, કેવલ રવિ પ્રગટાય. ૨૫ સમાધિમાં મન જે ધરે લેાકાલાક—પ્રમાણ; શીઘ્ર માહ તૂટે, અને, એ પરમાત્મ-પ્રમાણુ. ૨૬ સમાધેિ સમરસ મન ધરી, આત્મા દેવ અનંત; તનસ્થિત પણ જાણ્યા નહીં, થયા નષ્ટ, ભગવંત. ૨૭ અર્ધ સીચેલાં નયન કે, પૂર્ણ મીચ્ચે શું ચેાગ ? ચિંતા વિષ્ણુ એકાગ્ર લે, ધ્યાને શિવસંચાગ. ૨૮ ૨. આત્મ-અનુભવ, ૧. દ્ર=ધરો, Page #336 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૩૧૫ ગિન , ચિંતા જે તજે, તે તૂટે સંસાર; ચિંતાસક્ત જિનેન્દ્ર પણ, લહે ન હંસાચાર. ૨૯ આ આત્મ જ પરમાતમા, કર્મવશે બહિરાત્મક સ્વને સ્વથી જાણે બને, સ્વયં દેવ પરમાત્મા. ૩૦ જે પરમાત્મા જ્ઞાનમય, તે હું દેવ અનંત, જે હું તે પરમાતમા, એમ ભાવ નિર્દાન્ત. ૩૧ વિમલસ્ફટિકથી ભિન્ન જ્યમ, હે જીવ પરકૃત ભાવ; તેમજ આત્મસ્વભાવથી ગણ સૌ કર્મસ્વભાવ. ૩૨ સ્ફટિક સ્વભાવે વિમલ જ્યમ, તેમજ આત્મસ્વભાવ જોઈ મલિન તન બ્રાંતિથી, ગણન મલિન નિજભાવ. ૩૩ રક્ત વસ્ત્રથી જેમ બુધ, તન નહિ માને રક્ત; ત્યમ તન રક્તથી જ્ઞાની ના, આત્મા માને રક્ત. ૩૪ જીર્ણ વસ્ત્રથી જેમ બુધ, તન નહિ માને જીર્ણ, ત્યમ તન જીર્ણથી જ્ઞાની ના, આત્મા માને જીર્ણ. ૩૫ વસ્ત્ર નાશથી જેમ બુધ તન નહિ માને નષ્ટ ત્યમ તાનાશે જ્ઞાની ના, આત્મા માને નષ્ટ. ૩૬ હે જીવ, જ્ઞાની જ્યમ ગણે, વસ્ત્ર દેહથી ભિન્ન તેમ દેહ પણ આત્મથી, માને જ્ઞાની વિભિન્ન. ૩૭ આ તન જીવ, તુજ શત્રુ ગણ, દુખ ઉપજાવે એહ, તે આ તનને જે હણે, મિત્ર પરમ ગણ તેહ. ૩૮ ઉદય આણને કર્મ જે, ખપાવવા મુજ ઈ; સ્વયં આવ્યું, ખપાવ્યું તે, લાભ પરમ ગણું એહ. ૩૯ ૧. આત્મરમણતા. ૨. ઇચ્છા Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સમાધિ–સાધના નિષ્ફર વચન સુણું યદિ, મનમાં સહ્યું ન જાય; ભાવ શીધ્ર પરમાતમા, કે મનલય ઝટ થાય. 80 પરમ સમાધિ સરવરે પ્રવેશી તલ્લીન થાય; આત્મ વિમલ સ્થિર તે બને, ભવમલસી વહી જાય. ૪૧ સર્વ વિકલ્પ વિલય થયે, પરમ સમાધિ કહાય; તેથી શુભાશુભ ભાવ સૌ, મુનિઓ તજે સદાય. ૪૨ ઘેર તપશ્ચર્યા કરે, સૌ શાય ભણંત, પરમ સમાધિ રહિત છે, દેખે નહિ શિવશાંત. ૪૩ જે સમાધિ કરતા નથી, છેદી વિષય કષાય; ચેગિન, તે પરમાત્માના, આરાધક ન જ થાય. ૪૪ જે જિન કેવલ જ્ઞાનમય, પરમાનંદ-સ્વભાવ; છે પરમાત્મા પરમ પર, જીવ, સહજાત્મ-સ્વભાવ. ૪૫ જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ; આ સમજી હે યોગી તું, કર નહિ અન્ય વિકલ્પ. ૪૬ શુદ્ધ પ્રદેશે પૂર્ણ જે, કાલેક પ્રમાણુ તે આત્મા દિન દિન જુઓ, શીઘ લહે નિર્વાણ. ૪૭ શુદ્ધ સચેતન બુદ્ધ જિન, કેવલજ્ઞાન-સ્વભાવ; તે આત્મા દિનદિન જુઓ, ચાહે જે શિવલાવ. ૪૮ જ્યાં સુધી તે ભાવે નહીં, નિર્મળ આત્મસ્વભાવ; લહેનશિવગતિ ત્યાં સુધી, જા જ્યાં તુજ રુચિભાવ. ૪૯ તીર્થે કે દેવાલયે દેવ ન જ્ઞાનીકથિત; તન દેવાલય દેવ જિન, પ્રી છે એ જ ખચીત. પ0 Page #338 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૩૧૭ દેવળે વ્યર્થ; તન દેવાલય દેવ જિન, દોડ હાસ્ય મને એ થાય કે, સિદ્ધ ભમે ભિક્ષાર્થ? ૫૧ મૂઢ, દેવ નહિ દેવળે, લેપ મૂર્તિ છખીમાંય; દેહ દેવળે દેવ જિન, પ્રીછ સ્થિર મનમાંય. પર તીર્થં દેરે દેવ જિન, એમ કહે સૌ કાય; તનદેવળમાં જે પ્રીછે, તે બુધ વિરલ જ હાય. ૫૩ હે જીવ, જરા મરણુ થકી, ભયભીત ા કર ધર્મ; ધર્મ રસાયણુ પી, મળે અજરામર શિવશર્મ. ૫૪ જ્યમ મન વિષયામાં રમે, આત્મજ્ઞાનમાં તેમ; યાગી કહે હું યાગીઓ, શીઘ્ર મળે શિક્ષેમ. ૫૫ સ્વથી સ્વને મુનિ જે પ્રીછે, તજી પર ભાવ વિકાર; કેવલજ્ઞાન સ્વરૂપ લઈ તે છેડે સંસાર. ૫૬ ધન્ય જ્ઞાની ભગવંત તે જે પરભાવ તત; લેાકાલાક પ્રકાશકર આત્મા વિમલ લત. ૫૭ ગૃહસ્થ હા કે હા મુનિ, વસે આત્મમાં જેહ; શીઘ્ર સિદ્ધિસુખ તે લહે, જિનવર ભાખે એહ. ૫૮ વિરલા જાણે તત્ત્વ બુધ, વિરલા સુણતા તત્ત્વ; વિરલા ધ્યાવે તત્ત્વ, જીવં, વિરલા ધારે તત્ત્વ. ૫૯ આ પરિજન મુજ નહિ નકી,સુખ દુઃખ કારણ એ જ; એમ ચિંતવ્યે શું અને ? શીઘ્ર થાય લવચ્છેદ. ૬૦ જે જિન તે હું, તે જ હું, ભાવ એમ નિર્ભ્રાન્ત; યાગિન્ , કારણ મેાક્ષનું, અવર ન મંત્ર ન તંત્ર. ૬૧ રત્નત્રય સંયુક્ત જીવ, ઉત્તમ તીર્થ પવિત્ર; ચેાગિન, મુક્તિમાર્ગ એ, અવર ન મંત્ર ન તંત્ર. ૬૨ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સમાધિ માધના આત્મસ્વરૂપે જે રમે, છાંડી સૌ વ્યવહાર સમ્યવૃષ્ટિ જીવ તે, શીધ્ર લહે ભવપાર. ૬૩ અજર અમર ગુણગણુનિલય,આત્મા સ્થિર થાય તે કર્મ બંધાય ના, સંચિત પૂર્વ વિલાય. ૬૪ જેમ જળે લેપાય ના, કમલિની પત્ર કદાય; ત્યમ કમેં લેપાય ના, રતિ સ્વભાવે જ્યાંય. ૬૫ જે શમસુખ તલ્લીન બુધ, નિજજ્ઞાને રમમાણ; કરી કર્મક્ષય શીધ્ર તે, લહે ખચીત નિર્વાણ. ૬૬ પુરુષાકાર પ્રમાણ જીવ, આત્મા આ જ પવિત્ર દેખાયું ગુણગણુનિલય, નિર્મળ તે જ કુરંત. ૬૭ જે શુદ્ધાત્માને પ્રોં છે, અશુચિ તનથી ભિન્ન તે જાણે શાસ્ત્રો સકળ, શાશ્વત સુખમાં લીન. ૬૮ પ્રોં છેન જે પર–આત્મને, તજે ન જે પરભાવ, શાસ્ત્ર સકળને જાણ પણ, લહેન શિવસુખ લાવ. ૬૯ એ અહંત એ સિદ્ધ ને, એ આચાર્ય પ્રધાન; ઉપાધ્યાય સાધુ ય એ, આત્મા નિશ્ચ જાણ. ૭0 આ શિવ શંકર વિષ્ણુએ, રુદ્ર એહ વળી બુદ્ધ એ જિન ઈશ્વર બ્રહ્મ એ, એ અનંત એ સિદ્ધ. ૭૧ એ લક્ષણ-લક્ષિત જે, અશરીરી વર દેવ; અને વસે જે દેહમાં, એ બેમાં નહિ ભેદ. ૭૨ જે સીધ્યા, જે સીધશે, સીંધે કહે જિનભાણ તે સૌ આતમદર્શને, એમ નિશ્ચયે જાણ. ૭૩ Page #340 -------------------------------------------------------------------------- ________________ સમાધિ-સાધના ૩૧૯ જીવ જુદો પુદ્ગલ જુદાં, જુદે સૌ વ્યવહાર ત્યજ પુગલ, જીવ ગ્રહણ કર, શીધ્ર લહે ભવપાર. ૭૪ દેહાદિક જે પર ગણે, શૂન્ય જેમ આકાશ; લહે શીઘ પરબ્રહ્મ તે, કેવળ કરે પ્રકાશ. ૭૫ ૨૫. અર્પણ હે આ તન મન આત્મ સમર્પણ હે! ગુરુરાજ તમારા ચરણેમાં, મુજ ભાવ ભક્તિ ઉલ્લાસિત હો! સહજાન્મસ્વરૂપનાં સ્મરણમાં; સહજાન્મસ્વરૂપ અહો! મુજ રૂપન જાણ્યું કદી ભવ ભ્રમણમાં, એ રત્નત્રય ઝલત તિ શી ! સર્વોત્તમ સૌ શરણમાં. ૧ જાયું નહિ આત્મસ્વરૂપ મૂળમાં નિજરૂપ સિદ્ધ સુખધામ છતાં, સૌ તન ધન સ્વજને અન્ય છતાં ત્યાં મમતા મેહ અતિ ધરતાં; પરિગ્રહ મમતા પાશ ગળામાં ઘરી બહુ દુઃખ અસહ્ય સહ્યાં, મૂળ ભૂલ સહ જપ તપ સાધન જ્ઞાન કિયા સૌ વ્યર્થ લહ્યાં. ૨ પરમકૃપાળુ જ્ઞાની ગુરુવર ગે મુજ સદ્ભાગ્ય ફળ્યાં, ભેદજ્ઞાનથી ભિન્ન જણાવ્યાં જડ ચેતન એકત્ર ભળ્યાં; પરમાં “હું, મારું, એ ભ્રાંતિ ભૂલ અનાદિની દૂર થવા, ભેદજ્ઞાનની સતત ભાવને એક એ જ શિવસદન જવા. ૩ જડ તે જડ, ચેતન તે ચેતન, મિશ્ર છતાં બે ભિન્ન સદા, નિજ સહજત્મસ્વરૂપનાં દર્શન, જ્ઞાન, સમાધિ મુક્તિપ્રદા; અજર અમર શાશ્વત નિજ આત્મા પકડ અચળ એ ઉરે વસે, દુખ, વ્યાધિ, ઉપસર્ગ મરણમાં પણ તે પકડ કદી ન ખસે. ૪ પરમાં “અહ” અહે! એ બ્રાંતિ ! સ્વમ અનાદિ ટળી જતાં, ગુરુવર વચને નિજપદ જાણ, જોઈ અનુભવી ત્યાં કરતાં; Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સમાધિ-સાધના બધિ સમાધિ મૃત્યુ મહત્સવ સાથી સાધક ભવ તરતા, રાજવચન જીવન આધારે ધન્યભાગ્ય કૃતકૃત્ય થતા. ' ૨૬. મંગળ કળશ શ્રી રાજચંદ્ર કૃપાળુ ભજ મન પતિત પાવનકર વર, સમકિત નિર્મળ દઈ સુદર્શન ચક અરિબળ ક્ષયકરું, અજ્ઞાન અંધિત વૃષ્ટિ અંજિત તત્તરંજિત મતિક, સહજત્મશ્રી પ્રગટાવી રમણીય મુક્તિરામણી રતિધર ૧ ભવભીતિ ભંજન, દુઃખનિકંદન પાપમંજન શુચિકર, સહજાત્મમદ્મ, કર્મભગ્ન, મુક્તિલસૅ, શિવકર અમૃતવચન, શાંત ચિત્ત, ધ્યાનરક્ત, શમઘર, ચૈતન્ય વ્યક્ત, મહત્યક્ત, સિદ્ધિસક્ત સુખક. ૨ ભવવારિ તારી દુખનિવારી, મુક્તિનારી દાયક, અદ્દભુત શક્તિ આત્મવ્યક્તિ ભવવિરક્તિ વિધાયક; સર્વશાસન, ભવવિનાશન, શિવપ્રકાશન પથર, ભવિહિત વિધાન, યુગપ્રધાન, બેધિદાન ઘો વર. ૩ જળકમલવત્ નિર્લેપ કમેં આત્મધમે સ્થિતિધર, અશરીરીભાવે, નિજસ્વભાવે સ્મણ કરતા ગુરુવર, ભવતરણતારણ, દુઃખનિવારણ, શર્મકારણ જયકરું, જયવંત હે ! ત્રણ કાળ હે! આત્મસ્થયેગી ગણવ. ૪ બેલિ સમાધિ નિધાન અદ્ભુત વિશ્વશાંતિ સુખકર, તુજ ચરણ શરણે રમણ વારણ મરણ વ્યાધેિ ભયહર તન મન વચન આત્મા સમર્પણ ચરણકજ હે ભવહરે, સહજત્મરામી, દુખવિરામી, શાંતિધામી શિવક. ૫ Page #342 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક ૧૧ ૨૪ ૪૭ ને ૧૧૦ પૃષ્ઠ લીટી અશુદ્ધ શુદ્ધ પચામૃત પંચામૃત ૨૩ ૧૭ નવે-વાવ ભવેત્તાવ अनार्तयाः અનાર્ત: ૧૯ વિશ્રાતિ વિશ્રાંતિ ૯૨ ૮ અત્યત અત્યંત અત્યંત - ૨ વૈભવ, કુટુંબ વૈભવ, લક્ષ્મી, કુટુંબ ૧૨૯ ૧૨-૩ “એવા છે? ન જોઈએ ૧૩ર. એ સંત એકાંત ૧૫૨ चिदानदनिलये चिदानंदनिलये ૧૫૩ ૨૨ આત્મક આત્મિક ૧૬૫ ચિપની ચિકૂપની ૧૮૫ ज जं ૧૮૫ ૨૨ દૃજન ૧૮૬ चलणाण चलणाणं ૧૮૬૫ સર્વવાળવર સર્વલ્યાનાર ૨૪૧ ૨૪ પ્રપચથી પ્રપંચથી जं जं Page #343 --------------------------------------------------------------------------  Page #344 -------------------------------------------------------------------------- ________________ = == = = === ដែរ . = _ នេះ។ មមមមមមមមមមមមមមមមមមមមមមម ន = ===== == = = === = មមមមមមមមមមមមមមមមមមមមមមមមមមមមមម ++++RHMER-ENVENHEK RAK YANTHERHMER+KIK I - - 000DDDDDD = ន។ -- -- - - _ _ = មមមមមមមម ម PEEBEEHEHEHEHEE មានផងននមមម មមមមមមមមមមមមមមមមមមមមមមមដ្ឋាន . ១២មដងផងនននននននននានា Hyuth DOODDO000000 CODE = E អរណូមមមមមមមមមមមមមមមមមមមម -- - - - - - -- - - ទេពមមននននននន មមមមមមមមមមម . -----